Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૭૯
શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા
રાણી સાથે વસંતમેં, વન ભીતર પેઠે; પ્રાસાદ સુંદર દેખકે, ઉહાં જાકર બેઠે. ૧૮. રાજીમતીકું છોડકે, નેમ સંજય લીના; ચિત્રામણ જિન જોવતે, વૈરાગે ભીના. ૧૯. લોકાંતિક સુર તે સમે, બોલે કર જોરી; અવસર સંજમ લેનકા, અબ એર હૈ થોરી. ૨૦. નિજ ઘર આયે નાથજી, પિયા ખિણ ખિણ રોવે; માતપિતા સમજાય કે, દાન વરસી દેવે. ૨૧. દીનદુઃખીયા સુખીયા કીયા, દારિદ્રકું ચૂરે; શ્રી શુભવીર હરિ તિહાં, ધન સઘળું પૂરે. ૨૨.
એક વખત સ્વામી રાણી સાથે વસંતઋતુમાં વનમાં ગયા હતા અને સુંદર પ્રાસાદ જોઈ ત્યાં જઈને બેઠા. ૧૮.
રાજીમતીનો ત્યાગ કરી નેમકુમારે કુમાર અવસ્થામાં જ સંયમ ગ્રહણ કર્યું હતું, તે ચિત્ર તે પ્રાસાદમાં જોવાથી પાર્શ્વકુમારનું ચિત્ત વૈરાગ્યથી વાસિત બન્યું. ૧૯.
તે વખતે લોકાંતિકદેવોએ આવી બે હાથ જોડી કહ્યું કે- હે પ્રભુ! હવે સંયમ લેવા માટે આપને થોડી જ વાર છે. અલ્પ સમય બાકી રહ્યો છે. ૨૦.
તે પછી પાર્શ્વકુમાર ઘરે આવ્યા, સ્વામી તુરતમાં જ દીક્ષા લેવાના છે તે હકીકત જાણી પ્રભાવતી રાણી ક્ષણે ક્ષણે રૂદન કરવા લાગ્યાં. પ્રભુએ માતા-પિતાને સમજાવી વરસીદાન દેવા માંડ્યું. ૨૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org