________________
૪. ૠજુસૂત્રનયી કહે છે : ઉપયોગસહિત વૈરાગ્ય પરિણામ તે ધર્મ છે.
૫.
શબ્દનયી કહે છે : ધર્મનું મૂળ સમક્તિ છે અને સમક્તિ એ જ ધર્મ છે.
૬. સમભિરૂઢનયી કહે છે : નવ તત્ત્વને જાણવા, તેના જે છોડવા યોગ્ય તત્ત્વ છોડવા અને આદરવા યોગ્ય તત્ત્વ આદરવા તે ધર્મ છે.
૭. એવંભૂતનયી કહે છે : કર્મનો ક્ષય કરાવીને મોક્ષ મેળવી આપે તે ધર્મ છે.
આમ સાત નયથી નવ તત્ત્વને તેમ જ અન્ય બાબતોનો વિચાર કરવાથી સાપેક્ષ-આંશિક સત્યનો સ્વીકાર થાય છે. તેથી વિવાદ રહેતો નથી અને સંવાદ સધાય છે.
સાહિત્ય :
વિશેષ અભ્યાસ માટે નય રહસ્ય, અનુયોગદ્વાર સૂત્ર આદિ ગ્રંથો વાંચવા.
Jain Education International
૬૮
For Private & Personal Use Only
www.jainelibrary.org