Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૯૬
શ્રી પૂજા સંગ્રહ સાથે અર્થ-સૂરાને દાન વિભાગે, આચારજ ઉવજઝાય; ભવ ત્રીજે જે લહે શિવસંપદ, નમીએ તે સુપસાય રે.
ભવિકા ! સિ૦ ૨. મૂરખ શિષ્ય નિપાઈ જે પ્રભુ, પહાણને પલ્લવ આણે; તે ઉવજઝાય સકળજનપૂજિત, સૂત્ર અર્થ સવિ જાણે રે.
ભવિકા ! સિ. ૩. રાજકુમાર સરિખા ગણચિંતક, આચારજ પદ યોગ; જે ઉવજઝાય સદા તે નમતાં, નાવે ભવભય શોગ રે.
ભવિકા ! સિ. ૪.
તેના પારગામી હોવાથી તે (ના રહસ્યાર્થ)ને ધારણ કરનારા છે, સૂત્રના અર્થને વિસ્તારવામાં (વાચના આપવામાં) ચતુર છે, તે ઉપાધ્યાય ભગવાનને ઉલ્લાસથી નમસ્કાર કરો. ૧.
અર્થ અને સૂત્ર આપવાના વિભાગમાં (અનુક્રમે) આચાર્ય અને ઉપાધ્યાય છે, જે ત્રીજે ભવે મોક્ષલક્ષ્મી પામનારા છે, એવા સુંદર કૃપાવાળા ઉપાધ્યાયજીને નમસ્કાર કરીએ છીએ. ૨
પત્થરમાં પણ અંકુરા ઉગાડવાને સમર્થ એવા જે ઉપાધ્યાય ભગવાન મૂર્ખ શિષ્યને પણ વિદ્વાન બનાવી શકે છે તે સર્વ જનોથી પૂજિત છે અને સૂત્ર અર્થ સર્વ જાણે છે. ૩
રાજાના યુવરાજ સમાન ગણની ચિંતા રાખનારા છે. આચાર્યપદને જે યોગ્ય છે, તે ઉપાધ્યાયજીને હંમેશાં નમસ્કાર કરતાં સંસારનો ભય અને શોક આવતો નથી. (નાશ પામી જાય છે.) ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org