Page #1
--------------------------------------------------------------------------
________________
; iia સારુ શુ આ 7 -
HA _133
• કંકt a૧, 115
twin stirit/
stuીક્ષRI!!!
SUITABLUEII0-
[f//' ?' //ti/* * *
* પગી
JIY IZ 1]જાશાતી વાર્તા સ્થા(લાર રમાTEાલ્લી
અમદાવાદ
Page #2
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર
પુસ્તક :૪:
લેડી વિદ્યાબહેન ૨. નીલકંઠ
ગ્રંથપરિચય સાથે
સને ૧લ્ય૩
BooooooooHobbyooooOoooaaaas
તૈયાર કરનાર, હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ, બી. એ
આસિ. સેક્રેટરી–અમદાવાદ,
કિસ્મત એક રૂપિયો. Laassaaa19aaaaaaa
Page #3
--------------------------------------------------------------------------
________________
સંવત્ ૧૯૮૯ આવૃત્તિ ૧ લી
ઇ. સ. ૧૯૩૩
પ્રત ૧૫૦૦
અમદાવાદ—ધી ડાયમંડ જયુબિલી ” પ્રિન્ટિંગ પ્રેસમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું.
પ્રકાશક :
ગુજરાત વર્નાકયુલર સેસાઇટી તરફથી હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ, બી. એ;
આસિ. સેક્રેટરી–અમદાવાદ.
Page #4
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ પરિચય ગુજરાતી ભાષા વાંચનાર જનતાના તમામ વર્ગમાં લોકપ્રિય થઈ પડેલી “ ગ્રંથ અને ગ્રંથકાર' પુસ્તકમાલાનું ચોથું પ્રકાશન બહાર પાડતાં આનંદ થાય છે. એ પુસ્તકમાં પ્રતિ વર્ષ ભાષા અને સાહિત્યને લગતાં ઉપયોગી અંગેની ચર્ચા કરવામાં આવે છે એ એની ખાસ વિશેષતા છે. પુસ્તકો લખનારનાં ચરિત્ર તેમજ તેમની કૃતિઓની યાદી એ તે કાયમનું અંગ છે. તદુપરાંત reference માટે ઉપયોગી થાય તેવી બાબતોનો આમાં સમાવેશ કરવામાં આવે છે. વર્ષમાં પ્રકટ થએલાં પુસ્તકોની વર્ગવાર યાદી, વર્ષ દરમિયાન સામયિક પત્રોમાં પ્રસિદ્ધ થએલા સારા લેખોની વિગતવાર સૂચી તથા ગુજરાતી ભાષાના અભ્યાસ માટેના પુસ્તકોની નામાવલિ એ સર્વ ગુજરાતી સાહિત્યના reference માટે બહુમૂલ્ય વસ્તુઓ છે. આખા વર્ષ દરમિયાન સામયિક પત્ર વાંચી તેમાંથી શિષ્ટ લેખની નોંધણી કરવાનું કામ ધારીએ તેટલું સહેલું નથી. આ વર્ષ આપેલી સામયિક પત્રો સંબંધી ચર્ચા વાંચનારને જરૂર પ્રિય થઈ પડશે. વિશેષમાં ભાઈ દેશળજી પરમાર જેવા અભ્યાસીએ ૧૯૩૨ ના વર્ષની સુંદર કાવ્યકૃતિઓનો વિભાગ તૈયાર કરી આપ્યો છે તે ખરેખર આ પુસ્તકની ઉપયોગિતામાં વધારો કરે છે. ભાઈ બચુભાઈ રાવતને પિતાને માનીતે વિષય પણ આ પ્રકાશનમાં માલુમ પડશે. ગુજરાત વર્નાકયુલર સોસાઈટી આ ભાઈઓની ઋણી છે.
ગુજરાતી કેળવણીકારોનાં ચરિત્ર અને તેને લગતી ઘણી મહત્ત્વની બાબતે આ ગ્રંથમાં જોવામાં આવશે. ટુંકામાં આ પુસ્તકને reference ના પુસ્તક તરીકે જેમ બને તેમ વધારે ઉપયોગી તથા આકર્ષક બનાવવા માટે સંપાદકે સતત કાળજી રાખેલી છે એમ કહ્યા વિના ચાલે તેમ નથી.
છેલ્લાં થોડાં વર્ષ દરમિયાન બન્યું છે તેમ ૧૯૩૨ની સાલમાં પણ બાલ સાહિત્યને જબરે ફાલ આપણી ભાષાને પ્રાપ્ત થયો છે. એ સર્વના સંસ્કાર મેળવેલાં બાળકે જ્યારે ભવિષ્યમાં નાગરિક બનશે ત્યારે જરૂર ગુજરાતનું નામ દીપાવશે. | ગુજરાતી સાહિત્ય બધી દિશામાં ખેડાતું જાય છે એ આ પુસ્તકમાં આપેલી યાદી પરથી જણાઈ આવશે. વિજ્ઞાન અને અર્થશાસ્ત્ર જેવા ઓછા બેડાયેલા વિષય પર પણ પુસ્તકે વધારેને વધારે લખાય છે એ સમયનું શુભ ચિહ્ન છે. પ્રજા એકંદરે ગરીબ, અજ્ઞાનનું પ્રમાણ ઘણું જ
Page #5
--------------------------------------------------------------------------
________________
મેટું, વાંચનના શેખના પુરતા વિકાસને અભાવઃ એ સર્વ વિરોધી બળે છતાં સંખ્યાબંધ પુસ્તક લખાય છે અને પ્રકટ થાય છે એથી સાહિત્યાનુરાગીઓનાં ચિત્ત નિઃસંશય પ્રસન્ન થતાં જ હશે.
તેમ છતાં આપણા સાહિત્યની ઘણું ન્યૂનતાઓ છે, તે પુરી પાડવા સહદય લેખક વર્ગને વિનંતિ કરવી અસ્થાને નહિ ગણાય. આપણું આદર્શ ઉચ્ચ રાખી, સામાન્ય પરિણામેથી સંતોષ ના માનો એ જ આગળ વધવાનો માર્ગ છે એમ મારે નમ્ર અભિપ્રાય છે, જે વારંવાર જણાવવામાં વાંધો નથી. વધારે ઉચગામી અને ઉંડા અભ્યાસવાળાં પુસ્તકે બીજા દેશોનાં સાહિત્યમાં છે તે પ્રકારનાં આપણી ભાષામાં રચાય એવી ઉચ્ચાભિલાષા સહુ કોઈ રાખશે જ.
આ સંબંધે ઉલ્લેખ કરતાં આપણી સમક્ષ આપણો આર્થિક પ્રશ્ન ખડો થયા વિના રહેતું નથી, સેંકડે ઉમેદ અને આશાભર્યા સાહિત્યના અભ્યાસીઓ પિતાના અભ્યાસ દરમિયાન કાંઈ કાંઈ સ્વપ્નાં સેવતા, જીવનના કલહમાં પડે છે ત્યારે તેમનાં એ સ્વપનાં ઉંડી જાય છે. માટીની જમીન પર પગ મુકતાં તેમને જણાય છે કે જીવન ટકાવવું હોય, જીવનની ઓછામાં ઓછી જરૂરીઆતો પુરી પાડવી હોય તે પણ સવારથી સાંજ સુધી ચાલુ મહેનત કરવા તૈયાર હોય તે છતાં કામ મળતું નથી. મળે તે જીવનને શોધીને નીચોવી નાંખનારું હોય છે. ઉલ્લાસ અને આનંદ, જે વડે પ્રેરણાશક્તિને પોષણ મળે છે તે અંતર્ધાન થઈ ગયાં હોય છે. અભ્યાસ અને વાંચન માટે શાન્તિ અને વખત જોઈએ તે ભાગ્યે જ મળે છે. એટલે કે સાહિત્યના સંવર્ધનને સાનુકૂલ થાય તેવી પરિસ્થિતિ ઘણા થડાને હોય છે; કોઈ કોઈ વ્યક્તિ આ બધાં વિદને વટાવી સાહિત્યમાં કામ કરે છે તો તે બહાર પાડવા સાધન નથી હોતું. સાહિત્યનું કામ કરનારને ઉદરપોષણનું સાધન એનાથી મળતું નથી એ આપણા દેશની કમનસીબી છે.
ભવિષ્યમાં પણ “ગ્રંથ અને ગ્રંથકારના પ્રત્યેક પુસ્તકમાં અભ્યાસીઓને ઉપયોગી અંગ દાખલ કરવામાં અવશ્ય આવશે. તેને લગતું આલ્બમ પણ ટુંક સમયમાં પ્રસિદ્ધ કરવાની ધારણા છે; પ્રજાના ઉત્તેજન અને ટેકાથી ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી પિતાને કૃતકૃત્ય થએલી માને છે.
અમદાવાદ, ભદ્ર, તા. ર૯-૯-૩૩. વિદ્યાબહેન નીલકંઠ
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
પ્રસ્તુત પ્રકાશનની પાછળ એક જ વિચાર કામ કરી રહ્યો છે અને તે એ કે “ગ્રંથ અને ગ્રંથકાર” નું પુસ્તક આપણું ગુજરાતી લેખક અને વાંચક બંધુને તેના વાચન, અભ્યાસ અને લેખનકાર્યમાં બને તેટલું ઉપયોગી અને મદદગાર થઈ પડેઃ
એ આશયથી પ્રતિ વર્ષ તેમાં કંઈને કંઈ નવું તત્ત્વ ઉમેરવા તજવીજ કરવામાં આવે છે.
આ વખતે બે નવાં અંગે ઉમેર્યા છેઃ (૧) સન ૧૯૩૨ માં પ્રસિદ્ધ થયેલી સુંદર કાવ્યકૃતિઓ; અને (૨) ગુજરાતી સામયિક પત્રોની સૂચી.
ગ્રંથકાર ચરિત્રાવળી વિભાગમાં અર્વાચીન વિદેહીમાંના ડાંકનાં –આરંભના કેળવણીકારોનાં ચરિત્રો આપવાની શરૂઆત કરી છે, તે વિભાગ બને તેટલે વિશ્વસનીય અને આધારભૂત કરવા ખાસ કાળજી લેવામાં આવેલી છે. ભાવિ ચરિત્રકેષના પાયારૂપ એ સાધન થઈ પડે, એવી ઉમેદ વધુપડતી નહિ જણાય.
ગુર્જર ગ્રંથકાર ચિત્રાવલિનું પુસ્તક એક સ્વતંત્ર આલબમરૂપે આવતા વર્ષમાં બહાર પડે એવી વકી છે; તે માટે તૈયારી થઈ રહી છે. પહેલ પુસ્તક એક ચિત્રોનું આપવાની યોજના કરી છે.
સન ૧૯૩રની કવિતાની પસંદગી શ્રીયુત દેશળજી પરમારે કરી આપી - છે. એ માટે એમનો હું ઋણું છું. ઘણા બંધુઓને ખબર નહિ હોય કે
અમદાવાદમાં ગુજરાતી કવિતાનો એક અભ્યાસવર્ગ ચાલે છે. તેમાં આપણા કેટલાક સારા અને જાણીતા નવા કવિઓ જોડાયેલા છે. કુમાર કાર્યાલય તેનું કેન્દ્ર સ્થાન છે, તેના પ્રેરક બળ શ્રીયુત બચુભાઈ રાવત છે.
શ્રીયુત બચુભાઈ રાવત, વાચક બંધુના લક્ષમાં હશે જ કે “ગ્રંથ અને ગ્રંથકાર'ની શરૂઆતથી તેને એમનું પોતાનું એક કાર્ય સમજી તેના સંપાદન કાર્યમાં મને હમેશા મદદ કરતા રહ્યા છે; અને હરેક વખત, એમના અનેક વ્યવસાયમાંથી સમય કાઢીને, જે કિમતી લેખ લખી મોકલે છે તેની એકલા લેખકવર્ગે જ નહિ પણ મુદ્રણકળા સાથે નિસ્બત ધરાવનારા સીએ
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રશંસા કરેલી છે અને તે આ પુસ્તકનું વિશેષ આકર્ષણ છે, એ આભપ્રાય સાથે, મારી ખાત્રી છે કે, સૌ કઈ સંમત થશે.
હરેક પુસ્તકમાં લેડી વિદ્યાબહેનનો હું ઉપકાર માનું છું તે કેવળ શિષ્ટાચાર નથી જ. મારા કાર્યમાં તેઓ સરળતા કરી આપે છે, એટલું જ નહિ પણ આ પ્રકાશનમાં ખાસ રસ લે છે, એ મને થોડું પ્રોત્સાહક નથી.
અમદાવાદ, તા. ૨૫-૯-૧૯૩૩
હીરાલાલ ત્રિ. પારેખ
-
Page #8
--------------------------------------------------------------------------
________________
વિષય
ગ્રંથ પરિચય
અનુક્રમણિકા
14540
૧
૨
પ્રસ્તાવના
૩ પુસ્તકાની વર્ગીકૃત યાદી સન ૧૯૩૨
૪
...
સન ૧૯૩૨ માં માસિકામાં પ્રસિદ્ધ થયલા લેખાની સૂચી
૫ ગુજરાતી સાહિત્યની સાલવારી }ગુજરાતી સામયિક પત્રાની યાદી
૭ ગુજરાતી ભાષા સાહિત્યના અભ્યાસ અર્થે માદક અને સહાયક ગ્રંથાની સૂચી
૮ પુસ્તકનું રૂપવિધાન
૯ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખાની યાદી ગુ॰ સાહિત્ય પરિષદનું હાલનુ અધિકારી મંડળ ૧૧ ગ્રંચકાર ચિરત્રાવલી [ અર્વાચીન વિદેહી ]
૧૦
૧ રણછેાડદાસ ગીરધરભાઇનું જન્મ ચરિત્ર
૨ રા. બા. મેાહનલાલ રણછેોડદાસ ઝવેરીનું આત્મકથન ૩ રા. સા. મયારામ શંભુનાથનું ચિત્ર ૪ રા. બા. જમીયતરામ ગૌરીશંકર શાસ્ત્રીનું ચરિત્ર ૫ જોશી સાંકળેશ્વર આશારામનું જીવનચરિત્ર
૧ર ગ્રંથકાર ચરિત્રાવલી [ વિદ્યમાન ]
૧ અમૃતલાલ મેાતીલાલ શાહ ૨ ઈન્દુલાલ ઝુલચંદ ગાંધી
૩ ઉમાશકર જેઠાલાલ જોષી
...
૬ ગણપતરામ રાજારામ ભટ્ટનું આત્મવૃત્તાંત
૭ રા. ખા. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદીનું ચરિત્ર
૪ ગઢુલાલ ગેપીલાલ ધ્રુવ
૫ ગોકળદાસ કુખેરદાસ મહેતા
૬ રા. બા. ચંદ્રવિદ્યાનંદ શ્રીકૃષ્ણાનંદ પંડયા
૭ ચંદુલાલ જેઠાલાલ વ્યાસ
મહત્વના
و
૩
૫
૧
પુષ્ટ
થી ૪
થી
થી ૧૭
૧૮ થી ૩૫
૩૬ થી ૪૬
૪૭ થી ૫૬
૫૭ થી ૬૦ ૬૧ થી ૬૯
७०
૭૧
૧
२७
ર
૬૯
૭૨
૭૪
૯૪
૧૧૬
૧૧૭
૧૧૮
૧૧૯
૧૨૧
૧૨૩
૧૨૪
Page #9
--------------------------------------------------------------------------
________________
૧૨૯
૧૩૯
૮ રા. સા. જનુભાઈ અચરતલાલ સૈયદ
૧૨૬ ૯ ત્રિભુવનદાસ પુરૂષોત્તમદાસ લુહાર (સુન્દરમ) ૧૨૭ ૧૦ દુર્લભજી ત્રિભુવનદાસ ઝવેરી
૧૨૮ ૧૧ ધીરજલાલ ટોકરશી શાહ ૧૨ ધીરસિંહ બહેરાભાઈ ગોહિલ
૧૩૧ ૧૩ નટવરલાલ મૂળચંદ વીમાવાળા
૧૩૪ ૧૪ -ન્હાનાલાલ ચમનલાલ મહેતા
૧૩૭ ૧૫ પ્રીતમરાય વૃજરાય દેસાઈ
૧૩૮ ૧૬ ભીખાભાઇ પુરુષોત્તમ વ્યાસ ૧૭ મગનલાલ ગણપતિરામ શાસ્ત્રી
૧૪૦ ૧૮ મનુ હ. દવે (કાવ્ય તીર્થ)
૧૪૨ ૧૯ મનુભાઈ લલ્લુભાઈ જોધાણ
૧૪૪ ૨૦ મહાસુખભાઈ ચુનીલાલ શેઠ
૧૪૬ ૨૧ ખા. બા. મેહબુબમિયાં ઈમામબક્ષ કાદરી
૧૪૮ ૨૨ મેહરજીભાઈ ભાણજી રતુરા
૧૫૧ ૨૩ રામપ્રસાદ મોહનલાલ શુકલ
૧૫૨ ૨૪ રંગીલદાસ લક્ષ્મીદાસ સુતરીઆ
૧૫૩ ૨૫ વસંતરામ હરિકૃષ્ણ શાસ્ત્રી
૧૫૫ ૨૬ હરસિદ્ધભાઈ વજુભાઈ દીવેટિયા
૧૫૬ ૨૭ હરિલાલ નરસિંહરામ વ્યાસ
૧૫૭ ૧૩ સન ૧૯૩૨ ની કવિતા
૧૫૮–૧૭૪
અશુદ્ધિ પુસ્તકની વર્ગીકૃત યાદીની નીચે સન ૧૯૩૩ છપાયું છે તેને બદલે સન ૧૯૩૨ માં વાંચવું.
Page #10
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સામયિક પત્ર
ગ્રંથ અને ગ્રંથકાર'ના ઉપદુઘાતમાં આ વર્ષે “ગુજરાતી સામયિક પત્રો” એ વિષય ચર્ચવાનું પસંદ કર્યું છે. એ પસંદગી કરવામાં ત્રણ ચાર કારણે મળી આવ્યાં.
પત્રકારિત્વ આજકાલ સાહિત્યના પર્યાયરૂપ થઈ પડયું છે. એક સારું વર્તમાન પત્ર આજે જેટલી અને જેવા વિવિધ પ્રકારની વાચનસામગ્રી પૂરી પાડે છે, તે આપણું પુસ્તકમાંથી મળી શકતી નથી. પુસ્તકે કરતાં એક વર્તમાનપત્ર ઝાઝું વંચાય છે અને તેને બહોળો પ્રચાર થાય છે. આધુનિક જીવન એટલું વ્યવસાયી બની ગયું છે અને તે એવું વ્યગ્ર રહે છે કે કોઈ વિષય પર સામાન્ય માહિતી મેળવવા જિજ્ઞાસા ઉદ્દભવે તો પણ તે પાછળ
એટલો સમય આપવાને આપણને અવકાશ હોતો નથી. આધુનિક સંસ્કૃતિનું કેન્દ્રસ્થાન વર્તમાનપત્ર છે એમ કહી શકીએ અને તેના વિકાસ અને અભ્યદયમાં પ્રજાને જીવનવિકાસ અને ઉન્નતિ બહુધા અવલંબી રહે છે. કોઈ શસ્ત્ર કરતાં કે કોઈ રાજસત્તા કરતાં તેની શક્તિ, લાગવગ અને કાબુ અભુત છે. સમાજમાં આજે તે અદ્વિતીય સ્થાન ધરાવે છે. તે ઈચ્છે એવા રંગવાળું મનુષ્ય જીવનને રંગી શકે છે; તે ધારે એવા વિચારોને પ્રચાર કરી શકે છે. લોકશિક્ષણનું અને લોકમત કેળવવાનું તે એક સમર્થ અને પ્રચંડ સાધન છે.
આપણે અહિં અક્ષરજ્ઞાન હજુ વસ્તીની અલ્પ સંખ્યામાં છે પણ એ પ્રમાણ જેમ વધતું જશે તેમ વાચનને શેખ જરૂર ખીલશે. આજે પણ જનતામાં વાચનને શોખ વધ્યો છે, તે દરરોજ નવા અઠવાડિકે નિકળે જાય છે તે બતાવી આપે છે.
આપણા જીવનને આ પ્રમાણે સ્પર્શતું અને સાહિત્યને પિષક એવું એક અંગ અને બળ તેનો યથાવકાશ જરૂર વિચાર અને ચર્ચા થવાં ઘટે છે.
પત્રકારિત્વના અંગે અનેક જાતના પ્રકને એક પત્રકારે તેમ આપણું સમાજના નેતાએ વિચારવાનો ઉપસ્થિત થાય છે; આ લેખ લખવાનું શરૂ કર્યું એ અરસામાં જુદા જુદા પત્રોમાં પત્રકારિત્વ પરત્વે ભિન્ન ભિન્ન દૃષ્ટિએ ચર્ચાયેલા મુદ્દાઓ મારા વાંચવામાં આવ્યા તે પ્રથમ રજુ કરીશ.
જેઠ માસનું “કુમાર” માસિક તા. ૪ થી સપ્ટેમ્બરના રોજ મળ્યું તેમાં નીચે મુજબ એક નોંધ હતીઃ
Page #11
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪
“આપણે ત્યાં પોમાં વૈવિધ્ય ખીલતું નથી તેનું કારણ જ એ છે કે વિવિધ પ્રકારના જીવન–અનુભવોવાળા અને ધંધાના માહિતગાર માણસે પિતાની દિશામાં રચ્યાપચ્યા રહેલા હોવાથી માત્ર થોડાં નાણાંની ખાતર તેઓ લખવાની પ્રવૃત્તિ હાથ ધરે તેમ નથી, તેમ જ તેમના ધંધામાં મળતાં લવાજમની બરાબર લેખનથી પ્રાપ્તિ થઈ શકે એમ નથી; એટલે મૌલિક, અનુભવપૂર્ણ લેખે, હકીકતે, વાર્તાઓ વગેરે માટે આપણે તેમની દરકાર અને ઉદારતા ઉપર જ આશા બાંધવાની રહે છે.”
ગુજરાતમિત્ર અને ગુજરાત દર્પણમાં એજ મુદ્દાને “સેનાની” નામધારી લેખકે જુદી જ દાષ્ટએ અવલોક્ય છે. તે ભાઈ લખે છે,
“લેખકે એ પણ “પૈસા” મળે એ આશાએ લખવું જોઈએ નહીં. પરંતુ તેમણે “સાહિત્યની સેવા” તરીકે જ કાર્ય કરવું રહ્યું. ભલે, પછી એ સેવાના બદલે ન મળે; પરંતુ નાણુની અપેક્ષાએ જ “સેવા” કરવી એ સિદ્ધાંત તે ન જ રાખવું જોઈએ. “સાહિત્ય” એ પણ એક કળા છે અને કળાનાં મૂલ્ય કદી “પૈસા”થી થયાં છે કે હવે થાય?”x
ઉપરનાથી જુદા પ્રકારનો પણ પત્રકારિત્વની રીતિનીતિ વિષે મહત્વને પ્રશ્ન તેજ વખતે “જૈન” અઠવાડિકના વિદ્વાન તંત્રીએ “ક્ષમાપના” એ શિર્ષક હેઠળ, તેના તા. ૩ જી સપ્ટેમ્બરના અંકમાં ચલો જોવામાં આવ્યો. તે પેરા આ પ્રમાણે હતો:
પત્રકારની જવાબદારી તેમજ જોખમદારી કોઈ પણ શિક્ષક, ઉપદેશક કે માર્ગદર્શક કરતાં જરાય ઉતરતા પ્રકારની નથી. પત્રકાર માત્ર દોષ દષ્ટિવાળા જ હોય એવી ભ્રમણા કેટલાક જાણી જોઈને ફેલાવે છે. સામયિક પત્રો સંભ જ પેદા કરે છે એમ પણ કેટલાક માનતા હશે. પરંતુ એ આખીય વિચારશ્રેણી સત્યથી વેગળી છે. જેમને પિતાને જ કક્કો મનમાનતી રીતે ઘુંટાવ હોય, ગાડરીઆ પ્રવાહને એકજ લાકડીએ હાંક હોય તેને સામયિક પત્રો અને પત્રોના સંચાલકે અકારા લાગે એ સમજાય એવી વાત છે.”
આનાથી ઉલટું કેટલાંક ઈગ્રેજી પત્રો અંગત સ્વાર્થ અને લાભ મેળવવાની ખાતર, તેમના પત્રના બહોળા પ્રચાર અર્થે જે હલકી અને અધમ રીતિ અખત્યાર કરે છે તેની એ જ તારીખના ટાઇમ્સ ઓફ ઇન્ડિયા
* ગુજરાતમિત્ર અને દર્પણ, તા. ૩ જી સપ્ટેમ્બર.
Page #12
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સામયિક પત્ર.
(Times of India)ના અંકમાં તેના ત ંત્રીએ અત્ર નોંધમાં કડક શબ્દોમાં ખબર લીધી હતી. એ નેાંધતા લેખક જણાવે છે,
"It is by no means an exaggeration to say that the type of mind which has been permitted to control this section of the British Press during the last decade has been making drastic and heavily financed efforts to prostitute a great profession.
',
ગુજરાતી પત્રમાં પણ આ બદી ધીમે ધીમે પગપેસારા કરતી જાય છે, એ વ`માનપત્રના અનુભવીએની નજર બહાર નહિ હેાય.
66
પરંતુ આ વિચારોથી ખિન્ન થયલા મનને “નેશ ” નામના જાણીતા ઈંગ્રેજી માસિકના સપ્ટેમ્બરને તાજો જ અંક પ્રાપ્ત થતાં, તેમાં માનપત્રનું મુખ્ય અંગ સમાચાર’' એ વિષયને મહત્વ આપી તે મુદ્દાને રમુજ ભર્યો ચર્ચેલા વાંચતાં કંઈક સાત્વન મળ્યું અને આ સઘળા વિચારાએ મને ગુજરાતી સામયિક પત્ર વિષે વિવેચન કરવા પ્રેયેર્યાં.
આ પ્રને ખીજી રીતે પણ મારૂં ધ્યાન ખેંચ્યું હતું.
ચાલુ સાલમાં સાસાઇટીએ પહેલી ગુજરાત પુસ્તકાલય પરિષદ ભરવાના નિર્ણય કર્યો હતા, અને તેની સાથે ગુજરાતી સામયિક પત્રાનું પ્રદર્શન યેાજવાની વ્યવસ્થા રાખી હતી. એ પ્રદનનેા એક આશય એ પણ હતેા કે ગુજરાતીમાં પ્રસિદ્ધ થતાં સર્વ પત્રાની હકીકત બને તેટલી સ’પૂર્ણ એકઠી કરી શકાય; અને એ ઉદ્દેશથી એક પત્રક, જે તે પત્રના તંત્રી વાસ`ચાલકને મુખ્ય અને મહત્વની માહિતી પૂરી પાડવા મેાકલવામાં આવ્યું હતું.
સન ૧૯૨૪ માં પહેલી ગુજરાતી પત્રકાર પરિષદ અમદાવાદમાં મળી હતી ત્યારે આ પ્રમાણે આપણા ગુજરાતી પત્રાની સૂચી તૈયાર કરવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા. તે વખતે પરિષદના અંગે વર્તમાનપત્રાનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું અને તેના ઉદ્ઘાટનની ક્રિયા લેડી વિદ્યાઅેન રમણભાઈ નીલકંઠના હસ્તે કરાવવામાં આવી હતી. પણ જેમિત્રાને તેમાં રજુ થયેલાં વર્તમાનપત્રાની નોંધ લેવાનું સોંપ્યું હતું તે સંજોગવશાત્ તે કરી શક્યા નહેાતા. એટલે પ્રસ્તુત હેતુ બર લાવવા સૌ પત્રકાર બંધુએને તેના પત્રની
3
Page #13
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર, પુ. ૪
નકલ પ્રદર્શન માટે મોકલી આપવાની સાથે જે છાપેલું પત્રક તેમને રવાને કરવામાં આવ્યું હતું તે ભરી મેકલવા વિનંતિ કરી હતી.
વળી પ્રસ્તુત યાદીનું કામ સુગમતાભર્યું થઈ પડે એ વિચારથી મુંબાઈ ઇલાકાના ટપાલ ખાતાના ઉપરી અધિકારીને જે સામયિક પત્રો ટપાલ ખાતાના નિયમાનુસાર ટપાલના ઓછા અને ખાસ દોને લાભ મેળવે છે, તેનાં નામની ટપાલખાતા પાસેની યાદી, વેચાતી મળી શકતી હોય તો તેની કિંમત લઈને અથવા તેની નકલ ઉતરાવવાનો ખર્ચ લઈને, આપવા સૂચવ્યું હતું; પણ તેને ઉત્તર ખાતા તરફથી નકારમાં આવ્યો હતે. મારું માનવું છે કે એ યાદી આવા ખાસ કારણસર પૂરી પાડવામાં સરકારે વાંધો લેવો ને જોઇએ.
સોસાઈટીના વિનંતિપત્રથી સામયિક પત્રો જેની નકલો અમને સીધી મળી તે પરથી તેમ અન્ય રીતે તજવીજ કરીને મેળવી શક્યા તેના આધારે ગુજરાતીમાં પ્રસિદ્ધ થતા સામયિક પત્રોની સૂચી આ પુસ્તકના પૃષ્ટ ૪૯ થી ૬. ઉપર છાપવામાં આવી છે. આ યાદી સંપૂર્ણ છે એમ ન જ કહેવાય. પણ એની સંખ્યા ૨૨૭ ની નોંધાયેલી છે તેમાં પાંચ ટકા રહી જતાં પત્રનાં નામ ઉમેરીએ તે લગભગ તેનો ખરો આંકડે મળી રહે, એમ ધારવું છે.
હિન્દી વસ્તીપત્રકના રીપોર્ટમાં સામાન્ય રીતે જુદી જુદી ભાષાઓ બોલનારાના આંકડાઓ આપવાને શિરતે છે; પણ દિલગીરીની વાત એ છે કે સન ૧૯૩૧ ના હિન્દી વસ્તીપત્રકના રીપોર્ટના કોષ્ટક ૧૦ માં જે ભાષાવાર કોલમ આપવામાં આવ્યું છે, તેમાં આ વખતે ગુજરાતી ભાષા બોલનારાઓની સંખ્યા નોંધવામાં આવી નથી. ગુજરાતી ભાષાને આ માટે અન્યાય થયો છે; અને તેમ કરવાનું સેન્સસ કમિશનરે કાંઈ કારણ પણ દર્શાવ્યું નથી. મોર્ડન રિવ્યુના બાહોશ તંત્રી શ્રીયુત રામાનંદ ચેટરજીએ સરકારના આ મનસ્વી કાર્યને તે માસિકના ફેબ્રુઆરી અંકમાં વખોડી કાઢયું હતું. તે સિવાય અન્ય કોઈ પત્રે એ વિષે ઉલ્લેખ કર્યો હોય એમ મારી જાણમાં નથી.
તે પરથી મને લાગ્યું કે પાછલા વસ્તીપત્રકમાંથી આ વિષય પર જરૂરી માહિતી ભેગી કરવી. હિન્દી વસ્તીપત્રકના જુના રીપેર્ટે સુલભ નહોતા. પણ મુંબાઈ ઈલાકાના રીપોર્ટ હું મેળવી શક્યો, તે મારા કાર્ય માટે પુરતા હતા.
Page #14
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સામયિક પ.
ગુજરાતી સામયિક પત્રો વિષે લખવામાં આ પણ એક પ્રેરક કારણ હતું.
તે સમયે મુંબઈ ઇલાકાને સન ૧૯૩૧ ને વસ્તીપત્રકનો રીપોર્ટ પ્રસિદ્ધ થયો નહોતો. પણ સન ૧૯૧૧ અને સન ૧૯૨૧ ના રીપોર્ટ ઉપલબ્ધ હતા. તેમાં પણ આપણા સામયિક પ વિષે આપણે ઇચ્છીએ એવી પૂરેપૂરી હકીકત નોંધેલી નહોતી.
સન ૧૯૧૧ ના (મુંબાઈ ઇલાકાના) વસ્તીપત્રક રીપોર્ટમાં “છાપાં' એ મથાળા હેઠળ ગુજરાતી વર્તમાનપત્રોની સંખ્યા ૪૫ ની બતાવેલી છે અને તે સંખ્યા સન ૧૮૯૧ અને સન ૧૯૦૧ માં ૩૧ અને ૩૧ અનુક્રમે હતી એમ વધુમાં નોંધ્યું છે. એ સંખ્યામાં ૬ છાપાં એવાં હતાં કે જેને ફેલાવો ૨૫૦૦ થી વધુ નકલોનો હતો.
સન ૧૯૨૧ની વસ્તીપત્રક રીપોર્ટના સંપાદન કરનાર સેન્સસ કમિશનરને આ પ્રકારની માહિતી આપવાની અગત્ય જણાઈ નહોતી. તેઓ લખે છેઃ
“In 1911 figures were also given of newspapers and their circulation. This I have not done on the present occasion. The increase in the newspaper reading habit which is undoubted, takes the form of increase in the circulation of existing rather than the foundation of new papers and the circulation of any paper is probably a matter of some uncertainty.” - ઉપરોક્ત કથન વજુદ વિનાનું છે એમ કહેવાની ભાગ્યેજ જરૂર રહે છે. વાચનને શેખ વધવા અને ખીલવાની સાથે વર્તમાનપત્રો નવાં નવાં નિકળતાં જાય છે, તે સન ૧૯૩૩ નાં સામયિક પત્રોની યાદી અન્યત્ર છાપી છે તેમાં એક વર્ષની અંદરના પત્રોની સંખ્યા જેવાથી ખાત્રી થશે.
ગુજરાતી ભાષા સાહિત્ય દિન પ્રતિદિન વિકસતું અને ખીલતું જાય છે અને તેની સાહિત્ય સમૃદ્ધિ અન્ય કોઈ દેશી ભાષાની હરીફાઈમાં ઉભી રહી શકે એવા ઉંચા પ્રકારની છે; અને તેનાં પુસ્તક પ્રકાશનના આંકડા અન્ય કોઈ દેશી ભાષામાં છપાતાં પુસ્તકોના પ્રમાણમાં ઓછા માલુમ નહિ પડે; એટલું જ નહિ પણ ગુજરાતી જનતા મુખ્યત્વે વેપારી વર્ગની હોઈને તેનામાં અક્ષરતાનું પ્રમાણ પણ મેટું જણાશે.
Page #15
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્ર ંથકાર પુ. ૪
તેના સમર્થનમાં પાછલા વસ્તીપત્રકેામાંથી આંકડા આપીશું; અને સરખામણી સારૂ મરાઠી ભાષા ખેલનાર જેની સંખ્યા ગુજરાતીથી જાદે છે અને મરાઠી સાહિત્ય પણ વધુ વિકસેલું છે, તેના આંકડા રજુ કરીશું. ૧૮૯૧ થી ૧૯૦૦ સુધી
પુસ્તકા
સન ૧૯૦૧
૧૯૧૦
ગુજરાતી
મરાઠી
છાપાં
ગુજરાતી
મરાઠી
૨૧૩
૧૦૦
૪૭૫
૩૫૯
ભાષા ૧૯૦૧ ૧૯૧૧ ગુજરાતી ૬૬૭૦૦૦૦ ૭૨૦૪૦૦૦ મરાઠી
૧૯૦૧ થી ૧૯૧૦ સુધી
૨૯૩૭
૧૯૮૯
૧૮૯૧
૧૯૦૧
૧૯૧૧
૩૧
૩૧
૪૫
*
૧૯
૬૦
૬૮
૬૭
*
८७
વધુ ચેાસ થવા સદરહુ રીપોર્ટ માંથી જ એ ખે ગુજરાતી અને મરાઠી ભાષા ખેલતી પ્રજાના આંકડાએ ઉતારીશું.
પુરુષ હજારે સ્ત્રીઓ-હજાર
૨૫૩૯
૧૮૦૨
૧૯૨૧-૧૯૩૧
૧૯૨૧
૭૪૦૪૦૦૦
૧૯૩૧
XXXX
૧૦૧૦૦૦૦૦ ૧૦૪૫૩૦૦૦ ૯૭૯૧૦૦૦ ૧૧,૧૧૫૦૦૦ આ આંકડા મુંબાઈ ઈલાકા પુરતા છે; પરંતુ સામાન્ય માન્યતા એવી છે કે ગુજરાતી ભાષા ખેલનારી પ્રજાની સંખ્યા આશરે સવા કરોડ, મરાઠીની દોઢથીએ કરાડ, બંગાળીની પાંચ કરાડની આસપાસ અને હિન્દીની દસ કરોડથી વધુ, એ પ્રમાણે છે.
સામાન્ય અક્ષરજ્ઞાન એટલે કે લખી વાંચી જાણે એવા મનુષ્યેાની સંખ્યા મુંબાઈ ઇલાકામાં સન ૧૯૩૧ ના વસ્તીપત્રકના રીપોર્ટમાં કુલ ૨૩,૧૫૯,૫૩૮ ની વસ્તીમાં, ૧,૮૭૭,૧૮૦ બતાવેલી છે. એમાં ગુજરાતીએની સંખ્યા જુદી કાઢી બતાવેલી નથી; પણ કુલ વસ્તીનેા ૮-૧ ટકા ભાગ અક્ષરજ્ઞાનવાળા છે; બાકીનેા ૯૧-૯૯ ભાગ હજુ અજ્ઞાન પડેલા છે.
નિરક્ષરતા નિવારણની ગતિ કેટલી બધી મદ ચાલે છે, એ નીચે આપેલા તેના પચાસ વર્ષના આંકડા પરથી સ્પષ્ટ થશેઃ
વ
૧૮૯૧ ૧૯૦૧ ૧૯૧૧
૯૧
૧૦૮
૧૧૨
૫
૯
૧૩
૧૯૨૧ ૧૯૩૧
૧૩૪
૧૪૩
૨૩
૨૪
Page #16
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સામયિક પત્ર.
४३
આપણે અહિં જે પ્રમાણમાં વસ્તીને વધારો થાય છે, તેના જેટલો પણ પ્રજામાં અક્ષરજ્ઞાનમાં વધારો થતો નથી, એ શોચનીય છે. વળી એ વસ્તીને વધારે પણ બીજા દેશોના વસ્તીના વધારાના પ્રમાણમાં ઓછો છેજ.
- હવે બીજા પ્રાંતોમાં અને પાશ્ચાત્ય મુલકમાં વસ્તીના પ્રમાણમાં વર્તન માનપત્રોને પ્રચાર કેવો છે તે જોઈએ.
સન ૧૯૩૨ની સ્ટેટ્સમેન ઈયર બુકમાંથી માર્ડન રિવ્યુના તંત્રીએ એ માહિતી નીચે પ્રમાણે તારવી કાઢી છે.
: સન ૧૯૨૯-૩૦માં સામયિક પત્રોની સંખ્યા : મદ્રાસ. ૩૦૮ સંયુક્ત પ્રાંત. ૬૨૬ બિહાર અને ઓરિસ્સા. ૧૩૬ મુંબાઈ ૩૫૪ પંજાબ. ૪૨૫ મધ્ય પ્રાંત અને બિહાર. ૫૫ બંગાલ. ૬૬૩ બર્મા. ૧૬૧ આસામ.
દિલ્હી. ૮૮ વાયવ્ય પ્રાંત. આ આંકડાઓ સાથે કેનેડા અને અમેરિકાના આંકડા સરખાવીશું તો હિન્દુ અને એ દેશોની સ્થિતિ વચ્ચે આસ્માન જમીનને ફરક માલુમ પડશે.
અઠવા- = = વસ્તી પત્રો. દૈનિક. ડિયામાં જૈ
ત્રણવાર. ટે ? કેનેડા કરોડથી વધુ ૧૬ ૦૯ ૧૧૬ ૫ ૨૧ ૯૬૬ ૩૮૮ યુનાઈટેડ સ્ટેટસ બાર કરોડથી વધુ ૨૦૭૨૪ ૨૨૯૯ ૬૫ ૪૮૭ ૧૨૮૨૫ ૩૮૦૪ ૨૮૫ ૯૫૯
આ સઘળી વિગતોમાં ઉતારવાનું પ્રયોજન માત્ર એ છે કે વાચકબંધુ જોઈ શકે કે આધુનિક સમાજજીવનમાં આરંભમાં જણાવ્યા પ્રમાણે સામયિક પત્રો કેવું મોટું અને મહત્વનું સ્થાન ભોગવે છે. બાબુ રામાનંદ ચેટરજીએ તે એક પત્રકારને જનતાના નેતૃત્વનું પદ બક્યું છે. તેઓ કહે છે,
“પત્રકારે તો જનતાના વિચારે જાણવા જોઈએ અને એ વિચારાને અનુસરતી દિશાઓમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. એ તો જનતાના વિચારનું પ્રતિનિધિત્વ લઈને બેઠા હોય છે. એ તો પ્રજાને સાચો પ્રતિનિધિ હોય
* મોર્ડન રિવ્યુ, જાન્યુઆરી ૧૯૩૭, પૃ. ૧૨૭
દ્વિમાસિક
લાભ ?
Page #17
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪
છે. એણે પોતાના વિચારો એટલી બધી ગંભીરતાપૂર્વક ને સુવ્યવસ્થિત રીતે જાહેરમાં મુકવા જોઈએ કે જેને લઈને જનતાનું કલ્યાણ થાય.”x
આ સબબથી ગુજરાતી સામયિક પત્રાનો પ્રશ્ન, તેની સંખ્યા, તેને પ્રચાર અને વિસ્તાર, તેની વિવિધતા અને ઉપયોગિતા, તેને વિકાસ અને ખિલવણી, તેની ઉણપતા અને મુશ્કેલીઓ વગેરે, એ દૃષ્ટિએ વિચારવાની અગત્ય મને જણાઈ.
અક્ષરતા આજે નહિ જેવી છે; અને પત્રકારિત્વ તેની શક્તિ અને સાધનના પ્રમાણમાં અનેક પ્રકારની અડચણાની સામે ટક્કર ઝીલીને, ઠીક ઠીક વિસ્તરે છે અને વિકસે છે; અને જતે દિવસે આપણું સમાજમાં પૂર્વના આચાર્યો અને સ્મૃતિ કારોના જેવું તે મોભાવાળું અને બહોળી લાગવગ ધરાવતું જનતાના નેતૃત્વનું પદ પ્રાપ્ત કરે તે તેમાં નવાઈ પામવા જેવું કાંઈ નથી.
આ સંજોગમાં ગુજરાતી સામયિક પત્રની ચર્ચા ઉપયુક્ત થઈ પડશે.
આ આખોય પ્રશ્ન અવલકવાનું સુગમ થઈ પડે, એટલા માટે સામયિક પત્રની જે યાદી આ ગ્રંથમાં અન્યત્ર છાપી છે તેને બે કેષ્ટકમાં વહેંચી નાંખી છે. (૧) તેના વિષયાનુસાર–બહુ વિસ્તૃત અર્થમાં–અને (૨) તેના વર્ષનુસાર.
x દેશી મિત્ર-સુરત–તા. ૧૪ મી સપ્ટેમ્બર ૧૯૩૩.
Page #18
--------------------------------------------------------------------------
________________
જ્ઞાતિ
બાળકે સ્ત્રીઓ જન અંત્યજ મજૂરવર્ગ ઇસ્લામી પારસી સામાન્ય
પ્રકીર્ણ ધર્મ પુસ્તકાલય ખાદી દેશી રાજ્ય સિનેમા હળવું સાહિત્ય ખેતીવાડી, સહકાર, જીવદયા કેળવણી. ખ્રિસ્તિ (હિંદી) વેપાર ઉદ્યોગ, હુન્નર આરોગ્ય, વૈદક, વ્યાયામ બહગુજરાત
j
-: : : : : : : : : : : : : : : : : : : : - -
: : : -
:
: - : : -
- - - « ઇ
min 95j1bstrelj
« : : : :
: : :
: :
: : :
: : : :
ગુજરાતી સામયિક પત્રનું પૃથક્કરણ વિષયાનુસાર,
| ૧૦૮
© ܩ ܨܝܢ ܩܢ ܚ ܬ £ ܩܨ ܚ ܐ ܩ܂ ܩ܂ ܩ܂ : ܩ܂ ܩ܂ » ܘ ܩܢ ܩܢ
-: :
: : : : : : : :
: : : : : : : :
larejek | Fajlep Falle
A
:
:
: : : :
:
: : : : : : : -
: : : : : : : : : : :
: : : : : : : :
-: :
: : : : : : : : : : : : : : : : : : :
thjlo
L
૨૨૭
૪૯
Home v7 x n zvain wmawazNzIva on
ગુજરાતી સામયિક પત્રો.
Page #19
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સામયિક પનું પૃથક્કરણ વર્ષનુસાર. ૧ વર્ષની વર્ષની ૧૦ વર્ષની ૧૫ વર્ષની ૨૫ વર્ષનીપ૦ વર્ષનીપવર્ષની ૧૦૦ વર્ષ ૨૫વર્ષ અંદરના અંદર અંદર અંદર અંદર અંદર અંદર ની અંદર ની અંદર
દનિક
અ–સાપ્તાહિક અઠવાડિક પાક્ષિક
સંદ અને ગ્રંથકાર પુ. ૪
માસિક
માસિક ત્રિમાસિક
છ માસિક
વાર્ષિક*
પર | ૪૭ | ૧૮ * આમાં દિવાળીના અંકોને સમાવેશ કર્યો નથી.
૨૦.
૧૬
Page #20
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સાયિક પથોડ
ઉપલાં એ પત્રકા વિગતવાર તપાસતાં માલુમ પડે છે કે વ`દોઢ વર્ષ દરમિયાન ૬૧ નવાં સામયિકપત્રા નિકળ્યાં હતાં; અને સામયિક પત્રાની એકંદર સંખ્યાની સરખામણીમાં તેનું પ્રમાણ પચીસ ટકાથી વધુ થવા જાય છે.
સામયિકપત્રા વેચનારની દુકાનપર થોડાક સમય આપણે થાભીશું તો થાકબંધ પત્રા ચિત્ર તેમ રંગબેરંગી પુંઠાવાળાં, તેના વિવિધ પ્રકારના નામાભિધાનથી ધ્યાન ખેંચશે તેમજ સામાન્ય જનસમૂહ તેની નકલા ઉપરાચાપરી ઉપાડતા જોવામાં આવશે.
તે બતાવી આપે છે કે જનતાને નવા વાચનના શોખ લાગ્યા છે; અને તે શેાખ કેળવાય અને ખીલે એવી તજવીજ કરવી, એ પત્રકારનું મુ વ્ય છે.
આ સઘળું વાચનસાહિત્ય મુખ્યત્વે જેને સામાન્ય રીતે હળવું સાહિત્ય કહેવાય એ પ્રકારનું છે, તે ઘણુંખરૂં દર અઠવાડિયે બહાર પડે છે અને તે પત્રાની સંખ્યા આશરે ૨૫ની છે. વળી નવાઈ જેવું એ છે કે એમાંના મેટો ભાગ વ દાઢવમાં અસ્તિત્વમાં આવેલા છે; પણ તે પરથી આપણે એક અનુમાનપર આવી શકીએ કે જનસમૂહ હેળવું સાહિત્ય માગી રહ્યા છે.
આ પ્રકારનાં બે ત્રણ અટવાડિકા સારી સફળતા પામતાં, તેની સ્પર્ધામાં ત્યારપછી પુષ્કળ અઠવાડિકા પ્રસિદ્ધ થવા લાગ્યાં; તેમ છતાં એ ઘડી મેાજ' અને વીસમી સદી' એ એ જાણીતાં અવાડિકા તેનું મુખ્ય સ્થાન અદ્યાપિ સાચવી રહ્યાં છે. તે બંને પત્રાના ફેલાવા બહેાળા અને મોટા છે; અને તેમની, વાચકને આકર્ષવાની અને તેમને મનપસંદ અને રમુજ આપે એવું વાચનસાહિત્ય પૂરૂં પાડવાની, કાબેલિયત અને કુનેહ તારીફ કરવા લાયક છે. સામાન્ય વાચકને તેમ સાહિત્યરસિકને તે સતાષી શકે છે એજ તેની ખૂબી છે.
એ કાટિનું પણ કંઈક ગંભીર વાચનસાહિત્ય આપતું, સામયિક જીવનપ્રશ્નને, સ્વતંત્ર રીતે, વિચારાત્મક શૈલીમાં ચતું, લુપ્ત ‘સૌરાષ્ટ્ર”ની ગરજ સારતું પણ તેનું સ્થાન પુરતું નહિ, એવું ‘ફુલછાબ' ટુંક મુદતમાં સારી નામના પામ્યું છે. તેની કલમ જેવી સચોટ છાપ પાડી શકે છે, તેવી સીધી અસર બહુ થાડા અઠવાડિકા ઉપજાવી શકતા હશે. તેનું લખાણ પણ પ્રગતિમાન વિચારાથી તે રાષ્ટ્રીય ભાવનાથી રંગાયલું, જોરદાર હોય છે, ફક્ત તેમાં
૧૧
Page #21
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪
અવારનવાર આવતું વ્યક્તિગત આક્ષેપનું વલણ એછું થવા પામે તે તેને પ્રભાવ કંઈ જુદાજ જોવામાં આવે. તેના નામ પ્રમાણે ‘ફુલ છાબ’ની ફેરમ ચેતરફ પ્રસરી રહી, વાચકના મનને તેના મઘમઘાટથી જરૂર ર્જન કરે, એવું તેનામાં સામર્થ્ય છે.
ભાવનગરમાં ઉજવાયલી નદ શતાબ્દી ઉત્સવ વિષે, વિકારભરી પીલી નજરે લખાયલા વૃત્તાંત એ પત્રમાં વાચીને મારી પેઠે ઘણાંને ક્ષેાભ થયા હશે. મારૂં નમ્ર માનવું છે કે સારા પ્રતિષ્ઠિત છાપાએએ આવા પ્રકારના એકપક્ષી અને અટિત આક્ષેપભર્યાં લેખને ઉત્તેજન આપવું ન જ ઘટે.
હળવું સાહિત્ય રજુ કરનારાં કેટલાંક અઠવાડિકા માંહોમાંહે હરીફાઇમાં ઉત્તરી એક બીજા પર અંગત અને હલકા આક્ષેા કરે છે, તે વાંચીને ધૃણાજ ઉપજે છે.
1
પત્રકારિત્વની અમુક મર્યાદા આપણા પત્રકારા નજ ઉલ્લધે એમ આપણે જરૂર ઇચ્છીશું.
અત્યારે આ પત્રાની સંખ્યા મેાટી માલુમ પડે છે. પણ ચાર પાંચ સારાં અવાડિકા બાદ કરતાં તે સઘળાં ઝાઝો સમય ટકશે કે કેમ એજ મને સંદેહ પડતું લાગે છે. આ લેખ લખાઇ રહ્યો છે તે પહેલાંજ ચાર પાંચ અઠવાડિકા તો બંધ પડયાં છે; અને જે ચાલુ છે તેમાં પણ દૈવતવાળુ તત્ત્વ થાડુંજ નજરે પડશે. કેટલાંક તો દેખાદેખી, ખાટી હરીફાઇ ખાતર નિકળ્યાનું મારા જાણવામાં આવ્યું છે.
પણ એમાં એક તત્ત્વ વિશેષ ધ્યાન ખેંચે છે અને તે સિનેમા વિષેનું. આ પત્રમાંનાં કેટલાંકને જુદી જુદી સિનેમા કંપની તરફથી ઉત્તેજન મળે છે; અને તેના સંપાદકે, ટુંકી વાર્તા, હાસ્યરસના ટુચકા અને એકાદ લાંખી વાર્તા રજુ કરે છે; પણ તે વાચન કુતુહલતા સાબવા પુરતું હોય છે; તેના આનંદ પણ ક્ષણિક હોય છે; ખાસ સત્યવાળું અને રસભર્યું લખાણ ચિત્ જોવામાં આવે છે..
અહિં સિનેમા વિષે એ શબ્દ લખવા પ્રાપ્ત થાય છે. સિનેમા અને રંગભૂમિને લગતાં ત્રણ અઠવાડિક અને એ માસિકા પ્રગટ થાય છે, જે ખુશી થવા જેવું છે. સિનેમાએ આધુનિક સમાજ જીવનમાં વમાનપત્રથી ખીજે નખરે મહત્વનુ સ્થાન પ્રાપ્ત કર્યું છે; અને એ ધંધા સારી રીતે ખીલે અને જામે, તે પ્રજાને બધી રીતે લાભદાયી છે.
૧૨
Page #22
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સામયિક
.
ઉપરોકત સિનેમા પા ચાલુ ચિત્રપટ વિષે તેમ નવા તૈયાર થતા ચિત્રપટ અને બોલપટ વિષેની જાણવા જેવી અને ઉપયુક્ત માહિતી રજુ કરે છે અને તેમાં ભાગ લેનારા જુદા જુદા પાત્રોનો, તેમનો મુખ્ય પાર્ટી અને અભિનય વિષે રસિક વિગત આપી, પરિચય કરાવે છે તે એક પ્રકારનું તેને સાનુકૂળ અને ઉત્તેજક વાતાવરણ ઉભું કરવામાં મદદગાર થઈ પડે છે. આ દષ્ટિએ આ પત્રે જરૂરનાં છે.
તેને ઉપયોગ બીજી રીતે પણ થઈ શકે એમ છે. આપણા દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ બહુ મોટું છે. અક્ષરજ્ઞાન પ્રાપ્ત કર્યા વિના પ્રજાને વત માનપત્રોને સંદેશો પહોંચવાનો નથી. એ સત્કાર્યમાં સિનેમા આપણને બહુ ઉપયોગી થઈ પડે એમ છે. અક્ષરજ્ઞાનના અભાવે પ્રજાનું જીવન એળે જાય છે, તેમને આપણે ચિત્રપટ દ્વારા કંઈક રાહત આપી શકીશું; તેમના જીવનમાં રસ રેડી શકીશું. એ રીતે સિનેમાની શક્તિ અને સામર્થ્ય અતુલ છે.
આપણા પત્રમાં ચિત્રપટ અને બોલપટ વિષે પ્રમાણમાં વધુ અને વધુ માહિતી અપાતી રહે છે, તે આશાજનક છે; પરન્તુ હિન્દી સિનેમા કંપનીઓ જે ચિત્રપટ અને બેલ પટે તૈયાર કરે છે, તેમાં સુધારા માટે મોટો અવકાશ છે. ધાર્મિક ફિલ્મોની વિરુદ્ધ મારે કાંઈ કહેવાનું નથી; પણ અત્યારની જરૂર પ્રજાને નવીન વિચાર અને ભાવનાથી પરિચિત કરવાની છે; ખાસ કરીને સાંસારિક અને સામાજિક જીવનમાં પરિવર્તન આણવાની છે. તે કાર્ય આ પુરાણું ધાર્મિક ફિલ્મોથી પાર પડવું શક્ય નથી. - આપણને ઈગ્રેજી ફિલ્મ-ચિત્રપટ અને બોલપટ-બંને સારી સંખ્યામાં જેવા સરખાવવાને મળે છે. કોઈ પણ તટસ્થ નિરીક્ષક છે અને આપણી ફિલ્મ જોઈને કહી શકશે કે એ ક્ષેત્રમાં આપણે હજુ શિખાઉ છીએ. આપણું પત્રોમાં એ પ્રશ્ન ઠીક ઠીક ચર્ચાય છે. તા. ૧૭ મી સપ્ટેમ્બરના વીસમી સદી” ના અંકમાં એ વિષે નોંધ માલુમ પડશે. સપ્ટેમ્બર માસના “નવયુગ” ના અંકમાં “મીસ ૧૯૩૩” નું અવલોકન લખતાં તેના વિવેચકે કેટલીક વિચારણીય સૂચનાઓ રજુ કરેલી છે. એ વિષય ચર્ચવાનું આ
સ્થાન નથી; પણ એટલું સૂચવી શકાય કે એમાં શિક્ષિત વર્ગો મોટી સંખ્યામાં જોડાઈ સિનેમાને એક ધંધા તરીકે તેમ શિક્ષણના સાધન તરીકે ખીલવવાની અને વિસ્તારવાની અગત્ય છે. થડા દિવસ પર
૧૩
Page #23
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. જે
⟨Saturday Review of Literature' માં સિનેમા જોનારાની સંખ્યા યુનાઇટેડ સ્ટેટ્સમાં દર અઠવાડિયે સાત કરેાડથી વધુની નેાંધી હતી. આપણે અહિં પણ સિનેમા લોકપ્રિય નિવડતા જાય છે અને તેને લાભ લેનારા પણ વધતા જાય છે. આ વિષે અગ્રલેખ લખતાં “Evening News'' પત્રના તંત્રીએ જે અભિપ્રાય દર્શાવ્યા હતા તે ઉતારવા વાજી થઇ પડશેઃ—
"The Cinema has a mission in India second to that of the Press. As an instrument for the education of the rural population it has an important part to play. It is therefore necessary that film producers should work with this end in view, determined to increase the significance of their contribution to national life. "*
હળવું સાહિત્ય કરતાં પણ વધુ સંખ્યામાં જ્ઞાતિપત્રા છપાય છે. તેની કુલ સંખ્યા ૩૬ છે. તેમાં એક અઠવાડિક, એ પખવાડિક, એ દ્વિમાસિક, ત્રણ ત્રૈમાસિક અને અઠ્ઠાવીશ માસિક છે.
જ્યાં જ્ઞાતિની ભાવના નિર્મૂળ કરવાને પ્રયત્ન થાય છે, ત્યાં આ પ્રકારની જ્ઞાતિની સકુચિત પ્રવૃત્તિ આદરણીય નજ થાય. જ્યાં સમાનતા અને સ્વાતંત્ર્ય મેળવવા માટે તજવીજ થતી હોય ત્યાં વાડા, એકડા અને અને ધોળને તિલાંજલિ જ આપવી વાસ્તવિક થઈ પડે. ચાર વર્ણ ની યેાજના સરલ અને સમજાય એવી છે; તે પછી જે કૃત્રિમ બંધના ઉભાં કરવામાં આવ્યાં છે તે છેદે જ છૂટકા છે.
જે જ્ઞાતિપત્રા પ્રસિદ્ધ થાય છે તે બહુધા નાનાધક હોય છે; અને જે કોઇ જ્ઞાતિપત્ર તેના જ્ઞાતિ સુધારણાના અને જ્ઞાતિહિતના પ્રશ્નો ચર્ચો છે. સમગ્ર એક વર્ણના સંગઠ્ઠન અને ઐય માટે જે કાંઇ પ્રયાસ થતા હાય તા તેનું પરિણામ નહિ જેવું જ જણાયું છે. આ જ્ઞાતિપત્રે તેમના જ્ઞાતિ કુંડાળામાં કેવી અસર પેદા કરે છે, તે જાણવાને કોઇ સાધન નથી. એ તા જ્ઞાતિપત્રાના તંત્રીએ તેમના સ્વાનુભવ જાહેર કરે ત્યારે ખરી હકીકત બહાર આવે. હું એક જ્ઞાતિપત્ર વિષે કહી શકું એમ છું; અને
* Evening News of India. ~Page 8.
૧૪
Page #24
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સામયિક પ.
કેશવલાલ હ. શેઠના જ્ઞાતિમાં કેળવણીના એકઠું કર્યું છે અને
તે આપણા જાણીતા કવિ અને સમ લેખક શ્રીયુત તંત્રીપદ હેઠળ નિકળતું “ખડાયતામિત્ર”. એ જ્ઞાતિએ પ્રચારાર્થે એક લાખથી વધુ રૂપિયાનું કેળવણી કુંડ હમણાંજ સ્ત્રી કેળવણીના પ્રચાર માટે ઝુ ંબેશ ઉઠાવી છે. એ વિષયમાં શ્રીયુત કેશવલાલ શેઠની કલમ કમાલ કામ કરે છે; અને એ કામે જ્ઞાતિ ઉકતું જે નિદાન શોધી કાઢ્યું છે તે સાચુ છે. જ્ઞાતિ વા પ્રજાના તેની કેળવણીમાં રહ્યા છે અને એ માગે જે કાષ્ઠ વ્યકિત વા સમૂહ વિચરશે તેનું શ્રેય થશે, એ નિર્વિવાદ વાત છે.
ક
વાસ્તે જ્ઞાતિપત્રા જ્ઞાતિમાં કેળવણી પ્રચાર અને વિસ્તાર અર્થ, કેળવણીનાં કુંડા સ્થાપવા પ્રયત્ન કરે, એજ હિતાવહ થશે.
તેના પુરાવામાં વા સમર્થનમાં જૈન અને પારસી કામેાના દાખલા આપી શકાય. એ કામેાનું બંધારણ એવા પ્રકારનું ઘડાયલું છે કે સમસ્ત કામના હિત અને અભ્યુદય અર્થે સામાન્ય સાર્વજનિક ક્ઢાની યેાજના અને વ્યવસ્થા હેાય છે. પારસી પંચાયત ફ્રેંડ માતબર છે, એવું આણુ જી કલ્યાણજીની પેઢીનું કુંડ જૈન સમસ્ત માટે ખુલ્લું છે. કામની ઉન્નત અર્થે ઇચ્છે એવા કાર્ય ઉપાડી લઈ શકે એવા તેઓ શક્તિશાળી અને સાધન સંપન્ન છે.
પણ આપણે જુદે માર્ગે જઇ ચઢયા.
જૈન કામ અને જૈન ધર્મને લગતાં ચાર અટવાડિક અને ચાર માસિકા નીકળે છે; તેમાં જૈન ધર્મ, ઇતિહાસ અને તત્ત્વજ્ઞાનનાં પ્રશ્નોને મુખ્યત્વે સ્થાન અપાય છે; પણ તેની સાથે સાંસારિક પ્રશ્નાને વિસરવામાં આવતા નથી. તે કેામ જેવી સંપત્તિવાળી તેવી પ્રગતિમાન છે.
ગુજરાતની બધી કામેામાં પારસી જાતિ આગળ પડતી અને આગળ વધેલી જીવનના સ ક્ષેત્રામાં માલુમ પડશે.ગુજરાતી પત્રાના આરંભ એમનાથી જ થયા હતા; અને ઘણાં વર્ષો સુધી મુંબાઇનાં દૈનિક પત્રાને સ` વિહુવટ અને કબજો એમના હસ્તક હતા, આજે એ સ્થિતિ સહેજ બદલાઇ ગઇ છે; પણ જીવનના ગમે તે ક્ષેત્રમાં જુએ, એમનું સાહસ, એમનું બુદ્ધિકૌશલ્ય, એમની વિદ્વત્તા અને કાર્ય દક્ષતા, એમની ગૃહસ્થા અને ઉદાર દિલની સખાવત સૌ કાઇનું ધ્યાન ખેંચશે અને એમના માટે માન પેદા કરશે.
૧૫
Page #25
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર, પુ. ૪
થી
૩ાિ .
કોમની દૃષ્ટિએ જોતું હોય એવું એમનું એકજ પત્ર છે, જેની શતાબ્દી ગયે વર્ષે ઉજવાઇ હતી, તે “જામે જમશેદ”; નહિ તે બીજા બધાં પત્ર સર્વસામાન્ય હોય છે અને તેમાં કેમ ભેદ કવચિત જોવામાં આવે છે. હળવું સાહિત્ય પૂરું પાડવામાં એમનો હિસ્સો નહાનોસુનો નથી, હિન્દી પંચે વર્ષો સુધી રમુજી ચિત્ર અને કટાક્ષ ચિત્રો રજુ કરીને પ્રજાને આનંદ આપ્યો હતો. “ગપસપ” પણ આજે જ્ઞાન સાથે છેડી ગમ્મત આપતું નથી; અને એમના “પુરસદ ” અને “નવરાસ” માસિકે તે વાર્તા રસિકેના માનીતા પત્રો હતાં, જેની ફાઇલો મેળવવા શેખીને મહીં માગ્યા દામ આપતા હતા. એવું બહુ થોડા ગુજરાતી માસિક માટે કહી શકાશે.
સન ૧૯૨૦ પહેલાં બાલ સાહિત્ય સમૂળગું નહોતું; તે પછી માસિકોની વાત જ શી ? આજે બાળક માટે આઠ માસિક નિકળે છે; તે સિવાય ત્રણે સ્ત્રમાસિક તેના અંકમાં બાળ વિભાગ જાદો આપે છે.
સ્ત્રીબોધ” બહુ જુનું અને જામેલું સ્ત્રી માસિક છે; અને તેના નામ પ્રમાણે તે જ્ઞાનબોધક છે. “ગુણસુંદરી” નવીન સ્ત્રીજીવનને બંધ બેસતું અને સ્ત્રીજીવનના ગુણોને વ્યકત કરે છે; જ્યારે “સ્ત્રી શકિત” અઠવાડિક આજની નવયુવતિઓની શકિતનું માપ કાઢે છે; અને તે સર્વે સાધન અને સંજોગાનુસાર ગુજરાતી સમાજની સુંદર સેવા કરે છે, એમ જણાવતા આનંદ થાય છે.
મજુર વર્ગનું હિત સાચવતા ત્રણ પત્રો જોવામાં આવે છે; તેમાં જાણીતું અને સાધનસંપન્ન અમદાવાદ મજુર ઓફીસ તરફથી પ્રગટ થતું “મજુર સંદેશ” છે અને તે સંસ્થાની સઘળી પ્રવૃત્તિઓ પેઠે મજુરના સંગઠ્ઠન, ઐક્ય અને હિત સાધવામાં એ પત્રને ફાળે હોટે છે. “લાલ મીલ” અને “બેકાર” એ નામનાં પત્રે હમણાં જ બહાર પડવા માંડ્યાં છે; એટલે તેનું પરિણામ એક્કસ રીતે જાણવાને સમય જોઈએ.
હરિજનને પ્રશ્ન આજે હિન્દુ જનતાને મુંઝવી રહ્યો છે. હરિજન ન્યાય માગી રહ્યા છે. મનુષ્ય તરીકેના તેઓ હક્ક મેળવવા ઇચ્છે છે. સમાનતા અને સ્વાતંત્ર્ય માટે આપણે હિન્દી જ લડી રહ્યા છીએ તે પછી એમને કેવી રીતે એ હક્કની ના પાડી શકીએ એ સમજાતું નથી.
મહાત્માજીના “હરિજન” અઠવાડિકની એમાંના લેખેને લીધે આતુ
દ
Page #26
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સામયિક પત્ર
રતાપૂર્વક રાહ જોવાય છે. ગાંધીજીના, મહાદેવભાઈ અને કાકાસાહેબ કાલેલકરના એ વિષય પરના તેમ એમના અન્ય લેખો વાંચવાનો લાભ મળવો એ પણ એક જીવનની લિજજત છે. એવું ઉંચી કોટિનું, જીવનને સ્પર્શતું અને જીવનને પ્રબોધતું ને પ્રેરક તે લખાણ સામાન્યતઃ હોય છે.
છતાં હરિજનોના આર્થિક, કેળવણી વિષયક અને સામાજિક પ્રશ્નો ચર્ચવા અને તેમના સારૂ રચનાત્મક કાર્યો ઉપાડી લેવા અને તે વિષે પ્રચાર કાર્ય થવા વધુ પત્રેની આવશ્યકતા લાગે છે.
આ પ્રશ્નને અંગે આપણા હિન્દુ ધર્મનો પ્રશ્ન આપણી આંખ સમીપ આવી ઉભું રહે છે. હરિજનના ઉદ્ધારથી હિન્દુ ધર્મને કશી હાનિ પહોંચવાની નથી; ઉલટું હરિજને જેએ પિતાને હિન્દુ કહેવડાવવાને માન અને ધર્મ સમજે છે, તેમની ગણના હિન્દુ સમાજમાં કાયમ રહેતાં, આપણા હિન્દુઓનું સંગઠ્ઠન મજબુત થશે, એ નિઃસંદેહ છે.
હિન્દુ તરીકે આપણે આપણા ધર્મ વિષે ભાગ્યે જ સ્વતંત્રપણે અને તટસ્થતાથી વિચાર કરતા હોઈશું.આ વિષયને ચર્ચતા પત્રોની સંખ્યા ૧૫ની નોંધાયેલી છે પરંતુ તેમાંનાં ઘણુંખરાં પ સાંપ્રદાયિક છે; અને તેમાં મૌલિક વિચાર, વિવેચન કે ચિંતન જેવું જવલ્લેજ જોવામાં આવશે. ખરે, તેનો અભાવ છે એમ કહેવું ખોટું નથી. તેની સરખામણીમાં ઈગ્રેજીમાં પ્રસિદ્ધ થતાં ધર્મચિંતન, તત્ત્વજ્ઞાન, નીતિશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને ધર્મગ્રંથના ઐતિહાસિક તુલનાત્મક પદ્ધતિએ થતાં નિરૂપણ અને અન્વેષણના લેખો, ત્યાંના અગ્રગણ્ય ત્રમાસિક-હિબર્ટ જર્નલ, ફિલોસોફિકલ રિવ્યુ વગેરેમાં વાંચવામાં આવે છે ત્યારે મનને ખેદ થાય છે કે એમાંને શતાંશ જેટલા વાચનનો લાભ પણ ગુજરાતી વાંચનારી જનતાને મળતો નથી; એટલે અંશે તેના આત્મવિકાસમાં બહારનાં સાધન અને મદદની તેને ઉણપ રહે છે, એમ મનને ખેદ થયા કરે છે.
પ્રિન્સિપાલ આનન્દશંકર ધ્રુવ કે દી. બા. નર્મદાશંકર મહેતાને, શ્રીયુત નરસિંહરાવ કે મહાત્મા ગાંધીજી કે કાલેલકરનો ધર્મવિષયક એકાદ લેખ વાંચતાં, કેટલો આનંદ થાય છે; આત્માને કેટલી બધી સ્કૂર્તિ મળે છે; એવી પ્રેરણા ઉપરોકત ઇગ્રેજી લેખો વાંચતાં થાય છે, તેમાંનું ગુજરાતી ધર્મમાસિકોમાં કાંઈ પ્રસિદ્ધ થતું નથી એમ સખેદ કહેવું જોઈએ.
અન્ય પ્રાંતોમાં એવી ઉદાસિનતા નજરે પડતી નથી. વેદ, ઉપનિષદ, પુરાણો વિષે બેલતાં આપણે તેનાં ભારોભાર વખાણ કરીએ પણ તે ગ્રંથો ભાગ્યેજ જોવામાં આવ્યાં હોય ! તે પછી વાંચવાની તો વાત કયાં રહી ? તેને પરિચય ગુજરાતી વાચકોને કરાવવામાં આવે તો એ પણ છેડે લાભ ન કહેવાય.
Page #27
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪
થોડા સમય પર મરાઠીમાં મુખ્ય દશ ઉપનિષદોને અનુવાદ ભીડેશાસ્ત્રીએ માસિકરૂપે બહાર પાડ્યું હતું અને તે પ્રયોગ સફળ નિવડે હતા. હમણાં ઔધના જાણીતા કાર્યકર્તા પંડિત સાતવળેકરે ભગવદ્ગીતાનું પ્રકાશન માસિકરૂપે શરું કર્યું છે; અને તેમના હસ્તે સંપ્રાદન થતું “પુરૂષાર્થ” માસિક એવુંજ બીજું ઉપયોગી કાર્ય કરે છે.
હિન્દીમાં “કલ્યાણ” માસિકની સેવા સર્વત્ર પ્રશંસા પામી છે; અને તેના વિશેષાંક આપણા ધર્મવિચારના નિધિરૂપ જણાયા છે.
આવું ઉત્તમ ધાર્મિક વાચન ગુજરાતી પ્રજાને મળતું રહે એવો પ્રબંધ તાકીદે થવો જોઈએ એમ મને લાગે છે.
સામાન્ય સામયિક પત્રોમાં આપણે હવે ગુજરાતી દૈનિકે અને અઠવાડિકનો વિચાર કરીએ.
મુંબાઈમાં પ્રસિદ્ધ થતાં દૈનિક પુષ્કળ અને ઉપયોગી વાચનસામગ્રી પૂરી પાડે છે અને તે માહિતી વિધવિધ પ્રકારની તેમ મનને રંજન કરનારી પણ હોય છે, તેની સાથે દરેક પત્રનું વ્યક્તિત્વ તેના સંપાદનમાં જુદું તરી આવતું જોવામાં આવે છે.
પરંતુ તળ ગુજરાતમાંથી નિકળતા દૈનિક માટે એવું કહી શકાય એમ નથી; પણ તેમની લોકપ્રિયતા જોતાં, તેના સંચાલકે તેની સુધારણાનું કાર્ય ઉપાડી લે તો તેનો પ્રચાર વધવાની સાથે તેની ઉપયોગિતા વધે અને તે વધારે અસરકારક નિવડે.
થોડાક દિવસે પર મુસાફરી કરવાનું પ્રાપ્ત થતાં, મેં જોયું કે હાનાં હાનાં સ્ટેશન પર અમદાવાદનાં દૈનિકપત્રો માટે ચાલુ માગણી થતી હતી, જેને તેને ન્યુઝ એજંટ પહોંચી શકતો ન હતો.
લોકોને નવું અને તાજું વાંચવાની અભિરુચિ ખીલી છે તે અને પાનું સસ્તાપણું-એક પૈસાની કિસ્મત–આ બે તેની ફતેહનાં કારણો છે.
વર્તમાનપત્રના બીજા લાભોની સાથે લેક શિક્ષણમાં તેને ફાળો થોડે નથી; અને આ દૈનિક પત્રોના સંચાલકે જ્ઞાનપ્રચારના ઉદ્દેશથી, યેજનાપૂર્વક અને વ્યવસ્થિત રીતે જનતાના હિતને ઉપયોગી થાય એવી માહિતી અને વાચન આપવાની તજવીજ કરે તે તેની અસર બહોળી થવા પામે અને દેશની સુધારાની પ્રગતિમાં પણ ફેર પડે. - પાનું આવશ્યક અંગ ન્યુઝ-સમાચાર-છે; તેમ છતાં આપણી હિન્દી-ગુજરાતી ન્યુઝ એજન્સી નહિ હોવાથી આપણા દૈનિક પત્રોમાં સ્થાનિક—આપણે પ્રાંતની ખબરે દેશપરદેશની ખબરના પ્રમાણમાં ઓછી
૧૮
Page #28
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સામયિક પત્રો
આવવા પામે છે. ગુજરાતના મોટા વ્હોટા શહેરેની ખબરો સર્વ પ્રકારની નિયમિત રીતે પ્રગટ થતી રહે તો એની અસર કઈક જુદીજ થવા પામે.
કેટલાંક વર્ષો પર એસોસિએટ પ્રેસના અમદાવાદના ખબરપત્રી મી. ચીમનલાલ મોદીએ ગુજરાત ન્યુઝ સર્વિસ સ્થાપવાનું કાર્ય શરૂ કર્યું હતું; પણ પુરતી નાણાંની મદદના અભાવે એ કાર્ય અધવચ્ચે છેડી દેવું પડયું હતું. તે અખતરો ફરી અહિંના દૈનિકપત્રોએ અજમાવવા જેવું મને લાગે છે.
આપણા પત્રોનું રીપેટીંગ સુધરતું જાય છે. તે અહેવાલ જેમ મુદ્દાસર તેમ એકસાઈભર્યો હોય છે; પણ કેટલીક વખત એ વૃત્તાંત એકતરફી આપવાનું, તેને ભચરડી નાંખવાનું વલણ જોવામાં આવે છે, એ દોષથી આપણા પત્રો દૂર રહે એમ સૌ કઈ પરકારિત્વમાં રસ લેનાર ઇચ્છશે. રીપેટ શુદ્ધ, સાચો અને વિશ્વસનીય હોય, એજ આવશ્યક છે. તેમાં તેની મહત્તા રહેલી છે એટલું જ નહિ પણ પત્રકારનું તે એક કર્તવ્ય અને આશય હોવાં જોઈએ.
અઠવાડિક પત્રમાં પણ સારો સુધારે થયેલો જોવામાં આવે છે; તેમાં મુંબાઈ જ આગેવાની લે છે.
દૈનિક પત્રોનો બહોળો પ્રચાર નહતો ત્યારે આ અઠવાડિક પત્ર સાત દિવસની ખબર એકત્રિત કરીને છાપતાં હતાં, એ રીતિ વાસ્તવિક હતી.
પણ અત્યારે દૈનિક પત્રો મોટી સંખ્યામાં બહાર પડે છે અને તેને ખ૫–ઉપાડ પણ ભારે છે. દરરોજના બનાવની તાજી બાતમી પ્રજાને મળી શકે તે માટે ખાસ વધારા કાઢવામાં આવે છે.
આ પરિસ્થિતિમાં આપણું અઠવાડિકોએ તેના સંપાદન વિભાગમાં કેટલાક ફેરફાર કરવો ઘટે છે.
તે બે રીતે કરી શકાય. એક તો સદરહુ અઠવાડિકને ઈગ્રેજી અઠવાડિકો-ઈન્ડિયન સોશિયલ રીફેમર, સ્પેકટેટર, ન્યુ સ્ટેટ્સમેન અને નેશન વગેરેની ધાટીએ અથવા તે ઈગ્લાંડના સન્ડે ટાઈમ્સ, એન્ઝર્વર, માન્ચેસ્ટર ગાર્ડિયનની પદ્ધતિએ, જેમાં માત્ર છેલ્લા દિવસના તાજા સમાચાર જ આપેલા હોય. " તદુપરાંત તેની ઉપયોગિતા અને આકર્ષણ વધારવા સારૂ આપણું અઠવાડિકમાં જુદા જુદા અભ્યાસીઓ અને નિષ્ણાતોના હસ્તે લખાયેલા લેખો, અમુક અમુક વિષય પર નિયમિત રીતે છપાતા રહેવા જોઈએ.
“સાહિત્ય પ્રિય” ની સંજ્ઞા નીચે પ્રજાબંધુમાં સાહિત્ય અવલોકનનું કલમ આવવા માંડયું ત્યારથી સર્વ પત્રએ તેનું અનુકરણ કર્યું છે; અને અઠવાડિકેનું તે અંગ આકર્ષક નિવડયું છે.'
૧૯
Page #29
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪
સિનેમા વિષે પણ એવું એક કલમ કેટલાક દૈનિકપત્રો અને અઠવાડિકમાં જોવામાં આવે છે.
- આમાં ભાર મૂકવાને એ મુદ્દા પર છે કે એ કલમ જે લખાય તે જાણકાર અને અનુભવીથી લખાયેલું હોય, જેનું વ્યક્તિત્વ માલુમ પડી આવે; અને તે એ વિષયમાં રસ લેનારાઓને મદદગાર થાય.
આપણે ઈગ્રેજી દૈનિકમાં જોઈશું તે રમતગમત અને રેસીસ-ઘેડ દેડની સરત પર ખૂબ ધ્યાન અપાય છે; તેવું વ્યાયામ વિષય પર લક્ષ જવું જોઈએ છીએ.
એ વિષયને ચર્ચાતું એકજ “વ્યાયામ” નામનું માસિક બહાર પડે છે; અને તે પણ મરાઠીનું રૂપાન્તર છે.
પ્રજાજીવનની અને રાષ્ટ્રની દષ્ટિએ આપણા પત્રકારો આ વિષયને, તેના જુદા જુદા સ્વરૂપમાં પ્રજા સમક્ષ દરરોજ રજુ કરે, એજ ઈષ્ટ છે.
અક્ષરજ્ઞાન પ્રચારમાં પુસ્તકાલય પ્રવૃત્તિ ઘણી મદદગાર થઈ શકે.
વડોદરા રાજ્ય એ પ્રશ્નને ઉકેલ્યો છે; અને એ પ્રવૃત્તિના કાર્યકર્તાએને, તેની ખીલવણી અર્થે એક મુખપત્રની અગત્ય જણાતાં “પુસ્તકાલય નામનું માસિક કાઢયું.
હમણાંજ કલકત્તામાં મળેલી અખીલ ભારતવર્ષીય પુસ્તકાલય પરિપદે દેશમાં પુસ્તકાલય પ્રવૃત્તિ સ્થાપવા, પુસ્તકાલયોનું સંગઠ્ઠન કરવા, અને તે પુસ્તકાલયો લેકે પકારક થઈ પડે એવી વ્યવસ્થા કરવા બાંગ પોકારી હતી, આ વિષયમાં આપણને ઉદાસીન રહેવું નજ પરવડે.
આપણા પત્રોને પણ એ પ્રવૃત્તિ પિષક થઈ પડશે.
આપણો દેશ ખેતીપ્રધાન છે. વસ્તીને ૭૫ ટકાને આધાર ખેતીની આબાદી પર છે; તેમ છતાં ખેતીવિષયક એકજ માસિક જોવામાં આવે છે. અન્ય દેશોની સરખામણીમાં આપણે એ વિષયને અવગણે છે એ ખરેખર શોચનીય છે.
આપણું પત્રો આ વિષયોને ચર્ચતાં નથી એમ કહેવાને મહારે આશય નથી. મારું કહેવું એ છે કે આપણું પ્રજાજીવનનાં જુદાં જુદાં અંગેની માહિતી આપતાં, એ વિષયને જ વિશેષે કરીને ચર્ચતા, તેની ખીલવણી અને વિસ્તાર અર્થે પ્રયાસ કરતા વિશિષ્ટ પ્રકારનાં માસિક હોવા જરૂરનાં છે.
એ દષ્ટિએ ઉપર જે આપણા સામયિક પાનું વર્ગીકરણ આપ્યું છે તે ઉપયોગી થશે.
તે પરથી સ્પષ્ટ થશે કે આપણે અહિં પત્રકારિત્વને ખીલવાને
Page #30
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સામિયક પા
પુરતા અવકાશ છે; અને જે પત્રા ચાલુ છે તેમાં પણ સુધારાવધારા દાખલ કર્યાંથી, તેને ઉપાડ અને પ્રચાર જરૂર વધશે.
આપણે હવે એ ધંધાના અંગે ઉપસ્થિત થતા કેટલાક પ્રશ્નો તપાસીએ. પ્રથમ તે। . આપણા છાપાંએનું મુદ્રણ કાય સારૂં અને સફાઈબંધ તેમ ઝડપથી કરી શકાય તે માટે છેલ્લી સુધરેલી ઢબનાં, તેનાં ઉપકારક સાધના સહિત, મ્હોટાં મુદ્રણયંત્રા ખરીદ કરવાં જોઈ એ.
અગાઉ એક છાપખાનું ટુંકા ભડાળથી અને એકલે હાથે ચાલી શકતું; પણ અત્યારે હરીફાઇ એટલી બધી વધી પડી છે કે મેટા પાયાપર છાપખાનાનું કામ ઉપાડયા વિના નવી પારસ્થિતિને પહોંચી ન શકાય.
આ પરિસ્થિતિનું પરિણામ એ ઉદ્ભવ્યું છે કે એ આખાય ધંધા મૂડીવાળાના હાથમાં જઇ પડયા છે. જબરજસ્ત યંત્રા ખરીદવામાં પુષ્કળ નાણું જોઇએ છે તેમ પત્રના ચાલુ ખ માટે હાથ પર સારી રકમ ફાજલ રાખવી પડે છે, જે સામાન્ય સ્થિતિના મનુષ્યાથી બની ન શકે.
ધિનેકા એકલા વા એ પાંચ જોડાઇને આ પત્રા ખરીદી લે છે અને તેના એકહથ્થુ કબજો કરે છે; અને પછી પત્રની તેએ જે નીતિ નિતિ કરે તદનુસાર એ પત્રા ચલાવાય છે.
નવી ગોઠવણથી પત્રકારત્વની ખીલવણી સારી થવા પામી છે એ ખરૂં, પણ પત્રકારિત્વના સ્વાતંત્ર્ય પર તેથી તરાપ પડી છે, એની ના પાડી શકાશે નહિ.
તંત્રી મંડળ એક રીતે એ મૂડીવાળી સિન્ડીકેટનુ વાજિંત્ર થઈ પડે છે, એમ કહેવામાં કાંઇ ખાટું નથી; અને એ સ્થિતિ હાલતુરત અનિવાય છે. આપણા પત્રકારિત્વને મુંઝવતા ખીજો પ્રશ્ન લેખકના પારિતાષિકના છે. ઈંગ્રેજી છાપાંઓ તેના લેખકેાને સારી રીતે પૈસા આપે છે, તેનુ જોઈ ને આપણા લેખકો પણ તેમના લખાણના પૈસા મળવા માગણી કરે છે અને તે માગણી વાસ્તવિક અને વાજખી છે.
ગુજરાતી પત્રાને આપણે ખીલવવાજ ઇચ્છતા હેાઇએ તે લેખકોને જેમ પત્રમાં કામ કરનારા અન્યને પૈસા અપાય છે, તેમ યેાગ્ય પારિતાષિક આપવું જ જોઇએ અને એક સિદ્ધાંત તરીકે તે સ્વીકારાવું જોઇએ. એ વાત ખરી છે કે આપણે અહિં જ્ઞાનને પવિત્ર માનવામાં આવ્યું છે; અને તેનું નાણાંમાં કદી મૂલ્ય થયું નથી; એવી માન્યતાથી મહાત્માજી એમના લેખા છાપવાને સને છૂટ બક્ષે છે.
વળી આપણા પદ્માની આર્થિક સ્થિતિ સારી નથી એવી દલીલ
૨૧.
Page #31
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪
કરવામાં આવે છે; પણ તે દલીલો અત્યારના બદલાઈ ગયેલા સંજોગોમાં વાજબી નથી. હાલ તે દરેકે દરેક વસ્તુનું મૂલ્ય અંકાય છે. સોલિસિટર એક પત્રના વાચન માટે ફી ચાર્જ કરે છે; ડોકટર સલાહ આપવાની ફી લે છે–જ્યાં ત્યાં નાણું, નાણું એજ શબ્દ સાંભળવામાં આવે છે; તે પછી લેખક, ઘરના કાગળ અને સાહી વાપરી, તે પાછળ તેને કિમતી સમય આપી અને માનસિક શ્રમ ઉઠાવી લેખ લખી મોકલે, તેનો કોઈ પ્રકારે બદલો મળવો જોઈએ. તે બદલે પછી નાણાંમાં હોય, પુસ્તકરૂપે હોય, ભેટરૂપે હોય કે પત્રની નકલમાં હોય. તેની સમજુતિ લેખક અને પત્રકાર ઉભય કરી લે.
મને લાગે છે કે આવું કઈ ધોરણ આપણા પત્રકારોએ આજે નહિ તે નજદિકમાં અવશ્ય ગ્રહણ કરવું પડશે.
વકીલ અને ડોકટરના ધંધામાં બુદ્ધિશાળી અને બાહોશ મનુષ્યો મોટી સંખ્યામાં ખેંચાઈને પડે છે તેમ પત્રકારના ધંધામાં જોવામાં આવતું નથી, તેનું કારણ એ છે કે એમાં ધનપ્રાપ્તિ બહુ થડી હોય છે અને મળતરના પ્રમાણમાં કામનું દબાણ પુષ્કળ રહે છે.
પત્રકારને ધંધે દેખીતે જેટલો ઉજળો છે તેટલો તેમાં કામ કરનારાઓને અન્ય રીતે નિવારે છે. એક પત્રકારને ઘડીને જંપ હોત નથી. તેનું સંપાદન કામ કરનારને અને તેના મુદ્રકને રોવીસે કલાક સાવધ રહેવું પડે છે. તેના તંત્રીને એક દિવસની વિશ્રાન્તિ મળતી નથી. કામ, કામ અને કામ, રાતને દિવસ માનસિક શ્રમનું કામ એ લેકને હોય છે; તેથી ઘણાનું આરોગ્ય કથળી જાય છે અને તેઓ અકાળે વૃદ્ધત્વને પામે છે.
એ ધંધાની જવાબદારી અને શિષ્ટ બહુ સખ્ત હોય છે, તેમાંય કાયદાની ચુંગાલ તેમને સદા ચિંતાગ્રસ્ત રાખે છે.
પત્રના સ્વાતંત્ર્યને એ છાપખાનાને કાયદો નડતરરૂપ છે. તેના વિકાસમાં તે અંતરાયરૂપ થાય છે. હું તે વિષે કશું કહું તેના કરતાં હમણાંજ પત્ર કારિત્વના સ્વાતંત્ર્ય વિષે વ્યાખ્યાન આપતાં, ઈગ્લાંડના જાણીતા અને અગ્રગણ્ય દૈનિક માન્ચેસ્ટર ગાર્ડિયનના તંત્રીએ હિન્દમાં પ્રગટ થતા દેશી પત્રો પરના અંકુશ વિષે જે ઉદ્ગાર કાઢયા હતા તે ઉતારવા પ્રસંગોચિત થશે“In India at this day the Vernacular Press was subject to restrictions and prosecutions comparable with those of over a hundred years ago." + $ Manchester Guardian Weekly, 25th August 1933,
૨૨
Page #32
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સામયિક પત્રો
આપણું પત્રકારોની આવી વિષમ અને મુશ્કેલીભરી સ્થિતિ હોવા છતાં શરમની વાત તો એ છે કે આ પત્રકારોમાં કોઈ પ્રકારનું સંગઢન નથી. જે એમનું સંઘબળ જામે તે એમના વિકાસમાં તેમ આર્થિક અસ્પૃદયમાં ઘણે ફેર પડે.
આ યુગ સંઘયુગનો છે. પાશ્ચાત્ય દેશમાં પત્રકારિત્વ બહોળું ખીલેલું છે; તો પણ ત્યાં પત્રકારોનાં મંડળ અને સંઘે છે. તેમના હકનું અને હિતનું એ સંસ્થાઓ રક્ષણ કરે છે; એટલું જ નહિ પરંતુ એમને કોઈ સભ્ય માંદગીને લઈને કોઈ અકસ્માતથી યા વ્યાધિથી મુશ્કેલીમાં આવી પડે તે તેને મદદ કરવા સારૂ એક ફંડ પણ સ્થાપવામાં આવેલું છે. એ ફંડ વધતું રહે તે સારૂ પ્રતિ વર્ષે જાણીતા અને મુખ્ય લેખકોને સાથ અને સહકાર પ્રાપ્ત કરી, એક પ્રકાશન કાઢવામાં આવે છે, જેને નફે સદરહુ ફંડના લાભાર્થે જાય છે.
સન ૧૯૨૪-૨૫ માં ગુજરાત પત્રકાર મંડળે આ પ્રકારે આપણા પત્રકારને આર્થિક સહાયતા આપવાનું અનુકૂળ થઈ પડે એ આશયથી “લેખક મિત્ર” નામનું એક પુસ્તક દર વર્ષે કાઢવાનો નિર્ણય કર્યો હત; અને તે દિશામાં પ્રયત્ન કરવામાં આવે એવામાં અમદાવાદની સાહિત્યત્તિજક સભા તરફથી “વિણ” નામક વાર્ષિક પુસ્તક પ્રસિદ્ધ થતાં, એ વિચાર પડતો મૂકાયો હતે.
આપણે દેશી પત્રકારિત્વમાં નડતી મુશ્કેલીઓ, તેના વિકાસમાં આવતા * સરખાવોઃ
"There was in England an institution called the Newspaper Fund. Grants for the relief of distress arising from sickness, unemployment and other causes, for the maintainance of widows and orphans and for education amounted to $ 21,288 during the 1982..........In India, there was greater need for the recognition of the dire want that prevailed among those connected with the Press and their dependents.”
[ The Press in India, Address at Mysore journalists' meeting by Dr. C. V. Raman. – The Hindu, 18th September 33 ]
૨૩
Page #33
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪
અંતરાયે, તેની અપૂર્ણતાઓ, તેના વહિવટની ખામીઓ, એ બધું ઉપલક રીતે જોઈ ગયા. આપણે જાણીએ છીએ કે વિદ્યુત વેગથી આજે પત્રકારિવ ગાત કરી રહ્યું છે; અને જનસમુદાયના માનસ પર તે પ્રબળ છાપ પાડે છે; એટલું જ નહિ પણ તે છાપ વિચારની એકરૂપતા લાવે છે. (Mass Production) એક સામટે અને બહોળો જથાની ઉત્પત્તિના જે લાભ ગેરલાભ હોય છે તે એમાં રહેલા છે. પણ એ પ્રશ્નની ચર્ચામાં આપણે નહિ જઈએ.
પણ આપણા છાપાંએ, જે સ્થાન પૂર્વે આપણે શાસ્ત્રોનું, સંસ્કૃત ગ્રંથનું હતું તે પ્રાપ્ત કર્યું છે. પત્રમાં આવેલી ખબર પ્રમાણભૂત મનાય છે. તેના સત્યાસત્યની પરીક્ષા કરનારા થડા હોય છે.
આવા જબરજસ્ત શસ્ત્ર-સાધનને ઉપયોગ અને વહિવટ પ્રામાણિક, સત્યપ્રિય, બુદ્ધિશાળી અને સમર્થ દુરદેશવાળી, દુનિયાના અનુભવી અને કસાયેલા કલમબાજના હાથમાં હોય એમ સૌ કોઈ ઈચ્છશે.
લેખનવાચનના શોખથી અને સેવાભાવી નવયુવકે એ ધંધા પ્રતિ ખેંચાય છે; નામ અને કીર્તિનાં પ્રલોભને પણ થોડાં નથી.
આમ તેની જનસેવા કરવાની શક્તિ અમાપ છે તેમ તેને દુ૫યોગ પણ સહેલાઈથી થઈ શકે છે.
વાતે તેનું તંત્ર ગ્ય, સંસ્કારી અને સુશિક્ષિત વર્ગના હાથમાં જાય એ આવશ્યક છે; અને એવા મનુષ્યો, પૈસા ખાતર નહિ તો પત્રકારિત્વની પ્રીતિ અને તેની પ્રતિષ્ઠા ખાતર, તે દ્વારા થતી જનસેવા ખાતર એ ધંધામાં જોડાય એમ આપણે વાંછીશું.
તે પૂર્વે પત્રકારોનું સંગઠ્ઠન થાય, તેમનું સંઘબળ જામે અને તેમના હક્ક ને હિતના સંરક્ષણ અને સંવર્ધન અર્થે એક ગુજરાતી પત્રમંડળ સ્થપાય એવી શુભેચ્છા સાથે હું વિરમું છું. એ મંડળ દ્વારા પત્રકારિત્વને લગતાં અનેક પ્રશ્નો વિચારી તેમ ચર્ચા શકાશે; અને એક વ્યક્તિ, પછી તે ગમે તેટલી મોટી અને પ્રતિષ્ટાલબ્ધ અને સાધનસંપન્ન હશે તે એક સંસ્થાની પ્રતિષ્ઠા, લાગવગ અને માનની તોલે આવી નહિ શકે. યંત્ર કરતાં મનુષ્ય મહટે છે; અને એક વ્યક્તિ કરતાં એક સંસ્થા-સમાજ મહોટે છે. એવું એકાદ ગુજરાતી પત્રકાર મંડળ અસ્તિત્વમાં આવશે તે આ મારા લેખ પાછળ લીધેલે શ્રમ સફળ થયેલો હું સમજીશ. અમદાવાદ,
- હીરાલાલ ત્રિ, પારેખ તા. ૨૩-૯-૧૯૩૩
૨૪
Page #34
--------------------------------------------------------------------------
________________
પુસ્તકોની વર્ગીકૃત યાદી
(સન ૧૯૩૩) ઈતિ હા સ
પુસ્તકનું નામ,
લેખકે વા પ્રકાશક, કિસ્મત. અમેરિકાનાં સંયુક્ત રાજ્યો ચિમનલાલ મગનલાલ ડોકટર | ૧–૮–૦ કનકાભિષકને ઈતિહાસ લલુભાઈ છગનલાલ દેસાઈ | ૦––૦ તપોધન તત્વપ્રકાશ
ગીરજાશંકર નરભેરામ ૦–૧૨–૦ પ્રાચીન જગત
મૂળશંકર સોમનાથ ભટ્ટ ૦–૧૨–૦ હિંદુસ્તાનને પ્રાચીન ઈતિહાસ | છોટાલાલ બાલકૃષ્ણ પુરાણી | ૧–૦–૦
રાજકારણ
E
૦
૦
આખરી ફેંસલે, ભા. ૩ જે નટવરલાલ માણેકલાલ દવે | ૩–૯–૦ કાઠિયાવાડની કાળરાત્રિ
સામળદાસ લક્ષ્મીદાસ ગાંધી | ૦–૬–૦ કાઠિયાવાડ પ્રજાસંગઠન ક્રાન્તિને પંથે સ્પેન
મહાશંકર ઈન્દ્રજી દવે ગેળમેજીમાં ગાંધીજી
નટવરલાલ માણેકલાલ દવે | ૦–૧૨–૦ જગતની રાજનીતિ અને હિંદ | વિઠ્ઠલદાસ કાનજી ભૂતા , તરૂણ ભારત જગજીવન કપૂરચંદ ધોળકિયા |
૧–૧૨–૦ મધ્ય એશિયામાં બે શેવિક મહાશંકર ઇંદ્રજી દવે હિંદ સ્વરાજને દાવો
એસ. વી. પેરૂલકર હિંદને હુંકાર
ભદ્રશંકર મંછારામ ભટ્ટ | ૦–૧૪–૯
૦
૦
૦.
Page #35
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪
જીવનચરિત્ર
o.
o
આઈન્સ્ટાઈન
કાન્તિલાલ છગનલાલ પંડયા | ૦–૬–૦ અમર મહાજન (આ. બીજી) | કકલભાઈ કોઠારી
૦–૧૨–૦ એડીસનનું જીવનચરિત્ર ' | ગુરૂનાથ પ્રભાકર ઍગલે ૨–૦૦ કેસરકૃતિ ભા. ૧ - કેસરબાઈ વલ્લભ ઠક્કર ૦–૮–૦
૦–૧૦–૦ શ્રી ચંદ્રકુમાર ચરિત્ર–ભા. ૧ લો | જૈન સસ્તી વાંચનમાળા- ૧–૪–૦
પાલીતાણા
૧–૮–૦ નર્મદાશંકર ચુમ્બકરામ ભટ્ટ
,
ભા. ૨.
જગદ્ગુરૂ શ્રી શ8 ભા. ૨ જે
જૈન સતી રત્ન-સચિત્ર જૈન સસ્તી વાંચનમાળા- ૧–૪–૦
- ભાવનગર ડી વેલેરા
શ્રી “ભારદ્વાજ”
૦ –૬ –૦ દાનેશ્વરી કર્ણ મહાશંકર પાઠક
૦ –૮ –૦ શેઠ દ્વારકાદાસ ત્રિભોવનદાસની કેશવલાલ ભિખાભાઈ
જીવનરેખા નરસિંહ મહેતા
જયસુખરાય વિ. પુરૂષોત્તમરાય | ૦–૧૧–૦
જોષીપુરા મહાત્મા ગાંધી
કેશવ સદાશિવ કેળકર ૦––૦ વિજયધર્મસૂરિ–સ્વર્ગવાસ પછી | મુનિરાજશ્રી વિદ્યાવિજયજી ૨ –૮ –૦ સર વિઠ્ઠલદાસ દામોદરદાસ કલ્યાણરાય નથુભાઈ જોષી
ઠાકરસી સંત અને
અનંતપ્રસાદ પ્ર. પટ્ટણી હજરત મુહમદ
ઈમામ અબદુલકાદર બાવઝીર | ૦–૬–૦
૨–૮–૦
Page #36
--------------------------------------------------------------------------
________________
પુસ્તકની વર્ગીકૃત યાદી
કવિતા
૦
અનુભવબિંદુ
દી. બા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ ૦–૧–૦ અધ્યાત્મ રામાયણ (પ્રીતમકૃત) | હરગોવિંદદાસ કા. કાંટાવાળા |
૨–૦-૦ અખાકૃત કાવ્ય, ભા. ૨ | “સાગર”
૧–૦-૦ અમરવચન સુધા ગિરિધર શર્મા
૦૪-૦ આનંદ મહોદધિ
વૈદ્ય રાઘવજી શર્મા કબીર સુધા કબીરનાં આધ્યાત્મિક પદો. વાડીલાલ મોતીલાલ શાહ ૧–૪–૦
(આ. ૩જી) કાવ્યસરણીઃ પ્રથમ પગથિયું ઉમેદભાઈ ર. પટેલ
૦ –૩–૦ કાબ કુંજ, પુષ્પ ૧
મુસ્લિમ ગુજરાત સાહિત્ય
મંડળ-રાંદેર પુષ્પ ૨, ૩
૦–૨–૬ કીર્તન સંગ્રહ
મંગળદાસ ચતુર્ભુજજ કવિરાજ ... કીર્તન મંજરી
શ્રેયઃ સાધક અધિકારી મંડળ | ૦–૬–૦ કૃષ્ણાશ્રય
દ્વિવેદી નટવરપ્રસાદ મણિશંકર
ચન્દ્રકાન્ત મંગળજી ઓઝા મનુ હ. દવે (કાવ્યતીર્થ)
૦૩-૦
ગુલબાનું ખરશેદજી
૦–૧૪-૦ રામલાલ ચુનીલાલ મોદી | ૦–૧૨–૦ માધવલાલ ત્રિભુવન રાવળ | ૦ –૪-૦ જમિયતરામ વજેશંકર આચાર્ય ૦–૮–૦ નલિન મણિશંકર ભટ્ટ
૨ -૦-૦
ગજરો ગ્રામ જીવન ગીત પ્રભાકર ગુલબાનું કાવ્યમાળા જાલંધર આખ્યાન તુલસીદાસનું આખ્યાન દીવ્ય સંદેશ નલિની પરાગ પરાગપુષ્પ પનુ કાવ્ય પ્રણય કાવ્યો પ્રાયશ્ચિત્ત પૃથુરાજ રાસા બહુચરા ભક્તિભાવ ભજન ભાવાર્થ પ્રકાશ ભક્તિભોમ, ભા. ૧-૨ ભક્તિદાસ કૃત કીર્તનમાળા મધુ બંસી
o
છે
W
પનુભાઈ જશવંતરાય દેસાઈ | ૨–૦-૦ રમણલાલ નરહરલાલ વકીલ | ૧-૮-૦ વાડીલાલ મોતીલાલ શાહ ભીમરાવ ભોળાનાથ શેખીન–ઉંઝા
૦–૧-૬ ફાજલ પ્રધાન વકીલ
૦૨-૦ મારામ હમારામ
૦-૬-૦
o
છે
જ
| રમણીક કીશનલાલ મહેતા |
–૪–
૩ -
Page #37
--------------------------------------------------------------------------
________________
મુકુલ કાવ્ય સંગ્રહ મંદાકિની
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪
રણછેાડની વાણી રાસસિકા લલિતનાં ખીજાં કાવ્યો
વીરપસલી
શિવમહિમ્ન સ્તોત્રના ગુજરાતી અનુવાદ
સતી મહાદેવી ગરબાવલી
સંયુક્તાખ્યાન હિરગીત અને ખીજા' કાવ્યા જ્ઞાનગંગા દન જ્ઞાનપ્રકાશ (ગોપાલકૃત)
જેઠાલાલ દેવનાથ પડયા જનાર્દન ન્હાનાભાઈ પ્રભાસ્કર
જગુભાઈ મેાહનલાલ રાવળ
જન્મશંકર મહાશંકર બુચ કેશવ હ. શેટ
લાલજી વીરેશ્વર જાતી
હરેરામ બ્રહ્મર્ષિ ગજેન્દ્રશંકર લાલશ કર પંડયા હીરાલાલ ૬. મહેતા હરેરામ બ્રહ્મર્ષિ
હરગોવિંદદાસ દ્વા. કાંટાવાળા
૦-૪-૦
6-7—.
