Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્રી નવાણુપ્રકારી પૂજા
૧૦૧ ઢાળ બીજી ગિરિવર દર્શન વીરલા પાવે,
પૂરવ સંચિત કર્મ ખપાવે; ગિરિ ષભ જિનેશ્વર પૂજા રચાવે, નવ નવ નામે ગિરિગુણ ગાવે.
ગિરિવર દર્શન વિરલા પાવે. ૧. સહસકમળ ને મુક્તિનિલયગિરિ,
સિદ્ધાચળ શતકૂટ કહાવે; ગિરિ ઢંક કદંબ ને કોડિનિવાસો,
લોહિત તાલધ્વજ સુર ગાવે. ગિરિ૦ ૨ ઢંકાદિક પંચ ટુંક સજીવન,
સુર નર મુનિ મળી નામ થપાવે; ગિરિ૦
ઢાળનો અર્થ આ ગિરિવરના દર્શન વિરલ મનુષ્ય જ પામી શકે છે. આ ગિરિવરનાં દર્શન કરનાર પૂર્વનાં એકઠાં થયેલાં કર્મોને ખપાવે છે. તીર્થયાત્રા કરનાર શ્રી ઋષભદેવ જિનેશ્વરની પૂજા રચાવે છે અને નવા નવા નામોથી (અથવા નવ નવ નામોથી) ગિરિરાજના ગુણોનું ગાન કરે છે. ૧.
આ તીર્થના બીજાં નવ નામો કહે છે:- ૧૦. સહસકમળ, ૧૧. મુક્તિનિલયગિરિ, ૧૨. સિદ્ધાચલ, ૧૩. શતકૂટ, ૧૪. ઢંક, ૧૫. કદંબ, ૧૬. કોડિનિવાસ, ૧૭. લોહિત, ૧૮. તાલધ્વજ, આ નામપૂર્વક દેવો ગુણગાન કરે છે. ૨.
ઢક વગેરે પાંચ ટૂંક (૧૪ થી ૧૮) સજીવન (દીર્ધકાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org