________________
ગ્રંથકાર ચરિત્રાવલી :
ગણપતરામ રાજારામ ભટ્ટ
મારે જીવન વૃત્તાંત. મારું જીવનવૃત નોંધ લેવા ગ્ય, લોકોને ઉદાહરણ આપવા જેવું હોય એમ બહુધા હું માનતો નથી. જગતમાં કોઈ પણ અધિપતિ, આધકારી વા વિદ્વાન પડે છે ત્યારે તેને માટે જે હેહા થાય છે, લખાય છે તથા તેના ગુણનાં ગીત ગવાય છે તેને હું પાણીમાં પથરે પડયા જેવું લેખું છું. ખરું જોતાં છે પણ તેમજ; કેમકે એ બધું થડા વખતમાં શમી જાય છે, અને પછી કોઈ તે તરફ દૃષ્ટિ કરતું નથી. એથી વખત જતાં તેનું નામ પણ વિસરાઈ જાય છે. આથી મહાજનને માટે જોઇશું તે તેમનાં કામજ સતત તેમનાં નામ લોકના સ્મરણમાં રાખનારાં છે એમ મારું માનવું છે. મારે માટે તેવું બહુ નથી. તે પણ જે યત કિંચિત હશે તે તેથી જ હું લોકસ્મરણમાં રહીશ; છતાં આપની ઈચ્છા છે તે કાળક્રમ પ્રમાણે મારે વિષે સારમાં હું નીચે પ્રમાણે નિવેદન કરું છું.
હે જ્ઞાતિ રાયકવાળ બ્રાહ્મણ, કૌશિક ગોત્રી, યજુર્વેદી, માધ્યદિની શાખાનો છું. મારો જન્મ સંવત ૧૯૦૪ વૈશાખ વદી ૬ છઠ બુધવારે અમદાવાદથી છ કેશને અંતરે આવેલા ઝાણું ગામમાં થયો હતો. મારી માતાનું નામ મહાર અને પિતાનું નામ રાજારામ હતું. પિતાનું નિવાસ સ્થળ ભરૂચ જિલ્લામાં આવેલો આમોદ કઓ હતું. ઝાંણું મારું મોસાળ હતું. મારી માતા અને ત્રણ વર્ષને મૂકી પહેલી વીશીમાં જ પરલોક પામી હતી, પણ તે પછી તેની ખોટ પીતાએ પૂરી હતી. મારાં માતા સાથે તેમને લગ્નસંબંધ બીજી વાર હતો, સંતતીમાં માત્ર હુંજ હોવાથી પિતાનું તન, મન, અને ધન તે, મને જ ગણતા; અને તેથી મારું લાલન પાલન કરવામાં કસર રાખતા નહોતા. જંબુસર કચ્છના એક શેઠીઆની ગુમાસ્તી તે કરતા અને કપાસ લોઢાવવાને ધંધો ચલાવતા. સ્વભાવે ઉગ્ર, જીવના ઉદાર અને મનના ભોળા તે હતા. જો કે બાળપણમાં તે મારા કોડ પૂરતા તો પણ મેટો થતાં જતાં મારા ઉપર ધાકની છાપ પાડવા સેટી સંભાળતા હતા. હું ગામઠી નિશાળમાં સાત વર્ષની ઉમરે જ થયો એવામાં મને મારા પિતા ઘેર આંક ગોખાવતા હતા. દોઢ બે વર્ષ ગામઠી શાળામાં અભ્યાસ કરાવી અને તેમણે સરકારી શાળામાં મૂક્યો. પિતે વૃદ્ધ થયેલા