૦-૧૦-૦
૦-૧૨-૦ ૦-૮-૦
01910
-૨-૦
6-7−0 01710
૦-૩-૦
૧-૦-૦
Page #38
--------------------------------------------------------------------------
________________
પુસ્તકોની વર્ગીકૃત યાદી
નવલકથા
o
અરણીયા | કિસનસિંહ ચાવડા
૦ –૬-૦ અપરાધીની
નૌતમકાન્ત જે. સાહિત્યવિલાસી ૧–૮–૦ અર્ધગના અને બીજી વાત ગાંડીવ સાહિત્ય મંદિર ૦––૪-૦ અવશેષ ધૂમકેતુ
૧ –૪-૦ આફલાતુન આશક “નઝમી’
૨ –૦-૦ ઈન્દિરા કિસનસિંહ ચાવડા
૧ –૪–૦ ઇસ્લામ અને તરવાર આપણું ઉબરમાં ઝવેરચંદ મેઘાણી
૦ –૪–૦ એક
વાડીલાલ મોતીલાલ શાહ ૧–૦-૦ એક લાખનું ઇનામ અને બીજી નર્મદાશંકર વ. દ્વિવેદી ૦–૮–૦
વાતો એક ચિત્રકારની આત્મકથા શિવપ્રસાદ પંડિત
૦ –૧-૬ એતિહાસિક કથામંજરી અંબેલાલ નારણજી જોશી ૨ –૮–૦ એલીયા જેશીને અખાડે, જગજીવનદાસ ત્રિકમજી કોઠારી | ૨–૮–૦
ભા. ૨ જે કથાવલિ
વિશ્વનાથ મગનલાલ ભટ્ટ ૧–૪–૦ કલ્પનાના પ્રતિબિંબ ચીનુ શુકલ
૦–૮-૦ કાચાં ફળ
| જેઠાલાલ નારાયણ ત્રિવેદી ૦–૮–૦ કાકી અને બીજી વાત ગાંડીવ સાહિત્ય મંદિર
૦ –૩-૦ કામદારોનું બલિદાન અને કુસુ- | શિવપ્રસાદ લીલાધર પંડિત ૦–૧-૬
મનો ત્યાગ કેટલીક વાતે અને સંસારચિત્રો પ્રાણલાલ કીરપારામ દેસાઈ ૧-૮-૦ ગરીબની ગૃહલક્ષ્મી પીયુષ
૧-૮-૦ ચમત્કારિક યોગ અને પ્રત્યેક | ચોકસી મેહનલાલ દીપચંદ ૧–૪-૦
- બુદ્ધ ચરિત્ર | ગરીબની દુન્યા ચિતાના અંગારા, ખંડ ૨ જે | ઝવેરચંદ મેઘાણી જયન્ત (આ. ૨જી) | રમણલાલ વસંતલાલ દેસાઈ જીવનની ઝાંખી કેશવપ્રસાદ છોટાલાલ દેસાઈ
૨–૦-૦ જીવન દર્દી જૈન સિદ્ધાંતની વાર્તાઓ, પ્રથમ ! જીવણલાલ છગનલાલ સંઘવી ૦-૧૦-૦
ગુછ જૈન સાહિત્યની કથાઓ, ભા. ૧ જીવણલાલ છગનલાલ સંઘવી | ૦ -૫-૦ જ્યોત અને જ્વાળા, દ્વિતીય દર્શન ચુનીલાલ વર્ધમાન શાહ
XVV
૦
૦
૦૪-૦
૨–૦-૦
Page #39
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪
૦
૦
ત અને જવાળા, તૃતીય દર્શન ચુનીલાલ વર્ધમાન શાહ ૦–૧૨–૦ , , ચતુર્થ દર્શન
૦–૧૨–૦ ઝાકળ
રમણલાલ વસંતલાલ દેસાઈ | ૨––૮–૦ ઝુરતું હૃદય
માણેકલાલ ગોવિંદલાલ જોશી ૦–૫-૦ ટેકને ખાતર (પ્રેમચંદજી) શિવશંકર શુકલ
૦ –૩-૦ ઠંડા પહોરની વાતો, ભા. ૧ છગનલાલ વિદ્યારામ રાવળ ૧ –૦-૦ તણખા મંડળ ત્રીજું
ધૂમકેતુ
૧ -૮-૦ દાલચીવડાને દાયરે
ગોકુળદાસ દ્વારકાદાસ રાયચુરા ૧-૮-૦ દિવ્યચક્ષુ
રમણલાલ વસંતલાલ દેસાઈ | ૨–૮–૦ નવલિકા સંગ્રહ, પુ. ૨ જું | રામચંદ્ર દામોદર શુકલ ૨–૦-૦ નવનિધાન (ચટ્ટોપાધ્યાય) કિસનસિંહ ચાવડા
૦ -૬-૦ નો અવતાર, પ્રથમ ખંડ વિશ્વનાથ મગનલાલ ભટ્ટ | ૨-૪-૦ નાશની નોબત
કુમુદલાલ ચુનીલાલ નાણાવટી | ૧-૦-૦ પ્રણય જ્યોતિ કિંવા સાચાં બલિદાન મયારામ વિ. ઠક્કર
૦ –૭-૦ પારસી શુરાતન પાનકી પતિયાં ! ક્યા છેટી છોટી ગુજરાતી પત્ર
બતિયાં ! ! પૂર્ણિમા
રમણલાલ વસંતલાલ દેસાઈ | ૨–૮–૦ બલિદાનની સત્ય ઘટના કિવા મયારામ વિ. ઠક્કર
( દિવ્ય દાંપત્ય પ્રેમ બાલવિધવા કલ્યાણી અથવા ઠક્કર નારાયણ વિસનજી
| | ૩–૯–૦ રાજા કે રાક્ષસ ભલાઈન ભંડાર રતનશા ફરામજી
| ૧-૦-૦ ભભૂકતી વાળા ભારતના વીરોની સત્ય ઘટના | શિવપ્રસાદ લીલાધર પંડિત
-૧-૩ પુનિત ગંગા પ્રેમ ચંદ્રજીની વાતો ભૂતના ભડકા
ધનસુખલાલ કૃષ્ણલાલ મહેતા ( ૧-૧૨-૦ ભૂતકાળના પડછાયા ગુણવંતરાય આચાર્ય
૦-૪-૦ ભેદી નિવાસ
ચુનીલાલ વર્ધમાન શાહ ૩-૮-૦ મયૂખ
ચીમનલાલ ભેગીલાલ ગાંધી | ૦–૧૨–૦ મહાકવિ કાળિદાસની પ્રસાદી | જીવણલાલ અમરશી મહેતા | ૧-૪-૦ મહીપાળ દેવ
ગેકુલદાસ દ્વારકાદાસ રાયચુરા | ૨-૮-૦ મસ્તફકીરનું મુક્ત હાસ્ય “મસ્ત ફકીર”
૩-૦-૦ મસ્તફકીરનો હાસ્યવિલાસ “મસ્ત ફકીર”
૩––૦-૦ રાજકથા
જમુ દાણી
| ૦–૧૦-૦ રાજપુત પ્રેમરહસ્ય ભાલચંદ્ર
૧ –૦-૦ રાજસ્થાનની રાજખટપટ ..
૦
Page #40
--------------------------------------------------------------------------
________________
રંગતરંગ લક્ષ્મીનાં બંધન વર્તમાન યુગના બહારવટીઆ વાર્તાવિહાર વીતક વાતા વીર કથાઓ વિષ્ણુપુરાણની કથાએ
વધ્યા
શિરીષ (આ. ૨ ૭)
પુસ્તકાની વર્ગીકૃત યાદી
શ્રી
શુદ્ધ મન અથવા આદશ માતૃત્વ વિષે શિક્ષણ
સમાજ અંધન
સમયના વ્હેણ સળગતા સંસાર સત્યની શેાધમાં
સામાજિક ટુંકી વાર્તાઓ, ગ્રંથ ૩ો, ભા. મે સીતાનાથ અથવા ગૃહસ્થ સંન્યાસી સેારડી વિભૂતિએ સેરટની સાગરકથાઓ સૌરાષ્ટ્રની પ્રેમકથાએ હાસ્ય દર્શન
હૃદયવાળા
હૃદયમ થન
૧–૪-૦
જ્યેાતીન્દ્ર હ. દવે રમણીકલાલ જયચંદભાઈ દલાલ ૦-૧૨-૦ ઝવેરચંદ મેઘાણી
મટુભાઈ હ. કાંટાવાળા મેાતીલાલ બાપુજી શાહ
ચતુર્ભુજ ભીમજી ત્રિવેદી કાન્તિલાલ મણીલાલ શાહ સીતારામ જે. શર્મા ઝવેરચંદ મેઘાણી સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
મહાશ કર ઇન્દ્રજી વે મનુભાઈ જોધાણી ગુણવતરાય આચાય તારાચદ્ર પોપટલાલ અડાલજા જદુરાય ડી. ખંધડીઆ અંબાલાલ ન. શાહ શિવશંકર પ્રાણશંકર શુકલ
01310
01810
છગનલાલ નારાયણ મેશ્રી રમણલાલ વસન્તલાલ દેસાઈ ૨૧૮-૦ રંગીલદાસ લક્ષ્મીદાસ સુતરીયા રાખેલી એ. વેસ્ટ
19
***
(-0
૨-૮-૦ ૦-૧૨-૦
-૨-૦
.-.-.
૦-૫-૦
૩-૦-૦
૧-૦-૦
૧-૮-૦
૧-૮-૦
૦-૧૦-૦
-૪-૦
૨-૦-૦
૨-૦-૦
૧-૮-૦
૦-૧૦-૦
Page #41
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકારે પુ. ૪
સામાન્ય જ્ઞાન અને નીતિ
આર્ય ધર્મ
વાડીલાલ મોતીલાલ શાહ | ૦-૫-૦ આત્માનંદ ગીતાવલિ લક્ષ્મણરામ કાશીરામ રામી || ૦–૩-૦ આગળ વાંચો આત્મ–જાગૃતિની પ્રાપ્તિ અને મણિલાલ જાદવરાવ ત્રિવેદી A સત્ય સ્વરુપમાં સાક્ષાત્કાર ઈશુ ચરિત
દેસાઈ વાલજી ગોવિન્દજી ૦ –૧–૩ ઓમકાર દર્શન શ્રી હરેરામ બ્રહ્મર્ષિ
૦ –૧-૩ અંતઃકરણ અને અણદીઠ ડો. જહાંગીર ખ. દાજી
મદદગારો કાવ્યમંજરી
વલ્લભદાસ ભગવાનજી ગણાત્રા | ખુદાનામુ, ભા. ૫ મે શે. કં. દેસાઈ
૧ -૮-૦ - ગાંધી વિચારોહન
કિશોરલાલ ઘ. મશરૂવાળા ૦ –૮–૦ ગાંધીજીને અગ્નિપ્રવેશ મણિલાલ ઠાકર
૦૪-૦ ઇન્દુપ્રસાદ ભટ્ટ ગૃહ નીતિ મહાશંકર ઈન્દ્રજી દવે
૦–૧૨–૦ જીવન મઠ આત્માનંદ
૦ –૧-૦ જીવન શિક્ષણ
મણિલાલ જગજીવન દ્વિવેદી ૧ -૮-૦ ત્યાગમાં ભગવત પ્રાપ્તિ ઠકુર હારરાય ભાગ્યચંદ દરેક સ્ત્રી વાંચે
વાસુદેવ વિનાયક જોશી ૦–૩–૦ દીની ધર્મ, શિવાજી ધર્મ અને ડો. જહાંગીર ખરશેદજી દાજી
વેશધારી ધર્મ ધર્મધતીંગ દર્શન
શ્રી હરેરાય બ્રહ્મર્ષિ
૦ -૬-૦ ધર્મ સંસ્થાપન
ચંદ્રશંકર પ્રાણશંકર શુકલ ૦ –૩-૦ નીતિ દર્શન શ્રી હરેરાય બ્રહ્મષિ
૦ –૧–૦ પરલોક-પ્રકાશ (આ, ૩ જી) | હીરાલાલ ત્રંબકલાલ દોશી પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો- પંડિત સુખલાલ પંડિત ૦-૧૨-૦ પૂર્વાર્ધ
બેચરદાસ
(બંને ભાગના) [વર્ષ ત્રીજું] | જૈન યુવક સંધ
૦–૮–૦ પ્રાસંગિક મનન ગિજુભાઈ
૦ –૮–૦ પુષ્ટિપથદર્શિકા
તુલસીદાસ લલ્લુભાઈ શાહ | ૦–૨-૬ બ્રહ્મચર્ય સંબંધી લેખોનો સંગ્રહ | જન ધર્મ પ્રચારક સભા ભગવત મહાવીરના સામાયિક
૦
૦
૦
૦
૦
;
»
» –ઉત્તરાર્ધ
પ્રયોગો ,
Page #42
--------------------------------------------------------------------------
________________
પુસ્તકોની વર્ગીકૃત યાદી
સુરેશ દીક્ષિત
ભાવના શતક શ્રી રત્નચંદ્રજી
૧ -૦-૦ મનુષ્ય ભ્રમણ મહા-વીર-કહેતા હવા. વાડીલાલ મોતીલાલ શાહ ૦ -૫-૦ મહાભારત કથા રાજર્ષિ પ્રિયવ્રત ચરિત, દેશકાલ સનાતન ધર્મ પ્રવર્તક મંડળ ૦૩-૦ વિવરણ અને ધર્મની અગત્ય
ભાવનગર લગ્નને આદર્શ
૦૮-૦ વખાણને મૂળતત્વ, તેને 3. જહાંગીર દાજીભાઈ
શબ્દાર્થ અને અનર્થ વિદ્યાર્થીઓ અને યુવકેને શાન્તિલાલ વનમાળી શેઠ વેદાંત પ્રકાશ મંજરી, ભા. ૧ | શર્મા રાઘવજી માધવજી થી ૪ સાથે આ. ૨)
, ભા. ૫ દિક વ્યાખ્યાનમાલા
ત્રિકમલાલ હરિલાલ આર્યોપદેશક –૪-૦ શત્રુંજયને શ્યામ સન્મતિ પ્રકરણ
સુખલાલ સંઘવી બેચરદાસ | ૧-૮--
દોશી સદુપદેશ શ્રેણી (૧૭) શ્રેયસ્સાધક મંડળ
૦ –૮–૦
૦–૧૦–૦ સાચી રીતભાત (આ અથી) ગોવિંદભાઈ હા. દેસાઈ
૦–૭–૦ સિંહસ્થ મહામ્ય સ્ત્રીઓનું ઐશ્વર્ય અને ખરી | વામનરાવ પ્રાણગોવિંદ પટેલ
દેશ સેવા સ્ત્રી જીવન સુબોધિનીજી
શાસ્ત્રી હરિશંકર કારજી હરિજન સ્તોત્ર
અમૃતલાલ સુંદરજી પઢીઆર –૦-૩ જ્ઞાન સુર્યોદય બૃહદ ગ્રંથ- માણિયલાલ જમનાદાસ ૧–૧૦–૦
ઉત્તરાર્ધ (ભા. ૩જો) |
૦-૪-૦
૨
– ૦-૦
Page #43
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪
ભૂગેળ, સ્થળવણુન–પ્રવાસ
૧ [
૧-
*
આફ્રિકા અને હિન્દુસ્તાનની ભૂગોળ ભાઈલાલ દેસાઈભાઈ પટેલ | ૧-૧ ગાંધીજીની લંડનની યાત્રા કપિલપ્રસાદ એમ દવે દુનિયાની ભૂગોળ
અમૃતલાલ મોહનલાલ પરીખ પ્રભાસ યાત્રા વર્ણન શંભુપ્રસાદ એમ. દેસાઈ
૦–૮–૦ પાવાગઢને પ્રવાસ
શાહ ધીરજલાલ ટોકરશી ૦–૧-૬ પેશાવરથી સ્કે
ગાંડીવ સાહિત્ય મંદિર ૧–૪-૦ મનુષ્ય ભ્રમણ
મધુકુમાર શિવરામ દેસાઈ ૦-૧૨-૦ મહાબળેશ્વર ગાઇડ એન. એમ. દસ્તુર
૦–૧૨–૦ હિમાલયના પુણ્ય પ્રદેશમાં ડુંગરશી ધરમશી સંપટ ૦-૧૨-૦ હિમાલયને સર: પ્રદેશ રતિલાલ મોહનલાલ ત્રિવેદી ૦–૧-૬
આરોગ્ય, વૈદક વગેરે
આરોગ્ય વિજ્ઞાન પ્રવેશપથી { પ્રીતમરાય દેસાઈ
૦ -૬-૦ આરોગ્ય-પત્રિકા
ધી જૈન સેનીટરી એસોસીએ- ...
શનની આરોગ્ય પ્રચારક કમિટી ઓરી, અછબડા અને બળીઆ ' ડૉ. બાલકૃષ્ણ અમરજી પાઠક | ૦–૩– કેટલાક રોગે ભા. ૩ જે ર્ડો. ચંદુલાલ સેવકલાલ દ્વિવેદી ૧-૦-૦૦ ચાલવું એક નૈસર્ગિક વ્યાયામ | તંદુરસ્તી કેમ સચવાય દીર્ધાયુ અર્થે પ્રાણુ સંચય રસાયન સાર સંગ્રહ
જી. કે. ઠાકર
૨–૯–૦ મલ્લ વિદ્યા શાસ્ત્ર વિષતંત્ર
ગજાનન શામરાવ ગોખલે વૈદક સંબંધી વિચારે
સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય સુંદર સંતતિ અને તેનું નિયમન | માણેકલાલ વકીલ
૦–૮–૦ હોમીઓપેથીક વૈદ્યક સાર અને | ડૉ. એમ. કે. પાખંલ દાહોદ ૨–૦-૦
- મટેરિઆ મેડિકા હોમીઓપેથી એટલે શું ! ક્ષયરોગ ચિકિત્સા પદ્ધતિ વૈદ્યશાસ્ત્રી નારાયણશંકર | ૨–૦-૦
દેવશંકર પ્રાણાચાર્ય /
૧–૮–૦
N
*
Page #44
--------------------------------------------------------------------------
________________
પુસ્તકની વર્ગીકૃત યાદી.
કેળવણી
મોન્ટેસોરી પ્રવેશિકા યુરોપના શિક્ષણ સુધારકે હિંદનાં વિદ્યાપીઠ ભા. ૧
શ્રીમતી તારાબેન
[ ૦–૧૨–૦ વિદ્યારામ વસનજી ત્રિવેદી | ૧-૧૨-૦ રતિલાલ મોહનલાલ ત્રિવેદી | ૧૮–૦
શાળેપગી
ગુજરાતી નવી બાળપોથી મણભાઈ મોતીભાઈ અમીન | ૦–૧–૩ ગુજરાતી સાહિત્ય પરિચય. | મંજુલાલ રણછોડલાલ | ૦–૧૦–૦ - પુ. પહેલું
મજમુદાર નવીન બાળપોથી ભા. ૧ મોહનલાલ પ્રભાશંકર ભટ્ટ નવીન બાળપોથી ભા. ૨
૦-૧-૦ નારિક ગદ્યાવલી
૧ –૦-૦ સાહિત્ય મંજરી ગુચ્છ ૩ સાકરલાલ અમૃતલાલ દવે
૧ –૨–૦ સાહિત્ય મુકુર દ્વિતીય વિભાગ ચન્દ્રવદન ચૂનીલાલ શાહ ૦-૧૪-૦ ,, તૃતીય વિભાગ
૧ -૮-૦ સૃષ્ટિ નિરીક્ષણ ભાગ ૧ | લક્ષ્મીદાસ એસ. પટેલ
૦ –૮–૦
Page #45
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪
વિજ્ઞાન
હુન્નરફળા: કલા વિષે પ્રવચને કલા દર્શન ફાટાગ્રાપી (આ. ર૭) મીકેનિકના મદદગાર યાને ટરનર પ્રીટરના ભામીયા
|
મેાતીની ગુંથણમાળા,
સિરિઝ–બીજી
રસમય વાનીએ રેશમ તથા જરીનું ભરતનું પણ અને વેતરવાની કળા શિવણ ભરતગુંથણ અને
વેતરવાની કળા
સ્વાદિષ્ટ વાની સંગ્રહ સ્ત્રીઓની સલાહકાર અને રતી દિકરીની ઉપયેાગી સાથી (આ. ર૭)
છ
અર્થશાસ્ત્ર અર્થશાસ્ત્ર આપણા આર્થિક પ્રશ્ન ઇન્ડિયન ઇન્કમટેક્ષ કાઠિયાવાડમાં કાપડ બનાવવાની
આકાશદર્શન ગૃહવિજ્ઞાન પ્રવેશપાથી
સહકાર મીમાંસા સંગીત પ્રાથમિક સંગીત સેલ્ફ હાર્મોનિયમ ટીચર, ભા. ૧ થી ૫ સાથે (આ. ર૭) સંગીત તાલ માદકે
ખગાળ:
રંજુલાલ જદુનાથ ત્રિવેદી કુમાર કાર્યાલય જનાર્દન યશવંત
ડેાસાભાઇ એક લાંગ્રન
કે, એ, કાલમ્મેવાળા
સૌ. તારામતી જ. એર ઝા સુશિલા દલાલ
સુશિલા દલાલ
નવાજબાઈ ખુરશેદજી પીટર એ. ફરદુનજી મહેતા
સહેલી રીત
પરદેશી કાપડની સામે હરિફાઈ મનમેાહન પુરુષોત્તમ ગાંધી
કેમ કરવી ?
કેશવલાલ હિંમતરામ કામદાર પ્રેા. વાડીઆ ફરામરાઝ આર મર્ચંટ
શ'કર ગણેશ વ્યાસ અમૃતલાલ જેઠાલાલ દવે
...
૧ -૭-૦ ૧–૪-૦
૨-૦-૦
૧-૮-૦
ભાગીલાલ કેશવલાલ પટવા પ્રીતમરાય વૃજરાય દેસાઇ
૧૨
-.
૧-૦-૦
૧-૧૨-૦
૩–૧૨-૦
૨-૮-૦ ૨- 010
કેશવલાલ અંબાલાલ ટેકર ૦-૧૩-૦
૨-૧૨-૦ 01110
૧-૦-૦
–2–.
01110 ૨-૮-૦
-૮-૦ ૦-૮-૦
Page #46
--------------------------------------------------------------------------
________________
–
ભૂસ્તરવિજ્ઞાન–ઉત્તરા બાગાયત: ખેતીવાડી: ખેડુત પચાંગ ગુજરાતને ફૂલબાગ છેડવાનું જીવન ઉભિદ્ શાસ્ત્ર: કુદરતનું અવલાકન
પુસ્તકાની વર્ગીકૃત યાદી
૧૮૭૮) ગુજરાતી સાહિત્ય ઉપર દષ્ટિપાત (સને ૧૯૩૦ તથા ૧૯૩૧) ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૩જીં. સાહિત્ય અને પ્રજાજીવન નિષેધ:
જામે જમશેદ સેન્ટેનરી વાલ્યુમ
પથિકનાં પુષ્પા
પ્રસ્તાવમાળા
સાહિત્ય—નિબંધ
સાહિત્ય:
ગુજરાત વર્નાક્યુલર સોસાઇટીનેા હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ
ઇતિહાસ ( ઇ. સ. ૧૮૪૯ થી
ડાહ્યાભાઇ પીતાંબરદાસ દેરાસરી ૧-૦-૦
ખેતીવાડી ખાતું–વડાદરા મગનલાલ ગુલાબભાઇ દેસાઇ
પ્રાકૃત ભાષાની ઉપયેાગિતા પૂ. શ્રી. ધ પ્રાણુ લક્ષ્મણ શાસ્ત્રી દ્રાવિડ સ્મારક ગ્રન્થ.
માર્તંડ શિવભદ્ર પ`ડયા
ચુનીલાલ વર્ધમાન શાહે
હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ ચન્દ્રવદન ચુનીલાલ શાહ
જામે જમશેદ સેન્ટેનરી વરકીંગ કમીટી '' અંબાલાલ ખા. પુરાણી ન્હાનાલાલ દલપતરામ કવિ ૫. લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી પ્રેા. જયેન્દ્રરાય ભગવાનલાલ
દૂરકાળ.
66
૧૩
૦૨-૦
–7--0
...
૧-૦-૦
૧-૦-૦
...
૧-૦-૦
:
૧-૮-૦ ૨-૪-૦
૨-૦-૦
Page #47
--------------------------------------------------------------------------
________________
આત્માને ઓળખા ઇસ્લામનું ગૌરવ ઈશાવાસ્ય ઉપનિષદ્ ઉપનિષદ્ વિચારણા કેન ઉપનિષદ્ ગીતામેાધ
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪
ધર્મ અને તત્ત્વજ્ઞાન
ગીતા ધર્મ પુસ્તક પહેલું તપેાધન તત્ત્વપ્રકાશ
ધર્મ અને સમાજ, પુ. ૧ ધર્મોપદેશ
ધર્મોની બાલ્યાવસ્થા
પારસી પ્રકાશ, દફ્તર ૪ ભા. પુષ્ટિમાર્ગીપદેશિકા ભા. ૩ બ્રહ્મમીમાંસા જ્યાતિ
બ્રહ્મવિદ્યા ભાગવત પ્રવેશિકા
ઋગ્વેદ સંહિતા, અષ્ટક ૧, વિ. અષ્ટક ૧, વિ.
,,
યુગ સ્મૃતિ વીર શૈવ સંસ્કૃતિ વૈદિક ભક્તિ યોગ શાક્ત સંપ્રદાય
સાધના
હિરજન ભાગવત, ખંડ ૧ હાર દિવિજય હિરગીત ગીતા
ચુનીલાલ મગનલાલ દેસાઇ ૪ આર. બી. પેમાસ્તર
શાસ્ત્રી ચીમનલાલ હિરેશ’કર મગનભાઇ ચતુરભાઇ પટેલ મુગટરામ ગણપતરામ ભટ મૂળશંકર કેશવરામ શાસ્ત્રી મેોતીલાલ રવિશંકર ઘેાડા
૧
રામવિજયજી
આઇ. કે. ખાન
ડા. ભાઈલાલ બાવાજી પટેલ દી. બા. ન દાશંકર દેવશંકર ડા. ભાઇલાલ બાવાજી પટેલ મેાહનદાસ કરમચંદ ગાંધી એ. જી. વારા ઉમિયાશંકર જીવરામ ભટ્ટ સર રમણભાઈ મહીપતરામ રા. બા. ગોવિંદભાઇ હાથીભાઇ ૦-૧૨-૦
૧-૦-૦
૧-૮-૦
૨
૧-૦-૦
૧-૪-૦
૦-૧૦-૦
૧-૦-૦
01§12
૧૪
૦—૧-૩
01§10
૦-૧૨-૦
૧-૮-૦ ૦-૧૨-૦
૫-૦-૦
01110
૦-૧૨-૦
૨-૦-૦
૨-૦-૦
-૪-૦
૦-૧૩-૦
જમિયતરામ વજેશ કર આચાર્ય શંકર ગાવિંદ સાખરપેકર ત્રિકમલાલ હરિલાલ
દી. બા. નર્મદાશંકર દેવશંકર ૧-૮-૦ અંબાલાલ બાલકૃષ્ણ પુરાણી ઈન્દુપ્રસાદ ભટ્ટ માધવલાલ દલસુખરામ કોઠારી ૨-૦-૦ મેહનલાલ મથુરાંદાસ શાહ ર શિલિંગ
૦-૧૨-૦
0-2-0
Page #48
--------------------------------------------------------------------------
________________
ઇન્દુકુમાર અંક ૩ જો. ઉરતંત્ર અને નાટયકલા ઘર દીવડી
ત્રણ નાટકા; વકીલાત, ફાઇબ,
મથુરીએ
નારાયણી અને ખાં નાટકો પ્રતિજ્ઞા
પૂજારિણી અને ડાકઘર પ્રેમની પ્રસાદી ભણેલા ભિખારી રૂપિયાનું ઝાડ
પુસ્તકોની વર્ગીકૃત યાદી
નાટકે
ઇંગ્રેજી—ગુજરાતી ડીક્ષનેરી ગુજરાતી જ્ઞાનકોષ, ખીજો વિભાગ પારિભાષિક—શબ્દકોશ પુરવણી પૌરાણિક કથાકાષ સંસ્કૃત-ગુજરાતી લઘુકોશ આલ સાહિત્ય સવ સગ્રહ
ચિત્ર શતક
AT
ન્હાનાલાલ દલપતરામ કવિ રમણલાલ નહિરલાલ વકીલ યશવંત પડયા ગજેન્દ્રશંકર લાલશ'કર પંડયા
શિવદન મહેતા
રમણીકલાલ જયચંદભાઇ દલાલ નગીનદાસ પારેખ એક કાઠિયાવાડી
ગમનલાલ હીરાલાલ બદામી “સ”
***
૧-૧૨-૦
૧
કાષ—જ્ઞાનકાષ વગેરે રેફરન્સ પુસ્તકા
| કુમાર કાર્યાલય
૧૫
૦-૧-૦
–2–6 −7-0
.0
૦-૧૨-૦
-૮-૦
-૪-૦
૦==૫-૦
–૫-૦
વિઠ્ઠલરાય છે. વ્યાસ શ્રીધર વ્યંકટેશ કેતકર વિશ્વનાથ મગનલાલ ભટ્ટ ડાહ્યાભાઈ પીતામ્બરદાસદેરાસરી ૫—૪-૦ ગણેશ સદાશિવ તળવલકર ગિજુભાઇ
૧-૮-૦ ૦-૧૨-૦
ચિત્ર
11010
...
| ૧–૪-૦
Page #49
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪
પરચુરણું
અર્વાચીન સાર્વજનિક પુસ્તકાલય વિજયરાય કલ્યાણરાય વૈદ્ય | ૨–૦-૦ કાપડ કરવાની સહેલી રીત | રામજી હંસરાજ
| ૦–૦-૩ પ્રાણીઓ પ્રત્યે થતી ક્રૂરતા નિવારક ડાહ્યાભાઈ પી. દેરાસરી મંડળ, અર્ધશતાબ્દિ અંક વડોદરા રાજ્ય પ્રજામિત્ર વકીલ છભાઈ કાનજીભાઈ ૨–૦-૦ સ્કાઉટની પહેલી ચોપડી
| નરહરિ કુરણારામ દેસાઈ ૧ -૮-૦ હિન્દી બાલવીર વિદ્યા
બાલ–સાહિત્ય
m
૦
–૨-૬
૦ ૦
-૯-૦ –૩-૦
આંખ ઉઘાડ
રામજી હંસરાજ ઉંદર દેશ કીર્તિ સ્થાઓ
ઉમિયાશંકર જી. ઠાકર કાનમાં કહું ? ખાટી-મીઠી બાળવાર્તા મનુભાઈ જોધાણી ચતુર બાર્થોલ્ડ
ચન્દ્રશંકર મણિશંકર ભટ્ટ ચતુરે
નાગરદાસ ઇ. પટેલ જ્યોતિ પ્રવાસમાળા: પુષ્પ. ૧ હિમાલયનો સર: પ્રદેશ રતિલાલ મેહનલાલ ત્રિવેદી
–૨ અચલરાજ આબુ | ધીરજલાલ ટોકરશી શાહ –૩ પાવાગઢનો પ્રવાસ –૪ દાર્જીલીંગ
રતિલાલ મોહનલાલ ત્રિવેદી ટચુકડી સો વાત. ભા. ૬ – – –ટન
શ્રીમતી કપિલા માસ્તર ડાહ્યું કે શું?
જે. સી. ચૌધરી ઢેડનો બાળક
જહાંગીર જ. વકીલા
ગિજુભાઈ તિળધ્યા, ગળધ્યા
તારાબહેન દાદાજીની તલવાર
ગિજુભાઈ નવ દીવડા
ભોળાશંકર પ્રેમજી વ્યાસ નવાં વરતે
ગિજુભાઈ પરદેશ વસતા પ્રેમજીભાઈનું પાપી રામજી હંસરાજ
૧૬
૦–૧-૬ ૦ –૧-૬ ૦–૧–૬
૦–૨-૬ ૦ –૩-૦ ૦–૨-૬ ૦–૧-૬ ૦–૧-૬ ૦–૧-૬
૦–૮–૦ ૦–૧-૬
Page #50
--------------------------------------------------------------------------
________________
પર્યટન અને ખાલમાનસ પ્યારા નખી (સલ॰) પ્રાણી પુરાણ ફૂલવાડીઃ ક્યારે પહેલે ફૂલકાર શેઠાણી અને મગળાનાં
દર્શન
બાળકાનાં ગીતા બાળકોનું મહાભારત બાળ નેપોલિયન બાળ વાર્તા
બુલબુલ
મેટરી
ભલી ભરવાડણ ભાન ભૂલ્યા વાણીએ ભાળીયા રાજા
ણિયા મહાભારતનાં પાત્રા: મણકા ૯ મા, ભીષ્મ
""
""
,,
22
૧૦ મેા, ધૃતરાષ્ટ્ર ૧૧ મા, શ્રીકૃષ્ણ ૧૨ મે, મહાભારતકથા
મતિયા રનિયા રામસિંહ રાઠોડ બિન્સન ક્રુઝે વસંત આવી વીર અભિમન્યુ વેને વારા
સતી
પુસ્તકાની વર્ગીકૃત યાદી
ખી. હી. દાકાર “વહશી”
નટવરલાલ વીમાવાળા ધીરજલાલ ટોકરશી શાહ રામજી હંસરાજ
સગાળશા શેઠ અને કેલૈયા કુમાર સ્વદેશીની પ્રતિજ્ઞા
સારી સારી વાતા. ભા. ૩જો
સીતા
સુધન્વા
સૌને વહેંચાવા
હિતાપદેશની વાર્તાઓ, ભા. ૧
ભા. ૨
હીરા માતી
""
રમણલાલ પી. સેાની રમણલાલ નાનાલાલ શાહ ચન્દ્રશંકર મણિશ’કર ભટ્ટ જી. એમ. વૈષ્ણવ દુ ભજી ભ. જોશી
છગનલાલ હરિલાલ પંડયા રામજી હંસરાજ
રમણલાલ નાનાલાલ શાહ મસ્ત ફકીર
નાનાભાઈ
""
""
""
નાગરદાસ ઇ. પટેલ
22
ચન્દ્રશ'કર મણિશ ંકર ભટ્ટ ચન્દ્રશ કર મણિશંકર ભટ્ટ ગિજુભાઇ ચન્દ્રશંકર મણિશંકર ભટ્ટ
રામનારાયણ પાઠક મૂળજી આશારામ ભગત વાડીલાલ મેાતીલાલ શાહ ગિજુભાઈ
રમણલાલ નાનાલાલ શાહ નાજુકલાલ નોંદલાલ ચેાકસી મંજુલાલ રણછેાડલાલ મજમુદાર રામજી હંસરાજ ચન્દ્રશંકર મણિશંકર ભટ્ટ
રમણલાલ નાનાલાલ શાહ
૧૭
૦–૨-૦
૦-૩-૦
01310 -૪-૦
-૭-૦
૦-૫-૦
૦-૧૨-૦
૦-૧૨-૦
૦૩-૦
૦=૨-૬
. ૧-૦
...
૦=૧-૦
૦-૩-૦
૦-૪-૦
૦-૨-૬
૦-૬-૦
૧-૦૦
૦-૩-૦
...
01§10
૧-૪-૦
૦—૧
01§10
—૧-૬
-૬-૦
૦–૨-૦
...
01810
હ
}-૦
==૭
---- 01§10
૦~૨-૬
Page #51
--------------------------------------------------------------------------
________________
સને ૧૯૯ર માં માસિકમાં પ્રસિદ્ધ થયેલા મહત્વના લેખેની સૂચી.
ભાષા-વ્યાકરણ વિષય
કર્તા
ક્યા માસિકમાં ક્યા મહિનામાં આપણું વર્ણમાળા, રા. કેશવલાલ કા. શાસ્ત્રી
વિસન્ત માઘ ઋગ્વદે માં ફારસી, પહેલવી, અને અવસ્તા- | ડૉકટર સોહરાબજી હોરમસજી સંતોક નવરંગ
ઓગસ્ટ ના શબ્દ. યાને “વેદ” રચનાઓના લખાણમાં જરથુસ્તની અસર કેટલાક નાનાર્થી શબ્દની વ્યુત્પત્તિ રા. ચતુરભાઈ પુ. પટેલ
બુદ્ધિપ્રકાશ જાન્યુઆરિ ગુજરાત સાહિત્ય પરિષદ મંડળની જોડણી | રા. કેશવલાલ કા. શાસ્ત્રી
વિસન્ત શ્રાવણ જુની ગુજરાતી ભાષામાં એક ટુંક સમાસશિક્ષા રા. ભોગીલાલ જ. સાંડેસરા
સાહિત્ય હેચ ધાતુને વિકાસક્રમ રા. ચતુરભાઈ પુ. પટેલ
બુદ્ધિપ્રકાશ જુલા–સપ્ટે ભગવઠો મંડળ રા. ચંદુલાલ એ. પટેલ
શારદા જાન્યુઆરિ વડોદરા અને હિન્દી તંત્રી. “સાહિત્ય”
સાહિત્ય ડિસેમ્બર
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪
Page #52
--------------------------------------------------------------------------
________________
સાહિત્ય
વિષય
કર્તા
ક્યા માસિકમાં ક્યા મહિનામાં
પ્રસ્થાન
કવિવર ટાગોરનું પ્રતિભાષણ
રા. મહાશંકર ઈદ્રજી દવે કવિવર ટાગોરની સૂર રચના
રા. જેઠાલાલ ત્રિવેદી કવિ શ્રી ન્હાનાલાલની લગ્ન મીમાંસા
રા. રામચંદ્ર દામોદર શુકલ કચ્છી લોકગીત
રા. માવજી ગોવિંદજી કુમાર સંભવ
રા. નાગરદાસ અમરજી પંડયા કેવું સાહિત્ય જોઈએ
રા. હિમતલાલ ચુ. શાહ - કેટલાંક જુનાં સુભાષિત
રા. ભોગીલાલ જ. સાંડેસરા શ્રી કેલકરનું ભાષણ સ્વ કાંટાવાળાનું સ્ત્રી ઉપયોગી સાહિત્ય | શ્રી પિયૂષ " ખબરદાર
રા. સુરેશ દીક્ષિત ગુલામની સાહિત્ય સેવા
રા. ઝવેરચંદ મેઘાણી ચેઑવની કળા
રા. રામનારાયણ વિ. પાઠક જગન્નાથ પંડિત અને તેમના ગ્રંથ
| રા. ભોગીલાલ જ. સાંડેસરા ટેનીસનનું “ઇન મેમોરિયમ”
રા. જ. હા. પ્રભાસ્કર પ્રેસીમેસની નીતિ મીમાંસા
ભાષાન્તરકાર’ દશમી સાહિત્ય પરિષદ લપતરામ
રા. સુરેશ દીક્ષિત દશમી ગુ. સાહિત્ય પરિષદ
રા. હીરાલાલ ત્રિ. પારેખ દેશપ્રેમી કવિવર ખબરદાર
| રા. રસબુબુદ્દ,
શારદા શારદા પ્રસ્થાન બુદ્ધિપ્રકાશ શારદા બુ. પ્ર. ગુણસુંદરી કૌમુદી
માહા ઍકટોમ્બર ભેટ એક વૈશાખ મે-જુન ડિસેમ્બર જાન્યુઆરિ ફેબ્રુઆરિ એપ્રિલ સપ્ટેમ્બર ફાગણ માર્ચ એપ્રિલ જુન જાન્યુઆરિ ઑકટોમ્બર જાન્યુઆરિ જુન
પુસ્તકોની વર્ગીકૃત યાદી
પ્રસ્થાન પુસ્તકાલય
બુ. પ્ર.
કૌમુદી
સાહિત્ય
બુ.
પ્ર.
સાહિત્ય
Page #53
--------------------------------------------------------------------------
________________
ફેબ્રુઆરિ
કૌમુદી
પ્રસ્થાન વસન્ત
ઓગસ્ટ ફાગણ-૮૮ કાતિક માધ ફાગુન
રા. ‘ જ્ઞ”
ચિત્ર
નરસિંહ મહેતા અને સુફીવાદ
મી. જહાંગીર માણેકજી દેશાઈ નરસિંહ મહેતા
રા. સુરેશ દીક્ષિત નર્મદ યુગનું વાગમય
| રા. વિશ્વનાથ મગનલાલ ભટ્ટ નટર પૂજા પ્રાચીન ગુર્જર કવિઓની સૌન્દર્ય પૂજા | પ્રો. ગજેન્દ્રશંકર લા. પંડયા પ્રેમાનંદનાં નાટકના પક્ષકારો
રો. નરસિંહરાવ ભોળાનાથ પ્રેમાનંદના વિરોધીઓ
રા. નરસિંહરાવ ભોળાનાથ પ્રેમાનંદના નાટકના પક્ષકારોના પડકારને રા. અંબાલાલ બુ. જાની
પ્રતિ પડકાર પ્રેમાનંદના વિરોધીઓ
છે. બ. ક. ઠાકોર પ્રેમાનંદના નાટકના પક્ષકારો
રા. નરસિંહરાવ ભોળાનાથ જ પ્રેમાનંદના વિરોધીઓ
રા. “ જ્ઞ” પૃથુરાજ રાસો
રા. નરસિંહરાવ ભોળાનાથ પંજાબી લોક સાહિત્ય
રા. સુરેશ ગાંધી પ્રમુખ શ્રી ભુલાભાઈ જી. દેસાઈનું ભાષણ ભક્ત કવિ શ્રી નાથ ભવાને
રા. મોતીલાલ રવિશંકર ઘોડા મણિલાલ અને હરગોવિંદદાસ
રા. અંબાલાલ બા. પુરાણું મહા ગુજરાત
રા. સુરેન્દ્ર પંડયા મહાભારત માંહેનું દ્યુત પ્રકરણ
રા. મણિશંકર રાજારામ ત્રિવેદી મહા ગુજરાતના વીર ગુજરાતીઓ રા. બિહારીલાલ ના. અનંતાણી મારૂ અને ઢેલ
રો. હરગોવિંદ છે. ત્રિવેદી મારી સાહિત્ય પ્રવૃત્તિ
રા. છગનલાલ વિ. રાવળ રાસ વિવેચન
| શ્રીમતી જયમનગૌરી . પાઠકજી
ગ્રંથ અને ગ્રંથકાર, પુ. ૪
વસત
જયેષ્ટ
કાતિક
નવચેતન સાહિત્ય કૌમુદી શારદા
જાન્યુઆરિ
એપ્રિલ ડિસેમ્બર ફેબ્રુઆરિ ભેટ અંક નવેમ્બર
s
સાહિત્ય ગુણસુંદરી
Page #54
--------------------------------------------------------------------------
________________
| મે-જુન
કટોબર એપ્રિલ
લઘુ ચાણક્ય નીતિશાસ્ત્ર લખવાની કળા લેડી લક્ષ્મીબાઈની વિચાર સૃષ્ટિ વાડીલાલ શાહનાં વિચાર સૂત્રો વિકસતા વાડમય વિષે વિચાર
સ્વ. વાડિલાલ શાહના કેટલાક પત્ર વૈષ્ણવ કવિઓ અને જાતિભેદ વિકસતે કાવ્ય ફાલ શાકુન્તલના ચેથા અંકનું ભાષાન્તર સન ૧૯૮૭ નું બાળ સાહિત્ય સન ૧૯૩૧ ની સાહિત્ય પ્રવૃત્તિ સાહિત્યનો શોખ કેમ કેળવશે સ્વાગત કમિટીના પ્રમુખનું ભાષણ સાહિત્ય તરફ એક દૃષ્ટિ
રા. ભોગીલાલ જ. સાંડેસરા
રા. પિયૂષ | શ્રી પિયૂષ રા. ત્રિભુવન હેમાણી તંત્રી, સાહિત્ય રા. ત્રિભુવન વિ. હેમાણ રા. “દઢ બલ” રા. શિશિર કુમાર રા. ભાનું રા. છોટાલાલ મા. કામદાર રા. હીરાલાલ ત્રિ. પારેખ મનુભાઈ કલ્યાણજી દેસાઈ
બુ. પ્ર. બુ. પ્ર.. ગુણસુંદરી પ્રસ્થાન સાહિત્ય કૌમુદી પ્રસ્થાન નવચેતન પ્રસ્થાન પુસ્તકાલય વસંત પુસ્તકાલય સાહિત્ય બુ. પ્ર.
જુલાઈ જુલાઈ પષ જુલાઈ ભાદરવો ફેબ્રુઆરિ
જ્યેષ્ટ
ફેબ્રુઆરિ
જાન્યુઆરિ | મે-જુન
પુસ્તકની વર્ગીકૃત યાદી
| રા. ભગવત રામચંદ્ર ભટ્ટ
Page #55
--------------------------------------------------------------------------
________________
વિષય
અધ્યાત્મ રામાયણ (ચાલુ). અમદાવાદ પર મોમીનખાનને હલ્લો અઢારમાનું એક ઉપારૂપક શ્રી અંબાઆનનને ગરબે કવિ મહિમા ગદ્ય ઉંચું પદ્ય કરતાંય દીપવિજય કૃત વડોદરાની ગઝલ નરપતિકૃત નંદબત્રીસી નવયુગના કવિઓ પૂર્વ પ્રયોગની કળા પ્રેમાનંદ કૃત માસ પંચદંડ ચતુષ્પદી શ્રી બ્રહ્મગીતા (શ્રીનાથુ ભવાનકૃત) બલુચિસ્તાનનું લોકસાહિત્ય બિલ્પણ પંચાશિકા
પ્રાચીન કાવ્ય કર્તા
| કયા માસિકમાં કયા મહિનામાં રા. હરગોવિંદદાસ દ્વા. કાંટાવાળા || સાહિત્ય જાન્યુ.થી (ચાલુ) રા. કનૈયાલાલ ભાઈશંકર
બુદ્ધિપ્રકાશ માર્ચ રા. ભવાનીશંકર વ્યાસ
ઊમિ રા. મોતીલાલ રવિશંકર ઘેડા સાહિત્ય એપ્રિલ રા. કેશવલાલ કા. શાસ્ત્રી
બુ. પ્ર.
મે. જુન ઊર્મિ
કાર્તિક રા. ભોગીલાલ જ. સાંડેસરા સાહિત્ય ફેબ્રુઆરિ રા. ભોગીલાલ જ. સાંડેસરા બુ. પ્ર. જુલાઈ. સપ્ટે. રા. ઇન્દુલાલ જોશી રા. ભાઉભાઈ
જેઠ દી. બ. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ મુ. પ્ર.
જુલા. સપ્ટે. રા. ભોગીલાલ જ. સાંડેસરા
જાન્યુઆરી રા. મોતીલાલ ૨. ઘોડા
જુલાઈ
કાર્તિક રા. ભોગીલાલ જ. સાંડેસરા
સાહિત્ય
જુલાઈ રા. ડોલરરાય ર. માંકડ
માહા
'
ચિત્ર
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪
ફામ
ભાણુ
ઊમિ
રાસક અને નાટય રાસક લાસ્યનું મૂળ સિંધી નાટય તવારિખ
| મી. નરીમાન સો. ગોળવાળા
Page #56
--------------------------------------------------------------------------
________________
સમાલોચના
વિષય
-
કર્તા
એપ્રિલ
મે-જુન
| ક્યા માસિકમાં ક્યા મહિનામાં કૌમુદી
ઓગસ્ટ બુદ્ધિપ્રકાશ સાહિત્ય એપ્રિલ બુ. પ્ર.
મે-જુન કૌમુદી
જુન
કટોબર મે-જુન અષાઢ
અર્વાચીન યુગનું પ્રાચીન આલેખન | રા. રતિલાલ મેહનલાલ અખાકૃત કાવ્યો ભા. ૧
રા. ૬. કે. શાસ્ત્રી અ. સા. કુમારી
રા. રમણલાલ વ. દેસાઈ અર્વાચીન ગુજરાતી સાહિત્યકારોની વર્ગણી | રા. જદુરાય ડી. ખંધડીઆ આપણી કવિતા સમૃદ્ધિ
રો. રંજીતલાલ હરિલાલ પંડયા રા. “સુરેન્દ્ર” પંડયા.
રા. કલ્યાણરાય ન. જોશી - આકાશ દર્શન
રો. ભદ્રમુખ કલ્યાણરાય વૈદ્ય આકાશ પુષ્પ
રા. જ્યોતિન્દ્ર હ. દવે આકાશનાં પુષ્પો
રા. ભગવાનલાલ લ. માંકડ એકાંકી નાટક
રા. ડોલરરાય ૨. માંકડ ઉઘડતા કિરણો
રા. ભવાનીશંકર વ્યાસ કલા દર્શન
રા. બચુભાઈ ર. મૂલાણી કનુ દેસાઈનાં રંગચિત્રો
રા. રવિશંકર મ. રાવલ કલાપીનું જીવન અને કવન
રા. નવલરામ જ. ત્રિવેદી કવિ ખબરદારની દાર્શનિકી કવિતા રા. વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદી ગ્રંથાવલોકનની નવી કલા
તંત્રી “સાહિત્ય ગુજરાતની ભૂગોળ
રા. કલ્યાણરાય ન. જોશી જયંતથી પૂર્ણિમા
રા. નવલરામ જ. ત્રિવેદી
એપ્રિલ
પુસ્તકની વર્ગીકૃત યાદી
જેઠ
એપ્રિલ ઓગસ્ટ ફેબ્રુઆરી જાન્યુઆરિ જુન માર્ચ | કો. ડિસે.
Page #57
--------------------------------------------------------------------------
________________
પ્રો. કેશવલાલ હિ. કામદાર શ્રી. સુરેન્દ્ર” પંડયા રા. “શિશિર” ”
પ્રસ્થાન . બુ. પ્ર.
કૌમુદી
ઊર્મિ કૌમુદી બુ. પ્ર. કૌમુદી ગુણસુંદરી કૌમુદી
તરૂણું ભારત દર્શનિકા-એક મહાકાવ્ય (?)
U, ચિંતનાત્મક કાવ્ય દિવ્ય ચક્ષુ અભિનવ દૃષ્ટિએ દેશળજી પરમારની જીવનભાવના પચાસ વર્ષ પછી પ્રાચીન કાવ્ય સુધા પ્રેમની પ્રસાદી મસ્તફકીરનું મુક્ત હાસ્ય મન્દાકિની મેઘદુતનો પ્રવેશક
રાસની પાંચ પુસ્તિકા ૨ લલિત
વધારે પડતી જોખમદારી વડલો વડવાઈઓ વસુદેવ હિંદીનું અવલોકન વસો પત્રિકા ૭મી સર વિઠ્ઠલદાસ ઠાકરસી વેરની વસુલાત વંધ્યા શરદ બાબુ કૃત પરિણીતા સ્વરાજ્ય અને સંસ્કૃતિ સાધના સિત્તેરમા જન્મદિનને સુવર્ણપ્રન્ય
બુ. પ્ર. કૌમુદી
રા. રસિકલાલ છો. પરીખ રા. હીરાલાલ ત્રિ. પરિખ પ્રો. ગેવિન્દલાલ હ. ભટ્ટ રા. ૨. ન. વકીલ રા. કેશવ હ. શેઠ પ્રો. બલવંતરાય ક. ઠાકોર રા. ભગવાનલાલ લ. માંકડ રા. નવલરામ જ. ત્રિવેદી રા. સુરેશ દીક્ષિત રા. નિકુમાર મણિશંકર ભટ્ટ રા. ગગનવિહારી મહેતા રા. ચતુરભાઇ પુ. પટેલ રા. હીરાલાલ ત્રિ. પરિખ રા. ગો. ધે. રાયચુરા રા. નવલરામ જગન્નાથ ત્રિવેદી રા. ધનસુખલાલ કૃ. મહેતા રા. ચ. ઉ. ૫ છે. કેશવલાલ હિ. કામદાર રા. શાન્તિલાલ એ. ઠાકર રા. “ર.”
અષાઢ જાન્યુઆરિ ફેબ્રુઆરિ આસો જુન એપ્રિલ સપ્ટેમ્બર નવેમ્બર ડિસેમ્બર માર્ચ-એપ્રિલ જાન્યુઆરિ એપ્રિલ માર્ચ એપ્રિલ જાન્યુઆરિ માર્ચ ડિસેમ્બર
જુલા-સપ્ટે. સપ્ટેમ્બર જુલાઇ ફેબ્રુઆરિ નવેમ્બર | વૈશાખ-૮૮
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪
જુલાઈ
| બુ. પ્ર.
શારદા. બુ. પ્ર. કૌમુદી
|
પ્રસ્થાન
Page #58
--------------------------------------------------------------------------
________________
સુલભ વાસ્તુ શાસ્ત્ર સોસાઈટીને પહેલો ઝમાને સંગીત રત્નાકરનું અવલોકન સંઘમિત્રા
| રા. હ. મ. પંચોળી B. બળવંતરાય ક. ઠાકોર
શ્રી. નારાયણ મેરેશ્વર ખરે | રા. “સુરેન્દ્ર પંડયા
બુ. પ્ર. કૌમુદી કૌમુદી બુ. પ્ર.
જાન્યુઆરિ ડિસેમ્બર
|| જુલાઈ-સપ્ટે.
નિબંધ
૨૫
પુસ્તકોની વર્ગીકૃત યાદી
ચાલવું જગતના અરણ્યમાં દાદર પરિષદ દેવેનું કાવ્ય પૂર્વ પશ્ચિમન સંસ્કાર વિનિમય. મધ્યાહનું કાવ્ય
પ્રો. વ્યોમેશચંદ્ર જ. પાઠકજી | સાહિત્ય રા. જયસુખલાલ કૃષ્ણલાલ મહેતા | કૌમુદી રખડપટ્ટીશંકર ભડીલાલ
પ્રસ્થાન શ્રી. દત્તાત્ય બાલકૃષ્ણ કાલેલકર, | કુમાર રા. રમણલાલ વસંતલાલ | શ્રી. દત્તાત્ર્ય બાલકૃષ્ણ કાલેલકર, | કુમાર
સપ્ટેમ્બર ઓગસ્ટ અષાઢ પિષ જુલાઈ
| કૌમુદી
Page #59
--------------------------------------------------------------------------
________________
અપંગ માનવતા ઉડણ ચરકલડી ઉઘડતા કિરણા અંધકાર વચ્ચે કલ્પનાનાં પ્રતિબિંબ
કલ્યાણ
કુલાંગાર
ખૂની ગેાપી બાલા
ચિરંતન પડછાયા ઝાક જ્યેાત
કું
વિષય
નારાયણી પાંતતા પ્રતીતિ
ખગ ભગત
બુઝાતા આશા દીપ માડી જાયાં
નાટકા
કર્તા
રા. શિવદન મહેતા રા. ઉમાશંકર જોશી
રા. શિવદન મહેતા
રા. ચંદ્રવદન ચીમનલાલ મહેતા
""
“ દ્વિરેફ
,,
99
મી. અહમદ ચાગલા રા.શિવદન મહેતા રા. શિવદન મહેતા
શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણી
,,
રા. રમણિકલાલ દલાલ રા. શિવદન મહેતા રા. ચંદ્રકાન્ત પાઠેક રા. લલિતમેાહન ચુનીલાલ રા. ઇંદુલાલ ક. યાનિક રા. સીતારામ જે. શૉ
રા. યશવંત પંડયા
કયા માસિકમાં કયા મહિનામાં
ઊર્મિ
પ્રસ્થાન ઊર્મિ
""
,,
કુમાર
પ્રસ્થાન
ઊર્મિ
ઊર્મિ
કુમાર
""
પ્રસ્થાન
ઊર્મિ
નવયુગ
નવચેતન
નવયુગ
,,
કુમાર
ફાલ્ગુન આસા
જેટ
પાષ
માહા
ચૈત્ર
પાષ
અષાઢ
ચૈત્ર
""
અષાઢ
માહા
ચૈત્ર
જીત
જાન્યુઆર
નવેમ્બર ચૈત્ર
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪
Page #60
--------------------------------------------------------------------------
________________
મુષક કન્યાના સ્વયંવર મુગ્ધાનું તેાફાન રઘેર–શિ
રસવન્તીની વરસગાંઠ
લાલા પટેલની લાયખરી
વરાળનાં ફૂલ વિજળી સુરતના ઘેાડા
શા માટે?
સાપના ભારા સૌભાગ્યનાથ
સંધ્યાની આરતી
રા. દેશળજી પરમાર રા. આનદેશ ડા. રવીન્દ્રનાથ ટાગાર રા. મુનિકુમાર મ. ભટ્ટ રા. રમણલાલ વસંતલાલ દેસાઇ રા. શિવદન મહેતા
શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણી રા, યશવંત પંડયા
રા. ચંદ્રકાન્ત પાઠેક રા. ઉમાશંકર જે. જોષી રા. શ્રીકÞ રા. શિવદન મહેતા
-
ઊર્મિ નવચેતન
પ્રસ્થાન
કુમાર
પુસ્તકાલય ઊર્મિ
ઊર્મિ
,,
નવયુગ
પ્રસ્થાન
ઊર્મિ
,,
ભાદરવા
એપ્રિલ
કાર્તિક
જેઠ
આટેમ્બર કાર્તિક
જેટ
""
ફેબ્રુઆરિ
માધ
આસા
માગશર
લેખાની વર્ગીકૃત યાદી
Page #61
--------------------------------------------------------------------------
________________
ઈતિહાસ
વિષય
કર્તા
| કયા માસિકમાં ક્યા મહિનામાં પ્રસ્થાન
સપ્ટેમ્બર
શારદા નવરાસ
ઑગસ્ટ
2)
કુમાર પ્રસ્થાન
જુલાઈ ચિત્ર ભાદરવો ફાગણ જાન્યુઆરી
અશ્વમેધ
રા. કનૈયાલાલ ભાઇશંકર દવે અતિહાસિક દૃષ્ટિએ વડોદરા શહેર રા. જગજીવન દયાળજી મોદી ઈતિહાસિક દૃષ્ટિએ ઋવેદનું અવલોકન ઠે. સેહરાબ હોરમસજી સંતેક રૂગવેદમાં ઈરાની પાદશાહ અને પહેલવાને ઋગ્વદીય સમયનું જીવન
રા. ડોલરરાય ર. માંકડ કચ્છનું વહાણવટું
રા. જયરામદાસ જેઠાલાલ • કાલકાચાર્ય કથા
રા. ભોગીલાલ જે. સાંડેસરા કાઠીઆવાડનો અર્વાચીન વિકાસ
રા. કલ્યાણરાય ન. જોશી જિસી–ભટકતી ટેળીઓ
રા. દયાશંકર કવિ દાનેશ્વરી
રા. ધનપ્રસાદ ચંદાલાલ મુનશી નવી ભૂગોળ અને નવો ઇતિહાસ રા. વિનોદકાન્ત પ્રાચીન દ્વારિકા પ્રાચીન શિલ્પમાં રસ દૃષ્ટિ
રા. રસિકલાલ પરિખ પારસીઓના પુરાતન ઇરાની પાદશાહ ડેં સોહરાબ હોરમસજી સંતક
અને પહેલવાનો વિષે પુરાતન ખંભાત
રા. રત્નમણિરાવ ભીમરાવ પૂર્વ આફ્રિકામાં પૌવય સભ્યતા
રા. બિહારીલાલ ના. અનંતાણી પેરીપ્લસ ઑફ ધી યુરેથ્રીયન સી. રા. ધનપ્રસાદ ચંદાલાલ મુનશી પાંચ વરસમાં કાયાપલટ
| રા. રવિશંકર મ. રાવળ
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪
મે મે-જુન
શારદા નવચેતન મુ. પ્ર. કુમાર બુ. પ્ર. કુમાર નવરંગ
જુલા-સપ્ટેમ્બર
ચિત્ર
પ્રિલ
પ્રસ્થાન શારદા નવચેતન | કુમાર
અષાઢ જાન્યુઆરિ માર્ચ માગશર
Page #62
--------------------------------------------------------------------------
________________
બૌદ્ધ કાળની ની ભારતીય કે સુમેરિયન ?
મહાક્ષત્રપ ચષ્ટન મુગલ ચિત્રકળા
મેઢ બ્રાહ્મણ રાનીપરજ કામેા અને ભીલે
રાણકદેવી
વડનગર
વાઘેરાના બળવા
શિવાજી અને રામદાસ સિન્ધુ ઉપરની પ્રાચીન સંસ્કૃતિ સુમેરિયન સંસ્કૃતિ —હિન્દુ પુરાણા
રા. ‘જ્યાતિ’
રા. ડેાલરરાય માંકડ
રા. ધનપ્રસાદ ચંદુલાલ મુનશી રા. રિવેશ’કર મ. રાવળ રા. જેટાલાલ ત્રિવેદી
દવે
રા. ડાહ્યાભાઈ જી. નાયક મી. કરીમ મહંમદ માસ્તર રા. કનૈયાલાલ ભાઈશંકર રા. કલ્યાણરાય ન. જોશી રા. ભરતરામ ભાનુસુખરામ મહેતા રા. મિણલાલ છબ્બારામ ભટ્ટ રા. ડોલરરાય માંકડ
MMEN
બુ.પ્ર. ઊર્મિ
યુ. પ્ર.
કુમાર પ્રસ્થાન
,,
શારદા
સાહિત્ય
નવયુગ
શારદા
પ્ર.
ઊર્મિ
આર્કટા-ડીસેમ્બર
પાષ એકટા–ડિસે.
આસા
અષાઢ
પેપ
ફેબ્રુઆરિ
જીન
મા
નવેમ્બર
જીલા–સપ્ટે. પાય
લેખેાની વર્ગીકૃત યાદી
Page #63
--------------------------------------------------------------------------
________________
વિષય
આઈન્સ્ટાઈન શ્રી કૃષ્ણનું ચારિત્ર્ય
પંડિત ઓમકારનાથજીના જીવન પ્રસંગેા બસવ ચરિત્ર
એજી આવા ભાઇશ્રી અંજારિયા
“ મણિલાલ નભુભાઇના આત્મ વૃત્તાન્ત લેડી લક્ષ્મીબાઈ વાડીલાલ શાહ વિ અને ભાનુ
વૈદ્યરાજ જાદવજી ત્રિકમજી આચાય
ચરિત્ર
કર્તા
ડૉ. કાન્તિલાલ છગનલાલ પંડયા પ્રેા. કિાજ કા. દાવર રા. ભાનુપ્રસાદ શાસ્ત્રી રા. શંકર ગાવિંદ સાખરપેકર
મી. અહમદ ચાગલા રા. ચંદ્રશંકર ન. પંડયા
શ્રીમતી ગંગાએન પટેલ રા. દયાશંકર ભ. વિ
રા. દત્તાત્રય બાલકૃષ્ણ રા. દુર્ગાશંકર કે. શાસ્ત્રી
કયા માસિકમાં કયા મહિનામાં
ચૈત્ર
માહા
ચૈત્ર
કુમાર
પ્રસ્થાન ઊર્મિ
યુ. પ્ર. ઊર્મિ
શારદા
વસન્ત
ગુસુંદરી નવચેતન
કુમાર
શારદા
જુલા–સપ્ટે. ભાદરવેા ડિસેમ્બર
માધ
ફેબ્રુઆરિ ફેબ્રુઆરિ
કારતક
જાન્યુ.
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪
Page #64
--------------------------------------------------------------------------
________________
વિષય
ઉકળતા પાણીના ઝરા કચ્છનું અર્થશાસ્ત્ર જ્યાતિષ
ટેલિવિઝન
તારાઓ
દુગ્ધાન શાસ્ત્ર પાદરની વનસ્પતિએ ખેલતાં ગાતાં ચલચિત્રા
માનવ અને વાનર
લેહીનું દબાણ
વાદળા
વૃક્ષ પ્રેમ-પશ્ચિમ અને આપણે શક્તિના વિકાસ અને એકાન્ત વૃત્તિ
શિક્ષણ વ્યાખ્યાનમાળા સમુદ્ર લક્ષ્મી
સુંદર સંતતિ અને તેનું નિવેદન
વિજ્ઞાન, વૈદક, કેળવણી
કર્તા
સૌ. વિમળા સેતલવાડ રા. ડુંગરસી સોંપટ
રા, હીરાલાલ અમૃતલાલ શાહે મી. ધનજીભાઈ ફકીરભાઈ રા. હીરાલાલ અમૃતલાલ શાહે રા. ડાહ્યાભાઈ જાની વૈદ્યશાસ્ત્રી મેાહનલાલ જીવરામ ઠાકર પ્રેા. હરિલાલ મૂલાણી ડા. નાથુભાઇ પટેલ ડૉ. બાલકૃષ્ણે અ. પાક ડા. બાબુરાવ ના. વૈદ્ય રા. ડાહ્યાભાઈ જાની રા, મનુભઈ પ્રા. વૈદ્ય બાબુ ક્ષિતિમાહનસેન ડા. સુરેશ દીક્ષિત
રા. માણેકલાલ હ. વકીલ
કયા માસિકમાં કયા મહિનામાં
નવચેતન
પ્રસ્થાન
કુમારે
યુ. પ્ર.
કુમાર
પ્રસ્થાન
શારદા
નવચેતન
કુમાર
પ્રસ્થાન
કુમાર
પ્રસ્થાન
૩. પ્ર.
પ્રસ્થાન
કુમાર
નવયુગ
જાન્યુઆરિ
અષાઢ
ચૈત્ર
જાન્યુઆરિ વૈશાખ
માહા
એપ્રિલ
નવેમ્બર
ચૈત્ર વૈશાખ
ચૈત્ર
ચૈત્ર
એપ્રિલ
વૈશાખ
ચૈત્ર જાન્યુઆરિ
લેખાની વર્ગીકૃત યાદી
Page #65
--------------------------------------------------------------------------
________________
તત્વજ્ઞાન અને ધર્મ
ક્યા માસિકમાં ક્યા મહિનામાં
최기
પ્રસ્થાન વિસન્ત શારદા બુ. પ્ર. પ્રસ્થાન
વિષય
કર્તા અવતારવાદઃ એક દષ્ટિ
ર. રતિલાલ મોહનલાલ ત્રિવેદી અવસ્તાનાં “અહુર”નાં જુદાં જુદાં રૂપાન્તરે | મી. જેહાંગીર. ભા. દેસાઈ કાઠિયાવાડમાં લોક ભજને
રા. ગે. ઠા. રાયચુરા ગીતાનું વૈજ્ઞાનિક વિવરણ
રા. પ્રસન્નવદન છબીલારા ધર્મ અને સમાજ
પંડિત સુખલાલજી છે ધર્મ નીતિ અને આધ્યાત્મિકતા રા. અંબાલાલ બા. પુરાણી પ્રાચીન હિન્દમાં લોકાયત મત
રા. ઇન્દ્રવદન ર. મહેતા મધ્યયુગને ભક્તિ પ્રવાહ
રા. મહાશંકર ઇદ્ર દવે વિચાર કણિકા
રા. દુર્ગાશંકર કે. શાસ્ત્રી વિવર્ત લીલા
રા. “જ્ઞાન બાળ’ વૈષ્ણવ ધર્મની દાષ્ટએ અસ્પૃશ્યતા છે. જેઠાલાલ ગ. શાહ શાસ્ત્ર દૃષ્ટિએ “હરિજનોને પ્રશ્ન પ્રિન્સિપાલ આનંદશંકર ધ્રુવ પૃસ્યાસ્પૃશ્યત્વ મીમાંસા
પ્રિન્સિપાલ આનંદશંકર ધ્રુવ સૌરાષ્ટ્રના ભજનિક સંતો
રા. ઝવેરચંદ મેઘાણું . વ્યાપક કરવા
દી. બા. નર્મદાશંકર દે. મહેતા કરેલો ઉપકાર
ચૈત્ર ઓકટેમ્બર જુલા-સપ્ટે. આસો માહા જુલા-સપ્ટે.
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪
બુ.
પ્ર.
અષાઢ
પ્રસ્થાન વિસન્ત પ્રસ્થાન
ફાગુન
કાતિક કાર્તિક પિષ એકટ-ડિસે. જાન્યુઆરિ
. પ્ર.
કૌમુદી
Page #66
--------------------------------------------------------------------------
________________
વિષય
ઉત્તર પંજાબમાં મારી યાત્રા
કબીરવડની મુસાફરી કાશ્મીરને પ્રવાસ કાવેરીના કલા પ્રદેશમાં કેટલાંક રમણીય સ્થળા કુંભ ચિત્રા
ગિરનાર પર શરદ્પૂર્ણિમા
જાપાન
પૂર્વ આફ્રિકામાં પાંચ વર્ષ
બ્રહ્મદેશના ગુજરાતીએ
મસુરી
મ્હારી મહારાષ્ટ્રની મુસાફરી
મારાકો, ટ્રીપાલી, કાંગા, આફ્રિકાના કાળા
માનવની એક વિતક કથા
માંડવગઢની યાત્રા યુગાંડા અને ત્યાંના હિંદી
લકા
સયામ
પ્રવાસ—ભગાળ
ત્ર
કર્તા
રા. ડુંગરશી ધરમશી રા. પુરૂષાત્તમ ચૌહાણ અવંતિકાબાઈ ગોખલે રા. કિશનસિંહ ચાવડા ડા. હરિપ્રસાદ વૃ. દેસાઈ રા. ભાગીલાલ કે. પટવા રા. બિપિન વૈદ્ય
રા. નટવરલાલ શેટ રા. ઉછરગરાય કે. આઝા
રા. રમેશ ર. ધારેખાન રા. રિવશંકર મ. રાવળ ડા. પ્રભાકર ત્રિ. કાટારી
...
રા. ન્હાનાલાલ ચી. મહેતા
રા. રામ હેર
રા. માણેકલાલ પટેલ એક અભ્યાસી
COM
કયા માસિકમાં ક્યા મહિનામાં
નવચેતન
,,
ગુણસુંદરી
કુમાર
કૌમુદી
પ્રસ્થાન
શારદા
99
પ્રસ્થાન
શારદા
કુમાર
શારદા
નવયુગ
પ્રસ્થાન
કૌમુદી
શારદા
39
એટેમ્બર
માર્ચ
જાન્યુઆરિ પાષ
ફેબ્રુઆરિ
જેટ
સપ્ટેમ્બર
ફેબ્રુઆરિ
અષાઢ
ટે-ભેટબેંક
માગશર
જાન્યુઆરિ જુલા–આટા.
પાષ
જાન્યુ-એપ્રિલ એપ્રિલ
આગસ્ટ
લેખાની વર્ગીકૃત યાદી
Page #67
--------------------------------------------------------------------------
________________
પુસ્તકાલય–વર્તમાનપત્ર
વિષય
કર્તા
કયા માસિકમાં ક્યા મહિનામાં આપણું ગુજરાતી માસિક એક સ્નેહ| રા. ચંદ્રશંકર ના. પંડયા
શારદા
જાન્યુઆરિ સહકારની સૂચના કાઠિયાવાડ અને પુસ્તકાલય પ્રવૃત્તિ | રા. નાનાભાઈ ચંદ્રશેખર દિવાનજી ગુજરાતી માસિકના આધપતિઓને ખુલ્લો પત્ર ર. હીરાલાલ ત્રિ. પારેખ અને
રા. ગોકુળદાસ ઘા. રાયચુરા છે નવસારી પુસ્તકાલય પરિષદના પ્રમુખનું ભાષણ રા. રમણલાલ વ. દેસાઈ
પુસ્તકાલય
જાન્યુઆરિ પુસ્તકાલય પ્રવૃત્તિનો જન ઈતિહાસ રા. પોપટલાલ પુસ્તકાલય-પ્રાચીન અને અર્વાચીન | રા. નાજુકલાલ ને. ચોકસી પુસ્તકાલય અને પત્રકારિત્વ માદિલાન્ત
જુલાઈ માલસર પુસ્તકાલય પરિષદના પ્રમુખનું ભાષણ દી. બા. અંબાશંકર ઉ. મલજી વડેદરા એરિયન્ટલ ઈન્સ્ટીટયુટ |_| પૃ. ગાવિંદલાલ હ. ભટ્ટ
સપ્ટેમ્બર વિદેશમાં વર્તમાનપત્રો કેમ તૈયાર થાય છે | રા. “પિયુષ’
નવચેતન નવેમ્બર શાળા અને પુસ્તકાલય
રા. મોતીભાઈ ન. અમીન પુસ્તકાલય માર્ચ સદ્દગત મી. વિલિયમ એલન્સન બોર્ડ | રા. નાનાભાઈ ચં દિવાનજી સાહિત્ય
એપ્રિલ જ્ઞાનનાં સદાવ્રત
રા. મૂળશંકર સ. ભટ્ટ
પુસ્તકાલય 1 ઓકટોમ્બર
ગ્રંથ અને ગ્રંથકાર, પુ. ૪
એપ્રિલ
ડિસેમ્બર
Page #68
--------------------------------------------------------------------------
________________
પ્રકીર્ણ
કયા માસિકમાં ક્યા મહિનામાં
કર્તા તુરાબ' રા. જયસુખલાલ મહેતા
સપ્ટેમ્બર આસો
ચિત્ર
મી. ફીરોજશાહ મહેતા રા. શામજી લવજી આલગિયા તંત્રી રા. હરિનારાયણ આચાર્ય રા. વિનોદરાય વસાવડા
વિષય અલિગઢનું વિશ્વ વિદ્યાલય એક ઉપાસના પ્રવચન કુમારની કાકદિ ચિત્ર કેમ જોશો ? ખૂલૂઓની જીવન દીક્ષા ધર્મ, જનસેવા અને વ્યાપાર
પક્ષીઓની આર્તવી યાત્રા જ બનારસ હિન્દુ યુનિવર્સીટ
બુદ્ધિપ્રકાશ રૈમાસિક ભારતીય સ્ત્રી શિક્ષણની મીમાંસા મહાત્માજીનું શેષ વ્રત રામ પત્મિભક્ત હતા કે ? લગ્નનો આદર્શ સન્નારીઓને બે બોલ સ્વદેશી સ્ત્રી કેળવણીના સારાંશ રૂપ સુત્રો સંસ્કારરક્ષી રાજનીતિ ' હિન્દી સ્ત્રીઓની યુનિવરસીટી હિંદનું દારિદ્રય અને એનાં કારણે
નવચેતન પ્રસ્થાન કુમાર નવચેતન કુમાર વિસન્ત પ્રસ્થાન કુમાર બુ. પ્ર. ગુણસુંદરી પ્રસ્થાન વસન્ત ગુણસુંદરી
નવેમ્બર
અષાઢ ફક્શન અષાઢ
લેઓની વગીકૃત યાદી
જુલા-સપ્ટે. જુલાઈ ભાદર ફાગુન જાન્યુઆરિ
રા. રામાનંદ ચેટરજી કવિવર રવીન્દ્રનાથ રા. છોટાલાલ ત્રિ. જાની શ્રી સુરેશ દીક્ષિત શ્રી કીશોરલાલ ઘ. મશરૂવાળા તંત્રો શ્રી કીશોરલાલ ઘ. મશરૂવાળી રા. કૃપાળ ધ્રુવ તંત્રી
વિસન્ત ગુણસુંદરી
જાન્યુઆરી
ઊર્મિ
ગુણસુંદરી વિસન્ત
Page #69
--------------------------------------------------------------------------
________________
,,
સન ૧૮૦૨ વસઈનું તહનામું
99
,,
.
""
,,
,,
99
""
""
22
""
""
,,
""
99
""
*,
ور
""
,,
39
""
''
ગ્રંથ અને ગ્રંથકાર, પુ. ૪
ગુજરાતી સાહિત્યની સાલવારી
૧૮૦૩ રણછેાડદાસ ગીરધરભાઇને જન્મ
૧૮૦૪ ડૉ. ડ્રમ`ડે ગુજરાતી કહેવત સ ંગ્રહ અને વ્યાકરણ તૈયાર કર્યું. (ટેલર)
૧૮૦૯ દુર્ગારામને જન્મ તા. ૨૫ મી ડિસેમ્બર
૧૮૧૧ ગુજરાતી ટાઇપમાં ચેપાનિયું પ્રથમ છપાયું
૧૮૧૮ ભાગીલાલ પ્રાણવલ્લભદાસના જન્મ
""
—: અર્વાચીન -
૧૮૧૯ સંગીતશાસ્ત્રી આદિત્યરામજીને જન્મ-જુનાગઢમાં ૧૮૨૦ કવિ દલપતરામને જન્મ
""
૧૮૨૨ મણિશંકર જટાશકર કીકાણીને જન્મ
૧૮૨૨ ભાળાનાથ સારાભાઈ ના જન્મ (વડેાદરામાં)
૧૮૨૩ રણછોડલાલ છેાટાલાલનો જન્મ
૧૮૨૪ સ્વામિ યાનંદ સરસ્વતીનેા જન્મ
""
જોસક્ વાન ટેલરને જન્મ–ગુજરાતી વ્યાકરણ રચનાર દેશીઓ માટે ખાર શાળાઓ કાઢવામાં આવી.
૧૮૨૫ નેટિવ એજ્યુકેશન સેાસાઈટી સ્થપાઇ
૧૮૨૬ સુરતમાં પહેલ વહેલી ગુજરાતી નિશાળ
૧૮૨૮ સતી થવાના ચાલ બંધ પડયેા.
..
રસિક વલ્લભ ગ્રંથ કવિ દયારામે રચ્યા બ્રહ્મોસમાજની સ્થા પના
""
૧૮૨૯ મેાહનલાલ રણછેાડદાસને જન્મ
લોડ એન્ટિકે સતીનેા ચાલ બંધ પાડયા મહીપતરામના જન્મ સુરતમાં-૩૭ ડિસેમ્બરે
39
૧૮૭૦ હિન્દુસ્તાનમાં પોસ્ટ ઑફિસની સ્થાપના
૧૮૩૨ કરસનદાસ મુળનેા જન્મ તા. ૨૫ મી જુલાઇ
૧૮૩૩ કવિ નર્મદાશંકરના જન્મ ૨૪ મી એગસ્ટ
રાજા રામમેાહનરાયનું અવસાન
..
૧૮૩૫ નંદશંકર તુલજાશ કરના જન્મ એપ્રિલ સુરતમાં
૩૬
Page #70
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સાહિત્યની સાલવારી
સન ૧૮૩૫ છાપખાનાની છૂટના કાયદા પસાર થયે ૧૮૩૬ નવલરામના જન્મ. ૯મી મા
ઝવેરીલાલ ઉમિયાશ’કરને જન્મ એપ્રિલમાં
99
,,,,
,,
""
,,
,,
29
,, ૧૮૪૦ નેટીવ ખેડ એફ એજ્યુકેશન સ્થપાયું
સવિતાનારાયણ ગણપતિનારાયણને જન્મ
,,
૧૮૪૦ મનઃસુખરામના જન્મ તા. ૯ મી મે–ડિઆદમાં વલ્લભજી રિદત્ત આચાર્ય ને જન્મ
""
,,
,,
""
,,
""
,,
""
""
,,
,,
""
,,
,,
,,
""
""
""
""
""
૧૮૩૭ સુરતમાં મેાટી આગ
૧૮૩૮ રણછોડભાઇ ઉદયરામના જન્મ શ્રાવણ સુદી ૮ મહુધામાં ભગવાનલાલ ઈંદ્રજીનેા જન્મ
,,
,,
રણછેાડ ગલુરામના જન્મ અમદાવાદમાં
33
૧૮૪૨ કેખુશરૂ કાબરાજીના જન્મ ૨૧ મી એગસ્ટ-મુંબાઈમાં સુરતમાં પુસ્તક પ્રચારક મંડળની સ્થાપના ઈંગ્રેજી સ્કૂલ સ્થપાઈ
""
૧૮૪૪ કાંટાવાળા હરગોવિંદદાસને જન્મ અષાઢ વદ ૫
અંબાલાલ સાકરલાલ દેસાઈ ના જન્મ
,,
""
,,
""
""
૧૮૪૫ ભાઇશ’કરનો જન્મ શ્રાવણ સુદી ૧૧ લાલશંકરને જન્મ નારદીપુરમાં
""
શકરલાલ માહેશ્વરના જન્મ-જામનગરમાં
માનવ ધર્મ સભાની સ્થાપના-સુરતમાં—ન ૨૨ મી મણિભાઇ જશભાઇને જન્મ-મે. માં-નડિઆદમાં
પંડિત ગલાલજીને જન્મ જુનાગઢમાં
""
૧૮૪૭ ગોકળદાસ કહાનદાસ પારેખના જન્મ મહા સુદી ૮
૧૮૪૮ ગણપતરામ રાજારામના જન્મ
૧૮૪૮ (૨૬ મી ડિસેમ્બર ગુજરાત વર્નાકયુલર સાસાઇટીની સ્થાપના) ૧૮૪૯ ડૉ. ત્રિભુવનદાસ મેાતીચ'ને જન્મ
ભુતનિબંધ, જ્ઞાન પ્રચારક મંડળની સ્થાપના
""
૧૮૪૦ (૪થી જીન) સુરત એન્ડ્રુઝ લાઇબ્રેરીની સ્થાપના
છેટાલાલ નરભેરામ ભટ્ટના જન્મ
""
}, ૧૮૫૧ હુન્નરખાનની ચઢાઈ
18
Page #71
--------------------------------------------------------------------------
________________
સન ૧૮૫૧ લક્ષ્મીનાટક
,,
27
,,
,,
""
""
,,
""
22
""
""
,,
,,
""
""
,,
""
""
""
22
""
""
,,
,,
,,
,,
""
123
29
""
""
""
""
""
૧૮૫૨ લલિતાશંકર લાલશ કરને જન્મ
,,
૧૮૫૩ દયારામનું મૃત્યુ
,,
મુંબાઈથી થાણા સુધી રેલ્વે
મેહરામજી મે. મલબારીને જન્મ
22
૧૮૫૪ દોલતરામ કૃપારામ પંડયાને જન્મ સર ચા`સ વુડને કેળવણી વિષયક ખરીતે બુદ્ધિપ્રકાશ (એપ્રિલ) સેાસાઈટી હસ્તક આવ્યું શમસ અલઉષ્મા જીવણજી જમશેદજી માદી કરીમઅલી રહીમભાઇ નાનજીઆણીના જન્મ નૃસિંહાચાર્યજીને જન્મ
""
,,
""
,,
,,
સત્યપ્રકાશ–કરસનદાસ મૂલજી સંપાદિત ૧૮૫૫ નારાયણ હેમચંદ્રને જન્મ ગાવર્ધનરામના જન્મ
""
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪
,,
૧૮૫૬ જીવરામ અજરામર ગેારના જન્મ
""
પાલનજી અરજોરજી દેશાઇનેા જન્મ-નવસારીમાં
બુદ્ધિવર્ધક સભાની સ્થાપના-મુંબાઈમાં
ભીમરાવ ભાળાનાથના જન્મ તા. ૨૭ આકટામ્બરને ગુરૂવાર
કેશવલાલ હરિલાલના જન્મ
,,
અમદાવાદના ઇતિહાસ-મગનલાલકૃત
""
,,
""
,,
૧૮૫૭ ડાહ્યાભાઇ પીતાંબરદાસ દેરાસરીને જન્મ-સુરતમાં
કમળાશ’કર પ્રાણશંકરના જન્મ
છગનલાલ ટાકારદાસ મેાદીનેા જન્મ બુદ્ધિવર્ધક માસિક-મુંબાઈમાંથી
વિધવા વિવાહના કાયદા
હરિલાલ હદરાય ધ્રુવના જન્મ તા. ૧૦ મી મે
અમદાવાદ કોલેજ સ્થપાઇ
પિંગળ પ્રવેશ
મુંબાઇ–યુનિવર્સિટિની સ્થાપના સિપાઇને બળવે
ઇચ્છારામ સૂર્યરામના જન્મ
૩૮
Page #72
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સાહિત્યની સાલવારી
સન ૧૮૫૮ મહારાણી વિકટારિયાએ હિન્દના વહીવટ કંપની પાસેથી લીધે હોપ વાચનમાળા પ્રસિદ્ધ થઇ
""
,,
""
""
99
..
,,
99
,,
""
""
,,
99
",
22
,,
""
,,
99
99
,,
""
,,
,,
""
,,
""
22
99
અલંકાર પ્રવેશ; રસપ્રવેશ; ધર્મસભાની સ્થાપના(અમદાવાદમાં) જોડણી કાશ–હાપસાહેબ સંપાદિત (લિખિત)
નથુરામ શર્માના જન્મ—આશ્વિન શુદ ૪
મણિલાલ નભુભાઇના જન્મ-ભાદ્ર. વિદ ૪
99
૧૮૫૯ બાલાશંકર ઉલ્લાસરામના જન્મ-જેમ શુદ ૫
કેશવલાલ હ. ધ્રુવના જન્મ
છગનલાલ હરિલાલ પંડયાના જન્મ
99
99
,,
,,
99
૧૮૬૦ મહીપતરામ ઈંગ્લાંડ શિક્ષણના વધુ અભ્યાસ અર્થે ગયા. તા. ૨૭ મી માર્ચ
""
99
૧૮૬૧ મહારાજા લાઈબલ કેશ
39
,,
"2
""
..
૧૮૬૨ નંથુરામ સુંદરજી કવિને જન્મ વાંકાનેરમાં
ગુજરાત શાળાપત્રને જન્મ કાવ્યદાહન-દલપતરામ
,,
""
દયારામ કાવ્ય-નર્મદાશંકર સંપાદિત
ગુજરાતી પિંગળ-દલપતરામ
,,
૧૮૬૩ કાવ્યસુધા રણછોડ ગલુરામ મૃત
કરસનદાસ મૂળજી વિલાયત ગયા કૃષ્ણરાવ ભાળાનાથને જન્મ ગોવિંદભાઇ હાથીભાઇને જન્મ પ્રેા. ત્રિભુવનદાસ ક. ગજ્જરના જન્મ
,,
મણિશંકર ગોવિંદજીનેા જન્મ-જામનગરમાં મુંબઇમાં હાઈકોર્ટની સ્થાપના
ચમનરાય શિવશ`કર વૈષ્ણવના જન્મ જુનાગઢમાં
છેોટાલાલ જીવણલાલ માસ્તરને જન્મ
23
,,
૧૮૬૪ ટ્રેનિંગ કોલેજની સ્થાપના
લલિતા દુઃખદર્શોક નાટક
22
,,
૧૮૬૫ નમ ગદ્ય
સારાબજી મચેરજી દેસાઈ ના જન્મ-નવસારી ગુજરાતી ભાષાને ઇતિહાસ-શાસ્ત્રી વૃજલાલ
૩૯
Page #73
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪
સન ૧૮૬૫ ડાંડીઓ , ૧૮૬૬ ઈગ્લાંડને પ્રવાસ-કરસનદાસ રચિત છે , નર્મ કવિતા , , નમ વ્યાકરણ , , ઉત્તર જયકુમારી , ૧૮૬૭ અભિજ્ઞાન શકુંતલા છે , મણિશંકર રત્નજીનો જન્મ » , મિથ્યાભિમાન નાટક; ગુજરાતી પિંગળ છે , ભટ્ટનું ભૂપાળું
હીરાલાલ વ્રજભૂખણદાસ શ્રોફને જન્મ–પેટલાદ
જેકીસનદાસ જેઠાભાઈ કણીયાનો જન્મ , , સર મનુભાઈ નંદશંકરનો જન્મ , , ગુજરાતી વ્યાકરણ–રેલરકૃત–પ્રસિદ્ધ થયું , , પાણીપત કાવ્ય-કાંટાવાળા , ૧૮૬૮ રમણભાઈ મહીપતરામને જન્મ અમદાવાદમાં , , કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીને જન્મ–ભરૂચ , ,, કરણઘેલો, અલંકાર પ્રવેશ-નર્મદાશંકર , ૧૮૬૯ નવલરામકૃત વીરમતિ નાટક , , મહાત્મા ગાંધીજીનો જન્મ–પોરબંદરમાં ,, , આનંદશંકર બાપુભાઇ ધ્રુવને જન્મ ,, ૧૮૭૦ અમૃતલાલ સુંદરજી પઢિયારનો જન્મ–ચોરવાડમાં , , બોટાદકરને જન્મ , , રાસમાળા ,, ,, ઉત્સર્ગમાળા–ધાતુસંગ્રહ
નવલરામ ટ્રેનીંગ કોલેજ અમદાવાદમાં વાઈસ પ્રિન્સિપાલનિમાયા , ૧૮૭૧ અમદાવાદમાં પ્રાર્થના સમાજની સ્થાપના , , કરસનદાસ મૂળજીનું મૃત્યુ તા. ૨૮ મી ઑગસ્ટ , ૧૮૭૨ ઈશ્વર પ્રાર્થનામાળા , ૧૮૭૩ નર્મ કોશ ,, ,, રણછોડદાસ ગીરધરદાસનું મૃત્યુ , ૧૮૭૪ ઈગ્લાંડની મુસાફરી–મહીપતરામ રચિત
»
»
૪૦
Page #74
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સાહિત્યની સાલવારી
સન ૧૮૭૪ સુરસિંહજી ગોહિલને જન્મ-કલાપી–તા. ૨૬ મી ફેબ્રુઆરિ , , કૌશિકરામ વિનહરરામ મહેતાને જન્મ , ,, મહાલક્ષ્મી ટ્રેનિંગ કોલેજ ફોર વિમેન્સની સ્થાપના. , ૧૮૭૫ મુંબઈમાં આર્યસમાજની સ્થાપના , ,, ભોગીન્દ્રરાવ રતનલાલ દિવેટીયાનો જન્મ , ,, નીતિ વિનોદ-મલબારી કૃત ,, ૧૮૭૬ લેડી વિદ્યાગવરીને જન્મ , , કરસનદાસકૃત ઈગ્લાંડને પ્રવાસ , , નવલરામ રાજકોટ ટ્રેનિંગ કોલેજના પ્રિન્સિપાલ નિમાયા , ૧૮૭૭ મહારાણી વિકટેરિયાએ કેસરે હિન્દનું પદ ધારણ કર્યું. , , હિમતલાલ ગણેશજી અંજારિયાનો જન્મ ,, ,, જન્મશંકર મહાશંકર બુચ (લિલત)ને જન્મ–જુનાગઢમાં , ,, મગનભાઈ ચતુરભાઈ પટેલનો જન્મ , , નંદનાથ કેદારનાથ દિક્ષીતને જન્મ , ૧૮૭૮ વર્નાકયુલર પ્રેસ એકટ , ,, કરસનદાસ મૂળજીનું ચરિત્ર મહીપતરામ રચિત , , દુર્ગારામ મહેતાજીનું મૃત્યુ , ૧૮૭૯ મેઘદુતનું ભાષાન્તર–ભીમરાવત , , દલપત કાવ્યનું પ્રકાશન છે , દુર્ગારામ ચરિત્ર , ૧૮૮૧ ભારતાર્થ પ્રકાશ , , અંધેરી નગરીનો ગંધર્વસેન રાજા , , વનરાજ ચાવડા , , કાન્તા–મણિલાલ રચિત , ૧૮૮૨ રણજિતરામ વાવાભાઈને જન્મ , ,. પુરુષોત્તમ વિશ્રામ માવજીનો જન્મ મુંબાઈમાં ,, , અરદેશર ફરામજી ખબરદારને જન્મ-દમણમાં , ૧૮૮૨ સૌ. શારદા મહેતાનો જન્મ છે , બુલબુલ , , સુબોધ ચિંતામણી
, , ૧૮૮૪ ઉત્તર રામચરિત્ર
૪૧
3ના
Page #75
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪
સન ૧૮૮૪ રાણકદેવી-અનંતપ્રસાદ વૈષ્ણવ , , કાદંબરી છગનલાલ હરિલાલ પંડયા અનુવાદિત , ૧૮૮૫ પ્રાચીન કાવ્ય ત્રિમાસિક નિકળવા માંડયું , ,, હિંદ અને બ્રિટાનિયા ,, ,, ઈન્ડીઅન નેશનલ કેંગ્રેસની સ્થાપના-મુંબાઈમાં , ,, ધર્મવિચાર-નર્મદાશંકર કૃત
,, અતિસુખશંકર કમળાશંકર ત્રિવેદીને જન્મ , ૧૮૮૬ નર્મદાશંકરનું મૃત્યુ–૨૫ મી ફેબ્રુઆરિ.
, ભોળાનાથ સારાભાઈનું મૃત્યુ તા. ૧૧ મી મે. , , બૃહત્ કાવ્યદોહન–ભા. ૧ લો. , ૧૮૮૭ ભારતીભુષણ–બાલશંકર સંપાદિત છે , સરસ્વતીચંદ્ર ભા. ૧ પ્રસિદ્ધ થયો. , , કુસુમમાળા-નરસિંહરાવ , ૧૮૮૭ જ્ઞાનસુધા , ૧૮૮૮ જોડણી વિષે વિચા–નરસિંહરાવ , ,, ભગવાનલાલ ઈંદ્રજીનું મૃત્યુ , , નવલરામનું મૃત્યુ–૭ મી ઑગસ્ટ ને મંગળવાર , ૧૮૮૯ રસશાસ્ત્ર છોટાલાલ નરભેરામ
» મુદ્રારાક્ષસ-કેશવલાલ ધ્રુવ , ,, ગંગા ગુર્જર-ઇચ્છારામ લિખિત , , કુસુમાવળી , , નેહમુદ્રા
,, પ્રબંધ ચિંતામણી–રામચંદ્ર દીનાનાથ * ૧૮૯૦ ભીમરાવનું મૃત્યુ. ૧૩ મી જાન્યુઆરી ને સોમવાર , ,, પ્રાચીન કાવ્યમાળા. , ૧૮૯૧ નવલ ગ્રંથાવળી ,, ,, મહીપતરામનું મૃત્યુ. ૩૦ મી મે , ૧૮૯૨ અમરૂ શતક છે , સરસ્વતીચંદ્ર ભા. ૨ , ૧૮૯૩ શાસ્ત્રી વ્રજલાલ કાળિદાસનું મૃત્યુ , ૧૮૯૪ મલબારી કૃત અનુભવિકા
Page #76
--------------------------------------------------------------------------
________________
સન ૧૮૯૪ ગુજરાતની જીની વાતા
૧૮૯૫ ગીતગોવિંદ
99
29
""
""
,,
""
,,
,,
,,
,,
""
,,
,,
""
""
,,
,,
,,
,,
,,
""
""
""
""
39
કુંજવિહાર
.
૧૮૯૬ હરિલાલ ધ્રુવનું અવસાન તા. ૨૯ મી જુન
૧૮૯૬ લઘુભારત–ગણપતરામ કૃત
""
,,
29
""
૧૮૯૭ વાઘજી આશારામનું મૃત્યુ
""
29
૧૮૯૮ સંસારિકા
""
૧૮૯૯ ગુજરાતી જ્ઞાનચક્ર-રતનજી શેઠનાવાળુ
39
,, ૧૮૯૯ ઝવેરચંદ મેધાણીને જન્મ
""
ચંદ્રકાન્ત–ભાગ. ૧
સિદ્ધાન્તસાર
.
""
,, ૧૯૦૦ સુરસિંહજીનું મૃત્યુ
ગુજરાતી સાહિત્યની સાલવારી
""
""
હૃદયવિણા
કુંજવિહાર-હરિલાલ ધ્રુવ રચિત કાવ્યસંગ્રહ
મેાહનલાલ રણછેડલાલ ઝવેરીનું મૃત્યુ ઝવેરીલાલ યાજ્ઞિકનું મૃત્યુ
કવિ દલપતરામના સ્વવાસ તા. ૨૫ મી માર્ચ ખાલાશંકર ઉલ્લાસરામનું મૃત્યુ તા. ૨૧મી માર્ચ ૧૮૯૮ સરસ્વતીચંદ્ર ભા. ૩
""
,,
99
પૃથ્વીરાજ રાસ-ભીમરાવ રચિત
,,
ગુજરાતને પ્રાચીન અને અર્વાચીન ઇતિહાસ-ગાવિંદભાઈ રચિત રણછેડલાલ છેટાલાલનું મૃત્યુ
શેાભના સાથે સુરસિંહજીનાં લગ્ન
મણિલાલ નભુભાઈનું મૃત્યુ-૩ જી એકટેમ્બર
ભદ્રંભદ્ર
99
૧૯૦૧ કાવ્ય રસિકા–ખબરદાર
સરસ્વતીચંદ્ર ભા. ૪ કવિતા અને સાહિત્ય
22
૧૯૦૨ ‘ વસન્ત’ પ્રગટ થયું
૧૯૦૩ કલાપીનો કેકારવ–મણિશંકર સંપાદિત
કાવ્ય માધુ
૪૩
Page #77
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪)
સન ૧૯૯૩ કેટલાંક કાવ્યો , ૧૯૦૪ યોગિની–પ્રથમ ભાગ , ,, કાબરાજીનું મૃત્યુ તા. ૨૫ મી એપ્રિલ છે ૧૯૦૫ દેશભક્તિનાં કાવ્યો
, વસંતોત્સવ , નંદશંકરનું મૃત્યુ ,, સાહિત્ય પરિષદની બેઠક–અમદાવાદ , વિલાસિકા
,, રણપિંગળ-રણછોડભાઈ , ૧૯૦૬ ડાહ્યાભાઈ ધોળશાનું મૃત્યુ , , વિક્રમેવશંય નાટક-કે. હ. ધ્રુવ , ૧૯૦૭ ગોવર્ધનરાયનું મૃત્યુ તા. ૪થી જાન્યુઆરિ. ,, , મનઃસુખરામનું મૃત્યુ. વૈશાખ સુદ ૧૧ ને ગુરૂવારે ,, ,, શાંકરભાષ્ય–અનુવાદ , ૧૯૦૮ ઉષાકાન્ત ,, ,, વસન્તોત્સવ-કવિ ન્હાનાલાલ કૃત
,, સોસાઇટીને હીરક મહોત્સવ , , નવી વાંચનમાળા ,, ,, “હિંદ સ્વરાજ્ય ’નું પુસ્તક ગાંધીજી રચિત પ્રગટ થયું. ,, ૧૯૦૯ ઈદુકુમાર ભા. ૧ , ૧૯૧૦ માઇલસ્ટોન્સ અંગ્રેજીમાં , ૧૯૧૦ ગોવર્ધનરામનું જીવનચરિત્ર
ગીતાને અનુવાદ-ન્હાનાલાલ કૃત ,, ૧૯૧૧ બાલા
,, દિલ્હીમાં રાજ્યારોહણ , ,, લેન્ડારના કાલ્પનિક સંવાદો , ૧૯૧૨ “સાહિત્ય”—વડોદરામાંથી
મલબારીનું અવસાન , , લાલશંકરનું અવસાન , , બોટાદકર કૃત કલ્લોલિની
ઈચ્છારામ સૂર્યરામનું મૃત્યુ
૪૪
Page #78
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સાહિત્યની સાલવારી
૧ ૧૯૧૨ લલિતનાં કાવ્યો , ૧૯૧૩ કહાન્ડદે પ્રબંધ , ૧૯૧૪ નુપૂરઝંકાર " , રાઈનો પર્વત , , જયા અને જયંત , ૧૯૧૫ સ્મરણ સંહિતા , ૧૯૧૫ હાસ્યમંદિર , , વેરની વસુલાત , ૧૯૧૬ પાટણની પ્રભુતા, વીસમી સદી, ચિત્રાંગદા; , ,, આપણો ધર્મ છે , કાદંબરીપૂર્વાધ છે , સ્વમની સુંદરી , ૧૯૧૭ રણજીતરામનું મૃત્યુ ઇ , ભણકાર , દોલતરામનું મૃત્યુ
ગુજરાતનો નાથ , ,, મલબારીને કાવ્યસંગ્રહ
ભેગીન્દ્રરાવનું મૃત્યુ , ,, નંદશંકરનું જીવનચરિત્ર , ૧૯૧૮ ગુજરાત સાહિત્ય સભા તરફથી સાહિત્યના અભ્યાસની પરીક્ષા , ૧૯૧૯ કોને વાંક ? ,, ,, મલયાનિલનું મૃત્યુ , ૧૯૨૧ હાજી મહમદનું મૃત્યુ
, મહિલામિત્ર પુસ્તક, ૧ , , ત્રિવેદી વાચનમાળા
, નવચેતન–કલકત્તા ૧૯૨૨ તનસુખરામને સ્વર્ગવાસ
, સાહિત્ય પ્રવેશિકા , ૧૯૨૩ રણછોડભાઈનું મૃત્યુ , , મણિશંકર રત્નજીનું મૃત્યુ , , કાવ્ય સમુચ્ચય
૪૫
Page #79
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪
સન ૧૯૨૩ સૌરાષ્ટ્રની રસધાર ,, ,, હિંદ તત્વજ્ઞાનને ઇતિહાસ , ,, ઉગતી જુવાની ૧૯૨૪ બોટાદકરનું મૃત્યુ
, રાજાધિરાજ , મુનશીનાં નાટકો, પુરંદર પરાજય અને અવિભક્ત આત્મા , Further Milestones-ઈગ્રેજીમાં
, પહેલી પત્રકાર પરિષદ , ૧૯૨૫ મત્સ્યગંધા અને બીજા નાટક ,, ૧૯૨૬ તણખા ભા. ૧ , , અણુભાષ્ય , , સ્મરણ મુકુર ,, ૧૯૨૭ વસન્ત રજત મહોત્સવ ,, ,, પ્રાચીન ગુર્જર કાવ્ય , , આત્મકથા-મહાત્મા ગાંધીજી ,, ૧૯૨૮ રમણભાઈનું મૃત્યુ , ,, લિરિક ,, ૧૯૨૯ કાકાની શશી ,, ,, કૌટિલ્ય ભગવાન ,, ૧૯૩૦ પારિભાષિક શબ્દકેષ ,, ૧૯૩૧ ખબરદાર કનકેત્સવ , , આપણી કવિતા સમૃદ્ધિ , ૧૯૩૨ મુનશીનાં સામાજિક નાટકો
४६
Page #80
--------------------------------------------------------------------------
________________
४७
નં.
પત્રનું નામ.
૧ ‘અનાવિલ પાકાર’ ૨ ‘અનાવિલ’
૩ ‘આત્માનઃ પ્રકાશ’ ૪ અભ્યાસ ગૃહ પત્રિકા
૫ ‘આનન્દ વર્ષો’ ૬ ‘આ પ્રકાશ’ ૭ ‘આયુર્વેદ વિજ્ઞાન' ૮ ‘આરેાગ્ય પત્રિકા' ૯ ‘આરેાગ્ય’
',
૧૦ ‘આયુર્વેદ રહસ્યાક ૧૧ ‘આરામ’
૧૨ ઇન્ડિયન ઓપિનિયન
૧૩ ‘ઇન્સાફ’ ૧૪ ‘ઇમ’
૧૫ ‘ઊર્મિ’
૧૬ ‘એમ્પાયર’ ૧૭ ‘ઔદિચ્ય-ન્યાતિ’ ૧૮ ‘ઔદિચ્ય-પ્રકાશ'
ગુજરાતી સામયિક પત્રાની યાદી
પ્રસિદ્ધિનું કેટલામું વર્ષ.
