Book Title: Guruvani 1
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 48
________________ અષાડ વદ ૧૨ નમસ્કાર.... આપણે મહાપુરૂષો સાથે સંબંધ જોડવો હોય તો કેવી રીતે જોડવો ? કારણ મહાપુરૂષો તો મહાન છે. જ્યારે આપણે તો એક મામૂલી પ્રાણી છીએ. નમસ્કાર એક એવી ચીજ છે જેનાથી આવા મહાનમાં મહાન પુરૂષોની સાથે આપણે સંબંધ જોડી શકીએ છીએ. અને મહાવિભૂતિ સાથે સંબંધ જોડાવાથી તેમાં રહેલા અનંતા-ગુણોનો સંચાર આપણામાં થાય છે. જેમ કે પાવરહાઉસ હોય અને તેની સાથે એક વાયર દ્વારા જોડાણ કરીને દુનિયાના દરેક દેશોમાં ઈલેકટ્રીક જઈ શકે છે. પરંતુ જો વાયરમાં કાંઈક ખામી હોય અથવા તો જોડાણ જ ન હોય તો ક્યાંથી આપણને પ્રકાશ મળે ? તેમ પ્રભુ સાથે કનેક્શન જોડવું હોય તો નમસ્કાર રૂપી વાયરથી જ જોડી શકાય છે. પરંતુ એ વાયરમાં જરાય ખામી ન હોવી જોઈએ. કોઈ સ્ત્રી કૂવે પાણી ભરવા ગઈ છે. એ ઘડાને પાણીમાં ઉતારે છે. શરૂઆતમાં ઘડો પાણી પર તરે છે. જ્યારે સ્ત્રી તેને બેચાર વખત નમાવે કે તરત જ એ પાણીથી સંપૂર્ણ ભરાઈ જાય. તેમ જો માણસ હૃદયને સાચા ભાવથી નમાવે તો તેનું પરમ કલ્યાણ થઈ જાય. મસ્તકથી નમસ્કાર તો ઘણાં કરે છે પરંતુ જો પરમાત્મા સાથે સંબંધ જોડવો હોય તો હૃદયથી નમો... પરમાત્માનં જોડાણ હૃદયની સાથે જ થાય છે. આ યોનિમાં જ પરમાત્મા આપણી આટલી નજીક છે. બીજી યોનિમાં તો દર્શન પણ દુર્લભ બની જાય છે. પ્રણામ હૃદયથી.... જોડ ને તોડ કૃષ્ણ મહારાજા સભામાં બેઠા છે. તે પોતાના બન્ને રાજકુમા૨ોને કહે છે કે જે ભગવાન નેમીનાથને પહેલા નમસ્કાર કરે તેને ઘોડો આપવામાં આવશે. શાંબ અને પાલક એ બન્નેનું નામ છે. બન્નેને ઘોડો જોઈતો હતો. પાલક વિચાર કરે છે કે હું ભગવાનને પહેલા વંદન કરીને ઘોડો લઉં. એટલે એ વહેલો ઉઠીને દોડયો. ભગવાનની પાસે જાય છે. બસ ભગવાને ખાલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108