Book Title: Jain Dharm
Author(s): Vatsalyadeep
Publisher: Vatsalyadeep Foundation Ahmedabad

View full book text
Previous | Next

Page 37
________________ ૮. અનર્થદંડ વિરમણ વ્રત : બીન જરૂરી કાર્યોનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા. ઉદાહરણ : આ વ્રત અંગીકાર કરનાર નક્કી કરે છે કે હું નાટક, સિનેમા, સર્કસ વગેરે નહિ જો ઉં, જીવન જીવવા માટે નાટક, સિનેમા અનિવાર્ય નથી. એ જોવું બીન જરૂરી છે. તે અનર્થ છે. આમ આવા જે કોઈ અનાથ છે, જીવન જીવવા માટે જે બિનજરૂરી છે, તેનો એ ત્યાગ કરે છે. ઉપર્યુક્ત ૬,૭,૮ - એ ત્રણેય ગુણવ્રત છે. ૯. સામાયિક વ્રત : શુદ્ધ થઈને, ચોખ્ખાં વસ્ત્રો પહેરીને, એક અને પવિત્ર આસને અડતાલીસ મિનિટ સુધી બેસીને સ્વાધ્યાય, ધ્યાન, જા૫ આદિ કરવા માટેનું અનુષ્ઠાન. ૧૦. દેશાવકાસિક વ્રત : ઉપર્યુક્ત છઠ્ઠા વ્રતમાં સ્વીકારેલ દિશાની અને ૭માં વ્રતમાં બાંધેલ ભોગો પભોગના પ્રમાણની મર્યાદાનો આજના એક દિવસ માટે સંક્ષેપ કરવાનું વ્રત. રોજ માણસ લાંબા કે વધુ લાંબા પ્રવાસ કરતો નથી. રોજ બધાં જ ભોગ ૫ દા થનો એ ઉ૫ભોગ નથી ક૨તો આથી આ વ્રત માં રોજે રોજની દીશા અને ભોગો પભો ગની મર્યાદા બાંધવામાં આવે છે. આ વ્રતનું સ૨ળતાથી પાલન કરવા માટે ૧૪ નિયમો યો જ્યા છે. (આની સ મ જ રોજના કર્તવ્ય અંતર્ગત સ્વતંત્ર આપી છે, તે જોવી.) ૧૧. પૌષધોપવાસ વ્રત : ઘર અને ધંધાની પ્રવૃત્તિઓનો ત્યાગ કરીને ૧૨ કે ૨૪ કલાક માટે કે એકથી વધુ દિવસો માટે ત૫પૂર્વક કેટલીક વિશિષ્ટ ક્રિયાઓ કરવાનું અનુષ્ઠાન. ૧૨. અતિથિ સંવિભાગ દ્રત : સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાની અન્ન, વસ્ત્ર આદિથી યથાશક્ય સેવા ભક્તિ કરવાનું વ્રત. આ વ્રત અંગી કા૨ ક૨ના૨ સાધુ-સાધ્વી તેમજ શ્રાવક અને શ્રાવિકાને તેમની જીવન જરૂરિયાતો સ્વેચ્છાએ અને હૈયાના ઉમળકાથી આપીને તેમનું સન્માન કરે છે. ઉપર્યુક્ત ૯, ૧૦, ૧૧, ૧૨ એ ચારેય શિક્ષાવ્રત છે. નાત, જાત, પંથ, રંગ કે દેશના ભેદભાવ વિના કોઈપણ ૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100