Book Title: Jain Dharm
Author(s): Vatsalyadeep
Publisher: Vatsalyadeep Foundation Ahmedabad

View full book text
Previous | Next

Page 42
________________ આ નિત્ય કર્તવ્ય ઉપરાંત ચૌદ પ્રકારની ચીજ વસ્તુઓના વપરાશ નો નિયમ પણ કરવાનો હોય છે. આમાં આરાધકે સંખ્યા અને મર્યાદા નક્કી કરવાની હોય છે. ચૌદ નિયમથી તે પ્રસિદ્ધ છે. તે આ પ્રમાણે : ૧. સચિત્ત-સજીવ દ્રવ્યોના ઉપયોગની મર્યાદા બાંધવી. ૨. દ્રવ્ય -ખાદ્ય વસ્તુઓની સંખ્યા નક્કી કરવી. ૩. વિગઈ - દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને તળેલી વસ્તુ - આ છ વિગઈની મર્યાદા બાંધવી. ૪. વાહ - બૂટ, ચંપલ વગેરે પગરખાં ની સંખ્યા બાંધવી. ૫. તંબોલ - પાન, સોપારી વગેરે મુખવાસની મર્યાદા બાંધવી. ૬. વસ્ત્ર - પહેરવા, ઓઢવાનાં વસ્ત્રોની સંખ્યા નક્કી કરવી. ૭. ફુલ - ફુલના પ્રકાર, સંખ્યા વગેરેની સીમા બાંધવી. ૮. વાહન - વાહનની સંખ્યા નક્કી કરવી. ૯. શયન – સૂવાનાં સાધનો (પલંગ, પથારી વ.)ની મર્યાદા બાંધવી. ૧૦. વિલેપન - દેહની સાજસજા માટેના પ્રસાધન સાધનોની મર્યાદા બાંધવી. ૧૧. બ્રહ્મચર્ય - મૈથુન સંબંધની સંખ્યા બાંધવી. ૧૨. દિશા - આવવા જવાની દિશાઓના વિસ્તારની મર્યાદા બાંધવી. ૧૩. સાન - નહાવાની સંખ્યા બાંધવી. ૧૪. ભોજન પાણી - ભોજન અને પાણીની મર્યાદા બાંધવી. દેશવિરતિ ધર્મ (શ્રાવકના બાર વ્રત)નો આરાધક સવારનું પ્રતિક્રમણ કરતા સમયે જ મનથી, પોતાના આત્માની સાક્ષીએ નક્કી કરે છે કે આજે હું માત્ર છ વાનગી જ ખાઈશ, માત્ર બે ટંક જ ખાઈશ, ખાવામાં પણ તળેલી વસ્તુ નહિ ખાઉં, આજ હું ટ્રેનના ઉપયોગ નહિ કરું વગેરે. આમ ચૌદ પ્રકારનું રોજ નિયમન કરવાનું હોય છે. ૩૩ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100