Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૮૬
શ્રી પૂજા સંગ્રહ સાથે નિરાવરણ જે આત્મરૂપે પ્રસિદ્ધા,
થયા પાર પામી સદા સિદ્ધબુદ્ધા. ૧. ત્રિભાગોનદેહાવગાહાત્મદેશા,
રહ્યા જ્ઞાનમય જાત વર્ણાદિ લેશ્યા; સદાનંદસૌખ્યશ્રિતા જ્યોતિરૂપા,
અનાબાધ અપુનર્ભવાદિ સ્વરૂપા. ૨
ઢાળ-ઉલાળાની દેશી. સકલ કરમમલ ક્ષય કરી, પૂરણ શુદ્ધ સ્વરૂપોજી; અવ્યાબાધ પ્રભુતામયી, આતમ સંપત્તિ ભૂપોજી. ૧.
ઉલાલો જેહ ભૂપ આતમ સહજ સંપત્તિ, શક્તિ વ્યક્તિપણે કરી,
સ્વદ્રવ્યક્ષેત્ર સ્વકાળભાવે, ગુણે અનંતા આદરી; નાંખ્યા છે, નિર્મળ આત્મસ્વરૂપે જેઓ પ્રસિદ્ધ થયેલા છે અને સંસારસમુદ્રનો પાર પામી હંમેશને માટે સિદ્ધ-બુદ્ધ થયેલા છે. ૧.
જેમના આત્મપ્રદેશની અવગાહના અંત્યશરીરથી ત્રીજે ભાગે ઓછી છે, જે જ્ઞાનમય રહેલા છે, વર્ણાદિ લેશ્યાઓ રહિત થયેલા છે, સદા આનંદ અને સુખનો આશ્રય કરી રહેલા છે, જ્યોતિસ્વરૂપ છે, પીડા રહિત છે અને ફરીથી જન્મ ધારણ કરવારૂપ ભવસંતતિ પામનારા નથી. ૨.
ઉલાળાની ઢાળનો અર્થ - સર્વ કર્મરૂપ મેલને દૂર કરી જેઓ પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામેલા છે, પીડા રહિત ઠકુરાઈવાળા છે અને આત્મિક સંપત્તિના સ્વામી છે. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org