Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૬૭
૧૬૭
બારવ્રતની પૂજા
દશમવ્રતે અગિયારમી નૈવેદ્યપૂજા
દુહો
વિગ્રહગતિ દૂર કરી, આપો પદ અણાહાર; એમ કહી જિનવર પૂજીએ, ઠવી નૈવેદ્ય રસાળ. ૧.
ઢાળ દશમે દેશાવગાસિકે રે, ચૌદ નિયમ સંક્ષેપ; વિસ્તારે પ્રભુ પૂજતાં રે, ન રહે કર્મનો લેપ હો જિનજી ! ભક્તિ સુધારસ ઘોળનો રે, રંગ બન્યો છે ચોળો રે,
પલક ન છોડ્યો જાય. એક મુહૂરત દિન રાતનું રે, પક્ષ માસ પરિમાણ; સંવત્સર ઇચ્છા લગે રે, તે રીતે પચ્ચખાણ હો જિનજી! ભક્તિ) ૨.
દુહાનો અર્થ - હે પ્રભુ ! વિગ્રહગતિ દૂર કરીને મને અણાહારીપદ આપો. આમ કહી રસદાર નૈવેદ્યનો થાળ પ્રભુ આગળ ધરી જિનેશ્વરની નૈવેદ્યપૂજા કરીએ. ૧.
ઢાળનો અર્થ – દશમા દેશાવગાસિક વ્રતમાં ચૌદ નિયમનો સંક્ષેપ કરવાનો છે. વિસ્તારપૂર્વક પ્રભુની પૂજા કરવાથી કર્મનો લેપ. રહેતો નથી. હે પ્રભુ! તમારી ભક્તિરૂપ અમૃતના ઘોળનો ચોળમજીઠ જેવો રંગ મને લાગ્યો છે, તે રંગ પળવાર પણ છૂટો પડી શકે નહિ.૧.
આ નિયમોના એક મુહૂર્તના, દિવસના, રાત્રિના, દિન રાત્રિના, પંદર દિવસના, મહિના, વર્ષના અથવા ઇચ્છા હોય તેટલા વર્ષના પચ્ચકખાણ લઈ શકાય છે. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org