Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૭૬
શ્રી પૂજા સંગ્રહ સાથે પંથ વચ્ચે પ્રભુજી મળ્યા, હજુ અરધે જાવો; નિર્ભય નિજપુર પામવા,પ્રભુ પાકો વોળાવો. ૪. શ્રેણિ ચઢી શૈલેશ એ, પરિશાટન ભાવો; એક સમયશિવમંદિરે,જ્યોતે જ્યોત મિલાવો ૫. નાટક દુનિયા દેખતે, નવિ હોય અભાવો; શ્રી શુભવીરને પૂજતાં, ઘેર ઘેર વધાવો.
વિરતિo ૬.
કળશ ગાયો ગાયો રે મહાવીર જિનેશ્વર ગાયો. વિરમુખે વ્રત ઉચ્ચરિયાં, જેમ નરનારી સમુદાયો; એકસો ચોવીશ અતિચાર પ્રમાણે, ગાથાએ ભાવ બનાયો રે. ૧.
હે પ્રભુ ! તમે માર્ગના મધ્યમાં (ચૌદ રાજલોકમાંથી સાત રાજ ઉંચે હું આવ્યો ત્યાં) મળ્યા છે. પણ હજુ અધું (સાત રાજ ઊંચે) જવાનું છે. નિર્ભયપણે નિજપુરે મોક્ષમાં પહોંચવા માટે પ્રભુ પાકા વળાવા જેવા છે. ૪
ક્ષપકશ્રેણીએ ચઢી, શૈલેશીકરણ કરી, બાકી રહેલા કર્મોથી આત્માને છૂટો કરો. કર્મથી મુક્ત થયા પછી એક જ સમયમાં મોક્ષમંદિરે જ્યોતિમાં જ્યોત મીલાવી દો. ૫
હે પ્રભુ! આપ સદા જગતનું નાટક જોયા કરો છો. આપે એવી દશા પ્રાપ્ત કરી છે કે આપની એ સ્વભાવદશાનો હવે કદીપણ અભાવ થવાનો નથી. શ્રી શુભવીર પ્રભુની પૂજા કરવાથી ઘરેઘરે વધાવો થાય છે- આનંદ મંગળ થાય છે. ૬
કળશનો અર્થ- જેવી રીતે વર પરમાત્માના મુખથી સ્ત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org