Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
નવપદજીની પૂજા
- ૨૦૯ સકલ ક્રિયાનું મૂળ જે શ્રદ્ધા, તેમનું મૂળ જે કહીએ; તેહ જ્ઞાન નિતનિત વંદીએ, તે વિણ કહો કેમ રહીએ રે.
ભવિકા ! સિ. ૩. પંચ જ્ઞાનમાંહિ જેહ સદાગમ, સ્વપર પ્રકાશક જેહ; દિપક પરે ત્રિભુવન ઉપકારી, વળી જેમ રવિ શશિ મેહ રે.
ભવિકા ! સિ. ૪. લોક ઊર્ધ્વ અધો તિર્યમ્ જ્યોતિષ, વૈમાનિક ને સિદ્ધ; લોકાલોક પ્રગટ સવિ જેહથી, તેહ જ્ઞાને મુજ શુદ્ધિ રે.
ભવિકા ! સિદ્ધ૦ ૫.
અહિંસાનો ક્રમ નિવેદન કરેલો છે, તેથી જ્ઞાનને નમસ્કાર કરો, જ્ઞાનની અવગણના ન કરો; કારણકે જ્ઞાનીજનો જ મોક્ષસુખને અનુભવી શક્યા છે. ૨.
| સર્વક્રિયાનું મૂળ “શ્રદ્ધા છે, તેનું મૂળ જે કહેવાય છે તે જ્ઞાન છે, તેને હંમેશા વંદન કરો. કહો તે વગર કેમ રહી શકાય ? ૩.
પાંચ જ્ઞાનમાં જે સદાગમ (શ્રુતજ્ઞાન) છે તે પોતાને અને પરને પ્રકાશ કરનાર છે, દીવાની માફક ત્રણે ભુવનોને ઉપકારક છે, વળી સૂર્ય-ચંદ્ર અને વરસાદની માફક પણ ઉપકારી છે. ૪.
ઉર્ધ્વલોક, અધોલોક, તિર્યગૂલોક, જ્યોતિષ, વૈમાનિક અને સિદ્ધ વગેરે લોક અને અલોક જેથી જાણી શકાય છે તે જ્ઞાનવડે જ મારી શુદ્ધિ થવાની છે. પ.
૧૪:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org