Book Title: Jain Dharm
Author(s): Vatsalyadeep
Publisher: Vatsalyadeep Foundation Ahmedabad

View full book text
Previous | Next

Page 25
________________ આવા જીવોને માત્ર કાયાની એક જ ઈન્દ્રિય હોય છે. આવા જીવો પાંચ પ્રકારનાં છે. ૧. પૃથ્વીકાય : માટીના જીવ, જેમ કે લાલ માટી, સફેદ માટી, રેતી, પથ્થર, મીઠું, ૨, સુરમો, અબરખ વગેરે. ૨. અપકાય : પાણીનાં જીવો. જેમ કે વરસાદનું પાણી, ઠારનું પાણી, ધૂમ્મસ, ઝાકળ વગેરે તમામ પ્રકારનું પાણી. ૩. તેઉકાય : અગ્નિના જીવો. જેમ કે તણખાં, જ્યોત, જ્વાળા, વંડવાનલ, ભઠ્ઠી વગેરે. ૪. વાઉકાય : વાયુના જીવો જેમ કે વિવિધ પવન, વંટોળ, ચ ક્રપાત વગેરે. ૫. વનસ્પતિકાય : વૃક્ષ-વેલી વનસ્પતિના જીવો જેમ કે ફળ, ફૂલ, વેલી, ઘાસ દરેક પ્રકારની લીલોતરી, શાકભાજી વગેરે. આ દરેક જીવોના પણ ભેદ અને પ્રભેદ છે. એ બધાંનો કુલ સરવાળો આ પ્રમાણે કરાયો છે. દેવતાના ૧૯૮ પ્રકારના ભેદ માણસના ૩૦૩ પ્રકારના ભેદ તિર્યંચના ૪૮ પ્રકારના ભેદ ના૨કીના ૧૪ પ્રકારના ભેદ આમ કુલ ૫૬૩ પ્રકારના જીવો છે. સાહિત્ય : વિશેષ અભ્યાસ માટે જીવવિચાર, તત્ત્વાર્થસૂત્ર આદિ ગ્રંથો વાંચવા. ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100