સ્થળ.
સુરત
સુરત
ભાવનગર
પાટણ
વડનગર
આણંદ
મુંબાઇ
અમદાવાદ
પ્રીનીકસ
(નાતાલ)
અમદાવાદ | ૨-જી
વડાદરા
} -3 ૧૮-મું
મુંબાઇ
૨-જી
૩૧-મું
મુંબાઇ
૧૦-મું
૧-લું
સુરત
કરાંચી
૩૦-મું
૭-મું
૧-લું
૨૯-મું
૧૫-મું
૧૩-મું
૩-જી
૧-૯
૧-લું
સુરત
વડાદરા ૧-લું
૧૨-મું
કળસાર (તળાજા)
તંત્રનું પૂરૂં નામ.
મણિભાઈ ડાહ્યાભાઇ ગજેન્દ્ર હકુમતરાય દેસાઇ શ્રી જૈન આત્માનંદ સભા નટવરલાલ માધવલાલ રાવળ લક્ષ્મણરામ કાશીરામ રામી સ્નાતકશ્રી મણિરાજ દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી શકરલાલ પાનાચંદ શાહ ધી. રેડ ક્રાસ સાસાયટી-વડાદરા ડા. પુરૂષાત્તમ બી. શસ્ત્રવદ્ય નંદલાલ ચુનીલાલ ખેાડીવાળા શ્રીયુત મણીલાલ ગાંધી
મુન્શી ફ્ર્હખાન અહમદખાન ઇબ્રાહીમ અહમદ મીરઝા ઇન્દુલાલ ગાંધી સી. ડી. દારૂવાલા હરગોવિંદ રેવાશંકર મહેતા નારાયણજી ગેાવર્ધનરામ કળસારકર
પત્રના પ્રકાર,વાર્ષિક લવા
જન્મ.
માસિક
""
""
ત્રૈમાસિક
,,
અઠવાડિક
માસિક
ત્રૈમાસિક
માસિક અઠવાડિક
માસિક
""
""
,,
""
""
૨-૦-૦
010
-૪-૦
*
૧-૨
..
૪-૦-૦
...
10
૨૮-૦
3-8-0
સાયિક પત્રાની યાદી
Page #81
--------------------------------------------------------------------------
________________
૧૯ અંજલી ૨૦ ‘કમર’
૨૧ ‘કડીઆ યુગાન્તર’ ૨૨ ‘કલામ‘દિર’
૨૩ ‘કડીઆ ક્ષત્રિય પ્રકાશ’ ૨૪ ‘કચ્છ’ ૨૫ ‘કાયસ્થ’ પત્રિકા
૨૬ ‘કાયિાવાડ ટાઇમ્સ' ૨૭ ‘કેળવણી પ્રકાશ' ૨૮ ‘કુમાર’ ૨૯ ‘કાલિ’ ૩૦ ‘કેસરી’ ૩૧ ‘કૈસરે હિન્દ' ૩૨ ‘કૌમુદી’ ૩૩ ‘ખડાયતા મિત્ર' ૭૪ ‘ખાદી પત્રિકા' ૩૫ ‘ખ્રિસ્તી બંધુ’ ૩૬ ‘ખેડા વતમાન' ૩૭ ‘ખેતીવાડી વિજ્ઞાન’ ૩૮ ‘ખેડુત પ’ચાંગ’ ૩૯ ‘ખારશેદ પ્રકાશ' ૪૦ ‘ગપસપ’
૪૧ ગ્રામ્ય જીવન સહકા
અને ખેતી’ ૪૨ ‘ગુજરાત શાળાપત્ર'
અમદાવાદ | ૧-લું
૩
૧-લું
૧-૩
2-oj.
સુરત
ધારાજી
મુંબઇ
અંજાર
રાણપુર
સુરત
રાજકોટ
સુરત
અમદાવાદ
રાજકોટ
""
મુંબાઇ
વાદરા
રાણપુર
સુરત
છ-મું
અમદાવાદ | ૧૯–મું
-ડું
૧-૯
૭૩–મું
૨૧-મું
૧૬-મું
૫-મું
ખેડા
લીંબડી
વડેાદરા
કરાંચી
૪-૩
૪૭–મું
૫-મું
મુંબઇ
વડાદરા
૧૦-મું
પુ. ૨
વર્ષોં ૯ મું
૫૧-મું
૪૬-મું
૪-૩
અમદાવાદ ( ૭૨-મું
વિર ચીરાય ભાઈલાલ મેાદી
મુહમ્મદ સમાન સુરતવાલા મગનલાલ જી. પરમાર ભાનુપ્રસાદ વ્યાસ દેવરામ ડાહ્યાભાઈ વરૂ નાનજી લાલજી પરમાર પ્રાણલાલ ઉમેદરામ મહેતા
એ. ટી. વઝીરાણી મિસ. એમ. ઇ. ન્યૂટન રવિશંકર મહાશંકર રાવળ મેાહનલાલ ગામી
|
| ઝુલચંદ માવાણી
એરચશા આર હીર મેહદીન
વિજયરાય કલ્યાણરાય કેશવ હ. શેટ
વિઠ્ઠલદાસ વસનજી જેરાજાણી
જે. એમ. બ્લાઉ શેઠ સામચંદ પાનાચ’દ દુલેરાય છેટાલાલ અંજારિયા ખેતીવાડી ખાતું–વડાદરા રાજ્ય એદલજી ન. રાંદેરીયા મેજનજી ભીખાજી મહાશંકર સામેશ્વર પાક
મૂળજીભાઈ હીરાલાલ ચોકસી
દ્વિમાસિક માસિક
,,
સાપ્તાહિક
પાક્ષિક અટવાડિક
માસિક
ખાય-વીકલી ૫ત્રૈમાસિક માસિક અવાડિક
માસિક
માસિક
""
""
""
અઠવાડિક માસિક
વાષક
માસિક
માસિક
ત્રૈમાસિક
માસિક
...
-2-2
અઠવાડિક ૧૫-૦-૦
પ્~~
૧
.
-.
૩-૦
O
૨
.
.
.
-૮-૦
010
10
3-0
૩-૦-૦
-ò
✪
૧-૮-૦
ગ્રંથ અને ગ્રંથકાર, પુ. ૪
Page #82
--------------------------------------------------------------------------
________________
૪૭ ‘ગુણસુંદરી’ ૪૪ ‘ગુજરાત’ ૪૫ ‘ગુલઝારે હકીમી’
૪૬ ‘ગુજરાતી પચ’ ૪૭ ‘ગુજરાતી’ ૪૮ ‘ગુજરાત ટાઈમ્સ’
૪૯ ‘ગુજરાત મિત્ર તથા
પર ‘ગુજરાત સમાચાર’ ૫૩ ‘પ્રજાબંધુ’ ૫૪ ‘શ્રી ગોગ્રાસ’ ૫૫ ‘ચરેાતર’ ૫૬ ‘ચિત્રપટ’ ૫૭ ‘ચેતનયુગ’ ૫૮ ‘છાત્રાલય’
૫૯ ‘છાત્રતેજ’
પુ. ૧૯ મું/ ૪-૩ બુરહાનપુર | ૨૪–મું અમદાવાદ ૩૩-મું
૦ ‘જય સ્વદેશી’ ૬૧ ‘જામે જમશેદ’ દર ‘જામે સાંકી’
૭ ‘જીવયા’
મુંબઇ સુરત
ગુજરાત દર્પણું
૫૦ ‘શ્રી ગુજરાત ખેતીવાડી અને ભરૂચ હુન્નર ઉદ્યોગ ત્રૈમાાસક'
૫૧ ‘ગુજરાત પત્રિકા'
મુંબઇ
નડિયાદ
સુરત
અમદાવાદ
""
99
મુંબઈ
વડાદરા
મુંબઈ
અમદાવાદ | ભાવનગર
સુરત
રાણપુર મુંબઈ
""
૫૪–મું
છ-મું
૭૧–મું
૧૯૯મું
૨-i
""
૩૩-મું
,,
૩-જાં
૮-મું
૨
છ-મું
૫-મું
૧-૩ ૧૦૧–મું
૧-૩
યજ્ઞેશ હ. શુકલ રમણલાલ છેટુલાલ દેસાઇ હસનઅલી અબદુલઅલી સેામાલાલ મંગળદાસ શાહ નટવરલાલ ઇચ્છારામ દેસાઈ માણેકલાલ હરજીવનદાસ શાહ ચંપકલાલ ઉત્તમરામ
અંબુ. કે. વશી
એ. સી. પરીખ
ઈંદ્રવદન બળવંતરાય ટાકાર
""
જયન્તિલાલ એન. માન્કર ભાઇલાલભાઇ ખુશાલભાઈ પટેલ નગીનલાલ શાહ
જયંત
નાનાભાઇ
વિદ્યાર્થીઓ તરફથી સી ટી. ટી. વી.
સાર્વજનિક હાઇસ્કુલ
ભીમજી હે.
પીરાજ શાહ જહાંગીર મરઝખાન
સુંદરજી પડયા જયન્તિલાલ એન. માન્કર
માસિક દૈનિક અઠવાડિક
,,
,,
""
,,
ત્રૈમાસિક
અવાડિક દૈનિક અઠવાડિક
માસિક
""
અઠવાડિક
માસિક છ માસિક
અઠવાડિક
દૈનિક અઠવાડિક માસિક
~\-~~
૧૨-૦૦
૪-૦-૦
૪-૦-૦
૪-૦-૦
૪-૮-૦
૬
૨૦-૦
૧૦——
૪-૦-૦ 8—0—0
૧૦-૦
-૮-૦
૨
૪-૭
.
2~3
સાયિક પત્રાની યાદી
Page #83
--------------------------------------------------------------------------
________________
૬૪ જૈન જાગૃતિ' ૬૫ ‘જૈન જ્યંતિ’ ૬૬ ‘શ્રી જૈન ધર્મ પ્રકાશ' ૬૭ “જૈન પ્રકાશ”
૬૮ ‘જૈન’
૬૯ ‘જૈન યુગ’ ૭૦ ‘જ્યેાતિ’
૭૧ ‘ઝાંઝીબાર વાઇસ'
૭૨ ધી ટાંગાન્તીકા હેરલ્ડ' ૭૩ ‘ડીટેક્ટીવ’
૭૪ ડેલી ન્યુસ ૭૫ ‘તરૂણ’ ૪ ૭૬ ‘તરૂણ સૌરાષ્ટ્ર' ૭૭ ‘તપેાધન’
૭૮ ‘તિલકાઇટ’
૭૯ ‘ત્રિવેદી મેવાડા વમાન ૮૦ ‘દશાલાડ પત્રિકા’ ૮૧ ‘દક્ષિણામૂર્તિ’ ૮૨ ‘દેશી મિત્ર’
૮૩ ‘દીન’
૮૪ ‘દેશી મિત્ર’
૮૫ ‘દેશી રાજ્ય’ ૮૬ ધર્મ-મઙગલા
મુંબાઈ
અમદાવાદ
99
ભાવનગર ૪૮-મું મુંબઇ
૨૦-મું
ભાવનગર ૩૧–મું
મુંબઇ
ભાવનગર
૧૧-મું
૪૩ ૧-લું
દારેસલામ સુરત
મુંબઇ
કરાંચી
મુંબઇ
ભચ
મુંબઈ
-લું
અમદાવાદ
અંધેરી
ભાવનગર
સુરત
અમદાવાદ
૪-થુ
૧-લું
૨
૨૩–મું
૧-લું
૨૩–મું
૯-મું
૧-લું ૯-મું
૬ ૫–મું
સુરત નડીઆદ
પ–મું અમદાવાદ | ૬-હું
રા. ડાહ્યાલાલ મણીલાલ મહેતા ધીરજલાલ ટોકરશી શાહ જૈન ધર્મ પ્રસારક સભા
""
હ દંદ્ર કપુરચંદ દેાશી (શ્વેતામ્બર્ | અઠવાડિક સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ)
દેવચંદ દામજી કું ડલાકરે મેાહનલાલ દલીચંદ દેશાઇ વેણીશંકર ગે. ભટ્ટ
ડા. પ્રાણલાલ જે. મહેતા શિવલાલ ત્રિ. મહેતા
અંબાલાલ શામળદાસ ભટ્ટ
બાબુલાલ હીરાલાલ શુકલ
માસિક
લક્ષ્મીપ્રસાદ ભટ્ટ
કાન્તિલાલ ભગવાનદાસ રાંદેરિયા
માલિકા-ધી હેરલ્ડ પ્રેસ'–દારેસલામ દૈનિક ‘મધુકર’–સાકરલાલ મગનલાલ કાપડીઆ ઉષાકાન્ત પડયા
અઠવાડિક
દૈનિક
અઠવાડિક
નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ મગનલાલ વનમાળીદાસ જહાંદારશાહ બિહારી મગનલાલ વનમાલિદાસ જયંતિલાલ મેારારજી મહેતા નગીનદાસ પુ. સંધવી
""
માસિક
""
માસિક અઠવાડિક
ત્રૈમાસિક
ત્રૈમાસિક
અઠવાડિક
99
માસિક અટવાડિક
<-O
{~~~
9-92-0
---
૪
010
⠀⠀⠀⠀
૫-~~
૧-૮-૦
૩-૦-૦
10
010
10
010
૩-૮-૦
~~~~~.
૧~~~~ ~ ~
ગ્રેંચ અને ગ્ર ંથકાર પુ. ૪
Page #84
--------------------------------------------------------------------------
________________
માસિક
[ ૬–૦–૦
૫ –૦-૦
૦
૫
–૮
–૦
૧૬-મું
| અઠવાડિક
૦
૦
દૈનિક
અઠવાડિક | .. માસિક | ૨– ?
by
૦
૦
૮૭ “નવરાશ ૮૮ નવરંગ' ૮૯ “નવચેતન” ૯૦ “નવયુગ” ૯૧ નવરોઝ ૯૨ “નવે ગુજરાત” ૯૩ “નવ ભારત ૯૪ નવી દુનિયા ૯૫ “નાગર-જગત’ ૯૬ “નાગર–જ્યોતિ ૯૭ “નાગરિક
૯૮ “નાગર ચેતન કે ૯૯ “નૂતન યુગ”
૧૦૦ “નૂતન જ્યોતિ ૧૦૧ પ્રબોધ પત્રિકા ૧૦૨ “પ્રબુદ્ધ જૈન ૧૦૩ “પ્રબોધ' ૧૦૪ “પ્રસ્થાન ૧૦૫ “પ્રજાપતિ ૧૦૬ “પ્રતાપ
૦
કરાંચી |
૨૬. . : (0.
મુંબઈ ૩ર-મું | મેહરબાઈ માણેકજી દાવર
૧૬-મું મેહેરાં અરદેશર દેશાઈ કલકત્તા ૧૧-મું ચાંપશી વિઠ્ઠલદાસ ઉદેશી મુંબઈ ૪-થું પી. જે. ભટ્ટ કલકત્તા
એદલજી નવરોજી કાંગા વડોદરા
ડો. ચીમનલાલ મગનલાલ મુંબઈ
ખંડુભાઈ આર. દેસાઈ અમદાવાદ
ધીરજલાલ ટોકરશી શાહ જેઠાલાલ નાથાલાલ દવે ડાહ્યાલાલ જયશંકર મહેતા
ચન્દ્રશંકર બુચ અમદાવાદ ૧-લું
વિઠ્ઠલરાય નાનાલાલ પંડયા મુંબઈ
૨- રતિલાલ ભનજી ઠક્કર અમદાવાદ | ૧-લું વિષ્ણુપ્રસાદ કેશવલાલ ત્રિવેદી મુંબઇ
હિંમતિરામ છોટાલાલ શર્મા ૨-જી ચન્દ્રકાન્ત વી. સુતરીયા અમદાવાદ
ભીખુભાઈ વી. ભટ્ટ પુ. ૧૫ મું / રામનારાયણ વિશ્વનાથ પાઠક
૧૧-મું | જીવનલાલ ગરબડભાઈ પ્રજાપતિ સુરત ૩-જું કાલિદાસ કૃપાશંકર શેલત
૭-મું
ત્રિમાસિક | ૩ ૦–૦ માસિક ૨-૦ – ૦ અઠવાડિક | ૫–૦– માસિક અઠવાડિક
૦
સામયિક પત્રોની યાદી
K
૦
૦
૦
-
૦
૦
૦
૦
૦
૦
૦
ચીખેદરા જામનગર
૮-મું
માસિક
૧૦૭ “પ્રચારક ૧૦૮ “પ્રણામી ધર્મ પત્રિકા ૧૦૯ “પ્રકાશ શ્રી કચ્છી દશા
ઓશવાળ
|_| ૨–૦-૮
૪–શું
ચન્દ્રમણિ મોતીલાલ પં. કૃષ્ણદત્ત શાસ્ત્રી પદમસી દામજી ખોના
પખવાડિક | ૨–૦–૦ ||
Page #85
--------------------------------------------------------------------------
________________
૧૧૦ ‘પ્રજામિત્ર–કેસરી ૧૧૧ પારસી સંસાર અને
લેાક સેવક’
૧૧૨ ‘પાટીદાર’ ૧૧૩ ‘પિતૃભૂમિ’ ૧૧૪ ‘પુસ્તકાલય’ ૧૧૫ ‘શ્રી પુષ્ટિ પીયૂષ’ ૧૧૬ ‘પૂર્ણિમા’ ૧૧૭ ‘પેાલ પત્રિકા’ ૧૧૮ ‘પંચાલ દીપક’
૧૧૯ ‘ફુલવાડી’ ૧૨૦ ‘ફુલછાબ’ ૪ ૧૨૧ ‘કુરસદ’ ૧૨૨ ‘ફેવરીટ’
મુંબાઇ કરાંચી
૧૨૮ ‘બાલજીવન’
૧૨૯ ‘બાળવાડી’ ૧૩૦ ‘બાળક’
૧૩૧ ‘બાલેાદ્યાન’ ૧૩૨ ‘ખાલમિત્ર’
આણંદ
જામનગર
વાદરા
નડિયાદ
સૂરત
મુંબાઇ
અમદાવાદ
.99
રાણપુર મુંબાઈ મુંબાઈ
૧૨૩ ‘બંસરી’ ૧૨૪ ‘બહુરૂપી’
સુરત રાણપુર
૧૨૫ બ્રહ્મક્ષત્રિય ત્રિમાસિક' | મુંબઇ
૧૨૬ ‘બ્રહ્મદેશ’ ૧૨૭ ‘ખમાં વર્તમાન’
રંગુન
રગુન
વડાદરા
સુરત
ગાધરા
વાદરા
આણંદ
૧૮-મું
૨૫–મું
૧૦-મું
૧ લું
૮ મું
૧-લું
૧-લું
ઘન ફૂટ છે. મૂળ
પુ. ૧-લું
૩
૨૫-મું
3-808
૧૧-મું
૧૩–મું
૬ – ૧૧-મું
૨-જાં
૧૨-મું
સીતારામ જે. શમાં મી. જહાંગીર . પથકી
નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ
જમનાદાસ વસનજી ટક્કર નાનાભાઇ ચંદ્રશેખર દીવાનજી હિરશંકર એકારજી શાસ્ત્રી ચન્દુલાલ વ્યાસ (મયૂખ) નાગરદાસ ગઢીઆ
ચંદુલાલ એન. ગજ્જર કાન્તીલાલ કાકા ગુણવંતરાય આચાર્ય કે. આર. ભાયા.
રતનશાહ ફરામજી અચારીઆ
શાંતિલાલ મગનલાલ શેટ ચંદુલાલ જેઠાલાલ વ્યાસ કેશવપ્રસાદ છેોટાલાલ દેસાઈ એમ. એસ. દેસાઇ
એ. આર ભીમાણી રમણલાલ નાનાલાલ શાહ મિસ. એલ. એક. આસ્ટિન ભીખાભાઇ પુરૂષાત્તમ વ્યાસ ચન્દ્રશ’કરમણિશંકર ભટ્ટ રામભાઈ ગ. પટેલ
હેવાડિક
આઇ-વીકલી
માસિક
""
,,
,,
અઠવાડિક અઠવાડિક માસિક
માસિક
અઠવાડિક
માસિક
""
અઠવાડિક અઠવાડિક
ત્રૈમાસિક અઠવાડિક
માસિક
,,
,,
ઃઃ
: :
૨-૦-૦
૩-૦-૦
૩-૮-૦
૨-૦૦
૪-૦-૦
૪-૦-૦
૧-૦-૦
૩-૦-૦
૫-૦-૦
૨-૦-૦
૨-૦-૦
૫-૦-૦
૧-૮-૦
-~
૩-૦-૦
૩૦-૦
010
-L-0
-6-0
૪-૭-૦
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪
Page #86
--------------------------------------------------------------------------
________________
૧૩૩ ‘બિરાદર’ ૧૩૪ ‘બુદ્ધિપ્રકાશ’ ૧૩૫ ‘એ ઘડી મેાજ’ ૧૩૬ ‘બેકાર’
૧૩૭ ‘બૃહદ્ ગુજરાત’ ૧૩૮ ‘ભરૂચ સમાચાર' ૧૩૯ ‘ભાટીયા યુવક’ ૧૪૦ ‘ભાગ્યેાદય’ ૧૪૧ ‘ભાવસાર અભ્યુદય’ ૧૪૨ ‘મહીકાંઠા-વત માન’ ૧૪૩ ‘મનરજન’ ૧૪૪ ‘મજૂર સંદેશ’ ૪ ૧૪૫ ‘મહિલા ભૂષણ ૧૪૬ ‘ભાતૃભૂમિ’ ૧૪૭ ‘માળી મિત્ર’ ૧૪૮ ‘મિજલસ’
૧૪૯ ‘મુંબઈ સમાચાર’
-૧૫૦
,,
૧૫૧ ‘માઢન્દુ’ ૧પર ‘માઢ મહાદય’
૧૫૩ ‘મેઢ અભ્યુદય’ ૧૫૪ ‘મેાજ મજા’ ૧૫૫ ‘મેાતી ડેલી ન્યુઝ’ ૧૫૬ ‘માઢ તરૂણ’ ૧૫૭ ‘મુંબાઇ’
રાણપુર ૧-૯ અમદાવાદ | ૭૯-મું મુંબાઈ ૯ મું મુંબઈ
નાઇરાખી
ભરૂચ
મુંબાઈ
અમદાવાદ
બરવાળા
અમદાવાદ
અમદાવાદ
અમદાવાદ
વડનગર
અમદાવાદ
મુંબાઇ
૧લું
૧૦-મું
સુરત
૧૩–મું
અમદાવાદ ૨-જાં
,,
કરાંચી
ભાવનગર
ભચ
મુંબાઇ
૧-૩
૧-૩
""
કલકત્તા
મુંબાઈ
૫૫–મું
૪-૩
૨૦-મું
૧-લું
૩
૧૯
૧-૩
૧૧૪-મું
,,
૪-૩
૯-મું
૧-લું
""
23
ચંદુલાલ જેટાલાલ વ્યાસ હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ
‘શયદા’
જમનાદાસ કે. પરીખ ઉછરંગરાય કે. ઓઝા
જેહાંગીર અરદેશર ગાંધી
ડુંગરસિંહ હરીદાસ દગાઇ જેઠાલાલ દેવશંકર દવે
મનુભાઇ લલ્લુભાઇ જોધાણી શાંતિલાલ દીનાનાથ
શાંતિલાલ દીનાનાથ મહેતા
શામપ્રસાદ રૂપશંકર વસાવા કમળામ્હેન પ્રભુશંકર વ્યાસ શકરપ્રસાદ એસ. નાણાવટી લક્ષ્મણરામ કાશીરામ રામી લક્ષ્મીપ્રસાદ એ. વારા
જયંતિલાલ હાથીભાઇ અમીન
...
વિશ’કર હું. પંડયા પારેખ ભીખાભાઇ ગેાપાળજી ડાહ્યાભાઇ છગનલાલ માસ્તર જયશંકર ખેાડીદાસ દ્વિવેદી એફ. યુ. મનહર વરજીવન ગેાપાળજી પરીખ વ્રજલાલ કાપડિયા
માસિક ત્રૈમાસિક અઠવાડિક
પાક્ષિક
માસિક
અઠવાડિક
માસિક
ત્રૈમાસિક પખવાડિક અઠવાડિક
,,
માસિક અઠવાડિક
માસિક
અઠવાડિક
દૈનિક અઠવાડિક
માસિક
અઠવાડિક
દૈનિક
ત્રૈમાસિક અદ્દવાડિક
310-0
૧-૮-૦
---
.
-0
L-0
૩૦-૭
૧-૮-૦
૩-૦-૦
૨-૪-૦
૧-૦-૦
૨-૦-૦
૪-૦-૦
૧-૦-૦
૩-૪-૦
૨૫-૦-૦
9-૦-૦
૧-૪-૦
૧-૧૨-૦
૨-૦-૦
૪–૪-૦
૦-૧૦-૦
સાયિક પત્રાની યાદી
Page #87
--------------------------------------------------------------------------
________________
-
૩જું
| માસિક
૨-૧૩
૦
કરજણ રાણપુર કરાંચી રાજકેટ મુંબાઈ
*ો
અઠવાડિક
૦
'
૪-૦૦
૦
-
૧૫૮ “યુવક ૧૫૯ “કાઠી રાજપૂત” ૧૬૦ “રસકુંજ' ૧૬૧ રંગભૂમિ' ૧૬૨ “રવિવાર ૧૬૩ “રમતારામ” ૧૬૪ “રાજસ્થાન ૧૬૫ “લલિત ૧૬૬ લહાણ હિતેચ્છું ૧૬૭ “લોકલ મીલ’ ૧૬૮ “વસુંધરા
૧૬૯ ‘વસંત હું ૧૭૦ “વતન
૧૭૧ “વાડામિત્ર' ૧૭ર “વ્યાયામ” ૧૭૩ ‘વ્યાપારી જગત’ ૧૭૪ “વીસમી સદી' ૧૭૫ “વિચારક ૧૭૬ વિશ્વ જ્યોતિ' ૧૭૭ “વિલાસ” ૧૭૮ “વિશ્વ પ્રકાશ” ૧૭૯ “વીરાંગના ૧૮૦ “કાતરયું ગેપ ૧૮૧ “વૈદ્ય કહપતરૂ’ ૧૮૨ “વિજય’
૦
ચુનીલાલ પુરૂષોત્તમદાસ શાહ ભગવાનજી ભીમજી સાવરકર એ. એલ. સંઘવી મૃદુલ ઉષાકાન્ત જે. પંડયા નેમચંદ ગુલાબચંદ એ. સી. પરીખ બી. બી. ભટ્ટ લાલજી નાગજી ગણાત્રા ગૌરીશંકર આર. મહેતા ચતુર્ભુજ નાગરદાસ આચાર્ય આનન્દશંકર બાપુભાઈ ધ્રુવ છગનલાલ ભવાનીશંકર મહેતા ન્હાનાલાલ નાથાભાઈ શાહ ધેડો નારાયણ વિદ્વાંશ જે, કે. મહેતા મણિલાલ ઈચ્છારામ દેસાઈ માણેકલાલ જગજીવનદાસ ચેસી પ્રભુશંકર નરભેરામ વ્યાસ પ્રભુદાસ વિ. ઠક્કર મણિલાલ નભુભાઈ દોશી શ્રીમતી લીલાવતી ટી, કાપડીઆ
ITT ***TTTTTIITITITITITITI
૦
૩
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪
—
અમદાવાદ ૫–મું
૧-લું રાજકોટ ૧૮-મું અમદાવાદ કરાંચી અમદાવાદ | ૩૧-મું
૨-જુ વડેદરા ૭–મું
૧૮-મું ૨૬-મું
૧૩-મું વડેદરા ૧-લું સુરત ૧૩-મું મુંબાઈ | ૮-મું અમદાવાદ | ૫-મું મુંબાઈ ૨-જું
૧૦-મું અમદાવાદ | ૩૮-મું
6
૦.
| | | | | | | | | | |
મુંબાઈ
અઠવાડિક | ૪-૦૦ માસિક ૧ –૮ –૦
અઠવાડિક ૪–૮–૬ દિવાર્ષિક ! – માસિક અઠવાડિક ૫ -૦માસિક માસિક
૨ –૮ –૦ ત્રિમાસિક
૪–૮ –૦ અઠવાડિક ૭-૦ –૦ માસિક ૧ -૦ -૦
૩ – –૦ અઠવાડિક | ૩–૮–૦ માસિક અઠવાડિક | ૨–૦–૦
૨ –૦—૦ માસિક ૩૦–
૧ -૪ -૦
૦
વૈદ્ય રવિશંકર જટાશંકર ત્રિવેદી કચરાભાઈ કાલિદાસ ભગત
Page #88
--------------------------------------------------------------------------
________________
૧૮૩ ‘શારદા’ ૧૮૪ ‘શિક્ષણપત્રિકા’ ૧૮૫‘શુદ્દાદ્વૈત અને ભક્તિમાર્તંડ' ૧૮૬ ‘સનાતન ધર્મ પત્રિકા' ૧૮૭ ‘સમાજ સેવક’ ૧૮૮ ‘સયાજી વિજય’ ૧૮૯ ‘સત્યમિત્ર’
૧૯૦ ‘સહકાર પત્રિકા' ૧૯૧ ‘સદાબહાર’ ૧૯૨ ‘સમાજ જીવન ૧૯૩ ‘સમાજ સ્વાસ્થ્ય’ ૬ ૧૯૪ ‘સમસ્ત લાડમિત્ર ૧૯૫ ‘સાધુ સંતેાની ફૂલવાડી’ ૧૯૬ ‘સારસ્વત જીવન’ ૧૯૭ ‘સાહિત્ય’
૧૯૮ ‘સાકી’
૧૯૯ ‘સાધુ પ્રકાશ’ ૨૦૦ ‘શ્રીમાળી શુભેચ્છક’ ૨૦૧ ‘સીનેમા ફેન’ ૨૦૨ ‘મુસલિમ-સમાચાર’
૨૦૩ (સીનેમા ખુલેટીન' ૨૦૪ ‘શ્રીમેધ’ ૨૦૫ ‘શ્રીમાળી હિતેચ્છુ’
વડાદરા ભાવનગર
અમદાવાદ મુંબાઇ ૩
બુરહાનપુર | ૧- લું વાદરા
મુંબાઇ
સુરત
પેટલાદ
,,
""
૧૪-મું ૧-૩ અમદાવાદ | ૧૫-મું મુંબાઇ ૨-જી
૧૧-મું
૧-લું
,,
વડાદરા
મુંબાઈ
ભાવનગર
અમદાવાદ
મુંબાઈ
"
મુંબાઇ
૯-મું
૭-મું
>>
મહુવા
""
૪૧–મું
...
""
૨૧-મું
૧-લું
૩-જી
૧૪-મું
૯-મું
૩-જ
૨-જુ
૭૭ મું
૩-જી'
ગોકુળદાસ દ્વારકાંદાસ રાયચુરા ગિજુભાઈ વસંતરામ હરિકૃષ્ણે શાસ્ત્રી નારણુજી પુરૂષોત્તમ સાંગાણી રÐાડલાલ ધનસ્યામલાલ નાની માણેકલાલ એ. ડૅાકટર
નાનાભાઈ લાલભાઈ વકીલ પડાણ માહંમદખાં સરાજખાં શ્રી લક્ષ્મીમ્હેન ગેા. ડાસાણી ર. ધાં. કર્યું
ગંગાદાસ મેાતીલાલ શેઠના
વ્રજલાલ લલ્લુભાઈ શાહ પ્રભુરામ પ્રભાકર જોશી મગન હરગાવિંદદાસ કાંટાવાળા
કાકીલ અને શરીફ પુરુષોત્તમદાસ ગોવનદાસ ત્રંબકલાલ શિવશ’કર ત્રિવેદી
ભાગીકુમાર બી. એ. સૈયદ એ. ખી. મુનશી
નરસિંહદાસ પી. ઠક્કર શ્રી પુતળીબાઇ કાબરાજી ત્રિભુવન ઇશ્વરલાલ ત્રિવેદી
માસિક
,,
""
અઠવાડિક માસિક અઠવાડિક
ત્રૈમાસિક માસિક
,,
99
ંમાસિક માસિક
,,
,,
""
""
,,
અહેવાડિક
""
અવાડિક
માસિક
..
૪
૧
૧
-O
....
-.
..
0-0
010
...
.
=
O
.-.
<10
૪-૦-૦
૪૦.
૭-૧૨-૦
૧-૩-૦
સાયિક પત્રાની યાદી
Page #89
--------------------------------------------------------------------------
________________
છે
છે
"
:
I
o
6
| સૂર્યલક્ષ્મી ધર્મદાસ ડોકટર માસિક | પ––– નાગજીભાઈ ગોવિંદભાઇ રમણલાલ ભટ્ટ
અવાડિક રમણલાલ પ્રેમાનંદ ભટ્ટ
માસિક મૂળજીભાઈ ચતુરભાઈ પટેલ
ત્રિમાસિક જહાંગીર રૂસ્તમ છો
દૈનિક નંદલાલ ચુનીલાલ બેડીવાળા ચંદ્રશંકર પ્રાણશંકર શુકલ અઠવાડિક પુરૂષોત્તમ લલ્લુભાઈ ગુપ્તા
માસિક રવિશંકર વિઠ્ઠલજી મહેતા કમળાદેવી ચીમનલાલ જોષી | અઠવાડિક મીસ. બઈઆની લીમજી પાલમકોટ માસિક ચન્દ્રમણ મેતીલાલ .
ITIMIT:TITIT IIT
દૈનિક
૨૦૬ સ્ત્રી-શક્તિ' . | સુરત | ૨- ૨૦૭ સુધારક,
વડોદરા | ૭-મું ૨૦૮ “સુદર્શન’ . અમદાવાદ | ૧-લું. ૨૦૯ “સેવા”
૨-જુ ૨૧૦ “સૌરાષ્ટ્ર શિક્ષક - | રાજકોટ | -૬ ૨૧૧ “સાંજ વર્તમાન” મુંબાઇ ૩૧-મું ૨૧૨ “સંદેશ”
અમદાવાદ | ૧૦-મું ૨૧૩ “હારજન બધુ પૂના ૧ લું ૨૧૪ “હિતેચ્છું
વલસાડ ! ૭--મું ૨૧૫‘હિંદુસ્તાન અને પ્રજામિત્ર મુંબાઈ ૧૯-મું ૨૧૬ ‘હિંદુ અને હિંદુ તિ’ |
૨૧૭ “હિંદી-ગ્રાફીક કે ૨૧૮ “હિંદુ પત્રિકા ચીખેદરા | ૬-કું
૨૧૯ ‘હિન્દુ-સમાજ કરાંચી ૫-મું ૨૨૦ “હિત વર્ધક
મુંબઈ: ૨-જુ ૨૨૧ “ક્ષત્રિય મિત્ર’
ભાવનગર ૧-લું . ૨૨૨ “ક્ષત્રિય માળી મિત્ર' | વડનગર ૨૨૩ “જ્ઞાનવર્ધક
મુંબઇ ૨૨૪ “જહાંગીર
અમદાવાદ | ૧-લું ૨૨૫ ડેલી સમાચાર મુંબાઈ | ૧-લું ૨૨૬ “ભાગ્યસિદ્ધિ
અમદાવાદ, ૧-લું ૨૨૭ ‘પ્રતાપ
સુરત | ૮-મું
o) |
૪૨–મું
૦
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪
૫
o
o
મૂળશંકર જાદવજી વ્યાસ રણછોડલાલ ઘનશ્યામ જ્ઞાની ધીરસિંહ હેરાભાઈ ગોહિલ લક્ષ્મણરામ કા.
દ્વિમાસિક માસિક
o
o '' :
એસ. બુરાનપુરી શ્રી “શૈલેષ” મોહનલાલ મંગળદાસ શાહ | કાલિદાસ કૃપાશંકર શેલત.
અઠવાડિક ૫ –૦-૦
૪ –૦ - ભાસ અવાડિક | ૩-૦-૦
૦
Page #90
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાષા સાહિત્યના અભ્યાસ અર્થે સહાયક ગ્રંથા
ગુજરાતી ભાષા સાહિત્યના અભ્યાસ અર્થ માગદર્શીક અને સહાયક પ્રથાની સૂચી
[ ચાલુ વર્ષોંમાં જે. એમ. રાખ`સન સંકલિત * Courses of Study ” એ નામનું પુસ્તક જોવામાં આવ્યું; અને એ દૃષ્ટિએ ગુજરાતી ભાષા સાહિત્યના અભ્યાસમાં સુગમ થઈ પડે એવાં ઉપયેાગી પુસ્તકાની એક યાદી તૈયાર કરવાના વિચાર સ્ફૂર્ક. તે માટે કાલેજના ખી. એ, ના વર્ગમાં અભ્યાસ કરતા ગુજરાતીના વિદ્યાર્થીઓ તરફથી એવી એક યાદીની માગણી પણ થતી હતી. ઉપલબ્ધ સાધના પરથી તે અત્રે આપી છે, પણ તે સંપૂર્ણ વા સ દેશી હાવાના દાવા કરતી નથી.........સુપાદક ] નરસિંહરાવ ભેાળાનાથ——
Gujarati Language aud Literature, Vols I & II (MacMillan & Co )
[Wilson Philological Lectures ] ગુજરાતી સાહિત્યપર વ્યાખ્યાના—
વસનજી માધવજી ઠક્કર લેક્ચર્સ ( ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૨) [ ગુ. વ. સાસાઈટી ]
સ્મરણ મુકુર મનેામુકુર
ડા. શ્રીઅરસન—
*
""
Linguistic survey of India, Vol. IX, Part 2 [ ગુજરાતી પુરતા ભાગ; તેને અનુવાદ ગુજરાત શાળાપત્ર માં છપાયા છે, —ગવર્મેન્ટ બુકડીપા–દિલ્હી.
એલ, પી. ટેસેટારી—
Notes on the Grammar of the old Western Rajasthani with special reference to Apabramsha and to Gujarati and Marwadi.
[ Indian Antiquary, Vol. 43, February 1914 and following.]
સિદ્ધ હેમચંદ્ર——અધ્યાય ૮ મેા પદ ૪, સૂત્રેા [ સદરહુ સૂત્રેાને ગુજરાતી તરજુમા જૈન
ઃઃ
૫૭
૩૨૯ થી ૪૩૯ ગૂર્જર કવિયા, ભા. ૧ માં આપવામાં આવ્યા છે. ]
Page #91
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર, પુ. ૪
જે. વી. એસ. ટેલર—ગુજરાતી વ્યાકરણ જ્યાજ પી. ટેલર—
""
22
કમળાશક પ્રાણશંકર——બૃહદ્ વ્યાકરણ શાસ્ત્રી વૃજલાલ કાલિદાસ—ગુજરાતી ભાષાના ઇતિહાસ
(ઈ ગ્રેજીમાં)
[ ચેકર એન્ડ કું, મુંબાઈ ]
ઉત્સભાળા [ગુ. વ. સાસાઇટી,]
દી. બા. કૃષ્ણલાલ મેાહનલાલ ઝવેરી—
ગુજરાતી સાહિત્યના માસૂચક સ્તંભો ગુજરાતી સાહિત્યના વધુ માસૂચક સ્તંભો [ ગુ. વ. સોસાઈટી. ] ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી—સાડીના સાહિત્યનું દિગ્દર્શન [ગુ. વ. સેાસાઈટી. ] હિંમતલાલ ગણેશજી અંજારિયા—સાહિત્ય પ્રવેશિકા [એન. એમ. ત્રિપાઠીની કુ. મુંબાઈ ] જ્ઞાનવર્ધક ગ્રંથમાળા—ગુર્જર સાક્ષર જયંતિએ
[ જીવનલાલ અમરશી મહેતા. ] રમણભાઈ મહીપતરામ—કવિતા અને સાહિત્ય ૪ ભાગમાં [ ગુ. વ. સેાસાઇટી. ] પ્રેમ. અલવ'તરાય કલ્યાણરાય ઠાકાર—કવિતા પ્રવેશ લિરિક
દી. ખા. કેશવલાલ હ`દરાય ધ્રુવ—
૫
[પ્રકાશક કર્તા ]
પદ્યરચનાની ઐતિહાસિક આલેાચના પંદરમા શતકનાં ગૂર્જર કાવ્યા [ગુ. વ. સેાસાઈટી. ]
નથુરામ સુંદરજી શુકલ—કાવ્યશાસ્ત્ર
નાટયશાસ્ત્ર
દલપતરામ ડાહ્યાભાઇ—દલપત પિંગળ
[ ગુ. વ. સેાસાઈટી. ]
મણિભાઇ નારણજી તંત્રી—ગુજરાતી નવલકથાનું સાહિત્ય [એન. એમ. ત્રિપાઠી એન્ડ કું. ]
[ કર્તા પાસેથી-વાંકાનેર. ]
Page #92
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાષા સાહિત્યના અભ્યાસ અર્થે સહાયક ગ્રંથો સાહિત્ય સંસદ્——મધ્યકાલના સાહિત્ય પ્રવાહ, ખંડ ૫ મે [ કોઠારી એન્ડ કું. ] કનૈયાલાલ માણેકલાલ મુનશી—થાડાંક રસદના
[ જીવનલાલ અમરશી મહેતા. ] રામનારાયણ વિશ્વનાથ પાઠક—અર્વાચીન ગુજરાતી કવિતા ( ત્રણ વ્યાખ્યાના )
[ ગુ. વ. સેાસાઈટી. ]
ગુજરાત વિદ્યાપી મુનિશ્રી જિનવિજય—પ્રાચીન ગુજરાતી ગદ્ય સંદર્ભ
રણછે.ડભાઈ ઉદયરામ—રણ પિંગળ (ત્રણ ભાગમાં)
નાટયપ્રકાશ
[એન. એમ. ત્રિપાઠી એન્ડ કું. ] મેાહનલાલ દલીચંદ્ર ઢસાઈ—જૈન ગૂર્જર કવિયા, ભા. ૧
ભા. ૨
39
[ કર્તા પાસેથી–મુંબાઇ ]
અંબાલાલ બુલાખીરામ જાની
""
--
હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ—
[ ગુજરાત વિદ્યાપીઠ કાર્યાલય ]
ફાર્બસ સભા હસ્તલિખિત પુસ્તકાની સૂચી ભા. ૧
ભા. ૨
[ એન. એમ. ત્રિપાઠી એન્ડ કુ.]
99
દલપતરામ હસ્તલિખિત પુસ્તક સંગ્રહની સૂચી ભા. ૧ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૧ થી ૪
ગુજરાતી કારોાની સક્ષિસ યાદી:
ગુજરાત વર્નાક્યુલર સોસાઇટીને ઇતિહાસ ભા. ૧-૨ [ગુ. વ. સેાસાટી. ]
""
,,
૧. નર્મકેાશ-કવિ નર્મદાશંકર લાલશકર (મળતા નથી) ૨. ગુજરાતી શબ્દકોશ-લલ્લુભાઇ ગોકળદાસ પટેલ
–ગુ. વ. સાસાઈટી (મળતા નથી)
૩.
૪. સા જોડણી કેાશ-ગુજરાત વિદ્યાપીઠ
પ
Page #93
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪
૫. ગુજરાતી શબ્દાર્થ ચિંતામણિ-જીવનલાલ અમરશી મહેતા. ૬. ગુજરાતી ઈગ્રેજી કેશ–મલ્હાર ભીખાજી બેલસરે ૭. ,, ,, -ભાનુસુખરામ નિર્ગુણરામ મહેતા ૮. અંગ્રેજી ગુજરાતી કોશ-રાણીના અને મુસ (મળતો નથી.) ૯. અંગ્રેજી ગુજરાતી કોશ-દી. બા. અંબાલાલ સાકરલાલ ૧૦. , , , –પટેલ એન્ડ વ્યાસ ૧૧. નર્મકથા કોશ-ગુજરાતી પ્રેસ ૧૨. પૌરાણિક કથાકેશ-ડાહ્યાભાઈ પી. દેરાસરી [ગુ. વ. સેસાઇટી] ૧૩. પારિભાષિક કેશ–વિશ્વનાથ મગનલાલ ભટ્ટ (ગુ. વ. સંસાઈટી.] ૧૪. ગુજરાતી ફારસી અરબી કેશ-અમીરમિયાં હમદુમિયાં ફારૂકી
[ગુ. વ. સોસાઈટી.] ૧૫. શ્રી સયાજીરાવ શાસન શબ્દકલ્પતરૂ-વડોદરા સરકાર ૧૬. શબ્દ ચિંતામણિ–સંસ્કૃત ગુજરાતી કોશ-સવાઈલાલ છોટાલાલ
ભાવનગર (મળતું નથી ) ૧૭. સંસ્કૃત ગુજરાતી શબ્દાદર્શ ભા. ૧ અને ૨
શાસ્ત્રી ગિરિજાશંકર મયાશંકર-અમદાવાદ. ૧૮. જૈનાગમ શબ્દસંગ્રહ અર્ધમાગધી ગુજરાતી કેશ (ચાર ભાગમાં)
–મુનિશ્રી રત્નચંદ્રજી સ્વામિ. ૧૯. વૈજ્ઞાનિક કોશ–ભાનુસુખરામ નિર્ગુણરામ મહેતા.
–ભરતરામ ભાનુસુખરામ મહેતા.
Page #94
--------------------------------------------------------------------------
________________
પુસ્તકનું રૂપવિધાન
૧ રૂપરચના અને બીબાં Pો પહેલાંના ત્રણ હપતાઓમાં આપણે પુસ્તકના દેહઘડતર વિષે
જરૂરની બાબતે ટૂંકામાં જોઈ ગયા. હવે તેના રૂપવિધાન વિષે થોડું વિચારીએ.
ઘરવખરીની કઈ મામૂલી ચીજ ખરીદવી હોય છે તે પણ આપણે તે બજારમાંથી સારામાં સારી મેળવવાની ચીવટ રાખીએ છીએ. ત્યારે પુસ્તક એ તે પોતાનું સર્જન. ગ્રંથકાર તેના પ્રત્યેના અપત્યપ્રેમને કારણે તેને ઉત્તમ રૂપમાં પ્રકટ થએલું જોવા ઈ તેજાર હોય એ સ્વાભાવિક છે. પરંતુ દુર્ભાગ્યે આપણે ત્યાં ગ્રંથનું સુઘડ ને મનગમ મુદ્રણ કરી આપનારાં છાપખાનાં બહુ જ ઓછાં–આંગળીને વેઢે ગણી શકાય એટલાં છે. આથી પિતાના ગ્રંથના રૂપવિધાન માટે આતુર ગ્રંથકારને ઘણીવાર નિરાશા થાય છે. સુંદર, ઉઠાવદાર, સુઘડ ગૌરવવાળાં અંગ્રેજી પુસ્તકો રાતદિવસ એના હાથમાં આવ્યા કરતાં હોય છે, અને પિતાનું પુસ્તક પણ એવા આકર્ષક દેખાવ સાથે બહાર પડે એવી હોંશ હોય છે. પણ ઉપર જણાવેલી પરિસ્થિતિમાં એ બર લાવવી દુષ્કર જણાય છે. આવા સંજોગોમાં, ગ્રંથકારને પિતાને જ જે કાંઈક ચંચુપ્રવેશ એ બાબતમાં હોય તો કોઈ પણ પ્રામાણિક ઉત્સાહી છાપખાનદાર પાસે, સંપૂર્ણ રીતે મન માન્યું નહિ તો પણ સંતેષકારક કામ તે કરાવી શકે.
ગ્રંથના દેહઘડતર જેટલું જ વિસ્તારી તેના રૂપવિધાનનું પણ શાસ્ત્ર છે; પરંતુ આ ટૂંકા લેખમાં તે થોડાં માર્ગદર્શન કરીને જ સમેટવું પડશે. પુસ્તકની એ રૂપરચનામાં આટલી વસ્તુઓ મુખ્યત્વે સધાવી જોઇએઃ સુડોળ અને યોગ્ય બીબોની પસંદગી; પૃષાકૃતિમાં તેની પ્રમાણબદ્ધ રચના; બરોબર એકબીજાની પાછળ જ છપાએલાં પૃષ્ઠોની સુગ્રથિત–સુખચિત પૃષરચના; મનોરમ ઉઠાવ આપતી ચોતરફની કેરી જગ્યાની વહેંચણી; સુઘડ મુદ્રણ પુસ્તકની જ ભાવના પ્રગટ કરતાં યોગ્ય સુશોભન અને ચિત્રાલેખને તથા આંખને રંજક અને સુમેળવાળી રંગરચના. એ બધાં એક પછી એક જોઈએ.
ગ્રંથવિધાનનું મોટામાં મોટું અંગ તે બીબાં, જે વડે પુસ્તકને દેહ આકૃતિ પામે; એટલે એ દેહના રૂપને વિચાર કરતાં પહેલો જ વિચાર
Page #95
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪
ખીબાંને કરવાને રહે. ઈંગ્લડ-અમેરિકામાં તો અનેક રૂપ, મરોડ, ઘાટ, ડાળ, વલણ અને ઉટાવનાં ખીબાં હયાતી ધરાવે છે ને દર વર્ષે તેમાં વધારા થતા જાય છે, એટલે ત્યાં તે ગ્રંથના વિષયના પ્રકાર તથા તેની ભાવનાના પ્રમાણમાં ખીખાંની પસંદગી કરવામાં આવેછે. આપણે ત્યાં, દુર્ભાગ્યે, આ ધંધાની શરૂઆત થઇ હશે ત્યારથી બીબાંના જે મરેાડ, કદ અને ઘાટ મુકરર થયાં તેમાં ભાગ્યે જ જીવ જેવા સુધારા કે વધારા થયા છે. એટલે, પસંદગીનું ક્ષેત્ર મર્યાદિત હાવાથી જુદા જુદા ઉદ્દેશ માટે જરૂરનાં વિવિધ ભાવવહન કરતાં ખીમાંના અભાવને લીધે કામ સારવામાં અતિશય મુશ્કેલી પણ વેઠવી પડે છે.
આપણે ત્યાં બીબાંનાં જે કદ તથા પ્રકાર છે તેની નામવાર એળખ આ લેખમાળાના પહેલા જ હપતામાં અપાઈ ગઈ છે; છતાં અહીં તેનાં ઘાટરૂપ અને વપરાશના ગુણધર્મ વિષે વિગતે વિચાર કરવાના હોવાથી આ નીચે તે ફરીથી બતાવ્યાં છે. પ્રત્યેક લીટી જીદા ખીબામાં છે, અને તે લીટીમાંજ તે ખીખાનું નામ તથા તેની ઉપયેગિતાનું સૂચન (બની શક્યું ત્યાં) દર્શાવ્યું છે. એ ઉપયેાગિતાના મહત્ત્વના પ્રમાણમાં આપણે તેને તપાસીશું.
જેને પુસ્તકના body-type કહે છે તે, સમગ્ર ગ્રંથદેહમાં વાપરવામાં આવતાં ખીમાંનાં તે આપણે ત્યાં તે મુખ્ય એ જ કદ અને રૂપ છે. એક પાઈકા; બીજો તેનાથી સહેજ મેટા સવાઈ પાઈકા, અથવા ઈંગ્લિશ પાઇકા ટાઇપેાનું કદ સમજવા માટેના પરિમાણને અંગ્રેજીમાં પાઇન્ટ કહે છે. એક પાઇન્ટ એટલે એક ઇંચના ૭ર મેા ભાગ. આ પિરમાણુના માપે ટાઇપ જેટલેા ઊંચે હાય તેટલા પાઈન્ટના કહેવાય. પાઈકા ટાઈપ ૧૨ પાઇન્ટના અને સવાઈ પાઈકા ટાઈપ ૧૪ પાઇન્ટના હોય છે. એટલેકે પાઈકાથી લગભગ સવાયે માટે સવાઈ પાઈકા. પણ આ જ સાઇ પાઇકા ૧૨ પોઇન્ટના કદમાં પણ પાડેલા આવે છે; એટલે કે એને face-મ્હારા-સવાઇ પાઈકાના, પણ ઊંચાઇમાં તેનું કદ પાઈકાનું. આ જાતને · પાઇકા-નંબર ટુ ' કહે છે. નજીક નજીક લીટીઓવાળું ભર્યુંભર્યું ગીચ લખાણ લેવું હોય, ખીમાં મેટાં વાપરવા છતાં લખવાની વધારે લીટીઓ પૃષ્ઠમાં લેવી હોય ત્યારે આ ટાઈપ વપરાય છે. ‘કુમાર'નાં પહેલાં પાનાં ઉપર આવતાં કાવ્યેા સવાઈ પાઈકામાં આવે છે; ‘સૌરાષ્ટ્ર' સાપ્તાહિકના અગ્રલેખ બધા ‘ પાઈકા-નેબરહું' માં આવતા હતા. એ બંનેની સરખામણી કરવાથી લીટીએ વચ્ચેની જગ્યાના તફાવત સમજાશે.
૬૨
Page #96
--------------------------------------------------------------------------
________________
પુસ્તકનું રૂપવિધાન
ફૂટનોટામાં સ્મૉલ પાઇકા કરતાં આ લાઁગપ્રાઇમર ટાઇપ વાપરવા વધુ ચિત છે અવતરણા અને પિરિશા માટે ઉપયાગી આ માલ પાઈકા ટાઈપ દેખાવે ગ્રંથદેહ માટે સ કામમાં સમાન્ય થએલા આ પાઈકા ટાઇપ એક જ છે પાઇકા બ્લૈક એટલે જાડા કદના પાઇકા; પૃષ્ઠપ ક્તિઓમાં તે તરી આવે એવાં પેઢામથાળાં માટે આ સ્માલ બ્લેક ટાઈપ જેવા સુંદર મરોડના આ સવાઈ પાઈકા અથવા ઇંગ્લિશ પાઈકા ટાઈપ અને તેનું જ જાડું રૂપ તે આ સવાઇ પાઈકા Řક આ ગ્રેઇટ પ્રાઈમર અને ગ્રેટ પ્રાઇમર લૈંકના કરતાં તા આ સુડેાળ અઢાર પાઈન્ટ ગુજરાતી વધારે રૂપાળા મથાળાં માટે આ ટુલાઈન ટાઈપ ઉપચા શ્રી લાઇન તો એમાં જવલ્લે ફોર લાઇન ટાઇપનો
નાનાં બાળકો (૧૪-૧૫ વર્ષીની વય સુધીનાં)ને માટેનાં પુસ્તકોમાં સવાઈ પાઈકા ખીમાં વાપરવાં હિતકર છે. બાળકેાની કુમળી દૃષ્ટિશક્તિ તથા વાંચન પર હજી સ્થિર થતી આવતી નજરને માટે એને ગાળ દેખાવડા મરેડ અને મેાટું કદ ચગ્ય છે. અથવા તો એછું ભણેલા પ્રાકૃત વર્ગ અને લોકસમાજના વાચન માટેનાં પુસ્તકો (ભજનેાની ચેાપડીએ, ગુટકા વગેરે જેવાં) માટે એ ખીમાં જરૂરનાં છે. આ ઉપરાંત કોઇ એછા લખાણવાળી પણ સુંદર રૂપધડતરવાળી મેાટા કદની ચેાપડીની edition-de-lux (જેને આપણે અમીરી આવૃત્તિ કહી શકીએ ) તૈયાર કરવા માટે એ સુડેાળ ઘાટને ટાઇપ સારે। પડે.
સુંદર ભરાડના એવા જ એક બીજો ટાઇપ છે; તે અઢાર પાઇન્ટ ગુજરાતી. નવજીવન પ્રકાશન મંદિર'ના સમયથી આ લખનારે ત્યાંથી પ્રથમ તે ચાલુ કર્યો તે પહેલાં તે તદ્દન ખૂણે પડેલા હતા અને જવલ્લે જ કાઈ છાપખાનામાં પણ મળતા. આજે તે તેણે પેાતાનું યોગ્ય સ્થાન સ સ્થળે પ્રાપ્ત કરી લીધું છે. તેની પહેલાં વપરાતા લગભગ તેના જ કદના
૬૩
6
Page #97
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪
(૧૬ પૈઈન્ટના) અને જોડીદાર “ગ્રેઈટ પ્રાઇમર” તથા “ગ્રેઇટ બેંક’ કરતાં તે સુડોળ, રેખાઉતાર અને સહેજ મોટા દેખાવનો છતાં પાતળા હોવાથી વધુ આકર્ષક છે અને ૬ થી ૧૨ વર્ષ સુધીનાં બાળકોનાં પુસ્તકના bodytype તરીકે તેણે નામના મેળવી છે.
આ સિવાયનાં બીજાં બધાં કામ માટે પાઈક ટાઈપ વપરાય છે, સવાઈ પાકા કરતાં પાતળા તથા ઊભા ઘાટને, પણ સુંદર રેખાને અને સામાન્ય વાચકની નજરને ગમે તેટલા વાચનથી પણ નુકસાન ન પહોંચાડે એવા સુવાચ્ય કદનો એ ટાઈ૫, બીજો કોઈ નવો અને વધારે સારે જેડીદાર એની અવેજીએ શોધાય ત્યાં સુધી તે આપણે માટે સેનાને છે. ગુજરાતી ભાષાના લગભગ સમસ્ત મુદ્રણકાર્યમાં તે વપરાય છે.
પાઈકાથી બે પોઈન્ટ નાનો તે મૅલ પાઈ. દેખાવમાં તે સારે છે; પરંતુ ઝીણો હોવાથી સમગ્ર ગ્રંથદેહમાં વાપરવો હિતાવહ નથી. મોટા ગ્રંથમાં અવતરણો તથા પરિશિષ્ટ જે ચાલુ પાઈક લખાણથી ગૌણ રૂપે તથા જુદાં તરી આવે તેમ છાપી બતાવવાં હોય તેમાં, એનું યોગ્ય સ્થાન છે. એ સિવાય ગજવામાં રાખી શકાય તેવી ગુટકા ઘાટની પુસ્તિકાઓની સુંદર આવૃત્તિમાં એના સુડોળઘાટને લીધે એ ડી ટાઈ૫” તરીકે માન પામે તેવો છે.
કુટનોટો–ચાલુ વાંચનમાં પૃષ્ટ નીચે મૂકવામાં આવતી પાદનોંધો કે ટી–માં પણ આજ સુધી સામાન્યતઃ એ ઐલ ટાઈપ વપરાતો આવ્યો છે; પરંતુ તેનું કદ માઈકાથી માત્ર બે જ પોઇન્ટ ઓછું હોવાથી તે ખાસ જુદો તરી આવતો નથી. એને માટે તે પાક જેવા જ લગભગ ઊભા કદને અને તેથી ત્રણેક પોઈન્ટ નાન–પણ માપન લેંગ પ્રાઇમર ટાઈપ વધારે યોગ્ય છે. તે પાઈકાની સાથે રૂપમાં સુમેળ રચતો છતાં, કદમાં નાનું હોવાથી પૃષરચનામાં અવતરણ અથવા પાદનોંધ તરીકે વિશિષ્ટ વ્યકિતત્વ ધારણ કરીને તરી આવે. આપણે ત્યાં આ પ્રકારે તેનો ઉપયોગ થયો બહુ જાણમાં નહોતે, કેમકે રૂપવિધાનના આ મુદ્દાઓ પર કોઈએ તેને વિચાર નહિ કર્યો હોય. આથી એ રીતે તેને ચાલુ કરવાને ઈરાદો હતો, ત્યાં તે આ વર્ષમાં પૂનાથી પ્રકટ થવા માંડેલા ગુજરાતી “હરિજનબંધુ'માં તેનો એ પ્રકારને વાપર શરૂ થએલો જો, અને આનંદ થયો. સૌને એ જેવાથી લંગપ્રાઈમર ટાઈપની એ વિશિષ્ટતાની ખાતરી થશે. એ જ પ્રકારે સ્મોલ ટાઈપ જે સવાઈ પાઈકાની સાથે વપરાય તો બંને મળીને સુગ્રથિત પૃષરચના કરે.
Page #98
--------------------------------------------------------------------------
________________
પુસ્તકનું રૂપવિધાન
મેટે ટાઈ૫ ગ્રંથદેહમાં અને નાને પાદનોંધ અથવા અવતરણમાં વપરાય તે જ પ્રકારે, એથી ઉલટા ક્રમમાં, ઝીણે ટાઈ૫ જ્યાં ગ્રંથદેહમાં વિષરાયે હોય ત્યાં તેને જોડીદાર એ માટે ટાઈપ મથાળા તરીકે વાપરવાથી પણ એટલો જ શોભી નીકળે. ઑલ ટાઈપના સળંગ લખાણમાં પેટામથાળા તરીકે સવાઈ પાઇકાને વાપરવાથી બહુ સુરાગી રચના થશે. શ્રી બલવન્તરાય ઠાકોરને તાજેતરમાં બહાર પડેલા “માલવિકાગ્નિમિત્ર' નાટકમાં છેડે મનનિકા ટીકા'માં આ રીતને ઉપયોગ થયો છે તે સુંદર લાગે છે.'
પાઈકોની સાથે સવાઈ પાઈક એક સ્થળે વાપરવાથી બહુ સુમેળ સાધે છે. તે તેની પૂછપંક્તિઓ (જેને ફિગરલાઈન અથવા પેઈજલાઈન કહે છે તે)માં. પ્રત્યેક પૃષ્ઠને મથાળે આવતી, તે તે પૃષ્ઠને અંક તથા તેમાંના વિષય કે પ્રકરણનું નામ અને ગ્રંથનામ ધરાવતી આ લીટીઓ કઈ વાર
મૉલ બ્લેકમાં, કોઈ વાર પાઈકા બ્લેકમાં અથવા ઘડિયાં છાપખાનામાં છે. વચ્ચે આવી * સર્પાકારી લીટી મૂકીને ચાલુ પાકા ટાઈપમાં જ મૂકી દેવામાં આવે છે; તેને બદલે સવાઈ પાઈકામાં તે લીટી લેવાથી બ્લેક ટાઈપની પેઠે કાળા જાડા રૂપમાં આગળ ખેંચાઈ ન આવતાં પૃદેહનાં બીબાંની સાથે સુરાગ રચતી છતી જુદી તરી આવશે. અમદાવાદની ગુજરાત સાહિત્ય સભાએ હમણાં જ બહાર પાડેલા “વીર નર્મદ’ નામના પુસ્તકમાં આ રચના જોવા મળશે.
હવે મથાળાંનાં બીબાં વિષે. પુસ્તકના પૃષ્ટનું કદ મોટું હોય–કાઉન આઠ પિજી (કુમારનું કદ) અથવા ડેમી ચાર પેજી (“સ્ત્રી શકિતનું કદ ) હોય-– પૃષ્ઠપંક્તિઓમાં પાઈકો બેંક અને ચાલુ પૃદેહનાં પટાંમથાળામાં સ્મલ બેંક માફકસર આવી રહે. ઑલ બ્લેક નાનો, સુડોળ ગળાકૃતિનો અને ઘેર-ઘાટો હોવાથી ચાલુ પાઇકાના લખાણમાંથી સારો તરી આવે છે, અને પાઈને બ્લેક જ્યાં મેટો પડે ત્યાં તે બહુ જ સુંદર રીતે બંધ બેસે છે. પણ તેનો ઉપયોગ બહુ વિવેકદૃષ્ટિથી કરે જોઇએ. અહીં એક રમૂજી દૃષ્ટાંત યાદ આવે છે. બૃહદ્ ગુજરાતના એક માસિકના તંત્રી-મિત્રને એ પ્રકારે એ ટાઈપનો ઉપયોગ કરવાનું એકવાર કહેલું, કે પાઇકા ટાઇપના ભર્યા પૃષ્ઠમાંથી કોઈ નાની કવિતા તરી આવે એવી રીતે છાપવી હોય તે સ્મલ બ્લેક ઉપયોગને છે. પણ ત્યારની એ માસિકની બધી જ કવિતાઓ–ગમે ત્યાં લેવાય છતાં ઍલ બ્લેકમાં જ આવ્યા કરે છે !
Page #99
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪
સવાઈ બ્લેક, ૧૮ પાઈન્ટ અને ટુલાઈન એ, વિષય કે પ્રકરણનાં મથાળાં માટે ઉપયેાગનાં બીબાં છે, પણ તેના વપરાશમાં રૂપષ્ટિ અને વિવેકબુદ્ધિ ન વપરાય તે, કાં તો મથાળું માથાભારે થઈ જાય છે, અથવા બહુ પાતળુ પડી જઇ વ્યક્તિત્વહીન થઇ રહે છે. આના નિર્ણયના મુખ્ય આધાર પૃષ્ઠદેહના કદ ઉપર તથા મથાળાના પ્રકાર ઉપર રહે છે. સામાન્યતઃ બધાં પુસ્તકા ક્રાઉન સેાળ પેજી (‘તણખા'ના કદનાં) હેાય છે, કે ક્વચિત આ પુસ્તકના (ડેમી આઠ પેજી) કદનાં હાય છે. એ કદમાં એક જ લીટીનું અને માકસરનું ટૂંકું વિષય–મથાળું હોય ( દાખલા તરીકે વાર્તાનું નામ કે વિષયનું નામ ) તેા ટુલાઈન ટાઈપ સપ્રમાણ રીતે વાપરી શકાય. પરંતુ પ્રકરણ પહેલું–જાના અને નવા જમાને' એવું એ પ્રકારનું અને લાંબુ મથાળું હાય તેા ટુલાઇન ટાઇપ માથાભારે થઇ પડે. આવા દાખલામાં સવાઈ બ્લૈક અને ૧૮ પાઇન્ટને—અથવા ગ્રેટ પ્રાઇમર કે ગ્રેટ લૅંકને— પરસ્પર બંધએસતા આવે એવા રૂપમાં ગાઢવી લેવાથી સારી રચના થાય છે. માત્ર સંભાળવાનું એટલું કે મથાળુ પાતળુ ન પડી જતાં તેને તેનું વ્યક્તિત્વ મળી રહે ને છતાં તે માથાભારે ન થઈ જતાં સપ્રમાણ ગોઠવાઇ રહે. ઉપરાંત એ પ્રકારનાં મથાળાંમાં ચડાઊતરી વપરાતા ટાઈપ તે તે લીટીના મહત્ત્વ અનુસાર વપરાય. ‘પ્રકરણ પહેલું’ એને સવાઇ બ્લૈકમાં અને તેની નીચે ૧૮ પોઇન્ટમાં · નવા અને જૂને જમાનેા’ એ રીતે લેવાથી આ અ સરશે. ‘વીર નર્મદ' નામના પુસ્તકમાં આ રચના જોઇ શકાશે. રાયલ આર્ટ પેજી કે ક્રાઉન આપેજી જેવા કદનાં પુસ્તામાં આ જ પ્રકારે ટુલાઈન સાથે ગ્રેઇટ બ્લેક કે ૧૮ પાઇન્ટને ટાઈપ વાપરી શકાય.
:
શ્રીલાઇન ટાઇપના ઉપયોગ ગ્રંથમાં તે માત્ર અમ્રપૃષ્ટ-ટાઈટલ પેઇજઉપર જ થઈ શકે એવું છે. ફોરલાઇન ટાઇપ પણ મેટા કદનાં પુસ્તકામાં એવા ઉપયેાગમાં આવે. પણ તે ઉપરાંત તેને ખરા ઉપયોગ તા પ્રકરણ કે વિષયની શરૂઆતમાં પ્રથમાક્ષર તરીકે મૂકવા માટેના છે. તેની ઊંચાઈ અરેાબર પાકા ટાઇપની એ લીટીના માપની હે!વાથી તેના પેટામાં એ લીટીએ બંધબેસતી આવી રહે છે. પૃષ્ઠ નાનું હેાય કે મારું પણ પાઈકા ટાઇપની ગમે તે પૃષ્ઠાકૃતિમાં ધણા ઔચિત્યપૂર્ણાંક એ શેાભી રહે છે. આ લેખની શરૂઆતમાં તે એ રીતે વપરાયા છે એ જોવાથી આ હકીકત સ્પષ્ટ સમજાશે. ટાઇપેાના વાપરનાં ઉપર બતાવ્યાં તે માદર્શન તો માત્ર પ્રાથમિક }}
Page #100
--------------------------------------------------------------------------
________________
પુસ્તકનું રૂપવિધાન
સમજણુ પૂરતાં છે. તેના આધાર લઇ સારી રૂપષ્ટિ ધરાવનાર કાઈ પણ માણસ અવનવી યેાજનાએ ઉઠાવી શકે.
ગ્રંથદેહની રૂપાકૃતિ સરજવામાં બીજી એક અગત્યની વસ્તુ તે art of spacing. ખીમાંવાળી અને કેરી, એ બે પ્રકારની જગ્યાએનાં મૂલ્ય સમજી તુલનાપૂર્વક તથા વિવેકદાષ્ટથી તેની રચના કરવી અને પૃષ્ઠભાગ પરના એ કાળા અને ધેાળા એ સમૂહ એકબીજાને પડછે પરસ્પરને અનુષંગી સાહી રહે એમ વહેંચવા એ રેલી કલાષ્ટિ માગી લે છે.
પૃષ્ઠના કદના પ્રમાણમાં તેની ચારે તરફના માર્જિન કેટલા કારા મૂકવા, પ્રકરણને મથાળે કેટલી કોરી જગ્યા રાખવી, પ્રકરણનાં નામ અને લખાણની શરૂઆત વચ્ચે કેટલી જગ્યા છેાડવી, પરેાક કેટલે અધૂરેથી શરૂ કરવા, મુખ્ય લખાણ અને ફ્રુટનેાટા વચ્ચે કેટલી જગ્યા કારી મૂકવી, આ બધી બાબતો ગ્રંથદેહની રૂપાકૃતિ સરજતી વેળા ખ્યાલમાં રાખવી જોઇએ.
એમાં સૌથી વધારે અગત્યની અને હમેશ ધ્યાનમાં રાખવાની મુખ્ય બાબત એ કે ખીબાંવાળા ભાગની આકૃતિ—એ સમૂહ, એટલેા ભાભ અને ખીમાંથી સુખચિત-પ્રમાણસર હાંસેલા-હાવા જોઇએ કે સહેજ દૂરથી શ્વેતાં પૃષ્ઠ એક સળંગ કાળા સમૂહ જેવું જ લાગે. પશ્ચિમના ગ્રંથવિધાનના માન્ય કલાકારોના એ મત છે. તેમે તેા આદર્શ તરીકે જૂનાં પુસ્તકા નિરખવાનું કહે છે. આપણા પૂર્વના દેશોની હસ્તર્લ્સિખત પોથીએ જુએ કે પશ્ચિમના પુરાણા ગ્રંથા જીએ; પ્રાચીન શિલાલેખા કે તામ્રપત્રા જુએ,— બધે જ આ પદ્ધતિ જણાશે. એકધારા સુડેાળ અક્ષરે, શબ્દો વચ્ચે તદ્દન ઓછી કારી જગ્યા મૂકીને કરેલું, પરેગ્રાફી કે કારી જગ્યાના કોઇપણું ગાળા વિનાનું સળંગ લખાણુ ધરાવતા એ ગ્રંથ કે પોથીનું કોઇપણ પૃષ્ઠ તમને એટલું સુગ્રથિત ને ભર્યુંભર્યું લાગશે કે જરા દૂર મૂકીને જોતાં સમગ્ર પૃષ્ટાકૃતિ, ચેમેર સપ્રમાણ વહેંચાએલી કારી જગ્યા વચ્ચે કોઇ ચિત્ર આવી રહ્યું હોય તેવી સાહામણી જણાશે. આ જ ધેારણુ નજર આગળ રાખીને આપણા ગ્રંથાની પૃષ્ટરચના થવી જોઈ એ.
આમ હોવાથી, શબ્દો અને લીટી વચ્ચે કારી મૂકવાની જગ્યા એ ગ્રંથના રૂપવિધાનમાં ઘણી અગત્યની વસ્તુ છે. તેનું મહત્ત્વ જો ખરાખર સમજાઈ જાય તે પૃષ્ટદેહનું રૂપ અને પ્રમાણ ઘડવામાં બહુ સરળતા થઈ પડે. એટલે ટાઈપની એળખની સાથેાસાથ કારી જગ્યાએ નાખવાનાં સાધનાની ઓળખ પણ જરૂરની છે,
૬૭
Page #101
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪
બે શબ્દો વચ્ચે છુટી જગ્યા પૂરવાનાં સાધનોને “ઈસ’ કહે છે; અને બે લીટીઓને છુટી કરવા માટે વપરાતા સાધનને “લેડ' કહે છે. આ સ્પેઈસ અને લેડની જાડાઈ તથા પહોળાઈનાં માપ માટે પરિમાણ તે ઉપર જાણી ગયા તે “પોઈન્ટ”નું જ ટાઈપનું માપ જેમ ઊંચાઈથી કરે, તેમ સ્પેઇસનું માપ તેની જાડાઈથી. પાતળામાં પાતળા સ્પેઈસ બે પોઈન્ટના અને જાડામાં જાડો ૧૨ પોઈન્ટને હોય છે.
વળી પહોળાઈમાં ૧૨ પોઇન્ટ એ ટાઈપ–લીટીની લંબાઈ માપવાનું પણ એક પરિમાણ છે. તેને “એમ કહે છે. ૧૨ પોઇન્ટને એક “એમ”; અને છે એમને એક ઈચ; એ બે પરિમાણો સિવાય લાંબું કોષ્ટક એમાં નથી. - છાપખાનદારો અને કારીગરો આ “એમના વિભાગોના નામથી પેસ તથા લેડને ઓળખે છે. બે પોઈન્ટ એ એક “એમનો છઠ્ઠો ભાગ એટલે તેવા સ્પેઇસને તેઓ “છવાળા પેઈસ કહે છે; એટલેકે એક એમમાં જે છ સમાય તે પેઈસ. આ રીતે ત્રણ પોઈન્ટ પહોળા પેઈસને ચારવાળા, ચાર પોઈન્ટ પહોળા પેઈસને ત્રણવાળા અને છ પોઈન્ટ પેઈસને અરધે એમ કહે છે. આ જ રીતે ૧ પિઈટ જાડા લેડને બારવાળા, ૧૩ પોઈન્ટ જાડા લેડને આઠવાળા; બે પાઈન્ટના લેડને છવાળા, એમ ઓળખે છે. લેડ પાતળામાં પાતળા ૧ પોઈન્ટનો અને જાડામાં જાડ ત્રણ પાઈને આવે છે.
જેને loose compose કહે છે તેવું, વચ્ચે કોરી જગ્યાની નદીઓ વહેતી હોય એવું ઢીલું વેરવિખેર ટાઈપકપેઝ રૂપદાષ્ટએ દૂષિત ગણાય છે. આજે સામાન્ય નિયમ એ ગણાય છે કે શબ્દ વચ્ચે ત્રણવાળા અને અરધા “એમ”ના સ્પેસ વપરાય, અને એક વાક્ય પૂરું થયા પછી એક એમ જગ્યા કરી મૂકીને નવું શરૂ થાય. આ નિયમોની સાથે કૅમ્પોઝિટરે પિતાની સગવડ ખાતર થોડી છૂટ લે એટલે પછી પૃષ્ટ વચ્ચે કેરી જગ્યાના ધોધ વહે એમાં નવાઈ નહિ. પશ્ચિમના ગ્રંથવિધાયકે આદર્શ રચનામાં તો ઓછામાં ઓછી બે પોઈન્ટની અને વધારેમાં વધારે ચાર પાઈની સ્પેસ જ વાપરવાના મતના છે. પેરેગ્રાફ બહુબહુ તે એક “એમને; બે પેરેગ્રાફ વચ્ચે વધારાનો લેડ નહિ; અને લીટીઓ વચ્ચેના લેડ પણ પાતળામાં પાતળા–દોઢ કે બે પેઈન્ટના, આપણે ત્યાં તે આટલા બારીક પેસિંગનાં સાધન પણ કોઈ વિરલ છાપખાનામાં હશે. તાત્પર્ય એ કે પૃષ્ઠને દેખાવ સુખચિત લાગે એ મુદ્દો નજર આગળ રાખી એ પ્રકારની રચનાને તથા પેઈસ એકસરખી, એકધારી રાખવાને આગ્રહ ધરાવો.
;
Page #102
--------------------------------------------------------------------------
________________
પુસ્તકનું રૂપવિધાન
કારી જગ્યાની છૂટ મૂકવામાં જે તાલનશક્તિ અને વિવેકબુદ્ધિ જોઇએ તેની વાત ઉપર આવી ગઇ. એ તેાલન અને ગણત્રી પૃષ્ઠના કદ અને તેમાં આપણને મળતા black mass-ટાઇપથી ભરેલા સમૂહના કદ ઉપર અવલંબે છે. માર્જિના કઇ ઢબે રાખવાં તેની વિસ્તૃત અને ચિત્રા સાથેની સમજણ આ લેખમાળાના ખીજા હપતામાં આવી ગઇ છે, એટલે અહીં તેનું લંબાણ કરવાની જરૂર નથી; અને એકવાર એ પ્રમાણબુદ્ધિ આવી જાય એટલે કોઇપણ ચબરાક માણસ તેમાંથી અવનવી રચનાના ઉઠાવ ઉપજાવી શકે. પ્રકરણનાં મથાળાં ચીલાચાલુ પતિએ વચ્ચે જ ન રાખતાં એક છેડે ગોઠવી શકાય; પ્રથમાક્ષરેાના પેટામાં ભલેને એ લીટી બંધબેસતી સમાઇ જતી હેાય છતાં એ મેટા ટાઇપને એકલા મિનારા જેવા છુટા પણ ઊભા કરી શકાય; પ્રથમાક્ષરા લીટીની શરૂઆતથી જ ન લેતાં લીટીની વચ્ચેથી પણ શરૂ કરી શકાય. પરંતુ આ બધી છૂટ લેનારમાં કરી અને ભરેલી જગ્યાએમાં પ્રમાણ સમજવાની તથા તેનું તાલન કરવાની સારી શક્તિ આવી ગએલી હોવી જોઇએ. અંતે તે માણસની રસવૃત્તિ અને રૂપષ્ટિ જ મહત્ત્વની છે. એવી દષ્ટિ વિનાના છાપખાનદાર સાધનાના ખડકલા પેાતાને ત્યાં હોવા છતાં પણ તમને સતાષકારક કામ ન આપી શકે; જ્યારે બહુ પિરિમત તથા નવાં સાધના વડે ચલાવતા પણ એ દિષ્ટ ધરાવતા મુદ્રક તમારા પુસ્તકનું મનમાહક રૂપ સરજી શકે.
કલાનું સ્થાન જીવનના એકેએક ક્ષેત્રમા છે. એક નાચીઝ શકોરૂં ધડનાર કુંભકારથી માંડીને મેટા શિલ્પી સુધીના બધા ધંધાએામાંના એવા કલાકારા એ સમાજનું ઉત્કૃષ્ટ અંગ છે, સમાજની સમૃદ્ધિ છે. પ્રજાની ઊંચી રસદિષ્ટ અને સુરૂપતા માટેના શેખ જ તેને સરજાવશે.
પુસ્તકના સર્વસામાન્ય રૂપવિધાનનું મુખ્ય અંગ આપણે જાણ્યું. હવે તેનાં સુશોભનો તથા ચિત્રાલેખના વિષે વિચાર કરીશું.
બચુભાઇ રાવત
Page #103
--------------------------------------------------------------------------
________________
- ગુજરાતી સાહિત્ય પરિષદની બેઠકોની યાદી વર્ષ પ્રમુખ
સ્થાન સન ૧૯૦૫ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી. અમદાવાદ ,, ૧૯૦૭ દી. બા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ. મુંબાઈ ,, ૧૯૦૯ દી. બા. અંબાલાલ સાકરલાલ દેસાઈ. રાજકોટ
૧૯૧૨ દી. બા. રણછોડભાઈ ઉદયરામ દવે. વડોદરા ,, ૧૯૧૫ શ્રીયુત નરસિંહરાવ ભોળાનાથ દીવટિયા. સુરત , ૧૯૨૦ સાહિત્યમાર્તડ રા. બા. હરગોવિંદદાસ અમદાવાદ
દ્વારકાંદાસ કાંટાવાળા. ૧૯૨૪ રા. બા. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી. ભાવનગર , ૧૯૨૬ સર રમણભાઈ મહીપતરામ નીલકંઠ મુંબઈ ,, ૧૯૨૮ પ્રિન્સિપાલ આનન્દશંકર બાપુભાઈ ધ્રુવ. નડિયાદ
૧૯૩૧ શ્રીયુત ભુલાભાઈ જીવણજી દેસાઈ. નડિયાદ
Page #104
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સાહિત્ય પરિષદનું હાલનુ અધિકારી મંડળ
પ્રમુખ : શ્રીયુત ભુલાભાઈ જીવણજી દેશાઇ,
ઉપ-પ્રમુખ :
શ્રીયુત કનૈયાલાલ માણેકલાલ મુનશી. મત્રી:
શ્રીયુત મનહરરામ હરિહરરામ મહેતા. શ્રીયુત હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ, ડૉ. હરિપ્રસાદ વૃજરાય દેસાઇ, શ્રીયુત ગાકુળદાસ દ્વારકાદાસ રાયચુરા.
ખજાનચી :
શ્રીયુત મણિલાલ ડાહ્યાભાઈ નાણાવટી. શ્રીયુત જયેન્દ્રરાય ભગવાનલાલ દુરકાળ. પરિષદ્ધનુ કાર્યાલય
૦/૦ ગુજરાત વર્નાકયુલર સેસાઇટી
અમદાવાદ
૭૧
Page #105
--------------------------------------------------------------------------
Page #106
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
( અર્વાચીન વિદેહી )
Page #107
--------------------------------------------------------------------------
________________
[અર્વાચીન ગુજરાતી સાહિત્યના ગણેશ આપણા આરંભના કેળવણીકારના હસ્તે મંડાયા હતા; તેથી વિદેહી ગ્રંથકારની ચરિત્રાવલીની શરૂઆત એમનાથી કરી છે. તેમાં સંતોષ પામવા જેવું એ છે કે એમાં કેટલાકનાં આત્મવૃત્તાંત સુભાગ્યે મળી આવ્યાં છે.
સદરહુ કાર્યમાં સહકાર આપવા માટે દી. બા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીને અને શ્રીયુત ગોવિંદરામ ગણપતરામ ભટ્ટને અમે ઉપકાર માનીએ છીએ. સંપાદક.]
Page #108
--------------------------------------------------------------------------
________________
રણછોડદાસ ગીરધરભાઈનું જન્મચરિત્ર
ઝવેરીના મૂળ પુરૂષ, આસરે ઈ. સ. ૧૬૨૦ની સાલમાં અમદાવાદથી ભરૂચ આવી રહ્યા.
જીવણદાસ
મોરારદાસ વીજકર
ફુલબાઈ રામર (રૂઘનાથદાસ) (સુરદાસ)
૦
(ભક્તિદાસ) (ધનકર)
મા ાિઇ પરમ
મનોરદાસ
|
ઈચ્છા
કકકુભાઈ ગીરધરભાઈ પરભુદાસ વીજભૂખણદાસ (ગલાબ) (હરકેર) (અમૃત) (દિવાળી)
(મિલાW)
૦
રણછોડદાસ ગોરધનદાસ (મહાલક્ષ્મી- ૨. ગંગા)
(રવા) (પ્રાણર)
મનમેહનદાસ મોહનલાલ
(હરીગંગા) (રૂક્ષ્મણી)
[ “ગુજરાતના કેળવણીખાતાના પિતા મહેમ રા. રા. રણછોડદાસ ગિરધરભાઇનું આ જીવનચરિત્ર મહેમ રા. બા. મેહનલાલ રણછોડદાસે લખેલું તે દિ. બા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી પાસેથી અમને મળ્યું છે. અને તે માટે અમે એમને ઉપકાર માનીએ છીએ. ગુજરાતના મહાન પુરૂષોના આવા જીવનચરિત્ર પ્રસિદ્ધ થવાની ઘણી જરૂર છે. આ જીવનચરિત્ર કેળવણી ખાતાની શરૂઆત ઉપર કેટલુંક અગત્યનું અજવાળું નાંખે છે; એટલું જ નહિ પણ તે સમયના ગુજરાતની રાજકીય આર્થિક અને સાંસારિક સ્થિતિનું પણ સારૂં ચિત્ર દેરે છે. ભાષા તથા જોડણું મૂળ લેખ પ્રમાણે જ રહેવા દીધી છે. જેથી તે વખતની લખવાની ઢબનું સ્વરૂપ પણ વાચકના સમજવામાં આવશે. સંપાદક)
Page #109
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
જે પુરૂષનું જન્મચરિત્ર લખવાનો પ્રયત્ન કરું છું, તેને જન્મ સંવત ૧૮૬૦ કારતક સુદ ૧ વાર રવીને દીવસે થયો હતો. એ દિવસ હિંદુઓમાં ઘણો મટે તેહેવાર ગણાય છે. કારણ ઈદ્રની પુજા વૃજમાં લોકો કરતા હતા તે બદલીને કૃષ્ણ ગીરીરાજની પુજા દાખલ કરી ને એ માટે અનકુટના એછવને દહાડે વિષ્ણુમારગી કરે છે. અને સારી રીતે સામગ્રી તૈયાર કરીને ઠાકોરજીને ધરે છે. જે એ દિવસ યશસ્વી ગણાય છે તેવોજ એ દહાડે જન્મ પામેલા રણછોડદાસ પણ યશસ્વી નીવડયા હતા.
એનું મોસાળ પક્ષ પણ સારા પ્રખ્યાત કુળનું ગણાતું હતું. તે કુલના પુરૂષો ભાવનગરના રાજ્યમાં સારા નામીચા કારભારી ગણાતા હતા. એમના માતૃપક્ષનું વૃક્ષ નીચે દરશાવેલું છે.
આણંદજી
નાનાભાઈ
કેશવજી
સું દર
નાથી
હરકોર
રાજકેર
રણછોડ ગોવરધનદાસ
જગન્નાથ ઈ. સ. ૧૮૦૩ના વરસમાં એ પુરૂષને જન્મ થયો. તે વરસ પણ ઇતિહાસમાં પંકાએલું છે. કેમકે બ્રીટીશ સરકારે એજ વરસમાં આગખની તા. ૨૯ મીએ સીંધીઆ પાસેથી ભરૂચ શહેર લડીને જીતી લીધું હતું. નદીને રસ્તે બે વહાણોમાં સૈન્ય તથા તોપો લાવી પશ્ચિમ દિશાપરથી એટલે કુંભારીઆ ઢળપર તોપને મેરો બાંધી ભરૂચ શહેરના મજબુત કોટમાં ગબાર પાડી ત્યાંથી લશ્કર શેહેરમાં દાખલ થયું ને અંગ્રેજ સરકારને વાવટ કીલ્લા પર ફરકવા લાગ્યો. તે વરસથી આજસુધી ભરૂચની પ્રજા બ્રીટીશ સરકારના રાજ્યને લાભ ભોગવે છે. મુખ્ય લાભ વિદ્યાવૃદ્ધિને છે. ગુજરાતમાંથી કેળવણુંખાતામાં એજ પુરૂષ જેનું આ જન્મ ચરિત્ર લખું છું તે પ્રથમજ જોડાયા ને પિતાના તનમનથી શ્રમ લઈને ગુજરાતમાં
Page #110
--------------------------------------------------------------------------
________________
રણછોડદાસ ગીરધરભાઈનું જન્મચરિત્ર વિદ્યાને ફેલાવો કર્યો. એક માટે સરકારી કેળવણીખાતાના ઇન્સ્પેકટર એ પુરૂષને “Father of Education in Gujarat” એટલે ગુજરાતની કેળવણી ખાતાને પિતા એવી ઉપમા આપી ગયો છે, તે કેટલેક દરજજે ખરું છે એવું આ જન્મચરીત્ર વાંચવાપરથી જણાશે.
એ પુરૂષની કેળવણી વિશે તથા એમના ભાગ્યોદય વિશે વર્ણન કરતાં પહેલાં તેમાં જે સાધન ને સહાય રૂ૫ એમના પિતા તેમનું શેડુંક વૃતાંત લખવાની જરૂર છે. એમની માતોશ્રી એમને બાળપણમાં એટલે આશરે ( ) વરસની ઉમરે મુકીને મરણ પામ્યાં હતાં. માટે સારી આરોગ્યતા રાખવાનું તથા સદાચાર શીખવવાનું તથા કેળવણી આપવા વગેરેનું કામ એમના પિતા ગીરધરભાઈનેજ કરવું પડયું હતું. તેમના હસ્તગમાં રહી વૈવાન સદ્ગણી, ને વિદ્વાન થયા હતા, એ કુશળતા પિતાના પિતા થકી જ એમને મળી હતી.
જે ઝવેરી કુટુંબમાં ગીરધરભાઈને જ-મ સંવત ૧૮૩૩ માં થયો હતો તે ઘણું સારી સ્થિતિમાં નહોતું. કુટુંબમાં માણસ ઘણાં હતાં પણ તેમાં કોઈ પરાક્રમી ધન્ધા કે રોજગારમાં કુશળ ન હોવાથી પિષણ ઘણું મુશ્કેલીથી ચાલતું હતું. કુટુંબમાં ચાર ભાઈ, એક બેહેન, ચાર ભાઈઓની વહુઓ તથા વૃદ્ધ માતા, તથા ભાઈઓનાં છોકરાં મળી પંદર વીશ માણસે હતાં. રેવાજી જવાના ઢોળાવપર સાંકડા એક માળવાળા ઘરમાં કે જેનું ક્ષેત્રફળ પરાકાષ્ટાએ ૩૦૦ ચો. ફૂગ થાય તેમાં રહેતાં ને ગરીબી હાલતથી ગુજરાન ચલાવતાં.
ગીરધરભાઈના મોટાભાઈ કકુભાઈ નામે હતા. તે એક વેપારી મારફતી અને ત્યાં ગુમાસ્તા રહેતા ને (વારસિક) સે સવાસે રૂ. કમાય તેપર સૌને ઉદર નિરવાહ ચાલતો હતો. એમના પિતા ભકિતદાસ પણ ઘણી સારી સ્થિતિમાં કે ધનવાન નહોતા. તે પોતાના દીકરાઓને નાની ઉંમરમાં મુકી મરણ પામ્યા હતા.
પિતાના મોટાભાઈને કુટુંબનું પિષણ કરવામાં સહાયભૂત થવાને ગીરધરભાઈએ નાની ઉંમરથીજ ઉદ્યોગ કરવા માંડયો. ભરૂચમાં સન ૧૮૬૦ પહેલાં બદામનું ચલણ હતું. બદામો પૈસાની પચાશ એકાવન ચાલતી. એટલે દુકાનદારને ત્યાંથી પચાસ કરતાં વધારે ભાવની બદામો વેચાતી લે ને તે બીજા લોકોને ચાલુ ભાવથી આપે એટલે સાંજ લગીમાં કામ કર
Page #111
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચારત્રાવલી
નારે આને મે આના કમાય. એ રાજગાર કરવામાં રખડાટ ઘણા હતા પણ ગીરધરભાઈ તેવું કામ કરીને પૈસા લાવી પેાતાના ભાઇને મદદ કરે. તેમ કરતાં થેાડાંક નાણાંની રકમ સંગ્રહ કરી સુતરીઆને રાજગાર કરવા લાગ્યા એટલે સુતર કાંતનારીએ પાસે સુતર ખરીદ કરી વકરાને ત્યાં વેચે. તે વખતમાં એ રાજગાર સારેા હતેા. કેમકે તે દહાડે આજના સમય જેવાં વરાળયંત્રથી ચાલનારાં સુતર કાપડનાં કારખાનાં ન હતાં, તથા ભરૂચના વણાટ સારા પ`કાતા ને તેમાં બનેલેા માલ બહાર દેશાવર ખાતે જતા. એવા ધંધા કરતાં ઉદરનીરવાહનું કામ ચાલવા લાગ્યું. ગીરધરભાઈ ઘણા તીવ્ર ખુદ્દીવાળા હતા તથા સદાચરણી પુરૂષોમાં તેમને સમાગમ ઘણા રહેતા તેથી જૈનમારગી ગારજીએની તથા એવાજ બીજા કેટલાક સાધુઓની સંગતથી શુદ્ધ લખવાનેા તથા ખેલવાના સારે। અભ્યાસ થયેા. દેવનાગરી લીપી તથા ગુજરાતી લેખ ઘણા સુંદર તેમને હાથ લાગ્યો તેમજ તે પુરૂષાની સેાબતથી વિચાર પણ ધણા ઉંચી તરેહના એમના મનમાં ઠસવા લાગ્યા. આ જગાએ મારે કહ્યા વગર છુટકો નથી કે ગીરધરભાઈના વડીલ ભાઇ કકુભાઈ ઘણા દેવભાળા તથા મૂર્તિપુજાપર ઘણી શ્રધ્ધાવાળા હતા. તે પોતાના ઘણા કાળ દરરાજ પાઠપુજા કરવામાં તથા ભરૂચ શહેરનાં ઘણાં દેવાલયમાં મૂર્તિનાં દર્શન કરવામાં કાહાડતા તથા જાદુમંત્ર વગેરે ખરા અંતઃકરણથી માનતા. પણ એ જાતે પેાતે એક ઇશ્વરને માનતા. લેાકેામાં ચાલતા અનેક પ્રકારના ખાટા વહેમાને જરાપણ માન આપતા નહીં. હીંદુ શાસ્ત્રનું ખરૂં તત્વ સમજતા ને તે પ્રમાણે વરતતા. તેમને સારા સાધુના સમાગમવાળા સારા સારા માણસે સાથે એળખાણ થઇ ને તે તેમને ઘણી ખપ લાગી. એમના બાપ ભગતીદાસ ભરૂચ શેહેરના આગલા નામીચા હાકેમ લલુભાઈ તે ત્યાં નાકર હતા તેને એકવાર દુકાળના વરસમાં લલુભાઈ એ અનાજના કાઠારનું કામ સોપ્યું કે આ અનાજમાંથી ગરીબ ભૂખે મરતા લાકોને અનાજ ભક્ત ભીખ દાખલ આપવું. તે વેળા એ ભગતીદાસના પ્રમાણિકપણા વિશે એવી વાત જાણવામાં આવી છે કે પેાતાની ગરીબી હાલત છતાં પણ સરકારી કોઠારમાંથી પેાતાના કુટુંબના ઉપયાગને સારૂ અન્ન લાવતા નહી. પણ તેને બદલે પેાતાની ધરમવાસના એવી રીતે દેખાડતા કે પેાતાને ઘેરથી સવારે કાટારે જાય ત્યારે શેર જુવાર પોતાના દેપાડાને છેડે બાંધી લઇ જાય તે પેલા અનાજના ઢગલા પડયા હોય તેમાં તે નાંખી દે અને એમ ખેલે કે “લલુનું મણુ તથા મારૂં કહ્યુ,” મતલબ
૬
Page #112
--------------------------------------------------------------------------
________________
રણછેાડદાસ ગીરધરભાઈનું જન્મચરત્ર
લલ્લુભાઇ તરફથી કાઈ ને મણ અનાજ મળશે તે તેમાં ધર્માદા દાખલ મારૂં એક કણ પણુ જશે તેા ખરૂં..
એ ભગતીદાસના એળખાણને લીધે તથા પોતાના સારા ગુજરાતી બાળાધ લેખને લીધે એ ગીરધરભાઇ ઉપર લલ્લુભાઇની મમતા ચાંટી ને પોતાને ત્યાં આવવા જવાની પરવાનગી એમને આપી. એવું કહે છે કે લલ્લુભાઇને જ્યારે સીંધીઆ સરકારે પાવાગઢ ઉપર કેદ મેાકલ્યા હતા ત્યારે તે જતી વખત પોતાના માણસાને એમ કહી ગયા હતા કે આ ગીરધરના હાથના લખેલા કાગળ મેાકલશો તે તે મારાથી વંચાશે; ખીજા કોઈના લખેલા કાગળા મેકલશે તે તે મારાથી વંચાશે નહિ.' એવી મમતા ચેાંટવા પરથી તેને લાલ લલ્લુભાઇએ સારી પેઠે ગીરધરભાઇને વાળી આપ્યો. મજમુદાર ખીજાભાઇ જે લલુભાઈના મિત્ર હતા તે ધણા પૈસાદાર હતા. તેમને એક પુત્ર પ્રાણનાથભાઈ કરીને હતા, એ મજમુદારને લલુભાઈએ સલાહ આપી કે તમે આ તરૂણ પુરૂષ ગીરધરભાઈ જે આપણી ન્યાતના છે તથા ધણા વિચીક્ષણ, બુઠ્ઠીમાન, ને પ્રમાણિક છે તેને ગુમાસ્ત રાખી તમારાં નાણાંના ઉપયોગ વેપાર રાજગારમાં કરે. એ સલાહ ખીજા ભાઈ એ માન્ય કરી ત્યારથી ગીરધરભાઈનું નસીબ તેમની સાથે સંવત [ ] ના વરસમાં જોડાયું, એ દુકાન પ્રાણનાથ ખીજાભાઇના નામથી પોતે મુનીમ દાખલ રહીને ગીરધરભાઇએ ચલાવી. તેમાં અનેક પ્રકારના રાજગાર કર્યાં. શરાપી રાજગાર નાણાવટી તથા હુંડીયામણુ વગેરેને, તેમજ ભારતીઆને એટલે કરીયાણું ખાંડ વગેરે માલ દેશાવરથી મંગાવવા તથા દેશાવર ચડાવવા. રૂના ધંધા પણ કર્યાં. તેમાં કપાસ લોઢવાના આડ માંડતા અને રૂ મુંબાઇ ચડાવતા. લેણદેણુને રાજગાર તે વખતમાં સારા હતા તે પણ ચલાવા માંડયા. પરગણામાં તથા શેહેરમાં તથા દેશાવરમાં “પ્રાણનાથ ખીજાભાઈની” પેઢી પંકાઈ ગઈ. ને તેમાં લાભ પણ સારા પ્રાપ્ત કર્યાં. આર ંભે મુનીમ દાખલ રહી કામ કરવાથી ખીજાભાઈ ઘણા રાજી થયા તેથી ગીરધરભાઇને પ્રાણનાથને પંત્યાળા રાજગાર ચાલવાની ગોઠવણ કરી. એ પેઢી વરસ લગી ચાલી. અને પ્રાણનાથભાઈ મરણ પામ્યા પછી તેમના પિત્રાઈ ભાઈ રઘુભાઈ જે તેમના વારસ થયા તેમણે થ્રેડી મુદત ચલાવી ને અંતે રઘુભાઇના મૃત્યુ પછી બંધ પડી. ત્યારબાદ ગીરધર ] વરસ જીવ્યા તે સંવત ૧૯૧૨ના ભાદરવા વદ ૧૩ ને રાજ ] વરસની ઉંમરે મરણ પામ્યા.
લાઇ
[
७
Page #113
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
ગીરધરભાઇ પિંડોષક નહેાતા પણ કુળપોષક હતા. પેાતાના ભાગ્યાય થયા પછી પેાતાના માટાભાઈની તેમણે ધણી સારી રીતે ખરદાસ કરી હતી. કારણ તેમના શેઠની દુકાન ભાગ્યા પછી તે છેક ખેરાજગારી થયા હતા તેથી તેમને જે આશ્રયની અગત્ય હતી તે પોતાના ભાઈ તરફથી મળી. તેમનુ ધર બંધાવી આપ્યું તથા કકુભાઈને એકજ પુત્ર જે મેટી ઉમરે એટલે પચાસ વરસે થયા હતા તેને ભણાવી ગણાવી પાવરધા કીધા ને ધંધે લગાડયા. પેાતાના ખીજા ભાઇ પરભુદાસનું સરક્ષણ કર્યું એટલું જ નહીં પણ તે મુવા પછી તેમની ધણીયાણી તથા દીકરીને પાળી. દીકરી પરણાવી ને તેને છેાકરાં થયાં. છેક કનિષ્ઠ બંધુ વિભુખણદાસ હતા. તેમને પણ સારી રીતે ખરદાસથી ઉછેરી વકીલાતની પરીક્ષા અપાવી, તે ધંધા શીખવ્યા. તે પણ સારા સમૃદ્દીવાન પછવાડેથી થયા. અંગ્રેજ સરકારે પ્રથમ તે વખતે સ્ટાંપના કાગળ કાહાડયા હતા. ભરૂચની રૈયતે સંપ કીધા કે એ કાગળ કાએ દસ્તાવેજના કામમાં વાપરવા નહીં. વીજભુખણુદાસ જાતે વકીલ હતા તેણે હીમત ચલાવી ને કાગળના ઉપયાગ કર્યો તેથી લેાકટાળે મળી તેને જીવ લેવા તૈયાર થએલા એ ખખર ગીરધરભાઈને પડવાથી તરત તેની મદદે ગયા ને લેાકને સમજાવી તે સંકટમાંથી પેાતાના ભાઈને કષ્ટમાંથી દુર કર્યાં. એ પરથી ગીરધરભાઈની સમયસૂચકતા તથા ભ્રાતૃભાવ જણાઈ આવે છે.
એ સદ્ગસ્થ પોતાના કુટુંબની સંભાળ લેતા એટલુંજ નહીં પણ મિત્રમ`ડળની તેમજ પેાતાના તાબાના નાકરા કે દેણદાર આસામીઓની પણ ખરદાશ કરતા. વખતેાવખત અનાજ સલ ભરાવી આપતા તથા તેમના શુભાશુભ કાર્ય વેળાએ પણ સારી તપાસ રાખતા. વેપારી મડળમાં સારી પ્રતિષ્ઠા હતી. ધણા લોકો એમના અનુભવનો લાભ મેળવવા સલાહ પુછવા આવતા અને કજીઆ ક’કાસનું સમાધાન કરવા પાછળ ઘણી
કાળજી રાખતા.
અગર એમના મોટાભાઈ કકુભાઈની પેઠે એમણે ધને બહાને પ્રવાસ કરેલા જણાતા નથી પણ પ્રવાસમાં એમની ચંચળાઇ ને ખખડદારીને એક દાખલા જાણવામાં આવ્યે છે. એ પોતાના શેઠ પ્રાણનાથ ખીજાભાઇને પરણાવા સારૂ ખરાત લઈને ભાવનગર તાખાના સાવરકુંડલા ગામ તરફ જવા સારૂ ભરૂચથી નીકળ્યા. તે વેળા શેઠના પીત્રાઈ વરગની
८
Page #114
--------------------------------------------------------------------------
________________
રણછોડદાસ ગીરધરભાઈનું જન્મચરિત્ર
સ્ત્રીઓએ ઘણુંક જેવર સાથે રાખ્યું હતું. મહી નદી ઉતરતાં જે ગાડામાં તે સ્ત્રીઓ બેઠેલી હતી તેને અકસ્માત થવાથી તે ઉધું વળ્યું ને પટલાં પાણીમાં પડયાં. તે વેળા એક ગાડાવાળો પેલો જેવરવાળો દાબડો પાણીમાંથી કહાડી લઈ ચાલતો થયો ને એક ઘાસના ગાડામાં સંતાડયો. સ્ત્રીઓએ પાણીમાંથી બહાર નીકળી પટલાં તપાસ્યાં તે જેવરને દાબડો ન મળ્યો તેથી રડાપીટ કરવા માંડી. આ બાબતની ખબર ગીરધરભાઈને થતાં જ તેમણે પિતાના માણસોની ચેકી નદીના કિનારા પર તથા રસ્તા પર મુકી દીધી અને પિતાના એક પુત્રને તથા ગુમાસ્તાને ઘેડા આપી પાસેના ગામમાં ગાયકવાડી થાણું હતું ત્યાં થાણદારને જાહેર કરી મદત માગવા અરજ કરવાને મોકલવા સારૂ તૈયાર કર્યો. તે દાબડે પેલા ગાડીવાળાથી ન જેરવાય એટલે તેણે આવી જાહેર કર્યું કે તમારા જેવરનો દાબડે અનામત હાથ લાગે તો મને શું આપશે. તેને જવાબ મળ્યો કે આ સોનાનો વેહેડ રૂ. પ૦) નો છે તે મળશે. એટલે પછી ગાડીના ઝાડા લેતાં તે ગાડીવાળાએજ દાબડ રજુ કર્યો. આ દાખલો આપવાની મતલબ એટલીજ છે કે અગાઉના વખતમાં મહીકાંઠા૫ર કેળી ને લુંટારાનો કેટલો ડર હતા તે સૌને જાણીતો છે. તેવા સમયમાં હિમત રાખી સાવચેતીથી તપાસ મહીકાંઠા પરજ કરવી એ સહેલું કામ ન ગણાય.
