Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
નવપદજીની પૂજા
શ્રી સિદ્ધપદ કાવ્ય દુષ્ટટ્ટકમ્માવરણપ્પમુક્કે, અનંતનાણાઇસિરિચઉછે; સમગ્ગલોગગ્ગપયપ્રસિદ્ધ, ઝાએહ નિસ્યંપિ સમગ્ગસિદ્ધે. ૨
સ્નાત્ર-કાવ્ય અને મંત્ર
વિમલકેવલભાસનભાસ્કર, જગતિ જંતુમહોદયકારણમ્; જિનવર બહુમાનજલૌઘતઃ; શુચિમનાઃ સ્નપયામિ વિશુદ્ધયે. ૧. સ્નાત્ર કરતાં જગદ્ગુરુશરીરે, સકળદેવે વિમલ કળશનીરે; આપણાં કર્મમલ દૂર કીધાં, તેણે તે વિબુધ ગ્રંથે પ્રસિદ્ધા. ૨ હર્ષધરી અપ્સરાવૃંદ આવે, સ્નાત્ર કરી એમ આશિષભાવે; જિહાં લગે સુરગિરિ જંબૂદીવો, અમતણા નાથ દેવાધિદેવો. ૩
૧૮૯
ૐ હૂઁી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા.
કેવળદર્શન તથા કેવળજ્ઞાનવાળા એવા સિદ્ધોનું ધ્યાન કરે છે, તેઓનો આત્મા ગુણની ખાણરૂપ સિદ્ધ બની જાય છે.
કાવ્યનો અર્થ દુષ્ટ એવા આઠ કર્મોના આવરણથી મૂકાએલા અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, અનંતવીર્ય. આ ચાર અનંતની લક્ષ્મીવાળા, સમગ્ર લોકના અગ્રભાગમાં રહેલા એવા સમગ્ર સિદ્ધોનું હંમેશાં ધ્યાન કરો. ૨
–
Jain Education International
સ્નાત્રપદ કાવ્ય અને મંત્રનો અર્થ - અરિહંતપદની પૂજાને અંતે આપેલ છે, તે મુજબ જાણવો. નવે પદોની પૂજાને અંતે આ કાવ્ય અને મંત્રનો અર્થ સરખો છે.
બીજી સિદ્ધપદ પૂજા અર્થ સમાપ્ત
For Private & Personal Use Only
www.jainelibrary.org