________________
સૌરભ સાચી વૈયાવૃત્યની
ગુલાબના ફૂલની સુવાસથી માનવીનું મન કેવું મહેકી ઊઠે છે! પરંતુ એની ખબર છે ખરી કે ગુલાબે આવી સુવાસ મેળવી ક્યાંથી? એણે આ માટે ભારે તપશ્ચર્યા કરી છે. મુલાયમ ચીકણી માટી વચ્ચે એ રહ્યું છે, કટોની વચ્ચે એ જીવ્યું છે અને બીજાઓના હૃદયને આકર્ષિત કરવા માટે પિતાની સુવાસ ફેલાવતું રહ્યું છે. પિતાના શરીરને પણ બીજાને માટે એ છાવર કરી દે છે.
આવી રીતે જે વ્યક્તિ પોતાના જીવનમાં સેવાની સુવાસ મેળવવા માટે તપ કરે છે, મુસીબતેના કાંટાની વચ્ચે જીવે છે અને પરેપકાર કાજે રાત-દિવસ એક કરે છે. તે બીજાના હૃદયને આકર્ષિત કરી શકે છે. એનું હૃદય અનેક પરિષહ (ક) અને ઉપસર્ગ (આફત) સહન કરતું હોય છે. પિતાના જીવનમાં એ સમર્પણ કરવાનું જાણે છે.
117 સૌરભ સાચી વૈયાવાની