ગીરધરભાઇન શેઠ પ્રાણનાથભાઈ ત્રીજીવાર પરણવાને સુરત જવાની તૈયારીમાં હતા તેવામાં તેમનું અકાળ મૃત્યુ થવાથી સઘળે દુકાન સંબંધીને કારભાર તથા તેમની મીલકત જેવર સીલક વગેરે તેમના પીત્રાઈ ભાઈ વારસ રઘુભાઈના હસ્તકમાં ગયું. શેઠની હવેલીમાં ચોરી થઈ તેમાં વારસામાં મળેલું સઘળું જેવર (આશરે બાર હજારનું) ચોરાયું. એ વખત ગીરધરભાઈનું દૈવ પાધરું કે તે પરગણામાં ઉઘરાણી ગયા હતા. શહેરમાં નહીં તેમજ હવેલીમાં તથા દુકાનમાં પણ તે હાજર નહતા. રઘુભાઈની બુદ્ધિ ફેરવવાને તથા ગીરધરભાઈ ઉપર શક લઈ જઈ સરકારમાં જાહેર કરી તેમના ઘરના ઝાડા લેવાને કેટલાક તેમના સગાઓએ સલાહ આપી. રઘુભાઈનું ડોળ જોઇને તથા તેમની વિચિત્ર બોલવાની ઢ૫ ઉપરથી કેઈને એ વેહેમ કે તે કમઅકલ આદમી છે. પણ વાસ્તવિક તેમ નહોતું. તે ઘણા વિચારશીલ ને સમજુ માણસ હતા. તેથી તેમણે પેલા નીંદરોની વાત સાચી ન માની ને તેમને એ ઉત્તર દીધો કે ગીરધરભાઈ એવા પ્રપંચી પુરૂષ નથી. તે પ્રમાણિક છે ને એવું કામ કદાપિ કરે નહીં માટે મારે
Page #115
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
એના ઘરનો ઝાડ લેવડાવવો નથી. મારા નસીબમાંથી એટલું દ્રવ્ય ઉતર્યું ને ગયું. પરગણામાં ગીરધરભાઈને ખબર પડવાથી તે શહેરમાં આવ્યા ને પેશગેબત તપાસ ચલાવતાં એ કામ કરનાર શેઠના જુના રાઈ તથા ચાકરનું છે તેવી બાતમી લાગવાથી ઘણી યુક્તિથી તજવીજ ચલાવતાં તેજ ચાકરથી પત્તો મળ્યો કે ચોરાયેલું ઘરેણું રસઈઆની ઓરડી દશાશ્વમેધની ધર્મશાળામાં હતી ત્યાં સંતાડેલું છે. ને ભટને પગ ભેગજેગે ભાગેલો તેથી તેનાથી ચલાતું નહોતું. માટે તેની પાસે તેની ઓરડીની કુંચી મેળવી પોતાના શેઠ રઘુભાઈને તથા તેના એક વિશ્વાસુ માણસને સાથે લઈ ગીરધરભાઈએ પાછલી રાત્રે દશાશ્વમેધ પર જઈ તે કેટલી ઉઘાડી તેમાં તપાસ કરી પણ કાંઈ દીઠામાં ન આવ્યું. સૌ ત્યારે નિરાશ થયા પણ ગીરધરભાઈએ હીમત ન હારતાં એવું વિચાર્યું કે કદાપિ આ લાકડાને ગંજ મારેલ છે તેની નીચે ભયમાં દાટેલું હશે. ત્રણે જણાએ મળી લાકડાની થડી ખસેડી તે તેની નીચે જમીનમાં માટલાં દાટી તેમાં જેવર ભરેલું હતું. તે શેઠને બતાવ્યું ને તેમને હવાલે કર્યું. એ રીતે પિતા પર આવેલું કલંક દૂર થવા પછી કેટલાક વરસ દુકાન નવા શેઠના હાથ તળે ચાલી. પછી તે મરણ પામ્યા ત્યારે તેમને હીસ્સો તેમના બે જમાઈઓને વહેંચી આપો ને પોતે પોતાને હીરસે લઈ જુદા પડયા. (સંવત ૧૮ [ ] )
ગીરધરભાઈને ત્રણ પુત્ર, વડીલ રણછોડદાસ, વચલા ગવરધનદાસ ને કનિષ્ટ જગંજાથ. ત્રણે પુત્રોને કુમળી વયથી જ સદભક્તી ને સદાચાર શીખવેલો. સ્વચ્છતા રાખવી, પ્રમાણિકપણું સાચવવું એવી ઘણું શીખામણો દેવાથી તે પણ સારા કેળવાયા. દેશી નામાની રીત, સંસ્કૃત તથા ભાષાનાં (હીંદુસ્તાની ભાષામાં) પુસ્તક વાંચવા સમજવા ને શુદ્ધ લેખનપદ્ધતી તથા સારા મરોડદાર અક્ષર લખવા વગેરે બાબતમાં એ પુત્ર સારા હુંશીઆર નીવડયા. ગીરધરભાઈની જાતનું લખાણ પણ શુદ્ધ ને સ્વચ્છ તેજ મુજબ તેમના પુત્રો પણ શીખ્યા.
એ ગૃહસ્થના સરાફી દક્તર રાખવાની રીત તથા લખાણ તથા સ્વચ્છતા જોઈ તે વખતના યુરેપિઅન અમલદારે પણ ઘણા રાજી થએલા. કેટલીકવાર અદાલતમાં એમની પેઢીના ચોપડા ગુજારવામાં આવેલા પણ તે ઉપર જડજને એટલો વિશ્વાસ બેઠેલ કે એમાં કંઈ દગે કે અપ્રમાણિકપણું હોયજ નહીં.
Page #116
--------------------------------------------------------------------------
________________
રણછોડદાસ ગીરધરભાઈનું જન્મચરિત્ર
એમની ઉપર એકવાર ફરજદારીને ચાર જ આવેલો. એક ઘાંચીના ખત પાછળ વસુલ ભરવામાં ચેરમચંદ થએલું તે પરથી કામ સેશન કોરટમાં રજુ થએલું. તે દસ્તાવેજ તથા ચેરાએલું જોઈ તપાસ કરી જડજે એવો હુકમ આપેલ કે આવા વૃદ્ધ માણસથી એ કામ થાય નહિ. સબબ આરોપી બીન તકસીરવાર છે એમ કહી રજા આપી.
એ પુરૂષની મુખચર્યા ઘણી તેજસ્વી તથા ભવ્યાકૃતિની હતી. કઈ ઠીંગણ, ગૌરવર્ણ, ચપળ નેત્ર, શરીર આરોગ્ય ને કસાએલું હતું. છેક હેસી બાસી વરસની ઉમ્મર લગી ઘરસંસાર ચલાવવામાં મચેલા રહેતા. પિતાની
સ્ત્રી યુવાવસ્થામાં જ મરણ પામતાં બીજીવાર લગ્ન ન કર્યો ને બ્રહ્મચર્યવ્રત પાળ્યું. પિતાના પુત્રોની વહુઓ નાહાની વયની હતી તેમને ઘરધંધે, સ્વયંપાક સ્વાદિષ્ટ બનાવો, સ્વચ્છતા રાખવી ને પિતાની પ્રજાનું સારી રીતે રક્ષણ કરવું વગેરે વગેરે બાબતોમાં સારી શીખામણ આપી તેમને સુધાર્યો તે પછવાડેથી તેમને ઘણું યાદ કરતાં હતાં.
સ્વભાવે ઉગ્ર હતા પણ ઉગ્રપણે વિવેકબહાર નહતું. કેટલાક તમેગુણી માણસે જેમ હદબહાર જતા રહી પોતાનાં કાર્યમાં વિધ્ર આણે એ તમોગુણ એમનામાં નહતે. પરોપકારી હતા. ઘણું યોગ્ય સંત, સાધુ, બ્રાહ્મણ વગેરેને યથાયોગ્ય સહાય કરતા. એ ગુણને લીધે પિતાની જ્ઞાતિમાં સારી પદવી ધરાવતા હતા. દયાનો ગુણ પણ એમનામાં સારો હતે. ઘણી વખત હાથ તળેના માણસો કે પરગણાની આસામીઓ પર વાંકને લીધે ક્રોધે ભરાતા ખરા, પરંતુ થોડીવાર પછી કેધ સમાવી તેમને સારી શીખામણ દઈ તેમને ક્ષમા કરી તેમના મનનું સાંત્વન કરતા. સાહસિકપણને ગુણ એમનામાં જન્મથીજ હતો; જે તેમ ન હેત તે કંગાલ સ્થિતિમાંથી ઉદ્યોગ ને આગ્રહ કરીને સારી હાલતમાં જઈ શકાય નહિ. એમના પુત્ર રણછોડદાસને મુંબઈ મેકલ્યા તે એમના કાળમાં એક પ્રકારનું સાહસ ગણાય. મુંબઈનું સ્થળ એટલે કાળું પાણી ને મૃત્યુસ્થાનની જગા એ સમયમાં ગણાતી હતી. ને પિતાના જુવાન ગબરૂ જેવા છોકરાને પોતાની સારી હાલત છતાં મેકલવા એ થોડું ધૈર્ય ને હીમત ન કહેવાય.
એ પુરૂષમાં એક ગુણ એ સારો હતો કે એમના વખાણ કોઈ એમને મોઢે કરે છે તે પિતાને બીલકુલ ગમતું નહીં. ઘણી વેળા એવું બનેલું કે કેઈ અજાણ માણસ આવી એમના સગુણનાં કે સત્કર્મનાં
૧૧
Page #117
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
વખાણ કરવા લાગે તો તેને કહેશે કે તમે ભાટ છો ? ભાટાઈ શું કરવા કરે છે ? તમારે જે પ્રયોજન હોય તે કહો. એમ કહી તેને વારતા. - સારું વિસ્તારવાળું કુટુંબ સારી સ્થિતિમાં મૂકી એ પુરૂષ સંવત ૧૯૧૨ ના ભાદરવા વદ ૧૩ ને રોજ દેવલોક થયા, ત્યારે એમની પાછળ એાછવ થયો હતો. જે ગૃહસ્થ મોટી વયે પોંચી આબાદી અવસ્થામાં મરણ પામે છે તેમની પાછળ ગુજરાતી રીવાજ પ્રમાણે રડાકુટ કરતા નથી, પણ ભગતની ટોળી બોલાવી વાજતે ગાજતે ભજન કરતા સ્મશાન લગી તેનું શબ બાળવા લઈ જાય છે. તેમજ ડાધુ પાછા આવતી વખતે પણ તેજ મંડળીઓનું ભજન થાય છે. બરાં પણ કુટતાં નથી ને ભજન ગાય છે. એ મરી ગયા ત્યારે લોક કહેતા કે બાર દીકરાને બાપ મુએ. એ ઘણે • ભાગ્યશાળી છે.
ખાવા પીવામાં સ્વાદીઓ હતા, પણ નિયમિત આહારી અને શરીર કસાએલું તેથી ઉત્તર અવસ્થામાં પણ શરીર ઘણું આરોગ્ય રહેતું. મરતી વખત જ એક દોઢ માસને મંદવાડ ભોગવ્યો હતો. મરણ વખતે એમને સ્વાંગી વંશ પુરૂષ વર્ગનો નીચે મુજબ હતો.
ગીરધરભાઈ (ઉરફે જીકાકા.)
રણછોડદાસ
ગેવરધનદાસ
જગન્નાથ
મેહનલાલ મનમોહનદાસ હરકીશનદાસ
દુવારકાંદાસ
-
છગનલાલ
છગનલાલ
–
પ્રાણલાલ
મેતીલાલ મગનલાલ ઠાકરલાલ
એમને ઈગ્રેજી ભાષાનું જ્ઞાન ન હતું તથાપિ સુજ્ઞ અને વિદ્વાન કઈ ઈગ્રેજી સાથે મુલાકાત લેવાની ઈચ્છા રાખતા. પ્રથમ ભરૂચમાં સદર અદાલત હતી તે વખતે ત્યાંનો એક જડજ મી. રોબર્ટ નામે હતોતેમની મુલાકાત એમને થયેલી, અને તે એમની પાસે હિંદુસ્તાની ભાષાની સુંદરદાસની તથા દાદુજી વગેરેની વાણી સાંભળવાને બહુ શોખ રાખતો હતે.
૧૨
Page #118
--------------------------------------------------------------------------
________________
રણછોડદાસ ગીરધરભાઈનું જન્મચરિત્ર
વારંવાર એમને તેડાવીને નાના પ્રકારની વાણી એમના મુખારવિંદથી સાંભળી ખુશી થતો અને તે પોતે પણ યાદ કરવાને માટે શ્રમ કરતે હતો.
એ પોતે જ્યારે વૃદ્ધ થયા ત્યારે પિતાના ઓરડામાં નિત્ય પિતાના પુત્ર તથા પૌત્રોને સાયં સમય વીત્યા પછી સર્વેને બેસાડી પ્રાચીન ઇતિહાસ તથા સદ્દબોધ વાણીના પ્રસંગથી નાના પ્રકારની નીતિને અને સત્ય ધર્મનો ઉપદેશ કરતા હતા. ઘણુ ગ્રંથની વાણી એમને મુખે રહેતી હતી.
હવે આપણા મૂળ વિષય ઉપર આવીએ. રણછોડદાસને વિદ્યાભ્યાસને આરંભ થયો ત્યારે કેળવણુનાં સાધન કયાં હતાં તે જણાવવું જોઈએ. વાણીઆના છોકરા આઠદસ વરસની ઉંમરે ગામઠી મહેતાજીની નિશાળે ભણવા બેસતા, ત્યાં બે ત્રણ ચાર વરસની મુદત સુધીમાં આંક, કર્ક, નામાં વગેરે શીખતા. ચાલતા કોષ્ટકની ધાતો કે શેરી મણકા લેખાં થોડાં ઘણાં આવડે. વાંચવાનાં પુસ્તક તો હોયજ શાનાં. અશુદ્ધ લખતાં શીખે. એ રીતે કેટલોક વખત ગુમાવ્યા પછી પંદર સોળ વરસની ઉમ્મરે કોઈ શરાફ કે મારફતીઆની દુકાને દાખલ થાય. ત્યાં કેટલીક મુદત લગી ઉમેદવારીથી કામ કરે. નામું લખવાની સમજ તથા તેલ બારદાન, વીઆજ ગણવાની રીત, વટાવ, મુદત કાપવાના હિસાબ વગેરેમાં માહીતી મેળવી હુશીઆર થાય તે તેની લાયકી મુજબ છ દશ કે બાર રૂપીઆનું વરસાન જારી થાય. બહુ કુશલતા પ્રાપ્ત થાય તે વીશેક વરસની ઉમરે ગુમાસ્ત થાય. ચડતાં ચડતાં મુનીમ કે કાલીદાર થાય. નોકરી મેળવનારને વાસ્તુ એ ઉપક્રમ હતો. કેટલાકના બાપ નેસ્તી ગાંધી વગેરેની દુકાન માંડતા હોય તે તે ધંધામાં પડે ને માહીતી મેળવે. વાણીઆઈ લખાણ એટલે કાના માત્રાના ઠેકાણા વગરનું. જે લખાણમાં કાનામાત્રાનું ઠેકાણું નહિ તે પછી સ્વ દીર્ઘ કે જેડાક્ષર તો તેમાં હેયજ ક્યાંથી.
એવી સ્થિતિમાં આંક, હીસાબ, લખવું, વાંચવું, વગેરેને અભ્યાસ કરી આસરે પંદર સોળ વરસની ઉમરે પિતાના પિતાના હાથ તળે રણછોડદાસ દુકાનમાં રહ્યા. ત્યાં અક્ષર સુધારવાનું તથા નામું લખાવવા વગેરેનું જ્ઞાન મેળવતાં ચાર પાંચ વરસ લાગ્યાં. એ મુદતમાં એમણે ધર્મ સંબંધી પુસ્તકો, જેવાં કે ભગવદ્ગીતા, વિષ્ણુસહસ્ત્રનામ વગેરેને અભ્યાસ વિમળાનંદ સ્વામિ તથા કેઈ તેવાજ પુરૂષોના હાથ તળે કરેલો જણાય છે. કેમકે એમનાં હાથનાં લખેલાં સંસ્કૃત કે ભાષાનાં પુસ્તક ઘણું જોવામાં
૧૩
Page #119
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
આવે છે. દાદુપંથીબાવા અમૃતરામજી તથા રિદ્ધિરામજીને સમાગમ એ મુદતમાં થવાથી હીંદુસ્તાની ભાષાનાં પુસ્તક વાંચવા સમજવાને સારો મહાવરો કરવામાં આવ્યા હતા. એવા સતસમાગમને લીધે બાળબોધ લખાણું સારું ને શુદ્ધ પ્રાપ્ત થયું એટલું જ નહીં પણ હીંદુધર્માની કેટલીક અયોગ્ય રૂઢીઓ પરથી પણ તેમને તિરસ્કાર આવવા લાગ્યો. એ બાવા અમૃતરામજીને એમના પર ઘણો પ્યાર હતો. કારણ કે સુંદરદાસજીની વાણી એઓ ઘણી સારી રીતે વાંચી સમજતા હતા. એ બાવાએ પતીકા અંતકાળ સમયે એમના મુખારવિંદથી વાણી શ્રવણ કરતાં કરતાં તેમાં તલ્લીન થઈ પોતીકે દેહ છોડ હતો.
એમની એકવીશ બાવીશ વરસની ઉંમર થઈ તે વેળા બ્રિટિશ સરકારને ઉત્તર હિંદુસ્તાનમાં લડાઈઓ ચાલતી હતી. તેથી તે પખાનું વગેરે ગેરું લશ્કર ભરૂચમાં રહેતું હતું. ને તેથી કેટલાક અંગ્રેજોને પણ ભરૂચમાં રાખવાની જરૂર પડતી. સરકારી ક્રીશ્રીઅન દેવળ હતું તેના રક્ષણ સારૂ એક અંગરેજ મિ. ટક્કર નામે રહેતે હતો. અસલ તે લશ્કરમાં હતું પણ લડાઈના કામ સારૂ નિર્બળ પડવાથી સરકારે તેને ભરૂચમાં રાખેલો હતો. તે માસીક પગાર લઈ કઈ અંગરેજી ભણવા ચાહે તે તેને શીખવતો. રણછોડદાસને અંગરેજી ભણવાની મરજી થવાથી એમના પિતાએ માસ્તર ટક્કરને સેપ્યા ને માસીક લવાજમ આપવા કબુલ કર્યું. અંગરેજી ભણવનારને ગુજરાતી કે હીંદુસ્તાની કંઇજ આવડતું નહોતું, તોપણ માથાકુટ કરતાં અંગરેજીને છેડે અભ્યાસ ચાલ્યો. વાંચતાં આવડ્યું, લખતાં આવડયું, પણ તરજુમાની બહુ હરકત પડતી. શિક્ષકને શિષ્ય બેઉ ચાલાક તેથી તે અઘરું કામ પણ કેટલેક દરજે પાર પડયું. મીસ્તર ટકર પોતાના “વિદ્યાર્થી પર ઘણી મમતા રાખો. તેમાં વિશેષે કરી રણછોડદાસ ઉપર
અંગરેજના હાથ તળે શીખવાથી અંગરેજી બોલવાનો મહાવરે એમને ઠીક થયે,
એક વખત મુંબઈના લાડ બીષ૫ કાર સાહેબ ભરૂચમાં દેવળની તપાસણી કરવા આવેલા. તે વખતે મીસ્તર ટક્કરે પિતાની કને અંગ્રેજી ભણનાર શિષ્યની પરીક્ષા લેવા બીજ૫ સાહેબને વિનંતી કરી. તે પરથી તપાસતાં તેમની નજરમાં રણછોડદાસની ચાલાકી સારી આવી. તેમણે પુછયું કે તમે મુંબઈ આવશો તે સારી નોકરી હું તમને અપાવીશ. તેમણે પિતાના
૧૪
Page #120
--------------------------------------------------------------------------
________________
રણછોડદાસ ગીરધરભાઈનું જન્મચરિત્ર
તીર્થરૂપને પુછી તેમની આજ્ઞા મેળવી સાહેબને હા કહી. બીજપ સાહેબ ગુજરાતની સરકીટ પુરી કરી પાછી મુંબઈ ગયા ત્યારે એ વાત કરનલ જરવીસને કહી કે ગુજરાતમાં ભરૂચ શહેરમાં એક અંગરેજી ભણેલો તરૂણું પુરુષ ઘણે હશિઆર મારા જોવામાં આવ્યો છે. તેને જે તમારા હાથ તળે કેળવણીખાતું છે તેમાં રાખશે તે તે ઘણો ઉપયોગી પડશે.
ખીડકીની લડાઈ થયા પછી એકલા પેશવાનું રાજ અંગરેજ સરકારને સ્વાધીન થયું તે અવસરે મુંબાઇ મધ્યે એક મંડળી સ્થાપના થઈ. તેને ઉદ્દેશ કેળવણી આપવાનો તથા તેને સારૂ સારાં લાયક પુસ્તક તૈયાર કરવાને હતો. તે પરથી તેનું નામ Bombay Native Education and School Book Society-મુંબઈ હિંદ નિશાળ તથા પુસ્તકમંડળી એવું પાડયું હતું. તેનો વહીવટ એક સરકારી લશ્કરી અમલદાર જેનું નામ કયા પટન જરવીસ હતું તેને સોંપવામાં આવ્યો હતો. સરકાર તરફથી પણ તેને સારો આશ્રય મળતો. એવા કારખાનામાં આરંભે લાયક માણસોની જરૂર હતી. મુંબઈમાં દક્ષિણ મંડળમાંથી તે યોગ્ય પુરૂષો જડી આવતા પણ ગુજરાતી માણસે મળવા મુશ્કેલ હતા. તે વખતે લાર્ડ બીષપ કાર સાહેબની ભલામણ મંજુર થઇ ને રણછોડદાસને ભરૂચથી બોલાવવાનો ઠરાવ થયો.
ઇસવી સન ૧૮૨૫ માં એ ખાતામાં રણછોડદાસ જોડાયા. તે વખત રૂ. ૪૦) ને દરમાય કર્યો હતો. ને વાટખરચી એટલે ભરૂચથી મુંબાઈ જતાં સુધીને ખરચ તથા ભરૂચથી નીકળ્યાને દીવસથી પગાર ચડતો. એ વખતે દેશી નિશાળને સારૂ પુસ્તકે રચવાનું કામ ચાલતું હતું તે એમને સેપવામાં આવ્યું.
મરાઠી તથા ગુજરાતી બેઉ કામ સાથે ચાલતાં હતાં. પ્રથમ વર્ણ માળા તૈયાર કરવામાં આવી. વર્ણમાળા એટલે મોટે અક્ષરે ગુજરાતી તથા બાળબોધ મૂળાક્ષરો કાગળો પર છાપેલા. અ. આ. કે. કાના અક્ષરો પછી બારાખડી પછી જોડાક્ષર–પછી એકાક્ષરી શબ૬, દ્વિઅક્ષરી શબ્દ વગેરે પાંચ. છે. સાત અક્ષરના શબ્દો, શબ્દના અર્થો, તેમજ ગણિતકામ સારૂ અંક તથા રકમ તથા સાદા સરવાળા બાદબાકી–ગુણાકાર –ભાગાકારભાંજણીને વિવિધ સરવાળા બાદબાકી ગુણાકાર વગેરેના કાગળો તૈયાર કરી પાટીઓ પર કે લુગડાના લાંબા પંખા પર ચડી છોકરાની વગ આગળ
૧૫
Page #121
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
તે ટાંગતા ને તેમાંથી શીખવતા. એ રીતે કેળવણી આપવાનું કામ તે વખતના ઈગ્લાંડમાં ચાલતા લાક્યાસ્ટ્રીઅન ધોરણને અનુસરીને ગુજરાતમાં ચાલતું. વર્ણમાળાના અક્ષરે ઘણું સારા ગણાય છે. હજુ પણ તેને જોડે મળી શકતું નથી. એ સિવાય લિપિધારા–બોધવચન-ડાડસ્લીની વાતોઈસપનીતિની સ્થાઓ, બાળમિત્ર–પંચે પાખ્યાન–ભૂગોળ-ખગોળ, વિદ્યાના ઉદ્દેશ લાભ ને સંતોષ વગેરે પુસ્તક વાંચન કામને સારૂ, તથા ગણિતને સારૂ પૂર્ણક, અપૂર્ણાંક (હનકૃત) તથા શિક્ષા માળા ભાગ-૧ અને ૨, કર્તવ્ય ભૂમિતિ વગેરે. એ બધાં શાળા-પુસ્તકમંડળી તરફથી તૈયાર થતાં હતાં તેમાં રણછોડદાસની મદદ લેવામાં આવી. પણ દક્ષિણ તથા ગુજરાતમા દેશી નિશાળ સ્થાપન કરવાનું સરકારે વધારે અગત્યનું જાણી તેને સારૂ મહેતાજીઓ થવાને યોગ્ય માણસે શોધી કાઢવાનું તથા તેમને જણાવી તૈયાર કરવાનું કામ રણછોડદાસને માથે પડયું. તેથી થોડી મુદતમાં મુંબઈથી તેમને પાછા ગુજરાતની મુસાફરીએ મોકલ્યા. અમદાવાદ, સુરત વગેરે ઠેકાણે ફરીને તથા મુંબઈમાંથીજ કેટલાક માણસે શોધી કહાડયા. પ્રથમ સુરત ભરૂચ ને અમદાવાદને સારૂ છ માણસે તૈયાર થયા. તેમની સાથે જઈ તે શહેરમાં નિશાળે આરંભ કર્યો.
સરકારી નિશાળો સ્થાપન કરવી ને તેમાં ભણનારા આવે એવી રીતે કામ કરવું એ તે વખતમાં આજના જેવું સહેલું નહોતું. ગામડી મહેતાએનું જોર, ભણતરનો પ્રકાર ચાલુ રિવાજથી જુદો, લોકને ડર કે સરકાર અમારા છોકરાને ભણાવીને લશ્કરમાં રાખશે કે વટલાવશે વગેરે અનેક વિને હતાં. તે ખસેડી નિશાળે આબાદ કરવી એ સહેલું કામ નહતું. માટે તે કારણથી રણછોડદાસને એ શહેરમાં કાંઈક મુદત ગાળવી પડેલી. સારા સારા લોકોને સમજાવી તેમના છોકરા નિશાળમાં દાખલ કરાવ્યા. એવી રીતે કામ કર્યા પછી પાછા મુંબઈ જઈ બીજા મહેતાજીએ તૈયાર કરી કસ્બાઓમાં નિશાળે કહડાવી. જેવા કે એરપાડ–કાલીઆવાડી-વલસાડબગવાડી–અંકલેશ્વર-જંબુસર–આમોદ-નડીઆદ વગેરે મોટા કસ્બાઓમાં નિશાળે સ્થાપના થઈ. ગુજરાતમાં આશરે વીસેક નિશાળો થઈ ત્યારે સરકારે રણછોડદાસને ગુજરાતની નિશાળના ઈન્સ્પેક્ટર એવો એહો આપી રૂ. ૮૦) ને દર માસે પગાર કરી ગુજરાત ખાતે મોકલ્યા. નિશાળો આબાદ હાલતમાં આવતાં ઘણી મુદત ગઈ.
૧૬
Page #122
--------------------------------------------------------------------------
________________
રણછોડદાસ ગીરધરભાઇનું જન્મચરિત્ર
એ નિશાળખાતું સરકારે પ્રથમ દરેક બ્ર્હ્માના કલેક્ટરાના તાબામાં સાંપેલું, તે બધા વહીવટ કરે, પગાર આપે અને દેખરેખ રાખે. કેટલાંક વરસ પછી એવેા રાવ કરવામાં આવ્યે કે મુંબઈની સદર અદાલત (એટલે હાલની હાઈકારટ) ના એક જડજ સરકીટ ઉપર નીકળતા તેમણે એ નિશાળેની વાર્ષિક પરીક્ષા લેવી, એટલે તે જડજ સાહેબ જ્યારે ગુજરાતમાં પધારે ત્યારે તેમની સાથે રહી નિશાળાની પરીક્ષા કરવી. તે બાબતને રિપોર્ટ તે જડજ સરકારમાં દર વરસે કરતા, એવું સન ૧૮૩૪-૩૫ સુધી કામ ચાલ્યું.
એક વખત જ્ગરીન સાહેબ નામે સરકીટ જડજ આવ્યા તેમણે ભૂગોળ-ખગોળ વિશે કેટલાક સવાલા જીલ્લાની નિશાળામાં પૂછ્યા. છેકરાને ન આવડવાથી તેના મહેતાજીને પૂછ્યા, પણ તે વખત ભૂગોળ કે નકશા કાંઈ જ નિશાળમાં ન હેાવાથી તે અભ્યાસ ચાલતા નહીં, એટલે મહેતાજીને પણ ન આવડયું, માટે તે સાહેબે સરકારમાં રિપોટ કરી મેલ્યે કે માસ્તરાને વિદ્યા સંબંધી વિષયાનું જ્ઞાન કાંઈ છે નહીં માટે તેમને મુંબાઈ ખેલાવી ભણાવવા જોઇએ, અને તે વિષયાનું જ્ઞાન આપવું જોઈ એ. તે ઉપરથી સરકારે ચડતે પગારે તમામ મહેતાજીએને ગુજરાતમાંથી મુંબાઇ મેાકલી ભૂગાળ, વ્યાકરણ, ગણિત વિષયમાં ખીજગણિત–ભૂમિતિ, ત્રિકાણમિતિ વગેરેના અભ્યાસ કરવાની ગાઠવણ કરી, ને તે કારણસર સન ૧૮૩૬ માં રહેાડદાસને પાછું મુંબઇ જવું પડેલું; તેમણે સધળા મહેતાજીને અભ્યાસ કરાવી પરીક્ષામાં પસાર થયા તેમને પાછા પેાતાની જગાપર માકલ્યા. ખીજા રહેલા માસ્તરા પણ પેાતાના અભ્યાસ બીજા મે માસમાં પુરા કરી પાસ થઇ પાછા પેાતાની જગાપર ગયા, એટલે સને ૧૮૩૭ માં રણછોડદાસને મુંબઇથી ગુજરાત ખાતે પાછું જવાનું થયું.
સને ૧૮૪૦માં સરકારે કેળવણીખાતાની એક કારેબારી મંડળી સ્થાપીને પ્રથમની મુબઇની ‘ નેટીવ નિશાળ પુસ્તકમંડળી' રદ કરી. તેમાં ત્રણ યુરેાપીઅન તે ત્રણ નેટીવ રાખવામાં આવ્યા. ને તેને વહીવટ કરવાને એક પગારદાર સેક્રેટરી ઠરાવ્યેા. એ સભાનું નામ ‘એરડ એફ એજ્યુકેશન' આપ્યું, એટલે કલેક્ટરના તાબામાંથી નિશાળેનું કામ કહાડી વડી સરકારે ખેરડ એફ એજ્યુકેશનને સાંપ્યું, તેથી રહેાડદાસને તેમના હુકમ મુજબ વરતવાનું થયું. એ રડે નવા નિયમા કરાવ્યા, નવી નિશાળા
૧૭
8
Page #123
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
કાઢવાને નિયમો ઠરાવ્યા, નિશાળોમાં ફી દાખલ કરી–એ વગેરે ઘણો ફેરફાર કર્યો. બોરડે ગુજરાતી કેળવણીની સાથે અંગરેજી કેળવણી આપવાની શાળાઓ પણ કાહારી. સરકાર અમુક રકમ આપે તેમાંથી તથા લોકની આતુરતા હોય તો તથા મકાન-કંટીજટ ઠરાવેલી ફી એટલું આપે તે બોરડ ગુજરાતી તથા અંગરેજી સ્કૂલો સ્થાપન કરતી. તે બોરડના હાથમાં કારભાર આવ્યાથી કેળવણીને પ્રસાર વધારે થવા લાગે. પુસ્તક રચનારને ઉત્તેજન મળવા લાગ્યું એટલે ઈતિહાસ-ભૂગોળ-વ્યાકરણ–વગેરે નવાં નવાં પુસ્તક થઈ બહાર પડવા લાગ્યાં. નકશાનું પુસ્તક તૈયાર થયું. એટલે કેળવણીનો પ્રચાર ઘણે થવા લાગે, એટલે વધારે શિક્ષકોનો ખપ જાગ્યો. તેથી મુંબઈમાં મરાઠી
અને ગુજરાતી એવા બે નોરમલ કલાસ કાઢયા. પાંચ રૂપીઆને પગાર વિદ્યાર્થીઓને સરકારથી મળતું ને રહેવાનું સ્થળ. એ કલાસ સન ૧૮૪૫
માં સ્થાપન થયો માટે બારડે રણછોડદાસને પાછા મુંબાઈ તેડાવ્યા ને નેરમલ કલાસના સુપરીટેન્ડન્ટ બાળગંગાધર શાસ્ત્રી હતા તેમના હાથ તળે મદદગાર બનાવ્યા.
બોરડ ઓફ એજ્યુકેશન સ્થાપન થયા પછી એટલે સન ૧૮૪રમાં પ્રોફેસર એરલીબાર સાહેબને ગુજરાતની નિશાળોની પરીક્ષા લેવાને સરકારે ઠરાવ્યા. તેમણે ગુજરાતની નિશાળો તપાસવાનું શરૂ કર્યું. તે વેળા રણછોડદાસને સાથે રાખી તેઓ અમદાવાદ, ખેડા, ભરૂચ, ને સુરત જીલ્લાની તમામ નિશાળની પરીક્ષા લઇ મુંબઈ ગયા. ત્યારબાદ સન ૧૮૪૦ થી ગુજરાત ખાતે એક સુપરીન્ટેન્ડન્ટ નીમાયો, ને તે જગા પ્રથમ માસ્તર ઓરલીબારને મળી. પણ તે તેમને અનુકૂળ ન પડવાથી થોડી મુદતમાં રાજીનામું તેમણે આપ્યું. એટલે પ્રોફેસર હારકેનસની નીમણુંક થઈ. તેમના હાથ નીચે એક પચીસ રૂ. પગારના કારકુન અને ગુજરાતના ઇન્સ્પેકટર રણછોડદાસને સેયા. એમને હસ્તક બે કામ હતાં. એટલે એલફન્સ્ટન કોલેજમાં ભણાવવાનું તેમજ શિઆળીની મોસમમાં ગુજરાતની નિશાળોની પરીક્ષા લેવાનું. રણછોડદાસને ગુજરાતમાં જ રહેવાનું હતું. હેડક્વાર્ટર ભરૂચ કે સુરત જ્યાં ફાવે ત્યાં કરે. સુપરીન્ટેન્ડન્ટને પગાર રૂ. ૧૦૦) તથા મુસાફરી નીકળે ત્યારે જે ખરચ થાય તે આપતા, એટલે ગાડી તથા ગાડાનું ભાડું. એ પ્રમાણે સન ૧૮૪૫ લગી કારોબાર ચાલ્યો ને વધારે માસ્તરોનો ખપ પડવાથી નેરમલ કલાસ સરકારે મુંબઈમાં કાહાડી ત્યારે ત્યાં–મુંબઈમાં-ભણાવાના કામ પર એમને જવું પડયું.
Page #124
--------------------------------------------------------------------------
________________
રણછોડદાસ ગીરધરભાઈનું જન્મચરિત્ર
પ્રોફેસર હારકનેસના વખતમાં રણછોડદાસે કેટલાંક પુસ્તક રચ્યાં હતાં? હિંદુસ્તાનનો ઇતિહાસ, બ્રીટીશ ઈડીઆ વાંચન પાઠમાળા વગેરે.
સને ૧૮૪૫ના જુનથી સને ૧૮૪૮ ના ડિસેમ્બર લગી મુંબાઈમાં રહ્યા પછી રણછોડદાસને સુરત જવાની જરૂર પડી. કેમકે પ્રોફેસર હારકનેસે સુપરીટેન્ડન્ટના કામનું રાજીનામું આપવાથી તે કામ સુરતની અંગરેજી સ્કુલના હેડમાસ્તર મીસ્તર ગ્રીનને સોંપવામાં આવ્યું, અને તે સાહેબે બોરડ પાસે બીજા માણસની મદદ માગવાથી બોરડે રણછોડદાસને પાછા પિતાની અસલ જગાપર મોકલ્યા. મુંબઈનો નોરમલ કલાસ પણ સમાપ્ત થવા આવ્યો હતો. પાસ થયેલા વિદ્યાર્થીઓને મહેતાજીની જગાએ મળી હતી.
મીસ્ટર ગ્રીનના હાથ તળે કામ કરતાં કેટલીક અડચણ પડેલી ખરી. દુરગારામ મંછારામ સુરત આંક ૧ના મેહેતાજી ગ્રીન સાહેબની પ્રીતિના પાત્ર થયા હતા, ને તે સાહેબને બરડ પાસે માણસ માગવાની જરૂર એ મહેતાજીને ઇસ્પેકટર બનાવવાના ઉદ્દેશથીજ હતી.
ગ્રીન સાહેબ આગળ દુરગારામનેજ કારભાર. નવી નિશાળે કાઢવી. તેના મેહતાજી નીમવા, મેહતાજીઓની ફેર બદલી કરવી વગેરે બધું કામ મેહતાજીની સલાહથીજ ચાલતું. ખરા ઈન્સ્પેકટરની સલાહ તે બીલકુલ લેવામાં આવે જ નહીં. પણ એ અન્યાય ઘણા દીવસ ચાલ્યા નહીં, કેમકે પ્રોફેસર તારકનેસ રજાપર વિલાયત જવાથી તે જગા ખાલી પડી તે બોરડે મીસ્તર ચીનને આપી અને તેની જગા પર મીસ્તર ગ્રેહામને સુરત અંગરેજી સ્કુલના હેડમાસ્તર અને ગુજરાતી નિશાળોના સુપરીટેન્ડન્ટ નીમ્યા. તેમના હાથતને અન્યાય દૂર થયે. દુરગારામને કારભાર ઘટયે, ને રણછોડદાસની સલાહ મુજબ કામ ચાલવા લાગ્યું. એ વખતે રણછોડદાસનું સ્થાયી રહેવું સુરતમાં જ થતું.
સુરતમાં સન ૧૮૫૨ માં રણછોડદાસે પિતાની જગા છોડી, કારણ બોરડે ઇસ્પેક્ટરની જગાઓ કાહાડી નાખવાનો ઠરાવ કર્યો. દ્રવ્ય સંકોચને લીધે એમ કરવાની બેરડને જરૂર પડી હતી. નિશાળોની તપાસ રાખવાને સુપરીટેન્ડન્ટ તથા તેના કારકુને બસ હતા. એ વખતે કેળવણી ખાતાવાળાને પેનશનનો ધારે સરકારે લાગુ ન કરેલો તેથી બક્ષીસ દાખલ રકમ આપવામાં આવતી, તે મુજબ સરકારે રણછોડદાસને રૂ. ૧૪૪૦) એટલે અઠાર માસનો પગાર આયે.
૧૯
Page #125
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
નોકરી છોડયા પછી એ પુરૂષે પિતાની જીંદગી પરોપકારી કામમાં કાઢી હતી. મ્યુનીસીપાલ કમીશનર સરકારે નીમવાથી તે કામમાં ઘણી ચાલાકીથી પિતપોતાનું કામ બજાવેલું. મીસ્તર કરટીસ અમદાવાદ હાઈસ્કૂલના માસ્તર તથા ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીના સેક્રેટરી હતા તેમની સલાહથી કેટલાંક પુસ્તકનું ભાષાંતર એ સભાને વાસ્તે કરેલું અને તે સેસાઇટીએ છપાવી પ્રસિદ્ધ કરેલાં. એ ગ્રંથોનાં નામ –મસર દેશનો ઈતિહાસ, પ્રાચીન ગ્રીસ દેશનો ઇતિહાસ, બાબીલોન તથા આસુરી દેશને ઇતિહાસ, રોમનાં રાજ્યનો ઈતિહાસ એ પુસ્તકે અસલ મરેઠીમાં મેડમ વલસને કરેલાં તેનાં ગુજરાતી ભાષાંતર રણછોડદાસે સંસાઈટીને કરી આપેલાં પણ તે બદલ કંઈ રકમ સોસાઈટી પાસે લીધેલી નહીં.
શેરસટાનો વખત સન ૧૮૬૧-૬૨માં આવ્યો. રૂને પાક અમેરિકામાં ખરાબ થવાથી તથા લડાઈ ચાલવાથી ત્યાંનો રૂ ઈગ્લાંડને મળી શક્યો નહિ. એટલે હિંદુસ્તાનના રૂને ભાવ પાંચ છ ગણો થઈ ગયો ને હિંદુસ્તાનમાં વિલાયતના રૂની રેલ આવી; એટલે વેપારીઓ પુષ્કળ કમાયા ને મેળવેલું દ્રવ્ય સારે મારગે ખરચવા લાગ્યા. તે પ્રમાણે મુંબાઈના નામાંકિત વેપારી પ્રેમચંદ રાયચંદે ભરૂચની લાયબ્રેરીને પુષ્કળ નાણાંની મદદ કરી તેમજ કન્યાશાળા હીંદુઓને વાતે સ્થાપના કરી. બંને કામ ભરૂચમાં નવાં નીકળ્યાં તેને સુધારવા તથા કાયમ પાયા પર મુકવા રણછોડદાસને હાથ આવ્યું. તેમાં પોતાની વૃદ્ધાવસ્થા થતાં પણ ઘણો શ્રમ કરી લાયબ્રેરીને સારૂ સારાં ઉમદા પુસ્તકો ખરીદ કરવાનું તથા તેની વર્ગવારી કરવામાં પોતાને ઘણે વખત કહાડ્યો. કન્યાશાળા પણ સ્થાપન થઈ તેમાં લોકોને બંધ દઇ છોકરીઓ ભણવા આવે એ ઘણો ઉદ્યોગ કર્યો ને તેમ થતાં તેમની મહેનત સફળ થઈ ને તે શાળા સારી સ્થિતિમાં છે. એ શાળાને જે રૂપીઆ શેઠ પ્રેમચંદ તરફથી મળેલા તેમાં કેટલાક ઉમેરે કરી એક મકાન ખરીદ કરી લીધું. એ મકાન શહેરની સારી વસ્તીને મધ્યભાગે છે, ને સારી મજબુત બાંધણીનું છે.
સન ૧૮૫ર ની આખરે નોકરી મુક્યા પછી ઝાઝ વખત એમણે પ્રવાસ કરવામાં કાઢયો નથી. એક વખત પિતાના મિત્રના કામના અર્થે મુંબાઈ થાણા વગેરે સ્થળે ફરવા ગએલા, તેમજ એક વખત પોતાના પૌત્રોને સાથે લઈ મુંબાઈની શેભા દેખાડવા સારૂ પ્રવાસ કરેલો.
Page #126
--------------------------------------------------------------------------
________________
રણછોડદાસ ગીરધરભાઇનું જન્મચરિત્ર
સને ૧૮૭૩માં ઓગષ્ટ માસની તા. ૨૩મીએ સહેજ મંદવાડ ભોગવી એ મરણ પામ્યા. છ દિવસ પથારીમાં પડી રહેલા એટલે ગોકળ આઠમને દિવસે આજારી પડયા ને ભાદરવા સુદ ૧ ને રોજ અંતકાળ આવ્યો ત્યાં સુધી સારી સાવચેતીમાં હતા. અમર આત્માએ એમના દેહને ત્યાગ રાત્રીએ એકાદ વાગતાને સુમારે કર્યો, તેના બાર કલાક અગાઉ સાવધપણું સારું હતું. તે વખતે પોતાના પુત્રોને કહ્યું કે મારું મરણ સાચવજે એટલે કહેવાનો ભાવાર્થ એ કે, લોકરૂઢિ પ્રમાણે મરણકાળે ઝટપટ નવડાવી ભોંય ચોક કરી સુવાડે છે તેમ મને ન થાય, પણ સ્વસ્થ ચિત્તે મને મારા બીછાના પર રહેવા દેજે. લોકવ્યવહાર પ્રમાણે અંતકાળનું પુન્યદાન સ્વસ્થતાથી શુદ્ધિમાં જ કરેલું.
એ પુરૂષ શરીરે આરોગ્ય મરતાં સુધી રહ્યા. એવું એ જાતે કહેતા કે પચાસ વરસની ઉંમર લગી મારે કોઈ વાર પણ જુલાબની દવા પીવી પડી નથી. એ ફળ મિતાહાર કરવાથી તથા પ્રત્યેક દિવસે સવારસાંજ વ્યાયામ લેવાથી તથા નિયમિતકાળે ખાવા પીવા તથા સુવાની ક્રિયા સાચવવાથી મળે છે, તેમજ એમને પણ થએલું. એમની દીનચર્યા તથા રાત્રીચર્યા ઘણીજ યોગ્ય અને નીયમિત હતી. સવારમાં પાંચ છ વાગે ઉઠવાનો સમય તે પ્રમાણે ઉઠીને દંતધાવન કરી બહાર નીકળવું, રતન તળાવને કાંઠે નારણલાલ બાવાના મઠમાં નિયમિત જતા. એ મઠને એમનોજ આશ્રય હતે. તે મેદાનની જગામાં અગર મઠમાં જઈ ત્યાં પિતાનાં ધોતી વગેરે સ્વહસ્તે કુવામાંથી પાણી કાહાડી ધોવાં પછી શીતળ જળે સ્નાન કરી આઠને સુમારે ઘેર આવી ચાહ પીધા પછી દેવ સેવા પિતાને હાથે કરતા. લાયબ્રેરીમાં જવું, ત્યાં પુસ્તકો વર્તમાનપત્રો વગેરે વાંચવાં ને બારને સુમારે ઘેર આવી ભોજન કરી બે કલાક આરામ લઈ વાંચવા લખવા વગેરેનું કામ હોય તે કરવું, ને સાંજે પાંચ છ વાગે પાછું ફરવા નીકળવું. તે માઈલ દોઢ બેની મુસાફરી કરી ઘેર આઠ નવ વાગે આવી નવ ને દશની વચ્ચે વાળુ કરી, ધર્મ સંબંધી અગર બીજો કોઈ વિષયનાં પુસ્તક વાંચી અગિઆર બારને સુમારે શયન કરવું. એ પ્રમાણે પિતાની તંદુરસ્તી સાચવતા.
કદે ઉંચા, શરીરે પ્રચંડ, મુખારવિંદ ભળકતું, આંખના ડોળા ચકચકીત, પણ જરા મોટા, અજાણ્યા માણસને ભયંકર લાગે પણ વસ્તુતઃ તેમ નહીં, કેમકે સ્વભાવ ઘણે દયાળુ હતે. પિશાક સાદો પણ સ્વચ્છ પહેરતા હતા.
Page #127
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
સ્વભાવે દયાળુ ને માયાળ, ન્યાયી, પ્રમાણિક, સંતોષી, ખોટા આડંબરને તિરસ્કાર કરનાર, બુદ્ધીમાન, વિચક્ષણ, નિસ્પૃહી, સત્યવચન વદનાર, પરોપકારી પિતૃભક્તિભાવનાવાળા હતા.
આ પ્રત્યેક ગુણ વિશે વધારે વિવેચન ન કરતાં એટલું જ કહેવું ઘટીત છે કે દયા પ્રીતિ વાજબીપણું અને પ્રમાણિકપણું એ ગુણોને લીધે લાંબી મુદત સરકારી નોકરી કરવા છતાં પણ કદી ઠપકાપાત્ર એ પુરૂષ થયા નથી. તાબાનાં માણસે તેમજ જેની સાથે સમાગમ થએલો તે બધા એમના પર ઘણુંજ હેત રાખતા. એ પ્યાર મેળવવાને ઉપલા ગુણની આવશ્યકતા છે જ. એમના ઉપરી સાહેબ લોકે જે ઘણા ઉગ્ર સ્વભાવના ગૃહસ્થ હતા– જેવા કે કરનલ જરીસ, અને ડાક્તર હારકને તે પણ એમના કામથી રાજી થતા તથા એમની ભલામણ માન્ય રાખતા. જે પ્રમાણિકપણું ન હોય તો તે લેકે પત કરે નહિ.
સંતેષગુણનું પ્રદરશન સેહેજ દીઠામાં આવે છે. કેટલાક મિત્રોની તથા પોતાના પિતાની સૂચના છતાં પણ વધારે પગાર મેળવવા પ્રયત્ન કરેલો નહીં. એ વખતમાં એમના જેટલી વિદ્વત્તાવાળા પુરૂષો અંગરેજ સરકારને બેસતે અમલે સારી પદ્ધીની ને પગારની જગા સેહેજ મેળવી શકે તે છતાં ચાળીશના પગારથી વધીને એંસી મળ્યા કે તેમાંજ આનંદ પામી નેકરી મુક્તાં લગી પિતાનું કામ નિરવિને બજાવ્યું. એ બનવાનું કારણ કદાપિ એવું હોય કે સ્વતંત્રતાની સાથે એ નોકરીમાં પ્રપંચ ભાવ કરવો ન પડે એવું હતું તેથી પણ એ જગા પર રહ્યા હોય. ગમે તેમ હોય પણ એ પરથી એટલું તે સિદ્ધ થાય છે કે એ ફળ સગુણોનું છે.
વિદ્યા સંપાદન ઘણે શ્રમે કરી હતી. પોતે હિંદુસ્તાની એટલે પુરબી ભાષા સારી સમજતા. દાદુપથી સાધુઓના ગ્રંથે ઘણી સારી રીતે વાંચીને સમજી શકતા. ઉરદુ ફારસીનું પણ કીંચીત જ્ઞાન સારા મુનશી મોલવીની સેબતથી મળેલું. મુંબઈ ગયા પછી મરાઠી ભાષાને અભ્યાસ સારો થયો ને ઘણાં પુસ્તકોનું ભાષાંતર ગુજરાતીમાં કર્યું. અંગરેજી ભાષાનાં મૂળતત્વ ભરૂચમાં સંપાદન કર્યા પછી મુંબઈમાં અંગરેજ ગૃહસ્થના સમાગમથી તેમજ સારા વિદ્વાન નેટીવ ગૃહસ્થ જેવા કે હરી કેશવજી, કાશીનાથ છના સહવાસથી જ્ઞાન વધેલું તેમજ અંકગણિત, બીજગણિત, ભૂમિતિ વગેરેને પણ સારો અભ્યાસ કરેલો જણાય છે, કારણ હનકૃત અંકગણિત
Page #128
--------------------------------------------------------------------------
________________
રણછોડદાસ ગીરધરભાઈનું જન્મચરિત્ર
તથા બીજગણિત લખ્યા પછી યંગકૃત બીજગણિતનાં સમીકરણનાં મનેયત્ન જાતિ કરતા જણાયા હતા. તે વખતનાં રસાયનશાસ્ત્ર તથા સિદ્ધપદાર્થ વિજ્ઞાનનું જ્ઞાન ઘણું સારું હતું. ભાષા તેમજ ગણિતમાં સારી માહીતી મેળવી હતી. દેશી રાગની પરીક્ષા ઘણી સારી હતી.
ધર્મ સંબંધી વિચાર: લોકરૂઢી પ્રમાણે મૂર્તિપૂજા કરતા. ઘેર ઠાકોરજીની સેવા હતી તે રોજ જાતે કરતાં પણ તે સંબંધી વિચાર સુધરેલા હતા, એટલે એક ઈશ્વરને માનનારા, જાદુ જંત્ર મંત્ર તંત્રને ધીકારતા ને ખોટું માનતા. સુરતમાં દુરગારામ મહેતાજીએ જ્યારે જાદુ ખોટું છે, કેટલીક રૂઢીએ ઘણું બેટી છે વગેરે બતાવવાના સંબંધમાં માનવધર્મસભા સ્થાપના કરી હતી તે વેળાએ તેમાં એ જાતે આગેવાની ધરાવતા તે સભામાં જતા ને વાદવિવાદમાં ઘણો ભાગ લેતા. સુરતમાં પ્રથમ શિલાછાપ કાઢવામાં, પુસ્તક પ્રસારક મંડળી સન ૧૮[ ] માં સ્થાપન થઈ તેમાં પણ એ એક ભાગીઆ હતા. ને સઘળી વાતની સુઝ પાડતા. સુરતમાં એ વખત પાંચ સુધારાના અગ્રેસર ગણાતા. એટલે દીનમણીશંકર, દુરગારામ, દાદોબા, દોલતરામ ને દામોદરદાસ એ પાંચની ટળી હતી; પણ તેમને અંદરખાનેથી સુઝ સમજ આપનાર રણછોડદાસ હતા. જાતે કમસુકન હોવાથી ભાષણ કરવામાં આગેવાન થતા નહિ પણ અંદરખાનેથી સારા વિચાર બતાવતા તથા મદદ આપતા. સુરતમાં જેમ વિદ્યામંડળમાં આગેવાની ધરાવતા તેમજ મુંબઈમાં પણ પ્રથમ જ્ઞાનપ્રસારક સન ૧૮૪૮માં સ્થાપન થઈ, તેમાં રણછોડદાસ પહેલા પ્રમુખ થયા હતા.
મોહનલાલ રણછોડદાસ
[ સંપાદકઃ કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી.] મહારા મુરબ્બી કાકા રા. મનમોહનદાસ રણછોડદાસ જેડે આ જીવનચરિત્રના વિષય સંબંધી હારે વાતચીત થતાં હેમનું કહેવું એવું થએલું કે આ મુજબ કાંઈ નહિ તે સંક્ષિપ્તરૂપે પણ મહારા પૂજ્ય દાદાનું ચરિત્ર લખવાનો પહેલો વિચાર મહારા પિતાના મગજમાં મૂકનાર સ્વર્ગસ્થ રા. ઝવેરીલાલભાઈ ઉમીયાશંકર યાજ્ઞિક હતા. મુંબઈમાં જ્યારે સન ૧૮૮૯માં કોંગ્રેસને સમયે હારા પિતા આવેલા ત્યારે રા. ઝવેરીલાલભાઈ જોડે હેમને ઉપર મુજબ વાતચીત થયેલી. ગુજરાતની કેળવણીના પિતા તરીકે રા. રણછોડદાસનું નામ હજુ ગુજરાતમાં પ્રસિદ્ધ છે. એ કેળવણીને પાયે
૨૩
Page #129
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી .:: એમની કૃતિઓ :: ઈસપ નીતિની વાત. હિંદુસ્તાનને ઇતિહાસ. બીજગણિત. વાચન પાઠમાળા. બ્રીટીશ ઈડીઆ.
પરિશિષ્ટ ૧ | [ રણછોડદાસની શૈલીના નમુના નીચે આપ્યા છે. ]
“તેણે નીતિ બતલાવવા સારૂ જે વાતો જેોિ હતિ, તેઓ ઉપર હેના મુઆ પછી લોકોની પ્રીતિ વત્તી વસ્તી થતી ગઈ અને બાળકોને સદાચરણને માર્ગ લગાડવા સારૂ તે વાતનો ફેલાવ ઘણે થતે ગયે. આગળ ઘણેક વરસે, આથેન્સના લેકેયે જે વારે પેલા સપ્ત મહા જ્ઞાનિનાં પુતળાં કરીને સ્થાપ્યાં, તે વારે તેમની સાથે ઈસાપનું પણ પુતળું કરીને સર્વની આગળ હોખરે બેસાડયું એ ઉપરથી હેની કેટલી પ્રતિષ્ઠા થઈ એ સાફ જણાય છે.”
“ઇસાપનો વૃત્તાંત” ઈસાપે એ વાત ગ્રીક ભાષામાં રચિયે, પછી તે ભાષામાંથી ઘણી ભાષાઓમાં તેઓનાં ભાષાંતરો થયાં, તેમાંથી મરાઠી બોલીમાં થઇ, તે ઉપરથી ગુજરાતી બોલીમાં એને તરજુમે થયો.”
“ઇસાપને વૃત્તાંત” ભાષાંતરની શેલી.
પિતે સર્વ અંગે સુંદર નથી, તેથી સ્ત્રિયાયે ખેદ કરવો નહી. ખોડલે અવયવ છે તે જ વખતે તેઓના પતિવ્રતપણાના રક્ષણ વિશે કામ લાગે છે, તે સુંદર અવયવ લાગતું નથી. પતિવ્રતપણું સ્ત્રિઓનો પ્રાણ છે, તે જેને નથી હોતું તે પ્રેતના જેવિ જાણવિ.”
“ઈસાપનીતિની વાતે.” નાંખતાં શી શી રીતની મુશ્કેલીઓ પડેલી, તેને કાંઈક અંશે આપણનેએટલે તે કેળવણીનું ફળ ભોગવનારને–જે ચિતાર મળે છે તે રા. ઝવેરીલાલભાઈની સૂચનાનું ફળ છે, એ જાણી દરેક ગુજરાતીને આનંદ થયા વગર રહેશે નહિ.
કુ, મો, ઝ,
Page #130
--------------------------------------------------------------------------
________________
રણછોડદાસ ગીરધરભાઈનું જન્મચરિત્ર પરિશિષ્ટ ર
[ અમારા મરહુમ કાકા દુવારકાદાસ ગોરધનદાસે અમારા કુટુંબ સંબંધી કેટલુંક ટાંચણ કરેલું તે અમારા ભાઇ બ્રિજમાહનલાલ હરકીસનદાસની સૌજન્યતાથી પ્રાપ્ત થયું છે, તે અહીં મરહુમની પેાતાની ભાષા અને શબ્દોમાંજ ફેરફાર સિવાય દાખલ કર્યું છેઃ−]
જીવણદાસના બાપનુ નામ દામ માલમ પડતું નથી પણ હેમનાથી ચેથી અથવા પાંચમી પેહેડીએ વેણીદાશ કરીને હતા જેવા ઝવેરીને ધા કરતા તે મેાહાડાશામાં રહીને પાટણમાં ધંધા કરતા પછી પાટણમાં ધંધા કરવાની રમુજ નહી રેહેવાથી અમદાવાદમાં આવેલા તે પ્રથમ કાણુ અને ક્યારે આવેલું તે બરાબર માલમ પડતું નથી પણ જીવણદાશ શને ૧૭૩૩ થી તે શને ૧૭૩૭ સુધીમાં અમદાવાદમાં ગાએકવાડ શરકારના કારભારમાં હતા. માજી રાજાને દ્રવ્યશ’ગ્રહ કરવાને ઘણા ખતી રહેતા હતા તેથી જે નાકરાથી ઘણા દ્રવ્યની પ્રાપ્તી થતી તેના ઉપર શરકારની મેહેરબાની રહેતી તે તે નોકરીમાં કાયમ રહી શકતાં. તે મુજબ જીવણદાશને કરવું પડતું તેથી ઘણા મેગુનેગારા વગર ઇનશાફે ધોળે દાહાડે શરકારના દડથી લુટાતાં તેથી ધણી રઈ એત એ જીવણદાશ ઉપર નહી રાજી હતી. એ અરશામાં એક ભાટણ ઉપર ખોટુ તેામત મુકવામાં આવું તેથી શધલા ભાટાએ એ દાશને મારી લાખવાને હુમલા કરેા તે વખતે ગાયકવાડ શરકારે એ વણદાશને છુપાવીને રતાવાઇ નશાડી મુકા. એ વખતે જીવણદાશની ઊમર આશરે વરશ આગપચાશ પચાશની હતી તેમને એ વખતે એક છેાકરા નામે મેારારદાશ આશરે વરશ બાવીશ તેવીશની ઊમરના હતા. જીવણુદાશ નાહાશીને કાહા છુપાઇ રહયા ને ક્યારે મૃત્યુ થળે તે માલમ પડતું નથી પણ દુખને લીધે એ ઈઆ ત્રણ વરશમાં મરી ગઆ. મેારારદાશ પોતાની સ્ત્રી શાથે શને ૧૭૩૯માં ભરૂચ આવા તાર પછી તરત એકાદ વરશમાં એક છેકરા નામે ભગતીદાશ કરીને થયેા તારપછી ચાર છે।કરી
એ થએલી. દેશવટા લઈ ને આવેલા તેથી ઘણી ગરીબી હાલતમાં હતા તાપણુ સ્વભાવે શારા અને ગુણવાન હતા. કુલવાન જાણીને ભરૂચના મેટા વતનદાર ભાઈદાશભાઈ એ પેાતાની છેાકરીનુ લગન ભગતીદાશની સાથે કીધું. એ છોકરી પગે ખેાડવાલી હતી અને ભગતીદાશ ગરીબી હાલતમાં હતા
૨૫
Page #131
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
તેથી કામ કરવાને એક ચાકરડી આપેલી હતી. આ અરશામાં આ જીલ્લામાં વરસાદ નહી પડવાથી દુકાલની અસર થએલી તેથી ગરીમાને અનાજ આપવા શારૂં ભુખણુભાઈ એ અનાજના કાઠાર ભરાવેલા તે ઉપર ભગતીદાશને નાકર રાખેલા તે વખતે હેમની ગરીબી છતાં પેાતાને ઘેરથી જે એક બે મુઠી અનાજ બની આવતું તે કોઠારમાં નાખતાં એવી તરેહની ધરમની નીસ્કા જોઈ તેથી લલુભાઈના પ્યાર હેમના ઉપર ધણા થયા અને ભારતીઓની દુકાનના મુનીમ કરા. વલી એ વખતમાં ભરૂચ શેહેરના મેહાડ વાણીઆની નાતના વહીવંચા આવેલા તે ખબર લલ્લુભાઈ ને થવાથી તે લોકોના દફ્તરા ખાલી લખાવી તે લેાકેાને કાહાડી મુકેલા તેનુ કારણ પણ એજ કે જો જીવણદાશના વશ જીવતા છે એમ માલમ પડે તે અમદાવાદના ભાટા આવી તોફાન કરશે. હવે લલુભાઈના માશી તે ભુખણભાઇનાં ખેડન જે કે ભગતીદાસ સાથે પરણેલાં તે નાધલી વયમાં એટલે શાલ શતર વર સની વયમાં મરણ પામ્યાં તેથી ભગતીદાશ ફરીથી એક ધનકાર નામની કન્યા સાથે પરણા જેને પેટે સને ૧૭૭૩ માં કકુભાઇ શને ૧૭૭૭ માં ગીરધરભાઇ સને ૧૭૮૦ માં ઇછા ખેહેન શને ૧૭૮૪ માં પરભુદાશ સને ૧૭૮૯ માં વીજભુખણદાશ શને ૧૭૯૪ માં મનેારભાઈ મળી પાંચ કરા ને એક છેકરી થઈ ખરા ખરબચરવાલ થયા પણ એ અરશામાં મેટા છેકરા *કુભાઇ તા. ગીરધરભાઇ આવી મલા તેથી ખરચની પીકર ઓછી થતી ચાલી.
૨૬
Page #132
--------------------------------------------------------------------------
________________
રા. બા. મોહનલાલભાઈ રણછોડદાસ ઝવેરીને આત્મકથન
રબા, મેહનલાલભાઈ રણછોડદાસ ઝવેરીનું આત્મકથા
ભારે જન્મ સં. ૧૮૮૪ ના ચઈતર માસમાં સુદ ૧૪ વાર શની (મંદ વાસરે) થયો. તે વખત શાલીવાહન શક ૧૭૫૦ તથા અંગ્રેજી સન ૧૮૨૮ ના માર્ચની તારીખ ૩૧ મી હતી. મારા જન્મ માના મોસાળમાં પોતાની કાકીના ઘરમાં થયો હતો. કારણ મારી માતોશ્રીના બાપ વિચિત્ર વર્તણુકના હોવાથી પિતાનો ઘરસંસાર ચલાવી શકેલા નહીં. પોતાની બહેનના ઘરમાં રહી દીવસ નિર્ગમન કરતા. મારી માની મા છવકારનાં કાકી સદામા (જેને જમા કહીને બોલાવતા તે) નંદકીશોરભાઈ ભગવાનભાઈ ભજેમુદારની ખડકીમાં, ગીરો રાખેલાં ઘરમાં રહેતાં હતાં. અસલ તેમના ધણી વગેરે ઘણી સારી હાલતમાં હતા તથા તેમની મોટી હવેલી ટાંકા કુવાવાળી તેમના ઘરની સેડેજ હતી. તે પડી ગઈ તથા તે કુટુંબ ઘણી ગરીબ સ્થિતિમાં આવી ગયું હતું. જેમાનું પહેરા પંચમહાલમાં વેજલપુર ગામમાં હતું. તે ઘણાં વૃદ્ધ હતાં, પણ અંગે તથા મને સુદઢ હતાં, તેમણે પોતાની ભત્રીજીને પિતાને ઘેર રાખી તેનાં છોકરાંનું પોષણ કરેલું. મારા મામાને સારી કેળવણું આપી સરકારી નામું તથા શુદ્ધ સારું લખાણ કરતાં શીખવાડીને અદાલતમાં જતા આવતા કર્યા હતા. તેમણે પારસી વકીલ શેરીઆરજી (સદર અદાલતના વકીલ) તથા તેમના ભાઈ બમનશા વકીલને ત્યાં વાણોતર મહેતાનું કામ કરી સારી સંપત્તિ મેળવી હતી.
જે ઘરમાં મારો જન્મ થયે તે ઘરમાં બે ઓરડા હતા; એક પરસાલ ને બીજી રાંધણી. તેમાં અજવાળું તથા હવા આવવા જવાની ઘણી જ નઠારી ગોઠવણ હતી. એકજ બારણું આગળ પરસાળમાં ને અગાશીનું એક જાળીઉં પાછલી રાંધણુના ઓરડામાં. ઘરમાં શરદી પુષ્કળ હતી-સુવાવડખાતું પણ પરસાલના એક પાસા પર. એવા ઘરમાં ઉછરી હું મેટે થયેલ. એવી કઇ જગા હતી, પણ હું દશ વરસની ઉંમરનો થયો ત્યાં લગી મને તેમાં જ રહેવાનું ગમતું. મારાં જમા તથા મારી બા (માની મા) તથા ધીરજ માસી, એક ડેસી પાડોશણ જાતની કાયથ હતી તે સઘળાને મારા પર અતિશય પ્રેમ હતો. | મારા પિતાને મુંબઈની કરી હતી એટલે મને બાપને ઘેરન ગમતાં મોસાળજ રહેવું પસંદ પડતું. હું પાંચ વરસને થયે ત્યાં લગી મોસાળમાં ઉર્યો ને તે ફળીઆમાં જ મારે ઘણું ઓળખાણ ત્યાંના પાડોશીના
૨૭
Page #133
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
છોકરા જોડે રમવા કરવાનું થતું, મારે બચપણને દસ્ત આદીતરામ નથુરામ હતા.
પાંચ વરસ પુરા થયા પછી મારા મામા મને સરકારી ગુજરાતી નિશાળે બેસાડી આવ્યા. મારા મહેતાજી મુકુંદરામ આશારામ કરીને તાળા બ્રાહ્મણ હતા. તેમની નિશાળ મારા મોસાળના ફળીઆની નજીકમાંજ હતી, એટલે મને ભણવા જવાનું ઘણું સરળ હતું.
તે વખત સરકારી નિશાળ શહેરમાં આવ્યાને આઠ વરસ થયાં હતાં. શિક્ષણ પદ્ધતિ ગામઠી નિશાળો કરતાં જુદી હોવાથી લોકને વિચિત્ર લાગતું. મારા મામા તથા મારા કાકા જગન્નાથ પણ એજ મહેતાજીના હાથ તળે શીખેલા. પ્રથમ વર્ણમાળા શીખવતા એટલે શું આ આદિ સોળ સ્વર અને ૪ ૪ આદિ છત્રીસ વ્યંજનથી આરંભ થતો. તે શીખવાનાં સાધન ઘણું સારાં હતાં એટલે મેટા સુશોભિત અક્ષર કાગળ પર છાપેલા ને તે પાટી પર ચડેલા. વર્ગની સન્મુખ મુકી તે પરથી બોલતાં તથા લખતાં શિક્ષકે શીખવતા. શીક્ષકે એટલે પગારદાર ભણાવનારા નહીં, પણ ઉપલા વર્ગના વડા નિશાળીઆ વારાફરતી ભણાવતા. તે વખતે સ્લેટે મળતી નહોતી માટે પાટી પર સફેતાના પાણી વડે લખતા. ઘણી ગમત સાથે બાવન અક્ષર આવડ્યા એટલે મહેતાજીએ અમારા વર્ગની પરીક્ષા લઈ મને ઉપલા વર્ગમાં મુક્યો. ત્યાં બારાખડી શીખવાની આવી. તેના પણ ઉપર પ્રમાણેજ ભવ્ય અક્ષર છાપેલા કાગળો પાટી પર ચડેલા ને ઘડી પર ટાંગેલા હતા. છત્રીસ વ્યંજનની બારાખડી શીખી પરીક્ષા આપી હું ઉપલા વર્ગમાં ચડે એટલે જોડાક્ષર, પછી એકાક્ષરી, બે અક્ષરના, ત્રણ અક્ષરના એવા સાત અક્ષરના શબ્દો લગી ભણવાનું કામ ચાલ્યું. સાત અક્ષરના શબ્દો વાંચતાં લખતાં શીખવ્યા પછી શબ્દોના અર્થો શીખવતા, આવી રીતે વર્ણમાળા પુરી થાય એટલે ચોપડી લેવાનો વખત નિશાળીઆને આવતે-તે ચોપડીનું નામ લીધીધારા–જે બધા વર્ગો તથા શબ્દો મોટા કાગળ પર છાપેલા હતા તે બધા ઝીણે અક્ષરે ચોપડીમાં છાપેલા ને તેની સાથે કેટલીક નાની નાની વાર્તાઓ હતી તે વાંચતાં શીખવું પડતું. સારી વાંચનશક્તિ આવવાને નાના છોકરાને બે વરસ લાગે. ' ઉપલો ક્રમ સવારના શિક્ષણને કહેવાય. એ શીક્ષણમાં બે લીપી ચાલતી, બાળબોધ (એટલે દેવનાગરી) તથા ગુજરાતી. બપોર પછીના
૨૮
Page #134
--------------------------------------------------------------------------
________________
રા. બા. મોહનલાલભાઈ રણછોડદાસ ઝવેરીનું આત્મકથને
અભ્યાસના ક્રમમાં આંક તથા ગણિત ચાલતું. આંક વધારે ચાલતા નહીં, કારણ તે વખતે એ રીવાજ ચાલુ હતો કે આંક ધાતો ગુજરાતી ગામઠી નિશાળે ભણીને વિદ્યાર્થીઓ આવતા. માટે મહેતાજી આંકપર ઘણુંજ થોડું લક્ષ આપી, સંખ્યા પરિમાણ ચલાવતા–આંકને વાસ્તે ઘેરથી ભણી ગયાની ચીઠી લાવે એટલે મહેતાજી સંતોષ પામે.
એ કામ મને ઘણું જ અઘરું પડયું; કેમકે મેં આરંભે ગામઠી નિશાળે ન ભણતાં મારી કેળવણીની શરૂઆત સરકારી નિશાળે કરી હતી. સંખ્યા પરિમાણ શીખે. સરવાળા-બાદબાકી તે સહેલાં પડ્યાં પણ ગુણાકાર ભાગાકારમાં વધારે મુશ્કેલ લાગ્યું.
આઠ વરસની ઉમ્મર થતા લગીમાં હું વર્ણમાળા–લીધીધારા અને બોધવચન તથા ગણીતમાં ભાજણ લગી ભણ્યો. એટલે સારી રીતે વાંચતાંલખતાં-વેરાશી લગી ગણીત શીખ્યો.
સાત વરસની ઉંમરે મારો વિવાહ (વેશવાળ) વનમાળીદાસ કલ્યાણદાસની ત્રીજી દીકરી રૂક્ષ્મણી સાથે મારા દાદાએ કર્યો. મારા દાદા એવા કામમાં ઘણા ઉત્સુક નહોતા, પણ તેમના પતીયાલા શેઠ પ્રાણનાથ બીજાભાઈ ભજમુદાર, જે અમારા ઉપર ઘણો પ્રેમ રાખતા હતા તેમણે આગેવાન થઈને કર્યો.
સન ૧૮૩૫ ના શીયાળાની મોસમમાં સદર અદાલતના સરકારી જડજ એટલે જુડીશીઅલ કમીશનર છબરીન સાહેબ ભરૂચમાં આવ્યા. તે વખતે સરકારી નિશાળની પરીક્ષા લેવાનો અધિકાર સરકારે એમને પેલો હતો. એ સાહેબે અમારી નિશાળની પરીક્ષા લીધી તે વખતે છોકરાનું વાંચન–સમજુતી–ગણતકામ વગેરેથી તે રાજી થયો પણ ભરૂચમાં બીજી નિશાળ વડાપાડામાં હતી તે જોવા ગયો, ને ત્યાંના નિશાળીઆઓને ભૂગળના સવાલ પુછ્યા કે, પૃથ્વીના કેટલા ખંડ છે. છોકરાથી જવાબ ન દેવા એટલે મહેતાજીને પુછયું કે તમે જવાબ દ્યો. તે બિચારાથી નવ ખંડ બેલાઈ ગયા. એટલે સાહેબ ઘણા નારાજ થયા. સરકીટ ફરી આવ્યા પછી સરકારમાં રીપોર્ટ કર્યો કે ગુજરાતના મહેતાજીઓને ભૂગોળ આવડતી નથી, માટે તેને અભ્યાસ થવા ગોઠવણ થવી જોઈએ. તે પરથી સરકારે હુકમ લખી બધા મહેતાજીઓને મુંબઇ તેડી ત્યાં વ્યાકરણ, ભૂગોળ, બીજ ગણિત, ભૂમિતિ, ત્રિકોણમીતિ, ક્ષેત્રફળ, ઘનફળ વગેરે વિષયો શીખવવાની
૨૯
Page #135
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
ગોઠવણ કરી. દશ માસ ત્યાં રાખ્યા તેટલી મુદત જીલ્લાઓમાં નિશાળે બંધ પડી.
આ અવકાશ મને મળવાથી મારા દાદાએ મને આંક તથા ધાત તથા લેખાં શીખવા સારૂ ગામઠી નિશાળે મુકો. એ મારા મહેતાજીનું નામ હરીનારાયણ કામબુરીઓ હતું અને તેની નિશાળ લલ્લુભાઈના ચકલામાં પ્રાણનાથ બીજાભાઈની હવેલી પાસે જ હતી. મારા દાદાએ પ્રાણનાથ બીજાભાઇની દુકાનના ભાગીઆ હોવાથી તેમનું બેસવાનું એ હવેલીમાંજ થતું. તેથી મને પણ ઘણું સુગમ પડયું. આઠ નવ માસ લગી એ નિશાળમાં રહ્યો. આંક પાકા થયા. એ નિશાળમાં સારી ગમત થતી. મહીનામાં બે ચાર વાર છુટી લેવા જવું પડે તે વખતે ઘણો હર્ષ થાય. ગાવાનું, ગોળ ખાવાનું ને સાંજના છુટી મળે.
સને ૧૮૩૭ માં સરકારી નિશાળ પાછી ઉઘડી એટલે મને પાછો એજ નિશાળે બેસાડયો. મારા મહેતાજી મુકુંદરામ છ માસમાં ભણીને પાસ થઈ પાછા ભરૂચ આવેલા. તેમને તાજો અભ્યાસ તથા નિશાળ સુધારવાના ઉમંગને લીધે ઘણોજ શ્રમ લેતા.
મારે અભ્યાસ બોધવચનના વર્ગ લગી થયો હતો. બે વરસમાં મારે અભ્યાસ છેક પહેલા વર્ગ લગી આવી લાગે એટલે ડાડસ્લી નીતિ કથાઓ, ઇસપનીતિ ને બાળમિત્ર, તે સાથે ભૂગોળ ને વ્યાકરણ. ગણીત વરગમાં પૂર્ણાંક અપૂર્ણક, વર્ગમૂળ, ઘનમૂળ, પત્યાળું, ઈષ્ટરાશી વગેરે પુરું થયું. એ પછી બીજગણીત, ત્રિકોણ મિતિ, કર્તવ્ય ભૂમિતી, લાગ્રતમ ક્ષેત્રફળ, ઘનફળ લગી, શિક્ષામાળા બીજા ભાગમાંથી શીખે. મારી સાથે શીખનારા સોબતીઓમાં મૂળચંદ મકનદાસ, કીશોરદાસ હરગોવનદાસ, લાલભાઈ નથુભાઈ, રામચંદ્ર મોહનલાલ એટલા હતા. એ વખતે ગણીતનાં પુસ્તકો જર્વસ સાહેબનાં કરેલાં શિક્ષામાળા પહેલો, તેમાં પૂર્ણાંક તેમ અપૂર્ણાંક.
એ ભાગ બીજે, એમાં બીજ ગણીત, ભૂમિતિ, લાગ્રતમ, સંગતીકરણ, સીધી લીટી, ત્રિકોણમિતિ, ક્ષેત્રફળ, ઘનફળ, કર્તવ્ય ભૂમિતિ, એમાં ઇજનેરી કામના નકશા જમીન માપવી વગેરે બાબત હતી.
સન ૧૮૩૭માં એટલે સંવત ૧૮૯૭ના ચૈત્ર માસમાં સુરતમાં આગ લાગી ને શહેરને ઘણે વસ્તીવાળો ભાગ ત્રણ દહાડા ને ત્રણ રાત લગી
* હટ્ટનકૃત ગણતશાસ્ત્ર પરથી ભાષાંતર કરીને એ ગ્રંથે રચેલા હતા.
Page #136
--------------------------------------------------------------------------
________________
રા. બા. મેહનલાલભાઈ રણછોડદાસ ઝવેરીનું આત્મકથન
બળે. તે વરસમાં હું સુરત મારા પિતાજી સાથે ગયો હતો. સુરતના જેટલા ભાગમાં હું ફર્યો તેના રસ્તા ઘણા સાંકડા ને હવેલીઓ રસ્તાની બાજુ ઉપર ઘણું ઊંચી આવી રહેલી તેથી ખરે બપોરે પણ રાહદારીને છત્રીની જરૂર પડતી નહીં. મારા પિતાજી સાથે બરાનપરી ભાગલે ફરતાં એ કંસારાની દુકાન પર પીતળની નાની મોટી મૂર્તિઓ વેચાતી હતી તેમાંથી એક મેં મારા પિતાને લેવાને કહ્યું–બશેર ઘી આપી તે લીધી. લાલજીની મૂર્તિ હાથમાં માખણને પડિ ને નાહાની બચ્ચાંની પેઠે એક તંગડી નીચી ને એક તંગડી ઉંચી રાખી ચાલતા હોય, માથે કેશવાળ ગુંથીને તેને ઉભે બોલે મુકેલ. એ મૂત્તિને નાનપણથી પણ મેં સેવા પૂજા કરવા માંડી. ભરૂચ આવ્યા પછી હુંને મારા ભાઈ એ તેના હડાળા પારણા કરી ઝુલાવતા ને સારા વસ્ત્ર પહેરાવી અલંકૃત કરતા, મારી ઉમ્મરમાં ભરૂચની બહારની પહેલી મુસાફરી સુરતની જ હતી.
મારા મહેતાજી મુકુંદરામે પૃથ્વીને ગાળે તથા સૂર્યમાળા બનાવ્યાં હતાં. એ ગળા ઉપર જમીનને પાણીના તમામ ભાગો ચીલા હતા. તથા ખંડે, પર્વત, નદીઓ, અખાત ભૂશિર વગેરે નકશા પ્રમાણે ચીતરી તે પર નામ લખ્યાં હતાં. વિલાયતી ભૂગોળને ગોળે આવે છે તેજ નમુના પ્રમાણે કર્યો હતો. એક આંબાના લાકડાના કકડામાંથી મેટે ગોળ દડે ખરાદી પાસે ઉતરાવ્યો. તેને વ્યાસ આશરે એક ફૂટને હતો, તે ઉપર કાગળચડીને જાડા પુઠા જેવું કરી તેને વચમાંથી કાપી કહાડી બે અર્ધ ગોળ થયા. તેમાંથી લાકડાનું ખોખું કહાડી લઈ તેને સાંધી દીધાં. તે ઉપર સારા ઝીણું કાગળ ચેહડી રંગે ને પછી ખંડ સાગર વગેરેના આકાર પાડી નામ લખ્યાં ને જુદા જુદા રંગ પૂર્યા. એ કારીગીરી જોઈ પ્રોફેસર ડાકટર હાર્કનસ સાહેબ જે ગુજરાતની નિશાળોના સુપ્રીટેન્ડન્ટ હતા તેમણે સરકારમાંથી મુકુંદરામ મહેતાજીને રૂ. ૨૫)નું ઈનામ અપાવ્યું હતું. સૂર્યમાળા પણ લોઢાના ભર ને લાકડાના ગેળાથી બનાવી હતી તે વિલાયતી નમુના મુજબનીજ હતી.
આવી રીતે અભ્યાસમાં વધારો કરવાને મારા પિતાની સહાયતાની જરૂર હતી માટે મારું રહેઠાણ મશાળ તથા બાપને ઘેર બે ઠેકાણે વેંચાઈ ગયું.
જે કાળે નિશાળમાં આ અભ્યાસ તડામાર ચાલતે તે વેળા મારા દાદા તથા પિતાની આજ્ઞાથી સોમનાથ પાસ કામનાથના દેહેરાની ધર્મ
Page #137
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
શાળામાં વિમલાનંદ સ્વામિ રહેતા હતા, તેની પાસે દરરોજ સાંજના પાંચ વાગતે વિષ્ણુ સદ નામ અને આદિત્ય હદયના પાઠ શીખવા જતે. એ અભ્યાસમાં મારા સબતી મારા કાકા ગોવિંદલાલ વીજભૂખણદાસ તથા માણેકલાલ કકુભાઈ હતા. રોજ ચાર પાંચ ક ભણાવે (એટલે વાંચતાં શીખવે) તથા આગલા દિવસના આપેલા મોડે ભણાવી જુએ. કેટલાક શિક્ષકે એ તેત્રોમાં આવેલા મંત્ર અને ન્યાસને ભાગ શીખવવાને હરકત વેતાને શુદ્રોને તે ભણાવતાજ નહીં; પણ વિમલાનંદ એ રીવાજને ધીક્કારતા–અમને તો ઘણી ખુશીથી તેમણે એ ભાગે ભણવ્યા–ભણાવ્યા એટલું જ નહીં પણ તેના અર્થ તથા વિધિ સુદ્ધાંત સમજાવ્યા હતા. વિમલાનંદની વાણી ઘણી શુદ્ધ હતી. કેટલી વાર પંચકેશ રાખી બ્રહ્મચારીનું રૂપ ધારણ કરતા ને વળી તેનું વપન કરાવી સન્યસ્ત ગ્રહણ કરતા. કેઈ વેળા મનમાં આવે તે દશપંદર દિવસ લગણ અન્ન ખાતા નહીં, ને વળી કઈવાર ફાંટ આવે તે બે ત્રણ દહાડા લગી જેટલા ઘડી ઘડીને શેકીને ખાયાજ કરે. કેઈ એમનું વય પૂછે તો એવી ડંફાસ હાંકે કે “હમકું તીસરી પૃથ્વી પ્રદક્ષિણા હુઈ ઔર જબ હમ ભડક આયે તબ લલુકા જન્મ હુઆ થા.”
સન ૧૮૩૭ થી સન ૧૮૪૧ સુધી ભારે વખત ગુજરાતી નિશાળમાં અભ્યાસ કરવામાં તથા સ્વામીને ત્યાં પાઠ શીખવા જવામાં તથા ભૂતનાથમાં અગર રેવાજી કિનારા પર મિત્ર મંડળ મળી કલેક વગેરે ભણવામાં તથા વિદ્યા સંબંધી ચરચા કરવામાં હું ગુજારતો. એ સમય મને ઘણો આનંદકરી હતી. અમારા મેહતાજીનું ત્રિકોણમિતી અગર કર્તવ્ય ભૂમિતી અગર બીજ ગણીત શીખવવામાં હરક્ત પડતી ત્યારે અમારા વર્ગને મારા પિતાજી કને મોકલતા ને જે અમારા સંદેહ પડે તે તે દૂર કરતા. ખાનગી–ઘર આગળ મારા પિતા સાથે વ્રજ ભાષાના ગ્રંથો જેવા કે પ્રેમ સાગર, સભાવિલાસ, દાદુપથી સુંદરદાસજીની કવિતા વગેરે વાંચત, તેથી કવિતા વાંચવાન શેખ મને નાહનપણથીજ હતે. વળી તે ઘણી સારી રીતે વાંચીને સુસ્પષ્ટીકરણ કરતા તેથી મને ઘણોજ હર્ષ થતું. મારા કાકા ગવરધનદાસ તથા જગન્નાથ પણ એવાં પુસ્તક વાંચી સમજાવવામાં મને ઘણી સહાય કરતા. | ગુજરાતી નિશાળના અભ્યાસ ક્રમ પુરો થયા પછી મેં અંગ્રેજી અભ્યાસ ભરૂચમાંજ કરવા માંડ્યો. મી. ટાઉનલેંડ કરીને કોઈ યુરોપીઅન
Page #138
--------------------------------------------------------------------------
________________
રા. ખા. મેાહનલાલભાઇ રણછેાડદાસ ઝવેરીનું આત્મકથન
.
ભરૂચના ક્રીશ્રીઅન દેવળની સભાળ રાખવા સારૂ આવેલા તેણે એક સ્કુલ કહાડી હતી; તે છેાકરા દીઠ દર માસે એક રૂપીએ શ્રી લઈ અંગ્રેજી અભ્યાસ કરાવતા. કમનશીબે તેને ગુજરાતી કે હીંદુસ્તાની કંઈજ દેશી ભાષા આવડતી નહીં. એટલે વાંચવું લખવું ને શબ્દોની જોડણી સીવાય તે વધારે શીખવી શકતા નહીં. પ્રથમ તેણે કુલ ચુનારવાડામાં કહાડી હતી અને પછી લાલ બજારમાં દાદાભાઈ મુનસફના તબેલા પર કહાડી હતી. શીખવામાં આશરે વીશેક વિદ્યાર્થી હતા. તે વખતમાં મરેની અને મેયરની રીડીંગ મુકેા ચાલતી તેમાંથી છવીશવ ને તેની જોડણી (બારાખડી) શીખ્યા પછી એક પદના, એ પદના, ત્રણ પદના એવા સાત પદ લગીના શબ્દો ચાલતા એટલે તે વાંચવાને જોડણી કરતાં શીખવા અને તેની સાથે પચકના વાક્યો જે પદ્દાને લગતા શબ્દોનાં બનાવેલાં હોય તે વાંચતાં શીખવતા; તરન્નુમાનું તે ધણું અંધેર જેવું હતું, પણ ઉપલા વર્ગના છોકરા નીચલા વર્ગાવાળાને શબ્દો તથા વાક્યેાના અર્થ શીખવતા. અક્ષર સુધારવા પછવાડે ઘણા શ્રમ લેવામાં આવતા. કાપી બુકો સારે અક્ષરે લખાતી ને જે સારા અક્ષર લખે તેનાં વખાણ થતાં. જેમ આજ પુછવામાં આવે છે કે કઈ બુક શીખા છે તેમ તે દીવસમાં અંગ્રેજી ભણનારને પુછાતું કે કઈ વયડી શીખા છે. પહેલી, ખીજી, કે ત્રીજી વગેરે–સાતમી વયડી શીખતા હાય તો શ્રેષ્ટ ગણાય—વયડી એટલે સીલેબલ (પદ): સાત પદના શબ્દ તે સાતમી વયડી કહેવાય.
મારા ગુજરાતી અભ્યાસ પુરેા થયા હતા તાપણ મારા મહેતાજીએ મારૂં નામ રજીસ્ટરમાં રાખ્યું હતું એટલે મારે નિશાળમાં હાજરી પુરવી પડતી. સવારે અંગ્રેજી સ્કુલ, દશ વાગ્યા પછી સરકારી ગુજરાતી નિશાળ, તે ચાર વાગતા લગી, પછી સ્વામીની પાસે પાઠ શીખવા જવાનું તે સંધ્યાકાળ લગી, ત્યારબાદ મિત્રમડળ સાથે રેવાજી પર ગમત કરવાનું, એવી રીતને ક્રમ સુરત અભ્યાસ કરવા ગયે ત્યાં લગણ ચાલ્યા.
વાર્ષીક પરીક્ષામાં એકે વરસ ઈનામ લીધા વગર મારે ચાલતું નહીં. મારી પાસે નિશાળામાં ચાલતી ચેાપડીએ તા હતીજ. સબબ મને રોકડા રૂપીઆ કે અંગ્રેજી ચેપડી ઇનામમાં મળતી. સન ૧૮૪૧ના વરસમાં છેલ્લું ઈનામ મને ભરૂચના કલેકટર સાહેબ તરફથી ડેવીસકૃત ઇંગ્લેંડના તિહાસ અંગ્રેજી (ગુજરાતી તરજુમા સાથે) રૂ. ૫)ની કીમતના તથા રૂ. ૫) રાકડા
મળ્યા હતા.
૫
૩૩
Page #139
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
મુંબઈ તળ તથા જીલ્લામાં સરકારી નિશાળા સ્થાપન થઇ તેને વહીવટ સરકાર તરફથી The Bombay Native Education Institution નામે સભા ચલવતી. ઈસવી સન ૧૮૩૯માં એ સભાને મેાકૅ કરી Board of Education એવે નામે છ સગૃહસ્થાની કારાબાર મંડળી નીમી; તેમાં ત્રણ નેટીવ ને ત્રણ યુરોપીઅન હતા. અંગ્રેજી અને દેશી કેળવણી આપવાનાં સરકારીખાતાંના વહીવટ સરકારે તેમને સાંપ્યા અને તેમના તાબામાં એક પગારદાર યુરાપીઅન સેક્રેટરી નીમ્યા. તે મડળીએ વિદ્યાવૃદ્ધી અંગ્રેજી તથા દેશી ભાષામાં કરવા સારૂં નવા નિયમા રચ્યા ને તે પ્રસિદ્ધ કરી ખાસ રાખનારા સ્થળાના લેાકા પાસેથી જીજ મદદ લેવા ઠરાવ્યું. દેશી નિશાળામાં કરા દીઠ એક આને ફી તથા અંગ્રેજીમાં આટ આના પી લેતી કરી. એડના વખત પહેલાં ચાપડીએ સ્લેટ વગેરે છેાકરાઓને સરકાર તરફથી મળતું તે બંધ કરીને ખેડે છેાકરાઓને તે વેચાતાં લેને અભ્યાસ કરવાની ફરજ પાડી. એ રીતે ત્રણ વરસ વહીવટ ચાલ્યા પછી તેની ગુજરાતમાં તપાસ કરવાને પ્રેફેસર એરલીખાર સાહેબને સને ૧૮૪૨માં સરકારે મેાકલ્યા. તેમણે ધેથી પેાતાની તપાસણી ખરી કરીને અમદાવાદ ને ખેડા જીલ્લા તપાસી ભરૂચમાં આવ્યા ને અમારી નિશાબની પરીક્ષા લીધી. પહેલા વર્ગોમાં હું તથા મારા ચાર સાબતી હતા. તેના અભ્યાસ જોઈ તે ધણા રાજી થયા. નિશાળના અભ્યાસક્રમ સીવાય મારી પરીક્ષા મરાઠી તથા હિંદુસ્તાની ભાષાના પુસ્તકૈા વંચાવી તેની સમજીતી કરવામાં તથા થેાડું અંગ્રેજી શીખ્યા હતા તેમાં પણ કરીને ઘણા ખુશ થયા ને મને પુછ્યું કે તારે કઈ ચોપડી ઇનામમાં જોઇએ. મેં જવાબ દીધો કે સાહેબ મારી પાસે ગુજરાતી તથા મરાઠી નિશાળામાં ચાલતી ચોપડીઓ બધી છે. માટે મને અંગ્રેજી પુસ્તક શીખવામાં ઉપયેગી પડે એવું આપે તો ઘણી મહેરબાની. તે પરથી સાહેબે મારે વાસ્તે એક અંગ્રેજી ભૂગોળવિદ્યા નામે Goldsmith's Grammar of Geography રૂ. ૨) ની કિંમતની મુંબાઈથી મેાકલી તથા મને “ ગવર્નમેંટ સ્કોલરશિપ ” સુરતની અંગ્રેજી સ્કૂલમાં આપી. તે સ્કોલરશીપના લાભ એટલેાજ કે માસીક પી ભરવી ન પડી તથા વર્ગમાં ચાલતી ચેપડી મફત ભણવા મળે.
સન ૧૮૪૨ ના વરસમાં સુરતમાં અંગ્રેજી સ્કુલ મી. દાદોબા પાંડુરંગે સરકારના હુકમથી સ્થાપન કરી હતી, તેમાં અભ્યાસ કરવાને તેજ
૩૪
Page #140
--------------------------------------------------------------------------
________________
રા. બા. માહનલાલભાઇ રણછેાડદાસ ઝવેરીનું આત્મકથન
વરસની આખરે એટલે નવેમ્બરમાં મારા પિતા મને મુકી ગયા. મેં એક વરસ ભરૂચમાં અભ્યાસ અંગ્રેજીને કર્યાં હતા તેથી સુરતમાં છેક છેલ્લા કલાસમાં મને ન બેસાડતાં તેથી ઉપલા વર્ગમાં દાખલ કર્યાં. તે કાળે મારી સાથે શીખવામાં ઉમેદરામ આણંદરામ તથા રા. બા. ઉમેદરામ રણછેડદાસ વિગેરે હતા. અમારા વના પાર્ક મી. લાડકોખા આત્મારામ વકીલ લેતા હતા. તે પહેલા વર્ગમાં હાવાથી વડા નીશાળીઆ માફક નીચલા વર્ગો ભણાવવામાં મી. દાદાખાને મદદ કરતા. વાંચકમાં હું નીચલા વમાં હતા પણ ગણિત કામમાં પહેલા વર્ગમાં હતા. કેમકે ગુજરાતીમાં ગણીત શીખેલા હતા. વચકમાં મારા નંબર ત્રીજો ચેાથેા રહેતા પણ ગણીતમાં ઉપર નંબર રહેતા. મારે અભ્યાસ સારા હેાવાથી સને ૧૮૪૩ માં મને પ્રેામેાશન મળવાથી ઉપલા વર્ગમાં ચઢાવ્યા. ત્યાં મેકલકસ M Cullouch's થર્ડ રીર્ટીંગ બુક ચાલતી. સુરતની અંગ્રેજી સ્કૂલનું કામ સારૂં ચાલવાથી તથા વિદ્યાર્થિ એની સંખ્યા વધવાથી ખેડ એફ એજ્યુકેશન તરફથી ઈંગ્લીશ હેડમાસ્તર વિલાયતથી મગાવ્યેા હતેા, તે સને ૧૮૪૩ માં આવી પહોંચ્યા. એ હેડમાસ્તર તે મી. ગ્રીન હતા, જે નેટીવાના હકમાં ઘણી સારી ઈચ્છા રાખતા હતેા. તેને હાથ નેટીવાનું ઘણું ભલું પણ થયું છે. એ માસ્તર આવ્યાથી ભણાવનાર બે જણા થયા, તેથી વિદ્યાર્થિઓને અભ્યાસ ધણીજ સારી રીતે ચાલ્યા. સને ૧૮૪૪ ના જુન માસમાં સ્કોલરશીપની પરીક્ષા આપવા સારૂ સુરતની સ્કુલમાંથી નેશરવાનજી ચાંદાભાઇ તથા કહાનદાસ મછારામ મુંબઈ એલ્ફીન્સ્ટન કૉલેજમાં પાસ થવા સારૂ ગયા. તેમાંથી નેશરવાનજી પાસ થયા ને કહાનદાસ રહી ગયા, તે તથા આનંદરાવ સાંપાજી સુરતથી નવા ઉમેદવાર ગયા, તે એજ વરસના ડીસેમ્બરમાં પાસ થયા. સને ૧૮૪૫ માં મને મુંબઈ મેાકલવાને મી. શ્રીને મારા પિતાજીને કહ્યું. સારા નસીબે એજ વરસમાં મારા પિતાને પણ ખેડે ગુજરાતી તારમલ કલાસના શીક્ષકનું કામ કરવાને હુકમ કર્યો હતા, તેથી મને ઘણું અનુકુળ પડયું. તેમની સાથે જુન માસમાં આગએટની મુસાફરી કરી મુંબઈ ગયા તે ત્યાં કેૉલેજની પ્રવેશક પરીક્ષામાં દાખલ થયેા. સારા નસીબે હું પાસ થયા તે મને દશ રૂપીઆની સ્કેલરશીપ મલી તથા આગખાટના ભાડાના પણ રૂ. ૧૦) મળ્યા.
આ અરસામાં એલપીન્સ્ટન ઇન્સ્ટીટયુશનના મકાનની પાસે ફરામજી કાવસજીના તલાવ પાસે નવી પુસ્તકશાળા સ્થાપન થઇ હતી, તેમાં અમારી
૩૫
Page #141
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
કેલેજના વિદ્યાર્થિઓ સભાસદ થયા હતા ને હું પણ સપ્ટેમ્બર સને ૧૮૪૫ થી દાખલ થયે હતો. તેમાં વર્તમાન પત્રો, માસીક એપાની તથા નવાં પુસ્તકે ઘણાં આવતાં હતાં.
કેલેજમાં મારા પ્રોફેસરોમાં ડા. હારકનેસ, પ્રોફેસર એરલીબાર, પ્રેફેસર હેડરસન ને પ્રોફેસર બેલ મારા શિક્ષક હતા. Literature, Mathemetics, History and Geograply, Chemistry તથા એ વિષયે અનુક્રમે એ પ્રોફેસરો શીખવતા હતા.
સ્કેલરશીપ રૂ. ૧૦ ના પગારની દોઢ વરસ સુધી ચાલી, અને તા. ૧લી જાનેવારી ૧૮૪૭ થી મને વેસ્ટ સ્કોલરશીપ રૂ. ૧૫) ના પગારની મળી. સને ૧૮૪૬ માં એ સ્કોલરશીપની પરીક્ષામાં પાસ થયો. ત્યાર પછી એજ વરસના જુન માસમાં મેં નોરમલ સ્કોલરશીપની પરીક્ષા આપી ને તેમાં પાસ થયો એટલે રૂ. ૨૦ ના પગારની સેકંડ કલાસ રમલ કેલરશીપ મળી. તે સને ૧૮૫૦ ના મેની આખર લગી ચાલી. તા. ૧લી જુન સને ૧૮૫૦ થી એલફીન્સ્ટન ઇસ્ટીટયુશનમાં આસીસ્ટંટ માસ્તરની જગ રૂ. ૪૦) ના પગારથી મળી.
એ રીતે કોલેજમાં કુલ ત્રણ વરસ ને અગીઆર માસ મેં અભ્યાસ કર્યો, તે દરમ્યાન મારા ઘણા શિક્ષક થઈ ગયા. Literature ને Political Economy શીખવવામાં બે જણા વારાફરતી થયા. પ્રોફેસર હારકનેસ અને પ્રોફેસર ગ્રીન (મારા સુરતના હેડમાસ્તર), ગણિત વિષય ને ખગોળ વિદ્યાના શીક્ષક પ્રોફેસર ઓરલીબાર)–ત્યાર પછી પ્રોફેસર પાટન ને પ્રોફેસર મેકગાલ ને છેલ્લે દાદાભાઈ નવરોજી, ઇતિહાસ ભૂગોળ શીખવનારામાં પ્રોફેસર હેંડરસન ને પ્રોફેસર રીડ, ને રસાયનશાસ્ત્ર તથા વન
સ્પતિશાસ્ત્ર શીખવનાર પ્રથમ મી. બેલ અને પછી ડાકટર ઝીરો. સંસ્કૃત ફારસી વગેરે કલાસીકલ ભાષાના શીક્ષક કોલેજમાં ન હોવાથી પહેલા વર્ગની નોરમલ સ્કેલરશીપ મેળવવામાં હું કે મારા સોબતીઓ પ્રાણલાલ મથુરાદાસ, અરદેશર ફરામજી મુસ વગેરે કઈ પણ ફતેહમંદ થયા નહીં. કારણ તે અભ્યાસ અમે ખાનગી શાસ્ત્રી કે મુનશી પાસે કરતા ને પરીક્ષા લેવા ડા. વિલસન જેવા કાબેલ પુરૂષ કોલેજમાં આવતા તેની પરીક્ષામાં કોઈ પણ ઉમેદવાર કાચા અભ્યાસી હોવાથી પાસ થતા નહીં. એટલે મને રૂ. ૩૦) ને પગારની સ્કેલરશીપ મળી નહીં. બેવાર પરીક્ષા આપી પણ તે નિષ્ફળ ગઈ.
Page #142
--------------------------------------------------------------------------
________________
રા. બા. મેાહનલાલભાઇ રણછેાડદાસ ઝવેરીનું આત્મકથન
એલીન્સ્ટન ઇન્સ્ટીટયુટને લગતા મરાઠી તથા ગુજરાતી નેારમલ ક્લાસ સન ૧૮૪૫ ના વરસમાં એ એફ એજ્યુકેશને મરહુમ બાળ ગંગાધર શાસ્ત્રીના ઉપરીપણા હેઠે સ્થાપન કીધા હતા. તેમાં ગુજરાતી તથા મરાઠીના ઈન્સ્પેકટરા રા. રણછેાડદાસ તથા રા. ગંગાધર શાસ્ત્રીને સહાય કરી રાખ્યા હતા. બાળગગાધર શાસ્ત્રી જાભેકરનું મરણ એક વરસની મુદતમાં થયું તેથી તે વનું ઉપરીપણું રા. ખા. દાદોબા પાંડુરંગ તરખડને સાંપ્યું. પણ એ સગૃહસ્થ ગણિત કામમાં ધણા કુશળ ન હોવાથી ગણિત શાસ્ત્ર શીખવવાને એ મને રૂ. ૧૫) ના માસીક પગારે નીમ્યા હતેા. તે કામ મે' તા. ૭મી જુન સને ૧૮૪૭ થી તા. ૩૧ અટાબર સને ૧૮૪૮ સુધી ચલાવ્યું, ત્યાર પછી તે વર્ગના સધળાવિદ્યાર્થિઓને મહેતાજીની જગા મળવાથી તે બંધ કરવામાં આવ્યા. હું એ વર્ગોના વિદ્યાર્થિઓને એટલે મરાઠી તથા ગુજરાતી બેઉ જાતના વિદ્યાર્થિઓને ખીજ ગણિત–ભૂમિતિ સંગતી કરણત્રિકામિતિ વગેરેના અભ્યાસ કરાવતા હતા.
