Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧ ૫૭
બારવ્રતની પૂજા
ઉપભોગે પરિભોગથી, સપ્તમ વ્રત ઉચ્ચાર; બીજાં ગુણવ્રત તેહના, વીશ તો અતિચાર. ૨
ઢાળ વ્રત સાતમે વિરતિ આદરું રે લોલ,
કરો સાહિબ જો મુજ મહેર જો; તુજ આગમ અરિસો જોવતાં રે લોલ,
દૂર દીઠું છે શિવપુર શહેર જો. મુને સંસાર શેરી વિસરી રે લોલ,
જિહાં બાર પાડોશી ચાડ જો; નિત્ય રહેવું ને નિત્ય વઢવાડ જો. મુને ૧. ફળ તંબોળ અન્ન ઉપભોગમાં રે લોલ,
ઘર નારી ચિવર પરિભોગ જો; ઉપભોગ અને પરિભોગનું પ્રમાણ કરવા વડે આ સાતમું વ્રત ઉચ્ચરવું. આ બીજ ગુણવ્રત છે તેના વીશ (પંદર કર્માદાનના વ્યાપાર રૂપ પંદર અને ભોગપભોગ સંબંધી પાંચ મળી વીશ) અતિચાર છે. તે તજવા યોગ્ય છે. ૨
ઢાળનો અર્થ- હે સાહિબ ! જો આપ કૃપા કરો તો આ સાતમા વ્રત સંબંધી વિરતિને હું અંગીકાર કરું. તમારો આગમરૂપ અરિસો જોતાં અત્યંત દૂર શિવપુરનગર મેં જોયું છે. હે પ્રભુ હું સંસારશેરી ભૂલી ગયો છું. મને ત્યાં જવાનું મન થતું નથી, જ્યાં બાર પાડોશી (પ્રથમના બાર કષાય રૂ૫) ચાડિયા વસે છે, નિરંતર તેની સાથે રહેવાથી વઢવાડ થાય છે. ૧.
ફળ, તંબોળ અને અન્ન વગેરે જે વસ્તુ એકવાર ભોગમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org