Book Title: Guruvani 1
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 30
________________ થાય છે, ઘસાય છે, ઘવાય છે, રીબાય છે અને મરી જાય છે. ફક્ત બે લીટીમાં જ માનવજાતનો ઈતિહાસ પૂરો થઈ ગયો. પૈસા નહીં શાસનપ્રાપ્તિ મહાસર્ભાગ્ય... હવે વિચાર કરો. મહામુશ્કેલીએ મળેલો આ માનવ જન્મ શું બસ આ રીતે જ વેડફી નાંખવાનો ? ઈન્દ્રને પણ દુર્લભ એવો આ જન્મ આપણને સહેલાઈથી મળ્યો છે માટે આપણને કીંમતી નથી લાગતો. દેવો અસંખ્યાતા એક સાથે અવે છે જ્યારે મનુષ્યો તો મર્યાદિત જ જન્મે છે. વિચાર કરો દેવો જેવા દેવો પણ તિર્યંચમાં ફેકાઈ જાય છે. શાસ્ત્રકારો કહે છે કે જ્યાં આસક્તિ ત્યાં ઉત્પત્તિ થાય. દેવોની આસક્તિ હંમેશા વિમાનોમાં જડેલા રત્નો, વાવડીઓ અને ઉપવનોમાં જ રહેલી હોય છે. માટે તેઓ તિર્યંચમાં ફેકાઈ જાય છે. ક્યાં દેવલોક અને ક્યાં પૃથ્વી, પાણી અને વનસ્પતિકાયના જીવો ? વિચાર કરો આસક્તિ- આપણને ક્યાં ફેંકે છે? પૈસા મળ્યા એ મોટામાં મોટું નસીબ નથી પરંતુ ભગવાન મહાવીરનું શાસન મળ્યું એ મહાસભ્ભાગ્ય છે આપણું. જ્યારે સંસારની ભયાનકતા સમજાય ત્યારે જ માણસને ક્ષણની કિંમત સમજાય છે. T S Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108