કાલેજમાં અભ્યાસ કરતા હતા તે વેળા મને મુંબાઈના નામાંકીત સદ્ગુહસ્થ જગન્નાથ શંકરશેઠે પોતાના પુત્ર વિનાયકરાવને ગણિત શીખવવા સારૂ રૂ. ૧૫ ના માસીક પગારે શિક્ષક રાખ્યા હતા. દરરાજ એક કલાક ભણાવવા જતા હતા. એ કામ મેં સને ૧૮૪૮ ના અકટોબર માસથી સને ૧૮૪૯ ના નવેમ્બર સુધી કર્યું હતું.
સન ૧૮૪૮ ના નવેમ્બર માસમાં મારા પિતાજી પાછા ગુજરાત તરફ સિધાવ્યા, કારણ અંગ્રેજી સ્કુલના હેડમાસ્તર મી. ગ્રીન જે ગુજરાત ખાતે દેશી નિશાળાના સુપરીન્ટેન્ડન્ટ હતા તેમને એલપીન્સ્ટન ઈન્સ્ટીટયૂટના પ્રીન્સીપાલની જગા મી. હારકનેસ રજા પર વિલાયત જવાથી મળી હતી, અને ગુજરાત ખાતે નીશાળેાની કોઈ દેખરેખ રાખનાર હતું નહીં. વળી નેારમલ કલાસ પણ બંધ થયા હતા. એમ થવાથી મારે એકલાજ મુંબઈમાં રહી મારૂં ગુજરાન ચલાવવું પડયું. આ અરસામાં હું કાળકાદેવીના રસ્તા પર શેઠે રામદાસ હીરાશાની ચાલમાં ત્રીજે માળે રહેલા હતા.
હું કોલેજમાં દાખલ થયેા ત્યાર પહેલાં ‘Students' Literary and Scientific society" ” નામે વિદ્યાર્થીઓની સભા સ્થાપન થએલી હતી જેના પ્રમુખ બાળગંગાધર શાસ્ત્રી જાંબેકર આસીસ્ટંટ પ્રેોફેસર હતા. એના સભાસદ નવરેાજી ફરદુનજી, દાદાભાઈ નવરાજી, નારાયણ દીનાનાથજી વગેરે વિદ્વાન ગૃહસ્થેા હતા. તેમાં કાલેજના વિદ્યાર્થીઓ તથા આસી
३७
Page #143
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
ટંટ માસ્તરો વગેરે સામેલ થયા હતા. હું પણ એ સભામાં સન ૧૮૪૬, ના માર્ચથી સામેલ થયા હતા. તેમાં વારા પ્રમાણે દરેક જણ અંગ્રેજી નિબંધ કોઈ વિષય પર લખે તે વંચાત ને તે પર વાદવિવાદ ચાલતો. એક વેળા. એક મોટો પ્રશ્ન એ સભામાં નીકળ્યું કે સોળમી સદીમાં માણસ જાતને. સૌથી મોટો પરોપકારી પુરૂષ કોણ થશે ? તેમાં બે પક્ષ બંધાયા હતા. એક તરફ નવરોજી ફરદુનજી તથા બીજી તરફ દાદાભાઈ નવરોજી હતા. એક કહે મારટીન લ્યુથર અને બીજો કહે સર ઐસાક ન્યુટન. એ વાદ ઘણી સભાએમાં ચાલ્યો. બાળગંગાધર શાસ્ત્રી પ્રમુખના મરણ પછી એ સભાનું કામ જરા મંદ પડયું હતું, પણ વિલાયતથી આવેલા નવા પ્રોફેસરો મી. પાટન, મી. રીડ, મી. મેકડુગલ એમાં દાખલ થવાથી સભાનું કામ ઘણુંજ સતેજ થયું. પરગજુ પાટનને વિચાર મુજબ એવી સભાઓ દેશી ભાષામાં એટલે મરાઠી તથા ગુજરાતીમાં સ્થાપન કરવાનો નિશ્ચય થયો; અને તે ગુજરાતી તથા મરાઠી જ્ઞાન પ્રસારક સભા એ નામથી ઓળખાવા લાગી. સને ૧૮૪૮ના અકટોબરમાં ગુજરાતી જ્ઞાન પ્રસારક સભા સ્થાપન થઈ, તેના પહેલા અધ્યક્ષ મારા પિતા રણછોડદાસ ગીરધરભાઈ હતા. એ બેઉ સભામાં મરાઠી તથા ગુજરાતી ભાષાઓમાં વિદ્યા વિશે તથા સંસારી રૂઢીઓ વિષે ભાષણો થવા લાગ્યાં, નિબંધ વંચાવા માંડયા ને એક વરસની મુદતમાં તે જ્ઞાન પ્રસારક નામે ચોપાની દરેક સભાના કારભારીઓ કાઢવા લાગ્યા. તેમને સરકાર તરફથી તથા પ્રજા તરફથી સારો આશ્રય મળવા લાગે. વળી એજ સભાઓની મારફતે કન્યાશાળા પારસી તથા દક્ષણ લેકેને સારૂ સ્થાપન થઈ તેમાં કોલેજના વિદ્યાર્થીઓ તથા આસીસ્ટંટ માસ્તરે સવાર-સાંજ છોકરીઓને અભ્યાસ કરાવતા. ગુજરાતી જ્ઞાન પ્રસારક સભાનો તથા ગુજરાતી કન્યાશાળાઓનો લાભ મુખ્યત્વે પારસીઓજ લેતા હતા. તેથી મારા મિત્ર ગંગાદાસ કીશોરદાસે પ્રોફેસર પાટન સાથે મસહલત કરીને ઈ. સ. ૧૮૫૧ ના એપ્રીલ માસમાં બુદ્ધિવર્ધક હિંદુ સભા સ્થાપન કરી અને તેનું વાસ્તુ માયાદેવી પાસે સરકારી બ્રાંચસ્કુલ હતી તેમાં કરવામાં આવ્યું. તેના પ્રમુખ મરહુમરા. બા. પ્રાણલાલ મથુરાદાસ, હું પોતે સેક્રેટરી અને ગંગાદાસ પોતે ખજાનચી થયા. એના કારોબારી મંડળમાં મયારામ શંભુનાથ ને હરીવલ્લભદાસ બાળગોવિંદદાસ. પ્રથમ હતા. એ સભામાં કેટલાંક ભાષણે સ્ત્રી કેળવણી વિશે થવા લાગ્યાં, ને આખરે બુદ્ધિવર્ધક કન્યાશાળા સ્થાપન થઈ, ને થોડી મુદત પછી બુદ્ધિવર્ધક એંગ્લો વર્નાકયુલર સ્કુલ કાઢવામાં આવી.
૩૮
Page #144
--------------------------------------------------------------------------
________________
રા. બા. મેાહનલાલભાઇ રણછોડદાસ ઝવેરીનું આત્મકથન
એ કન્યાશાળામાં હું તથા મારા મિત્રા ગંગાદાસ, પ્રાણલાલ, હરીવલ્લભદાસ વગેરે સવાર-સાંજ કેટલાક વિષયેા શીખવવા જતા. હું કવિતા શીખવતા હતા તથા ગરખીએ ગાતાં શીખવતા હતા. જ્યારે ફંડ ભેગું થયું ત્યારે બળવંતરાય નામે એક નાગરને કાયમ પગારદાર શિક્ષક રાખ્યા હતા.
સ્ત્રી કેળવણીના વિરેાધી પક્ષ ગુજરાતી હિંદુઓમાં ભારે બળવાન હતા. માટે લોકને સમજુતી કરવાને બુદ્ધિવર્ધક હિંદુ સભામાં વારંવાર એ વિષય પર નિબંધ। વંચાતા ને ચર્ચા ચાલતી. ભરૂચના રહેવાશી માણેકલાલ ગોપાળદાસ પણ એક સભાસદ હતા. તેમણે સ્ત્રી કેળવણી વિષે એક નિબંધ વાંચ્યા, તે પર ઘણું વિવેચન કરી તે સભાએ છપાવ્યું તે તે લેાકેામાં પ્રસિદ્ધ થવા સસ્તી કીંમતે એટલે એ આને વેચ્યા. એ સભાનું પ્રથમ ચેાપાનીઉં એ કહેવાય. એમાં જે વિવેચન કરેલું છે તે મારા મિત્ર ગંગાદાસની સૂચનાથી મેં તૈયાર કરી આપ્યું હતું. મુંબઇના નામાંકીત ગૃહસ્થેા શેઠ હરજીવનદાસ માધવદાસ તથા શેઠે જગન્નાથ હેમરાજ તથા કરસનદાસ માધવદાસ વગેરે અમને ધણું આશ્રય આપતા હતા. કારણ તેમને સમજાવનાર પ્રેસર પાટન તથા ગંગાદાસ વગેરે હતા.
સભામાં ખીન્ને વિષય “ દેશાટણ વિશે” કરસનદાસ મૂળજીએ વાંચ્યા હતા, ને તે ઉપર સારી રીતે ટીકા કરી સભાએ છપાવ્યેા હતેા. એક વાર “ઇલેકટ્રીક ટેલીગ્રાફ” વિષે સભામાં મેં ભાષણ આપ્યું હતું તે પણ સભાના આશ્રયથી છપાયું હતું.
સ્ત્રી કેળવણીને ફેલાવા કરવા સારૂ સભાએ ઘણા શ્રમ લીધા હતા, એ બાબતનું છપાયલું પુસ્તક સભાના કારાબારીએએ સુરતમાં બાળકૃ ણુજીના મંદીરના મહારાજ શ્રીજ રતનજીને વંચાવા તથા તે વિષે તેમની મંજુરી મેળવવા મારા પિતા મારફત મેાકલ્યું હતું, ને તેમણે પણ તે વાંચીને પેાતાની સંમતી આપી હતી.
હેકરીઓની નિશાળને સારૂ સુમેાધક કવિતા સરકારી નિશાળામ વપરાતી ખેાધવચનની ચેાપડીને અનુસરીને મારા ભાઈ મનમોહનદાસ રણછેડદાસે “નીતિખાધક કવિતા” ભાગ પહેલા તથા ખીો એ નામે તૈયાર કરી આપ્યા હતા તે સભાએ છપાવ્યા હતા ને કન્યાશાળાઓમાં વપરાતા કર્યાં હતા. એ કવિતા ઘણી સરસ અને સરળ હતી. તે સીવાય એધવચન પણ પદ્યમાં રચ્યું હતું પણ તે છપાયું નથી.
૩૯
Page #145
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
જે વિદ્વાન તરફથી સ્ત્રી કેળવણીને આશ્રય મળે તેજ ધનવાન પુરૂષો તરફથી પણ મળવા લાગ્યો. એક વખત ઇનામ વહેંચવાનો મેળાવડો શેઠ રામદાસ હીરાશાના રહેવાના ઘરમાં ગવર્નર સર બારટલ ફરેઅર અને તેમની સ્ત્રીના પ્રમુખપણ નીચે થયો એટલે શેઠ ઘણા રાજી થયા, અને નિશાળના ફંડમાંથી ઇનામ મળવાનાં હતાં તે સિવાય દરેક છોકરીને પોતાના પદરથી રેશમી સાડી ઉત્તેજન દાખલ આપી. એ સાડીની કિંમત આશરે દરેક નંગના રૂપીઆ દશથી બાર થતા હશે. એવી ભારે કીમતની સાડીઓ પચાસ છોકરીઓને વહેંચી હતી.
એવી રીતે સ્ત્રી કેળવણીને ટેકે મળવાથી બીજી એક નિશાળ કોટમાં કાઢવામાં આવી હતી.
આ ત્રણ સભાઓને આબાદ થતી જોઈ કેટલાક પારસી વિદ્યાર્થીઓએ એક બીજી મંડળી બહારકેટ દાદી શેઠની અગીઆરીમાં સ્થાપન કરી હતી. રસાયણશાસ્ત્રના કેટલાક પ્રયોગ કરવા સારૂ ઉઘરાણું કરીને ખાર, તેજાબ, ગ્યાસ કાઢવાનાં યંત્રો વગેરે ખરીદ કર્યા હતાં ને તેનું નામ વહેવાર ઉપયોગી જ્ઞાન પ્રસારક સભા રાખ્યું હતું. અને મને તેનો સરનશીન નિમ્યો હતો. આશરે દોહડ વરસ લગી તે સભા દાદી શેઠની અગીઆરીમાં મળતી હતી ને ત્યાં પ્રયોગ સાથે રસાયન શાસ્ત્ર સંબંધી હું ભાષણ આપતો હતો. કોઈ કઈ વાર મારા મિત્ર અરદેશર ફરામજી મુસ પણ ભાષણ આપતા. નવરજી દોરાબજી “ચાબુક” અઠવાડીક પત્રના અધીપતી પણ તેના સભાસદ હતા. મારી બદલી સુરતની અંગ્રેજી સ્કુલમાં થઈ ત્યાં લગી એ સભા ચાલી હતી. તેમાં પારસી સ્ત્રીઓ પણ આવતી હતી. આ સભા સ્થાપન કરવામાં મુખ્ય મારા મિત્ર ચીમનલાલ નંદલાલ હતા. તે સુરતના રહેવાશી માથુરી કાયસ્થ હતા. ગુજરાતી નિશાળના મહેતાજી હોવાથી ખાનગી ભણાવવા તે એ અગીઆરીમાં જતા હતા. તેમના બોધથી મી. અરદેશર વગેરે મુલ્લાં ફીરોજના વંશજોએ એ સભા સ્થાપના કરી હતી. અને તેનાં ચોપાની દરેક અઠવાડીએ ભાષણના સાર રૂપી હકીકતનાં છપાતાં હતાં, ને તે સભાસદોમાં વહેંચાતાં હતાં.
જ્યારથી હું મુંબઈમાં આવ્યો ત્યારથી પાછા સુરત આસીસ્ટંટના હોદ્દા પર ગયો ત્યાં સુધીના મારા માસ્તરનાં જે સરટીફીકેટ મળેલાં છે તે પરિશિષ્ટ ( )થી દાખલ છે.
. સુરતની સ્કુલના હેડમાસ્તર મરહુમ મી. હેનરી ગ્રીનનું આપેલું
સર્ટીફીકેટ.
૪૦
Page #146
--------------------------------------------------------------------------
________________
રા. બા. મોહનલાલભાઈ રણછોડદાસ ઝવેરીનું આમથના
૨. પ્રોફેસર બેલનું આપેલું સરટીફીકેટ.
. પ્રોફેસર એરલીબારનું આપેલું સરટીફીકેટ. ૩. પ્રોફેસર મેકડુગલનું આપેલું સરટીફીકેટ. છું. બુદ્ધિવર્ધક સભાના કારોબારી મંડળ તરફથી મળેલું માનપત્ર.
તા. ૧ લી નવેમ્બર ૧૮૫૩ થી સુરત અંગ્રેજી સ્કુલમાં પહેલા મદદનીશ માસ્તરના દ્ધાનો ચાર્જ મેં લીધો. તે વખતે તે સ્કુલના હેડમાસ્તર મી. ગ્રેહામ હતા. મારી નીમણુક થવાથી એ સાહેબ ઘણું રાજી થયા; તેઓ મારી સાથે ઘણી મમતાથી વર્તતા હતા. એ સાહેબ પાસે ત્રણ એદ્ધા હતાઃ અંગ્રેજી સ્કુલના હેડમાસ્તર–ગુજરાતી દેશી નિશાળોના સુપ્રીટેન્ડેટ અને નિશાળને સારૂ વિદ્યાર્થીઓ રાખી મહેતાજીએ તૈયાર કરવાના નૈરમલ કલાસના ઉપરી. નોરમલ કલાસને શીખવવાનું કામ મી. નંદશંકર તુળજાશંકર કરતા–ને સુપ્રીટેડંટના કલાર્ક મી. જીવણરામ જયાનંદ હતા. સ્કુલના આસીસ્ટંટ માસ્તરે આશરે આઠ નવ હતા. છોકરાઓની સંખ્યા પણ સારી હતી. મારા આવ્યા પછી થોડા દિવસ પહેલા વર્ગનું શિક્ષણ સાહેબે જાતે કરતા ને બીજો વર્ગ મને સો હતા. ધીમે ધીમે સાહેબે પહેલો વર્ગ તથા બીજો વર્ગ બંને મારા તાબામાં સેપ્યા અને પોતે ફક્ત દેખરેખનું જ કામ કરતા. પિતે મુંબઈ જઈ ગુજરાતી ભાષાની પરીક્ષા આપી આવ્યા, તેમાં પાસ થયા, એટલે ગ્રંથકર્તા થવાનો લોભ થયો, અને લાર્ડન કૃત યુકલીડનું ભાષાંતર કરવાનું કામ આરંભ્ય ને તેમાં મારો તથા મી. નંદશંકરનો આશ્રય લઈ ત્રણ પુસ્તક તૈયાર કર્યા. તે બોર્ડ ઓફ એજ્યુકેશને છપાવ્યાં. તે બાબત સાહેબને બોર્ડ તરફથી રૂા. એક હજાર ઈનામમાં મળ્યા તે પોતે ઉદાર દિલથી મી. નંદશંકરને તેમના શ્રમ બદલ આપ્યા. એ સિવાય મીકેનીકલ પ્રોબ્લેમ્સને તરજુમો મારી પાસે સાહેબે કરાવ્યો હતો પણ તે છપાયો નથી.
એક વરસ લગી ઘણી સારી રીતે હેડમાસ્તર સાથે સારું કામ ચાલ્યા બાદ એક પ્રસંગ એવો આવ્યો કે તેથી મારે સાહેબની ગેર મેહેરબાની વેઠવાનો વખત આવ્યો. નવેંબર, ડિસેંબર અને જાનેવારી એ ત્રણે માસ સાહેબને ગુજરાત પ્રાંતની નિશાળોની પરીક્ષા કરવા સુરતથી બહાર જવું પડયું; એટલે સ્કુલનો ચાર્જ મને સોંપીને પછી પોતે મુસાફરીએ નીકળતા. સન ૧૮૫૪ ના નવેંબરમાં એ બનાવ બન્યું કે સાહેબ પરગણામાં ગયેલા અને નિશાળોને અખત્યાર મારી પાસે હતા, તેવામાં કુવાની જાત્રા તથા
૪૧.
Page #147
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
ધુળીઆ મહાદેવને છેલ્લા સામવાર હાવાથી વિદ્યાર્થીએની અરજ પરથી, આસીસ્ટંટ માસ્તરની સલાહ લઈ, રજા આપવામાં આવી ને સ્કૂલ બંધ કરી. જે દિવસે રજા પડેલી તે દિવસે મી. ગ્રેહામ ડીસ્ટ્રીકટમાંથી સુરતમાં આવેલાઃ તેમણે એક આસીસ્ટંટ માસ્તર મી. પીરાજશાતે સ્કુલમાં ફરતે દીઠા એટલે તેને પુછ્યું કે આજ રજા છે તે તું કેમ આવ્યા ? તેણે કહ્યું આજ કઇ તહેવાર નથી તે રજા આપી છે, એવું હું જાણતા પણ નથી, એટલે સાહેબને મીજાસ ગયે ને તેમણે ત્રીજે દિવસે એટલે રજાને ખીજે દહાડે સઘળા આસીસ્ટંટાને પાંચ પાંચ રૂપીઆ દંડ કર્યો. તે મારે તથા મી. નંદશંકરને પંદર પંદર રૂપી દંડ કર્યો. તે તે સઘળા રૂપીઆ એકઠા કરીને સાંજે કારકુનને મારી પાસે મેકળ્યા કે આ પૈસાની ચાપડી ખરીદ કરી ગ્રીન લાઇબ્રેરીમાં” માં મુકવી છે, માટે આ કેટલગમાંથી તમે તથા બીજા આસીસ્ટંટ માસ્તરે એકત્ર થઇ બુકે પસંદ કરે. આ હુકમ સાંભળી મને ક્રોધ આવ્યા તેથી મે જવાબ કહેવડાવ્યા કે એ દંડના રૂપીઆમાંથી લાઇબ્રેરીને સારૂ ચેાપડીએ લેવાય નહિ. એ બાબત એડ એફ એજ્યુકેશનની મંજુરી મેળવ્યા પછી ઠરાવ થશે. ખીજે દિવસે મે અરજી તૈયાર કરી સાહેબને આપી ને અરજ કરી કે અમારા દડ ગેરવાજબી થયો છે માટે તે અમને પાછો મળવા જોઈ એ. મારી અરજી વાંચી સાહેબ ગભરાયા–તાવની ધ્રુજારી ચઢી ને રાતના ખુબ હેરાન થયા, તે સવારે પાણીફેર માટે ખભાત જવાનો ઠરાવ કરી એકદમ વહાણ ભાડે કરી ખંભાત ગયા. એક માસ પછી સુરત પાછા આવી ચાર્જ લીધે તે સૌના દંડના રૂપીઆ પાછા આપ્યા. એ દિવસથી સાહેબની મેહેરબાની કમી થઇ. એમની આંખે ઝાંખ વળી તેથી ભેાંયરામાં નિવાસ કર્યો, વખત બે વખત સ્કુલમાં આંટા મારી જતા.
ઇ. સ. ૧૮૫૪ માં કોર્ટ ઓફ ડીરેક્ટર્સના ડીસ્પાચ કેળવણી સંબંધી આવ્યાથી ફેરફાર થવાના પ્રસંગ આવ્યા. એ એફ એડયુકેશન સરકારે બંધ કરી અને મુંબાઈ ઇલાકાને સારૂ ડીરેક્ટર એક પબ્લીક ઈન્સ્ટ્રકશન તથા પ્રાંતાને સારૂ એજ્યુકેશનલ ઈન્સ્પેક્ટર તથા જીલ્લાને સારૂ તેના હાથ નીચે વીઝીટર એફ સ્કુલ્સ નીમવામાં આવ્યા. ગુજરાત પ્રાંતની નિશાળાના ઉપરી એટલે સુપ્રીન્ટેન્ડન્ટ મી. ગ્રેહામ હતા તેની જગા પર જે ઇન્સ્પેક્ટર હૌં, તેમણે મી. ગ્રેહામ પાસે ચાર્જ લીધે તે એ સાહેબને ગુજરાતના દક્ષિણ વિભાગના એટલે સુરત તથા ભરૂચ જીલ્લાની નિશાળેાના વીઝીટરની
૪૨
Page #148
--------------------------------------------------------------------------
________________
રા. બા. મોહનલાલભાઈ રણછોડદાસ ઝવેરીનું આત્મર્થન
જગા આપી. હેડમાસ્તરની સાથે એ પણ કામ કરવું પડયું એટલે અસલ મુજબ પગાર કાયમ રહ્યા. ઉત્તર વિભાગને સારૂ રા. સા. પ્રાણલાલ મથુરાદાસ વીઝીટર નીમાયા.
ઈ. સ. ૧૮૫૫ ના એપ્રીલ માસમાં સ્ટેશનરીનું ઈડેન્ટ કરવાને મી. ગ્રેહામને વખત આવ્યાથી તેમણે જે ઇડેટ મોકલ્યું તે ઈન્સ્પેકટરે સુધારવા સારૂ પાછું મોકલવાથી સાહેબનો મીજાસ ઘણોજ બગડયો, ને એકદમ રાજીનામુ મોકલવાથી એ જગા પર મારી નીમણુક થઈ, અને તા. ૧૩ ડિસેંબર સને ૧૮૫૫ ને રોજ મેં ચાર્જ લીધે. મારી નીમણુક વરસને માટે પ્રોબેશનરી એટલે અજમાયશી હતી.
આ ખાલી પડેલી વીઝીટરની જગા સારૂ ઉમેદવાર ભરૂચની અંગરેજી સ્કુલના હેડમાસ્તર મી. કાવસજી એદલજી મસાણી હતા. પરંતુ ડા. હારિકનેસ મી. હોપને ભલામણ કરવાથી તથા મી. હોપ સુરત મી. ગ્રેહામ પાસે ચાર્જ લેવા આવેલા ત્યારે આશરે કલાકેક હમારે સંભાષણ થયું હતું તે પરથી એ સાહેબે મારે સારૂજ સરકારમાં ભલામણ કરી હતી.
સને ૧૮૫૫ ના ડીસેંબરના પાછલા પખવાડીઆમાં મેં મુસાફરીને આરંભ ભરૂચ જીલ્લાથીજ કર્યો. પ્રથમ જબુસર તાલુકામાં ગયો. ત્યાંના મામલતદાર એછવરામ જીવણરામે મને સારો આશ્રય આપ્યો. મુસાફરીમાં મારી જોડે ઓફીસના બે સીપાઈ તથા ગુલાબદાસ ગોપાળદાસ સુરતના બેગમપરાના રહેવાસી તથા સુરત અંગ્રેજી સ્કુલના બીજા કલાસના વિદ્યાર્થિ અને એક ચાકર હતા. મારા કારકુન જીવણરામ જયાનંદે એક માસની રજા અગાઉથી લીધી હતી તેથી તે સાથે આવી શક્યા નહીં. મને જગા મળવાથી મી. ગ્રેહામ ઘણુ ખુશી થયા હતા અને એમને તંબુ મેં વેચાતો માગે છતાં પણ મફત આપી દીધું અને બોલ્યા કે ભરૂચની સ્કુલના હેડમાસ્તર કાવસજીને જગા ન મળતાં તમને મળી તેથી હું ઘણો રાજી થયો છું. મારી સ્કુલ તપાસવા તમને આવવા દઈશ પણ કાવસજી નીમાયા હેત તે તેને મારી સ્કુલના કપડામાં પણ પિસવા ન દેત. પાછલો બધો ક્રોધ એમને મારા પર હતું તે શાંત થયલો જણાયો.
જંબુસર પરગણામાં બે ત્રણ ગામમાં નવી નિશાળ સ્થાપન કરવાની ગોઠવણ કરી હતી. આશરે એકાદ માસ ફર્યા પછી આમોદ વાગરા તાલુકા ફરી ભરૂચ તાલુકામાં આવ્યો. ઉત્તર તાલુકામાં ફક્ત બેજ નિશાળો સરકારી હતી. જંબુસર તથા આમેદ, તેની પરીક્ષા લીધી. વાગરા તાલુકામાં નિશા
૪૩
Page #149
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
-ળો જ ન હતી. વળી કસબા સીવાય બીજા ગામોમાં પણ ગામઠી નિશાળે ન હતી, એટલે પરીક્ષા લેવાનું કામ ઝાઝું નહતું. માત્ર લોકોને ઉપદેશ કરી નવી નિશાળો સ્થાપન કરવાનું ઘણું મુશ્કેલ કામ કરવાનું હતું. ભરૂચ જીલ્લાના ગામડાના રહેવાસીઓ ઘણાજ અજ્ઞાન અને સરકારી માણસથી બીપીતા હતા. ચેરામાં ને મારા તંબુપર એકઠા કરવા માગીએ તો તે પણ ન થાય. તલાટી વર્ગના લોકોને ગામડીઆઓ ઘણુંજ માન આપે છે ને તેના કહ્યા મુજબ ચાલે છે, તેઓ પોતાની ખાઉકી એછી થાય એવા સબબથી ગામડીઆઓને ઉધીજ સલાહ આપતા કે નિશાળોની જરૂર નથી. લોકોને ભાવ અમારા પર છો, અને સરકારી રેવન્યુ ખાતાના અધિકારીઓ જોઈએ તેટલી સહાયતા આપે નહીં તેથી મુસાફરી આકરી પડતી. તેની સાથે સરકારના સરક્યુલર કે મહેતાજીનો અડધો પગાર કંટીજટઘરભાડું લોકેએ આપવાં, તેની કબુલાત કે પાસે લખાવી લેવી તથા પાંચ વર્ષ લગી તે પ્રમાણે વર્તવું; એટલી કબુલાત બસ ન ધારીને બીજી હકીકત એવી ઘાલેલી કે લોકે એ પ્રમાણે ચાલશે એવી બાંહેધરીની ગામના મુખીઓ એટલે પાંચ અગર સાત સદ્ગહસ્થાએ બીજી કબુલત લેવી. એવી રીતે કામ કરી લોકોનાં મન સંપાદન કરવાં તે ઘણું જ અઘરું પડતું. ઉપરી તરફથી નિરંતર ઉઘરાણી જારી કે કેટલી નિશાળો સ્થાપન કરી. એવા કષ્ટમાં મન નિરંતર ચિંતાગ્રસ્ત રહેતું. ઇ. સ. ૧૮૫૬ ના મેમાં ઓફીશીયલ વરસ બદલાયું ત્યાર પહેલાં ઘણી જ થોડી નવી નિશાળો સ્થાપન થઈ શકી હતી. જેવી એજ્યુકેશન ઈન્સ્પેકટરની ઉઘરાણું એ બાબતમાં મારા પર હતી તેવી જ મામલતદારેપર તથા કલેકટર પર પણ જારી હોવાથી તથા પિતાના જાતી શ્રમથી આશરે વીસેક નિશાળે મારા વિભાગમાં નીકળી હતી. મારો મેળાપ મી. હોપ (હાલ સર ટી. સી. હોપ) સાથે ચીખલી મુકામે થવાથી મેં તેમને મારા કષ્ટની વાત જાહેર કરવાથી તેમણે દિલાસો દીધો કે ફિકર ન કરવી, આપણે થોડી મુદતમાં ઘણી નિશાળે સ્થાપન કરી શકીશું. વળી મારા કારકુન જીવણરામ જયાનંદનું કામ અને અંગ્રેજી ભાષાનું સારું જ્ઞાન જોઈ રાજી થવાથી તેમને પણ તેમણે આશા આપી હતી કે હું તમને ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટરની જગા આપીશ.
ફેબરવારી સન ૧૮૫૬ ની આખર સુધી ભરૂચ જીલ્લામાં ફર્યા પછી સુરત જીલ્લા તરફ ઉતર્યો ને વરસાદ થતાં લગી સુરત જીલ્લાની નિશાળો તપાસી, તથા કેટલાંક ગામે જલાલપોર, તલંગપર, બગવાડા વગેરે ગામોમાં
૪૪
Page #150
--------------------------------------------------------------------------
________________
રા. બા. મેહનલાલભાઈ રણછોડદાસ ઝવેરીનું આત્મકથન
નવી નિશાળનો બંદોબસ્ત કર્યો ને રોમાસામાં હેડ કવાર્ટર, સુરત આવી. રહ્યો. પાછી મુસાફરી અકબરમાં શરૂ કરી, તે સાલ પુરી થતાં લગી ફેરણનું કામ જારી રહ્યું હતું.
દસ્તરના નવા નમુના મી. હોપે મહેતાજીઓને સારૂ નવા રચેલા તે દાખલ કરવામાં આવ્યા. તેમાં રોજમેળ, ખાતાવહી (બ્લેનના તાલુકા તથા ગામના નમુના મુજબના) હતા, તે મેહેતાજીઓને સમજ ન પડવાથી દરેકને શીખવવા તથા તૈયાર કરવા મારા કારકુનને ઘણોજ શ્રમ વેઠ પડતો.
સન ૧૮૫૭ ની શરૂઆતમાં નિશાળોની સંખ્યા વધવાથી ડેપ્યુટી ઈસ્પેકટરોની સંખ્યા વધારવાની સરકારને જરૂર જણાયાથી ગુજરાત ખાતે ત્રણ નવા ડેપ્યુટી નીમ્યા. તેમને પગાર રૂા. ૭૫ ને ઠરાવ્યું. ભરૂચ જીલ્લો મારા તાબામાંથી છૂટે પાડી, મી. દોલતરામ ઉત્તમરામને સોંપ્યું. ખેડા. જીલ્લો રા. સા. પ્રાણલાલના હાથ તળેથી કાઢી, મયારામ શંભૂનાથને સ, અને ઘોઘા તથા ધંધુકા બે તાલુકાને એક ડેપ્યુટી ઠરાવ્યો, તે જગા મારા કારકુન મી. જીવણરામ જયાનંદને સેંપી. તેથી મારા હાથ નીચે. પ્રાણજીવનદાસ રામદાસ સુરત અંગ્રેજી સ્કુલના વિદ્યાર્થિને નીખે. એ માણસ, મને ઘણો જ ઉપયોગી થઈ પડ્યો હતો. એણે કઈ પણ ઓફીસમાં કામ કરેલું ન છતાં પણ સરકારી રીવાજથી તથા દફતરી કામથી માહિતગાર થયો. એ ઘણો પ્રમાણિક હતે.
ઈ. સ. ૧૮૫૭ ના ઉનાળાની મોસમથી ત્રણ નવા ડેપ્યુટીઓ નીમાયા, એટલે મારે ફરવાને પ્રદેશ ઓછો થયો હતો. પરંતુ સર જમશેદજી બાટલીવાળાની નિશાળો મારા તાબામાં હોવાથી ચીંચણ તારાપર લગી મારે, જવું પડતું હતું. તેમજ વાંસદાના રાજાએ નિશાળ સ્થાપના કરી હતી, તેથી પૂર્વમાં વાંસદા લગી ફરવું પડતું. વળી સુરત જીલ્લામાં નિશાળોની સંખ્યા બીજા જીલ્લાઓ કરતાં વધારે હતી એટલે મારા કામમાં મને આરામ છેડેજ મળી શકતા.
મારા ઉપરીને મારા પર ઘણો જ વિશ્વાસ હોવાથી મારી ભલામણવાળાં માણસોને તેઓ જગા તરત આપતા. મારી ઓફીસમાં ઉમેદવારી કરનાર ગુલાબદાસ ગોપાળદાસને ખેડા જીલ્લાના અલીણા ગામમાં મહેતાજીની જગા રૂ. વીશના પગારની આપી હતી, તેમજ મારા કારકુનની જગા ખાલી પડવાથી મેં પ્રાણજીવનદાસ રામદાસની ભલામણ કરેલી, તેને પણ જગા આપી હતી. હું ઘણે સંતોષ માનું છું કે, મારી ભલામણવાળા
૪૫
Page #151
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
માણસે ઉત્તમ એધે ચઢયા છે ને તેમના પ્રમાણિકપણ વિષે ભારે જરા પણ દલગીર થવાનો પ્રસંગ આવ્યું નથી.
ઈ. સ. ૧૮૫૭ના વરસમાં ઈન્સ્પેકટર સાહેબ છ માસની રજા લઈ વિલાયત ગયેલા તે એકટોબરમાં પાછા આવવાથી સુરત પધાર્યા ને મને તથા મી. જીવણરામ જયાનંદ ઘોઘા વિભાગના ડેપ્યુટી ઈન્સ્પેકટરને હુકમ કર્યો કે, તમે મારી સાથે ઘેઘે સરકારી કામગીરી પર ચાલે. તા. ૨૪મી એકબરે આગબોટમાં મુસાફરી કરતાં સાહેબની સાથે ઘેઘે ગયા, ત્યાંથી સાહેબ પિતાને મુકામ કુડે લઈ ગયા. ત્યાં અમને બે જણાને રાખ્યા તથા ગુજરાતી ભાષાનું વ્યાકરણ તૈયાર કરવા સંબંધી અમારા અભિપ્રાય લીધા. આશરે પંદર દિવસ કુડામાં રહ્યા. પછી અમને બંનેને એ હુકમ કર્યો કે, જીવણરામે પોતાની ડીસ્ટ્રીકટમાં ફરવા જવું ને મારે ભાવનગર, સાહેબની ઓફીસમાં વાર્ષિક પત્રક તથા રીપોર્ટ કરવામાં મદદ કરવા જવું. આશરે દહાડ અઠવાડીયું ભાવનગરમાં રહ્યા પછી મને મારી ડીસ્ટ્રીકટમાં જવાને હુકમ થયો એટલે હું ઘોઘા ડાંડી વચ્ચે ફરતી ટપાલની બોટમાં બેસી એરપાડ ગયો ને ત્યાંથી સુરત આવ્યો.
ઈ. સ. ૧૮૫૭ ને ડીસેમ્બરથી તા. ૨૯ એપ્રિલ સને ૧૮૫૮ સુધી પરગણું ફરી ધારા મુજબનું કામ કરી અમદાવાદ જવાનો હુકમ થવાથી પગ રસ્તે મુસાફરી કરતાં મેની તા. ૧૨ મીને રોજ ગુજરાતની રાજધાનીમાં ઓફીસ સાથે ગયો ને હાજા પટેલની પોળમાં એની વાણીઆ અચરતલાલ મૂળજીને ત્યાં નિવાસ કર્યો. રસ્તાની મુસાફરી તાપના દહાડામાં કુટુંબ સાથે કરવાથી ઘણીજ હલાકી નડી હતી.
અમદાવાદમાં ડાહ્યાભાઈ શેઠની વાડી જેમાં ટ્રેનીંગ કોલેજ સ્થાપન થએલી હતી, અને જેના ઉપરી મી. લાલભાઈ રૂપરામ હતા, તે જગાની જોડે જ હીરાલાલ ફજદારની વાડીમાં મી. હોપ સાહેબે પોતાની ઓફીસ સાથે મુકામ કરી રહ્યા હતા. એ વેળાએ ગુજરાત તથા કાઠીઆવાડના તમામ ડેપ્યુટી ઈન્સ્પેકટરોને સરકારની પરવાનગી લઈ ભેગા કર્યા હતા. સુરત જીલ્લાને હું, ભરૂચ જીલ્લાના દોલતરામ ઉત્તમરામ, ખેડા વિભાગના રાવ સાહેબ મયારામ શંભુનાથ, અમદાવાદના રાવસાહેબ પ્રાણલાલ મથુરાદાસ તથા ઘોઘા વિભાગના મહીપતરામ રૂપરામ અને કાઠીઆવાડના રાવસાહેબ ભેગીલાલ પ્રાણવલ્લભદાસ એવા છ જણ હતા. તેમના કામના વિભાગ પાડવામાં આવ્યા હતા. મારા જીલ્લાને ચાર્જ લતરામને તથા
Page #152
--------------------------------------------------------------------------
________________
રા. બા. મોહનલાલભાઇ રણછોડદાસ ઝવેરીનું આ મકથન
મહીપતરામના જીલ્લાને ચાર્જ રાવસાહેબ પ્રાણલાલને સંપવામાં આવ્યો હતે. અમને બે જણને ડેપ્યુટીના કામથી છુટા પાડી બુક કમીટીમાં મેમ્બર ઠરાવ્યા. તથા રાવસાહેબ ભેગીલાલને અમારી બુક કમીટીના પ્રેસીડેટ ઠરાવ્યા. નિશાળમાં ચાલતી ચેપડીઓ કેટલાંક દૂષણોને લીધે બંધ કરી, તેને બદલે નવી વાંચનપાઠમાળા તૈયાર કરવાનું કામ હોપ સાહેબે આરંભ્ય, બુક કમીટીની ઓફીસ ટ્રેનીંગ કોલેજના એક ઓરડામાં રાખવામાં આવી હતી.
આ કામમાં હોપ સાહેબનો જાતી શ્રમ અથાગ હતા. ગુજરાતી વાંચનમાળા પાઠ તૈયાર કરવાને સારૂ ઈગ્લાંડમાં તથા હિંદુસ્તાનમાં ચાલતી અંગ્રેજી સ્કુલ વાંચનમાળાઓનાં પુસ્તકો ભેગાં કર્યા હતાં, તેમાંથી તે નિશાન કરે, તે મુજબ સારી સાદી ભાષામાં ગુજરાતી પાઠ તૈયાર કરવા અમને બે જણને ફરમાવતા, તે પાઠ તૈયાર કરી અમે બુક કમીટીમાં અમારા પ્રેસીડેટ રાવસાહેબ ભોગીલાલ આગળ વાંચી જતા ને તેમની સુચના મુજબ ભાષામાં કે બાબતમાં જે સુધારે કરવો ઘટારત હેય તે કરતા. કમીટીમાં મંજુર થયા પછી તે પાઠ હોપ સાહેબ જાતે વાંચી જતા ને તેમાં કાંઈ ફેરફાર કરવા જેવું હોય તે તે પાઠ બનાવનારને બતાવી વધારે ઘટાડો કરવો પડે તે કરીને તેની સાફ નકલ ઉતારવા બુક કમીટીના કારકુનને આપતા. દરરોજ એ પ્રમાણે અમારે સવારના દશથી તે પાછલા પહોરના પાંચ લગી કામ કરવું પડતું. ફક્ત પહેલી ચોપડી તૈયાર કરવાને મહીપતરામ અને હોપ સાહેબ, એમને અઢી માસ કરતાં ઓછી મુદત લાગી નહોતી; એવી મતલબથી એ ચોપડી રચી છે કે, બાવન અક્ષરો અથી જ્ઞ સુધી આવે ને તેની સાથે બારાખડી ને જોડાક્ષરની સમજ પણ આવી જાય કે નાનાં બાળકને વર્ણમાળા શીખવાને જે નીરસ શ્રમ લેવો પડે છે તે ન લેવો પડેઃ એ વાત ધ્યાનમાં રાખીને વા તથા શબ્દ ગોઠવ્યાં છે. વર્ણો, બારાખડી ને જોડાક્ષર શીખતાં નાનાં છોકરાંને ત્રણ ચાર માસ લાગે છે, તે કષ્ટ દૂર કરી, અર્થ સહિત વાંચન શીખે તે તેથી બાળકને આનંદ થાય, ને વળી આંખની સાથે અક્કલ પણ કેળવાય, એવી મતલબ એ પહેલી ચોપડીમાં રાખેલી હતી, પણ મૂળ ધારણા રાખનાર પુરૂષની ઇચ્છા ફળીભૂત થઈ નહીં. જૂના રીવાજ પ્રમાણે અ, આ, કક્કી, બારાખડી ને જોડાક્ષર શીખવવાનું જારી રહ્યું. તેનાં કારણ સાદા શિક્ષકની ખામી તથા લોકેની હઠીલાઈ હતી, તેમ પરીક્ષાનાં ધોરણે
४७
Page #153
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
ઔધાયાં તેમાં મૂળાક્ષર દાખલ થવાથી તથા ગુજરાતી લીપીનું ધેારણુ ખીજ લીપીએ કરતાં સહેલું હેાવાથી જૂની રીતજ કાયમ રહેલી જણાય છે.
વાંચનમાળાના પાડાની વેહેંચણ એવી રાખી હતી કે વિદ્યા સંબંધી તથા સાધારણ ( સામાન્ય) જ્ઞાન સંબંધી પાઠો તૈયાર કરવાનું મને સાંપવામાં આવ્યું હતું; નીતિ સંબંધી ને ભૂગોળ સંબંધી પા। રચવાનું કામ રાવસાહેબ મહીપતરામને તથા વનસ્પતી ને પ્રાણી સંબંધી પાડો લખવાનું રાવસાહેબ મયારામને, ઇતિહાસ સંબંધીના પાઠે રાવસાહેબ પ્રાણલાલ લખતા—તિહાસના પાઠો અંગ્રેજી જે. ખી. પાલ સાહેબ તૈયાર કરતા–એ સાહેબને હેાપ સાહેબે પોતાના એહ્વાનું (ઇનસ્પેકટરના એહાનું) કામ કરવાને. મદદ આપવા સારૂ સરકાર પાસે માગી લીધા હતા. તેમને મુકામ પણ અમદાવાદમાંજ રહેતા. કવિતાના પાઠ રચવા સારૂ કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઇને બુક કમીટીમાં દાખલ કર્યાં હતા-કયા વિષયપર કવિતા કરાવવી તે કામ રાવસાહેબ મહીપતરામની મુનસફી પર છેાડવામાં આવ્યું હતું. તથા ખીજાં ગુજરાતી કવિતાનાં પુસ્તામાંથી યોગ્ય પાર્ટ તૈયાર કરવાનું કામ પણ રાવસાહેબ મહીપતરામજ કરતા. પ્રત્યેક પાઠ ચાર વખત વાંચવામાં આવતઃ પ્રથમ બુક કમીટીમાં પ્રેસીડેંટની રૂબરૂ વહેંચાય, પછી હાપ સાહેબ વાંચે, તેમાંની કાઢેલી ખામીએ સુધારી બીજી વખત મુક કમીટીમાં વહેંચાય ને હાપસાહેબની મંજુરીઆત થાય ત્યારે તેની સાફ નકલ થાય. એવી રીતે એ કામ અમે જીનથી અકટાબર આખર લગી એક સરખું જારી રાખ્યું, ને વાંચનમાળાનેપાણા ભાગ તૈયાર કર્યો. પછી રાવસાહેબ ભેગીલાલભાઈને પોતાના વિભાગમાં જવાને હુકમ થયેા. તેમજ રા. સા. પ્રાણલાલ તથા રાવસાહેબ મયારામ પણ ડીસ્ટ્રીકટમાં ગયા. મારે તથા રાવસાહેબ મહીપતરામને છેક ફેબરવારી સને ૧૮૫૯ સુધી રહેવું પડયું હતું–કારણ એ લખાયલા તમામ પાઠેને અનુક્રમવાર સાત ચેાપડીઓને લાયક ગોઠવવા તથા લાંબા ટૂંકા કદમાં હોય તે સરખા કરવા તથા છાપવાને લાયક તેની નકલ કરાવવી, એ કામ અમારે એ જણને માથે રાખવામાં આવ્યું હતું.
વાંચનમાળા તૈયાર કરવા સિવાય ખીજું અગત્યનું કામ હોપ સાહેબે અજાવ્યું, તે નિશાળ પદ્ધતિ વિશે ભાષણા આપવાનું હતું. પાંચ ડેપ્યુટીએ તથા રાવસાહેબ ભોગીલાલ સુદ્ધાંને અઠવાડીઆમાં એકવાર ભાષણ પેાતાને એંગલે ખેલાવી આપતા. તેની નેટ સૌ લેતા. તે પરથી પાકી નેટ લખ
४८
Page #154
--------------------------------------------------------------------------
________________
રા, બામેહનલાલભાઈ રણછોડદાસ ઝવેરીનું આત્મકથન
સાહેબને વાંચવા આપતા. એ સિવાય અઠવાડીઆમાં ત્રણ વાર સામાન્ય જ્ઞાન વિશેક પાઠ આપવાને અનુક્રમવાર દરેક ડેપ્યુટીને ફરજ પાડતા. ટ્રેનીંગ કોલેજમાં જે મોલ સ્કુલ હતી તેના વિદ્યાર્થિઓના વર્ગ એ કારણરાર બેલાવતા. જે ડેપ્યુટીએ જે ધરણને લાયકને કથિત પાઠ તૈયાર કર્યો હોય તેવા વર્ગના વિદ્યાર્થિઓને બોલાવી બધા ડેપ્યુટીઓની સમક્ષ પાઠ આપતા. પંદર મીનીટનો પાઠ પુરો થયે કે તે વર્ગને રજા આપી બીજા ડેપ્યુટીઓ તે કથિત પાઠના ગુણદોષ દર્શાવતા તથા તે પર તકરાર ચાલતી તેને નિર્ણય હેપ સાહેબ કરતા.
સને ૧૮૫૭ના મે માસમાં છ મહીનાની રજા લઈ હોપ સાહેબ વિલાયત ગયેલા ત્યાંથી નવી નિશાળ પદ્ધતિ તથા શિક્ષણ વિશેના નવા ગ્રંથ લઈ આવેલા હતા. તે ધેરણ પરથી તેમણે પોતાનાં ભાષણો તૈયાર કરેલાં હતાં.
એ ભાષણોથી ડેપ્યુટીઓને કેટલો ફાયદો થયો તે તપાસવાને સવાલો આપી સૌની લેખીત પરીક્ષા નવેમ્બરમાં લેવામાં આવી હતી. રા. સા. ભોગીલાલભાઈ એ પરીક્ષામાં બેઠા હતા, પણ ભાષણ સાંભળવામાં તે હાજર રહેતા.
હોપસાહેબ ઉપલું બધું કામ જાતે કરતા, તે ઉપરની હકીકત પરથી જાણવામાં આવશે. પણ તે કેટલી ત્વરાથી કરતા તેને એક દાખલો બસ છે. તૈયાર કરેલી વાંચનમાળામાંથી કેટલીક ચોપડીઓ લઈ કેળવણીખાતાના ગુજરાતી ટ્રાન્સલેટર રેવરંડ ગ્લાસગો જે સુરતમાં રહેતા હતા તેમની મંજુરી લેવા સારૂ અમદાવાદથી પાછલે પહોરે પોતે નીકળ્યા ને ભરૂચ બીજે દિવસે સવારે નવ વાગતે આવી પહોંચ્યા. ત્યાંની અંગ્રેજી સ્કુલ તપાસી તરત નીકળ્યા ને સુરત ટ્રેનમાં ગયા, એટલી લાંબી મુસાફરી ચોવીસ કલાકમાં કરી, એ ઉત્સાહ ઘણો અપૂર્વ કહેવાય.
વાંચન પાઠમાળા ગોઠવવાનું કામ પૂરું કરી હું તથા મહીપતરામ છુટા પડયા ને પિતા પોતાના ડીસ્ટ્રીકટમાં ગયા(ફેબરવારી સન ૧૮૫૯)
સન ૧૮૫૮ ના ફેબરવારી માસમાં મને મારી જગા પર બાહાલ કરવા તથા રાવસાહેબનો ખેતાબ આપવા સરકારમાં હોપ સાહેબે લખાણ કર્યું હતું. તે મંજુરી મારી માસમાં આવતાં મને બહાલ કર્યો ને મારા નામની પૂર્વે રાવસાહેબ ઉપનામ જોડાયું. ત્યાર પહેલાં મને એસ્કવાયરના નામથી લખવાનો સરકારી રીવાજ હતો.
૪૯
Page #155
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
સન ૧૮૫૯ ના ફેબરવારીમાં દોલતરામ પાસેથી મેં મારા ચાર્જ લીધા. ફેબરવારીમાં પા આવ્યા ત્યારે ડાકાર થઇને આવ્યા હતા કારણુ એ ગુજરાતનું પ્રસિદ્ધ ધમ સ્થળ મારા જોવામાં આવ્યું નહેતું. મારા મિત્ર પરાગજી વલ્લભભાઇ ઉમરેઠની નિશાળના માસ્તર હતા તેમણે મારૂં આતિથ્ય સારૂં કર્યું હતું.
સન ૧૮૫૯ ના મારચ અપ્રેલ ને મે ત્રણ માસ નિશાળાની પરીક્ષા કરીને પા। મી. દોલતરામને ચાર્જ આપી મને મુંબઇ જવાને હુકમ હે।પ સાહેબે કર્યાં. હાપસાહેબ કેટલા વિવેકી તે સભ્ય હતા તે એ પરથી જણાશે કે મારા કારકુનને મી. દોલતરામના હાથ હેઠળ સાંપ્યા પણ મારી એપીસના બંને પટાવાળાને મારી સાથે મુંબઇ લઇ જવાનેા હુકમ કર્યો હતા. છ વરસે મુંબઇમાં વસવાને વખત આવ્યા. સારે સંજોગે મારી અસલ રહેવાની એરડીજ મને મળી કેમકે તેમાં મારા ભાણેજ જગન્નાથ ગોપાળદાસ રહેતા હતા. મુંબઇમાં સન ૧૮૫૯ ના અર્કટાબર સુધી રહેવાનું થયું. તે દરમ્યાન મારી હસ્તક નીચે લખ્યા મુજબનાં કામા હતાં.
૧
વાંચનમાળાની ચેાપડીએ છપાવવી, તેનાં પ્રુફ તપાસવાં.
૨ ખપ પડે તે એ કામ સારૂ પ્રેસમાં જવું ને પ્રીંટરને સમજીતી આપવી. ૩ બીજ ગણીત “Taihe's Algebra" નું ભાષાંતર કરાવવું તે તે છપાવવું.
૪ નિશાળાને સારૂ મેોટા નકશા જીલ્લા, પ્રાંત, ખંડ વગેરેના તૈયાર કરવામાં મદદ કરવી. એ નકશા તૈયાર કરવા સારૂ મી. ફાલનને હાપ સાહેબે કામે લગાડયેા હતેા. તે ફુરજા ખાતામાં નોકર હતા. ત્યાંથી એક માસની રજા લેવડાવી તેને એ કામ સોંપ્યું હતું.
સાત વાંચન ચાપડી તથા પાઠાવલી તથા કવિતા સંગ્રહ વગેરે પુસ્તકો છપાવી મારા કામથી ફારક થઈ પાછા મારી નેકરી પર હું હાજર થયેા.
સન ૧૮૬૦ના વરસમાં એવા હુકમ થયેા હતેા કે ડેપ્યુટી ઈન્સ્પેકટરાએ નવી નિશાળ પદ્વતી વિશે જે જ્ઞાન મેળવ્યું છે તે જ્ઞાન પોતાના તાખાના હુશીઆર મેહતાજીએને એક સ્થળે એકઠા કરી ભાષણને રૂપે આપવું તથા કથિત પાઠ કેમ આપવા, તેને પણ અભ્યાસ કરાવવા. તે મુજબ મે નવસારી, મુકામે આશરે પંદર મેહતાજીને ખેલાવી પદર વીશ દીવસ
૫૦
Page #156
--------------------------------------------------------------------------
________________
રા. બા. મોહનલાલભાઈ રણછોડદાસ ઝવેરીનું આત્મકથન
સુધી ભાષણો આપ્યાં તથા સામાન્ય જ્ઞાન વગેરે વિષયે કથિત પાઠ આપી શીખવવાનો મહાવરો પાડે. - જ્યારે સન ૧૮૫૮ માં હું અમદાવાદ હતા ત્યારે મ્યુઝીઅમ એટલે છોકરાઓને પાઠ સમજવામાં ઉપયોગી પડે એવા પદાર્થોનો સંગ્રહ કરવાનું કામ પણ મને સેપ્યું હતું. તે પ્રમાણે અમદાવાદની ટ્રેનીંગ કોલેજને સારૂ મેં સંગ્રહસ્થાન રચ્યું હતું.
મારા જુના કારકુન જીવણરામ જયાનંદ જેમને હોપ સાહેબે ઘોઘા વિભાગના પ્રોબેશનરી ડેપ્યુટી એજ્યુકેશન ઇન્સ્પેકટર સન ૧૮૫૭માં નીમ્યા હતા, તેમણે એજ્યુકેશન ખાતામાંથી બદલી કરાવી અને આબકારી ખાતામાં સુરતના ડેપ્યુટી એકાઉંટંટ થયા, પણ ત્યાંથી રાજીનામું આપી પાછા પિતાની અસલ કારકુનની જગા પર મારા તાબામાં આવ્યા, એટલે મહેનતુ ને વિશ્વાસુ પ્રાણજીવનદાસ રખડતા થયા; તેઓ આંખના દરથી બહુ હેરાન થયા હતા.
ભરૂચ વિભાગના ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સ્પેકટર મી. દોલતરામ ઉત્તમરામ ઉપર ઉપરીને કોઈ શક લાગવાથી તેમની ખાનગી તપાસ કરી તેમને નોકરી પરથી દૂર કર્યા હતા અને તેમની જગા પર કોઈ લાયક માણસ ન મળવાથી નીમણુક ન થઈ, તેથી ચાર વરસમાં ભરૂચ જીલ્લાનો ચાર્જ પાછો મારી પાસે આવ્યો. ભરૂચ વિભાગ સાથે ઘોઘા વિભાગ પણ જોડાયો હતો, કારણ તે રા. સા. મહીપતરામના તાબામાં હતા. પણ તેઓ વિલાયતની મુસાફરીએ જવાથી ભરૂચ સાથે જોડી દીધે હતો ને ખેડાના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર રા. સા. મયારામને ખાનદેશ છલામાં મોકલવાથી તે ખાલી પડેલી જગા રા. સા. મહીપતરામને આપવામાં આવી હતી.
આ ઉપરથી સમજાશે કે મારા તાબામાં દમણગંગાથી તે મહી સુધી તથા પશ્ચિમમાં કાઠીયાવાડમાં આવેલા અમદાવાદના બે પરગણા ઘોઘા તથા ધંધુકા એટલા વિસ્તારવાળી જગા હતી, તેમાં મુસાફરી કરવાનું ઘણું મુશ્કેલ હતું, પણ એટલો તે આરામ હતો કે તાબામાં બે કારકુન અને ચાર સિપાઈ હતા.
હોપ સાહેબની બદલી ગવરનર સર જોઈ કલાકના પ્રાઇવેટ સે કેટરીની જગા પર થયાથી ઈન્સ્પેકટરનો ચાર્જ રીચી સાહેબની પાસે આવ્યો. થોડી મુદતમાં તેની પણ બદલી થવાથી કરટીસ સાહેબને ચાર્જ સે હતો. પણ ડીજ મુદતમાં તેમને પાછા હેડમાસ્તરની જગા પર મોકલી
Page #157
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
રસલ સાહેબને ઉત્તર ભાગના ઇન્સ્પેકટર બનાવ્યા. ગુજરાત પ્રાંતને બદલે ઉત્તરભાગ નામ પાડવામાં આવ્યું હતું. કારણ પાંચ જીલ્લા અમદાવાદ, ખેડા, પંચમહાલ, ભરૂચ, સુરત સાથે કેકણને થાણા જીલ્લો તથા દક્ષિણનો ખાનદેશ છેલ્લે જોડવામાં આવ્યો હતો.
મારી મુસાફરીમાં જેમ ઘઘા, ધંધુકા ને ભરૂચ જીલ્લો વધ્યાં હતાં તેમજ સર જમશેદજીની નિશાળે સુરત જીલ્લાની તથા ભરૂચની તથા કે કણ ને તારાપુર વધ્યું હતું. - એ રીતે સન ૧૮૬૧ના સપર્ટોબર લગી કામ ચાલ્યું. ત્યારબાદ ભરૂચ જીલ્લાને ચાર્જ મી. પ્રાગજી વલ્લભભાઈ અમદાવાદ ટ્રેનીંગ કોલેજના આસીટંટને સોંપવાને હુકમ થયે. પણ કેટલીક મુદત લગણ એટલે પ્રાગજી સ્વતંત્રપણે કામ ચલાવવા લાયક થાય ત્યાં લગણ મારા તાબામાં તેમને સેયા હતા તેથી મારે દર વરસે ભરૂચ જીલ્લામાં તપાસ કરવાને જવું પડતું હતું.
તા. ૧૪ મી સપર્ટોબર સને ૧૮૬૧ થી મારા પગારમાં રૂ. ૨૫) ને દર ભાસે વધારે થયે.ડીરેકટર સાહેબ તરફથી પુછવામાં આવેલું કે ડેપ્યુટી ઈમ્પકટોના પગારમાં વધારો કરવા સારૂ સરકારે રૂ. ૧૨૫) મંજુર કર્યા છે તે. તમારે કયા ડેપ્યુટીને કેટલો વધારો આપવો છે તેની ભલામણ કરવી. તે પરથી રસલ સાહેબે લખ્યું કે મારા ગુજરાતના ત્રણે ડેપ્યુટી ખાત્રી લાયક કામ કરે છે. આ મુજબ ત્રણેને વાતે સરખા વધારાની ભલામણ થઈ હતી તે સરકારે મંજુર કરી. છ વરસે પચીસને વધારે મળે.
સન ૧૮૬રના વરસથી ચોમાસામાં એટલે સપટેમ્બર માસમાં અમદાવાદ બજેટ કરવા સારૂ ઈન્સ્પેકટરની ઓફીસમાં હાજર થવું પડતું હતું તે મુજબ હું પણ ગએલો.
સન ૧૮૬૨ ના વરસમાં બીજા કાંઈ જાણવા લાયક બનાવ નથી. ધારા પ્રમાણે નિશાળોની પરીક્ષા-રીપોર્ટ–પત્ર વ્યવહાર વગેરે સિવાય બીજું કાંઈજ કરવું પડયું નથી.
સન ૧૮૬૩ના વરસમાં મારે ત્યાં વડીલ પુત્ર મોતીલાલ તથા પુત્રી કમળાગવરીનાં લગ્ન કરવાનાં હતાં તે સંબંધી રજા માગવા રીપેર્ટ કરેલે કે ભર્ચ મારા ડીસ્ટ્રીકટમાં છે ત્યાં રહી વાર્ષિક પત્રકો તથા રીપોર્ટ હું કરીશ. ને મારું લગ્નનું કામ સાચવીશ, તે પરથી કરટીસ સાહેબે ભલામણ કરેલી કે, એક માસની હકની રજા સરકારે આપવી. પણ ડીરેકટર મી. હાવરડ
પર
Page #158
--------------------------------------------------------------------------
________________
રા. ખા. મેાહનલાલભાઇ રણછેોડદાસ ઝવેરીનું આત્મકથન
ભરૂચમાં રહીને રજા આપવાની એપ્રીલ મે માં
તરફથી લખાણ આવ્યું કે, જો એ ડેપ્યુટી આજ઼ીસકામ કરવા ચાહે છે તે તે પરવાનગી હમે આપી છે ને હકની જરૂર નથી; એવા મહેરબાન ઉપરીએ હતા. એ વરસના લગ્ન રૂડી રીતે કર્યા, પણ તેમાં એક ખામો આવી જે એ હતી કે મારી એપીસ જે ઢોળાવ પર શેઠ ગોવીંદલાલ વિજભુખણદાસના ઘરમાં રાખેલી હતી તેમાં ચેારી થવાથી આશરે રૂ।. ૧૫૦) નું નુકશાન થયું ને સરકારી સીલીકના રૂપીઆ પણ ગયા હતા તે ભરવા પડયા.
સન ૧૮૬૩ના જુલાઈ માસમાં મી. રસલ સાહેબે સઘળા ડેપ્યુટીએને અમદાવાદમાં એકઠા કર્યા હતા કે, સર્વે ટ્રેનીંગ કાલેજમાં શીખવવાને મદદ કરે. તે વળી અમારે ત્રણ માસ ત્યાં રહેવું પડેલું. મે મારા મુકામ હમેશ પ્રમાણે રામની પાળમાં મારા મિત્ર અચરતલાલ મલને ત્યાં ન રાખતાં રા. સા. મહીપતરામના બંગલામાં રાખેલા હતા. એ બંગલા ટ્રેનીંગ કોલેજની પાસે હીરાલાલ ફેાજદારવાળા હતા, તેને ત્રીજે માળે મારા નિવાસ હતા. ગોપાળજી સુરભાઈ દેસાઇ પણ મારી પડેાસમાંજ રહેતા હતા. અમારા સૌને છુટકા અકટાબરમાં થયે. રસલ સાહેબ જાતે ઘણા ભલા આદમી, માજશેાખવાળા ને દયાળુ હતા. એક દાખલા તરીકે કહું છું કે, એક દિવસે સાહેબના હુકમ મુજબ સઘળા ડેપ્યુટીએ તથા ટ્રેનીંગ કોલેજના પ્રીન્સીપાલે સાંજે પાંચ વાગતે સાહેબને મળવા સારૂ હાજર થઇ વરદી કહેવડાવી. અમને સૌને ઉપર ખેલાવ્યા. સાહેબ પણ ડાહ્યાભાઈની વાડીમાં જ્યાં ટ્રેનીંગ કોલેજ હતી ત્યાં અગલામાં રહેતા હતા, પોતે દાદરને મેાખરે આવીને ઉભા રહ્યા. જેવા અમને દીઠા કે તરતજ પોતે ખેલ્યા “You wisemen of the East I have got no time to talk with you as I am going to sleep. Please come at some other suitable time when I call for you.” અમે નિરાશ થયા ને પાછા પોતપોતાને મુકામે ગયા. સાહેબને ભવાઈ જોવાના શાખ થયા તેથી જાતે પચાસ રૂપીઆ આપી સારામાં સારા નાયક ટોળાંને ખેલાવી વાડીના ક`પાઉંડમાં ભવાઈ કરાવી, તેમાં સઘળા કાલરાને તથા ડેપ્યુટી વગેરે માસ્તરાને તેડયા હતા. એક વાર એક મદરાસી શતાવધાન અમદાવાદમાં આવ્યા હતા તેના ખેલ જોવાને પચાશ રૂપી આપ્યા. એવા એ સાહેબ મનમેાલા હતા. આ સઘળી રમુજો અમારા મુકામ અમદાવાદમાં હતા ત્યારે થઇ હતી. પ્રત્યેક ડેપ્યુટીને યોગ્યતા પ્રમાણે ભૂમિતી, બીજ ગણીત, ઇતિહાસ વગેરે કૉલેજમાં
૧૩
Page #159
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
શીખવવાને વખત આપ્યો હતે; મને ભૂમિતી સીનીયર સ્કેલને શીખવવાનું સોંપ્યું હતું.
સન ૧૮૬૩ના સાલમાં ડિસેંબર માસમાં શુકલતીર્થની યાત્રા કરવા ગયું હતું. ત્યાં પણ રસલ સાહેબ આવી પહોંચ્યા હતા. સુરતથી અમદાવાદ ટ્રેનમાં જતાં ભરૂચના સ્ટેશન પર લોકોની ભીડ જોઈને ખબર કાઢી કે આજે શું છે? એ કહ્યું કે અહીંથી સાત કેસપર શુકલતીર્થ ગામમાં જાત્રા ભરાઈ છે ત્યાં સૌ જાય છે. તે પરથી પોતે પણ એક ગાડી કરી રાત્રે શુક્લતીર્થમાં ગયા ને ખળીમાં હવાલદારના માંડવામાં રાત્રે તેના ખાટલા પર સુઈ રહ્યા ને સવારે મેહેતાજીને તેડાવી મંગાવી દેવામાં નહાવા પડ્યા. તરવામાં ઘણું ખબરદાર હતા; મેળો તથા કારનાથનું દહેરું વગેરે જોઈ પાછા ભરૂચ આવી અમદાવાદ સિધાવ્યા હતા; એવા શોખીન માણસ હતા. મારો મેળાપ થયો હતો ત્યારે મને કહ્યું કે, નર્મ દામાં નાહી વિષ્ણુનાં દર્શન કરી પવિત્ર થ છું.
સન ૧૮૬૪ ના વરસમાં વિશેષ હકીકત થેડીજ છે. તા. ૪ થી જુલાઈથી ત્રણ માસની હકની રજા લઈ હું મુંબઈ ગયો હતો. મનમાં લોભ એ હતું કે કોઈ સારી વધારે પગારની જગા બેંક કે મીલમાં મળે તે રહેવું, ને સરકારી નોકરી છોડવી. એવી લાલચ ઉત્પન્ન થવાનું કારણ મારા મિત્ર પ્રાણલાલ મથુરાદાસ તથા કેખશરૂ હોરમસજી આલપાઈવાળા તથા રાવસાહેબ ભોગીલાલ પ્રાણવલ્લભદાસ સરકારી નોકરી છોડી મોટે પગારે બેંકના મેનેજર થયા હતા. થોડા દહાડા મુંબઈમાં રહ્યા. પ્રેમચંદ રાયચંદને મળ્યા, તેમણે મને ત્રણ રૂપીઆની જગા કરાંચીમાં આપવા કહ્યું. પણ તે મને સારું લાગ્યું નહીં. પુને મારા મિત્ર મંછારામ નરભેરામને મળવા ગયો ત્યાં શેઠ રૂસ્તમજી જમશેદજી જીજીભાઈની મુલાકાત થઈ. તેમણે મને એટલી જ શીખામણ દીધી કે, સરકારી નોકરી છોડી કઈ બેંકમાં રહેવાની લાલચમાં પડશે નહીં. થોડો પગાર મળે પણ સરકારી નોકરી સારી ગણવી. એ વાત મારા મન પર ઠસી તેથી વધારે પ્રયત્ન ન કરતાં હું મારા મિત્ર રા. સા. નારાયણભાઈની ભલામણ લઈ પંઢરપુરની જાત્રાએ ગયે, ત્યાંના માસ્તર તથા ફોજદાર તથા ડાકટર સાથે સારી મિત્રાચારી થઈ. તેમણે મને સિફારસ કરી શલાપુર જેવા મોકલ્યો. ત્યાંના ડાકટર નારાયણરાવ ઘણું હેતાળ હતા તેમને ઘેર ઉતર્યો. શેલાપુરમાં તે વખતે મેટું તળાવ હતું, તેનું પાણી લેકના પીવામાં આવતું, તેથી
૫૪
Page #160
--------------------------------------------------------------------------
________________
૨. બા. મેહનલાલભાઈ રણછોડદાસ ઝવેરીને આત્મકથન
તેમાં નાહવા દેવાની મનાઈ હતી, તેની મને માહીતી ન હોવાથી, હું મારાં છેતી-અંગુઠો ધોવા જતો હતો એટલે ત્યાં ઉભેલા લેકેએ મને અટકાવ્યો કે એ કામ કરશે નહીં, સરકારના ગુન્હેગાર થશે ને શિક્ષા પામશે. નહાવું દેવું હોય તે બહાર પાણી ભરી લાવી તેમ કરે. શેલાપુરમાં બે ત્રણ દહાડા રહી પુને પાછો ગયે. ગણેશ ચતુર્થીના તહેવાર પુનામાં ઘણા વખાણવા લાયક થાય છે, તે જોઈ પાછો મુંબઈ ગયો ને રજા પુરી થતે નોકરી પર હાજર થશે.
આ મુંબઈની મુસાફરી મિત્રોના મેળાપ સિવાય દ્રવ્યની બાબતમાં સારી નીવડી નહીં. શેરના વેપારમાં પાંચ હજાર ખરચ કર્યા તેમાં મુડી, થએલો નફે તથા બીજા ઘરના ભરતાં છુટકે થયો.
આ વેપાર કરાવામાં મારા મિત્ર ગંગાદાસ કીશોરદાસની સહાયતા હતી. તેમને પણ નુકશાન થયું ને મારા પણ પૈસા ગયા. જોઈટ સ્ટોક કરપારેશનના પંદર શેર લીધેલા હતા, તેણે દેવાળું કાઢયું ને બીજા નવા કેલ શેરહોલ્ડરે પર દેવું વાળવાને કાઢયા. રૂપીઆ પંદરસો, કોલના ભરવા પડત પણ ગંગાદાસની તદબીરથી મારો છુટકે ત્રણસે રૂપીઆ ભરવાથી જ થયો હતો.
સન ૧૮૬૫ના વરસમાં વિશેષ હકીકત નથી.
સન ૧૮૬૬ના ફેબરવારીમાં મુંબઈ ઈલાકાના ડીરેકટર ઓફ ઇન્ટ્રકશન સર આલેકઝાંડર ગ્રાંટ બારોનેટની મુલાકાતને સારૂ ઈન્સ્પેક્ટરે તેડેલા માટે એક અઠવાડીઉં ત્યાં જવું પડેલું, તા. ૫ થી ૧૨ સુધી, અમદાવાદ આવી તેમણે કાંઈ વધારે કામ કર્યું નથી. ડેપ્યુટીઓને મળ્યા ને સાધારણ વાતચીત કરી, ખબર અંતર પુછી હતી. હું મળવા ગમે ત્યારે વરદી કહેવડાવવા છતાં મને બહાર થંભાવી રાખે, બીજીવાર જ્યારે ફરીથી ચીઠી સાથે વરદી મોકલી ત્યારે મુલાકાત થઇ.
સન ૧૮૬૭ના વરસમાં ભરૂચ જીલ્લાનો સ્વતંત્ર ચાર્જ મી. પરાગજીને મળવાથી મારે તે તરફ જવાનું તથા તે નિશાળે તપાસવાનું બંધ થયું. ઈન્સ્પેકટરે મારો રીપોર્ટ માંગ્યો કે હવે પરાગજી સ્વતંત્ર રીતે કામ કરવાને લાયક થયો છે કે નહીં? મારા અનુભવ પ્રમાણે તે લાયક થયો છે, એવું લખવાથી મારી દેખરેખ નીચેથી તે નીકળી ગયા ને ઇન્સ્પેકટર સાથે હાબહાર લખાણ વગેરે કરવા માંડયું.
૫૫
Page #161
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
સન ૧૮૬૮ના ફેબરવારીમાં મારા પુત્ર મગનલાલ તથા મારી પુત્રી તારાગવરીનાં લગ્ન કર્યો.
સન ૧૮૬૮ના અકટોબરમાં શુકલતીર્થની યાત્રા, એજ વરસના ક્રીસ્ટમસ (નાતાલ)ના તહેવારમાં ભરૂચ ખાતે સંગ્રહસ્થાન થયું હતું. તેની યોજના કરનાર મી. હોપ સુરતના કલેકટર હતા. ઘણા દેશોના રાજા જેવા કે ગાયકવાડ, નાંદોદ, ધરમપર, વાંસદા તથા મુંબઈના ગવરનર તથા ઘણું પરદેશીઓ આવ્યા હતા. સંગ્રહસ્થાન ઉઘાડવાની ક્રિયા ગવરનર સાહેબે કરી હતી. એ પ્રસંગે એજ્યુકેશનલ ઈન્સ્પેક્ટર મી. કરટીસ હતા. તેમણે ગુજરાતની નિશાળને દશ દિવસની રજા આપી હતી તેથી ઘણું મહેતાજીએ તથા ડેપ્યુટીઓ ભરૂચ આવ્યા હતા. હાઈટરોડ પર આવેલી જીનીંગ ફેકટરી અમજદ બાગ નામે ઓળખાય છે, તેમાં એ સંગ્રહસ્થાનનો મંડપ રચવામાં આવ્યા હતા તથા સડકને ઉત્તર પાસે ગવરર, રાજાઓ, યુરોપીઅનો વગેરેને સારૂ તંબુઓ મારવામાં આવ્યા હતા ને મોટી શભા સડક પર કમાનોથી તથા વાવટાથી કરી હતી.
સંગ્રહસ્થાનમાં જાત જાતનું કાપડ, વાસણો, યંત્ર. વગેરે ગોઠવ્યાં હતાં. ને દરબાર તથા સંગ્રહસ્થાન જેવાને સારૂ ટીકીટ (પાસ) કાઢી હતી, તે બે જાતની હતી. પહેલા વર્ગના પાસની કીમત રૂ. પાંચ ને બીજા વર્ગની રૂ. ત્રણ હતી. એ પાસ દશ દીવસ સંગ્રહસ્થાન ખુલ્લું રહ્યું ત્યાં સુધી કામ આપતી હતી. એક પાસેથી ઘણા જુદા જુદા માણસો જોઈ શકતા. એ સંગ્રહસ્થાન ઉઘડયું ત્યારે ગવરનરે મોટી ભવ્ય દરબાર મંડપમાં ભરી હતી. માણસ તથા વાહનની ગરદી એટલી થઈ હતી કે, એક પોલીસ સ્વારનો ઘેડો ચમક્યું ને તે કઠેરામાં ગુંચવાઈ પડવાથી પગ ભાગે, તેને તરતજ ગોળી મારી પુરે કરવામાં આવ્યો હતો.
એજ વખતે મી. કરણીસની જગ્યા પર ડા. ખૂહલર નીમાવાથી તેઓ ચાર્જ લેવા આવ્યા હતા. મી. કટીસ પિતાની જગાનો ચાર્જ મને સોંપીને ગયા હતા તેથી મેં ઓફીસનો ચાર્જ આયે.
મી. કરટીસના હાથ તળે તથા ડાકટર મ્યુલરના હાથ તળે કેવું કામ બજાવેલું તેના દાખલાને સારુ પરીશીષ્ટ ( ) તથા ( ) માં તેમનાં આપેલાં સરટીકેની નકલ છે.
સન ૧૮૬૯માં વિશેષ વર્ણન કરવા જેવું નથી, પણ ડાકટર મ્યુલરના હાથ નીચે સખત કામ કરવાનું હતું. તે નવા હતા, ગુજરાતીનું સ્વલ્પ જ્ઞાન
૫૬
Page #162
--------------------------------------------------------------------------
________________
રા. બા. મેહનલાલભાઈ રણછોડદાસ ઝવેરીનું આત્મકથન
હતું પણ જાતે મહેનતુ અને તીક્ષ્ણ બુદ્ધિના હતા તેથી એટલે હાથ તળેનાં માણસો પાસે સખત કામ લેનારા હતા.
સન ૧૮૬૯ના વરસમાં પણ શુકલતીર્થની જાત્રા કરી હતી. ડાકટર મ્યુલર આકટીંગ હતા એટલે તેમની બદલી થવાથી તે જગા પર મી. કરટીસ બહાલ થયા. તેમની પ્રકૃતિ ચેમાસા (સન ૧૮૭૦) માં બગડવાથી મી. જે. બી. પીલ ડાયરેકટર થવાથી, તેમનું ચિત્ત વ્યગ્ર થયું. લોકલકુંડના મકાને બાંધવાનું કામ તેમની પાસે રહેવાથી નાણું રહેવા લાગ્યું તેમાંથી કેટલોક ભાગ ખાનગી વપરાયાથી ઘણીજ ઘેલછા આવી ગઈ. પિતાની જાતને ઈજા કરવા લાગ્યા, માથું ફેડયું, ને ગમે તેમ લાવવા માંડયું. મી. પીલ મારા હસ્તકનાં નાણાંને હીસાબ માંગશે તો તે કેમ અપાશે? સરકારી નાણું ક્યાં ગયું એવાં એવાં વા ઉચ. એ વેળા એ સાહેબને મુકામ સુરતમાં હતો. મારે જઈ કેટલોક દીલાસે આપ પડતું, પણ તે સઘળું પાણીમાં જતું. આખરે ઓફીસનો ચાર્જ મારે લેવો પડે ને સાહેબને એમના મડમ વિલાયત લઈ ગયાં. ઓફીસનો ચાર્જ ૧૩ સપટેમ્બર સને ૧૮૭૦ થી તા. ૫ નવેમ્બર સને ૧૮૭૦ લગી રહ્યો ને પછી ડાકટર મ્યુલર પછી પાછા કાયમ નીમાઈને આવ્યા.
સન ૧૮૭૦ની સાલમાં બે વાર અમદાવાદ જવું પડેલું. જુલાઈમાં બજેટ સારૂ તથા અકબરમાં ટ્રેનીંગ કોલેજની પરીક્ષા સારૂ.
કરટીસ ટેસ્ટીમેનીઅલ ફંડ ઉભું કર્યું, એજ વરસમાં, તેમાં રૂ. ૨૫) આપવા પડયા હતા ને તે સઘળે અવેજ એમની માડમને મોકલવામાં આવ્યો હતો. સન ૧૮૬૯ના નવેમ્બરમાં ડીરેકટર મી. પીલ સાહેબે મને ગુજરાતી બુક કમીટીને એક મેંબર ની, તે ઓદ્ધો સરકારી નોકરી છોડ્યા પછી પણ મી. ચાઈલ્સની ભલામણથી જારી રાખ્યો છે.
સન ૧૮૬૮ના વરસમાં મી. કરટીસે મને સૂચના કરી કે ઇંગ્લંડને ઈતિહાસ ગુજરાતી ભાષામાં નથી તે પુસ્તક તારે તૈયાર કરવું. તે પરથી એમની ભલામણ મુજબ ડેવીસ કૃત ઈગ્લેંડને ઈતિહાસ બાપે દીકરા પર લખેલા પત્રના રૂપમાં છે, તેનું ધોરણ પકડી તથા કેટલાક વધારે ઘટાડો કરી પુસ્તક કર્યું. અને જ્યારે મી. કરટીસ ઈગ્લેંડ સન ૧૮૬૮-૬ધ્યાં ગયા ત્યારે તેમને તપાસવા આપ્યું હતું. તેમણે તપાસીને પોતાના સારા અભિપ્રાય સાથે તથા કેટલોક સુધારે કરવાની સૂચના સાથે એડનથી મારા ઉપર તે પાછું મે કહ્યું. પીલ સાહેબ ડિરેકટર થયા ત્યારે તે છપાવાને અરજ કરેલી. તે
૫૭
Page #163
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
પરથી તુંમારે। તથા લખાણ ચાલતાં સન ૧૮૭૩માં અંત આવ્યેા. સરકારે તે ગ્રંથ લઈ ને પેાતાને માથે છાપવાની ના કહી. પણ જો હું મારે જોખમે છપાવું તેા સરકાર તે પુસ્તકની કેટલીક પ્રત લાઈબ્રેરી સારૂ રાખશે તથા નિશાળેામાં ઈનામેામાં વાપરવા પરવાનગી આપશે એમ જણાવ્યું. સરકારે તા ફક્ત ૧૭૦ નકલ રાખી. પણ ઈનામ વગેરે કામ સારૂ ખરીદવામાં આવીને હજાર ખીજી નકલ પૂરી થઈ. એની કીમત રૂ. ૧) રાખી હતી તે માળખાધ અક્ષરે છાપી હતી. હવે તેમાંની શેાધી નકલ જડતી નથી.
સન ૧૮૭૦ના સપ્ટેંબર તા. ૧૫ થી ઇન્સ્પેક્ટરની એપીસના ચાર્જ મારી પાસે હોવાથી અકટોબરમાં તા. ૧ થી તા. ૨૨ સુધી ગુજરાત ટ્રેનીંગ કાલેજની વાર્ષિક પરીક્ષા લેવા સારૂ અમદાવાદમાં રહેવું પડયું. તે વેળા મુકામ પણ કોલેજની ઇમારતમાંજ રાખ્યા હતા.
સને ૧૮૭૧ના એપ્રીલની તા. ૧ થી મારા પગારમાં રૂ. ૨૫) ને વધારા થયા એટલે રૂ. ૧૭૫) ને ખદલે રૂ. ૨૦૦) મળવા લાગ્યા.
પોતાના સમયના કેળવણીકારા તેમજ પ્રખ્યાત સાહિત્ય રસિકો સાથે એમને સારા સંબંધ હતા ને એ સંબંધ એમના સ્વર્ગવાસ સુધી ચાલુ રહ્યો હતા. બુદ્ધિવર્ધક સભાના સભ્યા, વાંચન પાઠમાળાના એમના સહકાર્ય કરો, ઉપરાંત કવિ નર્મદ જેવા અન્ય વિદ્વાને સાથે પણ એમને સંબંધ હતા. સુરતની પાસે આવેલા અડાજણ ગામની નિશાળ કવિ નર્મદાશંકરને હાથે એમણે ખુલ્લી મુકાવી હતી.* કવિ નર્મદાશંકર એમને તથા એમના પિતા વિષે નીચે પ્રમાણે પેાતાના ધર્મવિચારમાં જણાવે છે:——
પ્રથમ ચાપડીએ અને મહેતાજીએ તૈયાર કરવામાં, ને નિશાળેા થયા પછી વ્યવસ્થા તથા વૃદ્ધિને અર્થે શ્રમ લીધા જેણે, તે ભરૂચના મેાઢ વાણીઆ રણછેડદાસને અમે આરંભ કાળા ગુજરાતની પ્રસિદ્ધિને પહેલા પુરૂષ કહીશું. તેનાજ ભણાવેલા દુર્ગારામ મહેતાજીએ મંત્રાદિક તથા પુનČગ્ન
* મુંબઇના અઠવાડીક પત્ર “ગુજરાતી” માં સને ૧૯૦૮ ની સાલમાં આ આત્મકથન પ્રસિદ્ધ થએલું; તે રા. ખા. મેાહનલાલને પાતાને હાથે જ લખાએલું હાવાથી પ્રસિદ્ધ કર્યું છે. ત્યારબાદને અહેવાલ એમના કુટુંબ તરફથી મળ્યા છે.
* એ શાળા ખુલ્લી મુકતી વખતે જોડવામાં આવેલા દોહરાનું અધ પદ નીચે મુજબનું મળી આવે છે:
“ ધન્ય અડાજણ ગામને, ધન્ય અહિંના લોક, ”
૫૮
ވ
Page #164
--------------------------------------------------------------------------
________________
રા. બા. મેહનલાલભાઈ રણછોડદાસ ઝવેરીનું આત્મકથને
સંબંધી સુધારાના વિચાર પોતાની નગ્રીના લોકોમાં ચરચાતા કીધા ને પ્રજાકામ સરકારના સંબંધમાં મરતાં સુધી કીધાં. રણછોડદાસના મોટા દીકરા મોહનલાલે બુદ્ધિવર્ધક સભાના પહેલા સમયમાં સારાં સારાં ભાષણ કર્યો હતાં. તે નાના દીકરા મનમેહનદાસ તે હમણાં ભરૂચની પ્રાર્થના સમાજમાં કવિતા વાણીએ પ્રાર્થના તથા ભાષણો કરે છે. રણછોડદાસને પિતાને વેદાંતના ગ્રંથ વાંચવા પર પ્રીતિ હતી એવી અમારી સ્મૃતિ છે,
સુરતના મહૂમ સુપ્રસિદ્ધ વકીલ કાળાભાઈ ગુજરાત તેમજ મુંબાઇના નામાંકિત પુરૂષોના સંસર્ગમાં ઘણા આવેલા તેઓએ રા. બા. મોહનલાલભાઈ માટે નીચેની હકીકત જણાવી હતી.
મી. કાળાભાઈ જ્યારે પાંચ વર્ષના હતા ત્યારે એમના પિતા લલ્લુભાઈ મુનસફે રા. બા. મેહનલાલને એક મ્હોટી Tea-Party આપેલી (ચાહા પાણીને મેળાવડો કરેલો.) આજે એવા મેળાવડા સાધારણ છે પરંતુ તે કાળમાં એવા મેળાવડા કવચિત જ થતા જે અસાધારણ ગણાતા હોવાથી તેને બહુ મહત્ત્વ અપાતું. એ મેળાવડા સમયે રા. બા. મેહનલાલે જે પ્યાલા રકાબી વાપરેલાં તે કુટુંબમાં સ્મરણ ચિન્હ તરીકે એમણે જાળવી રાખેલાં. એ મેળાવડાના મહત્ત્વનું એક બીજું પણ કારણ એ હતું કે તેમાં નાહાનાં છોકરાંને શિખવવા માટે એક નિશાળ (Infant School) કાઢવાને વિચાર થયેલો ને ત્યાંને ત્યાંજ એ બાબતની એક કમીટી નક્કી થઈ, જેના સરનશીન રા. બા. મેહનલાલ હતા અને મી.મોતીરામ ભગુભાઈ તથા રા. લલ્લુભાઈ મુનસફ સેક્રેટરી હતા. મતીરામ પ્રાણજીવનદાસ, નાનાભાઈ હરીદાસ, મહીપતરામ રૂપરામ, લલ્લુભાઈ કેશવલાલ અને કહાનદાસ મંછારામ મેમ્બર હતા. દર મહીને નીચલા સગ્રહસ્થા તરફથી નાણાની મદદ મળતી. જેથી એ સ્કુલ ચાલતી. મીર જાફર અલીખાન, મુલ્લાંજી સાહેબ, શેઠ બમનજી ભાવનગરી, આત્મારામ ભુખણવાળા, શેઠ મંછુભાઈ, દીવાનજી મીઠારામ દયારામ, શેઠ ચુનીભાઈ ચકા વગેરે. મીસીસ હેનરી હોબાર્ટની પણ એમાં મદદ હતી (સન ૧૮૫૪–૫૫). ગોપીપરામાં અસલ જે જગાએ થીઓસોફીકલ સોસાઈટીનું મકાન હતું ત્યાં એ સ્કુલ બેસતી, અને મી. જટાશંકર નામના એક નરમલ સ્કોલરને રા. બા. મેહનલાલની ભલામણથી માસ્તર નીમવામાં આવ્યો હતો. મી.. કાળાભાઈ, એમનાં બહેન તથા ઠાકોરદાસ ચુનીભાઈ ચકાએ સ્કૂલના પહેલા બાળ નિશાળીઆ હતા. કંડર
પહ
Page #165
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
ગાનની રૂઢી મુજબનાં માડલ તથા મણકાનાં ફ્રેમ, પીકચરા વગેરેની મદદથી ત્યાં મગજની કેળવણી શરૂ કરવામાં આવતી. કીંડર ગાનની પતિનું મૂળ તે વખતથીજ રા. બા. મેાહનલાલના પ્રયાસથી રેાપાયલું એમ આ ઉપરથી જણાય છે.
રા. લલ્લુભાઈની મુંબઈ સદર દીવાની અદાલતમાં બદલી થઈ ત્યાં સુધી એ શાળા ચાલી. પછી ૧૮૫૭ માં મી. મોતીરામ ભગુભાઈના હાથમાં ચાર્જ આવ્યા. જેમણે બધે! સામાન તથા શાળાને બક્ષીસ મળેલું ધડીઆળ પણ વેચી નાંખ્યાં, મોડેલ, પીકચર વગેરેને કેવી રીતે ઉપયોગ કરવા તે બતાવવા રા. બા. મેાહનલાલ વારંવાર એ શાળામાં જતા.
એમને ગુજરાતી, મરાઠી, અંગ્રેજી, સંસ્કૃત, ઊર્દૂ ભાષાઓનું સારૂં જ્ઞાન હતું. ઉર્દૂ ભાષા તે પેાતાના એદ્દાને અંગે શીખવી પડેલી. સુરતમાં ઊ શાળાએ હતી. તે તપાસવાનું કામ પણ એમને માથે હતું. આજની માફક તે સમયમાં દરેક જીલ્લામાં સંખ્યાબંધ ડેપ્યુટીએ ન હતા. એમના આત્મકથન પરથી જણાશે કે એમને એકલે હાથે કેટલી બધી શાળાએ તપાસવી પડતી હતી. પોતાના એદ્દાને અંગે જેટલું જેટલું જાણવાનું તથા શીખવાનું આવશ્યક લાગે તેટલું શીખી લેવું એ હેતુથી ઉર્દૂના અભ્યાસ કરેલે.
એમનું સામાન્ય જ્ઞાન પણ ઘણુંજ ઊંચા પ્રકારનું હતું. ગણીતમાં તે આજે જે ધારણ M. A.માં છે ત્યાં સુધીના એમનેા ખીજ ગણીતનેા અભ્યાસ હતા. પદાર્થો વિજ્ઞાનમાં પણ Newton'sના Principiaને એમના સારે। અભ્યાસ હતા.
એમની લાઇબ્રેરીમાંના પુસ્તકોની યાદી પરથી જણાય છે કે ગુજરાતી-અંગ્રેજી ચેાપડીઓ ઉપરાંત એમાં મરાઠી ચાપડીઓ પણ સારી સંખ્યામાં હતી.
સ્વભાવે એએ શાંત, સદા હસ્તા મહેાડાના, કસાયેલા શરીરના, કુટુંબ પ્રેમી હતા એટલુંજ નહીં પણ હાથ નીચેના માણસો પ્રત્યે પણ વાત્સલ્ય ભાવ રાખતા. જુના નાકરા સરદારખાં તથા શીવાજી નામે હતા તેમના પર ડેટના ઠેઠ સુધી ભાવ રાખેલો એટલુંજ નહીં પણ તેમના ગંભીર દોષો પ્રત્યે પણ ઉદાર ભાવથી જોતા. એમના સ્વભાવ એટલા શાંત તથા મનનું એકાગ્રપણું એવું સરસ હતું કે એએ લખતા વાંચતા હોય ત્યાં છોકરાંએ તાફાન કરે, જીમ બરાડા પાડે પણ તેથી કાઈ દિવસ પણ છેકરાંઓ પર ગુસ્સે થતા નહીં.
F
Page #166
--------------------------------------------------------------------------
________________
રા. ખા. મેાહનલાલભાઇ રણછેાદાસ ઝવેરીનું આત્મકથન
સુરત જીલ્લા પરત્વે તે એમની લેાકપ્રીયતા એટલી હતી કે આજે પણ કા કાઈ ખુણેથી “ડેપ્યુટી”ના એદ્દાનું નામ “મેહેાલાલ” કોઇ વૃદ્ધ પુરૂષને મહાડેથી સાંભળવામાં આવે છે.
એમના મૃત્યુનો શેક દર્શાવવા ભરૂચના શહેરીએની મળેલી સભામાં થયલા ઠરાવમાંના પેન્શન લીધા પછી અમારા શહેરના દરેક જાહેર કામમાં અગ્ર ભાગ લઇ શહેરની સારી સેવા બજાવી છે.” શબ્દો એમની શહેરી તરીકેની કાર્કિદી દર્શાવે છે.
એમની કૃતિઓ :
૧ દેશાટણ.
૨ રસાયન શાસ્ત્ર.
( ૭ ભાષણેાની હારમાળા )
૩ સ્ત્રી કેળવણી.
૪ ઇલેકટ્રીક ટેલીગ્રાફ્
( વીજળીના કાસદ ) ( ભાષણેાની હારમાળા )
૫ ડેકપૂર મહાત્મ
૬ અખેગીતા.
૭ વલ્લભમૂળના ગરબા.
૮ ચેારાસી વૈષ્ણવની વાર્તા.
૯ નીતિએ।ધ કથા.
૧૦ મરેઠી અખર. એ ભાગ (સં. ૧૯૧૧ )
૧૧ એશીઆ ખંડની ભૂગેાળની સમજુતી.
૧૨ ઈંગ્લાંડના સંક્ષિપ્ત ઇતિહાસ.
આ સિવાય નીચેનાં પુસ્તકા સુધારીવધારી એમણે પ્રસિદ્ધ કરેલાંઃ—— દેશી હિસાબ.
ગુજરાતી-અંગ્રેજી કેાષ-કરસનદાસ મૂળજીકૃત.
બુદ્ધિવ ક સભાના ગરબા પણ એમણે છપાવી પ્રસિદ્ધ કર્યાં હતા.
Page #167
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
રા. સા. મયારામ શંભુનાથ ચરિત્ર
રાવસાહેબ મયારામ શંભુનાથને જન્મ, ગામ મેાતા, તાલુકે કડાદ જીલ્લે સુરત, ઇલાકે મુંબાઈમાં, સંવત ૧૮૮૬ના ચૈત્ર સુદી ૧૩, મુકાખીલ મા સને ૧૮૩૦ ઇસ્વીને રાજ થયા હતા. ( તારીખ, વારની ખબર નથી. ) એ જાતે હિંદુ (ગુજરાતી) માતાળા બ્રાહ્મણ (મેાતા ગામ ઉપરથી માતાળા બ્રાહ્મણ નામ પડયું હોય એમ લાગે છે. ) એમના પૂર્વજો સારા કુટુંબના તથા વિદ્વાન હતા, અને ધકૃત્યના કામમાં ઘણા કુશળ હતા. એમના દાદા, ભાઇદાસ, એમના વખતના ગામના નાના તડના તડવાઈ પટેલ હતા, અને તેમનું સારાકુળ એટલે શામકુળમાં ભારદ્રાજ ગોત્રીની કન્યા દુધીદેવી સાથે લગ્ન થયું હતું અને તેમના પિતા શંભુનાથ કાવ્યમાં એટલા તેા કુશળ હતા કે આધે આવેના વિદ્યાર્થીએ તેમની કીર્તિ સાંભળીને તેમની પાસે વિદ્યાભ્યાસ કરવા આવતા. એ શંભુનાથ એવા ગુણી અને શાંત સ્વભાવના હતા કે એમને સામેથી કોઈ એ પત્થર મારી આંખ ફાડી નાંખી, તાપણુ તેની ઉપર ફરિયાદ કે કાંઈ દુર્ભાષણ કર્યાં વગર બેસી રહ્યા અને ખેાલ્યા કે થવાકાળ થયું એમાં બીજાને વાંક નથી. વળી તે એટલા શરમાળ હતા કે તેમની વિદ્વતા જોઇ તેમને પુણામાં ગૃહસ્થાને ત્યાં કથા પુરાણ કરાવવા તેમના સગા સ્નેહી લેઇ ગયા; ત્યાં મેઢામાંથી ભાષણ પણ પુરેપુરૂં થતું નહતું, એ કામમાં પાર પડયા નહિ, ત્યારે પોતાના જજમાનનાં ગામ રાજપરામાં પેાતાની ઉદરપાષણ વૃત્તી જીવતાં સુધી તેમણે ચલાવી. તેમના સ્વભાવ તેમની વાક્ય સિદ્ધિ તથા નિભતા તથા દાન પ્રતિગ્રહના અનાદરની વાતા હજી સુધી તેમના જજમાનામાં ચાલે છે. તેમનું લગ્ન ભારદ્વાજ ગોત્રમાંના મેટા કુલીન શીવદત આણુ દભટના દીકરા મયાભટની વચલી દીકરી નામે કાશી વેરે થયું હતું.
રા. સા. મયારામ એ કાશીની કુખે આઠ છેાકરાંઓમાંના સૌથી નાના દીકરા ઘણી દીલગીરીની વેળાએ જન્મ પામ્યા હતા. એમના જન્મ સમયે એમની એન નામે પ્રાકાર જે આશરે આઠ વર્ષની હતી, તે તરતજ રાંડી હતી. તેથી સઘળા નાતના લોકોમાં તથા તેમના કુટુંબમાં રડાપીટ ચાલતા હતા. તેથી એમની માનેા એમના ઉપર બહુજ તે વખતે અનાદર હતા, અને તે એમને પુરેપુરૂં ધવરાવતાં પણ નહિ. અને તેમનું ધે ડીગ અહાર વાડામાંજ પડી રહેતું હતું, કેાઈ દરકાર રાખતું ન હતું. તેથી પાડાપડેશી ધવરાવતાં, અગર નિહ તા એમની મા જે છેાડી રાંડયાને લીધે ખુણે રહેતાં
ફર
Page #168
--------------------------------------------------------------------------
________________
. સા. મયારામ શંભુનાથ ચરિત્ર
તેમની પાસે લઈ જઈ કહેતાં કે, કાશી આને એકવાર તે ખોળે લે? અને ધવા. ત્યારે તે દુઃખનું દૂધ ધવારે, અને ઘણીખરી વાર તે એમની મેટી બેન લખમી જેમને તે વખતે મંછારામ નામને છોકરે વરસેકને થએલે હત, તે ધવાડતી. એટલું દુઃખ છતાં પણ તેમના પીતા શંભુનાથને સ્વભાવની રીત પ્રમાણે બીલકુલ એમને અનાદાર નહોતો. એ ઘરમાં દુખને રડાપીટને લીધે પિતાના જજમાનાના ગામમાં ઘણાખરા રહેતા, તેથી મયારામને જન્મ સમયે પણ ઘેર નહોતા. તે જ્યારે ઘેર આવ્યા ને છોકરાના જનમની વાત સાંભળી, ત્યારે તેઓ જોતિષ્ય પણ સારું જાણતા હતા તેને લીધે કે અનુમાનથી કે, વાક્ય સીદિથી કહેવા લાગ્યા છે એ છેક મેટે કુળદી તથા પરાક્રમી નિકળશે. દુઃખના દિવસમાં જન્મ થયો તેથી એમના કોઈએ જન્માક્ષર પણ કરાવ્યા નહિ. એ કુળનું આદીનામ ઉપાદ્યા, પણ શંભુનાથ તથા ભાઈદાસ વ્યાકરણ, પુરાણ, તથા કાવ્ય ભણ્યા હતા, તેથી ભટની અટકે ઓળખાય છે.
૩. જન્માક્ષર નહિ તેથી જન્મરાસીનું નામ ન પાડતાં ૧. લી કલમમાં લખેલા એમની માના બાપ મયાભટનું નામ લેણું રાખવા એમનું નામ મયારામ પાડયું. એમના માઠા ભાગે કે ઈશ્વર ઈચ્છાએ, પિતે ત્રણ વર્ષની ઉમરે પહોંચતાં પહેલાં એમના ભેળા પીતાને કાળ થયે. તેથી સઘળો ઘરખટલો એમની માની ઉપર આવી પડે. કેમકે એમના મોટાભાઈ દીનાનાથ, જે હાલ ભૂજદરબાર સગીર રાજા તથા ફટાયા કુંવરના વિદ્યાગુરૂ છે, તેમની ઉમર તે વખતે છ વર્ષની હતી. એટલે પાંચ માણસના વિસ્તારી કુટુંબને આધાર જજમાન વૃત્તિ ઉપર આવી પડે. કેમકે ભાઈદાસ ભટના વારાનું જે કાંઈ થોડું ઘણું સંચીત દ્રવ્ય હતું તે એમના કાકા ત્રીકમભટે ગામ ઇજારે રાખ્યાં હતાં તેમાં તથા ઊઘરાણી ડુબી ગઈ તેમાં ગુમાવી દીધું. પણ એમની માની બુદ્ધિ, ચતુરાઈ, ડહાપણુ, તથા કરકસરથી કુટુંબનું પિષણ જજમાન વૃત્તિ ઉપર ચાલ્યું. એટલું જ નહિ પણ છોકરાઓને જનોઈ વગેરે ખરચ કરતાં પણ સગાઓની ભીડ વખતે મદદ થવાય એટલું દ્રવ્ય સંચય થયું. મયારામને જોઈ સાત વર્ષે આયું, અને નાતની રીત પ્રમાણે પિતાનું મોટું તડ જમાડી બ્રહ્મભોજન કર્યું હતું.
