________________
બંઘાય છે. અને જીવોને ત્રાસ સંતાપ આપવાથી, તેમનાં દુ:ખોથી રાજી થવાથી અશાતા વેદનીય કર્મ બંધાય છે.
કુર્મ ફળ
શાતા વેદનીય કર્મના લીધે જીવાત્માને મનગમતા અને મનભાવતા ભોગોપભોગ મળે છે.
અશાતા વેદનીય કર્મના લીધે ગરીબાઈ, રોગ વગેરે દુ:ખો મળે છે.
૪. મોહનીય કર્મ :
આત્માને વિકૃત અને મૂઢ બનાવનાર પુદ્દગલને મોહનીય કર્મ કહે છે. નશીલા પદાર્થોનું સેવન કરનાર માણસ કોઈપણ પ્રકારનો વિવેક જાળવી શકતો નથી. તેજ પ્રમાણે આ કર્મના લીધે જીવાત્મા આત્મભાન ભૂલી જાય છે અને ક્ષણભંગુર ભોગોપભોગમાં આસક્ત ખને છે.
આ કર્મ ૨૮ પ્રકારનું છે. શેનાથી બંધાય ?
તીવ્રપણે ક્રોધ, માન, માયા અને લોભ ક૨વાથી, ધર્મના નામે અધર્મનું આચરણ કરવાથી, અનાચાર-વ્યભિચાર કરવા વગેરેથી મોહનીય કર્મ બંધાય છે.
કર્મ ફળ :
આ કર્મના લીધે જીવાત્મા મોહાંધ, રાગાંધ અને વિષયલુબ્ધ અને છે. તે ઈર્ષાળુ, ઝઘડાખોર, માયાવી અને દંભી બને છે. અકારણ- સકારણ ભયભીત અને શોકાકુળ બને છે, વગેરે વગેરે.
૫. આયુષ્ય કર્મ :
જીવનનું નિર્માણ કરતાં પુગલને આયુષ્ય કર્મ કહે છે. કેદખાના જેવું છે આ કર્મ. કેદ/જેલમાં પુરાયેલ માણસ પોતાની ઈચ્છા મુજબ આવાગમન નથી કરી શકતો. તે પ્રમાણે આ કર્મના લીધે જીવાત્મા દેહરૂપી કેદખાનામાં પુરાયેલો રહે છે.
આ કર્મ ચાર પ્રકારનું છે.
Jain Education International
૫૩
For Private & Personal Use Only
www.jainelibrary.org