SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ બંઘાય છે. અને જીવોને ત્રાસ સંતાપ આપવાથી, તેમનાં દુ:ખોથી રાજી થવાથી અશાતા વેદનીય કર્મ બંધાય છે. કુર્મ ફળ શાતા વેદનીય કર્મના લીધે જીવાત્માને મનગમતા અને મનભાવતા ભોગોપભોગ મળે છે. અશાતા વેદનીય કર્મના લીધે ગરીબાઈ, રોગ વગેરે દુ:ખો મળે છે. ૪. મોહનીય કર્મ : આત્માને વિકૃત અને મૂઢ બનાવનાર પુદ્દગલને મોહનીય કર્મ કહે છે. નશીલા પદાર્થોનું સેવન કરનાર માણસ કોઈપણ પ્રકારનો વિવેક જાળવી શકતો નથી. તેજ પ્રમાણે આ કર્મના લીધે જીવાત્મા આત્મભાન ભૂલી જાય છે અને ક્ષણભંગુર ભોગોપભોગમાં આસક્ત ખને છે. આ કર્મ ૨૮ પ્રકારનું છે. શેનાથી બંધાય ? તીવ્રપણે ક્રોધ, માન, માયા અને લોભ ક૨વાથી, ધર્મના નામે અધર્મનું આચરણ કરવાથી, અનાચાર-વ્યભિચાર કરવા વગેરેથી મોહનીય કર્મ બંધાય છે. કર્મ ફળ : આ કર્મના લીધે જીવાત્મા મોહાંધ, રાગાંધ અને વિષયલુબ્ધ અને છે. તે ઈર્ષાળુ, ઝઘડાખોર, માયાવી અને દંભી બને છે. અકારણ- સકારણ ભયભીત અને શોકાકુળ બને છે, વગેરે વગેરે. ૫. આયુષ્ય કર્મ : જીવનનું નિર્માણ કરતાં પુગલને આયુષ્ય કર્મ કહે છે. કેદખાના જેવું છે આ કર્મ. કેદ/જેલમાં પુરાયેલ માણસ પોતાની ઈચ્છા મુજબ આવાગમન નથી કરી શકતો. તે પ્રમાણે આ કર્મના લીધે જીવાત્મા દેહરૂપી કેદખાનામાં પુરાયેલો રહે છે. આ કર્મ ચાર પ્રકારનું છે. Jain Education International ૫૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005253
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorVatsalyadeep
PublisherVatsalyadeep Foundation Ahmedabad
Publication Year1993
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy