________________
છંદશાત્ર, અલંકાશાસ્ત્ર, કાવ્ય, નાટક, કથા, પ્રબંધ વગેરે સાહિત્યના બધા વિભાગો પર આચાર્યોએ લખ્યું છે. પાણિનિના સંસ્કૃત ભાષાના વ્યાકરણની હરીફાઈ કરનાર સિદ્ધહેમ વ્યાકરણ શ્રી હેમચંદ્રાચાર્યે રચ્યું છે. એના છેલ્લાં અધ્યાયમાં પ્રાકૃત, અપભ્રંશ વગેરે ભાષાનાં વ્યાકરણો પણ લખ્યાં છે. શાક્યયનનું વ્યાકરણ તો ઘણા વખતથી પ્રસિદ્ધ છે. પૂજ્યપાદ દેવનંદિત્તું જેને વ્યાકરણ પણ મશહૂર છે. એ સિવાય બુદ્ધિસાગરાચાર્યે બુદ્ધિસાગર વ્યાકરણ, જ્ઞાન વિઞળગણિએ શબ્દ પ્રતિ ભેદ વ્યાકરણ, ને શ્રી વિદ્યાનન્તસૂરિએ સિદ્ધસારસ્વત વ્યાકરણ રચ્યું છે. પ્રાકૃત ભાષાનાં ખીજા પણ અનેક વ્યાકરણો જૈનાચાર્યોએ રચ્યાં છે. તામીલ અને કાનડી ભાષાના મૂળ વ્યાકરણો જૈનાચાર્યેથી જ રચાયાં છે. ને ગુજરાતી ભાષા પર તો સેંકડો વર્ષ સુધી એકલા હાથે જૈનોએ જ પ્રભુત્વ ભોગવ્યું છે. કાવ્યની સંખ્યાનો સુમાર નથી. અનેક કાવ્યો ઉપરાંત દ્વિસંધાનકાવ્ય, ત્રિસંધાનકાવ્ય, અને છેક સસસંધાનકાવ્ય એટલે જેના શ્લોકમાંથી સાત સંબંધવાળા અર્થ નીકળે તેને સાતના જુદા જુદા જીવન સમજાય તેવાં પણ રચાયાં છે. એક અષ્ટલક્ષી નામનો ગ્રંથ છે. તેમાં એક શ્લોકના આઠ લાખ અર્થો કર્યાં છે. શ્રી હેમચંદ્રાચાર્યે છંદશાસ્ત્ર તથા અલંકાર પર સ્વતંત્ર ગ્રંથો રચ્યા છે. શ્રી વાગ્ભટે પણ કાવ્યલંકાર નામે અલંકારશાસ્ત્ર રચ્યું છે. શ્રી અમરચંદ્રસૂરિએ કવિશિક્ષાવૃત્તિ, કવિકલ્પલતા, છંદો રત્નાવલિ કલા-કલાપ વગેરે ગ્રંથો રચ્યાં છે. શ્રી નમિ સાધુ એ પ્રખ્યાત કાવ્યાલંકાર ૫૨ ટીપ્પન રચ્યું છે. શ્રી નરેન્દ્રપ્રભુસૂરિએ અલંકાર મહોદધિ બનાવ્યો છે. શ્રી માણિક્યચંદ્રસૂરિએ કાવ્યપ્રકાશસંકેત બનાવ્યો છે અને કોશની રચનામાં તો શ્રી હેમચંદ્રાચાર્યે હદ કરી છે. અભિધાનચિંતામણી, અનેકાર્થ કોશ, દેશીનામમાલા, નિઘંટુ એ બધા એમણે એકલાએ જ રચ્યા છે, ઉપરાંત સટીક ધાતુપાઠ, સટીક ધાતુપારાયણ ધાતુમાળા, લિંગાનુશાસન વગેરે સંસ્કૃત ભાષાશાસ્ત્રમાં મહત્ત્વના ગ્રંથો રચ્યાં છે. ધનંજય કવિએ ધનંજય નામમાળા બનાવી છે. શ્રી હર્ષકીર્તિજીએ શારદીય નામમાલા રચી છે. બીજાઓએ પણ ઘણું કર્યું છે.
Jain Education International
૮૬
For Private & Personal Use Only
www.jainelibrary.org