રા. સા. મયારામની ઉમર પાંચ વર્ષની થઈ, એટલે તે હોંશે હોંશે. પિતાના વડાભાઈ દીનાનાથની સાથે ગામની સરકારી નિશાળે જવા લાગે છે અને એવી તે છાની રીતે શિખ્યા કે નિશાળના મેહેતાજી નરભેરામ જેશંકર
Page #169
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
જે એમના બનેવી ( એમની મેાટી મેન લખમીના વર ) થતા હતા, તેમની આગળ છ વરસની ઉંમરે આંક પુરા કરી પ્રથમ દેખાડવા ગયા, ત્યારે બહુ આશ્ચર્ય પામ્યા, અને શાખાસ મયારામ કરી મેલ્યા. જ્યારે સાતમે વર્ષે જનોઈ આપ્યું, તે વખતે છેકરા શા ધંધા કરશે એવું જોવાને રીત પ્રમાણે પાસે ત્યાં કલમ, પેથી, અસ્ત્રો, હળ, ચપુ વગેરે મુકી તેમાંથી મરજી આવે તે ઉચકવાનું કહેવામાં આવે છે, તે પ્રમાણે મયારામે તેમાંથી પોથી ઉચકી, એટલુંજ નહિં પણ ત્યાં બેઠેલાં સ્ત્રી પુરૂષો સમક્ષ તે બ્રાહ્મણી અક્ષર ધર્મ ગુરૂને વાંચી સંભળાવ્યા. એટલી ભણુવામાં ચપળતા હતી. એ વખતથી તેમને વિદ્યાભ્યાસને આરલ થયા. વરસ ત્રણેક સરકારી નિશાળમાં પોતાના બનેવી પાસે ભણ્યા, એટલે મહેતાજીને વધારે કેળવણી આપવા માટે કેળવણી ખાતાની ખેડે મુંબાઈ એલાવ્યા. તે નિશાળ તે આવે ત્યાંસુધી બંધ કીધી. એટલે મયારામને એક ગામડી મહેતાજી ( જેને માર સાંભળી મયારામને કમકમી આવતી) તેની નિશાળે મૂકવા માટે તે મહેતાજીને મયારામની માને બહુ આગ્રહ થવા લાગ્યા. અને તે મુકવાની તૈયારીમાં હતાં, પણ તે ઘરમાં મસ્તી તોફાન કરતા નહીં, તથા તેમની માના કહ્યામાં રહેતા, અને ઘરનું કામકાજ કરતા, તેથી તથા ગામમાં તે બ્રાહ્મણીઆ વિદ્યા શિખતા, તથા સરકારી નિશાળ પાછી જલદી ઉધડશે એવી વદતા ચાલી, તેથી મયારામના કહેવાને અનુસરીને તેમની માએ તેમને ગામઠી નિશાળે મુકયા નહિ. નહિ તે। મયારામના ભાગજ મળ્યા હોત. તે મહેતાજીના નામથીજ ત્રાસ વરતી રહ્યો હતા. અને મયારામ તે કહેતા કે, જીજી મને અધ્યારૂની નિશાળે ન મુકીશ, હું જ્યોતિષનું ભણવા માંડું, તેથી તેમ કરવા માંડયું. તે પહેલાં બ્રાહ્મણીઆ, સધ્યાપૂજા, વૈશ્વદેવ, મહીમન, રૂદ્રી, અધ્યાય, શ્રાધ એટલા ગ્રંથા શીખ્યા હતા. એમની માના મનમાં એમને જોતીષ્ય ( જોષીનું ) શીખવવાનું હતું, તેથી તેમણે બાર વરસની વયમાં, સારૂહાર ગ્રહગોચર, અને જાતિકચદ્રિકા એવા ત્રણ ગ્રંથ નૈતિષ્યનાનું અધ્યયન કર્યું. એ અરસામાં તેમની હુશીઆરી તેમના ગુરૂએના મનમાં એટલી તા આવી કે તેએ, એ પાસે તે દરરાજ ૪ ક્ષેાક સારાદ્વારના શિખે, તે ખીજે દિવસે મયારામ ખેલી જઇ બરાબર અર્થ સાથે કરી બતાવે, તેથી તે આશ્રયં પામતા. એક સારાહારના ગ્રંથ શીખ્યા પછી બીજો ગ્રંથ શીખ્યા, પણ તે એટલા તેા કઠણ હતા કે, શાસ્ત્રીની મદદ વગર શીખવી શકાય
૬૪
Page #170
--------------------------------------------------------------------------
________________
રા. સા. મયારામ શંભુનાથ ચરિત્ર
નહિ. માટે તે જોશીએ કહ્યું કે આ ગ્રંથ મારાથી નહિ શીખવાડાય. માટે દુલ્હરામ જોશી પાસે જાએ. તેને દાદો શાસ્ત્રી છે તે અર્થે બેસાડી તમને શીખવશે. તેમની પણ મયારામે શાબાશી મેળવી, અને તેને એટલા સંતાષ પમાડયા કે, પાછળથી મયારામને પેાતાની કન્યા આપવા તત્પર થયા, પણ તેમના મોટાભાઇ દીનાનાથનાં લગ્ન થયાં નહોતાં તેથી એ વાત પડતી રહી. સરકારી નિશાળના મહેતાજી મુંબઇથી પાછા તે ગામ ગયા કે સરકારી નિશાળે જવાનું મયારામે શરૂ કર્યું. તેમાં ૧૩ વરસની ઊમરમાં ગુજરાતી સંપૂર્ણ અભ્યાસ વ્યાકરણ, ભૂગાળ, ઇતિહાસ ગણીતમાં વર્ષાંસમિકરણ સુધી કયેર્યાં, અને જોતિષમાં જાતિકચંદ્રિકા ગણીતના આરંભ થયાની તૈયારી હતી, તે દરમ્યાન મયારામની બુદ્ધિ વિશે ગામના વિદ્વાનામાં બહુ વખાણ થતાં, તેથી એક શાસ્ત્રીએ કેટલાક વ્યાકરણના પ્રશ્ન તેમને પુછ્યા તેના ઉત્તર (પોપટીયા) એવા સરસ તેમના ધ્યાનમાં ઉતર્યાં કે તેમણે પેાતાના દોસ્તદાર જે મયારામનેા મેસીઆઈ ભાઈ હતા તેને ભલામણ કરી કે કાશીકુઇને કહી એમને ભટનું (શાસ્ત્રીનું) ભણાવેા. એ બહુ હેાશિઆર નીકળશે, પણ એમની ઉંમર નાની તથા માના પ્રેમ પણ દહાડે દહાડે બહુ થયેા, તેથી પોતાની આંખ આગળથી વિદ્યાભ્યાસ માટે બહાર કાઢવેા, એ એમની નજરમાં દુરસ્ત ન લાગ્યાથી કે જ્યેાતિષની કામ જેટલી વિદ્યા ઘેાડા કાળમાં પ્રાપ્ત થાય અને પેાતાના જજમાન વૃત્તિનું કામ જલદી જલદી કરવા લાગે તે પોતાને માથેના ખેો જાય, એવા હેતુથી જ્યેાતિષનું તથા નિશાળનું ભણવાનું એમની માએ જારી રખાવ્યું. એ પ્રમાણે ચાલતાં ચાલતાં સને ૧૮૪૩ના જાનેવારી માસમાં મુંબઈની એલપીનસન કોલેજ તથા પ્રેફેસર મી. દ્વારકનીસ જે ગુજરાતી સરકારી નિશાળાના ખેા એફ એજ્યુકેશન તરફથી સુપરીન્ટેન્ડેન્ટ હતા, તેએની સ્વારી શ્રી મેાતામાં પરીક્ષા લેવા આવી, તેની સાથે ઈન્સ્પેક્ટર રહેાડલાલ ગીરધરભાઈ પણ હતા, તે નિશાળની પરીક્ષા લેઇ એટલા ખુશી થયા કે મયારામને તથા મેહેતાજીના દીકરા મછારામને તબુએ ખેલાવી ઈનામ આપી તેમને મુંબઈ મેકલવા વાસ્તે મેહેતાજીને પુછ્યું, તેમણે મેાકલ્યાની હા કહી, તેથી તેમનાં નામ લખી લીધાં અને કહ્યું જે તેમને મુંબઈમાં ભણવા મેાકલજો, અમે તેમને પગાર આપી શીખવીશું એવું કહ્યું. અને તેમને ફરી હુકમ લખી તેડાવ્યાથી જુન માસમાં મુંબાઈ ગયા. ત્યાં વરસેક શીખ્યા, અને સન ૧૮૪૪માં ખીજા મેહેતાજીએ સાથે પરીક્ષા આપી, તેમાં નંબર ૧લે આવ્યા. પણ નાની ઉંમરને લીધે
૬૫
હું
Page #171
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
મેહેતાજીની જગ્યા મળી નહીં, અને સને ૧૮૪૬માં મેહેતાજીએને તૈયાર કરવા માટે નોર્મલ કલાસ નીકળે તેમાં શીખવા રૂ. ૫) ના પગારે ભયારામનું નામ નેધાયું. તેથી મી. હારકનીસ ઘણું ખુશી થયા. પણ તેમાં જે છોકરાઓ શીખવાને આવ્યા હતા, તેઓ ઘણું કાચા હતા, તેથી તેમને પેહેલેથી શીખવવાનું શરૂ કર્યું. તેમાં થોડા દિવસ રહ્યાથી મયારામને લાગ્યું જે આમાં વરસ ૧-૧ સુધી મારું અખેલુંજ શીખવવામાં આવશે, તેથી તેટલે વખત કટ જશે. તેથી મી. હારકનીસને કહ્યું કે અમારી અંગ્રેજી શીખવવાની ખુશી છે, માટે અંગ્રેજીમાં બેસવા પરવાનગી આપે, એ સાંભળી સાહેબ બહુ ગુસ્સે થયા, અને કહેવા લાગ્યા જે તમારે વાતે આટલી મહેનત કરી સરકારમાં લખ્યું તથા તમારે પગાર બાંધી આપે તે સઘળું પાણીમાં નાંખવાનું કરે છે? પણ મયારામે કહ્યું કે અમારાં બે વર્ષ ફોકટ જાય તેટલામાં તે અમો અંગ્રેજી બે ચાર બુક શીખીશું, તેથી સાહેબે નાખુશ થઈ અંગ્રેજી શીખવાની રજા આપી પણ કહ્યું કે તમને પગાર મળશે નહીં. તોપણ અંગ્રેજી શીખવાને વિચાર છો નહિં, અને શીખવાનું શરૂ કર્યું.
ખાધાપીધાને આધાર સન ૧૮૪૩ માં મુંબઈ આવ્યા પછી એમના મેસાઈભાઈ ઘેલાભાઈને ત્યાં રહ્યા તથા રસેઈપણ કર્યું. પણ ભણવું બરાબર નહી થયાથી ૧ વરસ પછી જુદા રહ્યા. અને ભણાવવા જતા ત્યાં રૂ. ૫) ને આસરે મહીને મળતા; તે ઉપર તથા ખુટતા રૂપીયા પિતાની મા પાસેથી મંગાવી અંગ્રેજી વર્ષ બેને સુમારે ભણ્યા, એટલે અંગ્રેજીમાં સન ૧૮૪૭ની સાલમાં રૂ. ૫) ને પગારે ગુજરાતી શીખવવામાં મેનીટર રહ્યા પછી સન ૧૮૫૦ ની સાલમાં આસીસ્ટંટ માસ્તર બે કલાક ગુજરાતી શીખવવાને અંગ્રેજી સ્કુલમાં રૂ. ૧૨) ના પગારે નીમાયા. અને અંગ્રેજી કેલેજની પ્રવેશક પરીક્ષામાં પાંચમે નંબરે પાસ થયા, અને રૂ. ૧૦) ના પગારની સ્કોલરશીપ મેળવી, ત્યાં કોલેજમાં વરસેક અભ્યાસ કરી ગુજરાતી મુખ્ય સ્કુલમાં મુખ્ય મહેતાજીની જગે સન ૧૮૫૧ માં રૂ. ૩૦) ના પગારે નમણુંક થઈ તે દરમ્યાન પણ સાહેબ લેકને ગુજરાતી શીખવતા તેને પણ પરચુરણ રૂ. ૨૫-૩૦ દર માસે પગાર મળતો. એ રીતે સન ૧૮૫૫ ની સાલ સુધી મુખ્ય મહેતાજીની નોકરી કરી. તે દરમ્યાન મી. હારકનીસ મયારામ ઉપર ઘણા ખુશી હતા અને તેઓ પિતાના પુત્ર પ્રમાણે ગણતા. છેલે કચ્છમાં થરપારકરના કલેકટરના હેડ આકોટની જગા રૂ. ૪૦) ના
Page #172
--------------------------------------------------------------------------
________________
ર. સા. મયારામ શંભુનાથ ચરિત્ર
પગારથી મળી તે કબુલ કરી, તેથી મી. હારકનીસ સાહેબ ગુસ્સે થયા ને એક પગાર નહીં આપે (પછી તે મહીને નોકરીમાં ગણાય છે) સને ૧૮૫૫ માં મુનસફની પરીક્ષા નાનાભાઈ હરિદાસ સાથે આપવા ગયા, તેમાં સદર અદાલતના હારીસન સાહેબે નાની ઉંમર ગણી દાખલ કર્યા નહીં.
એજ સાલમાં રમતી કમાઈ જોઈ એક ઘર પિતાની છોકરીના નામનું લખાવી લેઈ ભટ કૃષ્ણારામ મોટા તથા તેમની સ્ત્રી લખમકુંવરે, વડાભાઈ દીનાનાથને પડતા મુકી પિતાની દીકરી રૂખમણી ૭ વર્ષની મયારામ વેરે લગ્ન કર્યા. (એ વખતને અનુસરી મયારામને તેમ કરવું પડ્યું) એ લગ્ન થયાથી કાંઈક કરજ થયું, તથા પોતાના વડાભાઈ દીનાનાથ (જે ભુજમાં મહેતાજી છે) તેની મદદ કરવી, એવા હેતુથી કચ્છમાં થરપારકરના કલેકટરના હાથ નીચે નોકરી કબુલ કરી ત્યાં ૧૫ વર્ષ શર્ટ સાહેબના હાથ નીચે સ્વારીમાં તથા ભૂજમાં નોકરી ક્ય પછી સન ૧૮૫૭ની સાલમાં મુનસફની પરીક્ષા આપવા માટે સાહેબની રજા માગી તે ન મળી, તેથી પરીક્ષાની મહેનત બંધ કરી.
ખબર મળી કે ખેડા વગેરેમાં ડેપ્યુટિ ઈન્સ્પેકટરની જગ્યા નવી નીકળનાર છે, તે સાંભળી મહેરબાન હોપ સાહેબને અરજ કરી, તેમાં હારકનીસ સાહેબ તરફથી મળેલું સરટીફીકેટ બીડેલું, તેથી તે સાહેબને હેપ સાહેબે પુછતાં રીતભાત ચાલચલગત હોંશિઆરીની માહિતી સારી મેળવી, અને ખેડા જીલ્લાના ડેપ્યુટિ ઇન્સ્પેક્ટરની જગા રૂ. ૭૫) ની તથા દરરેજ રૂ. ૨) ભથે એ રીતે તેમણુક કરી પ્રેબેસન રીતે આપી. તેમાં વર્ષ એક બરાબર હેશિઆરીથી તથા ચાલાકીથી નોકરી કરી એટલે બહાલ કર્યા. સન ૧૮૫૮ ની સાલમાં બુક કમીટિમાં મેમ્બર દાખલ નીમાયા. અને સન ૧૮૫૯ ના ફેબ્રુવારિ માસમાં ખાનદેશના ડેપ્યુટિ ઇન્સ્પેકટર દાખલ નમણુક થઈ ત્યાં ભાષા તથા લખાણ મરાઠી છતાં ઉપરી સાહેબ હોપ સાહેબની એટલી તે મહેરબાની થઈ કે પહેલે વર્ષે રાવસાહેબને કીતાબ ઇનાયત સરકાર પાસે કરાવ્ય, એ કીતાબ તેમની હૈયાતી સુધી તેમને રહે એવો ગયા જુન માસમાં (સન ૧૮૭૭ ના) ઈડિઆ સરકારનો હુકમ આવ્યો. બીજે વરસે. રૂ. ૧૫૦ ના પગારથી થાણના ડેપ્યુટિની જગા માટે તથા રૂ. ૩) દરરોજ ભથા માટે ભલામણ કરી, પણ પ્રથમની ભલામણ જગ્યા કાઢી નાંખવાથી તથા બીજી ભલામણ સરકારને સન ૧૮૫૭–૧૮ ના બંડના ખર્ચ બહુ થયાથી નાણુની તંગીને લીધે મંજુર થઈ નહીં. પણ હપ સાહેબે એક લેટર
Page #173
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
સમાધાન પમાડનારું લખ્યું. તે સંતેષ પામવા જેવું હતું. તેમાં લખ્યું હતું કે તમે તમારું કામ સારું બનાવ્યું, તેમ મારે જે કરવું તે હું કરી ચુક્ય, પણ મારા હાથમાં તે નહીં તે ન થયું, તેથી નાખુશ થશો નહીં, ને તમારું કામ ઢીલા પડ્યા વગર કર્યા જવું. છેલે સન ૧૮૬૧ માં ખેડાના ડેપ્યુટિની જગાએ રૂ. ૧૦૦)ના પગારે બદલી થઈ, તે વખતે હેપ સાહેબ ગવર્નરના પ્રાઇવેટ સેક્રેટરી હતા, તેમણે ત્યાંથી કાગળ લખ્યો હતો કે હું ખુશી થયે છું.
ખેડામાં વર્ષ ૧ ને સુમારે નોકરી કર્યા પછી કટીસ સાહેબે સન ૧૮૬૩ માં અમદાવાદ જીલ્લામાં ડેપ્યુટિ ઇસ્પેકટરની જગ્યાએ રૂ. ૧૨૫) ના પગારે બદલી કરી તે સન ૧૮૭૭ ના અગસ્ટ તા. ૨૪ સુધી રહી તે દરમ્યાન સન ૧૮૬લ્માં રૂ. ૧૫૦) અને સન ૧૮૭૧ માં રૂ. ૧૭૫) પગાર થયે, છેલે અરધુ પેનસિલ લઈ ઘેર બેઠા. તે પછી હાલમાં મુંબાઈમાં શેઠ ગે કળદાસ તેજપાળના ધર્મ ખાતાના સેક્રેટરી રૂ. ૧૦૦) ના પગારે છે.
સન ૧૮૬૩ ની સાલમાં એમની સ્ત્રી રૂખમણીને પેટે એક દીકરી થઈ અને સન ૧૮૬૬ માં એક દીકરાને જન્મ આપી ૧૧ મે દીવસે ગુજરી ગઈ. એ દીકરી ધીરજકુંવર તથા દીકરો મુગટરાય હયાત છે.
એ સ્ત્રી (રૂક્ષ્મણી) ગુજરી જવા પછી સન ૧૮૬૯ની સાલમાં બડી ધામધુમથી એરપાડમાં મહેતા પ્રાણજીવન આદીતરામની દીકરી મંછાકુંવર વેરે લગ્ન કર્યા. તે આખી નાતમાં દેદીપ્યમાન ગણાયા. રપાડ, મોતામાં લગ્ન કરવાનો વહેવાર નહત, તે આથી તૂટયો, અને લોકોમાં વાહ વાહ થઈ રહી.
દીકરી ધીરજકુંવરનાં લગ્ન ફોજદાર મહેતા ભવાનીપ્રસાદના દીકરા ચંદુલાલ (ભારદ્વાજ ગોત્રી) વેરે સન ૧૮૭૧માં, અને સન ૧૮૭૫માં દીકરા મગટરાયનાં ભારદ્વાજ ગોત્રીભટ કાશીરામ પ્રાણશંકરની દીકરી (રૂખમાણી) વેરે ઘણું ધામધુમ તથા શાબાશી સાથે કર્યો. અને જશ સારે મેળવ્યો છે.
એમની બીજી સ્ત્રીને સન ૧૮૭૫ની સાલમાં દીકરી અવતરી ગુજરી ગઈ. બીજી દીકરી સન ૧૮૭૬માં અવતરી ગુજરી ગઈ તથા ત્રીજી દીકરી સન ૧૮૭૭માં અવતરી ૧૫ વાસા જીવી ગુજરી ગઈ.
એ સન ૧૮૫૭ થી તે સન ૧૮૭૭ સુધી ગુજરાત, ખાનદેશમાં નોકરી કરી તેથી લોકો તથા સરકારની પ્રસનતા એટલી તે મેળવી કે ખેડા જીલ્લાના લકે તથા મહેતાજીઓ તથા અમદાવાદ જીલ્લાના કેટલાક લોકે તથા મહેતાજીએ તથા ખાનદેશ જીલ્લાના કેટલાક લોકો તથા મહેતાજીએ પોતાના મા બાપ ગુજરે તેમ તેમને છોડતી વેળા ડુસકે ડુસકા મેલીને રોયા. એટલા તે ભાયાળુ, મળતાવડા, ને પર ઉપકારી છે.
* “મયારામ વિજોગમાંથી ઉદધૃત.
Page #174
--------------------------------------------------------------------------
________________
રાવબહાદુર જમીયતરામ ગૌરીશકર શાસ્ત્રો
રાવબહાદુર જમીયતામ ગૌરીશકર શાસ્ત્રી
જમીઅતરામના જન્મ સને ૧૮૬૦ માં સુરતના ચોર્યાશી મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિમાં શાસ્ત્રી ગૌરીશંકર રામશંકરને ત્યાં થયા હતા. તે જમાનામાં ગુજરાતમાં સુરત સંસ્કૃત ભાષાના અભ્યાસ માટે ઘણું નામાંકિત થયું હતું અને તેથી તેને નાની કાશીનું ઉપનામ આપવામાં આવ્યું હતું. એ સમયે સુરતમાં ધર્મ, ન્યાય, વેદાન્ત ઇત્યાદી વિષયાના નિષ્ણાત શાસ્ત્રી, પંડીત પુરાણી વગેરે હતા. તેમાં ગૌરીશંકર અગ્રણી હતા. અને વેદાન્ત વાચસ્પતિ તરીકે જાણીતા થયા હતા. એમના ત્યાં વિદ્યાર્થીઓ રહેતા હતા એટલુંજ નહીં પણ દેશદેશના વિદ્વાના વડાદરા કે કાશી તરફ જતાં સુરત એમના દર્શનાર્થે આવી રહેતા હતા. ગૌરીશંકરને વડાદરા અને ભાવનગર રાજ્યાએ પણ મેલાવ્યા હતા અને સારે। સત્કાર કરી વર્ષાસન બાંધી આપ્યું હતું તેવીજ રીતે સુરત જીલ્લાના કેટલાએક જાગીરદારાએ પણ તેમને જાગીરા આપી તેમની વિદ્વતાની કદર કરી હતી.
ગૌરીશંકર માત્ર શુષ્ક વેદાન્તી નહેાતા તેમજ તેમનું જ્ઞાન પુસ્તકીઆજ નહોતું. તેઓ ખરા જ્ઞાની, ત્યાગી હાઈ જીવનમુક્ત દશાને પ્રાપ્ત કરી
શક્યા હતા.
આવા પવિત્ર પુણ્યશાળી પિતાના સમાગમના લાભ જમીયતરામને બહુ વખત રહ્યો નહીં. તેમના જન્મ પછી એ વ માંજ ગૌરીશકરનું અવસાન થયું પરંતુ એમના જે પુત્ર ગણપતરામના ઉપર ગૌરીશંકરના પવિત્ર જીવનની સચેાટ અસર થઇ હતી અને તેમની દ્વારા એ જીવનના સંસ્કાર જમીઅતરામ ઉપર પણ પડયા. તેમજ તેમના માતુશ્રીના ભેાળા, ભાવિક અને નિર્દોષ સ્વભાવની પણ અસર એમના ઉપર થઇ હતી. જમાઅતરામના માતુશ્રીની ઉમર હાલ લગભગ ૯૫ વર્ષ થઈ છે અને આખા કુટુંઅની ભાગ્યદેવી તરીકે એમના પૌત્ર રા. સા. ભૂપતરામ શાસ્ત્રીના ઘરમાં ખીરાજે છે.
એમને સ્વભાવ ઘણા મળતાવડા હતા અને તે જે જે મંડળમાં હોય તેમાં અતિપ્રિય થઈ પડયા હતા. આ વૃત્તિ એમને જીવનમાં ધણી ઉપયાગી થઈ પડી. પિતાના અવસાનથી બાળપણમાં પરાવલંબી રહેવું પડયું હતું તેમજ વિદ્વાન પિતા પુત્રને માટે વિદ્યા પ્રાપ્ત કરવા જેટલું પણ સાધન મુકી ગયા નહોતા એટલે વિદ્યાભ્યાસ પણ જાતકમાણીથી કરવાના હેાવાથી
૬૯
Page #175
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
એમને જીવનમાં ઘણી અડચણ નડી હતી પણ તે બધી ધીરજ અને ઉત્સાહથી રમતા રમતા દૂર કરતા હોય તેમ બીજાઓ જોઈ શકતા નહોતા.
જમીયતરામની બાલ્યાવસ્થા સુરતમાં બંધુઓની દેખરેખ નીચે પસાર થઈ હતી અને તેમને વિદ્યાભ્યાસ પણ ત્યાંજ થયે હતે. મેટ્રીક્યુલેશન પાસ થયા પછી એમને નોકરી કરવાની જરૂર પડી કારણ એમના મોટાભાઈને પગાર જુજ હતું અને આખા કુટુંબને બોજો વહોરવાનો હતો એટલે તેઓ આગળ અભ્યાસ કરવામાં મદદ આપી શકે એવું નહોતું. નોકરી કરતા જાય અને થોડા ઘણા પૈસા બચે તે વડે કલેજમાં જઈ ટર્મ રાખે અને પરીક્ષાઓ આપે અને પાછા નોકરી ઉપર આવે. સદ્દભાગ્યે એમને ઘણા સુશીલ અને સંસ્કારી પત્નિ મળ્યાં હતાં. તે પોતે શિક્ષિત નહોતા છતાં એટલા બધા ઉદાર દિલના, દીર્ઘદ્રષ્ટિ અને હિમતવાળા હતા. કે એમણે અભ્યાસ માટે પિતાના પલ્લાના પૈસા સ્વેચ્છાથી આપી દીધા હતા. આ પ્રમાણે કોલેજનો અભ્યાસ પુરો કરી સને ૧૮૮૬ માં બી. એ. ની પરીક્ષા પસાર કરી. તે પહેલાં જ કેળવણીખાતામાં દાખલ થયા હતા એટલે તે ખાતામાં એમની ઉત્તરોત્તર ચઢતી થવા માંડી. ભરૂચ, વલસાડ, સુરત, અમદાવાદ ઈત્યાદિ સ્થળે હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે કામ કરી ૧૮૯૩ માં છે. રા. ટ્રેનિંગ કોલેજમાં વાઈસ પ્રિન્સિપાલ નીમાયા. તે વખતે કોલેજના | પ્રિન્સિપાલ માધવલાલભાઈ હતા. તેમનો એમના ઉપર ખાસ પ્રેમ અને વિશ્વાસ હતો. ૧૮૯૯માં તે તેલંગ હાઇસ્કુલમાં હેડમાસ્તર નીમાયા. તે વખતના ઇન્સ્પેકટર બી. જે. જી. કવર્નટન હાઈસ્કુલનું ઇન્સ્પેકશન કરવા આવ્યા તે વખતે એમના કામકાજથી એટલા બધા ખુશ થઈ ગયા કે તેમને ઈન્સ્પેકટીંગ લાઈનમાં લેવાને વિચાર કર્યો અને થોડા વખતમાં એમના જ્યેષ્ઠ બંધુ રા. સા. ગણપતરામ વાનપ્રસ્થ થયા ત્યારે તેમની જગાએ અમદાવાદમાં ડેપ્યુટી એજ્યુઃ ઈન્સ્પેકટર નીમાયા. એમની કામ કરવાની પદ્ધતિ એવી સરળ અને વ્યવહારૂ હતી કે એમના કામથી વીરેક્ટર મી. ચાઈલ્સ અને ઇન્સ્પેક્ટરે કેવર્નટન અને લેરી ઘણા ખુશ થઈ ગયા અને તેથી ૧૯૦૪ માં નવી વાંચનમાળા કરવાને માટે જે કમીટી નીમવામાં આવી તેમાં ગુજરાતી તરફથી એમનાથી સીનીઅર બીજા કેળવણી ખાતાના અમલદારો હતા તેમ છતાં એમની પસંદગી થઈ. વાંચનમાળા લખવાનું કામ ઘણું કપરૂ અને જોખમદાર હતું તે એમણે ગુજરાતના અનેક સાક્ષર, શિક્ષક અને શાળાના સહકારથી સારી રીતે પાર ઉતાર્યું.
Page #176
--------------------------------------------------------------------------
________________
રાવબહાદુર જમીયતરામ ગૌરીશંકર શાસ્ત્રી
એ કામ પુરૂં થએ એઓ અમદાવાદના ડેપ્યુટી એજ્યુઃ ઇન્સ્પેકટર તરીકે પાછા આવ્યા. એ વખતે સરકારે એમના કામની કદર કરી રાવસાહેબને ખિતાબ એમને આપે.
સને ૧૯૦૮ માં સુરતના ડેપ્યુટી એજયુઃ ઇન્સ્પેકટર તરીકે એમની બદલી થઈ. જ્યાં જ્યાં એમણે કામ કર્યું ત્યાં ત્યાં એમના કામના સરકારે વખાણ કર્યા અને લોકપ્રિયતા પણ એમણે પ્રાપ્ત કરી. ૧૯૧૪ માં એ છે. રા. ટ્રેનિંગ લેજના પ્રિન્સિપાલ નીમાયા અને ૬ માસની અંદર ઉત્તર પ્રાંતના એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટરની માનવંતી પદ્ધી પ્રાપ્ત થઈ અને રાવબહાદુરને ખિતાબ મળ્યો. ગુજરાતી તરીકે આ જગ્યા મેળવનાર એ પહેલાજ હતા. એ જગ્યા ઉપર એમને ૫૫ વર્ષ પછી ૧ વર્ષ વધારે પણ આપવામાં આવેલો સને ૧૯૧૬ ની આખરે એઓ વાનપ્રસ્થ થયા અને થોડા વખત પછી પોતાના વતન સુરતમાં જઈ રહ્યા. ત્યાં એમને ફર્સ્ટ ક્લાસ ઓનરરી મેજીસ્ટ્રેટ નીમવાને કલેક્ટર મી. રોથીÒ ઈચ્છા જણાવી પણ એમણે આવી જંજાળ ન જોઈએ એમ કહી એ કામ લેવાની ના પાડી. પરંતુ ૧૯૧૯ માં સુરત મ્યુનિસિપાલીટીએ ફરજીઆત કેળવણી દાખલ કરવાનો ઠરાવ ત્યારે એમને કુલ કમીટીમાં સરકારે નિયુક્ત
ક્ય તેની ના કહેવાય નહી કારણ એ એક શહેરને માટે અગત્યની સેવા હતી. તેઓ નિયુક્ત સભ્ય હોવા છતાં સ્કુલ કમીટીના ચેરમેન ચુંટાયા. એ એમની લોકપ્રિયતા બતાવી આપે છે. અહિં એમને અનુભવ મ્યુનિસિપાલીટીને ઘણું કામ લાગ્યો, વિદ્યાર્થી શાળા અને શિક્ષકોની સંખ્યા લગભગ બમણું થઈ ગઈ. તે વખતે એમના બહોળા અનુભવથી કામ સરળતાથી પાર ઉતાર્યું. આ રીતે ઘણા અગત્યના કામમાં રોકાયા હતા ત્યારે ૧૯૨૧ ના જાન્યુઆરીમાં પાછળ ચાર પુત્ર, એક પુત્રી અને એક વૃદ્ધ માતુશ્રી મૂકી દેવલોક થયા. એમની બોટ સુરતને ઘણી લાગી અને શહેરીઓએ એક જાહેર સભા બેલાવી શક પ્રદર્શિત કર્યો.
ગરીબાઈમાં બાલ્યાવસ્થા ગાળી ઉચ્ચ કેળવણી લઈ ઉત્તર ભાગના એજ્યુકેશનલ ઇન્સ્પેકટર થવાનું માન પ્રાપ્ત કર્યું તે એમને સ્વાશ્રય, ખંત, કાર્યકુશળતા અને વ્યવહારિકતા દર્શાવે છે. એઓ હંમેશાં આનંદી અને ઉદાર સ્વભાવથી જેના જેના સંસર્ગમાં આવ્યા તેની પ્રીતિ સંપાદન કરી શક્યા હતા.
:: એમની કૃતિઓ :: ૧ જગતનો ઇતિહાસ. ૨ બ્રાહ્મણના સોળ સંસ્કાર.
૭૧
Page #177
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
જોશી સાંકળેશ્વર આશારામનું જીવનચરિત્ર
જોશી સાંકળેશ્વર આશારામનો જન્મ આશરે સંવત ૧૮૭૧ની સાલમાં થયો હતો. અને જાતે રાયકવાળ બ્રામણ હતા. જેશીજીને જન્મ અમદાવાદમાં રાયપુર દરવાજા પાસે હાલમાં જ્યાં મોરલીધરનું મંદીર છે તેમાં થયો હતો. એમનું અસલ ગામ વેહેલાળ નામે છે. આ વેલાળ ગામથી જોશીજીના બાપના બાપ નરભેરામ જોશી અહીં રહેવા આવ્યા હતા. ઉપર બતાવેલું મકાન ગાયકવાડ સરકારના સુબા કાકા સાહેબે જેશીજીના દાદા નરભેરામને રહેવા આપ્યું હતું. જેશી નરભેરામ કડીના ભલારાવ ગાયકવાડને ત્યાં નોકરીમાં જોશી તરીકે રહ્યા હતા. કડીવાળા મલ્હારાવે નરભેરામ જોશીને સીધાં બાંધી આપ્યાં હતાં.કડીવાળા મલ્હારાવ ગાયકવાડનું વડોદરાના ગાયકવાડ સરકારે ઈગ્રેજ સરકારની મદદથી રાજ જીતી લીધું ત્યારે નરભેરામ જોશીને કડીવાળા મલારા જે સીધાં બાંધ્યાં હતાં તે વંશપરંપરાનાં હોવાથી વડેદરા સરકારે રૂ. ૨૭૪) અંકે બસો થ્યોતેર જોશી સાંકળેશ્વરને મળતા હતા. જેથી સાંકળેશ્વરે સંસકૃતમાં કૌમદી સુધી વ્યાકરણ તથા ગણતમાં લીલાવતી સુધી અભ્યાસ કરેલો હતો. અને નવા લેકે બનાવી શકતા હતા જેશીજી ભુગોળ તથા ખગોળ શાસ્ત્ર જાણતા હતા. અને કેટલીક બાબતો રા. રા. ભેગીલાલ પ્રાણવલવદાસ જોશીજી મીત્ર હોવાથી તેમની પાસેથી શીખ્યા હતા. જોશીજી શેતરંજ રમવામાં બહુ ચતુર હતા. આ રમતમાં તે તે સામા માણસને પહેલેથી કહેતા કે આપ્યા દલથી તમને હું માહાત કરીશ. ઉસમલ્લી સુધી રમી જાણતા હતા. જોશીજી ઘડીઆળ રીપેર કરવાનું કામ નવાં ઘડીઆળ બનાવવાનું કામ જાણતા હતા. જોશીજીએ પહેલ વહેલું તીશશાસ્ત્ર જેમાં ચંદ્ર સુર્ય તથા બધા ગ્રહ ફરતા માલમ પડે તેવું ઘડીઆળ ભરૂચમાં સંગ્રહસ્થાનમાં મુક્યું હતું. તે વખતે આપણા કલેકટર સાહેબ મી. હોપ કરીને હતા. જોશીજીએ એક ઘડીઆળ ભાવનગરના રાજા સાહેબને બધા ગ્રહેવાળુ બનાવી આપ્યું હતું અને તેની કીમતના રૂા.૧૫૦૦) મળ્યા હતા. જોશીજી અમદાવાદ માં વરનાક્યુલર સોસાઇટીમાં થોડા દહાડા લેખ લખવાનું કામ કરેલું અને સેની નીબંધ તથા કીમયા કપટ નીબંધ લખેલા હતા. જેથી હાલમાં જે ભદ્રમાં ઘડીઆળ છે તે ઘડીઆળને ચાલુ રાખવાનું ઘણું વરશો સુધી કામ કરેલું છે. જેશીજીને કોટાના રાજાસાહેબે કોટામાં પ્રહ વેધશાળા હતી
કરે
Page #178
--------------------------------------------------------------------------
________________
જોશી સાંકળેશ્વર આશારામનું જીવનચરીત્ર
તેને સુધારવા માટે તેડાવ્યા હતા ત્યાં જતાં વચમાં ઉદેપુર આવવાથી ઉદેપુરમાં ઉતર્યા હતા અને ત્યાં રાણાજીને મેળાપ થયો. રાંણાજીએ આ ઘણા વિધ્વાન છે એમ સમજીને જોશીજીને દરોજના રૂપે આ ત્રણની સમુંદરાંણાજીએ કરી આપી હતી. જેથીજી કેટે પોચ્યા પછી એમના પુત્ર ભવાનીશંકરને કેલેરા થવાથી તે ગુજરી ગયો તેથી જોશીજી કેટેથી પાછા અમદાવાદ આવી ગયા. જોશીજીએ ઈજનેર તરીકે હાલ જ્યાં માધવભાઈની મીલ છે) ત્યાં જીન હતું ત્યાં નોકરીમાં હતા. જેશીજીએ પિતાની નાતની કુળદેવતા લલીતાંબાની ઉજાણ વૈશાક મુદ ૬ ને થાય તેથી રૂ. ૧૩૦૦) વ્યાજે મુકેલ તેના વ્યાજમાંથી આજ સુધી ઉજાણી નાત થાય છે. જેશજીએ વડોદરામાં ગણપતરાવ ગાયકવાડની વખતમાં દુભાશીયાની નોકરીમાં હતા. તેમની નોકરી ગાયકવાડ સરકાર પોતેશ્રી મુખે જે કહે તે રીસીડન્ટ સાહેબને કહેવું અને સાહેબ કહે તે ગાયકવાડ સરકારને કહેવું. આ વખતે ગોવીદરાવ રેઢીયા દીવાન હતા. જેશીજીના આ પ્રમાણે મીત્રો હતા. રા. રણછોડલાલ છોટાલાલ તથા રા. ભોળાનાથ સારાભાઈ તથા રા. મહીપતરામ રૂપરામ તથા શેઠ માયાભાઈ પ્રેમાભાઈ તથા શેઠ જેસંગભાઈ હઠીસંઘ, શા. અચરતલાલ ગીરધરલાલ વેરાગી, તથા શા. દામોદરદાસ મેહેલાલ શેધન, તથા નગીનદાસ પ્રેમચંદ પતાસાની પળવાળા. જેશી છેવટની વખતમાં ધ્રાંગધ્રાના મહારાજા રાજસાહેબ માંનસીહજીને ત્યાં નોકરીમાં રહ્યા હતા અને માહારાજા રાજસાહેબે જેશીઓને પગારના માસ એકના રૂા. ૭૫ પંતેર તથા દરરોજનાં પાંચ સીધાં બાંધી આપ્યાં હતાં અને દશ વરસ ત્યાં રહ્યા હતા અને રાજસાહેબ બહુ માન રાખતા હતા. છેવટે જેશીજીએ પિતાની મીલકતનું એક વૃઇલ કર્યું હતું તે વઈલમાં આશરે પચીશ હઝારની મીલકત મુકીને સંવત ૧૯૪૬ ના ભાદરવા વદ ૭ દેવલોક થયા. અને પિતાની પાછળ કુટુંબમાં તેમની સ્ત્રી તથા પોતાના પુત્રની સ્ત્રી મુકી ગયા છે. પોતે જે વૃઇલ કર્યું છે તેમાં મુખ્ય ત્રષ્ટી તરીકે રણછોડલાલ છોટાલાલ તથા માધવલાલ રણછોડલાલ તથા ગેપીલાલ મણીલાલ તથા જયાનંદ જેશંકર વીગરે અગીઆર ત્રષ્ટીએ કરેલા છે અને બધી મીલકત બ્રામણ ભેજનમાં વાપરવાની નકી કરી ગયા છે. આ બધી હકીકત જોશીજીની પાસે રહેનાર હું જયાનંદ જેશંકર જેટલો વાકેફ હતા તેટલી જણાવી છે. તા. ૧૮-૩-૩૩.
Page #179
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી :
ગણપતરામ રાજારામ ભટ્ટ
મારે જીવન વૃત્તાંત. મારું જીવનવૃત નોંધ લેવા ગ્ય, લોકોને ઉદાહરણ આપવા જેવું હોય એમ બહુધા હું માનતો નથી. જગતમાં કોઈ પણ અધિપતિ, આધકારી વા વિદ્વાન પડે છે ત્યારે તેને માટે જે હેહા થાય છે, લખાય છે તથા તેના ગુણનાં ગીત ગવાય છે તેને હું પાણીમાં પથરે પડયા જેવું લેખું છું. ખરું જોતાં છે પણ તેમજ; કેમકે એ બધું થડા વખતમાં શમી જાય છે, અને પછી કોઈ તે તરફ દૃષ્ટિ કરતું નથી. એથી વખત જતાં તેનું નામ પણ વિસરાઈ જાય છે. આથી મહાજનને માટે જોઇશું તે તેમનાં કામજ સતત તેમનાં નામ લોકના સ્મરણમાં રાખનારાં છે એમ મારું માનવું છે. મારે માટે તેવું બહુ નથી. તે પણ જે યત કિંચિત હશે તે તેથી જ હું લોકસ્મરણમાં રહીશ; છતાં આપની ઈચ્છા છે તે કાળક્રમ પ્રમાણે મારે વિષે સારમાં હું નીચે પ્રમાણે નિવેદન કરું છું.
હે જ્ઞાતિ રાયકવાળ બ્રાહ્મણ, કૌશિક ગોત્રી, યજુર્વેદી, માધ્યદિની શાખાનો છું. મારો જન્મ સંવત ૧૯૦૪ વૈશાખ વદી ૬ છઠ બુધવારે અમદાવાદથી છ કેશને અંતરે આવેલા ઝાણું ગામમાં થયો હતો. મારી માતાનું નામ મહાર અને પિતાનું નામ રાજારામ હતું. પિતાનું નિવાસ સ્થળ ભરૂચ જિલ્લામાં આવેલો આમોદ કઓ હતું. ઝાંણું મારું મોસાળ હતું. મારી માતા અને ત્રણ વર્ષને મૂકી પહેલી વીશીમાં જ પરલોક પામી હતી, પણ તે પછી તેની ખોટ પીતાએ પૂરી હતી. મારાં માતા સાથે તેમને લગ્નસંબંધ બીજી વાર હતો, સંતતીમાં માત્ર હુંજ હોવાથી પિતાનું તન, મન, અને ધન તે, મને જ ગણતા; અને તેથી મારું લાલન પાલન કરવામાં કસર રાખતા નહોતા. જંબુસર કચ્છના એક શેઠીઆની ગુમાસ્તી તે કરતા અને કપાસ લોઢાવવાને ધંધો ચલાવતા. સ્વભાવે ઉગ્ર, જીવના ઉદાર અને મનના ભોળા તે હતા. જો કે બાળપણમાં તે મારા કોડ પૂરતા તો પણ મેટો થતાં જતાં મારા ઉપર ધાકની છાપ પાડવા સેટી સંભાળતા હતા. હું ગામઠી નિશાળમાં સાત વર્ષની ઉમરે જ થયો એવામાં મને મારા પિતા ઘેર આંક ગોખાવતા હતા. દોઢ બે વર્ષ ગામઠી શાળામાં અભ્યાસ કરાવી અને તેમણે સરકારી શાળામાં મૂક્યો. પિતે વૃદ્ધ થયેલા
Page #180
--------------------------------------------------------------------------
________________
ગણપતરામ રાજારામ ભટ્ટ
હાવાથી, માંદા સાજા ચાલવાથી નવ વર્ષોંની વયે તેમણે મારૂં લગ્ન કરી નાખ્યું.
આમેદની સરકારી ગુજરાતી શાળામાં ચારેક વર્ષ અભ્યાસ કર્યાં પછી રૂા. ૩જીની સ્કાલરશીપ મળવાથી હું સન ૧૮૬૨ ની સાલમાં અંગ્રેજી અભ્યાસ કરવા સુરત ગયા, અને ત્યાં ગોપીપૂરા બ્રાંચ સ્કૂલમાં દાખલ થયા, જ્યાં હેડમાસ્તર રા. સા. નવલરામ લક્ષ્મીરામ હતા. સૂરતથી દોઢેક માસમાં મે માસની રજા પડતાં હું ધેર આવ્યા. સૂરતમાં રહેવાની અનુકૂળતા તથા ખાનપાનની જોગવાઇ ઠીક ન હેાવાથી હું કેંદ્રમાંથી છૂટેલા કેદી જેવા દુર્ગંળ થયા હતા, એથી મારા પિતાએ ફરી મને ત્યાં મેકલવાનું માંડી વાળ્યું. મારા પિતા ત્રણ મળે તેરનું જોર કરે એવા હતા. તેમના શેાખી સ્વભાવથી તે “ રાજારામ ભાઉ” કહેવાતા; ભાઉ સાહેબે કહેવાતા જેમ “ ભરમ ભારી ખિસ્સા ખાલી ” હાય છે, તેમ તેમને થયું હતું. આથી તંગી રાખવા અને દેવું વાળવા તેમણે કપાસના વ્યાપારના સટ્ટો કર્યાં, જેમાં, “ લેવા ગઈ પૂત અને ખાઈ આવી ખસમ જેવું તેમને થયું. વૃદ્ધાવસ્થામાં તેમની આ દશા થવાથી અભ્યાસમાં આગળ વધવાની આશા મેં માંડી વાળી, અને સન ૧૮૬૫ના ફેબ્રુઆરીમાં રૂા. ૧૦) ના આસિસ્ટંટ મહેતાજીની નેકરીમાં સીતપેાણ ટંકારીઆ ગામની નિશાળમાં જોડાયા. ત્યાંથી પાંચેક મહિના પછી રૂા. ૭) ની સ્કાલરશીપ લેઇ હું જુલાઈ માસમાં સુરત ટ્રેનિંગ સ્કૂલમાં દાખલ થયા.
હવે હું પૂર્વાવલોકનમાં મારી ખાલ્યા અને કિશારવય તરફ જરા દિષ્ટ કરાવીશ. નાનપણથીજ હું રસીક, પ્રેમી અને વાચાળ હતા. ગામમાં માણભટ્ટ ભારતની કથા કરવા આવતા તેમની ભારત કથા ભાવથી હુ એકાગ્ર ચિત્તે બહુ પ્રેમથી સાંભળતા, અને રાત્રિએ જે સાંભળ્યું હોય તે મારા સંબંધી કે પાડેાશીને દિવસે વ્યાસની રીતે થાડું ઘણું ગાઇ સંભળાવતા હતા. બાળપણથીજ મને કવિતાના છંદ હતા. ચોથી ચેપડી શીખતે હતા ત્યારે તે ચાપડીમાંની લેાભીયા બ્રાહ્મણની વાત કવિતામાં સ્લેટમાં લખીને મે મારા સાબતીને બતાવી હતી; તથા તેજ રીતે સાતમી ચેપડી શીખતા હતા ત્યારે મગા પાર્કની વાત કવિતામાં લખી ચેાપડીમાં રાખી હતી. સેાળ વર્ષની વય પછી મિત્રા સાથના પત્ર વહેવાર બહુધા કવિતામાં ચલવતા હતા. હું ઉદ્યોગ કે બુદ્ધિ જેનામાં દેખું તેને બહુ ચહાતા. નાનપણમાં આવી ચાહનાનું પાત્ર મારા મિત્ર રા. સા. ગણપતરામ અનુપરામ
૧૫
Page #181
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
જે રાજકોટ ટ્રેનિંગના પ્રિન્સિપાલ અને જુનાગઢ કેળવણી ખાતાના ઉપરી આધકારી થયા હતા તે હતા. હું રમતો રમવાનો છંદી નહતો, પણ તે જોવાનો બહુ રસિ હતો. ગિલ્લી દંડા, ભમરડા તથા લખોટીઓની રમત માત્ર હું જોતો, પણ રમત નહિ; તે પણ સારા રમનારના દાવ ખેલ દેખી બહુ ખુશ થતા, મારા મોટા માસી માનબાઇનો પ્રેમ મારા ઉપર બહુ હતું, અને તેમનો પુત્ર રામચંદ્ર જે મારાથી વર્ષ મોટો હતો ને મારે બાળપણને સાથી હત; તે પણ કવિતાને શકિન હત; બેઠી બાંધણીની કુહલ (કૌતુહલ) ઉપજે એવી કવિતા તે બનાવતો, જે પાંત્રીસેક વર્ષની વયે કાળવશ થયા હતા.
સૂરત ટ્રેનિંગમાં હું દશ માસ રહ્યો, જ્યાં નિબંધે રચી વાંચવાને ધારે હેડમાસ્તર નંદશંકર તુળજાશંકરે કાઢયો ત્યારે તેમના માન્યા પ્રમાણેનો “ સુલેહ ” વિષે નિબંધ મેં લખી વાંચ્યું હતું, તેથી તેઓ પ્રસન્ન થયા હતા; વાર્ષિક પરિક્ષા વખતે ઈન્સ્પેકટર ટી. બી. કટિંસ ભારે મુખે કવિતાને મુખ પાઠ સાંભળી એવા તાનમાં આવી ગયા હતા કે, પરીક્ષા વખતે બેઠેલા સભ્ય રા. સા. મોહનલાલ રણછોડદાસ આદિએ પિતાના મુખે રૂમાલ ધર્યા હતા. એ સમયના અભ્યાસનાં ધારણ હમણાના જેટલાં ઉંચા નહોતાં. એવી ઉઘડેલી નિશાળોમાં–મહેતાજીઓની તાણ ઘણી હતી, તેથી પ્રાથમિક શાળાઓને યોગ્ય શિક્ષક તૈયાર કરી નોકરી આપતાં હતા. આ કારણથી જોઈએ તેવી ઉંચી કેળવણીને લાભ મને મળે નહિ.
મહેતાજીની નોકરીમાં હું તા. ૧ લી જુન સન ૧૮૬૬ માં જોડાયો. આમોદ તાલુકાના ઈખર ગામમાં રૂા. ૧૫)ના પગારમાં મહેતાજી થયા, ત્યાંથી વર્ષ દિવસમાં એજ તાલુકાના સરભોણ ગામમાં મારા વતન પાસે રૂા. ૧૮) માં બદલી થઈ, અને ત્યાંથી સન ૧૮૬૮ના નબરમાં રૂા. ૧૫) માં દહેજ બંદર બદલી થઈ. પગારની વધઘટનું કારણ ઉપરીની કદરદાની અને શાળાની સ્થિતિને અવલંબી રહ્યું હતું. આ વિષે વિવેચનની અત્ર જરૂર નથી. મુખ્ય ડેપ્યુટી રા. સા. મેહનલાલ રણછોડદાસે ઉન્નતિમાં આપ્યો, અને તેમના પછીના આસિસ્ટંટ ડેપ્યુટી પ્રાગજી વલ્લભભાઈએ અવનતિમાં તાણ્યો. દહેજ ગામ મારા વતનથી દૂર દરિયા પાસે એકાંતમાં હતું, ત્યાં જવાથી હું અશાંત થયો હતો, અને મારું મન શોક નિમમ મારી દૈવ્ય સ્થિતિને લીધે હતું. એવામાં એ વર્ષના ડિસેમ્બર માસમાં ભરૂ
Page #182
--------------------------------------------------------------------------
________________
ગણપતરામ રાજારામ ભટ્ટ
ચમાં સંગ્રહસ્થાન ઉઘડવાનું હતું, તે જોવા હું ત્યાં ગયો હતો, તેવામાં દુર્દવે જગે ગુમડું થઈ આવવાથી સંગ્રહસ્થાન જેવાને જગ આવ્યો નહતો, તોપણ બહારની બધી રચના જોઈ હતી. સંગ્રહસ્થાન વિષે ત્રીશ પૃષ્ટ “ બુદ્ધિપ્રકાશ” નાં ભરાય એવો નિબંધ રચનારને રૂા. પ૦) નું ઇનામ આપવાની જાહેર ખબર એ વખતે એજ્યુકેશનલ ઇન્સ્પેકટર કર્ટિસ સાહેબે બહાર પાડી હતી. દહેજ આવ્યા પછી તે નિબંધ મેં આઠ દિવસમાં રચી મોકલ્યો હતો, પણ તેનું ફળ મને પ્રાપ્ત થયું નહોતું. દહેજમાં ભરૂચનાં કલેકટર સાહેબને મુકામ આવે ત્યારે એ નિબંધ તેમના કચેરી મંડળ આગળ વાંચવા જોગ આવવાથી મેં તેમની કવિતાઓ સંભળાવી જેથી શ્રોતા મંડળ ખુશ થયું હતું, પણ મને એ નિબંધનું ફળ નહિ મળેલું જાણી જ્ઞાતા પુરૂષો આશ્ચર્ય પામ્યા હતા, પણ એમાં આશ્ચર્ય જેવું હતું નહિ, કેમકે નિબંધ સંગ્રહસ્થાનને લગતી હકિકત, તેનો પૂર્વાપરને ઈતિહાસ જાણવાને હેતુને માગ્યો હશે અને મેં તે જે જેએલું તે ગદ્યપદ્યમાં લખ્યું હતું. વીસ વર્ષની ઉમર સુધીમાં એટલે કાચી વયમાં હું - ઈખર સરભોણમાં મહેતાજી તરીકે રહેશે ત્યાં આસિસ્ટટોમાં મારું વજન પડેલું તથા ગામ લોકના મનમાં મારી સારી છાપ પડેલી મેં જોઈ હતી. વયોવૃદ્ધ ડાહ્યા પુરૂષો મારી કવિતા આદિના વાંચનથી ચહાતા અને માન આપતા હતા, તથા જુવાનિયા મારા ઉપર સારો સ્નેહ રાખતા હતા. દહેજ ગામમાં આવ્યા પછી પણ તેવુંજ જોવાયું, અને ત્યાં વિશેષ રહેવું થવાથી ગામના લોકોને તથા ગામના ઠાકોરને બહુ સ્નેહ થયો હતે.
જો કે ટ્રેનીંગ સ્કુલમાં મને ઉંચી કેળવણી મળી નહોતી, તે પણ નોકરી મળ્યા પછી અભ્યાસી જેવી જીંદગી ગુજારી હું મારા જ્ઞાનમાં વૃદ્ધિ કરતો રહ્યો હતો. જેમાં સંસ્કૃત તથા અંગ્રેજીનો અભ્યાસ કરતે, કવીશ્વર દલપતરામની “ બુદ્ધિપ્રકાશ” માં આવતી કવિતા મોટી મીઠાસથી વાંચ, તથા પ્રેમાનંદ શામળ આદિ પ્રાચિન કવિવરેનાં કાવ્ય અને બીજા સારા લેખકોનાં ગદ્યપદ્ય પણ વાંચતે હતે. દહેજમાં મારું મન ઉદ્વિગ્ન રહેતું હતું. માથે પિતાનું ઋણ, પહેલી વીશીમાં સંસારની જાળમાં ગુંથાવું, જેમાં બે પુત્રની પ્રજા થઈ હતી, તથા કમાણીને માર્ગ બહુ સાકડો હવે, એથી દુસ્તર સંસાર શી રીતે તરાશે એ વિષેના વિચારની હારમાળા ઉદ્રગ્નતાનું કારણ હતી.મનની આવી સ્થિતિ ચાલતી હતી તેવામાં દહેજમાં પૂર્વાપર નહિ અનુભવેલો એવો ભીષ્મ (ભયંકર) ગ્રીષ્મકાળ કાળજું ઉથલ
૭૭.
Page #183
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
66
પાથલ કરે એવા પ્રથમજ સંવત ૧૯૨૫ માં બેવામાં આવ્યા, જેથી મારી અંતર લાગણી ભારેલા અગ્નિ પેઠે, કાળના વહેવાથી શાંત પડી હતી. તે એ સમયના દહેજ બારામાં વાતા ભય કર વાયુથી ભડકો થઈ ઉઠી, તેથી મેં મારા જન્મ નૃતાંત જન્મથી તે એ સમય સુધીને કવિતામાં લખ્યા તે તેનું નામ દેણુ દુ:ખ દશ્યક ’’ આપ્યું. વળી એ વખતમાં ઇખર, સરભાણ તથા દેહજમાં રહી જે કઈ પ્રાસ્તાવિક ગદ્યપદ્ય લખ્યું હતું તે ભેગું કરી પ્રથગ વિષય » નામનું પુસ્તક લખ્યું. આ પ્રમાણે મેં અત્યાર સુધીમાં ભરૂચ સંગ્રહસ્થાન, દેણુ દુઃખદર્શક તથા પ્રથગ એ ત્રણ પુસ્તક લખ્યાં હતાં.
66
ઉપર જણાવેલા મારા ત્રણ લેખ કવિતાના કાચા ફાળ જેવા હતા. વિદ્યાનુરાગી મિત્ર સાથે મારી વયના હતા. તેમને ઉપર આવ્યા. તે પેાતાને પોતાને અભિલાષ પાર
દેહજમાં આવે તેર માસ વીત્યા પછી મારે એક મૈત્રી થઈ. તે મિત્ર અમલેશ્વરના મહેતાજી બહુધા તા. ૧૫ મી સપ્ટેમ્બર સન ૧૮૬૯ના પત્ર મારા અનુરૂપ મિત્ર મેળવવા બહુ ઉત્સુક હતા. તેમણે પાડવા કેટલાક મહેતાજીને પત્ર લખી જોયા હતા, જેમાં તેમના મનની તૃપ્તિ મારાથી થઇ હતી, અને તેથી મારા તેમને પત્રવ્યવહાર ગદ્યપદ્યમાં ચેાપાનિયા રૂપે ચાર વર્ષ ચાલ્યા હતા. આ મિત્ર તે કવિ છેટાલાલ નરભેરામ હાલ વડાદરા નિવાસી, ગુજરાતી પ્રાચીન કાવ્યેાના ટીકાકાર અને વિવેચક તથા વાગ્ભટાદિ સંસ્કૃત પુસ્તકોના ભાષાંતર કર્તા, ગુજરાતીમાં ‘રસશાસ્ત્ર' અને ‘શાંતિસુધા’ કાવ્યના રચનાર હતા. એ મિત્રના પત્ર વ્યવહારથી મારી કાવ્યશક્તિ ખીલતી જતી હતી અને સંસ્કૃત આદિ જ્ઞાનમાં વૃદ્ધિ થતી હતી. મારી કવિતાને ખીલી ઉઠવાનું, નવા રસાલ કાલ આવવાનું ચાવડા ચરિત્ર” કાવ્યના રસાનુભવથી થયું હતું. ધણું કરી હું સરભાણુ હતા ત્યારે “ બુદ્ધિ પ્રકાશ”માં કવિ હરજીવન કુબેરજી જે હમણાં રૂષિરાજ નામથી પ્રસિદ્ધ છે, તેમના ચાવડા ચરિત્ર કાવ્યની પહોંચ મારા વાંચવામાં આવી હતી; જેમાંની એ કવિતા વાંચી તે પુસ્તક આખું વાંચવાને હું બહુ ઉત્સુક થયેા હતા, પણ તે વખતે એ પુસ્તક મળ્યું નહતું. દહેજ આવ્યા પછી લખી ગામની નિશાળમાંથી તે મળી આવ્યું; જે ગામના સભ્ય લાકને સંભળાવી મે' એવા પ્રસન્ન કર્યાં હતા કે, જેમણે મારાથી સાંભળ્યું હશે તે જીવતાં સુધી મને સ્મરણમાં રાખ્યા વિના રહેશે નહિ. ચાવડા ચિત્રે ગામ લાકના ચાહ મારા ઉપર ઘણાજ વધાર્યાં હતા, એ વિષે સામાં લખતાં પણ લખાણ થાય
७८
Page #184
--------------------------------------------------------------------------
________________
ગણુપતરામ રાજારામ ભટ્ટ
માટે કશું લખતા નથી. ચાવડા ચરિત્ર કાવ્ય મારી કવિતાની છાપને સ્વાતિજળ જેવું, કાવ્ય વાટિકાને મધાની વૃષ્ટિ જેવું તથા નવેાઢાને રસિક રમણ મળ્યા જેવું થઇ પડયું. હું ખરૂં કહું છું કે, એ કાવ્યે કરી મારી કવિતાવેલી ખીલી. એ સમયથી તેનું રૂપ બદલાયું અને ગજરેલ સરાણે ચઢાવ્યા જેવા ચમત્કાર એ પછી અનુભવાયા.
ચાવડા ચરિત્રની ચૂટકી લાગ્યા પછી સંવત ૧૯૨૭ માં મેં શ્રાવક લાકના ભાજકને મુખે સાંભળેલા લીલાવતીના રાસ ઉપરથી છંદોબદ્ધ “લીલાવતી કથા” રચી, જે મારા ગ્રંથામાં જનપ્રિય ગણાઈ છે, એ કથામાંના આત્મજ્ઞાને પ્રદેશ ” પરથી થતી મારી પરિક્ષા જોવા તે વૃદ્ધ ડોશીએને સંભળાવ્યા હતા, જે સાંભળી તેમનાંમાં મારે વિષે ગુરૂ જેવી ભાવના સ્ફુરેલી મેં જોઈ હતી.
લીલાવતી કથાને પ્રસિદ્ધિમાં લાવવા, એ દ્વારે મારૂં દારિદ્રય દૂર કરવા મેં મનમાં ઘણાં ઘણાં હવાઈ કિલ્લા ચણ્યા, પ્રયત્ન કરી જોયા પણ કશું વળ્યું નહિ. વય, વસિલા અને વિખ્યાતી નહિ એવાનું નજ વળે એ સિદ્ધાંત પાકા કરી મેં એ વિષે પાંપળાં કરવાં પડયાં મૂક્યાં–એવામાં ૧૮૭૧ ના જુલાઇ માસમાં ભરૂચ જિલ્લા ખાતે રા. સા. ગેાપાળજી ગુલાબભાઇ દેશાઈ સબ ડેપ્યુટી થઈ આવ્યા. પાછળથી તેએ ડેપ્યુટી થયા હતા. તેમણે આવતાં વારને પોતાના રાપને કેારા મહેતાજીએ ઉપર માટી ચાંપથી ચલાવવા માંડયા. મારે ને તેમને એક વાતમાં મતભેદ પડવાથી બંન્નેની તકરાર ઈન્સ્પેક્ટર સુધી ગઇ. મેં સત્ય વાત અર્થ દ્વારા ઇન્સ્પેક્ટર સાહેબને જણાવવા ઉપરીના ભયથી ન ડરતાં મનનું સાચ્ચુ સ્વાતંત્ર્ય દર્શાવ્યું, તેમ તેમણે પેાતાના સામે માથું ઉંચકનારને નોકરીથી દૂર કરી પોતાના કામને માગ મેાકળા કરવા ડૉક્ટર જી. ખુલર, એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટરને વિનંતી કીધી; જેમાં બંન્નેને શાંત પડવાના ન્યાય મળ્યેા હતેા. આ તેાફાની ગડગડાટ એક ખીજાને જાણ્યા પ્રીયા પહેલાંજ થયા હતા અને તેથીજ પાણીમાં રહેવું અને મગર સાથે રેશાં ” જેવું જોઈ તેમના તાબામાંથી છુટવા મેં વિચાર્યું હતું. પણ પછી મારૂં તેમને મળવું થતા અન્યાન્યે એક ખીજાને ઓળખી લીધા હતા. તાપણુ મારી નિશાળની પરિક્ષા તેમને હાથે ઠીક ન ઉતરવાથી મારા પગાર રૂા. ૨૦) થયા હતા, તે પરિક્ષા પછી રૂા. ૧૫) થયેા. વખત જતાં મારી શુદ્ વૃત્તિ અને નિર્દોષ સ્વતંત્ર સ્વભાવ જોઇ મારી સાથે તેમને સ્વાભાવિક સ્નેહ થયા, ત્યારે મેં મારી લીલાવતી કથા”
७८
66
Page #185
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રામલી
તેમને બતાવી તે ઉત્તેજન મળવા શું કરવું તે વિષે પૂછ્યું: તેમણે એ કથા અવકાશે અવલેટિક ઇન્સ્પેક્ટર સાહેબ તરફ માકલી ઉત્તેજન મળવા અરજી કરવા પત્રદ્વારે જણાવ્યું, પણ તેમ કરી જોવાના પરિણામ નિષ્ફળતામાંજ આવ્યા; એ પછી સન ૧૮૭૫ માં પરિક્ષા માટે તેમનું દહેજ આવવું થયું ત્યારે મે તેમને પૂછ્યું કે, હવે હું શે। વિષય લખું કે સરકારમાંથી ઉત્તેજન મળે ? તેમણે વિચારી ઉત્તર આપ્યા કે, કેળવણી ખાતા સંબંધમાં કવિતારૂપ ઇતિહાસ લખા એમાં બુક કમીટીને વાંધે કાઢવા જેવું કશું નહિ આવે. વળી એ વિષય નવાજ ગણાઈ એને કેળવણીખાતા તરફથી ઉત્તેજન મળશે. મેં આ સૂચના સાંભળી કહ્યું કે, એ વિષય કવિતામાં મારાથી લખી નિહ શકાય. વિષય કવિતા ગ્રહણ કરે એવા ોઇએ. એ વિષયમાં કવિતા રસયુક્ત રચાય નહિ, અને જેમાં રસ ન આવે તે કવિતા કહેવાય નહિ. આ પ્રમાણે સમજાવી મેં કહ્યું, તેપણ યત્ન કરી જોવા મને તેમણે આગ્રહ કર્યાં હતા, તથા એક બે વાર મળવું થતાં તે વિષે ટાકણી કરી વખત વીતતાં મેં એ કામનેા આદર કર્યો હતા. તા. ૫મી ઑગસ્ટ સન ૧૮૭૫, સંવત્ ૧૯૩૧ ના શ્રાવણ સુદિ ૪ ગુરૂવારે દહેજમાં દેવલાક પામ્યા. પરલોક ગમન પહેલાં પહેારવારજ તેમણે મને પેાતાની પાસે ખેલાવ્યા, અને ખાટલામાં ખેઠા થઈ લાકડીના ટેકા રાખી સ્થિર રહી પ્રસન્ન મુખમુદ્રા કરી ખેાલ્યા કે—
આ
હતી; એથી થોડા સમયમાં મારા પિતા
“ ગણપત ! આજ હું બહુ પ્રસન્ન છું! તારા ઉપર બહુ પ્રસન્ન છું !! તે મારે માટે બહુ કર્યું છે. ખાપ માટે તારા જેવું કરનાર ઘેાડાંજ હશે. આજ તને આશિષ આપું છું કે, તારૂં કોટિ કલ્યાણ થળે ! '' ઈત્યાદિ. આમ છેલ્લો આશિર્વાદ આપ્યા પછી રાતના સાડા સાત વાગે તેએ નિર્વાણ
પામ્યા હતા.
સન ૧૮૭૬ ના ડિસેમ્બર આખરે દહેજથી મારી બદલી ભરૂચમાં નં. ૩ ની નિશાળમાં થઈ, ભરૂચમાં પ્રસિદ્ધિમાં આવવાને મને પ્રથમ પ્રસંગ મત્સ્યેા. એ યાગ એવી રીતે આવ્યા કે, એ શહેરમાં નાના પાયા ઉપર પ્રાર્થના સમાજ ચાલતા હતા, તેના પ્રમુખ રા. રા. સુરજરામભાઈ ભાગવ બ્રાહ્મણ, જે એ શહેરમાં રેજીસ્ટ્રાર હતા તેમને મેં તા. ૨૮ મી જુલાઇ સન ૧૮૭૭ શનિવારે ચીઠી લખી જણાવ્યું કે—રવિવાર આપને ત્યાંનું પ્રાર્થનાદિનું કામ પત્યા પછી મને કઇક ખેાલવા અવકાશ આપશે કે શી રીતે ? મને ઉત્તર મળ્યા કે ઘણી ખુશી સાથે આપને પહેલી બેગવાઇ
૮૦
Page #186
--------------------------------------------------------------------------
________________
ગણપતરામ રાજારામ ભટ્ટ
- આપીશું. તા. ર૮મી રવિવારે સાયંકાળે હું સમાજમાં ગયે, ત્યાં ક્રમ પ્રમાણે સમાજનું કામ ચાલવા દેવાનું કહી પછી મેં બોલવાનું રાખ્યું. એ વર્ષમાં અષાડ માસ વીત્યા સુધીમાં વર્ષાદ નહિ થયેલે તેથી તે સંબંધમાં ઈશ્વર પ્રાર્થનાની કવિતા રચી હતી. એ સમયે તે સંભળાવતાં સમાજ બહુજ પ્રસન્ન થયા અને મારા પર પ્રેમ દર્શાવ્યો. પ્રમુખે પછી વર્ષાદ સંબંધમાં ઈશ્વર પ્રાર્થના કરવા માટે જનસમાજ તા. ૧૯ મી ઓગસ્ટ સંવત ૧૯૩૩ શ્રાવણ સુદિ ૧૧ રવિવારે મેળવવા ગોઠવણ કરી, તે મેળામાં વાંચવા નવી પ્રાર્થના રચી લાવવા ચીઠ્ઠી લખી મને વિનતિ કીધી હતી. શ્રાવણ સુદિ ૧૧ રવિવારે શહેરના નામાંકિત નરે, સંભાવિત ગ્રહસ્થ તથા બીજાઓને મેટે મેળો મળ્યો હતો, જેમાં પ્રાર્થના સમાજના સેંબરો તથા અન્ય જન પણ હતા. અનેક ઉત્સાહી ગદ્ય પદ્યમાં પ્રાર્થના રચી લાવ્યા હતા, અને સભાનું પ્રમુખસ્થાન રા. બા. ચુનીલાલ વેણીલાલ ડેપ્યુટી કલેકટરે દીપાવ્યું હતું. એ સમયે ઈશ્વર પ્રાર્થનાનું લાંબું ભાષણ પ્રમુખના સુપુત્ર મોતીલાલ ચુનીલાલ હાલ જેઓ ભરૂચ મ્યુનિસીપાલીટીના પ્રેસિડેન્ટ અને તે સમયે ટ્રેઝરી ઓફીસના હેડ એકાઉન્ટેટ હતા તેમનું હતું; કવિ દલપતરામ દુર્લભરામે, પ્રાર્થનાની કવિતા સુકઠે ગાઈ સંભળાવી હતી તથા બીજાઓએ પણ સમયાનુસાર ભાષણ કર્યા હતાં. સર્વ બેલી રહ્યા પછી પ્રમુખને અપરિચિત એ, તે વખતમાં ચોથિયા તાવથી તવાયલે હું બોલવા ઉભો થયે.મારી કવિતારૂ૫ પ્રાર્થના સાંભળી શ્રોતાઓ બહુ પ્રસન્ન થયા; જેમાં સભાધ્યક્ષ ઉપર તેની ઘણી અસર થઈ. આથી તેમણે મારી પાસે બેઠેલા પિતાના શિરસ્તેદાર રે. રા. હરિનારાયણ બાપુરામ જે મારા જ્ઞાતિબંધુ અને સંબંધી હતા, તેમને ભારે વિષે પૂછ્યું; જેમણે તે વિષે ખુલાસે કરતાં ઉભા થઇ ખુલ્લા અંત:કરણથી ભાષણ કરતાં તેઓ બોલ્યા કે–“અહિં બહુ પ્રાર્થનાઓ
લાઈ પણ પ્રભુ જે સાંભળી પ્રકટ થાય અને તેમના અંતરમાં ઉતરે એવી પ્રાર્થના મહેતાજી ગણપતરામની છે, આપણ ચર્મચક્ષુથી ઇશ્વરને જોઈ શકાતા નથી, પણ આ ગણપતરામની પ્રાર્થના સાંભળવા પ્રભુ અત્ર પધારેલા હોવા જોઈએ, અને તેથી આપણે ખુરશીઓ અને બાંક ઉપર બેસી એ પ્રાર્થના સાંભળી એ અઘટિત કીધું છે. ખરી રીતે તે એ છે કે એ પ્રાર્થના આપણે સર્વેએ ઉભા રહી હાથ જોડી સાથે ઉચ્ચારવી જોઈએ, છાપેલી તેની પ્રતે આપણી પાસે નથી તેથી તેમ થઈ શકતું નથી. એ દિલગીર થવા જેવું છે, તે પણ આપણું ભુલ સુધારવા હવે બેઠકો ઉપરથી
Page #187
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
હેઠે બેસી જઇ ગણપતરામને આપણી વચ્ચે બેસાડી હાથ જોડી પ્રભુનું ધ્યાન ધરી જાણે આપણેજ પ્રાર્થના કરતા હોઇએ તેમ એ પ્રાર્થના કરી વહેંચાવવી. આ પ્રમાણે અધ્યક્ષના કહેવા પછી તેમ કરવામાં આવ્યું હતું; એવામાં કાઇએ તેમને કહ્યું કે, ગઇ વખતની પ્રાર્થના આ કરતાં ઉતરે એવી ન હતી. આ ઉપરથી તે પ્રાર્થના પણ કરી વંચાવી હતી. સભાધ્યક્ષ રા. બા. ચુનીલાલે એ પછી મારી પ્રાર્થનાની નકલ કરી તેમને આપવા ઇચ્છા જણાવી. દર રવિવારે અવકાશે પેાતાને ત્યાં આવવા મને મીઠા મેલેામાં કહ્યું હતું. ત્રીજી પ્રાર્થના રચાતી હતી એવામાં વર્ષાદે લીલાલહેર કરવાથી તે પ્રાના, ઈશ્વરનેા ગુણાનુવાદ તથા તેનેા ઉપકાર કૃષ્ણાષ્ટમીની સભામાં વાંચ્યા હતા. સંવત્ ૧૯૩૪ આષાઢ સુદિ ૧૧ના દિવસે એ વમાં સવેળા દાદ સાંભળી પર્જન્યપ્રેર્યા સંબંધમાં ઉપકાર સ્તવન ગાયું હતું. કોઈ પણ સભા પ્રસંગે હું ખેલવાને હું એમ જાણતા તે ત્યાં રા. બા. ચુનીલાલ અવશ્ય પેાતાની હાજરી આપતા હતા. વર્ષાદ સબંધની ઇશ્વર પ્રાથનાની એક નાની ચાપડી તે વખતની લખેલી મારા લેખામાં ગણવા જેવી છે.
સન ૧૮૭૭ ના અકટોબરમાં રા. સા. ગેાપાળજી ડે. એ. ઈ. ની ખલી ખેડા છઠ્ઠામાં થવાથી તે ત્યાં જવાના હતા, તેવામાં ભરૂચ જીલ્લાના ઘણાખરા મહેતાજીએ મળવા-ભેટવા ભરૂચ આવ્યા હતા. એવામાં તે તેમના મકાનમાં મહેતાજીનું થેડું મંડળ બેઠું હતું તે વખતે રા. સા. ગોપાળજીએ સુચવેલા કેળવણીને કવિતારૂપ ઇતિહાસ જેને મેં ‘ભરૂચ જીલ્લાના કેળવણી ખાતાના ઇતિહાસ” એવું નામ આપ્યું હતું તેમાંને અમુક થાડા ભાગ વાંચી સભળાવ્યા. જેની અસર રા. સા. ગોપાળજી ઉપર એવી થઇ કે, તેથી તેમને હર્ષાશ્રુ આવ્યા અને તેથી તેએ ગદગદ સ્વરે ખેલ્યા કે—“ગણપતરામ ! હું ગરીબ છું; જો રાજા હેાત તો તમારી કવિતા એવી છે કે, એક ગામ આપત ! તેપણ મારી ગુજાસ પ્રમાણે હું તમને રૂા. ૨૦૦) આપીશ તે સ્વીકારજો.” આ વખતે ભરૂચના તાલુકા માસ્તર મગનલાલ હરિભાઇ ત્યાં હતા તેમણે કહ્યું કે, “ અમેા સર્વ મહેતાજીએ એ પુસ્તકના ગ્રાહક થઈ ઉત્તેજન આપીશું માટે આપે એમ કરવાની જરૂર નથી.” આ પછી તા. ૧૫ અકટોબરને દિવસે ભરૂચની મુખ્ય નિશાળમાં મહેતાજીએ તથા શહેરના સંભાવિત ગ્રહસ્થાની સભા ભરવામાં આવી, જેમાં અંગ્રેજી સ્કુલના માસ્તરા આદિ પણ હતા. પ્રમુખપદ એ સભામાં રા. બા. ચુનીલાલ વેણીલાલને આપવામાં આવ્યું હતું; જે વખતે મેં પ્રાચીન કેળવણી સંબંધની કવિતાએ
66
૮૨
""
Page #188
--------------------------------------------------------------------------
________________
ગણપતરામ રાજારામ ભટ્ટ
66
""
ગાઈ સંભળાવી હતી; જે સાંભળી અંગ્રેજી સ્કુલના સ્વદેશાનુરાગી, દેશાભિમાની માસ્તા ભારતવષઁની પૂર્વ કેળવણીને વૃત્તાંત સાંભળી મેટી હ ગર્જના કરી ઉટયા હતા. સભાધ્યક્ષ તુષ્ટિદાનમાં મને બંધાવવાની પાધડી હાથમાં લઇ એ વખતે ખેાલ્યા હતા કે,− તમારા ગુણના પ્રમાણમાં આ વસ્તુ નહિ. જેવી છે; તેાપણ ફુલ નહિ, ફુલની પાંખડી ગણી કબુલ રાખશેા. ” એ પછી મેળાવડા વિસર્જન થયેા હતેા. સન ૧૮૭૭ ના આર્કટેાબર માસની આખરમાં રા. સા. ગેાપાળજીભાઈનું ખેડા જીલ્લા ખાતે જવું થયું અને મને મારા ગ્રંથ સબંધમાં રૂા. ૨૦૦) ઉત્તેજન મળ્યું. એથી ભરૂચ જીલ્લાને. કેળવણી ખાતાના ઇતિહાસ ' છપાઈ પ્રસિદ્ધ થયા. સમય આવેજ ફળ પાકે છે, તેમ એ સમય પછી * લીલાવતી કથા માટે પણ થયું. રા. ખા. ચુનીલાલ વેણીલાલને તેમના પરિચયમાં આવ્યા પછી એ કથા મેં જોવા આપી હતી; તેમણે તે પ્રસિદ્ધ રીતે વંચાવવા સભા ભરી એજ વના નવેઅરમાં મારી લીલાવતી કથાને પ્રસિદ્ધિમાં આણવા ઉત્સાહ દર્શાવ્યા, જેનું પરિણામ બહુ સારૂં આવ્યું. ભરૂચમાંથી એ કથાને સારૂ અનુમેદન મળ્યું, તેમજ મુંબઈના નામાંકિત નરા રા. બા. ચુનીલાલભાઈના મિત્રા, ડીસેબરમાં નાતાલ ટાંકણે ભરૂચ આવ્યા હતા તેમના તરફથી પણ સારૂં ઉત્તેજન મળ્યું. કચ્છના દિવાન રા. બા. મણિભાઇ જશભાઇને વિનંતીપત્ર લખવાથી ત્યાંથી પણ જોઇએ તેવું ઉત્તેજન મળ્યે, તેમજ ખીજેથી પણ ઠીક ગ્રાહક મળી આવ્યા; આથી એ ગ્રંથ છપાવવાને જોગવાઇ મારાથી થઈ શકી. આ પ્રમાણે મારા કાર્યોના ઉદયકાળ થતાં હું સન ૧૮૭૭માં ભરૂચ જીલ્લાના કેળવણી ખાતાને ઇતિહાસ અને સન ૧૮૭૮ માં લીલાવતી કથા પ્રસિદ્ધ કરી શકી કંઈક પ્રસિદ્ધિમાં આવી શક્યા, તથા અનેક સુન જતાના હૃદયમાં પ્રેમથી વસી શક્યા. નામાંકિત નરમણી દિવાન બહાદુર મણીભાઈ જશભાઈના અંતરમાં પણ અપરિચિત લાંબે અંતરે છતાં એ વખતથીજ વસ્યા, સમય જતા ઘણાજ હસ્યા, એવા કે તેમના અવસાન સુધી ખસ્યા નહિ. તેમના. છેલ્લા મંદવાડ સમયે સંવત્ ૧૯૫૬ના ફાગણ માસમાં હું તેમને જોવા પેટલાદ ગયા હતા ત્યાં એ દિવસ રહી તેમની આજ્ઞા લેવા હું તેમની પાસે ગયા ત્યારે તે પોતાની પાસે બેઠેલા સ્વજ્ઞાતિ નાગર મ`ડળ પ્રત્યે ઓલ્યા હતા કે—
“ જીવતાને કાઈ જાણતું નથી, પણ મુઆ પછી તેના ગુણ ગવાય.. છે. આ કવિ છે, હમણાં એ બહુની જાણમાં નથી, પણ પાછળથી ગુજ
૮૩
Page #189
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
રાતમાં એ બીજા પ્રેમાનંદ કહેવાશે !” મારી ગ્રંથ કૃતિઓથી મારી ગણના તેમને વખતના વહેવા સાથે એ પ્રમાણે થઈ હતી.
ભરૂચમાં લીલાવતી કથા સભામાં સંભળાવતા શ્રોતા બહુ પ્રસન્ન થયા હતા, તે સમયે રા. બા. ચુનીલાલ પોતાને ઉપજેલે આનંદ દર્શાવતા બોલ્યા હતા કે, “અમદાવાદ શહેરને માટે જેમ કવીશ્વર દલપતરામ છે, તેમ હવેથી આપણા શહેરના કવિ ગણપતરામને ગણવા.”
ઉપર પ્રમાણે ભરૂચમાં મારા ઉદયનું પ્રભાત થઈ ભાગ્ય ભાનુનાં કિરણ જરા જણાતાં કષ્ટનું કાળું વાદળ ચઢી આવ્યું; રા. સા. ગોપાળજીને ખેડા જીલ્લામાં ગયા પછી તેમના સ્વભાવની ઉગ્રતાને લીધે પિતાની એફીસના કારકુનો તથા કેટલાંક મહેતાજીઓ સાથે અણરાગ થય. સાવધાનપણું થોડું, તડાક ભડાક દેશ કાળ જાણ્યા વીના બેલવું અને અંતઃકરણ ઉઘાડુ એ દેણે તેમનું અનિષ્ટ ઇચ્છનારાઓએ એમના ઉપરી ઇન્સ્પેકટર સાહેબના કાન ભર્યા તથા તેમના ભડભડિયા સ્વભાવનું છીદ્ર તેમના આગળ ધર્યું. આથી થયું એમ કે, એમના સંબંધમાં જે જે આવેલા તેમને માથે તવાઈ આવી; જેમાં મુખ્ય હું હતો. જો કે રા. સા. ગોપાળજીએ મારું કશું દળદર ફેડયું નહોતું, પણ આવતાવારને તેમની મારેલી પાથી પાછો પડયો હતા, તો પણ મારા ગુણ જાણું પાછળથી મને તેમને ચાલ્યો હતો અને તેમની રૂડી સલાહ સ્વીકારી મેં ભરૂચ જીલ્લાને કેળવણી ખાતાને ઈતિહાસ કેળવણી ખાતાના વરિષ્ઠ અધિકારી સાહેબ તરફથી મારી સારી કદર થવા મેં રચ્યો હતો. ઈન્સ્પેકટર મી. ઈ. જાઇસ સાહેબને ગોપાળજી સંબંધમાં વાંકું પડવાથી મારું ઈષ્ટ થવા મેં કીધેલ યત્ન મારું અનિષ્ટ કરતાં થઈ પડ્યો. જો કે મારા યત્ન સંબંધમાં વિર્ય ગુજરાતી ગ્રંથ વિવેચક રા. સા. નવલરામ લક્ષ્મીરામે ૧૮૯૮ના “ ગુજરાતી શાળા પત્ર” અંક પાચ-છ માં ભરૂચ જીલ્લાના કેળવણી ખાતાના ઇતિહાસનું વિવેચન કરતાં મારી કૃતિની પ્રશંસા કરી મારું ભવિષ્ય સારું ભાળ્યું હતું, છતાં આ વખતે તે તેથી હું રાહુની દશામાં આવી પડે; મારો પાંચ વર્ષને પુત્ર ગત થયું હતું, હું અવસાનના મંદવાડમાંથી જરા પાસુ ફેરવતો થયો હતા તેવામાં ઈન્સ્પેકટર સાહેબે મુકામ અમદાવાદથી ભરૂચ તા. ૧૬ ડિસેંઅર સન ૧૮૭૮ના રોજ સાંજરે આવી ગોપાળજી સંબંધમાં તથા મારા ગ્રંથ સંબંધમાં મને સતાવી જોયો, પણ મેં નિડર પણે જે સત્ય હતું તેજ નિવેદન કર્યું; તા. ૨૨ મી ફેબ્રુઆરી સન ૧૮૭૯ના દિવસે પણ
૮૪
Page #190
--------------------------------------------------------------------------
________________
ગણપતરામ રાજારામ ભટ્ટ
લખ
66
,,
તેમને મને પેાતાની પાસે તેડી કરી વાત છેડી પાતાને વહેમ હતા તે સંબં ધમાં પૂછ્યું, પણ તેમને પથ્ય ન આવે એવું કહે મારી નાકરી જશે, કે મને પગારમાં નુકશાન થશે એ વાતનેા જરા પણ ધેાકા ન ધરતાં મેં સત્યજ નિવેદન કર્યું; પણ તેથી તેમનાં મનની તૃપ્તિ થઇ નહિ જેનું રિણામ એ આવ્યું કે સન ૧૮૭૯ના મે ની આખરે મારી બદલી રૂા. ૧૫) ના પગારમાં ખેડા જીલ્લાના કરમસદ ગામમાં થઇ. ભરૂચમાં મને એ. વખતે શ. ર૧) પગાર હતા અને રૂા. ૨૫) થવાની વકી હતી, એવામાં અજવાળામાં આવતા આ જીવ અંધારામાં ફેંકાયા. આ સમયમાં રા. સા. ગેાપાળજીના પ્રસંગીએ પણ એછે પગારે અનુચિત સ્થાને જઈ પડયાની પીડામાં આવી પડયા, અને તેમને પોતાને અધુરી મુદ્દતે પેન્સન . “ રીટાયર્ડ ” થવાની જરૂર પડી. મારે રાહુ સ્થાનમાં આવ્યા જેવું થયું, તેપણ હું નિસ્તેજ થયા નહિ, પણ ઘેાડા સમય વીત્યા પછી પાછે અજવાળામાં આવવાનું તપ આદરી બેઠે. કેળવણી ખાતા તરફની લેણાં દેણી મેં જોઈ લીધી, એથી અભ્યુદયને રસ્તા સરસ્વતી સેવનમાં જ જોયા. મારે ખરને માગ તેજ જણાયા, અને તેથી પ્રકાશમાં આવવા પ્રતાપ નાટક લખવા લક્ષમાં લીધું. એ નાટક લખવાની પ્રેરણા રા. સા. ગાપાળજીએજ કીધી હતી. એ વિષે પ્રતાપ નાટકની પ્રસ્તાવનાનાં પરિચ્છેદ - ચાર, પાંચ, માં જણાવ્યું છે. એટલે અત્ર તે વિષે કશું જણાવતા નથી. પ્રતાપ નાટકના પણા ભાગ કરમસદમાં લખી નિડયાદમાં મે તે પૂર્ણ કર્યું હતું. સન ૧૮૮૦ માં સપ્ટેમ્બરમાં મારી માંગણીથી મારી બદલી સરખે પગારે નડિયાદ બ્રાંચ નં. ૩ જાની નિશાળમાં થઈ હતી પણ રાહુની દશામાં ઉભું હશે તે પૂરું થવા ત્યાંથી સરખેજ પગારે ખેડાની નિશાળમાં સન ૧૮૮૧ ના એકટાબર આખરે, ખરે મને પૂણ દુ:ખી થવા ત્યાંના પહેલા આસિસ્ટટની જગેાએ મારી બદલી થઈ. આ બદલી મારી કોઇ પણ કસુર માટે નહિ પણ ખેડાની કન્યાશાળાના મહેતીની બદલી નડયાદ થવાથી તેમના સ્વામીની સગવડ નિડયાદમાં કરવા માટેજ કરવામાં આવી હતી; જે મારા.. ભાવીમાં ઉદ્યોત કરાવનારી હતી, છતાં તેને મેં મારા અભ્યુદયમાં પૂ અંધારૂં કરનારી જાણી. મારા પુત્રા નિડયાદમાં અંગ્રેજી કેળવણી લેતાં હતાં એથી મારૂં ગૃહસુત્ર મારે ત્યાંજ રાખવું પડયું અને જાતેજ ખેડામાં રહેવું પ્રાપ્ત થયું; આથી અદ્યાપિ સુધી બહુધા હાથે “રાટ મંથન” નહિ કરેલું. એવા હું બહુજ અકળાયા, અને તેથી શુભેચ્છુઓની સલાહ માની પ્રતાપ -
૮૫
Page #191
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
નાટક દ્વારા મેં મારું ભાવિ જેવાને નિશ્ચય કરી નેકરી ઉપરથી રજા લઈ "દેશાટન કરવાને આદર કર્યો. રાહુની છાયામાં રહે કોઈ પણ ગ્રહનું ગ્રહણ
છૂટતું નથી. જે તે ગતિ કરી ખસે તજ પાછે તેને પ્રકાશ થાય છે; મેં - આ વાતનું અનુકરણ કરી મારા ભાવીને પ્રકાશ થવા પ્રતાપ નાટકના પ્રસિદ્ધિ પત્રરૂપે ખેડેથી ખશી મારું અદષ્ટ અજમાવી જોયું; જેનું પરિણામ ધાર્યા કરતાં અતિ ઉત્તમ આવ્યો. પ્રતાપ નાટકની કૃતિએ મારા ભાગ્યની ઉધી પડેલી નૌકા છતી કરી નાખી. રા. સા. મોતીલાલ ચુનીલાલ એ સમયે મહેમદાબાદમાં મામલતદાર હતા, અને ભરૂચમાંથીજ મારા શુભેચ્છક સ્નેહી થયા હતા, તેમના આગ્રહથી દીન ૬ની “કેજ્યુયેલ” રજા લઈ તા. ૧૬ મી માર્ચ ૧૮૮૨ માં મેં લીંબડીના ઠાકર સર જસવંતસિંહની ભેટ લઈ સભા ભરાવી પ્રતાપ નાટક પ્રદર્શિત કર્યું. જ્યાં મારું સારું સન્માન થયું. એ પછી તા. ૧૩મી એપ્રીલથી માસ ૧) ની હકની રજા લઈ ભાવ- નગર, પાલીતાણા આદિ સ્થળે ફર્યો પણ સમયની પ્રતિકુળતાથી ધાર્યો અર્થ સર્યો નહિ, તો પણ ફેરો નિષ્ફળ ન જતાં ત્યાં સારું બીજારોપણ થયું, જેથી બીજી વખતના પ્રવાસમાં ઇચ્છત કામ ભાવનગર તથા જુનાગઢ જવાથી થયું. ટૂંકી રજામાં ધાર્યું કામ કરવામાં ઠીક ન પડવાથી મેં તા. ૧૯મી ઓગસ્ટથી એક વર્ષની પગાર કપાત રજા લીધી, અને “આટા તેલ ઠીકરી જલતી હૈ” એ સ્થિતિમાં અમદાવાદમાં ગૃહસુત્ર મુકી કમ કસી - જેવા હું બહાર પડે; જેને પરિણામ એ આવ્યો કે, પ્રતાપ નાટકે મારા અભ્યદય ઉપર આવેલું કાળું વાદળ ખસેડી નાખ્યું; અને ઋણ મુક્ત કર્યો; દારિદ્રયને મારા ઘરમાંથી હાંકી કાઢયું. પ્રતિષ્ઠા સાથે પૈસાની પ્રાપ્તિ કરાવી;
ખે પણ જેમને સમાગમ દુર્લભ એવાં નામાંકિત નર નરવ સાથે સ્નેહ જેડાવ્યો તથા મારી પ્રખ્યાતિ ગુજરાત, કાઠીયાવાડ, કચ્છ, મુંબઈ) ઉદયપુર, અને કાશી સુધી પ્રસારી. આજ સુધી એ નાટકની ચાર આવૃતિ પ્રસિદ્ધ થઈ ચૂકી છે.
પ્રતાપ નાટક સંબંધના પ્રત્યેક પ્રસંગની વિગત જણાવતાં એક નિબંધ રચવા જેવું થાય, જેમાં મારી આત્મલાધાનો દોષ આવી જાય એવા. ભયથી તે વિષે કશું લખવા હું નથી ઈચ્છતા, તો પણ ઈચ્છવા યોગ્ય નૃપતિ અને નામાંકિત નરોના પ્રસંગમાં આવતા મેં જે સાંભળેલું જેએલું તે દેખાવ લાંબો કાળ વિત્યા છતાં મારી નજરે તરે છે તેમાંનું કંઈક જણાવું છું; સન ૧૮૮૨ ના સપ્ટેબરની તારીખ ૨૩ મીએ ભરૂચમાં પ્રતાપ નાટ
Page #192
--------------------------------------------------------------------------
________________
ગણપતરામ રાજારામ ભટ્ટ
કનું વ્યાખ્યાન મેં આપ્યું ત્યારે સભાના પ્રમુખ રા. બા. ચુનીલાલ વેણીલાલ બોલ્યા હતા કે-“આજે કવિ ગણપતરામે આપણને તૃપ્ત ન થઈએ એવું તેમની વાણીનું અમૃત ચખાડયું, પણ તેમની વાણીના પ્રમાણમાં તેમનું શરીર બળવાન નથી, માટે ઈશ્વર તેમને એવા બળવાન બનાવો કે આપણે તેમની વાણીને પૂર્ણ સ્વાદ અનુભવીએ.” મુંબઈમાં તા. ૬ઠી અક્ટોબરે શેઠ લક્ષ્મીદાસ ખીમજીને હું મળ્યું, અને તેમના મિત્ર મંડળ સમક્ષ તેમના મકાનમાં ચારેક દિવસ રાત્રિએ અવકાશે એ નાટક સંભળાવ્યું તેથી એ એટલા પ્રસન્ન થયા કે, તેમણે ઉદયપુરના મહારાણા દીવાળી ઉપર મુંબઈ પધારવાના છે માટે ત્યાં સુધી મને બવા કહી અંતર ઉમ દાખી પ્રતાપ નાટકના બદલામાં મહારાણાશ્રી પાસેથી એક ગામ અપાવવા પોતાને ઉદ્દેગાર કાઢયે હતો. મહારાણ મુંબઈ આવી ન શકવાથી તા. ૨૨મી અકઅરે શેઠ લક્ષ્મીદાસે ભાટીઆ મહાજન વાડીમાં સભા મેળવી પ્રતાપ નાટકનું વ્યાખ્યાન અપાવી મને ઘણું સજજન સમાગમનો લાભ આપી સારું ઉત્તેજન મળે તેમ કર્યું હતું. આ સમયમાં સર મંગળદાસ નથુભાઈએ પિતાના વાલકેશ્વર ઉપરના બંગલામાં મને રાત રાખી મારું નાટક સાંભળી પ્રસન્ન થઈ સારું ઉત્તેજન આપ્યું હતું. શેઠ લક્ષ્મીદાસે એ સમયમાં ઉદયપુરના મહારાણાશ્રી સજનસિંહજી ઉપરનો પત્ર લખી આપી આગ્રહ કરી ઉદયપુર એ પછી મને મોકલ્યો હતો, ત્યાં મને સારું ઉત્તેજન મળ્યું હતું, પણ શેઠ લક્ષ્મીદાસને તેથી જોઈએ તેવી તૃપ્તી થઈ નહોતી. સન ૧૮૯૬ એપ્રીલમાં જે સમયે મેં લઘુભારત ભાગ ૧લો રચ્યો હતો તેવામાં ઈડરના ન્યાયાધીશ નડિયાદ નિવાસી કવિ મહાશંકર પીતાંબર, જે મારા મિત્ર હતા તેમના આગ્રહથી હું ઈડર ગયા હતા, તે સમયે ત્યાંના મહારાજા સર કેશરીસિંહજીના મેળાપમાં કાવ્ય વિનોદ કરતાં તે નામદાર ઉચ્ચર્યા હતા કે, “ગ્રંથ કર્તા કોઈ, અને નામ હેય બીજાનું હાલ એમ જોવાય છે. મેં પ્રતાપ નાટક પાંચ વાર વાંચ્યું છે અને તેના કર્તા તમેજ છો એવી મારી ખાત્રી થઈ છે.”-ઈત્યાદિ. મહારાજાશ્રીએ મને રૂા. ૧૦૦ રોકડાને શીરપાવ કર્યો હતે.
પ્રતાપ નાટક સંબંધના કાર્યથી પરવારી રહેવા આવતાં મેં સન ૧૮૮૩ ના નવેંબરમાં ગુ. વ. સોસાયટીની જાહેર ખબર ઉપરથી કચ્છ દરબાર તરફથી રૂ. ૩૦૦) ના ઇનામને-“આરેગ્યતા અને સ્વચ્છતા”નો નિબંધ નવ માસમાં લખી મોકલવાને છતાં મુદત પાસે આવેલી તેથી દોઢ માસમાં
૮૭
Page #193
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
લખી મોકલ્ય; જેની “ફેર કોપી” કરવાને સમય મળે નહેતે હરિફાઇના ત્રણ નિબંધ ગએલામાં મારો પાસ થવાની પૂર્ણ આશામાં હું હતો, પણ તેમાં વેવિશાળિ વર થવા જેવો જોગ બનવાથી હું નિષ્ફળ થયા હતા; પણ એ પછી કચ્છ દરબાર તરફના “મને વિકાર તથા આશા નિરાશા” નાં બે નિબંધ લખી રૂ. ૧૫૦) પારિતોષિક મેળવી શક્યા હતા. પ્રથમ નિષ્ફળ નીવડેલે નિબંધ “ બુદ્ધિપ્રકાશ” ના પૃષ્ટ ર૦૦ ના પુરતે રૂા. ૩૦૦) ઇનામ માટે હતો ત્યારે આ સફળ થએલા નિબંધ પ્રત્યેક “ બુદિપ્રકાશ” જેવડા પૃષ્ઠ ૪૦ માં માંગ્યા હતા. કચ્છ દરબાર તરફ આઠ નિબંધે રચાવવાની જાહેર ખબર સન ૧૮૭૮માં પ્રસિદ્ધ થઈ હતી તેમાંનાં એ બે નિબંધ હતા. એ આઠ નિબંધમાં પ્રત્યેકનું ઈનામ રૂ. પ૦) રાખ્યું હતું, જેમાં “ સત્સંગ” વિષેને રા. રા. મણીશંકર પ્રભુરામ પંડિતનો પસંદ પડયો હતો. એ પછી બીજા નિબંધનું ઈનામ વધારી પ્રત્યેકના રૂા. ૭૫) કરી અમુક ગ્રંથ કર્તાને આપવા ઠરાવ થયો હતો, જેમાં જે લખવાની ધર કેઈએ નહિ ઝીલેલી એવા બે-“ મનોવિકાર તથા આશાનિરાશા ” નાં મને આપવામાં આવ્યા હતા, જે પરિક્ષકને બહુજ પસંદ પડયા હતા, તેથી દિ. બા. મણીભાઈએ તેમના અભિપ્રાયની નકલ મને જોવા મોકલી તે સાથે એ નિબંધથી પિતાને ઉપજેલે પરમ સંતેષ પત્ર દ્વારે લખી જણાવ્યું હતું. આ નિબંધનું પારિતોષિક આપવા પછી કચ્છ દરબારને ખર્ચ છપાવી તેના ગ્રંથ સ્વામિત્વને લાભ પણ મનેજ આપવામાં આવ્યો હતા, આ પછી સન ૧૮૮પમાં કચ્છ દરબાર તરફના નિબંધોમાંનો
શૌર્ય” વિષેને નિબંધ જેને સે હતા તે લખી ન શકવાથી મને આપવામાં આવ્યો, જે લખી હું રૂા. ૭૫] મેળવી શક્યો હતો. મારા સાંભળવા મળે એ નિબંધ ગુ. વ. સોસાયટીને છપાવી પ્રસિદ્ધ કરવા આપેલો પણ ગેરવલ્લે પડી જવાથી છપાયે નહોતે. બાકીના નિબંધોનું શું થયું તે જાણવામાં આવ્યું નથી. આઠ નિબંધમાં નવમો “બાળલગ્ન” વિષેનો લખવા ઉમેરાયો હતો. એ નિબંધો ભેગા છપાવી તેને “કચ્છ નિબંધ સંગ્રહ” એવું નામ આપવું એવી દિ. બા. મણિભાઈની ઇચ્છા હતી. આ પછી શેઠ હરિવલ્લભદાસ બાળગેવિંદદાસ સ્મારકનું રૂ. ૧૫) નું ઈનામ
બાળલગ્નથી થતી હાનિ” વિષે ઇનામી કાવ્ય કલ્પિત સરસ્વતી ગુણવંતની કથા લખવાથી ગુ. વ. સો. તરફથી મને ૧૮૮૯ માં મળ્યું હતું, તથા તે પછી પારવતી કુંવર સ્મારકનું રૂા. ૩૦) નું ઈનામ “પાર્વતિ કુંવર ચરિત્ર
Page #194
--------------------------------------------------------------------------
________________
ગણપતરામ રાજારામ ભટ્ટ
લઘુ કાવ્યમાં રચી સન ૧૮૯૦ ના નવેંબરમાં મેળવ્યું હતું. આ કાવ્યનું પારિતોષિક સભામાં તે વંચાવી આપવાનું ઠર્યું હતું, એથી તેમ તથા સભાધ્યક્ષ કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ ઇનામની રકમ સ્વહસ્તે આપતા ઉચર્યા હતાં કે–“રા. ગણપતરામની કવિતા ઘણી સારી છે; અને તેથી હું ધારું છું કે જેમ સોસાયટીએ મને સોનાને અક્ષરે કવીશ્વર પદ કોતરાવી આપ્યું છે તેમ એમને પણ આપે તો ખોટું નથી. એવા ગ્રહને તે સોસાયટી સરખાએ રૂા. ૧૦૦] ને દર માહે કવિતા કરવા રાખવા જોઈએ.”
પરોક્ષે મારી શક્તિનું માપ જાણી લીધા પછી વિદ્વાને વખાણે, વારંવાર જેની કથા થતે અભાવ ન થાય, જે ચિરકાળ પર્યત નાશ ન પામે, પણ જેની પરંપરા ચાલુ રહે તથા જેમાંથી જાણવાનું, બોધ લેવાનું ભારત જનો બહુ મળે એવો શિષ્ટ ગ્રંથ રચવાનો મને અભિલાષ થયો. વિચાર કરતાં એ વાતને યોગ્ય વિષય અને શ્રી વ્યાસ નારાયણ કૃત મહાભારત ભાસ્યું. અને તેથી મેં સંવત ૧૯૪૮, સન ૧૮૯૨ માં ગુર્જરગિરામાં કવિતા રૂ૫ લઘુભારત રચવાનો આદર કર્યો. કામનું મંડાણ કરતાં તો કર્યું પણ પછી મને એ કામ મારી શક્તિ–ઉપરાંતનું સમજાયું; તે પણ પુરૂષ પ્રયત્ન શું કરી શકતા નથી. એ વિચાર દ્રઢ કરી હું મારા યત્નમાં લાગુ રહ્યો, એથી કામની કઠિનતા સરલ રસવતિ થતી ગઈ જેથી હું આજ સુધીમાં લઘુ ભારત ના ચાર ભાગ રચી પ્રસિદ્ધ કરી શક્યો છું; જેમાં મારી યોજના હતી એટલુ આવી ગયું છે. પ્રથમ ભાગના પ્રસિધિ પત્ર રૂપે મેં જાતેજ વેશ ભજવ્યું હતું, જેમાં પ્રશંસાના મેજ કાને બહુ અથડાઈ કવિવર પ્રેમાનંદ જેવો કહેવાતો સંભળાઈ મારી કૃતિનું માપ જાણી લઈ હું ઘેર આવ્યો હતો, પણ તેથી પ્રતાપ નાટકના જેવું ઉતજન મેળવી શક્ય નહોતે, જે માત્ર એ કામનીજ બલીહારી હતી. પણ ખરી બલિહારી મેં દિ. બા. મણીભાઈની સાથે વિતા પ્રશ્નો, ર, રસાતમને સ્તથા જેવી જોઈ, કે જેમના સહાયે કરી લઘુભારત ભાગ ૧ લો પ્રસિદ્ધ થયે. ભોજ જેવા સાહિત્ય ભોગી તે નામાંકિત નર સ્વર્ગવાસી થયા પછી વિના પ્રયાસે અમદાવાદ શહેરના શ્રીમાન રા. રા. ચીનુભાઈના ઉદાર હૃદયમાં દિ. બા. મણિભાઈ વિદેહ થતાં નિવસ્યા નહિ હોય શું ? એવો અનુભવ તેમના સમાગમથી મને થયો છે. એક ઉદાર આત્મા અનેક શુભ કાર્ય કરી શકે છે તે જ્યાં એક દેહમાં તેવા બે મળે તો શું ન થઈ શકે ?
