Book Title: Guruvani 1
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 69
________________ શ્રાવણ સુદ ૩ ગુરુ-અપરિશ્રાવી...] પરખ ઝવેરીની... જેમ ઝવેરી હીરાને સૂક્ષ્મબુદ્ધિથી જુએ, તેની પરખ કરે તો તે ઝવેરી સાચો હીરાપારખું ગણાય. તેમ અહીં સર્વ અનર્થોના મૂળને દૂર કરનાર એવા ધર્મરૂપી હીરાની સાચી પરખ કરનાર પણ સૂક્ષ્મ બુદ્ધિવાળો માણસ ગણાય. ભૂલનો સ્વીકાર = સમાધિ..... સમાધિ મરણ ક્યારે મળે ? માણસના શરીરમાં ક્યાંય પણ કંઈક દુઃખાવો થતો હોય તો તેને સ્વસ્થતા લાગતી નથી. જો સ્વસ્થતા મેળવવી હોય તો તે શલ્યને તેણે દૂર કરવું જોઈએ. તેમ મરણ વખતે સમાધિ જોઈતી હોય તો જીવનમાં કરેલાં પાપોરૂપી શલ્યની આલોચના લેવાથી જ સમાધિ પ્રાપ્ત થાય છે. આલોચન લેવી ખૂબજ કઠિન છે. ભૂલ કરવી એ તો મનુષ્યનો સ્વભાવ છે પરંતુ ભૂલ કર્યા પછી તેનો સ્વીકાર કરવો એ જ ઉત્તમમાં ઉત્તમ છે. મનુષ્યની મોટામાં મોટી નબળાઈ આ જ છે કે તે ભૂલ કર્યા પછી તેનો એકરાર કરતાં ડરે છે. વધારે તો તેમાં અહંકારભાવ આડો આવે છે. ચંડકૌશિક.... ચંડકોશિયો પૂર્વભવમાં માસક્ષમણને પારણે માસક્ષમણ કરે છે. પરંતુ એક વાર વહોરવા જતાં એક દેડકી પગ નીચે કચડાઈ જાય છે. સાથે રહેલા નાના સાધુ મહારાજ તેમને બતાવે છે કે મહારાજ ! આ દેડકી પગ નીચે આવી ગઈ. પણ ત્યાં ભૂલ સ્વીકારવાને બદલે ગુસ્સામાં બોલે છે કે શું આ ઘણીએ દેડકીઓ મરેલી પડેલી છે, તે બધી મેં મારી છે? પછી સાંજના સમયે પ્રતિક્રમણ નાના સાધુ મહારાજ દેડકી મરી જવાથી લાગેલું પાપ યાદ કરાવે છે ત્યારે એકદમ ક્રોધમાં એ સાધુને મારવા માટે દોડે છે અને કોઈ થાંભલા સાથે અથડાતા કાળધર્મ પામે છે. ક્રોધમાં મરીને તે ચંડકોશિયો નાગ બને છે. ભૂલ સ્વીકારવી કેટલી કઠિન છે? તે આના પરથી સમજાશે. આલોચના આપનાર ગુરૂને શાસ્ત્રમાં અપરિશ્રાવી કહેવામાં આવે છે. માટીના ઘડામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108