Book Title: Ojas Ditha Aatmbalna
Author(s): Vijayvallabhsuri, Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 262
________________ સંપર્ક અને વાતાવરણથી બચવાની વિશેષ જરૂર છે. વળી, ધર્મધ્યાન અને શુકલધ્યાનનાં વાતાવરણ અને સંગતિ પ્રાપ્ત કરવાની એથીય વિશેષ જરૂર રહે છે. ધર્મ ધ્યાન અથવા શુકલધ્યાનના વાતાવરણને પ્રાપ્ત કરવા માટે કેટલાક એવા આધાર જોઈએ કે જેનાથી એના પર દઢતાથી ટકી શકાય. આના અભાવમાં આત-રૌદ્ર ધ્યાનનું અશુભ વાતાવરણ કે સંસર્ગ એને આકષી જશે અને ખૂબ ઝડપથી માનવી એ પ્રવાહમાં વહેવા માંડશે. વિશ્વમાં એટલાં બધાં ભય અને પ્રલોભન છે કે આધ્યાત્મિક યાત્રીને માટે પપદે સાવધાની રાખવી આવશ્યક બની જાય છે. ચાર પ્રકાર ધર્મધ્યાનમાં દઢતાથી અડગ રહેવું, સતત પોતાની સાધનામાં તલીન રહેવું અને આત્મભાન ચૂકવું નહીં એ બાબતે ઘણી જ આવશ્યક છે. પાતંજલ યોગદર્શનમાં કહ્યું છે, “ તુ હીવતર-નૈરત સાવિતો દઢમૂમિઃ ” “લાંબા સમય સુધી નિરંતર આદર(શ્રદ્ધા)પૂર્વક એનું સેવન કરવાથી જ ચિત્તવૃત્તિના નિરધરૂપ ગની ભૂમિકા દઢ બનશે.” શુભ ધ્યાનસાધના માટે પણ આ જ વાત છે. લાંબા સમય સુધી સતત પ્રગાઢ શ્રદ્ધા અને આદર સાથે આ ધ્યાનમાં લીન રહેવાથી જ એ દઢ બને છે અને ધર્મધ્યાનમાં દઢતા અથવા પરિપકવતા આવ્યા પછી જ સાધક શકલધ્યાનમાં પ્રવેશ કરી શકે છે. શુકલધ્યાનના શિખર પર ચડવા માટે પહેલાં ધર્મધ્યાનનાં પાન પર ચડવું અનિવાર્ય છે. હવે ધર્મધ્યાનની સાધના માટેનાં ચાર સોપાન જોઈએ. ૧, આજ્ઞા-વિચય વિચય એટલે તરંગો. ધ્યાનમાં મનના તરંગો જ વહેતા હોય છે અને મનના તરંગ અનુસાર જ આત્માની ગતિ-મતિ થતી હોય છે. તેથી ધર્મધ્યાનમાં મનના તરંગે ચાર મુખ્ય તરંગમાં પ્રવાહિત થાય છે. એમાં સર્વપ્રથમ આજ્ઞા–વિચય છે. પ્રતિક્ષણ વીતરાગ પ્રભુ દ્વારા પ્રતિપાદિત શુદ્ધ વ્યાપક સદ્ધર્મ(અહિંસા, સત્ય આદિ)ની આજ્ઞાઓનું ચિંતન કરવું તે આજ્ઞા-વિચય 261 ધ્યાન–સાધના

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318