Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૮૮
શ્રી પૂજા સંગ્રહ સાથે
સાતમી નૈવેદ્યપૂજા
નૈવેદ્ય પૂજા સાતમી, સાત ગતિ અપાર; સાત રાજ ઉરધ જઇ, વરીએ પદ અણાહાર. ૧.
નિત્ય જિનવર મંદિર જઇએ, એવા મિઠાઇ થાળમાં લઇએ, નૈવેદ્યની પૂજા કરીએ, તેમ જ્ઞાનની આગળ ધરીએ રે; શ્રુત આગમ સુંદર સેવો, મનમંદિર આગળ દીવો રે. કૃ૦ ૧. પહેલું અનુયોગદુવારે, સાતે નય ભંગ પ્રકારે; નિપાની રચના સારી, ગીતારથ વચને ધારી રે. શ્રુo ૨.
દુહાનો અર્થ - સાતમી નૈવેદ્યપૂજા એ "સાત ગતિને દૂર કરનાર છે. તે પૂજા કરવાથી સાત રાજ ઊંચા જઈ અણાહારીપદમોક્ષપદને વરીએ-પ્રાપ્ત કરીએ. ૧.
ઢાળનો અર્થ - હે ભવ્યાત્મા ! હંમેશાં શ્રી જિનેશ્વર પ્રભુના મંદિરે જઇ. એવામીઠાઈ થાળમાં ભરીને લઈ જઈએ. તે નૈવેદ્યપ્રભુની પાસે ધરીને નૈવેદ્યપૂજા કરીએ. એ જ પ્રમાણે જ્ઞાનની આગળ પણ નૈવેદ્ય ધરીએ. એવી રીતે શ્રુતજ્ઞાન અપાવનાર આગમની સુંદર પ્રકારે સેવા કરો જેથી મનરૂપ મંદિરમાં શ્રુતજ્ઞાનરૂપ દીપક પ્રગટ થાય. ૧.
હવે છેલ્લાં બે સૂત્રનાં નામ કહે છે. તેમાં પહેલું શ્રી અનુયોગદ્વારસૂત્ર છે તેમાં સપ્તનય અને સપ્તભંગી વગેરે પ્રકારો બતાવ્યા ૧. દેવ-દેવી, મનુષ્ય-મનુષ્યની સ્ત્રી, તિર્યંચ-તિર્યંચની સ્ત્રી અને નારકી એમ સંસારની સાત ગતિ જાણવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org