Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૧
બારવ્રતની પૂજા
અષ્ટમવ્રતે નવમી અક્ષતપૂજા
દંડાયે વિણ હેતુએ, વળગે પાપ પ્રચંડ; પ્રભુ પૂજી વ્રત કારણે, તે કહું અનાથદંડ. ૧. સ્વજન શરીરને કારણે, પાપે પેટ ભરાય; તે નવિ અનરથદંડ છે, એમ ભાખે જિનરાય. ૨.
ઢાળ નેક નજર કરી નાથજી !
જેમ જાયે દાળિદર આજથી જીહો; નેક) અમે અક્ષત ઉજ્જવલ તંદુલે,
કરી પૂજા કહું જિન આગળ જીહો. નેક0 આવી પહોંચ્યો છું પંચમકાળમાં,
સંસાર દાવાનળ ઝાળમાં જીહો. નેક૦ ૧. દુહાનો અર્થ - વગર કારણે પ્રાણી દંડાય છે અને તેથી પ્રચંડ પાપ વળગે છે. પ્રભુની પૂજા કરી વ્રત માટે અનર્થદંડ શું શું કારણે લાગે તે કહું છું. ૧.
જેની જવાબદારી પોતાને માથે છે એવા સ્વજનની ખાતર અને પોતાની આજીવિકા ખાતર પાપ કરવું પડે એ અનર્થ નથી એમ જિનરાજ કહે છે. ૨
ઢાળનો અર્થ - હે નાથ ! આપ અમારા ઉપર ભલી નજર કરો. જેથી તરત જ મારું દારિદ્ઘ દૂર થાય. અખંડિત ઉજ્વળ ચોખાથી પૂજા કરી હું જિનેશ્વર આગળ કહું છું કે – આ પંચમકાળમાં સંસારરૂપી દાવાનળની જ્વાળામાં હું આવી પહોંચ્યો છું. ૧.
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org