Book Title: Jain Dharm
Author(s): Vatsalyadeep
Publisher: Vatsalyadeep Foundation Ahmedabad

View full book text
Previous | Next

Page 35
________________ આ અણુવ્રતોના આયોજન પાછળનો શુભાશય એ છે કે ગૃહસ્થો ઈરાદાપૂર્વકના તેમજ બીનજરૂરી પાપો કરતાં ખર્ચે . ગુણવ્રત અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ - આ પાંચ આત્મના મૂળ ગુણો છે. આ ગુણોના વિકાસ માટેના જે વ્રતો છે તેને ગુણવ્રત કહે છે અને તે વ્રતો દિવ્રત, ભોગોપ્રભોગ પરિમાણ અને અનર્થદંડ વિરમણના નામે છે. શિક્ષાવ્રત પાંચ અણુવ્રત અને ત્રણ ગુણવ્રતનું પાલન કરીને આરાધકે સાધુ જીવન જીવવાનો સતત અભ્યાસ કરવાનો છે. સાધુજીવનની પ્રાયોગિક તાલીમ લેવાની છે. સાધુ જીવન જીવવાના શિક્ષણ અને તાલીમ આપતા નિયમોને શિક્ષાવ્રત કહે છે. ખાર વ્રતનો પરિચય ૧. સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત: પ્રાણનો અતિપાત એટલે પ્રાણાતિપાત. પ્રાણીના પ્રાણ લેવા તે પ્રાણાતિપાત. અને તેનાથી દૂર રહેવું તે પ્રાણાતિપાત વિરમણ. પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે કે મોજમસ્તી માટે કોઈપણ જીવની હિંસાનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા. 3. ઉદાહરણ : આ વ્રત અંગીકાર કરનાર કોઈપણ જીવને દુષ્ટ હેતુથી બાંધતો નથી, મારતો નથી, તેના ઉપર વધુ ભાર લાદતો નથી, ભૂખે- તરસે મારતો નથી. વગેરે. આ વ્રતમાં ચુસ્ત અહિંસાનું પાલન કરવાનું હોય છે. સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત : પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે કે મજાક-મશ્કરીમાં કોઈ પણ પ્રસંગે કે નિમિત્તે જુદું નહિ ખોલવાની પ્રતિજ્ઞા. ઉદાહરણ : આ વ્રત અંગીકાર કરનાર ખોટી સાક્ષી આપતો નથી. ખોટાં દસ્તાવેજો કરતો નથી. વિશ્વાસઘાત કરતો નથી. ખોટી સલાહ આપતો નથી, બડાશ હાંકતો નથી. વગેરે. સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત : પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા Jain Education International ૨૬ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100