Book Title: Jain Dharm
Author(s): Vatsalyadeep
Publisher: Vatsalyadeep Foundation Ahmedabad

View full book text
Previous | Next

Page 76
________________ જુદાં જુદાં નામનાં શબ્દોના અર્થ પ્રમાણે તે વસ્તુમાં ગુણ છે કે નહિ તે જોતો નથી. તે તો મૂળ નામને જ માને છે. દા.ત. પુરંદર, શચિ પતિ, દેવેન્દ્ર વગેરે ઈન્દ્રના ઘણાં નામો છે. પરંતુ આ નયવાળો એ દરેકને ઈદ્રને નામે જ ઓળખે છે. એ દરેકનો તે ઈન્દ્ર જ અર્થ ગ્રહણ કરે છે. મોહ, આસક્તિ, રાગ, મમત્વ, વાસના, પ્રેમ આ બધાં પર્યાયવાચી શબ્દો છે. પણ આ નયવાળો દરેકનો અર્થ પ્રેમ જ કરે છે. ૬. સમભિરૂઢ નય : દરેક શબ્દની વ્યુત્પત્તિ પ્રમાણે અર્થ વિચારવો તે સમભિ રૂઢ નય છે. આ નયવાળો શબ્દના મૂળ અર્થને પકડે દા.ત. સ્ત્રી અને પુરુષના સંબંધમાં કામવૃત્તિને પ્રવૃત્તિ જણાશે તો આ નયવાળો તેને પ્રેમ સંબંધ નહિ માને. પણ વાસનાનો સંબંધ કહેશે. એવંભૂત નય : જે શબ્દ વિઘામાન અર્થનો વાચક અને તે અર્થની ક્રિયાકારીમાં બરાબરી રાખે તેને એવંભૂત નય કહે છે. નામ, કામ, અને પરિણામ ત્રણેયનો સંપૂર્ણ વિચાર કરવો તે એ વંભૂત નય છે. આ નયવાળો એને જ પોલીસ માને છે કે જે પોલીસની ફરજ બજાવતો હોય. પૂજા જે કરી રહ્યા હોય તેને જ તે પૂજારી કહે છે. આ સાત નયના કુલ ૭૦૦ ભેદ છે. મુખ્ય તથા ગામના ૧૦, સંગ્રહના ૬ કે ૧૨, વ્યવહારના ૮ કે ૧૪, જસૂત્રના ૪ કે ૬, શબ્દના ૭, સમભિ રૂઢના ૨ અને એવંભૂતનો ૧ એમ ભેદ છે. નયદ્રષ્ટિએ ઘર્મની વિચારણા : ૧. નૈગમનથી કહે છે : બધાં ઘર્મ ઘર્મ છે. ૨. સંગ્રહની કહે છે : મારાં વડવા-વડીલોએ આદય તે ધર્મ ૩. વ્યવહારનયી કહે છે : સુખનું કારણ ધર્મ છે. પુણ્યકરણી એ ધર્મ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100