Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 286
________________ પીસ્તાલીશ આગમની પૂજા ૨૮૫ ઉત્તરાધ્યયન તે બીજું આગમ, મૂળ સૂત્રમાં ગણીજીએ; અધ્યયનના છત્રીસ રસાળા, સદ્ગુરુ સંગે સુણીજીએ. જિન) ૩. સોળ પ્રહરની દેશના દેતાં, ચતુર ચકોરા રીઝીએ; શ્રી શુભવીર જિનેશ્વર આગમ, અમૃતનો રસ પીજીએ. જિન૦ ૪. જ્ઞાન ઉદય કરવા ભણી, તપ કરતા જિન દેવ; જ્ઞાનનિધિ પ્રગટે તદા, સમવસરણ સુર સેવ. ૧ ગીત આગમ છે અવિકારા, જિનંદા ! તેરા આગમ છે અવિકારા. જ્ઞાનજ્યોતિ પ્રગટે ઘટમાંહી, જિમ રવિકિરણ હજારા; જિ0 હસ્તિપાળરાજાની સભામાં સોળ પહોર પર્યત અખંડ દેશના આપતાં કહ્યું છે. તેના સુંદર રસવાળા છત્રીશ અધ્યયનો છે. તેને સદ્ગુરુ પાસે સાંભળવાથી ચતુર મનુષ્યરૂપ ચકોર પક્ષીઓ આનંદ પામે છે. આ રીતે શ્રી શુભવીર જિનેશ્વરના આગમરૂપ અમૃતના રસનું પાન કરીએ. દુહાનો અર્થ- કેવળજ્ઞાનનો ઉદય કરવા માટે શ્રી તીર્થકર દેવ તપ કરે છે અને જ્યારે કેવળજ્ઞાનરૂપ નિધાન પ્રગટ થાય છે ત્યારે દેવો સમવસરણ રચીને પ્રભુની સેવા કરે છે. ૧. ગીતનો અર્થ- હે જિસેંદ્ર ! આપનું આગમ અવિકારી છે-દોષ રહિત છે. એ આગમના અભ્યાસથી હજાર કિરણવાળા સૂર્યની જેમ ઘટમાં-આત્મામાં જ્ઞાનજ્યોતિ પ્રગટે છે. જ્ઞાનરૂપ સૂર્યનો ઉદય થવાથી મિથ્યાત્વીઓના દુર્નયથી ભરેલા એકાંતનની પ્રરૂપણા કરનારાં વિકારવાળાં-દોષવાળાં શાસ્ત્રો તગતગતા તારાની જેમ અદશ્ય થઈ જાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308