Book Title: Jain Dharm
Author(s): Vatsalyadeep
Publisher: Vatsalyadeep Foundation Ahmedabad

View full book text
Previous | Next

Page 70
________________ ૪. તેઓ વેશ્યા : તેનો રંગ સિન્દુર જેવો લાલ, રસ અધ પાકેલી કેરી જેવો ખાટો- મીઠો, ગંધ ફેલ સુગંધી અને સ્પર્શ માખણ જેવો ન૨મ હોય છે. લક્ષણ : આ લે શ્યાવાળો (મનો ભાવવાળો) માણસ સરળ, પાપભીરૂ, ધર્મપ્રિય, સ્થિરચિત્ત, વિનીત અને ન્યાયી હોય છે. ફળ : આ ભાવ અને વિચારમાં માણસ મૃત્યુ પામે તો એ ઉત્કૃષ્ટતાએ પહેલાં કે બીજા સ્વર્ગમાં જન્મે. ૫. પદ્મ લેશ્યા : તેનો રંગ હળદર જેવો પીળો, રસ મધ જેવો મધુર, ગંધ ફુલ જેવી સુગંધી અને સ્પર્શ માખણ જેવો મુલાયમ હોય છે. લક્ષણ : આ લે શ્યાવાળો (મનોભાવવાળો) માણસ કષાયોને મંદ કરતો રહે, મિતભાષી અને પ્રિયભાવી હોય, સંયમી હોય. ફળ : આ ભાવ અને વિચારમાં માણસ મૃત્યુ પામે તો તે પાંચમાં સ્વર્ગે જન્મે. ૬. શુક્લ લેશ્યા : તેને રંગ શંખ જેવો સફેદ, રસ સાકર જેવો મીઠો, ગંધ ગુલાબ જેવો સુગંધી અને રસ માખણથી ય અનંતગુણો મુલાયમ હોય છે. લક્ષણ : આ લે શ્યાવાળો (મનોભાવવાળો) માણસ ધર્મ ધ્યાનમાં ૨મ ખાણ રહે, રાગ અને દ્વેષને મંદત૨ કરે, સંયમી અને સમતાવંત હોય. ફળ : આ ભાવ અને વિચારમાં માણસ મૃત્યુ પામે તો એ સ્વાર્થસિદ્ધ વિમાનમાં જન્મ પામે. આ છ લેશ્યા (મનોભાવ ને વિચાર)ઓમાંથી પ્રથમની ત્રણ લેશ્યાઓ અશુભ છે. અનિષ્ટ પરિણામી છે. તેનો ત્યાગ કરવો અને છેલ્લી ત્રણ લેશ્યાઓ (મનો ભાવ ને વિચા૨) શુભ છે અને ઈષ્ટ પરિણામી છે. તે ત્રણેયનો ઉત્તરોત્તર વધુ ઉપયોગ કરવો. સાહિત્ય : લે શ્યાઓ ની વધુ જાણકારી માટે “પ્રજ્ઞાપના સૂત્રો અને ઉત્તરાધ્યયન સૂત્ર વાંચવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100