૮૯
૧૨
Page #195
--------------------------------------------------------------------------
________________
- ગ્રંથકાર ચરિત્રાવલી
:
મેં મારા પ્રત્યેક ગ્રંથની પ્રસ્તાવનામાં ભારે લગતી હકિકત ટૂંકામાં લખી પ્રસિદ્ધ કીધી છે, એટલે અત્ર તે વિષે પુનરુક્તિ કરતા નથી. મારી બદલી ખેડે થયા પછી સન ૧૮૮૨ સંવત ૧૯૩૮ માં મેં મારૂ નિવાસ સ્થળ અમદાવાદમાં કરી જ્ઞાતિ વહેવાર ત્યાંજ બાંધે. આમદનું ઘરબાર પિતાના દેવામાં ડૂબી ગયું હતું, છતાં ઈશ્વર કૃપાથી વાદેવીના સહાય અમદાવાદમાં પ્રતિષ્ટા સાથે હતું તેથી શ્રેષ્ઠ સર્વ સંપાદન થયું, સન ૧૮૮૮ની સાલમાં અમદાવાદના જોઈન્ટ સેશન જજ દયારામ ગીદુમલે “હિંદુસંસાર સુધારા સમાજ”માં ઉપદેશકની જગાએ મારી પેજના રા. સા. મહીપતરામ રૂપરામ તથા વકીલ કેશવલાલ મેતીલાલના અભિપ્રાયથી કરવાથી હું મારી નોકરી પરથી વર્ષ એકની રજા લઈ એ જગાએ જોડાયો હતો. એ જગાએ જોડાતા વારમાં મેં ભાષણ વખતે શ્રોતાઓને શીધ્ર બેધ કરે એવી “ બાળ લગ્નને નિષેધ” એ નામની કવિતા રૂપ રોયલ સોળ પેજી એક ફર્માની ચોપડી ચાર દિવસમાં તૈયાર કરી તેની બે હજાર પ્રત છપાવી; જે ભાષણ આપતાં થોડા વખતમાં ખપી જવાથી તેની બીજી આવૃતિની બે હજાર પ્રત છપાવી હતી તે પણ શ્રોતાઓમાં ઉપડી ગઈ હતી. ગુજરાતના ઘણાખરા કબા, શહેરે, તથા મુંબઈમાં મારા ભાષણોથી સારી અસર થયેલી મેં જોઈ હતી અને તેથી ભારે બહુ સુજનો સાથે સ્નેહ થયે હતો. પ્રતાપ નાટકની પ્રસિદ્ધિ માટે મેં લીધેલી રજા પુરી થયા પછી મારી બદલી નડિયાદ મારી મૂળ જગાએ થઈ હતી
જ્યાં જગ્યામાં ત્યાંને ત્યાં ફેરફરીમાં મારો પગાર રૂ. ૨૦) થયે હતો, એકંદરે મેં ઓગણીસ વર્ષ નડિયાદમાં ગાળ્યા હતા, જ્યાં રહી કાર્ય પર લાંબી રજાઓ ભોગવી હતી. નડિયાદમાં મારે પગાર વધવાનો વેત નહોતે, એથી ડેપ્યુટીઓએ બીજે બદલી કરાવી પગારમાં વધારો કરાવવા પ્રેરણા કરી હતી; પણ મેં જે મિષથી મને હાનિ પહોંચી હતી તેથી જ મારી વૃદ્ધિ કરવાનો સંકલ્પ કર્યો હતો તેથી નડિયાદ છોડી બીજે જવાની ના પાડી હતી. ઇશ્વરે મારો સંકલ્પ સિદ્ધ કર્યો અને હું ૫૧ વર્ષની વયેજ સંતોષ માની પંચાવન પુરા થયા પહેલા નોકરીથી છૂટો થયો.
મૂળથી જ હું છુટા વિચારને, સાકર માંખણ ધરાવી મેટાઓના મન મેળવનાર નહોત, પણ પ્રસંગે સત્ય વાતને મારી વાણથી નિંદર્શન કરી જ્ઞાનવાન મહજને અને તેવાજ મહીશોના મન આકનારો હતા, તેને માટે એકજ ઉદાહરણ અત્ર આપું છું –
Page #196
--------------------------------------------------------------------------
________________
ગણપતરામ રાજારામ ભટ્ટ
નામદાર શ્રીમંત સયાજીરાવ ગાયકવ્રાડની સવારી સન ૧૮૮૫ ના એપ્રીલમાં પેટલાદ. મહાલમાંથી પાછી ફરતા વડેદરે જવા નડિયાદ સ્ટેશને આવી હતી; એ સમયે નડિયાદના દેશાઈ બેચરદાસ વિહારીદાસે તેમના સન્માન માટે સ્ટેશન પાસે શમિયાને ઉભે કરી સારે સમારંભ કર્યો હતો. તે તકે મહારાજાને સંભળાવા મારા હિતેચ્છુ મિત્ર માસ્તર મનસુખરામ નરસીદાસના આગ્રહથી મેં એક કવિતા આગળથી રચી રાખી હતી, જે મહારાજા શ્રીના સન્માનની પ્રક્રિયા પૂર્ણ થતા તેમને શ્રવણ કરાવવા હું તે નામદારના સન્મુખ , તે વખતે નડિયાદના સબજજ રા. સા. હરિલાલ સત્યવાદીએ મને કહ્યું કે–“ વખત થોડે છે માટે selected portion ( પસંદ કીધેલો ભાગ ) વાંચજો.” કહ્યું કે, “ જે છે તે તેવું જ છે. ” કવિતા મહારાજાની પ્રશંસાની નહોતી, પણ રાજાને ઉપયુક્ત તત્વ બોધની આશીર્વાદ યુક્તની હતી. તેના આરંભન દોહરો આ પ્રમાણે હતો:
દેહેરે. “ રાવ વખાણ કરી જલે, કંઈ કવિ શુભ શરપાવ,
રાવ બોધ કરી રીઝ શુભ, માંગુ સયાજીરાવ.” મારી કવિતા અર્ધિક વંચાતા મહારાજાના સેક્રેટરીએ–તેઓ શ્રીને સ્પેશીઅલ ટ્રેન ઉપડવાના સમયની સ્મૃતિ આપી, એથી મહારાજાએ “ વૈચ ” કાઢી જોઈ ચંચળ વૃતિ કરી, તે સમયે મેં કહ્યું કે રાજાઓ પ્રત્યેક કામ માટે ઘડિયાળ કાઠી વખત સામે જુએ છે. પણ કવિઓ તથા કારીગરે તેમને માટે જે કરે છે તેમાં તેમ કરતાં નથી. ” મારું આ કહેવું સાંભળી મહારાજા શ્રી ઉભા થએલાં છતાં મુખ મલકાવી પિતાના આસન ઉપર બેસી ગયા, અને મારી કવિતા સંપૂર્ણ લક્ષપૂર્વક એક ચિતથી સાંભળી બહુ પ્રસન્ન થયાં, અને મનન કરવા તે માંગી લીધી. એ પછી ટ્રેનમાં બેસતાં તેમને વડોદરે હું જાઉં તો તેમને મળું એવી ઈચ્છા જણાવેલી. તે ઉપરથી નડિયાદના નાગર સંગ્રહસ્થ, રા. રા. મોતીભાઈ રૂધ્ધનાથજી પંડયાએ એ વાતની ખબર મને કરી હતી પણ કાળ બળે તેવો ચોગ આવ્યો ન હતો.
સંવત ૧૯૫૮ ના જેષ્ટ માસમાં કચ્છના નામદાર મહારાવ શ્રી ખેંગારજી સવાઈ બહાદુરનાં કુંવરી શ્રી બ. કુંવરબાના લગ્ન પ્રસંગની કંકોત્રી આવવાથી હું ત્યાં ગયો હતો. ભુજનગર જતાં ગાડાનું પૈડું મારે
૧.
Page #197
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી :
ડાબે પગે ભીસાવાથી મને મોટી ઈજા થઈ હતી, એથી ત્યાં એક માસ પર્યત ખાટલો લેવો પડ્યો હતો. એ વખતે કવિઓ અને સુજને મારી પાસે આવતા અને દીલગીર થઈ મને કહેતાં કે, અહિં આવ્યાને કશો લહાવ કે લાભ લેવા નહિ, એ ખોટું થયું. હું તેમને કહેતો કે દેવઈચ્છા બળવાન છે; આપણું ધાર્યું થતું નથી, ઉપરથી આમ કહેતે, પણ મનમાં નિશ્ચય હતા કે, ઈશ્વર મારું ધાર્યું પાર પાડશે, અને મારૂ અત્ર આવવું સાર્થક થશે. મહારાવશ્રીની મુલાકાત થતાં તેમને મારે શું સંભળાવવું એ વાતને નિશ્ચય કરી ખાટલામાં પડે પડે મેં કંઈક કવિતા કરી હતી. જરા ટટાર થતા મેળાપને યોગ આવતાં તે સંભળાવી, એથી તેઓ એટલાં પ્રસન્ન થયા કે, મારો સત્કાર બીજા કવિઓ કરતાં શ્રેષ્ટ થયો હતો. મારી કવિતામાં મહારાવશ્રી પાસે મારું આવવાનું કારણ, તેમને વિષે શું જોયું તથા આશીર વચન, આ ત્રણ વાત હતી. જે તેઓ શ્રીએ પ્રસંન્ન વદને એકાગ્ર થઈ સાંભળી કવિતાવાળે કાગળ મારી પાસેથી માંગી લઈ તેમાંની કવિતાઓનું લક્ષપૂર્વક અવલોકન કર્યું હતું. હું મારે ઉતારે જતાંજ રૂા. ૧૫૦) ની શીખ મારે માટે એ પછી દરબાર તરફથી આવી હતી.
ભાવનગરનાં જોઇન્ટ સેશન જજ રા. રા. મોતીલાલ ત્રીભોવનદાસ સટ્ટાવાળા જે વગર મળે મારી ગ્રંથ કૃતિ આદિથી મારા મિત્ર થયા હતા. તેમના આગ્રહથી તેમને મળવા હું સંવત ૧૯૬૧ ના ભાદરવામાં ભાવનગર ગયો હતો. ભાવનગરના એ સમયના દિવાન રા. રા. પ્રભાશંકર દલપતરામ પટણીનાં સૌજન્ય વિષે મેં પુપર સારું સાંભળ્યું હતું, એથી ત્યાં ગયા પછી તેમને મળે, અને સાંભળ્યા પ્રમાણેના તેમના સુગુણનો અનુભવ કર્યો છે કે હું તેઓને ઓળખતે નહોતું, પણ તેઓ મને નામથી જાણતાં, એથી તેમની મુલાકાતને લાભ સારી રીતે મળ્યો. તેઓશ્રી સાહિત્ય ભોગી અને કવિતા કરી જાણનાર હોવાથી તેમની સાથે સ્વલ્પ સમયમાં કાવ્ય વિનોદ કરવાથી મારાથી તેમને બહુ આનંદ ઉપજેલો મેં જોયો હતો. તેઓશ્રીએ ભાવનગરના નામદાર ઠાકોર શ્રી ભાવસિંહજીની મુલાકાતનો યોગ કરી આપવાથી હું તે નામદારને મળ્યો હતો અને મુલાકાતમાં તેઓ શ્રીને આશીરવાદની કવિતા સંભળાવી હતી. એથી તે નામદાર ઉદાર નૃપતિ તરફથી રૂ. ૧૫૦) શીરાવના મને મોકલવામાં આવ્યા હતા.
આજ સુધીમાં કચ્છ દરબાર તરફથી મારા ગ્રંથોને બીજા સ્થળો કરતાં સારું ઉત્તેજન મળ્યું છે. મૂળથી જ કચ્છ દરબાર કવિઓનો આશ્રય
૯૨
Page #198
--------------------------------------------------------------------------
________________
ગણપતરામ રાજારામ ભટ્ટ
સ્થાન છે; હાલના મહારાવશ્રી ખેંગારજી સવાઈ બહાદુર કવિઓના કદરદાન છે; તેમના મૂળ દિવાન બહાદુર મણીભાઈ જશભાઈ ગુર્જર સાહિત્યની વૃદ્ધિના સંપૂર્ણ સહાયક હતા તથા તેમના પછી મહારાવશ્રીના મંત્રી રા. રા. છેટાલાલ સેવકરામ, જે જાતે જ ઉત્તમ કવિ છે, જેમના હાથમાં ભાષા સાહિત્યને ઉતેજન આપવાનું સેપવામાં આવ્યું છે; કચ્છ રાજ્ય તરફથી ગ્રંથકારેને સારું અનુમોદન મળવાનાં કારણ એજ છે. અત્યાર સુધીમાં પ્રસંગેપાત મારા હાથે લખાયેલી એક એક ફર્માની સાત નાની ચોપડીઓ છપાઈ છે; આરેગ્યતા અને સ્વચ્છતાને તથા શૌર્ય વિશે નિબંધ અને કેટલીક પ્રાસ્તાવિક કવિતાઓ છપાવવાની છે; પણ મારા જે ગ્રંથા લેકપ્રિય થઈ છપાઈ પ્રસિદ્ધ થયા છે, જેની સંખ્યા દશની છે; તેણેજ ભારો યશ વિસ્તાર્યો છેજે નીચે પ્રમાણે છે – (૧) લીલાવતી કથા (૨) ભરૂચ જીલ્લાને કેળવણુ ખાતાને ઈતિહાસ (૩) પ્રતાપ નાટક (૪) મનેવિકાર તથા આશા નિરાશા વિષે નિબંધ (૫) લઘુભારત ભાગ ૧ (આદિ, સભાપર્વ) (૬) લઘુભારત ભાગ રજે (વન પર્વ) (૭) લઘુભારત ભાગ ૩જો (વિરાટ તથા ઉદ્યોગ પર્વ). (૮) લઘુભારત ભાગ (ભીષ્મ, દ્રોણ, કર્ણ શલ્ય શકિતક તથા
સ્ત્રી પર્વ ) (૯) બાળલગ્નથી થતી હાની વીશે સરસ્વતી ગુણવંતની કથા (૧૦) પાર્વતી કુંવર ચરિત્ર
છેલ્લા બે ગ્રંથે ગુજરાત વર્નાકુલર સોસાયટીઓ છપાવ્યા છે.
૧૧)
અમદાવાદ, તા. ૨૯-૧-૦૭.
સંવત ૧૯૬૩ માઘ શુકલ ૧૫ મંગળવાર
. . . . ભટ,
૩
Page #199
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
રા. બા. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી
રા. રા. કમળાશંકર પ્રાણશ'કર ત્રિવેદીનેા જન્મ વિ. સં. ૧૯૧૩ ના આશ્વિન માસના કૃષ્ણપક્ષની અષ્ટમીને દિવસે, એટલે ઇ. સ. ૧૮૫૭ના અટેમ્બર માસની ૧૧મી તારીખે સૂર્યપુર ( સુરત ) માં થયા હતા. તે વખતે એમના પિતાનું ઘર આમલીરાન (જ્યાં હજી પણ નાગરેાની ઘણી સારી વસ્તી છે, ત્યાં ) આગળ હતું. એમનું હાલનું મકાન હાડિયે ચકલેથી અંબાજીના દહેરા તરફ જતાં ડાબા હાથ પર આવેલું છે.
નિર્દોષ અને સાત્ત્વિક આનંદથી ભરેલાં પ્રથમનાં પાંચછ વર્ષ પૂર થયાં એટલે એમના વિદ્યાભ્યાસના આરંભ થયા, અને એમને ઈચ્છારામ મહેતાની એડિઆ નિશાળમાં મૂકવામાં આવ્યા. એ મહેતાજી હિસાબમાં ઘણાજ હેાશિયાર હતા; ‘ એક પૈસાનું શેર તેા નાસરીનું શું ? એવા એવા ઝીણા પ્રશ્નો પણ એ પૂછતા, એ પ્રશ્નોના ખરા ઉત્તર મળેથી સંતુષ્ટ થતા, અને ખરા ઉત્તર ન આપી શકે એવા ઠાઠ નિશાળિયાને પેાતાની લાંબી સેટી વડે ચમકાવતા. નિશાળેામાં સોટીના ઉપયાગ એ વખતે સાધારણ હતા, અને ઈચ્છારામ મહેતાજી માથા લગણ પ્હોંચે એવી પેાતાની લાંખી સાટી વડે ચેાગ્ય સમયે અને યેાગ્ય પાત્ર ક્લેઈને જે દાન કરતા તેમાં તેમનું ઔદાર્ય અથવા બુદ્ધિચાતુર્ય ખીજા શિક્ષકા કરતાં વિશેષ હતું એમ માનવાનું કંઈ પણ કારણ નથી. એમની નિશાળ ઘણી નામીચી હતી. એમના પુત્ર વલ્લભરામ, ગોપીરાની પ્રેમચંદ રાયચંદ કન્યાશાળાના હેડ માસ્તર હતા. “તાહને વઢો મુળા: ” એ શિક્ષણશાસ્ત્રના પ્રાચીન સૂત્રને અનુસાર આંક અને હિસાબનું જે શિક્ષણ તે વખતે ૬-૭ વર્ષના બાળકને મળ્યું હશે તે હાલના કરતાં ઘણું ચઢીઆતું અને સંગીન હશે એમાં સંશય નથી.
એકડિયા નિશાળનું એ શિક્ષણ પૂરું થતાં રા. કમળાશ’કરને ગેાપીપરાની છઠ્ઠા નંબરની મ્યુનિસિપલ ગુજરાતી નિશાળમાં મેકલવામાં આવ્યા. એ સમયે સુરતમાં મહેતાજી'ની માનભરી પદવી મેળવવાને ભાગ્યશાળ થયલા અને પેાતાના કર્તવ્ય બજાવવાની કુશળતા વડે વિશેષ નામાંકિત થયલા એવા ત્રણ શિક્ષકો સર્વે નાગર બ્રાહ્મણ જ્ઞાતિના હતા, અને એ સર્વે સુરતના જાણીતા સુધારક દુર્ગારામ મછારામ મહેતાજીના શિષ્ય હતા એ વાત ખાસ લક્ષ ખેંચે એવી છે. સુરજશંકર મહેતાજી સગરામપરાની નિશાળમાં હતા, ત્રિપુરાશંકર મહેતાજી ભાગાતળાવ આગળની પહેલ
૯૪
Page #200
--------------------------------------------------------------------------
________________
રા. બા. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી.
નંબરની નિશાળમાં હતા, અને કેશવરામ મહેતાજી ગોપીપરાની છઠ્ઠા નંબરની નિશાળમાં હતા. એ મહેતાજીઓ આળસુ અને બેદરકાર નહોતા, પણ તન દઈને શિખવતા અને છોકરાઓ તરફ વાત્સલ્યભાવથી જોતા. ત્રિપુરાશંકર મહેતાજી અને કેશવરામ મહેતાજીની નિશાળો વચ્ચે હમેશાં ભારે સ્પર્ધા ચાલતી. મેહનલાલ રણછોડલાલ ઝવેરી તે વખતે ડેપ્યુટી હતા. તેમને દબદબો ભારે હતો અને તેમનું માન હાલના “ડિપટી ઓ કરતાં વિશેષ હતું. રા. કમળાશંકર ગોપીપરાની નિશાળમાં શીખતા ત્યારથી સ્વ. રતિરામ દુર્ગારામ પણ તેમની સાથે જ હતા, અને કોલેજ સુધીનો અભ્યાસ પણ બેઉએ સાથે રહીને કર્યો હતે.
એ વખતના પ્રાથમિક શિક્ષણ વિષે આપણે કેટલુંક કહી ચૂક્યા, તો તેની સાથે એ વખતની રમતે વિષે પણ બે બોલ કહેવા ઠીક પડશે; કારણ કે રમત અભ્યાસથી શ્રમિત થયેલા કે શિક્ષકની સોટીના સન્તાપથી સીઝાઈ ગયેલા ચિત્તને વિશ્રાન્તિ અને વિનોદ આપવા ઉપરાંત, માણસના બુદ્ધિબળ અને નીતિબળ વધારવામાં પણ ઘણે ઉપયોગી ભાગ ભજવે છે. મુખ્ય રમતમાં ગિલ્લીદંડા, મંજા, હરમાનનું પૂછડું–એ ગણાવવા જેવાં છે. તે વખતે ક્રિકેટની વધારે સુધરેલી પણ વધારે ખરાળ રમત પ્રચારમાં આવી નહોતી, પણ ગિલ્લીદંડાની રમત વધારે સાધારણ હતી. વળી, હોળીનું તોફાન તે વખતે હાલના કરતાં કંઈ ઓછું નહોતું; પણ તે વખતે હમણાંના વેગણુયુદ્ધ'ને બદલે “વાંસડાયુદ્ધ ચાલતું. એવા યુદ્ધમાં ભાગ લેનાર વીર બટકોમાંના એક રા. કમળાશંકર હતા. પણ જેઓને પુસ્તકનો પ્રેમ વિશેષ હોય તેવાઓના કર્મનું ક્ષેત્ર જુદું જ હોય છે, અને તેઓ રણક્ષેત્રમાં વિજયવન્ત નીવડીને અન્યને ઈર્ષાના કારણે થાય એવું કવચિતજ બને છે. રા. કમળાશંકરે પણ વાંસડયુદ્ધની વીરતાને લીધે બટુકવર્ગમાં વિશેષ વિખ્યાતિ મેળવી હોય એમ જણાતું નથી.
બાર વર્ષની ઉમ્મરે રા. કમળાશંકરનો ગુજરાતી સાત પડીને અભ્યાસ પૂરો થયો. એમના સહાધ્યાયી સ્વ. રતિરામે ગુજરાતી નિશાળ છેડી કે તરતજ અંગ્રેજી માટે બ્રાંચ સ્કૂલમાં જવા માંડયું. પણ રા. કમળાશંકરના પિતાને વિચાર એમને અંગ્રેજી ભણાવવાનો પાકો થયો નહોતો તેથી એક વરસ વિચારમાં ને વિચારમાં નીકળી ગયું. ત્યાર પછી એમણે બ્રાંચ સ્કૂલમાં જવા માંડયું. તે વખતે એ સ્કૂલના હેડમાસ્તર તરીકે મણિધરપ્રસાદ તાપીદાસ નામના નાગર ગૃહસ્થ હતા. તેમનું શિક્ષણ સચોટ
૯૫
Page #201
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
અને સંપૂર્ણ હતું અને જે વિષય તેઓ શિખવતા તેની છાપ એવી ચોક્કસ પડતી કે બુદ્ધિમાન શિષ્યના મગજ પરથી તે તે કદી પણ ખસતી નહીં. દરેક વિદ્યાર્થીને અકેક ધારણમાં આખા વર્ષ સુધી રાખવાની પદ્ધતિ તે વખતે નહોતી, પણ ત્રણ ત્રણ મહિને કે છ છ મહિને પરીક્ષા લેવામાં આવતી, અને તેમાં જે છોકરાઓ સારી રીતે પસાર થતા તેમને ઉપલા ધોરણમાં રહડાવવામાં આવતા. રા. કમળાશંકરે અંગ્રેજીનાં ત્રણ ધોરણે દોઢ વર્ષમાં પૂરાં કર્યો અને પછી હાઇસ્કૂલમાં ગયા.
અગાઉ એ હાઈસ્કૂલને માટે સરકારી મકાન નહોતું. જ્યાં પ્રથમ અંગ્રેજોની કોઠી હતી અને હાલ જ્યાં ડે. ડોસાભાઈ કૂપરનું મકાન છે તેની પાસેના એક ખાનગી મકાનમાં (જેમાં હાલ મિશન સ્કૂલ છે તેમાં) હાઈસ્કૂલનું શિક્ષણકામ ચાલતું. પણ ઈ. સ. ૧૮૭રમાં, હાલ જે છે તે સરકારી મકાન હાઈસ્કૂલને માટે તૈયાર થયું, અને એજ વર્ષથી રા. કમળાશંકરે એ મકાનમાં અભ્યાસ અર્થે જવા માંડયું. માસિક પરીક્ષાના પરિણામ પ્રમાણે દરેક વર્ગમાં પહેલા બેત્રણ છેકરાઓને લશિપ આપવામાં આવતી, અને રા. કમળાશંકરને પણ એવી ઑલશિપ મળી હતી. ચેથા ધોરણના બે વર્ગ હતા. એકમાં શિક્ષક તરીકે આત્માશંકર (ત્રિપુરાશંકર મહેતાજીના પુત્રો હતા, અને બીજામાં સ્વ. હરિસુખરામ હતા. બેઉ વર્ગની વચ્ચે ભારે હરીફાઈ ચાલતી, પણ તેમાં રા. આત્માશંકરનું શિક્ષણ વધારે વખણાતું. એમને ઉદ્યોગ, એમની આવડત, અને એમની પ્રામાણિક્તા બ્રાંચ સ્કૂલના તે વખતના હેડમાસ્તર મણિધરપ્રસાદના જેવાંજ હતાં. ચોથા ધોરણમાં પસાર થઈને રા. કમળાશંકર પાંચમા ધોરણમાં ગયા. ત્યાં તેમના શિક્ષક દલપતરામ હતા. તેઓ શાન્ત સ્વભાવના, પણ ખંતથી શિષ્યના ઉપર કંઇક છાપ પાડી શકે એવા હતા. છઠ્ઠા ધોરણમાં, હવે રિટાયર થયેલા મી. દોરાબજી એદલજી ગીમી, સ્વ. રેવાશંકર (જેઓ પણ ત્રિપુરાશંકર મહેતાજીના પુત્ર હતા તે), અને વલ્લભરામ, એ ત્રણ શિક્ષકનો લાભ એમને ચેડા થડા વખતને માટે મળે.
સાતમા ધોરણમાં, હાલના પ્રખ્યાત પ્રો. ખા. બ. જમશેદજી અરદેશર દલાલના (જે તે વખતે એ સ્કૂલના હેડમાસ્તર હતા તેમના) હાથતળે રે. કમળાશંકરને ઉત્તમ શિક્ષણ મળ્યું, અને એઓ તેમની ખાસ પ્રીતિનું પાત્ર થઈ પડ્યા. એ પ્રીત એવી હતી કે ખા. બ. દલાલની સુરતથી
Page #202
--------------------------------------------------------------------------
________________
રા. બા. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી
અમદાવાદ હાઈસ્કૂલમાં બદલી થયેલી ત્યાર પછી તે અમદાવાદમાં પણ પિતાના સુરતના શિષ્ય કમળાશંકરના વખાણ કરતા, અને તેનો દાખલો લેવાનું બીજા વિદ્યાર્થીઓને કહેતા.
સુરતમાં તે વખતે ફર્સ્ટ ઍસિસ્ટંટ તરીકે પ્રખ્યાત મિ. ભાભા, જેઓ થોડો જ વખત પહેલાં મિસોરમાં કેળવણીખાતાના સૌથી ઉપરી અમલદાર હતા, તે હતા. એઓ જ્યારે શિક્ષક થઈને આવ્યા ત્યારે ખા. બ. દલાલે છોકરાઓને તેઓનાં સદ્ભાગ્યને માટે અભિનંદન આપ્યું હતું અને મિ. ભાભાની ઘણી પ્રશંસા કરી હતી. પણ એ સભાગ્ય લાંબા વખત સુધી ટયું નહીં, કારણ કે તેઓ એ નિશાળમાં બેત્રણ મહિના જ રહ્યા. ત્યારપછી વલ્લભરામ ફર્સ્ટ આસિસ્ટંટનું કામ કરતા હતા.
વર્ષના મધ્યભાગમાં થોડો વખત હેડ માસ્તર તરીકે દી. બ. અંબાલાલ સાકરલાલ અને સિસ્ટંટ તરીકે મી. ગીમી હતા. દીવાન બહાદુરની શિક્ષણપદ્ધતિ ખા. બ. દલાલ કરતાં કંઈક જુદા પ્રકારની હતી. બેઉનું શિક્ષણ અસરકારક હતું, પણ ખા. બ. દલાલ થડા વખતમાં ઘણું શિખવવાની વૃત્તિ રાખતા, અને નઠારામાં નઠારા છોકરા કંઈક જાણે, પણ સારા છોકરાઓ તેનાથી ઘણું વધારે જાણે એવું પરિણામ લાવવાનો પ્રયત્ન કરતા, ત્યારે દી. બ. અંબાલાલ થોડુંજ શિખવતા પણ તે પાકું શિખવતા.
એ સમયે મોટ્રક્યુલેશનમાં અંગ્રેજી કવિતાઓનું વિવરણ (પરાક્રુઝ) કરવું એ ફરજિયાત હતું, અને છોકરાઓને જુદા જુદા કવિઓની સારી સારી કૃતિઓમાંથી ઉત્તમ ફકરાઓ શિખવવામાં આવતા હતા. રા. કમળાશંકર પાછળથી જ્યારે નડિયાદ હાઇસ્કૂલના હેડમાસ્તર થયા ત્યારે એમણે કાવ્યવિવરણ શિખવવા માટે એજ પદ્ધતિ સ્વીકારી હતી.
આ વખતે રા. કમળાશંકરના સહાધ્યાયીઓમાં રા. ઈચ્છારામ ભગવાનદાસ દલાલ (જેઓ થોડા વખત પહેલાં પૂનામાં ઍ. ડાયરેકટર
ઑફ એગ્રિકલ્ચર હતા તે), રા. ગાંડાભાઈ ઈદ્રજી (જેઓ ડેપ્યુટી કલેક- ટરનો ઓદ્ધો ભેગવે છે તે), રા. છગનલાલ કાજી (જે હાલ જુનાગઢમાં એક મેડિકલ ઑફિસર છે તે), હોસંગજી વાણિયા (અમદાવાદના જાણીતા વકીલ) એ મુખ્ય હતા. સ્કૂલમાં એમને પિતાને નંબર ઘણુંખરૂં પહેલો રહેતો.
તે વખતના પ્રિન્સ ઑફ વેલ્સ અને સ્વ. રાજાસાહેબ સાતમા એડવર્ડ જે વર્ષે મુંબઈ આવ્યા તે વર્ષે, એટલે ઈ. સ. ૧૮૭૫માં, રા. કમળા
Page #203
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
શુષ્કર મટ્રિકયુલેશનની પરીક્ષામાં બેઠા. એ વખતે એમની ઉમ્મર ૧૭ વર્ષની હતી. મૅટ્રિક્યુલેશનની પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓને લખવા ઉપરાંત, મ્હાડાની પરીક્ષા પણ આપવી પડતી. અંગ્રેજીનું પરિણામ જણાયા પછી એ પરીક્ષા લેવાતી, અને અંગ્રેજીમાં જે પસાર થયા હોય તેએતેજ એ પરીક્ષા આપવાના શ્રમ લેવાની, પરીક્ષકો જાણે અજાણે બાળક છેાકરાને ગભરાવી મૂકે તે તે ગભરામણ સહન કરવાની, અને અન્તે સામા ું જે કઇ પરિણામ આવે તેના હશોક પામવાની જરૂર પડતી. આ સઘળાંની રા. કમળાશકરને પણ જરૂર પડી, અને આખરે એ પરીક્ષામાંથી તેઓ ઉત્તીર્ણ થયા.
પણ “ માટલીપુટી”ની “માથાકુટી'માંથી છૂટયા એટલે સઘળીજ માથાકૂટને અન્ત આવ્યો એમ નહેાતું. આગળ અભ્યાસ કરવાને માટે છે!રાને મુંબઇ મેકલવે! કે કેમ, એને કાલેજનું શિક્ષણ આપવું કે ડિસ્ટ્રિકટ પ્લીડરની પરીક્ષામાં મેાકલીનેજ સન્તોષ માનવેા, એ મહાપ્રશ્ન રા. કમળાશંકરના પિતા આગળ આવીને ઉભે! રહ્યો. અંગ્રેજી ભણવાના જેતે વિચાર કાચા હતા તે પિતાના સ્વતંત્ર રીતને નિર્ણય કેવા પ્રકારનો થયા હતા એ વિષે કલ્પના કરવી નિરર્થક છે. રા. કમળાશંકરનું પોતાનું વલણ સ્વાભાવિક રીતે મુંબઈ જઈ ને આગળ અભ્યાસ કરવા તરફ હતું. પણ છેવટને નિર્ણય કરવાનું કામ તેમના હાથમાં નહોતું. આ સમયે તેમના મનમાં ઘણા ગુંચવાડા થતા, અને શું કરવું તે તેમને સૂઝતું નહીં. એમના સહાધ્યાયી મિત્ર રા. ઇચ્છારામ ભગવાનદાસે તા એમને કહ્યું કે “હું જો તમારી જગાએ હાઉં તે એમને એમ ઘરમાંથી પેાલ થઇ જાઉં.” પણ તેમ કરવાની વૃત્તિ એમનામાં બિલકુલ હતી નહીં. આખરે એ બાબતમાં ખા. ખા. દલાલની સલાહ લેવામાં આવી. તેમણે જણાવ્યું કે “ તમે મુનસફની પરીક્ષામાં પણ એક મહિનામાં પાસ થશે. પણ ધૃષ્ટતાની તમને જરૂર પડશે તે તમારામાં નથી. માટે તમે શિક્ષક થાઓ. કાલેજને અભ્યાસ કરવા માટે જો પૈસાની મદદ તમારે જોઇતી હોય તો તે મદદ હું આપીશ.
""
એ સલાહ પ્રમાણે મુંબાઈ જવાને ટરાવ થયા, અને રા. કમળાશકરે ઇ. સ. ૧૮૭૬માં મુંબાઇની એલિફન્સ્ટન કૉલેજમાં દાખલ થઈ ને પેાતાને અભ્યાસ શરૂ કીધા. ખા. ખ. દલાલે પૈસાની જે મદદ આપવાનું કહ્યું હતું તે એમને લેવી તેા નહાતીજ ને લેવાની એમને બિલકુલ જરૂર
૯૮
Page #204
--------------------------------------------------------------------------
________________
રા. બા. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી
પણ પડી નહીં, કારણ કે એમને પોતાના અભ્યાસ દરમ્યાન સ્કેલશિપ મળતી હતી. પહેલી ટર્મમાં દશ રૂપિયાની ઑલર્શિપ મળતી, અને પછી છમાસિક પરીક્ષાના પરિણામ પ્રમાણે બાકીના વર્ષમાં પંદર રૂપિયાની મળતી. જેઓને આવી ઑલર્શિપ મળતી તેઓને કોલેજની ફીના મહિને ત્રણ રૂપિયા આપવા પડતા, અને બીજા વિદ્યાર્થીઓને પાંચ રૂપિયા આપવા પડતા. છમાસિક પરીક્ષા લેવાતી તેને માટે અંગ્રેજી તથા સંસ્કૃતમાં અભ્યાસક્રમ બહારની વધારાની (extra) ચોપડીઓ આગળથી નક્કી કરવામાં આવતી અને તેમાંથી પ્રશ્નો પૂછાતા. મુકરર કરેલા અભ્યાસક્રમમાં તે વખતે નિબન્ધને સ્થાન અપાયું નહોતું, તોપણ અંગ્રેજી સારું શિખવવામાં આવતું, નિબન્ધો પણ લખાવતા, અને જે નિબન્ધો ઉત્તમ હોય તેના ઉપર
Princeps” એમ લખવામાં આવતું. રા. કમળાશંકરના લખેલા નિબધ ઉપર “ Princeps” એમ ઘણી વાર આવેલું. નિબન્ધ સિવાય ભાષાજ્ઞાનની કસોટી કરવા માટે પ્રશ્નપત્રોમાં ઘણી વાર વિવેચન કરવાનું પણ કહેવામાં આવતું.
પહેલે વર્ષે રા. કમળાશંકર, સ્વ. રતિરામ, રા. લલિતારામ, રા. લલિતાશંકર વ્યાસ એ સર્વે એકજ જ્ઞાતિના બધુઓ સાથે ભણતા. પણ રા. લલિતાશંકર એફ. ઈ. એ. માં નાપાસ થયા, અને રા. લલિતારામ, પરીક્ષામાં બિલકુલ બેઠાજ નહીં. એટલે એમને લાંબા વખત સુધીનો સહવાસ તે સ્વ. રતિરામની જોડે જ રહે. બેઉ સાથે રહેતા, સાથે ભણતા, સાથે રાંધતા, અને સાથે જમતા. બેઉ જ્યારે યુનિવર્સિટિના ફેલો નીમાયા ત્યારે તેમના માનને માટે સુરતની નાગર બ્રાહ્મણ જ્ઞાતિનો મેળાવડો કરવામાં આવ્યો હતો તે પ્રસંગે રે. રતિરામ તરફથી એ જૂની મૈત્રીના સમ્બન્ધ વિષે ઘણું અસરકારક નિવેચન કરવામાં આવ્યું હતું, અને રા. કમળાશંકર ના હૃદયમાં પણ એ પૂર્વકાળના છૂપાં સ્મરણો તાજા થઈ આવ્યાં હતાં.
એ વખતે એલ એલ. બી. ની ટર્મ આગળથી ભરી શકાતી હતી. પણ રા. કમળાશંકર તો દોઢ વર્ષ રહીને એફ. ઇ. એ. થવાના વિચારથીજ મુંબાઇ ગયા હતા, અને મુંબઈમાં વધારે વખત રહેવાનો એમને વિચાર નહોતો; વળી, રાઈનું કામ પણે હંમેશાં હાથે કરવાનું હતું એટલે તેમાં વખત જતે, તેથી એલ એલ. બી ની ટર્મ એમણે ભરી નહોતી.
કોલેજ તે વખતે ભાયખલામાં હતી. કોલેજમાં અભ્યાસક્રમ ત્રણ વર્ષને
Page #205
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
• હતા. વઝવર્થ, કોલેજના પ્રિન્સિપાલ હતા, પીટર્સને સંસ્કૃતના પ્રોફેસર હતા, અને ભાંડારકર એમના મદદનીશ હતા.
વર્ડઝવર્થની શિક્ષણપદ્ધતિ ઉત્તમ હતી. એ જે શિખવતા તે પરીક્ષા પાસ કરાવવાના હેતુથી નહીં, પણ ખરા ઉમંગથી શિખવતા. જે વિષય ‘શિખવતા હોય તેનું સારું જ્ઞાન આપવું એટલું જ નહીં, પણ તેમાં રસ ઉત્પન્ન કરે, તેમાં વિદ્યાથી ઓને આનન્દ પડે એવું કરવું, તેઓને એ વિષયના અભ્યાસનું વ્યસન લાગે એવું કરવું, એ તરફ એમનું ખાસ લક્ષ હતું. હાલમાં ઘણા પ્રોફેસરે કરે છે તેમ એ આખા કલાક સુધી ભાષણજ નહોતા આપ્યા કરતા, પણ ઘણી વાર વિદ્યાર્થીને પ્રશ્ન પૂછીને તેની પાસે ઉત્તર કઢાવતા. વવર્થ સાહેબ કલાસમાં આવે કે પ્રથમ વિદ્યાર્થીઓની હાજરી પૂરે, પછી એક વિદ્યાર્થીને ઊભો કરે, પિતે ભાષણ આપતા જાય, અને વચમાં વચમાં પિલા વિવાથીને ઓચિન્તા સવાલો પૂછતા જાય,–એ એમની શિખવવાની રીત હતી. એફ. ઈ. એ. ના વર્ગમાં ઈગ્લાંડનો ઈતિહાસ પહેલા વિલિયમથી તે ત્રીજા રિચર્ડ સુધી, અને ગ્રીસનો ઇતિહાસ આખો શીખવવાનો હતો. એ વિષય વર્ડ્ઝવર્થ શિખવતા. આખા વર્ષમાં એમણે ઈગ્લાંડનો ઈતિહાસ પ્રથમથી માંડીને પહેલા વિલિયમ સુધી–એટલે જ્યાંથી શીખવાનો શરૂ કરવાનો હતો ત્યાંસુધી –શીખવ્યો, પણ એટલામાં ઈતિહાસનું એવું તો સારું જ્ઞાન આપ્યું અને ઇતિહાસમાં એ તો રસ ઉત્પન્ન કર્યો કે તેની અસર રા. કમળાશંકર જેવાના મન ઉપર હંમેશને માટે રહી અને એમના હાથ નીચે ભણેલા વિદ્યાથીઓને, તેમજ એમનો અંગ્રેજીમાં લખેલ “ઈંગ્લાંડને સંક્ષિપ્ત ઇતિહાસ’ વાંચનારાઓને પણ તે અતિ લાભદાયી થઈ પડી. ઈતિહાસ શિખવતી વખતે વર્ડ્ઝવર્થ સાહેબ “ “Freeman's Sketch of European History" 342 514ડિઓ વાંચવાની સર્વને ભલામણ કરતા. ઈતિહાસ સિવાય બેકનની નિબબ્ધ અને શેકસપિયરનાં નાટક, એ પણ વવર્થ જ શિખવતા.
3. રામકૃષ્ણ ગોપાળ ભાંડારકરને પણ ઘણી ખંતથી શિખવવાની ટેવ હતી. એઓ સંસ્કૃત શિખવતા તે ઘણુંખરૂં છોકરાઓ પાસેજ ભાષા
ન્તર કરાવતા, અને જ્યાં પાઠફેર હોય ત્યાં આગળ કે પાઠ સારે છે તેનો નિર્ણય પણ તેમની જ પાસે કરાવતા. કહમ અંગ્રેજીના પ્રોફેસર હતા. એ અને 3. પીટર્સને બેઉ અંગ્રેજી
૧૦૦
Page #206
--------------------------------------------------------------------------
________________
રા. બા. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી
બોલતા તે સ્પષ્ટ અને સર્વથી સમજી શકાય એવી રીતે બેલતા. પીટસંન સાહેબ છોકરાઓને ઘેર પણ બોલાવતા, મળતાવડો સ્વભાવ રાખતા, અને સંસ્કૃતમાં જે શિખવવાનું હોય તે શાસ્ત્રીની સાથે રહીને વાંચ્યા પછી ઘણું મધુર ભાષામાં વિદ્યાર્થીઓ આગળ તે મૂક્તા.
એવા ગુરુઓની પાસેથી જ્ઞાન મેળવીને રા. કમળાશંકર ઈ. સ. ૧૮૭૭ના એપ્રિલ માસમાં એફ. ઈ. એ. ની પરીક્ષામાં બીજા વર્ગમાં પસાર થયા, અને એલફિન્સ્ટન કૅલેજના સઘળા વિદ્યાથીઓમાંથી એ પહેલે નંબરે પાસ થયેલા હોવાથી એમને રૂ. ૩૨૫નું પારિતોષિક મળ્યું. ત્યાર પછી,
અર્થશાસ્ત્ર અને ઈતિહાસને અચ્છિક વિષય લઈને એમણે બી. એ. ને અભ્યાસ શરૂ કર્યો, અને તેમાં પણ ઈ. સ. ૧૮૭૮માં બીજા વર્ગમાં એ પસાર થયા. હજી સુધી નહિ મળેલી, પણ હવે આગળના ભારે અભ્યાસને માટે તદ્દન આવશ્યક, દ્રવ્યની મદદ, રા. કમળાશંકરને એમના સુખી વડીલ તરફથી મળી નહિ હોવાથી, એલ એલ. બી. ને એમ. એ. થવાના વિચારો, બુદ્ધિબળ હોવા છતાં, વિચારમાત્રજ રહી ગયા; માત્ર શિષ્યવૃત્તિઓથી હડસેલાતું વિદ્યાર્થિજીવનનું વહાણ સ્વાભાવિક રીતે જ અટકી પડયું. ઉપર વર્ણવ્યું તે પ્રમાણે, વિદ્યાર્થિજીવનનાં દુઃખ વેઠીને, સાદાઈ અને સરળતાને સેવીને, જ્ઞાતિના સમ્સ નિયમોને દઢતાથી વળગી રહીને, સ્વાશ્રય અને સ્નેહનું અવલંબન કરીને, ઉદ્યોગ અને ખંતનું સામર્થ્ય ધરીને એમણે પ્રથમ આશ્રમના ધર્મનું પાલન કર્યું; અને જે કે, આપણું હાલના સમાજમાં એક આશ્રમના ધર્મ તે આપણે મુશ્કેલીથી બજાવી શકતા હોઈએ એટલામાં બીજા આશ્રમના ધર્મનો ભાર પણ આપણું શિર પર આવી પડે છે તેવું એમને પણ થયું હતું. તે પણ હવે એમનું વિદ્યાર્થિજીવન પૂરું થયું અને ગૃહસ્થાશ્રમની અનેક નવી નવી ફીકર ચિન્તાઓ એમના ઉપર આવી પડી.
પણ એમનું વિદ્યાર્થિજીવન પૂરું થયું એટલે હાલમાં અનેક ગ્રેજ્યુએટ કરે છે તેમ એમણે વિદ્યાને વિસારી મૂકી હતી એમ નહોતું. વિદ્યા તે એક દ્રવ્ય મેળવવાના સાધન તરીકે ઉપયોગની છે એવું એમને નહોતું લાગતું, પણ એમને વિદ્યા તરફ સ્વયંભૂ પ્રેમ હતો, અને કોલેજ છેડયા પછી પણ વિદ્યા વધારવા એ હંમેશ ઉત્સુક રહેતા. સંસ્કૃત ભાષા ઉપર તે એમને, મૂળથીજ વિશેષ ભાવ હતો. નહાનપણથી એમણે સંસ્કૃતનો અભ્યાસ સારો.
૧૦૧
Page #207
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર, ચરિત્રાવલી
કર્યાં હતા. એએ અંગ્રેજી ચેાથા ધારણમાં હતા ત્યારથી વિશ્વનાથ શાસ્ત્રીને ત્યાં સંસ્કૃત શીખવા જતા. એ વિશ્વનાથ શાસ્ત્રી તે સુરતના સુપ્રસિદ્ધ શાસ્ત્રી દિનમણિશંકર ( જેની કીર્તિ હિંદુસ્તાનમાંજ નહીં, પણ યુરોપના સંસ્કૃત ભાષાભિજ્ઞામાં પણ ફેલાયલી છે, જેના કીમતી પુસ્તકાલયના ડા. લર જેવા વિદ્વાનેા અને પ્રાચીન સાહિત્યશોધકોએ છૂટથી ઉપયેગ કરીને સંગીન સેવા બજાવી છે, જેએ સુરતના ચાર “દદ્દા’–(દુર્ગારામ, દલપતરામ, દાદોબા, અને દિનમણિશંકર )–માંના એક હતા, અને જેમણે વિલાયત જઈ આવનારા રા. સા. મહિપતરામ રૂપરામને પાયશ્ચિત્ત આપી પાવન કરીને આખી નાગરી ન્યાતના ઉપર હમેશને અને ભૂલાય નહિ એવા ઉપકાર કર્યો છે તેમના ) શિષ્ય હતા. વિશ્વનાથ શાસ્ત્રી સિવાય, સુરતના સગરામપરાના માર્તંડ શાસ્ત્રી પાસે જઈને પણ એમણે સંસ્કૃતને અભ્યાસ કરેલા. એ શાસ્ત્રીને ત્યાં જવામાં રા. બળવંતરાય ( જેએ હાલમાં સુરતના એક બાહોશ વકીલ અને આગેવાન શહેરી છે અને જેએ પણ ત્રિપુરાશકર મહેતાજીના પુત્ર થાય તે પણ ) એમની સાથે હતા. બન્ને સાથે ‘લઘુકૌમુદી’ના અભ્યાસ કરતા. બી. એ. થયા પછી રા. કમળાશ કર સુરતની નાણાવટમાં રહેનારા દુર્ગાશંકર શાસ્ત્રી પાસેથી · સિદ્ધાન્તકૌમુદી શીખ્યા, અને બાકીનું સંસ્કૃત જ્ઞાન એમણે પોતે પેાતાની મેળે સંપાદન કીધું. પણ વિદ્વત્તાભર્યા પુસ્તકા વાંચ્યા કર્યાંથી કંઈ પેટ ભરાતું નથી અને એકલી વિદ્યાને સેવ્યા કર્યાંથી કઇ વસ્તુની પ્રાપ્તિ થઈ શકતી નથી. રા. કમળાશંકરે પોતાનું વિદ્યાર્થિન પૂરું થયા પછી દ્રવ્યપ્રાપ્તિને માટે કયે
6
"
મા શેાધ્યા તે તરફ હવે આપણે વળીએ. જે વર્ષે એ બી. એ. માં પાસ થયા તેજ વર્ષે સર રિચર્ડ ટેપલના એવા રાવ હતા કે મહેસુલી ખાતાના તીજોરરની રૂા. ૩૫)ની જગા તરતના બી. એ. થયલાઓને આપવી. ત્યાં દોઢ વર્ષ સુધીને અનુભવ મેળવ્યા પછી મામલતદારી મળે એવી રીતની વ્યવસ્થા હતી. એ દોઢ વર્ષમાં higher અને lowerની પરીક્ષા આપવાની હતી. એ જગા માટે એમણે અજી પણ કરેલી અને જગા સુરત શહેરમાં ખાલી પણુ હતી. પણ સુરત શહેરમાં નીમણુક ન થતાં સુરતના માંડવી તાલુકામાં નીમણુક થઇ. ત્યાંનું પાણી ખરાબ, અને ત્યાં જવાથી એક સગાનું મરણ થયલું, તેથી એમના બાપ અને સસરા બેઉએ સખ્ત ના કહી, એટલે એ જગા લેવાના વિચાર એમણે માંડી વાળ્યો અને એ કેળવણી ખાતામાં દાખલ થયા. રા. ગુલાબદાસ નાણાવટી ( જે હાલ
૧૦૨
Page #208
--------------------------------------------------------------------------
________________
રા. બા. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી
કલાસ સબ જજજ છે ) સુરત મિશન હાઈ સ્કૂલમાંથી રજા પર ગુલા તેમની જગાએ શિક્ષક તરીકે એક મહીનો રૂ. પ૦)ને પગારે કામ કીધા પછી સરકારી હાઈ સ્કૂલમાં નવમા ઍસિસ્ટંટની જગા સબ પ્રેમ રૂ. ૫૫). ને પગારે અથવા મરજી હોય તો રાજકોટમાં રૂ. ૮૦)ને પગારે એમને મળે એમ હતું. એમણે રાજકોટની જગા પસંદ કીધી, પણ ઘરનાં માણસોને સુરત છેડી રાજકોટ જવાના વિચારથી ઘણો ખેદ થયે એટલે રાજકોટ જવાને વિચાર માંડી વાળ્યો અને તરત તાર કીધે કે “more willing for Surat: accidental reason” (pus Bidoul loc લીધે સુરતમાં નોકરી લેવાને વધારે ખુશી છું). સાડાચાર મહીના સુધી સુરતમાં નોકરી કીધા પછી દોઢ મહીને રહીને ઇ. સ. ૧૮૭૮માં ભરૂચ હાઈ સ્કૂલમાં રા. બા. પાર્વતીશંકરના હાથ નીચે રૂા. ૬૦)ને પગારે રા. ગગલ વનમાળી પાઠેકને ઠેકાણે એમની નીમણુક થઇ. તે વખતે શંકર પાંડુરંગ પંડિતની-ઓરિયેન્ટલ ટ્રાન્સલેટર-ઑફિસમાં રૂ. ૫૦)ની જગા ખાલી હતી. એ ખબર મિ. મોદક મારફત આવી હતી, પણ એ જગા લેવાથી આગળ કંઈ ઝાઝે લાભ મળે એમ જણાયું નહીં તેથી એની ના કહી.
ભરૂચ હાઈ સ્કૂલમાં એ નવ મહીના રહ્યા તે દરમ્યાન રા. બા. પાર્વતીશંકરની એમણે ઘણી પ્રીતિ સંપાદન કીધી. એમનું શિક્ષણ જોઈને, એમની કાળજી અને ખંત જોઈને, અને શિષ્યોમાં એમનો સાર ધાક રહેતે જોઈને એ ઘણા ખુશી થયા. પણ રા. બા. પાર્વતી શંકરની પ્રીતિનું સૌથી મોટું કારણ તો એમનામાં તે વખતે સત્યનો જે પ્રેમ જણાય અને સદ્વિચારની જે સ્વતંત્રતા જણાઈ તે હતું. એ સત્યપ્રીતિ અને એ વિચારસ્વાતંત્ર્યનો એક દાખલો આ સ્થળે આપ અપ્રાસંગિક નહીં ગણાય. એક વખતે પબ્લિક સર્વિસની પરીક્ષામાં સુપર્વાઇઝરનું કામ રા. કમળાશંકરને સોંપવામાં આવ્યું હતું. પરીક્ષામાં બેઠેલા એક વિદ્યાર્થીની ટેપીમાંથી લખેલા કાગળિઆ નીકળી આવ્યા. આથી રા. કમળાશંકરે એ કેસ કમિટિ આગળ રજુ કીધે. એ વખતે પબ્લિક સર્વિસની પરીક્ષા માટે ત્રણ જણની કમિટિ નીમાતી. એક હાઈ સ્કૂલના હેડમાસ્તર (રા. બા. પાર્વતીશંકર), તેમના પહેલા મદદનીશ શિક્ષક (રા. છબીલારામ દોલતરામ, જેઓ સુરતના એક ધર્મચુસ્ત નાગર બ્રાહ્મણ છે, તે), અને ડેપ્યુટી એન્યુકેશનલ ઈન્સ્પેકટર ( શાસ્ત્રી ગણપતરામ ). છબીલારામ તે વખતે સુરત
૧૦ ૩
Page #209
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
ગયા હતા, એટલે આ વિદ્યાર્થીના કેસને નિર્ણય કરવાનુ કામ રા. બા. પાવતીશંકર અને શાસ્ત્રી ગણપતરામનું હતું. રા. ગણપતરામને અભિપ્રાય એવા જણાતા હતા કે “ આપણે તે। વિદ્યાથી એએ કેટલી વિદ્યા સંપાદન કરી તેની પરીક્ષા કરવાની છે, આપણે કંઈ ચાલચલગતનાં પ્રમાણપા એ લેાકેા પાસેથી લેતા નથી; માટે એ વિદ્યાથીને જવા દેવા. '' પણ રા. બા. પાતીશંકરને એવી લુચ્ચાઇ તરફ ઘણા તિરસ્કાર હતા તેથી એ વિચાર માન્ય રહ્યો નહીં, એએ રા. કમળાશકરના મત સાથે મળતા આવ્યા, ‘ કાપી કરનાર શિષ્યને કઇ પણ શાસન કરવામાં ન આવે તે પછી સુપર્બોઇઝર રાખ્યાનું પ્રયાજન શું?” એમણે રા. કમળાશ કરને વાંસા હોકીને એમને શાખાસી આપી, અને પેલા વિદ્યાર્થીને ઘટતી શિક્ષા કરી.
રા. બા. પાર્વતીશકરે રા. કમળાશંકરને માટે ડૉ. સ્કૂલરને ભલામણ કરેલી તે પરથી એમને રૂ. ૮૦)ને પગારે અમદાવાદ હાઇસ્કૂલમાં ચોથા અસિસ્ટંટની જગા મળી. એ સ્કૂલમાં તે વખતે પાંચજ અસિસ્ટંટ હતા. છેલ્લા ઍસિસ્ટંટ રા. રણછેાડલાલ ખંભાતી ( જે હાલ સુરતની હાઇ સ્કૂલના હેડ માસ્તર છે તે ) હતા. બેસ્ટ સાહેબ હેડ માસ્તર હતા. ત્યાર પછી રા. કમળાશંકર ધીરે ધીરે નેકરીમાં ચડતા ગયા. વચમાં–ઈ. સ. ૧૮૮૨માં સુરત હાઈ સ્કૂલમાં દશ મહીના સારૂ એમની બદલી થયલી. તે વખતે જૂની ઢબના પ્રખ્યાત શિક્ષક મિ. ઉત્તમરામ નરભેરામ ત્યાં હેડ માસ્તર હતા. અમદાવાદની કાલેજમાં તે વખતે એકલી પ્રિવિયસનીજ કલાસ હતી. તે, સ્કૂલ સાથે જોડાયલી હતી, અને સ્કૂલ તથા કાલેજ બેઉના પ્રિન્સિપાલ તરીકે ખા. બ. જમશેદજી અરદેશર દલાલ હતા. એમને રા. કમળાશંકર ઉપર ઘણા પ્રેમ હાવાથી એમના આગ્રહથી સરખે પગારે એટલે રૂ. ૯૦) ને પગાર–એ સુરતથી પાછા અમદાવાદ હાઇ સ્કૂલમાં ત્રીજા અસિસ્ટન્ટ તરીકે આવ્યા, અને વધતાં વધતાં પહેલા ઍસિસ્ટંટ થયા. ખા. બ. દલાલના વખત કૅાલેજમાં જ જતા, એટલે સ્કૂલની વ્યવસ્થા મેટે ભાગે એમના હાથમાં રહેતી અને સાતમા ધારણમાં પણ એએજ શીખવતા.
ઇ. સ. ૧૮૮૯માં મિ. ઊનવાળાને કાગળ ખા. અ. દલાલ ઉપર આવ્યા તે પરથી ભાવનગરની સામળદાસ કાલેજમાં પ્રેફેસર તરીકે એમની નીમણૂક થઈ. રાજ્યના નાકર તરીકે પગાર રૂા. ૨૫૦) થી રૂા. ૩૫૦)
૧૦૪
Page #210
--------------------------------------------------------------------------
________________
રા. ખા. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી
સુધી, અને સરકારી નોકર તરીકે શ. ૩૦૦) સુધીના આપવાની ખુશી બતાવવામાં આવી. ખા. બ. દલાલે કહ્યું કે, “ ત્યાં રાજ્યના નાકર તરીકે વધારે પગાર મળે એમ છે, તેથી તમે ખુશીથી રાજીનામું આપીને જાએ. એ રાજ્યમાં કદાચ નહીં ફાવે તે! ખીજા કોઇ રાજ્યમાં હું તમને સારી નાકરી અપાવીશ. કેટલાક વખત વિચાર કર્યાં પછી રા. કમળાશ કરે સરકારી નોકર તરીકે જવું એજ વધારે સલામતીભરેલું ગણ્યું અને એ પ્રમાણેની ઇચ્છા એમણે દર્શાવી. પણ એ દરમિયાન, રાજ્યમાં નેકરીને લાભ થડા સમયને માટે લેવાની કઈક ખટપટ થયેલી તેને લીધે ત્યાંથી એવા જવાબ મળ્યા કે સરકારી નેકરી પર હક રાખી અહીં આવવાની ગેાઠવણ તમારે તમારી મેળે કરી લેવી. આ વાત અશક્ય હોવાથી ઇ. સ. ૧૮૮૯ થી ૧૮૯૦, એ એક વને માટે એમણે રજા લીધી, અને ભાવનગર ગયા. એ વર્ષ દિવસમાં તે કૅલેજમાં જાતજાતની ખટપટા જોઈ, રજવાડાની નાકરીથી કંટાળ્યા, અને રજા પૂરી થતે અમદાવાદ રૂ।. ૧૫૦)ને પગારે પહેલા ઍસિસ્ટંટ તરીકે પાછા ફર્યાં.
""
ભાવનગર છેાડવાના પ્રસંગ આવ્યા તે પ્રસંગે એમને કેટલાક પારઅંદરના છેકરાએ મળવા આવ્યા હતા, તેની સાથે વાતચીત થતાં અચાનક દ્વારકા જવાને વિચાર થઈ આવ્યેા. દલાલ સાહેબ તે વખતે અમરેલીના સુખા હતા, તેમને એ વિષે લખ્યું. તેમણે દ્વારકાના વહીવટદાર પર પત્ર લખીને હુ સારી રીતે વ્યવસ્થા કરી આપી; અને રા. કમળાશંકર સહકુટુંબપરિવાર પાલીતાણા, જુનાગઢ, ગિરનાર, પોરબંદર (સુદામાપુરી), વેરાવળ પ્રભાસપાટણ, ને દ્વારકા જઈ આવ્યા. એમને યાત્રાનેા શોખ વિશેષ હોવાથી એ સિવાય પણ ખીજી બીજી માટી યાત્રાએ એમણે કરેલી છે. શ્રીનાથજીની યાત્રા એમણે કરેલી તેનું સવિસ્તર વર્ણન રા. અતિસુખશંકર (એમના પુત્ર) નું લખેલું વસન્તમાં “ ચૌદ દિવસના ધાર્મિક પ્રવાસ એ નામથી પ્રસિદ્ધ થયું છે. તે સિવાય, ગયે વર્ષે દક્ષિણ તરફ ઠેઠ રામેશ્વર સુધીની યાત્રા એએ કરી આવ્યા હતા; અને મદ્રાસ, તિરૂપતિ (બાલાજી), શિવકાંચી, વિષ્ણુકાંચી, કુંભકામ્ કુંભધેણુમ્), ચિદંબરમ્, ત્રિચિનાપેલી ( ત્રિશિરઃપુરમ્ ), મદૂરા એ સવ જોવા લાયક સ્થળા જોઈ આવ્યા હતા. રામેશ્વર જતાં મદુરાની સેતુપતિ હાઈ સ્કૂલમાં મુકામ કર્યો હતા. ત્યાંના એટલા પર ખુરશી માંડીને એએ બેઠા હતા. તે વખતે ખુરશી અચાનક ઉથલી જવાથી એમને એટલાને પત્થર વાગ્યા હતા અને માથા પર સખ્ત ઘા થયા >
""
૧૦૫
૧૪
Page #211
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
હતા. તેને લીધે મદૂરામાં કેટલાક દિવસ સુધી એમને રોકાવું પડયું હતું. તે સિવાય, એ યાત્રા પણ નિર્વિઘ્ને સમાપ્ત થઈ હતી. સઘળી યાત્રાએ અને ત્યાંસુધી કુટુંબનાં સઘળાં માણસાને સાથે લઈ નેજ કરવી એવા એમને નિયમ છે.
ઇ. સ. ૧૮૯૧માં એલફિન્સ્ટન કૉલેજના ડૉ. પીટર્સન રજા પર ગયલા તેમની જગાએ, મિ. એલ. આર. વૈદ્યનું મૃત્યુ થતાં, રા. કમળાશંકરની નીમણુક થઇ. સંસ્કૃતના પ્રેફેસરની જગા મેળવનાર પહેલા ગુજરાતી એએજ હતા. પ્રે. આબાજી વિષ્ણુ કાથવટે અને ડૉ. રામકૃષ્ણ ગાપાળ ભાંડારકર, એ બેઉની ભલામણથી એએ પ્રિવિયસ, એક. બી.એ. ઇટર્બિડિયેટ, બી. એ.માં સંસ્કૃતના પરીક્ષક નીમાયા. મિ. કાથવટે અમદાવાદની કૉલેજમાં સંસ્કૃતના પ્રેફેસર હતા. તે વખત અમદાવાદની સ્કૂલના સાતમા ધારણમાં મોટે ભાગે કાલેજના પ્રાફ઼ેસરાજ શિખવતા. તે પ્રમાણે પ્રેા, કાથવટે પણ સ્કૂલમાં સંસ્કૃત શિખવતા. એમને રા. કમળાશંકર ઉપર ઘણા પ્રેમ હતા. એમની “ કાર્તિકૌમુદી ”નાં પ્રશ્ન એમણે રા. કમળાશંકર પાસે વંચાવેલાં. ડા. ભાંડારકરને પ્રેમ પણ તેવાજ હતા. સંસ્કૃત લઈ ને કાલેજને અભ્યાસ કરનારા ગુજરાતી વિદ્યાર્થીએની સંખ્યા,તે વખતે નહીં જેવીજ હતી. તેવા સમયમાં રા, કમળાશંકરને સંસ્કૃત ઉપર ઘણી પ્રીતિ હતી તે જોઈ ને ડૉ. ભાંડારકરને આનન્દ થતા. એક વખત ન્યાયના માસિક પરીક્ષાના એમના લખેલા પેપર એમણે કલાસમાં સઘળા વિદ્યાર્થીએ આગળ વાંચી સંભળાવ્યા હતા અને તેનાં વખાણ કીધાં હતાં. મિ. એલ. આર. વૈદ્યના મૃત્યુથી સંસ્કૃતના પરીક્ષકની જગા ખાલી પડેલી હોવાથી પ્રેા. કાથવટેએ જસ્ટિસ તેલગને લખ્યું કે પરીક્ષક તરીકે રા. કમળાશંકર નીમાવા જોઇએ.’ એ વિચારને ડા. ભાંડારકરે પણ ટેકા આપ્યા, અને ઇ. સ. ૧૮૯૧ થી ઇ. સ. ૧૮૯૭ સુધી એટલે સાત વર્ષ સુધી એએ એ પરીક્ષાઓમાં સંસ્કૃતના પરીક્ષક નીમાયા હતા. એ સાત વર્ષે એમણે પરીક્ષક તરીકે કામ કીધું, તેમાંનાં કેટલાંક વર્ષોમાં એમના સાથી તરીકે ડૉ. પીટર્સન હતા.
મુંબાઈની કાલેજમાં પ્રેાફેસર તરીકે કામ કીધા પછી ઇ. સ. ૧૮૯૨ ના જૂન માસમાં રા. સા. મહીપતરામના મૃત્યુ પછી રૂા. ૧૫૦)ની, પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજના વાઈફ્ પ્રિન્સિપાલની જગા નવી નીકળી અં. એમની બદલી થઈ. ઇ. સ. ૧૮૯૩માં ડેક્કન કૅાલેજમાંથી ડા. ભાંડારકર
૧૬
Page #212
--------------------------------------------------------------------------
________________
રા. બા. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી
રિટાયર થયા તેની જગાએ અમદાવાદના પ્રો. કાથવટેની નીમણુક થઈ, અને પ્રે. કાથવટેની સલાહ પ્રમાણે ગુજરાત કોલેજની ખાલી પડેલી જગા ઉપર નીમાવા માટે એમણે અરજી કરેલી અને બેર્ડના મેંબરે પણ એમની તરફેણમાં હતા. પણ ભાઈલ્સ સાહેબ (જે ઈન્સ્પેકટર હતા તેમણે) કહ્યું કે “સરકાર તમારી નોકરીને લાભ બોર્ડને આ પવા તૈયાર થશે નહીં.” તેજ વખતે એમના ઉપર ફીલ્ડ સાહેબનો તાર આવ્યો હતો, તેમાં પૂછયું હતું કે “એલફિન્સ્ટન કોલેજમાં જવા માટે તમે કમળાશંકરને મોકલી શકશો ?” એ તારને એમણે ઉપગ કર્યો અને ઇ. સ. ૧૮૯૩માં રા. કમળાશંકરની એલફિન્સ્ટન કોલેજમાં પ્રેફેસર તરીકે છ મહીના માટે નીમણુક થઈ. તે વખતે પીટરસન સાહેબ પણ તેજ કૅલેજમાં હતા, પણ તે અંગ્રેજી શિખવતા હતા. ઈ. સ. ૧૮૯૪માં પણ પાછી એ જ પ્રમાણે એમની નીમણુક થયેલી, અને દર વખતે બીજી ટર્મમાંજ નીમણુક થયેલી તે છતાં એઓ કૉલેજમાં દાખલ થતા કે પહેલે જ દીવસથી, ને શીખવાતી ચોપડીના ચાલેલા ભાગની આગળથીજ કલાસ લેવા માંડતા. ઇ. સ. ૧૮૯૫માં એઓ નડિઆદમાં હેડ માસ્તર તરીકે નીમાયા હતા. ઇ. સ. ૧૮૯૬-૯૭માં પૂનાની કોલેજમાં પ્રોફેસર તરીકે એમણે કામ કર્યું હતું. એ વખતે પણ એમણે કંઈ અરજી કીધી નહોતી, પણ ઓચિન્તી તાર મારફતેજ એમની નીમણુક થયેલી, અને તરત ત્યાં જઈને પોતાના શિક્ષણ વડે ત્યાંના સંસ્કૃત સાહિત્યના શોખીન વિદ્યાર્થીઓને સંપૂર્ણ સંતોષ આપેલો.
એજ અરસામાં એઓને મુંબઈ યુનિવર્સિટિના એક ફેલ તરીકે પસંદ કરવામાં આવ્યા. ઈ. સ. ૧૮૯૬–૯૭માં એક પ્રસંગે સેલ્બી સાથે કેટલીક વાતચીત થતાં એ સાહેબે પૂછ્યું કે “તમે સેનેટમાં આવવાના છો કે નહીં ?” રા. કમળાશંકરે કહ્યું કે, “હું ફેલો નથી એટલે મારાથી આવી શકાય નહીં.'
શું તમે ફેલ નથી ? “ એમ સેબી સાહેબે પૂછયું, અને તે વિષે પિતાની ડાયરીમાં નેધ રાખી. અને ઈ. સ. ૧૮૯૭માં રા. કમળાશંકર યુનિવર્સિટિના ફેલ થયા.
ઇ. સ. ૧૮૯૮-૯૯ માં એઓ પાછા નડિયાદમાંજ હેડ માસ્તર તરીકે રહેલા. એ સમયમાંજ પીટસન સાહેબનું મૃત્યુ થયું. એથી સંસ્કૃત પ્રોફેસરની જે જગા એલિફિન્સ્ટન કોલેજમાં ખાલી પડી ત્યાં રા. કમળા
૧૦૭
Page #213
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
શંકરે અગાઉ ત્રણ વખત તેમજ ડેક્કન કાલેજમાં પણ એક વર્ષ પ્રેાફેસર તરીકે કામ કરેલું હેાવાથી, એમની નીમણુક થવાના સંભવ જણાતા હતા, અને જાઇલ્સ સાહેબે એમને માટે ભલામણ પણ કરેલી, પણ તે જગા માટેની સ્પર્ધામાં એમની સાથે ડા. રામકૃષ્ણ ગોપાળ ભાંડારકરના પુત્ર મિ. શ્રીધર હતા, તેમને એ જગા મળી. એ જગા રા. કમળાશકરને ન મળી તે માટે જાઈલ્સ સાહેબે એમના ઉપર દિલાસાને પત્ર લખ્યા અને પ્રે. કાથવટેની જગાએ એમની નીમણુક કરવાનું વચન આપ્યું.
ઇ. સ. ૧૯૦૦-૦૧માં એમણે ભરૂચ હાઈસ્કૂલમાં હેડ માસ્તર તરીકે કામ કીધું. એએ ભરૂચ હાઈ સ્કૂલમા હતા તે દર્મિયાન જૂનાગઢમાં ખાઉદીન કાલેજ સ્થપાઈ અને ત્યાંથી તે વખતના દીવાન સાહેએ, ચુનીલાલ સારાભાઇએ પૃાવ્યું કે “તમે સંસ્કૃતના પ્રેફેસર તરીકે આવવા ખુશી છે ? ’’ જાઈલ્સ સાહેબની એ બાબતમાં સલાહ લીધી, તેમણે ના કહેવાથી રા. કમળાશંકરે એ જગાને માટે ના લખી માકલી.
ઇ. સ ૧૯૦૧ના જૂન માસમાં રા. કમળાશકર ભરૂચથી નડિયાદ પાછા આવ્યા. તે દર્મિયાન પ્રે. કાથવટેની જગા ખાલી પડી. એ જગા રા. કમળાશંકરને મળે તેને માટે જાઈલ્સ સાહેબે ધણા પ્રયાસ કર્યો. પણ એ જગાએ નીમણુક એમની ન થતાં મિ. કે. બી. પાઠકની થઈ. જાઇલ્સ સાહેબે પાછા દિલાસાને પત્ર લખ્યો, અને એથી જુદા ક્ષેત્રમાં હું તમને વધારે લાભ અપાવીશ' એ પ્રમાણે લખ્યું. ઇ. સ. ૧૯૦૨ના ઑગસ્ટમાં અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કાલેજના પ્રિન્સિપાલ તરીકે રા. કમળાશ’કરતી નીમણુક થઇ, અને બે મહિના પછી માધવલાલભાઈનું મૃત્યુ થવાથી એમની નીમણુક કાયમની થઇ.
ઇ. સ. ૧૯૦૨માં પાછા એએ યુનિવર્સિટિના પરીક્ષક નીમાયા;અને એમ. એ.ની પરીક્ષામાં એ સાલથી તે ઇ. સ. ૧૯૦૮ સુધી એમણે ડા. રામકૃષ્ણ ગેાપાળ ભાંડારકરની સાથે સંસ્કૃતના પરીક્ષક તરીકે કામ કર્યું. તે ઉપરાંત યુનિવર્સિટિના પ્રાઇઝ્ એસેઝ-સુરી ગોકુળજી ઝાલા વેદાન્ત ફંડના અને એવા ખીજા–પ્રસંગે પ્રસંગે તપાસવા માટે યુાનવર્સિટી તરફથી એમના પર મેાકલવામાં આવે છે. મુંબઈ યુનિવર્સિટી ઉપરાંત પંજાબમાં પણ એમણે સંસ્કૃત પરીક્ષક તરીકે ઘણાં વરસ સુધી કામ કરેલું છે. સાક્ષર શ્રી મણિલાલ નભુભાઈના મૃત્યુ પછી ત્યાંની Oriental Faculty ની
૧૦૮
Page #214
--------------------------------------------------------------------------
________________
રા. બા. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી
વિશારદ'ની અને “શાસ્ત્રીની પરીક્ષામાં ઈ. સ. ૧૮૯૯ થી તે ૧૯૦૮ સુધી એઓ પરીક્ષક હતા, અને આ સાલમાં એઓ પાછા “શાસ્ત્રી ની પરીક્ષામાં નીમાયા છે. ઇ. સ. ૧૯૦૭ના વર્ષથી ૧૯૦૯ના વર્ષ સુધી મેટ્રિક્યુલેશનની પરીક્ષામાં પણ સંસ્કૃતના પરીક્ષક તરીકે એઓ હતા. પંજાબની “શાસ્ત્રીની પરીક્ષાનો અભ્યાસક્રમ અહિંની એમ. એ.ની પરીક્ષાના જેટલો હોય છે. ન્યાય, વેદાન્ત, વ્યાકરણ,-એ સઘળા વિષયમાં અહીંની પેઠે પરીક્ષા લેવાય છે, પણ ત્યાં “શાસ્ત્રી અને તેનાથી ઉતરતી “વિશારદ એ બેઉ પરીક્ષામાં પ્રશ્નપત્ર પણ સંસ્કૃતમાંજ કઢાય છે અને ઉત્તર પણ સંસ્કૃતમાં આપવાના હોય છે એ મોટો ફેર છે. અહિં “સુજ્ઞ ગોકુળજી ઝાલા વેદાન્ત પ્રાઈઝ”ને માટે એમ. એ.ને વિદ્યાર્થીઓને સંસ્કૃતમાંજ જવાબ આપવા પડે છે તેવુંજ ત્યાં “શાસ્ત્રી” અને “વિશારદ'ની પરીક્ષાઓમાં થાય છે.
ઈ. સ. ૧૯૦૫માં “Secondary Teachers' Training College” નવી સ્થપાવાની હતી તેના વાઈલ્સ પ્રિન્સિપાલ તરીકે રૂ. ૩૦૦-૫૦-૫૦૦ના પગારથી ખાસ રા. કમળાશંકરની પસંદગી કરવાને જાઇલ્સ સાહેબને વિચાર હતો. તે વિષે એમણે રા. કમળાશંકર ઉપર પત્ર લખ્યો, તેમાં લખ્યું હતું કે
“You as a Sanskrit scholar and authority in the Vernaculars would, I think, be very useful in the work of the College in developing to the normal students the relations between languages and the proper view of history. But your long experience as a Head Master and Head of a Training College is of course what would specially render you valuable in a Secondary Training College. May I add that your own personal character would also, I thing, have a most useful influence over young men who are learning how to teach others.".
રા. કમળાશંકરે રૂ. ૩૦૦)ના પગારે એ જગા લેવા નાખુશી બતાવી ત્યારે જાઈલ્સ સાહેબે રૂ. ૪૦૦-૫૦-૫૦૦ અને આખરે એકદમ રૂ. ૫૦૦)
૧૦૯
Page #215
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
અને ઘરભાડાના રૂ. ૫૦) જુદા આપવાનો વિચાર જણાવ્યો, અને તે પ્રમાણે સરકારમાં લખ્યું પણ ખરું, પણ એ દરખાસ્ત ત્યાં પસાર થઈ નહીં. સરકારે રૂ. ૩૦૦)થી શરૂ કરી રૂ. ૨૫)ના વાર્ષિક વધારા, રૂ. ૫૦૦) સુધી પગાર તથા રૂ. ૫૦) House rentના આપવા તથા અમદાવાદની ટ્રેનિંગ કૉલેજની જગા રૂ. ૪૦૦)ની થાય ત્યારે એકદમ રૂ. ૪૦૦) કરવા લખ્યું; પણ એમણે મુંબઈના રૂા. ૫૦૦) કરતાં અમદાવાદના રૂ. ૪૦૦) વધારે પસંદ કરી ઉપકાર સાથે મુંબઈની જગા લેવા ના લખી.
ઈ. સ. ૧૯૦૮ ના મે-જૂનમાં રા. કમળાશંકરે ઉત્તર વિભાગના ઍકિંટગ એજ્યુકેશનલ ઈન્સ્પેકટર તરીકે કામ કર્યું હતું. તે વખતે પિતાની હમેશની જગા પરનું કામ પણ એમણે સાથે સાથે કર્યું હતું.
એ પ્રમાણે રા. કમળાશંકરના સરકારી નોકર તરીકે જીવનની મુખ્ય મુખ્ય વિગતો આપણે જણાવી ગયા. સંસ્કૃત ભાષાના સારા વિદ્વાન અને ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત સાક્ષર તરીકે એમણે જે સેવા બજાવી છે તે ટૂંકમાં જણાવીને એમના ચરિત્રને આ હેવાલ આપણે પૂરો કરીશું. એમની “Brief History of England” જે પ્રથમ ઇ. સ. ૧૮૮૭માં છપાઇ તેની ૬ આવૃત્તિઓ થઈ ચૂકી છે તે તો દરેક અંગ્રેજી નિશાળમાં ભણતા વિદ્યાર્થીને જાણીતી છે, એટલું જ નહીં પણ બી. એ. માં ભણતા વિદ્યાર્થીઓ પણ એ ચોપડીઓ વાંચે છે અને કોઈક વાર સારી રીતે પાસ થાય છે એ વાત એ પરીક્ષાના અનુભવીઓના જ્ઞાન બહાર નથી. પણ એમનાં વધારે વિદ્વત્તાભર્યો પુસ્તકે ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી તરફથી જે છપાયાં છે અથવા સરકાર તરફથી પ્રસિદ્ધ થતી સંસ્કૃતની પુસ્તકમાલામાં જે પ્રસિદ્ધ થયાં છે તે છે. સ્માઈલસની ‘ડયૂટી” (કર્તવ્ય) નું એમણે ભાષાન્તર કર્યું છે. બકલના ઈતિહાસ પરથી “ઈંગ્લાંડની ઉન્નતિને ઇતિહાસ એમણે લખ્યો છે. બાદરાયણ વ્યાસના બ્રહ્મસૂત્ર ઉપર શ્રી શંકરાચાર્યની
શારીરક ભાષ્ય” નામની જે ટીકા છે તેને એમણે અનુવાદ કર્યો છે. ડો. ભાંડારકરની “સંસ્કૃત સેકડ બુક’નું ભાષાન્તર કર્યું છે. તથા વડેદરા રાજ્યની જ્ઞાનમંજૂષા માટે નવીન સંસ્કૃત પુસ્તકાવલિ (ત્રણ ભાગમાં) રચી છે, તેમાંનું “સંસ્કૃત પ્રથમ પુસ્તક છપાયું છે. તે ઉપરાંત, નીચેનાં પુસ્તકો એમના હસ્તક સરકાર તરફથી છપાયાં છે તેની પ્રસ્તાવના, ટીકા વગેરેમાં એમની શોધકવૃત્તિ, વિદ્વતા, ઉદ્યોગ અને ખંત સ્પષ્ટ જણાઈ આવે છે.
૧૧૦
Page #216
--------------------------------------------------------------------------
________________
રા. બા. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી,
એ ઉપરાંત “ગુજરાત શાળાપત્ર” નામનું માસિક ઇ. સ. ૧૯૦૨ના ઓગસ્ટથી એમના તંત્રીપણા હેઠળ ચાલવા માંડયું ત્યાર પછી અગાઉ “માસ'ના શીર્ષક નીચે આવેલા લેખ અને ત્યાર પછી એ શીર્ષક વિના પત્રના આરંભમાં આવેલા લેખ સર્વ એમના લખેલા છે, અને તેમાં વ્યાકરણ ભાષા, કાવ્યશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, માનસશાસ્ત્ર, કેળવણી પ્રાકૃતભાષા વગેરે વિવિધ વિષયે ચર્ચાયા છે.
કમળાશંકરના જીવનનો અગત્યને વૃત્તાન્ત આપણે સંક્ષેપમાં જણાવી ગયા. એમનું શૈશવ કેવા પ્રકારનું હતું, પ્રાથમિક શિક્ષણ એમણે ક્યાં આગળ અને કેવી રીતે લીધું હતું, એમણે અંગ્રેજીનો અભ્યાસ કઈ સ્કૂલમાં અને કઈ કોલેજમાં કર્યો હતો, કેવા ગુરુઓના શિક્ષણનો લાભ એમને મળ્યો હતો, એમના પિતાના જૂના વિચારને લીધે એમને વિદ્યાભ્યાસ વિષે. ઉત્સાહ કેવો અંકુશમાં રહેતો હતો, વિદ્યાભ્યાસ આગળ ચલાવવાનો વિચાર કીધા પછી પણ એક નાગર બ્રાહ્મણ તરીકે એમને કેવી મુશીબતો વેઠવી પડતી હતી. વિદ્યાભ્યાસ પછી કઈ નોકરી લેવી તેને નિર્ણય કેવી રીતે કરવામાં આવ્યું, એ નોકરીમાં એમની ઉત્તરોત્તર વૃદ્ધિ કેવી રીતે થઈ એમના ઉપરીઓની એમના ઉપર હમેશા કેવી પ્રીતિ હતી, મુંબઈ યુનિવર્સિટિના ફેલો તરીકેનું માન એમને કેવી રીતે મળ્યું, મુંબઈ તથા પંજાબના યુનિવર્સિટિમાં અનેક વર્ષો સુધી પરીક્ષક તરીકે કામ કરવાનો પ્રસંગ એમને કેવી રીતે પ્રાપ્ત થયો, યાત્રાનો શોખ પણ એ કેટલે અંશે પૂરે પાડી શક્યા, અને સંસ્કૃત, ગુજરાતી, તથા અંગ્રેજીમાં સારાં પુસ્તક પ્રસિદ્ધ કરી શાળાપત્રમાં વિવિધ વિષયો ચર્ચા સાહિત્યની પણ એમણે કેવી કીમતી સેવા બજાવી તે આપણે જોયું. સાથે સાથે એમના વખતની શિક્ષણપદ્ધતિ, એમના શિક્ષકોની આવડત હોશિયારી અને કર્તવ્યપરાયણતા, એમના વખતની રમત વગેરે આનુષંગિક વિષય વિષે પણ આપણે કેટલુંક જાણ્યું, પણ એ સઘળી ઝીણી ઝીણી વિગતને ભેદીને આપણે વધારે ઉડી દૃષ્ટિથી જોઈએ છીએ અને એ જીવનને અમુક માર્ગમાં પ્રેરનારાં સૂક્ષ્મ તો ક્યાં છે તેને આપણે વિચાર કરીએ છીએ, એ જીવન અમુકજ પ્રકારનું ઘડાયું અને તેને પ્રવાહ અમુકજ વેગથી વહ્યો ગયો તેનાં ગૂઢ કારણે આપણે શેધીએ છીએ તો તે નથી જણાતાં એમની વિદ્વત્તામાં કે નથી જણાતાં એમના વાક્યાતુર્યમાં. એમને ઉદ્યોગ, એમની ખંત, અને એમની પ્રામાણિકતા, એ નૈતિક ગુણોમાંજ એમના જીવનને થડે કે
૧૧૧
Page #217
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
,
ઘણે અંશે પશુ સફળ કરનારું બળ રહેલું છે એમ આપણને માલમ પડે છે. એમની વિદ્વત્તા વિષે બે મત હોવાનો સંભવ નથી. સ્કૂલોમાં અને કોલેજોમાં એમની શિક્ષણ પદ્ધતિ કેવી સફળ નીવડી, શિષ્યના ઉપર ધારેલી અસર એ કેવી સચોટ રીતે કરી શક્યા તે એ શિક્ષણને લાભ લેવાને ભાગ્યશાલી થયેલા દરેક વિદ્યાર્થીને સારી રીતે જાણીતું છે. “સ્વાનુભવરસિક કે “સર્વાનુભવરસિક, આત્મલક્ષી” કે “પરલક્ષી કવિતાઓનાં જોડકણાં એમણે જોયાં નથી, નાટકે એમણે રચ્યાં નથી, ને નવલકથાઓ એમણે બનાવી નથી. પણ કલ્પના અને સર્ગશક્તિને દાવો કરનારા આધુનિક કવિઓ' માંથી કેટલાની કૃતિ અમર રહેશે તે નિશ્ચિતપણે કહી શકાતું નથી, ત્યારે સંસ્કૃત સાહિત્ય ઉપર પ્રકાશ પાડવાને એમણે જે અર્થાક પ્રયત્ન કર્યો છે, સંસ્કૃત ભાષાને અભ્યાસ વધારે ને વધારે પ્રચાર પામે તેને માટે એમણે જે ખંત રાખી છે, બકલ જેવા ઇતિહાસકારની અને સ્માઇલ્સ જેવા નિબન્ધકારની કૃતિઓનાં ભાષાન્તર વડે અને શાળા પત્રમાં અનેક વિષયની ચર્ચા વડે ગુર્જર સાહિત્યને સમૃદ્ધ કરવાને એમણે જે પ્રયાસ કર્યો છે, શ્રી શંકરાચાર્યની ઉત્તમ કૃતિને અનુવાદ કરીને વેદાન્ત જેવા ગહન વિષયના જ્ઞાનમાં એમણે જે કીમતી ઉમેરે કર્યો છે, તેની અસર એકાએક નષ્ટ થશે નહીં એ નક્કી છે. અને નોકરીને ભારે બોજો છતાં એ સઘળું એ શાથી, કરી શક્યા ? બીજા કશાથી નહીં, પણ સતત ઉઘોગથી, અચળ ખંતથી અને અડગ પ્રમાણિકપણાથીજ એ સઘળું થઈ શક્યું. ઉઘોગ, ખંત અને પ્રમાણિકપણું, એ ત્રિપુટીમાંજ એમના જીવનનું પરમ રહસ્ય છે. એક વખતે એમના એક મિત્ર ખા, બ. ખરસેદજી માણેકજી કોન્ટ્રાકટર, (હાલના કરાંચી હાઈ સ્કૂલના માસ્તર) એમને મળવા ગયા હતા તે વખતે એમને ટેબલ આગળજ બેઠેલા જોઇને તેમણે કહ્યું કે “તમે તે હંમેશા ટેબલ આગળ ને ટેબલ આગળ કંઈને કંઈ ઉદ્યોગમાં રોકાયેલાજ નજરે પડે છે. લેટોને માટે કહેવાય છે કે એણે એના અભ્યાસગ્રહ આગળ એવો લેખ મૂક્યો હતો કે “Let no one enter this Academy who has no taste for mathematics” (ગણિતને જેને શેખ ન હોય તેણે આ ગૃહમાં પ્રવેશ કરે નહીં ) તેમ તમે પણ તમારા ખંડ આગળ પાટિયું લટકાવી રાખે કે “ Let no oué enter this room who has no taste for work " ( કામને જેને શેખ ન હોય તેણે આ ખંડમાં પ્રવેશ કરવો નહીં). એમના
૧૧૨
Page #218
--------------------------------------------------------------------------
________________
રા. ખા. કંમળાશંકર પ્રાણશ કર ત્રિવેદી
મિત્રના આ શબ્દો એમના જીવનનું ખરું રહસ્ય પ્રગટ કરે છે, અને એ રહસ્ય ઘેાડેઘણે અંશે પણ આપણે આપણા જીવનમાં ઉતારી શકીએ તે તેટલે અંશે આપણે આપણું જીવન સફળ કીધું એમ વ્યાજબી રીતે કહી શકાય.*
નોંધ:—સદરહુ ચરિત્ર પ્રેા. મેાહનલાલ પાતીશંકર દવેએ સમાલાચક માટે લખેલું તે તાજેતરમાં બહાર પડેલા સ્વર્ગસ્થના “ અનુભવ વિદ પુસ્તકમાં પુનઃ પ્રકટ થયું છે, તે પરથી લીધું છે. સમયના અભાવે એમાં સ્વર્ગસ્થની નિવૃત્ત થયા પછીની પ્રવૃત્તિને સમાવેશ કરવાનું બની શક્યું નથી. એ હકીકત અન્ય કોઈ પ્રસંગે મેળવીને આપીશું. દરમિયાન અહિં એટલું નોંધવું જોઈએ કે સન ૧૯૧૪ માં તેએ પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કાલેજના પ્રિન્સિપાલના હાદ્દા પરથી નિવૃત્ત થયા હતા; અને સરકારે એમના કાની કદર તે પ્રસંગે એને રાવબહાદુરને ઈલ્કાબ બક્ષીને કરી હતી. તે પછી સન ૧૯૨૪ માં તે સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ નિમાયા હતા; અને એમનું અવસાન તે પછી ટુંક મુદતમાં સન ૧૯૨૫ માં થયું હતું. સુરતે એના સુપુત્રનું સ્મારક રચ્યું છે, એ યેાગ્યજ થયું છે. :: એમની કૃતિ
::
- ઈંગ્લાંડના ટૂંકા તિહાસ ’
૮ કવ્યા’
શાŽરભાષ્ય
સંસ્કૃત પ્રથમ પુસ્તક સંસ્કૃત ૨૭ ચાપડી
સંસ્કૃત શિક્ષિકા—(ગુજરાતી)
( ઇંગ્રેજી )
,,
સાહિત્ય મંજરી શિક્ષણશાસ્ત્રનાં મૂળતત્ત્વ
.
લઘુ વ્યાકરણ
મધ્ય વ્યાકરણ
બૃહદ્ વ્યાકરણ '
.
• Gods of India ' (ગુજરાતી)
"
"
'
2
* ‘ અનુભવ વિનાદ ’ પરથી ઉદ્ધૃત.
૧૧૩
૧૮૮૭
૧૮૯૫
૧૯૦૭
૧૮૯૬
૧૯૧૧
99
૧૯૧૫
૧૯૧૩
૧૯૧૬
૧૯૧૭
૧૯૧૮
૧૯૧૩
""
Page #219
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી,
૧૯૧૩ ૧૯૨૦ ૧૯૨૧ ૧૯૩૦ ૧૯૩૩
શંકરજયંતી વ્યાખ્યાનમાળા” હિંદુસ્તાનને સંક્ષિપ્ત ઇતિહાસ ગુજરાતી વાચનમાળા કાવ્ય સાહિત્ય મિમાંસા અનુભવ વિનોદ સંસ્કૃત ભદિકાવ્ય રેખા ગણિત એકાવલી પ્રતાપદ્રીય પડુ ભાષા ચન્દ્રિકા પ્રક્રિયા કૌમુદી
૧૮૯૮. ૧૯૦૧-૦૨
૧૯૦૯ ૧૯૧૬
૧૧૪
Page #220
--------------------------------------------------------------------------
________________
વિદ્યમાન
Page #221
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
અમૃતલાલ માતીલાલ શાહ
એએ ઘેાડાસરના વતની; અને નાતે દશા શ્રીમાળી વણિક છે. એમને જન્મ ધાડાસરમાં સં. ૧૯૪૯ના અધિક અષાડ વદ ૮ (તા. ૧૫૬-૧૮૯૩) ના રાજ થયા હતા. એમના પિતાનું નામ મેાતીલાલ મૂલજીભાઇ શાહ અને માતુશ્રીનું નામ રૂક્ષ્મણીમ્હેન છે. એમનું લગ્ન સ ૧૯૬૨માં શ્રી. જેઠીબાઇ સાથે નિડયાદ તાલુકાના ચુણેલ ગામે થયું હતું.
અંગ્રેજી છઠ્ઠા ધેારણ સુધી એમણે અભ્યાસ કર્યો છે અને હાલમાં તેએ પાલણપુર રાજ્યમાં ફોજદારી ન્યાય કોટ માં શિરસ્તેદારની જગાએ છે.
વરસે થયાં કવિતા લખવાના એમને શેખ છે, અને પ્રવાસી, જ્યાત, રસહીન, હૃદયયેાગી, હૃદય જ્યેાતિ વગેરે ઉપનામથી જુદા જુદા ગુજરાતી અને પારસી માસિકામાં તે કાવ્યા લખી મેાકલે છે.ટુંક સમયમાં એમને કવિતાસંગ્રહ પ્રકટ થનાર છે.
:: એમની કૃતિ ::
૧. ગઝલમાં ગાથા
૧૧૬
સન ૧૯૨૫
Page #222
--------------------------------------------------------------------------
________________
ઇન્દુલાલ ફુલચંદ ગાંધી
ઇન્દુલાલ કુલચંદ ગાંધી
એએ નાતે દશા શ્રીમાળી વણિક અને મેારી તામે મકનસર ગામના વતની છે. એમના જન્મ તા. ૮મી નવેમ્બર સન ૧૯૦૫ના રાજ મકનસર ગામે થયા હતા. પિતાનું નામ ફુલચંદ ભેરાજ ગાંધી અને માતાનું નામ સૌ. ઝબકખાઈ છે. એમનું લગ્ન સન ૧૯૩૨ માં વાંકાનેરમાં શ્રીમતી સૂલક્ષ્મી સાથે થયું હતું. એમણે અંગ્રેજીને પાંચ ધેારણ સુધીને અભ્યાસ કર્યો છે; અને હમણાં તેએ કરાંચીમાં પરચુરણ ચીજોની દુકાન ચલાવે છે.
કવિતા અને ટુંકા નાટકો એ એમના અભ્યાસના પ્રિય વિષયે છે; અને પોતે બહુજ આશાવાદી છે. સંસ્કૃતિ અને એની પોષક સાહિત્ય સર્જનની નવી લહરીએજ એમના પ્રાણ છે. ગુજરાતી સાહિત્ય રાંક મટી જાય એ દહાડા જોવા પોતે ભારે ઉત્સુક છે. બહારની અસર પરત્વે તેએ લખે છે, ખાસ કેાની અસર નીચે હજુ અવાયું નથી. સૌ પહેલાં એમસ નના તેજે જરાક ખેચ્યા; પછી કિશારલાલ મશરૂવાળાએ તે છેલ્લે દેશળજી પરમારે. પણ જીવનને આખુયે અદ્દર ઉપાડી લે એટલું તેજ તેા હજી કોઇનામાંથી મને મળ્યું નથી.”
r
:: એમની કૃતિઓ ::
૧. તેજરેખા
૨. નારાયણી
૩. જીવનનાં જળ
૧૧૭
સન ૧૯૩૧
,, ૧૯૩૨
૧૯૩૩
22
Page #223
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
ઉમાશકર જેઠાલાલ જોષી
એએ નાતે ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ અને ઈડર સ્ટેટમાં આવેલા આમણાગામના વતની છે. એમને જન્મ તા. ૨૧મી જુલાઇ સન ૧૯૧૧ ના રાજ ખામણાગામમાં થયેા હતેા. એમના પિતાનું નામ જેઠાલાલ કમળજી જોષી અને માતાનું નામ નવલબેન ભાઇશકર ઠાકર છે. એએ હજુ અવિવાહિત છે.
પ્રાથમિક શિક્ષણ એમના વતનમાં લીધું હતું. તેની આસપાસના ડુંગરાળ રમણીય પ્રદેશેામાં એમણે ખૂબ ભ્રમણ કરેલું છે અને એ રીતે કુદરત પાસેથી અને ત્યાંના પછાત સમાજની જીવનચર્ચામાંથી ખૂબ પ્રેરણા તે પામ્યા છે. માધ્યમિક શિક્ષણ ઈડરની શાળામાં લીધું હતું. સન ૧૯૨૮માં મેટ્રીક્યુલેશનની પરીક્ષા પસાર કરી તેઓ ગુજરાત કૉલેજમાં દાખલ થયા હતા. મેટ્રીકની પરીક્ષામાં અમદાવાદ વિભાગમાં પહેલે નંબરે અને આખી પરીક્ષામાં ત્રીજા નંબરે તેઓ આવ્યા હતા. તેના પરિણામે કાલેજમાં તેમને ત્રણ સ્કોલરશીપેા મળી હતી. ઇન્ટર આર્ટ્સ પસાર કરી ખી. એ. સુધી તેએ પહેાંચ્યા હતા પણ સત્યાગ્રહની લડત સન ૧૯૩૦માં જાગતાં તેઓ તેમાં જોડાયા હતા અને તેના અંગે બે વાર જેલયાત્રા કરી છે. ખાસ કરીને જેલિનવાસને તેઓ પેાતાની કેળવણીના ઉત્તમ સમય ગણે છે.
ખગેાળ, કાવ્યવિવેચન, નાટકકળા, ભૂગેાળ વગેરે એમના પ્રિય વિષયે છે. ગાંધીજી, વિવેકાનદ, ટાલાય વગેરે એમના જીવનના ઘડતરમાં મદદગાર થયા છે.
છેલ્લાં બે વરસથી આચાર્યશ્રી કાકા કાલેલકરના અમૂલ્ય સહેવાસ મેળવવા એ ભાગ્યશાળી થયા છે.
સન ૧૯૩૧માં ‘વિશ્વશાન્તિ’નામક એમનું ખંડકાવ્ય ગુજરાતી સાહિત્ય આલમમાં પ્રશંસા પામ્યું હતું; તેમ ચાલુ વર્ષીમાં પ્રસ્થાનમાં પ્રસિદ્ધ થયેલે સાપના ભારા”નામના નાટકમાં એમણે હિન્દુ સમાજમાં વિધવાના દુઃખોની કરૂણ કથની અસરકારક રીતે બતાવી છે. એવાં વાસ્તવિકતાના પાયા પર રચાયેલાં એમનાં એકાંકી નાટકો ‘કુમાર,’ ‘કૌમુદી'માં પ્રગટ થતાં રહે છે. :: એમની કૃતિ ::
વિશ્વશાન્તિ
૧૧૮
સન ૧૯૭૧
Page #224
--------------------------------------------------------------------------
________________
ગઢુલાલ ગોપીલાલ ધ્રુ
ગટુલાલ ગેાપીલાલ ધ્રુ
એએ વડનગરા નાગર ગૃહસ્થ ( જ્ઞાતિમાં જન્મેલા ) અને અમદાવાદના વતની છે. એમના જન્મ તા. ૧૦ મી મે સન ૧૮૮૧ના રાજ અમદાવાદમાં થયા હતા. એમના માતુશ્રી બાળાખ્તેન તે સ્વસ્થ સરદાર ભેાળાનાથભાઇના પુત્રી; અને એમના પિતા ગેપીલાલ મણિલાલ તે ઘણા સમય અમદાવાદમાં નાજરના હાદ્દાપર હતા અને તેમણે તે જગ પર સારી નામના મેળવી હતી. એમનું લગ્ન સન ૧૯૦૪માં અમદાવાદમાં શ્રી. રણછેડરાય આણંદરાય દીવેટીઆની પુત્રી શ્રીમતી શ્રીદેવી સાથે થયું હતું.
એમણે પ્રાથમિક શિક્ષણ અમદાવાદમાં તેમ કેટલોક સમય ઉમરેઠમાં– એમના પિતા તે વખતે ત્યાંની કોર્ટમાં કલાક ઑફ ધી કોટ હાઇનેલીધું હતું. માધ્યમિક શિક્ષણ મિશન સ્કુલમાં અને સરકારી હાઇસ્કુલમાં લીધું હતું. તેઓ સન ૧૮૯૮માં મેટ્રીકયુલેશનની પરીક્ષા પાસ કરી ગુજરાત કૉલેજમાં દાખલ થયા હતા. તે પછી થાડા થાડેા સમય તેઓએ વિલ્સન કાલેજ અને એલ્ફીન્સ્ટન કૅાલેજમાં અભ્યાસ કર્યો હતેા. તે સન ૧૯૦૪માં લેાજીક અને મેરલ ફિલસીને અચ્છિક વિષય લઇને બી. એ. થયા હતા. તે પછી તેઓ કેળવણી ખાતામાં જોડાયા; અને ગુજરાતના લગભગ બધા જીલ્લાનાં શહેરામાં નેકરીના અંગે તેઓ ફરી વળ્યા હતા. છેવટના દસ વર્ષોમાં તેએ આસિ. ડેપ્યુટી એજયુકેશનલ ઇન્સ્પેકટરની જંગાપર હોઈને ગામડે ગામડે તેમને ફરવાનું થતું. પ્રવાસ કરવાનું એમને બહુ પ્રિય છે. જ્યાં જાય છે ત્યાં તેએ લોકસ્થિતિ અને રીતભાતનું, ઐતિહાસિક સ્થાને વગેરેનું રસપૂર્વક નિરીક્ષણ કરે છે. એએ હિન્દુસ્તાનના ચારે ખૂણે ફરી વળેલા છે અને એમને એમના પ્રવાસ વિષે વાત કરતાં સાંભળીએ તા માલુમ પડે કે પરપ્રાંતની એમની માહિતી કેટલીબધી ઝીણી તેમ ભરપુર છે.
ધર્મ, સમાજશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાન એ એમના પ્રિય વિષયે છે; તેમ સ્વસ્થ નારાયણ હેમચંદ્રનાં પુસ્તકાએ, ટાગેારની ‘સાધના'એ અને આખલે એમના જીવનપર કાયમની અસર કરી છે.
એમના માતુશ્રી બાળાન્હેનના ઉન્નત સંસ્કાર એમનાપર પડેલા તે ઉપરાંત સ્વસ્થ સર રમણભાઈ, ડૉ. મેનિકાલ અને બાબુ ક્ષિતિમાહન સેન પાસેથી એએ ધણું શિખ્યા છે.
૧૧૯
Page #225
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
અમદાવાદ પ્રાર્થના સમાજમાં છેલ્લા પંદર વર્ષથી તેઓ મુખ્ય કાર્યકર્તા છે અને ગુજરાત સંસાર સુધારાનું તંત્ર ચલાવવામાં તેઓ અગ્રેસર છે. વિધવાઓ પ્રતિ તેમની સહાનુભૂતિ બહોળી છે અને અનેક વિધવા બહેનને ઠેકાણે પાડવામાં તેમ તેમને રાહત આપવામાં તેઓ પુષ્કળ શ્રમ લે છે. સ્ત્રી કેળવણીમાં તેમને ઘણે રસ છે અને છેલ્લા ચાર વર્ષથી તેઓ ગુજરાત સ્ત્રીકેળવણી મંડળના મંત્રી પદે છે. - રા. સા. મહીપતરામ અનાથાશ્રમના એક મંત્રી તરીકે એમની સેવા વિસરાય એવી નથી. , આવા સંસ્કારી અને સુશિક્ષિત ગૃહસ્થ હસ્તક આપણી સાર્વજનિક સંસ્થાઓને વહિવટ રહે તે જરૂર થડા સમયમાં સુધારાના ક્ષેત્રમાં ઘણી પ્રગતિ જોવામાં આવે.
સુભાગ્યે તેઓ પેન્શનપર છેલ્લા બે વર્ષથી રીટાયર થયેલા છે અને તેઓ પિતાને સઘળે સમય જાહેર કાર્યોમાં વ્યતીત કરે છે.
