Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા
ઢાળ છઠ્ઠી ત્રીશ વરસ ઘરમાં વસ્યા રે, સુખભર વામાનંદ, સંયમ રસિયા જાણીને રે, મળિયા ચોસઠ ઇંદ્ર; નમો નિત્ય નાથજી રે, નિરખત નયનાનંદ. નમો, ૧. તીર્થોદક વર ઔષધિ રે, મેળવતા બહુ ઠાઠ; આઠ જાતિ કળશ ભરી રે, એક સહસને આઠ. નમો, ૨. અશ્વસેન રાજા ધરે રે, પાછળ સુર અભિષેક; સુરતરુ પેરે અલંકર્યા રે, દેવ ન ભૂલે વિવેક. નમો૦ ૩. વિશાળા નૃપ શિબિકા રે, બેઠા સિંહાસન નાથ; બેઠી વડેરી દક્ષિણે રે, પટફાટક લેઈ હાથ. નમો૦ ૪.
ઢાળનો અર્થ- વામામાતાના પુત્ર પાર્શ્વકુમાર ત્રીશ વર્ષ સુધી સુખપૂર્વક ઘરમાં રહ્યા. તેમને સંયમની ઇચ્છાવાળા જાણી ચોસઠ ઇદ્ર ત્યાં એકઠા થયા. એવા સ્વામીને હંમેશાં નમસ્કાર કરો કે જેમને જોવાથી પણ નેત્રને આનંદ ઉપજે છે. ૧.
દેવો આવીને તીર્થના પાણી લાવે છે અને શ્રેષ્ઠ ઔષધિઓ ઘણા ઠાઠપૂર્વક તેમાં ભેગી કરે છે અને આઠ જાતના કળશો દરેક જાતના એક હજાર ને આઠ કળશો ભરે છે. ૨. - પ્રભુને સિંહાસન પર બેસાડી સૌથી પ્રથમ અશ્વસેન રાજા દીક્ષાભિષેક કરે છે. પછી દેવતાઓ અભિષેક કરે છે પછી કલ્પવૃક્ષની જેવા પ્રભુને અલંકૃત કર્યા. દેવતાઓ વિવેક ચૂકતા નથી. ૩.
અશ્વસેન રાજાએ તૈયાર કરાવેલી વિશાળા નામની શિબિકામાં સિંહાસન પર પ્રભુ બેઠા. કુળવૃદ્ધા સ્ત્રી પ્રભુની જમણી બાજુએ હંસના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org