Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા ચૈત્ય અભિષેકતા; સુકૃતત સિંચતા,
ભક્ત બહુલા ભવિ ભવ તરે એ. પ. વારણ ને અસી દોય વચમાં વસી,
- કાશી વારાણસી નયરીએ એ; અશ્વસેન ભૂપતિ વામાવાણી સતી,
જૈનમતિ રતિ અનુસારીએ એ. ૬. ચાર ગતિ ચોપડા ચ્યવનના ચૂકવી,
શિવ ગયા તાસ ઘર નમન જાવે; બાળરૂપે સુર તિહાં જનની મુખ જોવતાં,
શ્રી શુભવીર આનંદ પાવે. ૭. તીર્થજળ વડે ચૈત્યો-પ્રતિમાઓને અભિષેક કરતા અને તેનાથી પોતાના સુકૃતરૂપી વૃક્ષને સિંચન કરતા એવા ભક્તિવંત અનેક જીવો આ સંસારને તરી જાય છે. તેવી તે (વારાણસી નગરીની) ભૂમિ છે. પ.
વારણ અને અસી એ નામની બે નદીની વચમાં આ નગરી વસેલી હોવાથી જેનું નામ વારાણસી છે અને બીજાં નામ કાશી છે. તે નગરીમાં અશ્વસેન નામે રાજા છે, તેમને વામાદેવી નામે રાણી છે. જે મહાસતી છે. તે રૂપમાં રતિ (કામદેવની સ્ત્રીઓ સરખી છે, અને જૈનધર્મમાં દઢ પ્રીતિવાળી છે. ૬.
ચારગતિમાં જન્મમરણ કરવારૂપ કર્મરાજાના ચોપડા ચૂકતે કરી જેઓ મોક્ષમાં ગયા છે તેઓના ઘરમાં-સિદ્ધભગવંતના ઘરે એટલે કે જિનમંદિરમાં વામાદેવી દર્શન કરવા જાય છે તે સમયે તે (પાર્શ્વનાથ પ્રભુનો જીવ) દેવ બાળકનું રૂપ ધારણ કરી આવે છે અને માતાનું મુખ જોઇ શુભ વીરત્વવાળો તે દેવ આનંદ પામે છે. ૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org