Book Title: Guruvani 1
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 22
________________ અષાડ વદ ૧ આપણે કયાં? બોરડીના વૃક્ષની છાયા જેવા.. મોજશોખમાં ડૂબેલા યુવાનો મદોન્મત્ત બની જાય છે. બંગલા, ગાડી, મોજશોખ આ બધું મળવાથી તેઓ ધર્મને ભૂલી જાય છે. તેમના મગજમાં ભોગસુખોની જ વિચારણા ચાલતી હોય છે. જીવ હંમેશા આ લોકના સુખમાં જ ડૂબેલા રહે છે. ધોમધખતા તાપમાં રણમાં એક બોરડીના ઝાડની છાયા હોય અને માણસ તેની છાયામાં બેઠેલો હોય પરંતુ તે છાયા ક્યાં સુધી ? તેમ જ કેવી ? તેવી રીતે આ ભોગસુખોની છાયા પણ તેવી જ ક્ષણિક છે. આ વૈભવ બોરડીના વૃક્ષની નીચે પથરાયેલા કાંટા જેવો છે. જ્યારે માણસની દ્રષ્ટિ પરલોક સુધી પહોંચે ત્યારે જ તેને ખ્યાલ આવે કે મારે શું મેળવવાનું છે. એકથી ડૂબે છે.... ભોજરાજાના વખતની વાત છે. તેના રાજ્યમાં એક તળાવ હતું. તે પાણીથી ભરપૂર ભરેલું હતું. ત્યાં કોઈક માણસે કહ્યું કે આ તળાવ જે તરી જશે તેને એક લાખ સોનામહોર આપીશ. કોઈ માણસે બીડું ઝડપ્યું. પરંતુ તે તળાવને તરી ન શક્યો અધવચમાં જ ડૂબી ગયો. અને વ્યંતર રૂપે ઉત્પન્ન થયો. પોતાનો પૂર્વભવ જોયો એણે તળાવમાં આશ્ચર્ય ઉત્પન્ન કર્યું. તળાવની મધ્યમાં પોતાનો એકલો હાથ જ ઉંચે કરે છે અને અવાજ કરે છે કે એકથી ડૂબે છે... એકથી ડૂબે છે. માણસો ડરી જાય છે કે કોઈ ભૂત-પ્રેત લાગે છે. ભોજરાજા સુધી વાત પહોંચે છે. ભોજ પોતાના વિદ્વાનોને કહે છે કે આ તળાવમાંથી હાથ નીકળે છે. અને અવાજ કરે છે. તેની પાછળ કારણ શું? પરંતુ કોઈ જવાબ આપી શકતા નથી. એક વખત એક ભરવાડના કાને આ વાત પહોંચે છે. એ કહે છે કે મને ત્યાં લઈ જાઓ હું તેનું કારણ શોધી આપીશ. તે ત્યાં જઈને લોકોને પૂછે છે કે આ પહેલાં કાંઈ બનાવ બનેલો ? માણસો પેલાની વાત કરે છે. એ કહે છે - ઓહો! આ તો એકથી ડૂબે છે એટલે એમ કે લોભથી માણસ ડૂબે છે. કારણ પેલા વ્યંતરનો જીવ લોભમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108