Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 299
________________ ૨૯૮ શ્રી પૂજા સંગ્રહ સાથે રાજનગરમાં રહીય ચોમાસું, અજ્ઞાન હિમ હઠાયો; સૂત્ર અર્થ પીસ્તાલીસ આગમ, સંઘ સુણી હરખાયો રે. મહાવીર૦ ૪. અઢારસેં એકાશી માગશર, મૌન એકાદશી ધ્યાયો; શ્રી શુભવીર જિનેશ્વર આગમ, સંઘને તિલક કરાયો રે. મહાવીર૫. (આઠે પૂજા પૂરી થયા પછી લુણ ઉતારણ-આરતી-મંગળદીવો કરી શાન્તિકળશ કરવો. ત્યારબાદ ચૈત્યવંદન કરવું.) રાજનગર-અમદાવાદમાં ચોમાસું રહીને અજ્ઞાનરૂપ હિમને દૂર કર્યો અને શ્રી સંઘને પીસ્તાલીશ આગમ સૂત્ર અને અર્થ સાથે સંભળાવીને હર્ષ પમાડ્યો. ૪. સં ૧૮૮૧ના માગશર સુદ અગિયારસે મૌન એકાદશીના દિવસે આ પૂજા રચી, શ્રી શુભવીર પરમાત્માના આગમરૂપ તિલક શ્રી સંઘને કરાવ્યું. અર્થાત્ શ્રી સંઘમાં આગમભક્તિની વૃદ્ધિ થઈ. ૫ પં. વીરવિજયકૃત પીસ્તાલીશ આગમની સાથે પૂજા સમાપ્ત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308