Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 289
________________ ૨૮૮ શ્રી પૂજા સંગ્રહ સાથે સાતમી નૈવેદ્યપૂજા નૈવેદ્ય પૂજા સાતમી, સાત ગતિ અપાર; સાત રાજ ઉરધ જઇ, વરીએ પદ અણાહાર. ૧. નિત્ય જિનવર મંદિર જઇએ, એવા મિઠાઇ થાળમાં લઇએ, નૈવેદ્યની પૂજા કરીએ, તેમ જ્ઞાનની આગળ ધરીએ રે; શ્રુત આગમ સુંદર સેવો, મનમંદિર આગળ દીવો રે. કૃ૦ ૧. પહેલું અનુયોગદુવારે, સાતે નય ભંગ પ્રકારે; નિપાની રચના સારી, ગીતારથ વચને ધારી રે. શ્રુo ૨. દુહાનો અર્થ - સાતમી નૈવેદ્યપૂજા એ "સાત ગતિને દૂર કરનાર છે. તે પૂજા કરવાથી સાત રાજ ઊંચા જઈ અણાહારીપદમોક્ષપદને વરીએ-પ્રાપ્ત કરીએ. ૧. ઢાળનો અર્થ - હે ભવ્યાત્મા ! હંમેશાં શ્રી જિનેશ્વર પ્રભુના મંદિરે જઇ. એવામીઠાઈ થાળમાં ભરીને લઈ જઈએ. તે નૈવેદ્યપ્રભુની પાસે ધરીને નૈવેદ્યપૂજા કરીએ. એ જ પ્રમાણે જ્ઞાનની આગળ પણ નૈવેદ્ય ધરીએ. એવી રીતે શ્રુતજ્ઞાન અપાવનાર આગમની સુંદર પ્રકારે સેવા કરો જેથી મનરૂપ મંદિરમાં શ્રુતજ્ઞાનરૂપ દીપક પ્રગટ થાય. ૧. હવે છેલ્લાં બે સૂત્રનાં નામ કહે છે. તેમાં પહેલું શ્રી અનુયોગદ્વારસૂત્ર છે તેમાં સપ્તનય અને સપ્તભંગી વગેરે પ્રકારો બતાવ્યા ૧. દેવ-દેવી, મનુષ્ય-મનુષ્યની સ્ત્રી, તિર્યંચ-તિર્યંચની સ્ત્રી અને નારકી એમ સંસારની સાત ગતિ જાણવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308