Book Title: Jain Dharm
Author(s): Vatsalyadeep
Publisher: Vatsalyadeep Foundation Ahmedabad

View full book text
Previous | Next

Page 46
________________ ત૫ : જૈન ધર્મમાં તપનું અનિવાર્ય અને આગવું સ્થાન છે. પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવે લાગલગાટ ૪૦૦ દિવસ સુધીના ઉપવાસ કર્યા હતા. ચરમ તીર્થકર શ્રી મહાવીર પ્રભુએ સાડા બાર વર્ષ સુધી વિવિધ તપસ્યા કરી હતી. ઈન્દ્રિયો અને મનને સંયમિત કરવા માટે વિવિધ પ્રકારના ત૫ ક૨વામાં આવે છે. તપ કર્મનો ક્ષય કરવા માટે છે. આત્માને નિર્મળ અને નિર્મમ બનાવવા માટે તપ કરવાનું છે. શ્રમણ ભગવાન મહાવીરે બે પ્રકારના તપ કદા છે. બાદા તપ અને અત્યંત૨ તપ. આ બાહા તપનો સંબંધ આરાધકના તન સાથે છે. બાહા તપ એટલે સામેની વ્યક્તિ જોઈને કહી શકે કે આ તપસ્વી છે, એ તપ કરે છે. ત્યાગ અને સહિષ્ણુતા આ તપના મુખ્ય લક્ષણ છે. તેના છ પ્રકાર છે : ૧. અનશન : અન્ન, પાણી, મેવો અને મુખવાસ - આ ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવો. આ આહાર ત્યાગ કે અનશન બે પ્રકારે છે. ૧. મર્યાદિત સમય સુધી અનશન ક૨વું. ૨. ચાવજીવ અનશન કરવું. સમય મર્યાદિત અનશન વિવિધ પ્રકારનું છે. શ્રેણી ત૫, પ્રત૨ તપ, ઘત ત૫, વર્ગ તપ અને વર્ષાવર્ગ ત૫ - એ તેનાં પાંચ મુખ્ય પ્રકાર છે. - આ ઉપરાંત જે સર્વાધિક પ્રચલિત સમય મર્યાદિત અનશન છે, તે આ પ્રમાણે : (એ) ઉપવાસ : એક આખા દિવસના ભોજન પાણી બંને કે માત્ર ભોજન ત્યાગને ઉપવાસ કહે છે. (બી) છઠ્ઠ : બે સળંગ આખા દિવસના ભોજન પાણી બંને કે માત્ર ભોજન ત્યાગને છઠ્ઠ કહે છે. (સી) અઠ્ઠમ : સળંગ ત્રણ દિવસ સુધી ભોજન પાણી બંને કે માત્ર ભોજન ત્યાગને અઠ્ઠમ કહે છે. (ડી) અઠ્ઠાઈ : લાગલગાટ આઠ દિવસ સુધી ભોજન પાણી બંને કે માત્ર ભોજન ત્યાગને અઠ્ઠાઈ કહે છે. ૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100