Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પીસ્તાલીશ આગમની પૂજા
૨૭૫
ઢાળ એક જન શ્રુતરસિયો બોલે રે, હો મનમાન્યા મોહનજી, પ્રભુ તાહરે નહીં કોઈ તોલે રે, હો મનમાન્યા મોહનજી; અમે ધૂપની પૂજા કરીએ રે, હોઇ દુર્ગધ અનાદિની હરિયે રે.
હો મનમાન્યા૧. તુમ દર્શન લાગે પ્યારું રે, હો
અંતે છે શરણ તમારું રે; હોવ ચઉસરણ પયનુ પહેલું રે, હો
અમે શરણ કર્યું છે વહેલું રે. હો૦ ૨ લહી અર્થ અનોપમ રીઝું રે, હો
આઉરપચ્ચકખાણ તે બીજું રે; હો૦ ઢાળનો અર્થ- એક શ્રુતરસિક જન કહે છે કે – મનથી માનેલા એવા હે મનમોહન પ્રભુ ! આ જગતમાં તમારી તુલનામાં આવે તેવું બીજું કોઈ નથી. હે પ્રભુ ! અમે આપની ધૂપ દ્વારા પૂજા કરીને અનાદિકાળથી આત્માને વળગેલી કર્મમળરૂપ દુર્ગધને હરીએ છીએ-દૂર કરીએ છીએ. ૧.
હે પ્રભુ અમને તમારું દર્શન પ્યારું લાગે છે, અને અંતે એટલે અંતકાળે પણ એક તમારું ખરું શરણ છે. તેથી જેમાં પ્રથમ આપનું –અરિહંતનું શરણ સ્વીકારવામાં આવેલ છે. તે ચઉસરણ પત્રો પહેલો કહ્યો છે. અમે તો આપનું શરણ વહેલું-અત્યારથી જ કર્યું છે. ૨
તે પયત્રાના અનુપમ એવા અર્થ જાણી હું આનંદ પામું છું. ત્યારપછી બીજો આઉરપચ્ચકખાણ પયગ્નો છે (આમાં અંતિમ સમયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org