તેઓ જેમ એક સારા વક્તા તેમ લેખક છે. તે લેખો મુખ્યત્વે ધર્મ અને કેળવણી પર લખેલા છે.
:: એમની કૃતિઓ : ૧. રાજા રામમોહનરાય
સન ૧૯૦૫, ૨. ઇસુ ખ્રિસ્તનું જીવન
સન ૧૯૧૦ 3. प्रज्ञा पारमिता सूत्रम्
સન ૧૯૧૬, ૪. હિન્દુ સ્ત્રીઓની ઉન્નતિમાં ગાળેલાં મહારાં વીસ વર્ષ ( શ્રી. કના લેખનું ભાષાન્તર)
સન ૧૯૩૧ ૫. બ્રાહ્મધર્મ
સન ૧૯૩૧
૧૨૦.
Page #226
--------------------------------------------------------------------------
________________
ગોકળદાસ કુબેરદાસ મહેતા
ગોકળદાસ કુબેરદાસ મહેતા
એ જ્ઞાતે વીશા ખડાયતા વણિક અને ઉમરેઠના વતની છે. એમને જન્મ એ જ ગામમાં સન ૧૮૯૨માં થયો હતો. એમના પિતાનું નામ કુબેરદાસ હરિવલ્લભદાસ અને માતાનું નામ બાઈ જેકેર, મેતીચંદ છે. એમનું લગ્ન સન ૧૯૧૩માં શ્રીમતી ડાહીલક્ષ્મી બહેન સાથે થયું હતું. . એમણે સન ૧૯૧૬માં પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજમાંથી સીનીચર વર્ગની પરીક્ષા પાસ કરી હતી અને ઈગ્રેજીનું શિક્ષણ સન ૧૯૦૮થી ૧૯૧૧ સુધી અમદાવાદની નેટીવ હાઇસ્કુલમાં લીધું હતું.
હમણાં તેઓ અમદાવાદ મ્યુનિસિપલ શાળામાં શિક્ષક છે. હોંશિયારી, માયાળુ સ્વભાવ તેમજ સતત ઉદ્યોગથી શિક્ષકવર્ગમાં બહુ પ્રિય થઈ પડયા છે અને વળી શિક્ષક મંડળીના તેઓ સેક્રેટરી નિમાયેલા છે.
તદુપરાંત જ્ઞાતિકાર્યમાં ઉલટભર આગળ પડતો ભાગ લે છે. ખડાયતા કેળવણુમંડળના તેમજ કમળાલક્ષ્મી ખડાયતા સ્ત્રી ઉદ્યોગશાળાના મંત્રી તરીકે કાર્ય કરે છે; અને અમદાવાદની અતિલક્ષ્મી લાયબ્રેરીને છેલ્લાં ૧૫ વર્ષથી વહીવટ કરે છે.
એમણે ન્હાનપણમાં માબાપનું સુખ ગુમાવ્યું હતું પણ અગીઆર વર્ષે વિધવા બનેલી બહેન છવકેરે એમને સન ૧૯૦૬માં અમદાવાદમાં આણ યોગ્ય શિક્ષણ માટે વ્યવસ્થા કરી હતી; અને એમના પ્રતાપે તેઓ આજની સ્થિતિએ પહોંચ્યા છે.
જ્ઞાતિકાર્યમાં અને જાહેર સેવાકાર્યમાં ગુંથાયેલા રહે છે તેની સાથે તેઓ લેખનકાર્ય પણ કરે છે. તેમનાં પુસ્તકે મુખ્યત્વે શાળાપગી છે, જે એમની શિક્ષક તરીકેની લાયકાતને સરસ ખ્યાલ આપે છે.
ગયે વર્ષે એમણે જવાહિરલાલ નહેરૂનું ચરિત્ર બહાર પાડયું હતું, અને તે પ્રશંસા પામ્યું હતું.
:: એમની કૃતિઓ ::
૧. વાર્તાને સંગ્રહ ૨. રાષ્ટ્રીય કીર્તન
સન ૧૯૧૯
૧૯૨૧
૧૨૧
Page #227
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
૧૯૨૨
,
,
૩. અમદાવાદ શહેરની ભૂગોળ ૪. ગુજરાત પ્રાંત ૫. બાલગીત ૬. બાલિકાગીત ૭. મુંબાઈ ઇલાકે ૮. સંવાદ સંચય ૯. પંડિત જવાહરલાલ
૧૯૨૭ ૧૯૩૧
૧૨
Page #228
--------------------------------------------------------------------------
________________
રા. બા. ચંદ્રવિદ્યાનંદ શ્રીકૃષ્ણાનંદ પંડયા, બી. એ. રા. બા. ચંદ્રવિદ્યાનંદ શ્રીકૃણુનંદ પંડયા, બી. એ.
એઓ જ્ઞાતે વડનગરા નાગર બ્રાહ્મણ, સુરતના વતની અને એમનો જન્મ સુરતમાં સન ૧૮૬૭માં થયો હતો. એમના પિતાનું નામ શ્રી કૃષ્ણનંદ અને માતાનું નામ અ.સૌ. વિજ્યાગૌરી હતું. એમનું લગ્ન પંદરમાં વર્ષે સદ્દગત અ.સૌ. પ્રસન્નવિદ્યાગૌરી સાથે થયું હતું.
પ્રાથમિક અને માધ્યમિક કેળવણી સુરતમાં લીધી હતી અને કોલેજ અભ્યાસ સામળદાસ કોલેજ–ભાવનગરમાં કર્યો હતો. - તેઓ મુંબઈમાં સેક્રેટરિયટમાં સીનીયર એસિસ્ટન્ટ સેક્રેટરીના એકે ચઢયા હતા; સને ૧૯૧૮માં એમને સરકાર તરફથી રાવબહાદુરને ખેતાબ આપવામાં આવ્યો હતો. સન ૧૯૨૨માં નિવૃત્ત થઈ હાલ સુરતમાં વાનપ્રસ્થ જીવન ગાળે છે અને ધાર્મિક પ્રવૃત્તિમાં વિશેષ રસ લે છે.
:: એમની કૃતિઓ : ૧. ત્રવેદીય સંસ્કારિક
સન ૧૯૨૫ ૨. પંચાક્ષર મુક્તાવલી ૩. પરમેશ્વરનું મહત્વ ૪. વડનગરા નાગર ગરબાવળી
૧૯૩૧
૧૯૩૨
Page #229
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
ચંદુલાલ જેઠાલાલ વ્યાસ
એઓ જ્ઞાતે ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ, મૂળ વિરમગામના વતની પણ હાલમાં વઢવાણમાં વસે છે. એમના પિતાનું નામ જેઠાલાલ પુરૂષોત્તમ અને માતાનું નામ બાઈ નાથીબાઈ–તે રાવળ હરજીવનની દિકરી-છે. એમનું લગ્ન સં. ૧૯૫૮ના મહા વદ પાંચમના રોજ ધ્રાંગધ્રામાં સૌ. લલિતા સાથે થયું હતું.
એમણે ગુજરાતી સાત ઘેરણને અભ્યાસ ગોંડલની તાલુકા સ્કૂલમાં કર્યો હતો; અને ઈંગ્રેજીને અભ્યાસ ગેડલ તથા વીરમગામમાં કર્યો હતો.
એઓ “ બહુરૂપી” અને “ બિરાદર' ના તંત્રી અને માલિક છે.
રોમાંચક અને ડિટેકટીવ લખાણ તથા વાચન ખાસ એમને પ્રિય વિષય છે.
સને ૧૯૧૪માં એમણે “નિઝામશાહીને વઝીર' એ નામનું ભેટનું પુસ્તક “પ્રજાબંધુ” પત્રને લખી આપ્યું હતું. એ એમનું લખેલું પ્રથમ પુસ્તક હતું.
:: એમની કૃતિઓ :: ૧. નિઝામશાહીને વફાદાર વઝીર
સન ૧૯૧૪ ૨. ચમત્કારિક ગુફા, ભા. ૧-૨
, ૧૯૧૮ ૩. પંચાસરનો જ્યશિખરી, ભા. ૧-૨
, ૧૯૧૯-૨૦ ૪. અભુત લૂટારે
, ૧૯૨૦ ૫. વેર વસૂલ, ભા. ૧-૨-૩-૪
,, ૧૯૨૦-૨૧ ૬. ચમત્કારિક ખૂન
૧૯૨૨ ૭. આગ્રાને ખજાને ૮. શેરલોક હોમ્સનાં સાહસ કાર્યો ૯. ભયંકર ભેદ ૧૦. કુટુમ્બીનું કારસ્થાન, ભા. ૧-૨ ૧૧. ભૂલને ભેગ ૧૨. સોનેરી ટોળી ૧૩. ચાલીસ ચહેરાને માણસ ૧૮. વિપત્તિનું વાદળ
૧૯૨૪ ૧૨૪
Page #230
--------------------------------------------------------------------------
________________
ચદુલાલ જેઠાલાલ વ્યાસ
૧૫. શ્રીમત સંહારક મંડળ ૧૬. ઠગાઈ ના ભાગ + ૧૭, વિલાસમાં વિનાશ ૧૮. પ્રાણ કે પ્રતિષ્ટા
૧૯. જાગીરદાર કે જલ્લાદ?
૨૦. સેારઠના મુત્સદ્દી વીર્ + ૨૧. અદ્ભુત ડિટેકટીવ
સન ૧૯૨૪
૧૯૨૮
૧૯૨૯
૧૨૫
""
,,
,,
""
""
""
22
""
,,
૧૯૩૧
* મૌલિક છે; અને બીન' તમામ અગ્રેજી તેમજ મરાઠી પરનાં અનુવાદ છે.
.
+ ' પ્રજાબંધુ' ની ભેટ.
Page #231
--------------------------------------------------------------------------
________________
પ્રચકાર ચરિત્રાવલી
રા. સા. જનુભાઇ અચરતલાલ સૈયદ
એએ અમદાવાદના વતની અને નાતે વડનગરા નાગર ગૃહસ્થ છે. એમને જન્મ અમદાવાદમાં તા. ૪થી જાન્યુઆરી સન ૧૮૭૮ના રાજ થયા હતા. એમના પિતાશ્રી અચરતલાલ જીવણલાલ સૈયદ લાંબા સમય સુધી અમદાવાદની હાઇસ્કુલમાં શિક્ષક હતા અને એમના હાથ નીચે શિક્ષણ પામેલા સેંકડા વિદ્યાર્થીઓ અદ્યાપિ એમને પ્રેમથી યાદ કરે છે. એમના માતુશ્રીનું નામ સૌ. ત્રંબકબા હતું. એમનું લગ્ન સન ૧૮૯૨ માં સૌ. વીરમતીમ્હેન માણેકલાલ સાથે થયું હતું.
પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ એમણે અમદાવાદમાં કર્યાં હતા. સન ૧૯૦૨માં તેઓ અંગ્રેજી તથા સંસ્કૃત ઐચ્છિક વિષય લઇને ખી. એ. થયા હતા અને પિતાના પગલે અનુસરી તેએ કેળવણી ખાતામાં જોડાયા હતા. ચાલુ વર્ષોંમાં તેઓ ખેડા જીલ્લાના ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટરના હોદ્દા પરથી નિવૃત્ત થયા છે. એમની બાહેાશી અને હેશિયારી માટે એટલું કહેવું ખસ થશે કે રિટાયર થતાં આગમચ સરકારે એમને રાવસાહેબના ઈલ્કાબ બક્ષીને એમની નાકરીની કદર કરી હતી. એવી રીતે ખેડા જીલ્લાની પ્રજાએ પણ જુદે જુદે ઠેકાણે એમના માનમાં મેળાવડે કરી, એમના પ્રતિનું માન અને ચાહ દર્શાવ્યાં હતાં.
સાહિત્ય પરિષદ મંડળ તરફથી તૈયાર થયેલાં ક્રમિક પાઠય પુસ્તકમાળાના પહેલા એ ભાગ શ્રીયુત પ્રાણલાલ દેસાઇ સાથે એમણે તૈયાર કર્યા છે. કેટલાક સમય તેએ ગુજરાત સાહિત્ય સભાના ઉપ-પ્રમુખ અને સભા માટે ‘દલપતસાર’ એ નામનું પુસ્તક તૈયાર કરી આપ્યું હતું. વળી પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કાલેજના વાઇસ-પ્રિન્સિપાલ તથા પ્રિન્સિપલ તરીકે પણ એમને ગુજરાતી ગ્રંથા જોવા તપાસવાનું પુષ્કળ કામ કરવું પડતું. કેળવણી ખાતા તરફનાં થોડાંક પુસ્તકોનાં ભાષાંતર પણ કર્યા છે, અને ગુજરાત શાળાપત્રના ઉપતંત્રી તથા તંત્રી તરીકે લેખા લખેલા છે.
અમે ઈચ્છીએ છીએ કે એએ એમને નિવૃત્તિ કાળ સાહિત્ય પ્રવૃત્તિમાં ગાળી, પ્રજાને એમના પરિપક્વ જ્ઞાન અને વિદ્વતાને લાભ આપશે.
૧. ક્રમિક પાઠયપુસ્તક ભાગ ૧
૨
2.
12
:: એમની કૃતિઓ :
:
,,
99
૧૨૬
લખ્યા સાલ પ્રકાશન.
સન ૧૯૨૮
૧૯૩૧
,,,,
,,
Page #232
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદાસ પુરુષાત્તમાસ લુહાર (સુન્દરમ )
ત્રિભુવનદાસ પુરુષાત્તમદાસ લુહાર (સુન્દરમ )
એ જ્ઞાતિએ લુહાર અને ભરૂચ જીલ્લામાં આવેલા મિયાં માતર ગામના વતની છે. એમના જન્મ સન ૧૯૦૮ માં મિયાં માતરમાં થયે હતા. એમના પિતાશ્રીનું નામ પુરુષોત્તમદાસ કેશવલાલ લુહાર અને માતુશ્રીનુ નામ ઉજમબ્ડેન છે. એમનું લગ્ન નવેક વર્ષે એમના જન્મસ્થાનમાં શ્રીમતી મંગલામ્હેન સાથે થયું હતું.
પ્રાથમિક શિક્ષણ મિયાં માતરની લેાકલ ખેની સ્કૂલમાં અને માધ્યમિક આમેાદ અને ભરૂચમાં રાષ્ટ્રીય શાળાઓમાં લીધું હતું. તેએ ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક છે; અને ભાષા વિશારદની પદવી પ્રાપ્ત કરી છે. * સાબરમતી' માં ઉત્તમ લેખ લખવા માટે એમને તારાગૌરી ચંદ્રક મળ્યા હતા; તેમજ ગુજરાતી વિષયમાં સૌથી વધુ ગુણ મેળવવા બદલ અખીલ ભારત વિદ્યાર્થી પરિષદનું ઈનામ પ્રાપ્ત થયું હતું. કવિતા એમને પ્રિય વિષય છે. મહાત્માજીએ એમના જીવનપર પ્રબળ અસર કરી છે; અને લેાકશિક્ષણ એ એમનેા વ્યવસાય છે.
નવા કવિએમાં એમની કવિતા આદરપાત્ર જણાય છે; અને નજદિકમાં એમને કવિતા સંગ્રહ બહાર પડતાં, જનતા એમની કવિતાની વધુ કદર કરશે એવી અમને ખાત્રી છે.
૧૨૭
Page #233
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
દુર્લભજી ત્રિભુવનદાસ ઝવેરી
એએ દશાશ્રીમાળી જૈન જાતિના છે. મૂળ વતની મેારીના છે. જન્મ સંવત્ ૧૯૩૪ ચૈત્ર વદ ૧૩ને છે. મેટ્રીક સુધીના અભ્યાસ કરી વ્યાપારમાં જોડાયા. પચ્ચીસ વર્ષ થયાં જૈપુરમાં ઝવેરાતની પેઢી છે. શિક્ષણ સાથે સાથે સાહિત્ય પ્રેમ પણ પાધ્યા કર્યાં, પરિણામે ઘણી સભાએના સેક્રેટરી થયા. પ'દર વર્ષની વયથીજ જુદા જુદા માસિકામાં શ્રી ઝવેરી–મેારી’· સંજ્ઞાથી લેખેા લખવા શરૂ કરેલા. મારખી ખાતે ભરાયેલી કાઠીયાવાડ પોલીટીકલ કાન્ફરન્સના તેએ મંત્રી હતા. એ સમયના મુખ્ય માસિકે આ ધપ્રકાશ' વિગેરેમાં લેખા આવ્યા કરતા. બુદ્ધિપ્રકાશમાં પણ એમના લેખા છપાયા છે. મુંબઈ સમાચારના નવા વર્ષના અંકામાં એમના લેખા ખાસ હોયજ. સયાજી વિજય' વિગેરે સાપ્તાહિકામાં એમનાં ‘મધનું એક બિંદુ” વિગેરે લેખાએ સારૂં આણુ કરેલું. એમના લાંબા લેખા જુદા પુસ્તકારૂપે પણ પ્રસિદ્ધ થતાં; જેમાં ‘અર્વાચીન આર્યાં,’ ‘સુભદ્રા’ વિગેરે સાપ્તાહિકની વાર્ષિક ભેટ તરીકે પણ અપાયેલાં છે. હમણાં હમણાં તેએ જૈન પ્રકાશ'માં ખાસ લખતા રહે છે.
પચ્ચીસ વર્ષ પહેલાં સ્થા. જૈન કેાન્ફ્રન્સને જન્મ આપી મેરખીમાં પ્રથમ આધવેશન ભર્યું ને મુખ્ય મંત્રી તરીકે કામ કર્યું. આજ સુધી તેએ શ્રી સંધસેવક તરીકે પૂર્ણ ઉત્સાહપૂર્ણાંક કા કરી રહેલ છે. તા. ૨૨મી એપ્રિલ ૧૯૩૩ના રોજ અજમેરમાં મળેલી જૈનેાની માટી કાન્ફરન્સના પણ તેએજ મુખ્ય મંત્રી હતા; અને હજાર-પંદરસો વર્ષમાં ન થયેલ એવું સાધુ સંમેલન પણ મેળવ્યું, જેમાં જૈન સાધુએ પગે ચાલીને કચ્છ અને કાશ્મીર જેટલે દૂરથી આવ્યા હતા. ૬૦૦૦૦ જૈનેએ સભામાં હાજરી આપી હતી. સ્થા. જૈન સમાજે “ જૈન ધમ વીર”ની માનવંતી પદવી સાથે હીરાવાળા ‘નવરત્ન’ના ચાંદ અર્પણ કરી એમના શ્રમની કદર કરી છે. હજુ પણ એ સેવા ચાલુ છે. બ્યાવર જૈન ગુરૂકુલના તેએ કુલપતિ છે.
66
66
પ્રેાફેસર રવજી દેવરાજ સાથે મળી શ્રી આચારાંગજી સૂત્ર અને શ્રી ઉત્તરાધ્યયનજી સૂત્રનાં ગુજરાતી ભાષાંતરા જૈન સ્કોલસ”ને નામે સહકાર આપી પ્રસિદ્ધ કર્યા છે. તેમાં પુરેપુરા પરિશ્રમ ઉઠાવી એ સૂત્રેાની છુટનોટા એમણેજ લખી છે.
એમની કૃતિ.
૧. પુજ્યશ્રી શ્રીલાલજી.
૧૨૮
સંવત ૧૯૮૦
Page #234
--------------------------------------------------------------------------
________________
ધીરજલાલ ટોકરશી શાહ
ધીરજલાલ ટોકરશી શાહ
એએ નાતે વીશા શ્રીમાળી જૈન; અને કાઠિયાવાડમાં આવેલા મૂળ રાજ્યના ગામ દાણાવાડાના વતની છે. એમનેા જન્મ એ જ ગામમાં સ ૧૯૬૨ના ફાગણ સુદ આઠમના દિવસે થયા હતા. એમના પિતાનું પૂરૂં નામ ટાકરશી ત્રિકમદાસ શાહ અને માતાનું નામ મણિમ્હેન જેચંદ છે. એમનું લગ્ન સ. ૧૯૮૬ના કારતક વદ દસમના રાજ એટાદ પાસે ટાટમ ગામે શ્રીમતી ચંપાન્હેન સાથે થયું હતું.
એમણે ગુજરાત વિદ્યાપીઠના વિનીત વર્ગની પરીક્ષા સુધી અભ્યાસ કર્યો છે.
ચિત્રકળામાં સારી પ્રવીણતા પ્રાપ્ત કરેલી છે. ગરિબ સ્થિતિમાં ઉછરેલા; અને અમદાવાદમાં શેઠ ચમનલાલ નગીનદાસ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરેલા. પ્રથમ બે વર્ષ ચિત્રકામના ધંધા કરી એજ સંસ્થામાં શિક્ષક તરીકે જોડાયા અને સં. ૧૯૮૬ સુધી ચાર વ` એમણે એક સફળ શિક્ષક તરીકે કાર્ય કર્યું હતું.
હમણાં તેઓ જ્યતિ કાર્યાલય નામની સંસ્થા ચલાવે છે,જેના તરફથી જૈન ચૈાતિ” નામનું માસિક ચલાવે છે તેમજ ચિત્રા કાઢવાનું કામ કરે છે. પ્રવાસના એમને ભારે શાખ છે. ત્રીજે વર્ષે અજટા વિષે પગ રસ્તે મુસાફરી કરેલી તેનું સચિત્ર વર્ણન પુસ્તકરૂપે બહાર પાડયું હતું; તેમજ એમના તરફથી પ્રવાસનાં ખીજાં એ પુસ્તકો પ્રસિદ્ધ થયલાં છે, તે મુસાફરને મદદગાર અને ઉપયોગી છે.ગયા વર્ષે તેમણે બ્રહ્મદેશ અને શાન સ્ટેટના પ્રવાસ કર્યો હતેા તથા ચીનની સરહદ પરના અત્યંત વિકટ પ્રદેશમાં પગ રસ્તે મુસાફરી કરી હતી. એ ભાગમાં પ્રવાસ કરનાર તે પહેલાજ ગુજરાતી છે.
તે સિવાય જૈન ધર્મ અને સાહિત્ય અને ઇતિહાસના બાળકાને રિચય કરાવવા એમણે ખાળગ્રંથાવળી યેજી છે, જેના પાંચ વર્ષના ૧૦૦ અંકા દર વર્ષે વીસ પ્રમાણે છપાયલાં છે; અને તે ખૂબ વખણાઈ તેને માટે ઉપાડ થયા છે.
:: એમની કૃતિઓ ::
૧. જીવવિચાર પ્રવેશિકા
૨. જળમંદિર પાવાપુરી
૩. કુદરત અને કળાધામમાં વીસ દિવસ
૧૨૯
સ. ૧૯૮૪
સ. ૧૯૮૭
સ. ૧૯૮૭
Page #235
--------------------------------------------------------------------------
________________
૪. અજન્તાના યાત્રી ૫. કળાવતી
૬. સતી સુભદ્રા છ. ઋષિદત્તા
૮. રતિસુંદરી
૯. અચલરાજ આપ્યુ ૧૦. પાવાગઢના પ્રવાસ
ગ્રંથકાર ચરિત્રાવલી
સ. ૧૯૮૭
,, ૧૯૮૭
22
22
""
""
બાળગ્રંશાવળીમાં ઘણી મૌલિક ને ઐતિહાસિક કૃતિઓ છે.
૧૩૦
22
22
..
37
Page #236
--------------------------------------------------------------------------
________________
ધીરસિંહ વ્હેરાભાઈ ગાહિલ
ધીસિંહ વ્હેરાભાઈ ગાહિલ
એક જાતના રાજપુત અને સેાનગઢ થાણા તાબે આલમ્પુરના વતની છે. એમને જન્મ તા. ૨૦-૧૧-૧૮૮૪ સંવત્ ૧૯૪૧ના માગસર સુદ ૩ ને ગુરૂવારે આસપુરમાં થયેા હતેા. એમના પિતાનું નામ વ્હેરાભાઈ અમાભાઈ અને માતાનું નામ મગજીબા જીવાભાઈ છે. એએ પરણ્યા નથી.
ઘડી શાળામાં શિક્ષણ લેવું શરૂ કરેલું; પણ તે તદ્દન અનિયમિત ને ઢંગધડા વગરનું; કેમકે ગામમાં નિશાળ નહિ અને દોઢ ગાઉપર એક નિશાળ હતી ત્યાં જવું પડતું. થેાડા વખત બાદ તે પણ બંધ થવાથી અભ્યાસ બંધ પડેલા. પછી એક સાધુ પાસે તુલસીકૃત રામાયણ ભણવા માંડેલું.
આ સ્થિતિમાં લખવાનું તે આવડે ક્યાંથી; માંડ સહી કરી શકે. એ સંબંધમાં તેઓ જણાવે છે:
66
‘ સને ૧૯૦૧ ની સાલમાં હું સરકારી કામે સેાનગઢ થાણામાં ગયે હતા. ત્યાં મારે સહી કરવાને પ્રસંગ પ્રાપ્ત થતાં, હરજીવન નામના કારકુને મે જે મેટા ભમરડા જેવા અક્ષરમાં ખરાબ સ્વરૂપમાં જે સહી કરી તેથી તેણે મેણું માર્યું કે ગરાસીઆને સહી કરતાંએ ન આવડે.' ભણેલા છે એમ શું કામ કહેવડાવતા હશે ? આથી ન ભણેલા સારા ! આ પ્રસંગ મને લાગી આવ્યા. ત્યારબાદ મેં સારૂં લખતા શીખવા માટે મારા ઘરમાં જે દસ્તાવેજો અને સરકારમાં કરેલી અરજીઓની નકલેા હતી તેમની મેનકલ કરવાનું શરૂ કર્યું. આમ જે હાથમાં આવ્યું તે લખ્યાજ કર્યું. પરિણામે લખવાપર કાબુ મેળવ્યા.”
તેએ ‘ક્ષત્રિય મિત્ર’ નામનું માસિક એડિટ કરે છે અને ગેહિલવાડ રાજપુત સમાજના ઉપમત્રી છે.
લેક સાહિત્ય અને ચારણી સાહિત્ય એમના પ્રિય વિષયા છે. એમણે લખેલાં ગ્રંથાની યાદી નીચે આપી છે; પરંતુ એમના લેખન વાચન અને અભ્યાસ વિષે જે વિશેષ હકીકત લખી માકલી છે તે જાણવા જેવી છે.
“અભ્યાસનું સાધન હતું નહિ. સાત વર્ષની ઉમ્મરે આલમ્પુર સરકારી શાળમાં અભ્યાસ માટે પ્રવેશ કર્યો; પરંતુ દસ એકડા પૂરા ન કર્યાં તેવામાં સ્કુલ ઉડી ગઈ. ખેાડી પીંપરડીના એક બ્રાહ્મણને ખેાલાવી ધૂડી નિશાળ મ`ડાવી. આ સ્લેટ પેન નહાતાં. પાટી ઉપર ધૂળ નાંખી વતરણાથી ભણવાનું હતું. છ મહિના બાદ ભણવાનું બંધ થયું. પડયાજી ચાલ્યા ગયા.
૧૩૧
Page #237
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
બીજા બ્રાહ્મણ પાસે ધૂડી નિશાળ મંડાવી; પણ કક્કો બારાખડી સુધી ચાલ્યું. બાર વર્ષની ઉમ્મરે આલમપુરથી દોઢ ગાઉ દૂર દરેડ સરકારી શાળામાં દાખલ થયેા. દરેડમાં માસ્તર ગિરિજાશંકર કરૂણાશંકર ભટ્ટ પુચ્છે ગામવાળા હતા. હાલમાં તે પાલીતાણામાં અનાથાશ્રમના સુપ્રિન્ટેન્ડન્ટ છે. એ વરસે ગુજરાતી પહેલી ચેપડી પૂરી કરી ભણવા જવાનું બંધ કર્યું; કારણ દોઢ ગાઉ જવા અને દોઢ ગાઉ આવવા માટે સાથ નહાતા. મેાહનલાલ નામના પોલિસ પટેલ પાસે ખાનગી અભ્યાસ કર્યાં; અને સાળ આંક, સરવાળા, બાદબાકી અને સાધારણ ભાગાકાર આવડયા. સાથે સાથે ખાનગી વાચન વધારવા માંડયું.”
66
વાંચનના શાખ કેમ થયા તેની હકીકત તેએ નીચે પ્રમાણે લખે છેઃ સન ૧૯૦૭માં વ્રજલાલ નામના જપ્તીદાર મારા ગામે આવેલા; તેમણે ‘કાઠીઆવાડ સમાચાર' નામનું અમદાવાદથી નીકળતું અઠવાડિક પુત્ર એકત્ર થયલાભાઈ એને વાંચી સંભળાવવા આપેલું. તે હું વાંચી શક્યા નહિ અને શર્મને લઇને આંખમાં આંસુ ભરાઇ આવ્યાં. આ પછી જે કાંઇ છાપેલું સાહિત્ય મારા જોવામાં આવે તે વાંચવા માંડયું અને આમ કરતાં કરતાં વાંચન શાખ ખીલવ્યો.”
આવા પુરુષ એક લેખક તરીકે આગળ પડે એ પણ એક નવાઈ પમાડનારૂં છે; તેનું કારણ તેઓ આ પ્રમાણે આપે છે:
66
વિનાદમાં વાતે થતાં,
‘સંવત્ ૧૯૬૬ની સાલમાં હું વાગધરા ગામે કામદાર થયેા હતા. ખાવા પીવાના સાથે મને માસિક રૂ. ૫-૦-૦ પાંચ પગાર મળતા હતા. ત્યાં એક વખત મારા એ મિત્રા સાથે બેઠા હતા. એક કહે મારે જીંદગી સુધી વેપારજ કરવા છે.' ખીજો કહે 'મારે ખેતી કરવી છે.' જ્યારે મેં વિનેદમાં મેલી નાંખ્યું કે મારે લેખક થવું છે.' વખત જતાં આ સૌ મિત્રા મારી ઠેકડી કરવા લાગ્યા. તેથી મને લાગ્યું કે હવે લેખક થયેજ છૂટકો છે.' આથી મેં પ્રથમ લેખક તરીકે ‘કાર્ટિયાવાડ સમાચાર’ માં ‘ગરાસીઆના રીતિરવાજો અને તેથી હાનિનું દિગ્દર્શન’ નામે સંવત્ ૧૯૬૭ માં લેખ લખ્યા. આમ ઉત્તરાત્તર લખવું શરૂ કર્યું. ” :: એમની કૃતિઓ ::
૧. જેસલ અને તારલ (બે આવૃત્ત)
૨.
સતી ઉજળી અને મેહ જેટવા (ત્રણ આવૃત્તિ)
૧૩૨
સંવત્ ૧૯૭૫
29
29
Page #238
--------------------------------------------------------------------------
________________
ધીરસિંહ હેરાભાઈ ગોહિલ
ક
૧૯૭૬
૧૯૭૭
૩. કપુરી અને કારાયેલ ૪. સુણુ અને મેયાર ૫. નાગમતિ ૬. ગોહિલવીર હમીરજી ૭. રા' માંડલિક (બે આવૃત્તિ) ૮. રા' નવઘણ ૯. કાઠીઆવાડની દંતકથાઓ ૧૦. કાઠીઆવાડની પ્રેમકથાઓ
૧૯૭૯ ૧૯૮૩
૧૯૮૫
૧૯૮૮
૧૩૩
Page #239
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
-નટવરલાલ મૂળચંદ વીમાવાળા
જન્મ ઈ. સ. ૧૯૦૦ના સપ્ટેબરની ત્રીશમી તારીખ. તિથિ આશ સુદ છઠ. આખું નામ નટવરલાલ મૂળચંદ ઘેલાભાઈ વીમાવાળા. માતાનું આખું નામ વિજ્યાલક્ષમી તે ત્રિભોવનદાસ ઈચ્છારામની પુત્રી. જ્ઞાતિ (સ્વ. છે. સૂ૦ દેવ વાળી) સુરતી તળપદા દશા શ્રીમાળી વણિક. મૂળ વતન સુરત, જન્મ સુરત.
કુટુંબની અસલ અટક મહેતા. એક વેળા નટવરલાલ શંભુનું નામ સુરતમાં પ્રખ્યાત હતું. પિતાના વીમાના વ્યવસાય પરથી વીમાવાળા અટક શરૂ થઈને ચાલી. પિતરાઈઓમાં હજુ મહેતા અટકજ ચાલે છે જેમાં ચન્દ્રવદન મહેતા (ઈલા કાવ્યના લેખક) નું નામ સુપરિચિત છે.
કુટુંબને દાદાને નર્મદ સાથે સારો સંબંધ હતા. નર્મદે સ્વહસ્તે નામવાળી પિતાની ચોપડીઓ ભેટ આપેલી.
નર્મદને આર્થિક સહાય પણ દાદાએ સારા પ્રમાણમાં કરેલી. એટલે સાહિત્ય શોખ કુટુંબમાં વંશગત દેખાય છે. પિતા મૂળચંદ ઘેલાભાઈએ ગુજરાતી ભજનો ને ગીતો લખેલાં–ઈગ્રેજી પદ્ય પણ અજમાવેલું.
નાનપણથી વાંચવાનો શોખ બહુ; સ્વપ્નાં સાહિત્યનાંજ. દશ બાર વરસની ઉંમરેજ જીવન સાહિત્યની દિશામાં વહેતું મૂકવાની સ્પષ્ટ વાત ગેઠિયાઓ સાથે કરેલી. લેખન અને પ્રકાશન પણ એજ ઉંમરથી–બારતેર વરસની ઉંમરથી શરૂ થયેલું, સુંદરી સુબોધમાં નાનાં લેખો, કાવ્ય, “ગુજરાતી” માં ચર્ચાપત્રો, વાર્તા વારિધિમાં વાર્તાઓ લખેલાં. માધ્યમિક શાળા જીવનમાં એ પ્રવૃત્તિ ખૂબ ચાલેલી.
શાળાની કારકીર્દિ તદ્દન પ્રથમ પંક્તિની. પહેલો જ નંબર. લગભગ હંમેશ ઓલરશીપ-ઈનામો મળેલાં. પ્રીવીયસમાં ફર્સ્ટ કલાસ ફર્સ્ટ. વિલ્સન કેલેજ, સુરત કોલેજ, ફરગ્યુસન કોલેજ અને પછી જુનીઅર બી. એ. માંથી અસહકાર કર્યો, તે બાદ ગુજરાત મહાવિદ્યાલય; એમ ચાર સંસ્થાઓમાં કોલેજ જીવન વીત્યું. ૧૯૨૨ના જાનેવારીમાં બારડોલીમાં સત્યાગ્રહ થવાને હતો તેમાં જોડાવા ગુ. મહાવિદ્યાલય પણ છોડયું; અને વિદ્યાપીઠની સ્નાતક પદવી માત્ર બે મહિના પછીજ લઈ શકાય એમ હતું તે જતી કરી. બારડોલી સત્યાગ્રહ ચૌરી ચૌરાને લીધે અટક એટલે પછી સાહિત્ય પ્રવૃત્તિમાં પૂરેપૂરું ઝંપલાવ્યું. પહેલું ગ્રંથ પ્રકાશન શિરહીન શબ નામની ડીટેટીવ નવલકથા હરિ
૧૩૪
Page #240
--------------------------------------------------------------------------
________________
નટવરલાલ મૂળચંદ વીમાવાળા
નારાયણ આપટેના મરાઠી પરથી, એ ભાએએ ભેગી લખેલી ૧૯૧૫ ની સાલમાં અડધી (પહેલા ભાગ) પ્રગટ થયેલી. એ વસ્તુ ફરી પાછી ઘણું વરસે એગમ કે ખલા ? નામથી નિડયાદ ખાણાવળી કાર્યાલયવાળા રા૦ ૦ અંબાદાસ બાબરભાઈ એ પ્રગટ કરી હતી.
બંને ભાઈઓએ ૧૯૨૧ની સાલથી (૧-૮-૨૧) સેવા દૃષ્ટિએ ગાંડીવ સાહિત્ય મંદિર ચાલુ કર્યું. પહેલાં ગાંધીજીના પુસ્તકા પ્રકટ કર્યો (તે વેળા નવજીવને પુસ્તક વિભાગ ખાલ્યા ન હતા). ૧૯૨૨ માં સાથે પ્રેસ પણ જોડયું. ૧૯૨૩ની સાલથી પેપર પણ કાઢયું. કેવળ નિર્દોષ વિનાદ સાહિત્યનું એ પત્ર “તાપ” પાછળથી ગાંડીવમાં પરિણમ્યું. આજે “સ્ત્રીશક્તિ” સાથે જોડાઈ ને એ પત્ર સૂક્ષ્મરૂપે જીવે છે.
ગાંડીવ સાહિત્ય મંદિરની સાહિત્ય પ્રવૃત્તિએ સુપ્રસિદ્ધ છે. તેનું સાહિત્ય વિભાગનું તમામ સૂત્રસંચાલન નટવરલાલના હાથમાં છે. વ્યવસ્થા વિભાગ ઈશ્વરલાલ સંભાળે છે. બંને છૂટા છૂટા અપૂર્ણ છે. એ મળીને એક એકમ ખને છે.ગાંડીવ બાલસાહિત્યના પુષ્પો મુખ્યત્વે નટવરલાલના લખેલાં છે. એ સિવાય ખીજા પુષ્પા બંગાળી મરાઠી પરથી અનુવાદ પણ કરેલા છે.
જીવન પર શરૂમાં પઢિયારનાં તે રસ્કિનનાં પુસ્તક Unto this last થી ઘણી અસર થઈ. પછી ગાંધીયુગમાં ગાંધીજીની અને ગાંધી સાહિત્યની ખૂબ અસર થઇ. આજેય એ અસર ચાલુ છે પણ તેમાં ખીજા પ્રવાહા ભળેલા છે.
લગ્ન ઈ. સ. ૧૯૨૫ માં સ્વપસંદગીથી થયું કુ॰ હરવદન મગનલાલ કાપડીયા સાથે. પ્રથમ વિવાહ સુરતના દાક્તર મગનલાલ મ્હેતાની પુત્રી ઊર્મિલા સાથે થયેલેા પણ તે ઈ. સ. ૧૯૨૩માં પોતે થઇને જ્ઞાતિના રિવાજ વિરૂદ્ધ તાડી નાંખ્યા. તે માટે જ્ઞાતિએ કરેલી સજા ભોગવી. જ્ઞાતિમાં વિવાહ વેશવાલ પણ નજ તૂટે એવું બંધન સખ્ત હતું. તે આ પહેલા કિસ્સા પછી ધણું શિથિલ થઈ ગયું છે. પત્નીનું વતન સુરતજ છે.
દરેક વિષય વાંચવાને શાખ છે. અમુકજ વિષય નહિ. એટલે Jack of all and master of none જેવી સ્થિતિ છે. પત્રકારિત્વને વ્યવસાય ને જાહેરજીવન એ સ્થિતિ સુધરવામાં અંતરાયરૂપજ બને. સાહિત્ય પરિષદે શ્રીરમણુ કાંટાવાળા સ્મારક ખાલસાહિત્ય માટે
૧૯૨૯માં એ ત્રણ ખાલસાહિત્ય સંસ્થા પાસે યેાજના માંગી. ગાંડીવની ચેાજના પસંદ કરી અને તે દ્વારા મધપૂડા ” પ્રકટ થયું. પિરષદે તે પ્રકાશન માટે રૂ. ૧૨૫ ગાંડીવને આપ્યા.
"C
૧૩૫
Page #241
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
:: એમની કૃતિઓ :: . અનુવાદ
શિરહીન શબ (મરાઠી પરથી) હ. ના. આપટે. સન ૧૯૧૫ સેનેરી શીર (બંગાલી પરથી) રખાલદાસ બંદોપાધ્યાય ,, ૧૯૧૯ બબ યુગનું બંગાળા (બંગાલી પરથી) બારિન્દ્ર ઘોષ ,, ૧૯૨૩ હાય આસામ (બંગાલી પરથી) બારિન્દ્ર ઘેષ , ૧૯૨૩ કલકત્તાને કારાયુગ (બંગાલી પરથી) હેમન્તકુમાર સરકાર , ૧૯૨૩ પંજાબનું પ્રચંડ કાવતરું (બંગાળી પરથી) શચીન્દ્રનાથ સાન્યાલ ૧૯૨૪ (બે ભાગ સાથે )
૧૯૨૮ બંગાળાને બળ (બંગાળી પરથી) ભૂપેન્દ્રનાથ દત્ત , ૧૯૨૮ ઘડાચાર (ઈગ્રેજી પરથી) Bernard Shaw ,, ૧૯૩૧
(Showing upto of Blanco Posnet) સંપાદિત રાષ્ટ્રિય ગરબાવલી
૧૯૨૪ બાલસાહિત્ય
બકુલ- મૂરખ રાજ–નીલમ–ભીમ–જય બજરંગ–બરફી પુરી –ફાની ટિપુડે-કચુંબર–ધૂપસળી (વલ્લભદાસ અક્કડ સાથે)–મોતીના. દાણા–એક હતો કૂતરા-નવનીત–મેઘધનુષ–મિયાઉં–હાથી ધમધમ ચાલે–બાલડાયરી (અક્કડ સાથે)–પગની ચતુરાઈ–ગધેડાનું રાજ રમકડાની દુકાન–જાદુઈ જમરૂખ-મકને મસ્તાનો–બંગાળી બીરબલ– ભૂલભૂલામણી–સાવાકાની આપવીતિ–ખોટી ખોટી વાતે—સિપાઈ દાદા.
–મધપૂડો (સંપાદન)–સબરસ–કીર્તિસ્તંભ-રિક ટિકિ–સારંગી વાળે–ખરેખરી વાતે-રશીદની પેટી–પુસ્તકાલય–પ્રાણ પુરાણ ભા–૧–૨
–લાડકા –પુરસદ– સાહિત્ય
(બલિદાન), (કુરબાનીની કહાણીઓ ), ભવાટવી—( અબળાઓની આત્મકથાઓ)
૧૩૬
Page #242
--------------------------------------------------------------------------
________________
ન્હાનાલાલ ચમનલાલ મહેતા, આઈ. સી. એસ.
હાનાલાલ ચમનલાલ મહેતા, આઈ. સી. એસ.
એઓ જ્ઞાતે દશા પિરવાડ વણિક, અમદાવાદના રહીશ; અને એમને જન્મ ગીરમથામાં સન ૧૮૯૨માં થયું હતું. એમના પિતાનું નામ ચમનલાલ છોટાલાલ અને માતુશ્રીનું નામ શ્રીમતી મતી છે. એમનું લગ્ન શ્રીમતી શાન્તાબહેન સાથે થયું હતું.
એઓ કેમ્બ્રીજ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ છે; બારિસ્ટર થયેલા છે; તેમ આઈ. સી. એસ. ની પરીક્ષા પાસ કરી હતી.
હાલમાં તેઓ ફત્તેહપુર સંયુક્ત પ્રાંતમાં–કલેકટરના એદ્ધાપર છે.
તેઓ અભ્યાસ કરતા ત્યારથી કવિતા અને ગદ્યલેખ “વસન્ત” વગેરે માસિકમાં લખી મોકલતા.
ચિત્રકળા એમને ખાસ પ્રિય વિષય છે; અને એ વિષય પર એમણે બે સ્વતંત્ર ગ્રંથ Studies in Indian Painting and Gujarati Painting in the 18th Century લખ્યા છે, જે એ વિષય પર પ્રમાણભૂત લેખાય છે અને વિદ્વર્ગ તરફથી તેની પ્રશંસા થયેલી છે.
નજદિકમાં “ભારતીય ચિત્રકલા” એ નામનું પુસ્તક હિંદીમાં બહાર પડનાર છે.
ગુજરાતમાં ચિત્રકળાને શોખ ઉત્પન્ન કરવા તેઓ ખાસ કાળજી લે છે અને ગુજરાતી ચિત્રકળાને ઉત્તેજન આપવા બનતે પ્રયત્ન કરે છે. | ગુજરાતી સિવિલીયમાં એમની કીર્તિ બહોળી પ્રસરેલી છે; અને
એક નિષ્ણાત હિન્દી કળાના અભ્યાસી અને વિવેચક તરીકે એમની ગણના થાય છે.
:: એમની કૃતિઓ : 1. Studies in Indian Painting
1928 2. Gujarati Painting in the 15th Century 1932 ૩. ભારતીય ચિત્રકલા (હિંદી)
૧૯૩૩
૧૩૭
Page #243
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
પ્રીતમરાય વૃજરાય દેસાઈ
એઓ જ્ઞાતે બ્રહ્મક્ષત્રિય અને અમદાવાદના વતની છે; પણ જન્મ સાણંદમાં તા. ૨જી જાન્યુઆરી ૧૮૯૧ના રોજ થયો હતો. એમના પિતાનું નામ વૃજરાય ખુશાલરાય દેસાઈ અને માતાનું નામ સુભદ્રાબહેન હતું. એમનું લગ્ન ત્રણ વાર થયું છે. છેલ્લે સન ૧૯૨૧માં સી. નિર્મળાબહેન સાથે થયું હતું.
પ્રાથમિક કેળવણી સુરત અને અમદાવાદમાં લીધી હતી. માધ્યમિક અને ઉંચું શિક્ષણ અમદાવાદમાં ન્યુ ઇગ્લિશ સ્કુલ અને ગુજરાત કૉલેજમાં લીધેલું. કૅલેજ અભ્યાસ દરમિયાન દી. બા. અંબાલાલ સાકરલાલ ઓલરશીપ તેમને મળી હતી.
હમણાં તેઓ પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૅલેજમાં શિક્ષક છે. એમના ભાઈ ડો. હરિપ્રસાદની એમના પર ઘણી અસર થયેલી અને તેમની પ્રેરણથી સાહિત્યવાચન અને લેખન પ્રતિ એ દેરાયેલા.
સન ૧૯૨૦થી ૧૯૨૫ સુધી તેઓ ગુજરાત સાહિત્ય સભાના મંત્રી હતા.
શાળાયોગી છ પુસ્તકો એમણે આજ સુધીમાં લખ્યાં છે; પણ એમનું મહત્વનું અને પ્રસિદ્ધ કાર્ય અમદાવાદમાં હાઉસિંગ સોસાઈટીની સ્થાપનાનું છે. પ્રથમ મંડળી એમણે કાઢેલી અને એમનું અનુકરણ કરીને તેમ એમના પ્રોત્સાહનથી ત્યાર પછી લગભગ ત્રીસેક હાઉસિંગ સોસાઈટીઓ નિકળી છે તેનું માન તેમને ઘટે છે; અને એ વ્યવસાયને લઇને એમના સાહિત્ય વાચન અને લેખન કાર્યમાં એઓ ઝાઝે સમય આપી શકતા નથી. તેમના નામ ઉપરથી બ્રહ્મક્ષત્રિય હાઉસિંગ સોસાયટી તરફનો ભાગ પ્રીતમનગર કહેવાય છે.
:: એમની કૃતિઓ : ૧. સાહિત્ય વાચનમાળા, ભા–૧
સન ૧૯૨૪
ભા-૨ ૩. મુંબાઈ ઈલાકો
૧૯૨૬ ૪. હિન્દુસ્તાન
૧૯૨૮ પ. આરોગ્ય વિજ્ઞાન પ્રવેશપથી
૧૯૩૨ ૬. ગૃહવિજ્ઞાન પ્રવેશપોથી
૧૩૮
Page #244
--------------------------------------------------------------------------
________________
ભીખાભાઈ પુરુષાત્તમ વ્યાસ
ભીખાભાઇ પુરુષાત્તમ વ્યાસ
એ નાતે ઔદિચ્ય ટાળકીઆ બ્રાહ્મણ અને ગોધરાના વતની છે. એમના જન્મ ગોધરામાં સન ૧૮૯૯માં થયે હતા. એમના પિતાનું નામ પુરુષોત્તમ ભવાનીશંકર વ્યાસ અને માતાનું નામ કાશી મ્હેન. બન્ને તેમને ખાલવયમાં મૂકી દેવલાક પામ્યાં હતાં. એમનું લગ્ન ગોધરામાં સન ૧૯૧૭ માં કાન્તાગૌરી સાથે થયું હતું. એમણે પ્રે. રા. ટ્રેનિંગ ફૅલેજની ખીજા વર્ષની પરીક્ષા સન ૧૯૧૮માં પાસ કરી હતી. તે પછી તેએ શિક્ષક લાઇનમાં જોડાયા હતા. કેટલાક સમય એમણે ગાધરાથી “ પંચમહાલ રેવાકાંટા વત માન નામનું અઠવાડિક પત્ર કાઢયું હતું; પણ પુરત આશ્રય નહિ મળવાથી તે સાત વરસ ચલાવ્યા બાદ બંધ કરવું પડયું હતું. સરકારી નાકરીમાંથી સને ૧૯૨૦માં છૂટયા બાદ એમણે બાળકા માટે એક ત્રિમાસિક પત્ર કાઢ્યું હતું. શરૂઆતમાં એ ત્રિમાસિક હતું અને છેલ્લા છ વર્ષથી તે માસિક રૂપે નિકળે છે. પરમહંસ શ્રી રામકૃષ્ણ અને સ્વામી રામતીનાં લખાણની એમના જીવનપર ઉંડી અસર થયેલી છે.
""
ગોધરામાં રહી જાહેર વનમાં ખૂબ રસ લેતા આવ્યા છે. સને ૧૯૨૩ થી શ્રી રામકૃષ્ણ સેવા સમિતિ અને શ્રી પંચમહાલ રેવાકાંા સાહિત્ય સભા સ્થાપી જનતાને ઉપયેગી કામે અને સાહિત્યની અભિરૂચિ ઉત્પન કરવાનું કામ કર્યું છે. છેલ્લાં છ વરસથી ગોધરા મ્યુનીસીપાલીટીમાં લેાક તરફથી ચૂંટાઇને આગળ પડતા ભાગ લે છે; તેમજ સ્કુલખેના પણ સભ્ય હાઈ કેળવણી માટે યાગ્ય રસ લેઇ રહ્યા છે.
ખાલસાહિત્ય એ એમના પ્રિય વિષય છે; અને માલકા માટે એમણે નીચે પ્રમાણે પુસ્તકા લખીને છપાવ્યાં છેઃ
:: એમની કૃતિઓ::
૧. સીતા —પૂર્વાધ સીતા—ઉત્તરાં
૨.
૩. ગુંજાના વર ( નાટક )
૪. ભયંકર ભુજંગ (નવલકથા)
re
સન ૧૯૨૫
૧૯૨૦
૧૯૨૫
૧૯૨૫
""
""
Page #245
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
મગનલાલ ગણપતિરામ શાસ્ત્રી
એએ જ્ઞાતિએ ઔદિચ્ય ટોળક બ્રાહ્મણ હદ આશ્વલાયન શાખા કાશ્યપ ગોત્રના છે. એમનું મૂળ વતન ખેડા અને પછીથી ઉમરેઠ; પણ ખેડા જીલ્લામાંથી એમના પૂર્વજો દોઢ વર્ષ પૂર્વે ભરૂચ ખડાયતા વણિકે સાથે આવી રહ્યા હતા. એમના પિતાનું નામ વ્યાસ ગણપતિરામ કાલિદાસ શાસ્ત્રી; ભરૂચમાં પુરાણીની અટકથી પ્રસિદ્ધ હતા, અને એએને વેદસંહિતા મુખે હતી તેમ સંસ્કૃત ભાષામાં સુવ્યુત્પન્ન હતા. એમની માતાનું મૂલ નામ પાર્વતી પણ સાસરે તેમને ઈચ્છા કહેતા. એમને જન્મ તા. ૭ મી ડિસેમ્બર સન ૧૮૭૩ના રોજ ખેડા જીલ્લામાં માતર ગામે ફળાદેશનું ફળ” એ નામના પુસ્તકના કર્તા વ્યાસ ગિરિજાશંકર ભોળાનાથ એમની માતૃશ્રીના માસીના પુત્રને ત્યાં થયું હતું. એમનું પ્રથમ લગ્ન સં. ૧૯૪૨માં માતરમાં મણિશંકર રવિશંકર વ્યાસના પુત્રી બહેન ચંચળ સાથે થયું હતું, અને તેના મરણોત્તર સં. ૧૯૫૮માં અમદાવાદમાં મૂળશંકર પીતાંબર ભારદ્વાજ વ્યાસના પુત્રી શ્રીમતી કમળાબહેન સાથે દ્વિતીય લગ્ન થયું હતું, પણ તેઓ સન ૧૯૨૬માં મૃત્યુ પામ્યાં હતાં. | ગુજરાતી તેમ ઈગ્રેજીનો અભ્યાસ મેટ્રીક કલાસ સુધીને એમણે ભરૂચમાં કર્યો હતો. સન ૧૮૯૦માં તેઓ વડોદરા હાઈસ્કૂલમાંથી મેટ્રિકમાં પાસ થયા. તે પછી વડોદરા કેલેજમાં દાખલ થયેલા. ત્યાં બે ત્રણવાર નપાસ થવાથી સેંટ ઝેવિયર કોલેજમાં જોડાયેલા અને સન ૧૮૯૪માં પ્રિવિયસની પરીક્ષા ત્યાંથી પાસ કરી પાછા વડેદરા કલેજમાં આવેલા અને ૧૮૯૭માં ઈગ્રેજી અને સંસ્કૃત ઐચ્છિક વિષય લઈને બી. એ. થયા. સન ૧૮૯૮માં કોલેજમાં ઈંગ્લિશમાં ફેલો નિમાયા અને સન ૧૯૦૨ માં કલકત્તા ગર્વમેન્ટ સંસ્કૃત કોલેજમાંથી એઓ એમ. એ. ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા.
રેવેન્યુ ખાતામાં અને મુંબાઈ એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં કેટલોક સમય નોકરી કર્યા પછી સન ૧૯૧૫માં એમની નિમણુંક પુનાની ડેકકન કોલેજમાં થઈ, જે જગો પરથી સન ૧૯૩૧માં તેઓ માનસહિત નિવૃત્ત થયા હતા.
આ વૈષ્ણવ સંપ્રદાયના તેઓ ચુસ્ત અનુયાયી છે અને એ સંપ્રદાયના સંસ્કૃત સાહિત્યનું સંશોધન, અભ્યાસ અને પ્રકાશન કાર્યમાં એમણે પિતાનું લગભગ સઘળું આયુષ્ય આપ્યું છે, એમ કહી શકાય.
૧૪૦
Page #246
--------------------------------------------------------------------------
________________
મગનલાલ ગણપતિરામ શાસ્ત્રી
એમનું
જીવનચરિત્ર–વિસ્તૃત–‘હિતવ ક' નામક માસિકના સં ૧૯૮૮ ના દીપોત્સવી અંકમાં છપાયું છે, તેમાંથી એમના માતૃભાષાપ્રેમ વિષે નીચેનાં વાક્યા ઉતારીએ છીએઃ
“ શાસ્ત્રીજીનુ જીવન અત્યંત સાદું અને પવિત્ર છે. તેની સાથે માતૃભાષાને માટે અનન્ય પ્રેમ છે. પેાતે અગ્રેજીમાં ગ્રંથાના સંશોધન કરી લખી શકત પરંતુ એક સિવાય એમણે બધાંએ પુસ્તકો ગુજરાતી અને સંસ્કૃત ભાષાનાં લખ્યાં. ડેકકન કૅલેજના માનપત્રમાં પ્રિન્સિપાલે ખેદ દર્શાવ્યા કે આ વિદ્વાને અંગ્રેજીમાં પુસ્તકો લખ્યાં હેત તે વધુ માણસે તેનેા લાભ લઈ શકત. ત્યારે શાસ્ત્રીજીએ ઉત્તરમાં જણાવેલુ` કે મારી માતૃભાષાને સમૃદ્ધ કરૂં તે મને વધારે ઉચિત લાગ્યું, જેને મારા ગ્રંથની જરૂર લાગશે તે જરૂર મારી ભાષા શીખવશેજ.
"
:: એમની કૃતિઓ ::
૧. સંસ્કૃત-ગુજરાતી. ૧. ગાયત્રીભાષ્ય
૨. શ્રી દશમસ્કન્ધ પ્રથમેાધ્યાયસુખાધિની ૩. શ્રી ગેાપિકાગીતસુખેાધની
૪. વેદસ્તુતિ મટીકા
૫. વેણુગીતસુખાધિની ૬. શ્રી યુગલગીતસુખેાધની*
ર. ગુજરાતી.
૧. શુદ્દાદ્વૈતસિદ્ધાંતપ્રદીપ.
ર. હરિપ્રિયા. ×
૩. ઇંગ્રેજી.
સન
29
...
:::
27
22
૧૯૦૩
૧૯૧૦
૧૯૨૫
૧૯૨૬ ૧૯૨૭ ૧૯૩૧
૧૯૦૩
૧૯૧૭
An Examination of Samkara's Refutatin of the samkhya system
1925
* શ્રી વલ્લભાચાર્ય સપ્રદાયના ભાષ્યાદિ ત્રીસેક સત્કૃત ગ્રંથાની શાધિત આવૃત્તિએ આ ઉપરાંત પ્રસિદ્ધ કરી છે.
* પુષ્ટિભક્તિ સુધામાં અને પુષ્ટિસુધામાં પ્રસિદ્ધ લેખાદિ ઉપરાંત જયકૃષ્ણ ગ્રંથમાળામાં પણ છ પુસ્તકો બહાર પાડયાં છે.
૧૪૧
Page #247
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
E
7
-
મનુ હ. દવે. (કાવ્યતીર્થ)
જ્ઞાતે ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ અને સિદ્ધપુરના વતની. જન્મ સિદ્ધપુરમાં તા. ૧૮-૯-૧૯૧૪ ને રોજ થયેલો. પિતાનું નામ હરગોવિંદદાસ લલ્લુભાઈ દવે અને માતુશ્રીનું નામ ગુલાબબાઇ. લગ્ન સન ૧૯૨૬માં સૌ. શાંતાગીરી સાથે વિચિત્ર સંજોગોમાં થયેલું. પિતા સિદ્ધપુરમાં ચેપડા બાંધવાની દુકાન કરતા ને “કાગદી” ઉપનામથી ઓળખાતા.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સિદ્ધપુરમાંજ લીધેલું. અંગ્રેજી પાંચમા ધોરણમાં હતા ત્યારથી સંસ્કૃત ભાષાના અભ્યાસ માટે પ્રખર નૈયાયિક શાસ્ત્રીજી શ્રી જયદત્તજી પાસે જવા માંડેલું. તે અરસામાંજ માતાનું ભરણ થયેલું. મૂળથીજ સાહિત્યનો શેખ હોવાથી તેમણે શાસ્ત્રીજી પાસે માત્ર સાહિત્ય ગ્રંથનું અધ્યયન શરૂ કર્યું અને અંગ્રેજી પરીક્ષાઓની સાથે સાથે સંસ્કૃત પરીક્ષાઓ પણ આપવા માંડી. અંગ્રેજી ૬ઠ્ઠા ધોરણમાં હતા ત્યારે કલકત્તા સંસ્કૃત એસસીએશનની પ્રથમ, મેટ્રીકમાં હતા ત્યારે મધ્યમાં અને તે પછી એક વરસ અભ્યાસ કરી સન ૧૯૩૨માં “તીર્થ” પરીક્ષા પસાર કરી “ કાવ્યતીર્થ” ની પદવી મેળવેલી.
એલ. એસ. હાઈસ્કુલ સિદ્ધપુરમાંથી મેટ્રીકની પરીક્ષા સન ૧૯૩૧માં સંસ્કૃતમાં ડીસ્ટીકશન સાથે પસાર કરેલી. મેટ્રીકમાં હતા ત્યારેજ ૬૦૦ લીટીનું ખંડકાવ્ય “ગ્રામજીવન” મંદાક્રાન્તા વૃત્તમાં લખેલું. કવિતા લખવાને શેખ તે છેક અંગ્રેજી ત્રીજા ધોરણમાંથી લાગેલે.
આ પછી તેઓ વડેદરા કૅલેજમાં જોડાયેલા; પણ કૌટુમ્બિક ઉપાધિએને લઈને એક માસમાંજ ત્યાંથી છૂટા થઈ વડેદરા મેલ ટ્રેનિંગ કોલેજના ત્રીજા વર્ષમાં મેટ્રીક સીનીયર થવા ગયેલા. વડોદરામાં એક વરસ રહ્યા તે દરમિયાન તેમણે વડોદરા શ્રાવણ માસ દક્ષિણ પરીક્ષાની સાહિત્ય મધ્યમાં બીજે નંબરે પાસ કરી રૂ. ૩૩) નું ઈનામ મેળવેલું તથા “ મહારાણપ્રતાપ”, “કિશોરી,” બ્રહ્મર્ષિ-વિશ્વામિત્ર” “પતિતકાર” અને “યાદવાસ્થળી” નામના સ્ક્રીન ને અનુકૂળ ટકી–નાં નાટકો લખ્યાં; જેમાંનું “યાદવાસ્થળા” શ્રી મટુભાઈને “સાહિત્ય” માસિકમાં છપાશે.
૧૯૩૩માં તેઓ થર્ડ ઇયર ટ્રેન્ડ મેટ્રીક સીનીયર થયા અને મુંબાઈ ગયેલા. તેમને વિચાર ત્યાં “મેડીકલ-કેલેજ” માં જોડાવાનો હતો છતાં કૌટુમ્બિક અડચણોને લઈને સિદ્ધપુર પાછા ફરવું પડયું.
૧૪૨
Page #248
--------------------------------------------------------------------------
________________
મનું હ. દવે. (કાવ્યતીર્થ)
હાલ એ મહર્ષિ કપિલના સાંખ્ય દર્શનને અભ્યાસ કરી રહ્યા છે. “સહિણી–મહાર” નામનું લગભગ ત્રણ હજાર લીટીનું વિસ્તૃત કાવ્ય ચેડાજ વખતમાં પ્રગટ કરનાર છે, જેને પંચમ સર્ગ “આત્માને આર્તનાદ” “સાહિત્ય” માં છપાયો છે. આ તેમની ઓગણીસ વરસની કારકિર્દી.
સમર્થ નાટયકાર બાબુ બ્રિજેન્દ્રલાલ રોયની એમના ઉપર ઉંડી અસર થઈ છે. એમના એ પ્રિયતમ લેખક છે. એમનાં કાવ્યો, લેખો વગેરે અવારનવાર
સાહિત્ય”, “યુવક”, “સેવા”,“ પ્રચારક”, “ઉષ:કાળ” એ માસિક અને “ગુજરાતી”, “મુંબઈ સમાચાર”, “વીસમી સદી”, “બે ઘડી મેજ” એ અઠવાડીકેમાં પ્રગટ થયા કરે છે.
એમના પ્રિય વિષય સાહિત્ય અને સમાજશાસ્ત્ર છે.
:: એમની કૃતિ ::
ગ્રામજીવન
સન ૧૯૩૨
૧૪૩
Page #249
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
મનુભાઈ લલ્લુભાઇ જોધાણી
એએ જાતના જન ભાવસાર અને વતની ખરવાળા ( ઘેલાશાહ ) ના છે. જન્મ પણ ત્યાંજ તા. ૨૮મી આકટોબર ૧૯૦૨ના રાજ થયા હતા. એમના પિતાનું નામ લલ્લુભાઇ નથુભાઈ જોધાણી અને માતાનું નામ જડાવબા જેસીંગભાઈ ખેલાણી છે. એમનું લગ્ન સન ૧૯૧૮માં વાગડ (તાલુકે ધંધુકા )ના શારદાગૌરી ગટારભાઇ રાણપુરા સાથે થયું છે.
પ્રાથમિક શિક્ષણ બરવાળામાં અને માધ્યમિક લીંબડી જસવંતસિંહજી હાઇસ્કુલમાં લીધેલું. વળી શાળામાં પહેલા બીજો નંબર રાખતા તેથી દરેક પરીક્ષામાં ઇનામ મળેલાં.
સન ૧૯૨૦થી તેઓએ બરવાળા ઇંગ્રેજી શાળામાં શિક્ષક તરીકે કામ કરેલું; પણ સન ૧૯૩૦ માં સત્યાગ્રહની લડતમાં સરદારી લઇ જેલમાં ગયેલા તે વખતે તેમાંથી રાજીનામું આપ્યું હતું. હાલમાં તેઓ જીવણલાલ અમરશી સાથે અમદાવાદની ક્ર્મમાં ( “ સ્ત્રીમેાધ ’ માસિકના મદદનીશ મંત્રી તરીકે ) જોડાયા છે.
રણજીતરામ તરફથી પ્રાચીન શેાધાળ કરવાની તેમજ લોકસાહિત્ય એકઠું કરવાની એમને પ્રેરણા મળેલી અને એ ક્ષેત્રમાં કેટલાક સમયથી તેઓ ઉપયાગી કાય કરી રહ્યા છે, જેનાં કળા નીચે જણાવેલાં પુસ્તકારૂપે પારણુમ્યાં છે; અને સંગ્રહિત જીનું સાહિત્ય હજી એમની પાસે પુષ્કળ પડેલું છે.
બુદ્ધિપ્રકાશમાં પ્રસિદ્ધ થયેલી એમની સૌરાષ્ટ્રના એલીઆએ ” એ લેખમાળાએ ધણાંનું ધ્યાન ખેંચેલું. હમણાં તેઓ ગુજરાતના પ્રાચીન શહેરા–વલ્લભી, મેાડાસા, રાણપુરા, ધંધુકા વગેરે ગામના ઇતિહાસ લખવામાં રેકાયલા છે.
""
પ્રાચીન લાકસાહિત્ય અને વાર્તા; અને ઐતિહાસિક સંશાધન કાય માં જે થાડી ઘણી વ્યક્તિએ ગુજરાતમાં કામ કરી રહેલી છે, તેમાં એમને સમાવેશ થઇ જાય છે. તેએ વળી એમના જ્ઞાતિપત્ર “ ભાવસાર અભ્યુદય ’’ ના તંત્રી પણ છે.
૧૪૪
Page #250
--------------------------------------------------------------------------
________________
મનુભાઈ લલ્લુભાઈ જોધાણી
:: એમની કૃતિઓ :: ૧. સુન્દરીઓને શણગાર, ભા–૧ ૨. છ છ ભા-૨ ૩. સોરઠી જવાહર ૪. ખાટી મીઠી બાળવા ૫. સોરઠી વિભૂતિઓ ભા–૧ ૬. સોરઠી શુરવીરે ૭. આકાશી ચાંચીએ
૧૯ર૮ ૧૯૨૯ ૧૯૩૦ ૧૯૩૨ ૧૯૩૨ ૧૯૩૨ ૧૩ર.
૧૪૫
Page #251
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
મહાસુખભાઈ ચુનીલાલ શેઠ
એએ જ્ઞાતે વીશા પોરવાડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન અને વિસનગરના વતની છે. તેમનું મૂળ વતન પાટણ છે અને અત્યારે પણ પાટણ સાથેજ સંબંધ ધરાવે છે. એમને જન્મ વિસનગરમાં સ. ૧૯૩૩ના જેઠ સુદ ૯ ને દિવસે થયા હતા. એમના પિતાનું નામ ચુનીલાલ દલછારામ અને માતાનું નામ ખાઇ કીલી છે. એમનું પ્રથમ લગ્ન સ. ૧૯૪૮ માં આઈ લક્ષ્મી સાથે થયું હતું અને તે દેવલાક પામતાં, ખીજી વારનું લગ્ન બાઇ શાન્તા સાથે સ. ૧૯૫૭ માં થયું હતું. તે હાલ હયાત છે.
એમણે મેટ્રીકયુલેશન અને સ્કૂલ ફાયનલની પરીક્ષાઓ સંવત્ ૧૯૫૪ માં પાસ કરી હતી. ત્યાર બાદ તેઓ સામાજિક કાર્યમાં અને પોતાની શરાફી પેઢીના વહીવટમાં રોકાયા. વડેાદરા રાજ્યની રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં તેએ રસપૂર્વક તેમજ આગળ પડતા ભાગ લે છે; એટલુંજ નહિ પણ સ્વામ જૈનેાના સુધારાથે તેએ એટલાજ તત્પર રહે છે. અટિત દીક્ષા વિરુદ્ધ પેાકાર કરનાર એ પ્રથમ છે. સાત વરસથી અયેાગ્ય દીક્ષા અટકાવવા પ્રજામત મેળવવા જાહેર વર્તમાનપત્રામાં લેખેા લખે છે અને એ પ્રશ્નની ચર્ચા કરતી · અમૃત સરિતા ' નામની નવલકથા એ ભાગમાં એમણે લખીને છૂપાવી છે.
'
વડાદરા રાજ્ય એન્ડિંગ કમિટીમાં અને વડાદરા રાજ્ય સ્ત્રી ધન હક્ક તપાસ સમિતિમાં તેએ એક સભ્ય હતા. હમણાં ઉંઝામાં મળેલી મહેસાણા પ્રાંત પુસ્તકાલય પરિષદના તેઓ પ્રમુખ નિમાયા હતા.
વડાદરા રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સ્થાપના થઈ ત્યારથી તેએ એક સભ્ય નિમાયા હતા; અને વડાદરા રાજ્ય ધારાસભાના પણ તે દસ વરસ સભ્ય હતા. એ પરથી એમની વિધવિધ પ્રવૃત્તિઓને ખ્યાલ આવશે.
.
નરસિંહરાવનાં ‘ કુસુમમાળા ' અને ‘હૃદયવીણા’ એ તેમજ ‘દલપતકાવ્ય,’ ‘ન કવિતા’ અને કેશવલાલ અને હિરલાલ ધ્રુવનાં કાવ્યેાએ એમને કાવ્ય રચવામાં પ્રાત્સાહન આપ્યું હતું. કવિતા લખવાને શાખ છેક ન્હાનપણથી હતા. હિરલાલ ધ્રુવના ‘ચંદ્ર' માં તે કવિતા લખી મેાકલતા.
તે પછી કાજી અનવરમિયાંના સમાગમમાં આવતાં, એમનાં કાવ્યોને
૧૪
Page #252
--------------------------------------------------------------------------
________________
મહાસુખભાઈ ચુનીલાલ શેઠ
અભ્યાસ કરી તે સંગ્રહ ટીકા અને વિવેચન સહિત એમણે બહાર પાડ્યો છે, જેની છ આવૃત્તિઓ થઈ છે.
આમ સાહિત્ય, સમાજ, ધર્મ અને રાજકારણ એ સઘળા ક્ષેત્રમાં એમની પ્રવૃત્તિ રહેલી છે.
:: એમની કૃતિઓ :: ૧. કાવ્ય સરિતા ( બે આવૃત્તિ ) સં. ૧૯૫૪ થી ૧૯૭૨ ૨. અનવર કાવ્ય (છ આવૃત્તિ) સં ૧૯૫૪ થી ૧૯૮૩ ૩. કમનસીબ કુમારિકા
સં. ૧૯૮૦ ૪. વીસનગર અને વડોદરા રાજ્યની ટૂંક હકીકત , ૧૯૮૧ ૫. અમૃતસરિતા–પ્રથમ તરંગ
ક ૧૯૮૭ ૬. ,, -દ્વિતીય તરંગ
, ૧૯૮૭
૧૪૭.
Page #253
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
ખા. બા. મેહબુબમિયાં ઈમામબક્ષ કાદરી, એ. બી. ઈ.
એ જાતે સુન્ની મુસલમાન; અને અમદાવાદના વતની છે. એમના પૂર્વજો મૂળ અણહિલવાડ પાટણથી અમદાવાદ વસાવનાર સુલતાન અહમદશાની સાથે અમદાવાદમાં આવ્યા હતા. એમના પિતાનું નામ ઈમામબક્ષ દીવાનછમિયાં અને માતુશ્રીનું નામ હુસેનબેગમ અબ્દુલામિયાં ઉફૈઝી હતું. એમને જન્મ અમદાવાદમાં તા. ૪થી નવેમ્બર સન ૧૮૭૩ના રોજ થયો હતા. એમનું લગ્ન સન ૧૮૯૭માં સુરતમાં બેગમ સાહેબા કમરુન્નિસા શમસુદીન બુખારી સાથે થયું હતું.
એઓએ પ્રાથમિક કેળવણી પ્રેમચંદ રામચંદ ટ્રેનિંગ કૉલેજની પ્રેકટીસીંગ સ્કુલમાં લીધી હતી. તે પછી ઈગ્રેજીનો અભ્યાસ અમદાવાદમાં સરકારી મિડલ સ્કુલમાં અને આર.સી. હાઈસ્કૂલમાં કર્યો હતો. એ સન ૧૮૮૮ માં મેટ્રીક્યુલેશનની પરીક્ષામાં પાસ થયા અને પ્રથમ ગુજરાત કોલેજમાં જોડાયા પછી સેંટ ઝેવિયર કૅલેજમાં ગયા હતા. સન ૧૮૯૨માં તેઓ ઈગ્રેજી અને ફારસી ભાષાઓ ઐચ્છિક વિષય લઈને તે જ કોલેજમાંથી બી.એ. પાસ થયા; અને સન ૧૯૦૧ માં એલએલ.બી. થયા. હાઇસ્કુલ અને કોલેજમાં સારા અભ્યાસ માટે કાઝી શાહાબુદીન, જેરાઝભાઈ પીરભાઈ જે. એફ. ફરનાન્ડીઝ અને સર ફેક સાઉટર સ્કોલરશીપ મેળવવા ભાગ્યશાળી થયા હતા. | સ્વર્ગસ્થ રા. બા. કમળાશંકરને, અભ્યાસ દરમિયાન, તેમણે સારો ચાહ સંપાદન કર્યો હતો; એટલું જ નહિ પણ એમના ચારિત્ર્ય પર તેઓએ (કમળાશંકરભાઈએ) ઉંડી છાપ પાડી હતી; એવી પ્રબળ અસર એમના જીવનપર સર સૈયદ અહેમદે કરી હતી, જેમનું જીવનવૃત્તાંત એમણે ગુજરાતીમાં લખ્યું છે. સને ૧૮૯૩થી ૧૮૯૬ સુધી કેળવણી ખાતામાં અમદાવાદ, નડિયાદ અને મુંબઈની એલ્ફીન્સ્ટન હાઈસ્કુલમાં તેમણે નોકરી કરી હતી. સને ૧૮૯૭માં જુનાગઢ સ્ટેટના કેળવણી ખાતામાં મહાબત મસાના પ્રિન્સિપાલ તરીકે જોડાયા; અને સને ૧૯૦૧ માં મરહુમ પાટવીકુંવર શાહજાદા શેર જુમાખાનેજીના નેટીવ ટયુટર તથા કમ્પનીઅન નીમાયા.તે એદ્ધાની રૂએ તેઓશ્રીએ શાહજાદા સાહેબ સાથે હિંદના પ્રખ્યાત સ્થળે અને સિલોનની મુસાફરી કરી. સને ૧૯૦૨ના દિલ્હી દરબાર વખતે તેઓ હાજર હતા. સન ૧૯૦૩ માં તેઓ ન્યાયખાતામાં જોડાયા હતા, અને કરીના
૧૪૮
Page #254
--------------------------------------------------------------------------
________________
ખા. બા. મેહબુબમિયાં ઈમામબક્ષ કાદરી, એ. બી. ઈ.
અંગે તેમને ઈલાકાના અનેક શહેરોમાં રહેવાનું થયેલું; અને તેઓ એમના ભાયાળુ અને એખલાસભર્યા વર્તનથી તેમ સાર્વજનિક સેવાભરી પ્રવૃત્તિએથી હિંદુ મુસ્લિમ સૌની એકસરખી પ્રીતિ મેળવવા શકિતમાન થતા. આજે પણ હિન્દુઓમાં એમના સેંકડે મિત્રો માલુમ પડશે અને મુસ્લિમ હિતના તેઓ ખાસ હિમાયતી છે. કોઈ સુશિક્ષિત મુસ્લિમ બંધુ એ નહિ મળી આવે કે જેણે એમની પાસેથી કોઈ પ્રકારની સલાહ, સૂચના કે મદદ એક વા અન્ય પ્રકારે મેળવી નહિ હોય. તે કારણે તેઓ આજે અંજુમને ઇસ્લામ, ગુજરાત મુસ્લિમ એજ્યુકેશન સોસાઈટી તથા સુન્ની વકફ કમિટીના પ્રેસિડેન્ટ છે; તેમ અમદાવાદની જાણીતી લોકપકારી સંસ્થાઓ-મુકત બંધીવાન સહાયક મંડળી અને મુંગા પ્રાણી પ્રત્યે ઘાતકીપણું અટકાવનારી મંડળીના તેઓ વાઇસ-પ્રેસિડેન્ટ છે.
છેલ્લી લડાઈ દરમિયાન જુદી જુદી નિમાયેલી કમિટીઓમાં તેમણે બહુ સુંદર કાર્ય કર્યું હતું, અને તેની કદર તરીકે એમને ખાન બહાદુરને અને ઓ. બી. ઈ. ને ચાંદ અને ઈલ્કાબ મળ્યા હતા.
સમાજમાં એમની આવી ઉંચી પ્રતિષ્ઠાને લઈને સરકારે સંમતિવય કમિશન નિમ્યું હતું, તેના એક સભ્ય તરીકે એમની પસંદગી કરી હતી; અને તેમાં સાનંદાશ્ચર્ય ઉપજાવનારું એ હતું કે એઓ વડી ધારાસભા બહારના મુંબઇ ઇલાકાના એકલા જ પ્રતિનિધિ હતા. કમિટીમાં એમનું કામ ઉપયોગી અને સંતોષકારક લેખાયું હતું. તે સંબંધમાં નોંધ લેતાં, કમિટીના સભ્યોએ જુનાગઢના નવાબને–કેમકે તેઓ એ વખતે જુનાગઢ રાજ્યમાં જ્યુડિશિયલ એફીસર હતા–નીચે પ્રમાણે પત્ર લખી મોકલ્યો હતોઃ
“It is not for us to state how invaluable Mr. Kadri's advice has been to the Committee. His unrivalled knowledge both of Muslim Law and particularly of Muslim sentiments, in an inquiry of the sort which we had to undertake was of immense help to the Committee.” | મુસ્લિમ હિત અને હક માટે જેટલા તેઓ મક્કમ છે, તેટલા હિન્દુ અને મુસ્લિમ એકતાના હિમાયતી છે.
તેઓ એવું સાદું અને નિરભિમાની જીવન ગાળે છે કે તે જોઇને એમના માટે કોઈને પણ માનની લાગણી ઉદ્દભવે.
૧૪૯
Page #255
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર રિત્રાવળી
ધાર્મિક લાગણી એટલી તીવ્ર છે કે ભાગ્યેજ તેએ નિમાઝ પઢવા નું ચૂક્યા હોય; પછી તેએ મુસાફરી કરતા હાય કે ઘરમાં બેટા હેાય; સાજા હાય કે માંદા હોય.
ખરેખર એમનું જીવન આખા દિવસ કાંને કાંઇ જાહેર પ્રવૃત્તિએમાં શકાયલું રહે છે; તેમ પ્રજા અને સરકાર ઉભયને તે સારે। વિશ્વાસ ધરાવે છે. એમની લેાકપ્રિયતા પણ ઘેાડી નથી.
તેમ છતાં યથાવકાશે તેએ સાહિત્યમાં થેાડું થાડુ લખતા રહે છે. હમણાં તેમણે સેાસાટી માટે ઉર્દૂ સાહિત્યના ઇતિહાસ લખી આપવાનું કામ સ્વીકાર્યું છે.
: એમની કૃતિ
:
૧. મુસલમાનાની ચડતી પડતીના ઇતિહાસ ૨. લવાદ માર્ગદર્શક ૩. સર સૈયદ એહેમદનું જીવનચરિત્ર
પુ
સન ૧૯૦૬
૧૯૧૧
૧૯૧૩
,,
Page #256
--------------------------------------------------------------------------
________________
મેહરજીભાઈ માણેકજી રતુરા
મેહરજીભાઈ માણેકજી રતુરા
પારસી લેખકોમાં જેએ શુદ્ધ ગુજરાતી લેખન માટે પ્રયાસ કરી રહ્યા છે તેમાં શ્રી. મેહેરભાઇ માણેકજી રતુરાનું નામ આગળપડતું મૂકી શકાય. અમદાવાદમાં એમના જન્મથીજ વસતા હોવાને લીધે તેમજ ગૃહસ્થ શ્રીમત હિંદુ કુટુ ખેામાં નાકરી અર્થે એમનું જીવન આજની ઘડી સુધી વ્યતીત થયેલું હોવાથી, એમની રહેણીકરણી, ભાષા ખેાલી વિગેરે તદ્દન ગુજરાતીમય થઈ ગયેલી છે. વળી, અત્રેની થીએસેફીકલ સાસાયટીના તે મેમ્બર હેાવાને લીધે તેમજ એ સેાસાઈટીના સેક્રેટરી તરીકે કામ કરતા હેાવાથી, એમનામાં સમભાવ અને ભાતૃભાવની લાગણી સ્ફૂરી રહે છે, અને એમના જ્ઞાન વડે એ લાગણી વધુ કોમળ અને સસ્કારી બની છે.
એમના પિતા માણેકજી આદરજી રતુરા મૂળ સુરતના વતની અને માતા ડેાસીબાઈનું વતન અમદાવાદ છે. એમને જન્મ તા. ૪ થી એપ્રિલ સને ૧૮૭૯ ના રાજ અમદાવાદમાં થયા હતા. એએ હજી અવિવાહિત છે. કાલેજમાં ખી. એ. સુધી અભ્યાસ કર્યો છે. જન્મપર્યંત અભ્યાસ એ એમના મુદ્રાલેખ અને જીવનનું કવ્યુ છે. તત્વજ્ઞાન અને આયધ શાસ્ત્રનો એમને અત્યંત શોખ છે; અને તેની પ્રતીતિ આપણને એમનાં પુસ્તકા વાંચતાં થાય છે.
:: એમની કૃતિઓ::
૧.
૨. વાનપ્રસ્થ
ભગવદ્ભાવના
૩.
ગૃહસ્થ
૪. દીવેદાસનું દેવાલય
૫.
મહાત્મા મહિમા
૧૧૧
સન
99
,,
29
..
૧૯૦૮
૧૯૧૧
૧૯૧૭
૧૯૨૫
Page #257
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
રામપ્રસાદ મોહનલાલ શુકલ
એઓ જ્ઞાતે ઉદિચ્ય બ્રાહ્મણ અને વઢવાણ શહેરના રહીશ છે. એમનો જન્મ ચુડા (કાઠિયાવાડ) માં તા. ૨૨ મી જુન ૧૯૦૭ના રોજ થયો હતો. એમના પિતાશ્રીનું નામ મેહનલાલ જીવરામ શુકલ અને માતુશ્રીનું નામ દુર્ગાબહેન દેવશંકર દવે છે.
એઓ હજુ અપરિણીત છે.
પ્રાથમિક શિક્ષણ એમણે જામ-ખંભાલીઆમાં અને માધ્યમિક ત્રીજા ધોરણથી મેટ્રિક સુધીનું વઢવાણ શહેરમાં લીધું હતું. કૉલેજ અભ્યાસના પ્રથમ બે વર્ષ તેમણે બહાઉદ્દીન કોલેજ-જુનાગઢમાં ગાળેલાં; અને સન ૧૯૨૮ માં બી. એ. ની પરીક્ષા સંસ્કૃત નર્સ સહિત ગુજરાત કૅલેજમાંથી પાસ કરી હતી.
કવિતા, કાવ્યવિવેચના, ખગોળશાસ્ત્ર, ફિસુફી વગેરે એમના પ્રિય વિષયો છે. રામતીર્થ, વિવેકાનંદ, ગાંધીજીની અને ખાસકરીને કબીર, મીરાંબાઈ અને બીજા સંતાનાં ભજનની એમના જીવન પર ઊંડી અસર થયેલી તેઓ જણાવે છે.
ઈંગ્રેજી કવિતાના પુસ્તકોમાં પાલગ્રેવનું “Golden Treasury" અને વર્ડઝવર્થનાં કાવ્યો એ એમનું શરૂઆતનું કાવ્યમાનસ ઘડવામાં સારો ભાગ ભજવેલ.
એમનાં છુટક કાવ્યો “પ્રસ્થાન”, “કૌમુદી,” “કુમાર” વગેરેમાં પ્રસિદ્ધ થયેલાં છે; અને તે આખો સંગ્રહ પ્રસિદ્ધ થયે, એમની કવિતાની પરીક્ષા અને તુલના કરવાનું સુગમ થશે.
૧૫૨
Page #258
--------------------------------------------------------------------------
________________
રંગીલદાસ લક્ષ્મીદાસ સુતરીઆ
રંગીલદાસ લક્ષ્મીદાસ સુતરીઆ
એએ જાતે વીસા લાડ વાણીઆ છે. એમનેા જન્મ એમના વતન નવસારી ખાતે સંવત્ ૧૯૩૭ ના માહ વદ ૭ ને રવિવાર (તા. ૨૦ મી ફેબ્રુઆરી સને ૧૮૮૧ ) ને રાજે થયેા હતેા. એમના પિતાનું નામ લક્ષ્મીદાસ મકનદાસ, માતાનું નામ ગુલાબ. એમની પત્ની સૌ॰ પાવતી ખારડેાલીવાળા શાહ ભૂખણુદાસ ઈચ્છારામની દીકરી થાય.
સરકારી ગુજરાતી શાળામાં છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કર્યાં બાદ અંગ્રેજી કેળવણી એમણે નવસારીમાં જ દાદાભાઇ કાવસજી તાતા એ. વી. સ્કૂલમાં તથા સર કાવસજી જહાંગીર નવસારી જરથાસ્તી મદરેસામાં લીધી હતી. એમની સ્કૂલ કારકિદી ઝળકતી હતી. ગુજરાતી પહેલી ચાપડીથી માંડીને મિટ્રક સુધી દરેક ધારણમાં ઉપલે નંબરે પાસ થઈ એમણે નામા તથા સ્કાલર્શિપ મેળવ્યાં હતાં. અંગ્રેજી છઠ્ઠા ધોરણના તથા માટ્રકને અભ્યાસ એક જ વર્ષોંમાં પૂરા કરી સને ૧૯૦૦ માં મટ્રિક થઈ મુંબઇની એલ્ફિન્સ્ટન કાલેજમાંથી “ કેમિસ્ટ્રિ અને ફિઝિકસ ’’ ને ઐચ્છિક વિષય લઈ સને ૧૯૦૪ માં એમણે ખી. એ., ની પરીક્ષા ખીજા વર્ગોમાં પસાર કરી હતી. કાને એહું સાંભળતા હાવાથી કાયદાનેા અભ્યાસ કરવાના વિચાર એમણે પડતા મૂકયા હતા.
કાલેજ છેાડયા પછી એએ વેપાર ધંધામાં પડયા હતા. કપાસિયામાંથી તેલ કાઢવાના ઉદ્યોગની હિંદુસ્થાનમાં એમણે પહેલ કીધી હતી. તેલી બિયાં પીલવાના ઉદ્યોગના નિષ્ણાત તરીકે ખાસ આમંત્રણથી સને ૧૯૧૭ મા ઇન્ડિયન ઇન્ડસ્ટ્રિયલ કમિશન સન્મુખ એમણે જે લેખિત અને માઢની જુબાની રજી કરી હતી તેને માટે કમિશનના પ્રમુખ સર થેામસ ાલાંડે એમને નીચે પ્રમાણે શાખાસી આપી હતીઃ—
–
“ Thanks very much, Mr. Sutaria. You have evidently studied your subject very closely. If all the witnesses that came before us gave evidence as well as you have done, the task of the Commission would be easy.”
એએ આયાત–નિકાસના વેપાર પણ મોટા પાયા ઉપર કરતા હતા, અને કેટલાક અમેરિકન કારખાનાવાળાઓના હિંદુસ્થાન ખાતેના સેલ
૧૫૩
૨૧
Page #259
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
એજંટ હતા. લડાઈ પછી માલના ભાવમાં જે ઉથલપાથલ થઈ તેને લીધે કમનશીબે એમને મોટો ફટકો લાગ્યો, અને એક વેળાની એમની ધીકતી પેઢી, કોઠારી, સુતરિયાની કું. સને ૧૯૨૧ માં બંધ પડી. ત્યાર પછી જુદી જુદી દેશી તેમજ યુરોપિયન ઑફિસોમાં વેજીટેબલ ઘી ખાતાના મેનેજર તરીકે કામ કરી સને ૧૯૩૧ ના માર્ચમાં એઓ નિવૃત્ત થયા, અને હાલ નવસારી ખાતે શાંત જીવન ગાળે છે.
એઓ અચ્છા એમેચ્યોર ફોટોગ્રાફર છે. જ્યોતિષને પણ એમણે ઉડે અભ્યાસ કર્યો છે.
નિશાળમાં ભણતા હતા ત્યારે એમને માસિકોમાં અને વર્તમાનપત્રમાં લખવાનો છંદ લાગ્યો હતો. પણ કૅલેજમાં ગયા પછી બૈરી છોકરાંને ભૂખે મારવાને એ ધંધે એમણે સદંતર છેડી દીધો હતો. ત્રીસ વર્ષ બાદ ધંધામાંથી નિવૃત્ત થતી વખતે, એમણે કલમ પાછી હાથમાં લીધી, અને જાણે ગયેલાં વર્ષોને અંગ વાળતા હોય તેમ આજે બેઠા બેઠા લાંબી ટુંકી વાર્તાઓ લખ્યા જાય છે.
“Astrology of the Race Course' નામનું એમનું અંગ્રેજી પુસ્તક એ વિષયમાં રસ લેનારાઓએ સારું વખણાયું છે.
એમની જે કૃતિઓ નીચે જણાવી છે તે ઉપરાંત “સાહિત્ય' માસિકમાં પ્રગટ થએલી બે, “ફુરસદ માસિકમાં પ્રગટ થએલી અનેક અને બીજી અપ્રગટ નાની મોટી વાર્તાઓનો સાર જે જ એમની પાસે થયો છે, જે હવે પછી પ્રસંગાનુસાર પુસ્તકરૂપે બહાર પાડવાની એ ઉમેદ રાખે છે.
:: એમની કૃતિઓ :: ૧ Astrology of the Race Course (અંગ્રેજીમાં, મૌલિક)
સને ૧૯૨૫ ૨ ઈંદિરા અને બીજી વાર્તાઓ (બંગાળી ઉપરથી અનુવાદ) , ૧૯૩૦ ૩ શ્રી
( , , , , , ૧૯૩૨
૧૫૪
Page #260
--------------------------------------------------------------------------
________________
વસંતરામ હરકૃષ્ણ શાસ્ત્રી
વસંતરામ હરિકૃષ્ણ શાસ્ત્રી
એ જ્ઞાતે ગિરિનારાયણ બ્રાહ્મણ જ્ઞાતિના છે. મૂળ વતની જામનગરના પણ તેમને જન્મ અમદાવાદમાં થયો હતો. લાંબા સમયથી તેમના પિતા અમદાવાદમાં આવી રહ્યા હતા. એમના પિતાનું નામ હરિકૃષ્ણ અને માતાનું નામ જેઠીબાઈ છે. એમનું લગ્ન સં. ૧૯૭૧ માં જામનગરમાં શ્રીમતી અજવાળીબહેન સાથે થયું હતું.
અમદાવાદ સંસ્કૃત પાઠશાળામાં એમણે સદગત મહામહોપાધ્યાય શ્રી રામકૃષ્ણ શાસ્ત્રીજી પાસે સંસ્કૃતિને અભ્યાસ કર્યો હતો અને અલંકાર, વ્યાકરણ, કાવ્ય સાહિત્ય, ન્યાયશાસ્ત્ર, વેદાંત વગેરે એ એમના અભ્યાસના પ્રિય વિષયો હતા.
એએ એક પત્રકારનું જીવન ગુજારે છે; અને પુષ્ટ સંપ્રદાયનાં પુષ્ટિ ભક્તિ સુધા અને વૈષ્ણવ ધર્મ પતાકાના ઉપતંત્રી તથા તંત્રી થઈને “શુદ્ધાત” નામનું માસિક હાલમાં સાત વર્ષથી ચલાવે છે. સાંપ્રદાયિક ધર્મને માસિકમાં તે બહોળુ વંચાય છે; અને તેમાં આવતા ઐતિહાસિક અને પ્રાચીન સાહિત્યના લેખોને લઇને ઈતર વાચકને પણ આકર્ષક થાય છે.
ધર્મ પ્રવૃત્તિ ઉપરાંત તેઓ સામાજિક વિષયમાં ખૂબ રસ લે છે.
કવિ શ્રી દયારામભાઈના અપ્રસિદ્ધ સાહિત્ય પ્રકટ કરવામાં અને સંગીતમાં ગાઈને તેને પ્રચાર કરવામાં પણ ઘણો ઉત્સાહ ધરાવે છે.
શ્રીમદ્ વલ્લભાચાર્યના શ્રીસુબોધિની પુસ્તકે એમના જીવન પર પ્રબળ અસર કરેલી છે. વળી માજી ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટર મનમોહનદાસ દલાલ, બી. એ., પાસેથી એમને એમના સેવા કાર્યમાં ખૂબ પ્રોત્સાહન મળ્યું હતું. એમણે વૈષ્ણવ સંપ્રદાય સાહિત્યને લગતાં લગભગ ૩૩ પુસ્તકો એડિટ કરી પ્રસિદ્ધ કર્યા છે, તેમાં એમના લખેલાં નીચે મુજબ છે.
.:: એમની કૃતિઓ :: ૧ ફલપ્રકરણ સુબોધિની
સંવત ૧૯૭૧ ૨ શાંડિલ્ય ભક્ત સૂત્રભાષ્ય ૩ સિદ્ધાંત રહસ્ય ૪ આટલું તે કરજેજ
, ૧૯૮૨ ૫ શ્રી હરિરાય વચનામૃત ૬ ન્યાયમૂર્તિને ચુકાદો
૧૯૮૩ ૭ શ્રી પુરુષોત્તમજીનું ચરિત્ર
૧૯૮૫ ૮ પુષ્ટિમાર્ગને ઇતિહાસ
૧૯૮૯ ૧૫૫
Page #261
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
હરસિદ્ધભાઈ વજુભાઈ દીવેટિયા
એઓ જ્ઞાતે વડનગરા નાગર ગૃહસ્થ; અમદાવાદના વતની અને જન્મ વડેદરામાં તા: ૧૭ મી ફેબ્રુઆરી ૧૮૮૬ (સં. ૧૯૪ર ના મહા સુદિ ૧૪) રોજ થયું હતું. એમના પિતાશ્રીનું નામ વજુભાઈ હીમતભાઈ અને માતુશ્રીનું નામ ઈશ્વરબા હતું. એમનું બીજું લગ્ન સન ૧૯૧૭ માં પ્રિન્સિપાલ આનન્દશંકર બાપુભાઈ ધ્રુવના પુત્રી શ્રીમતી જૈલીહેન સાથે થયું હતું. - સ્કુલ અને કોલેજમાં એમની કારર્કિદી યશસ્વી હતી. સન ૧૯૦૬ માં તેમણે ગુજરાત કૅલેજમાંથી તત્ત્વજ્ઞાનનો વિષય લઈને બી. એ. ની પરીક્ષા તે વિષયમાં પ્રથમ નંબરે ધીરજલાલ મથુરાદાસ ઑલરશીપ સાથે પાસ કરી, ત્યાં સન ૧૯૦૭ તથા ૧૯૦૮ માં દક્ષિણ ફેલો નિમાયા હતા; અને સન ૧૯૦૮ માં એમ. એ. ની પરીક્ષા તત્વજ્ઞાનનો વિષય લઈને પહેલા વર્ગમાં પાસ કરીને તેલંગ ચંદ્રક અને ઈનામ મેળવ્યા હતા.
તે ઉપરાંત યુનિવર્સિટી તરફથી હરિફાઈ નિબંધ લખીને કરસનદાસ મૂળજી ઈનામ સન ૧૯૦૮ માં પ્રાપ્ત કર્યું હતું, અને સન ૧૯૦૯ માં તેમણે એલ એલ. બી. ની પરીક્ષા પાસ કરી હતી.
- થોડે વખત તેઓ સંયુક્ત પ્રાંતમાં બરેલી કૅલેજમાં તત્ત્વજ્ઞાનના અધ્યાપક તરીકે કામ કરી આવ્યા હતા; પણ દૂર પ્રદેશમાં રહેવાનું અનુકૂળ નહિ થવાથી મુંબાઈમાં આવીને સને ૧૯૧૨ માં મુંબઈ હાઈકેટમાં વકીલાત શરૂ કરી હતી. | મુંબાઈના વકીલોમાં એમની પ્રેકિટશ ધીકતી છે અને નામાંકિત વકીલોમાં એમની ગણના થાય છે. એમની બાહોશી અને કાર્યદક્ષતાને લઈને તેઓને મુંબઈની બાર કૌન્સિલના સેક્રેટરી ચુંટી કાઢવામાં આવ્યા હતા.
એમના ચાલુ ધંધામાં તેઓ ગુજરાતી સાહિત્ય પ્રવૃત્તિ સાથે સંસર્ગ રાખી રહ્યા છે. મુંબાઈની શ્રી ફેંર્બસ ગુજરાતી સભાના તેઓ નરરી સેક્રેટરી છે; અને ગુ. વ. સંસાઈટીને એમણે સન ૧૯૧૪ માં વિલિયમ જેમ્સના હોટા પુસ્તક પરથી “માનસશાસ્ત્ર’ નું પુસ્તક લખી આપ્યું હતું; અને તે ટ્રેનિગ કૅલેજમાં પાઠય પુસ્તક તરીકે વપરાય છે. વળી તેઓ સાર્વજનિક સેવા કરવામાં પાછા પડતા નથી. વાંદરા મ્યુનિસિપાલટીના છેલ્લા ત્રણ વર્ષથી તેઓ એક સભ્ય છે.
હમણાં જ સમાચાર બહાર આવ્યા છે કે તેમની ટુંક મુદ્દત માટે મુંબાઈ હાઈકોર્ટના જડજ તરીકે નિમણુંક થઈ છે. ગુજરાત તે માટે મગરૂરી લઈ શકે.
:: એમની કૃતિઓ : ૧ માનસશાસ્ત્ર
સન ૧૯૧૪ ૧૫૬
Page #262
--------------------------------------------------------------------------
________________
હરિલાલ નરસિંહરામ વ્યાસ
હરિલાલ નરસિંહરામ વ્યાસ
એઓ જ્ઞાતે ઔદિચ્ચ ટોળકીઆ બ્રાહ્મણ અને માતરના વતની છે. એમનો જન્મ સન ૧૮૬૩માં તા. ૨૦ મી જુને ભાતરમાં થયો હતો. એમના પિતાનું નામ નરસિંહરામ શિવરામ અને માતુશ્રીનું નામ બાઈ જેકેર બાપુજી છે. એમનું પ્રથમ લગ્ન સં. ૧૯૩૭માં બાંધણી ગામમાં સૌ. ગિરજાબહેન સાથે થયું હતું, પરંતુ તે સં. ૧૯૪૪માં મૃત્યુ પામતાં એમનું બીજી વારનું લગ્ન સં. ૧૯૪૭માં સી. સરસ્વતી સાથે વડોદરામાં થયું હતું; વહુ તે બાઈ અર્ધદગ્ધ હોવાથી એમણે ત્રીજીવારનું લગ્ન સાત વર્ષની મુશિબતી અને દુઃખમાં કાઢયા બાદ સં. ૧૯૫૪માં સૌ. કમળા સાથે કર્યું હતું. તે બાઈ સન ૧૯૧૮માં ગુજરી ગયાં હતાં. એમનાં બીજીવારનાં સ્ત્રી હયાત છે. પ્રથમ વારની સ્ત્રીના મૃત્યુ પછી તુરતમાં એમના પિતા દેવલોક થયેલા તેથી એમના મનને આઘાત પહોંચ્યું હતું અને ધર્મ પ્રતિ એમનું વલણ ગયેલું ત્યારથી સાહિત્ય અને ધર્મપુસ્તકોના તરજુમા કરવાનું શરૂ કર્યું.
તેમણે પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૅલેજનું સિનિયર વર્ગનું સર્ટિફીકેટ મેળવ્યું હતું. આખી જીંદગી શિક્ષક તરીકે ગાળી હતી. હમણું તેઓ રીટાયર થઇને પ્રભુ ભજનમાં દિવસે નિર્ગમન કરે છે.
એમના રઘુવંશને તરજુમે બે ત્રણ સર્ગને “બુદ્ધિપ્રકાશ' માં તે વખતના તંત્રી બાલાશંકર ઉલ્લાસરામે છા હત; અને શ્રીયુત છોટાલાલ નરભેરામ ભટ્ટની ભલામણથી ઓનરરી સેક્રેટરી લાલશંકરભાઈએ એમનાં સંસ્કૃત પુસ્તકના અનુવાદ રઘુવંશ, કિરાતાજુનીય કાવ્ય, શિશુપાલ વધ વગેરે સોસાયટી તરફથી છપાવવા સ્વીકાર્યું હતું.
આ ભાષાન્તરે દ્વારા પણ તેઓ સાહિત્યના કેટલા સાચા અભ્યાસી છે, તે દેખાઈ આવ્યા વિના રહેતું નથી. સંસ્કૃત કાવ્ય સાહિત્યના અભ્યાસીને આ ગ્રંથે દીવાદાંડીરૂપ થઇ પડે તેવા છે.
.:: એમની કૃતિઓ :: ૧. શ્રીમદ્દ ભગવદગીતા અને અષ્ટાવક્રગીતા ગુજરાતી કવિતામાં ભાષાન્તર
સન ૧૮૯૨ ૨. રઘુવંશ (ગુ. કવિતામાં ભાષાન્તર)
, ૧૮૯૭ ૩. કિરાતાજુનીય કાવ્ય (ગુ. ટીકા સાથે)
, ૧૯૦૩ ૪. શિશુપાલવધ—પૂર્વાર્ધ– ,
૧૯૦૮ ૫. , –ઉત્તરાર્ધ ,
૧૯૧૦ ૬. શ્રી યજુર્વેદીય પુરુષસૂક્ત (ગુ. ભાષ્યરૂ૫)
૧૯૩૩ ૧૫૭
Page #263
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
૧૯૩૨ ની કવિતા
૧
માનવજીવનના સામાજિક અને રાજકીય પ્રશ્ના હાલમાં વધુ નવીન અને વ્યાપક રૂપે ઊભા થયા છે. કવિએ એ સૌના સ્વાભાવિક ઉદ્દાતા છે. કવિતા જેમ યુગયુગની પ્રતિચ્છાયા છે તેમ ધાત્રી ચે છે, એટલે પ્રત્યેક સાચેા કવિ ઇરાદાપૂર્વક યુગકવિ ન અને તાપણ સહજપણે યુગકવિ હાય છે.
ભક્તકવિએ, સમાજસુધારક કવિ, રાષ્ટ્રકવિ, પ્રકૃતિના ગાયક કવિએ એ બધા પાતીકા યુગના પ્રતિનિધિ સરખા છે. કવિતા એ કારણે યુગયુગને રસઇતિહાસ છે.
જે ચેતનયુગ છેલ્લી વીસીથી શરૂ થયા છે તેની છાયાએ આજે ગુજરાતની કવિતામાં ઊતરી છે. પ્રારંભની પ્રચારકાની કૃતિએ એછી થઇને યુગગુણવંતી કવિતા કલારૂપે જન્મી છે.
કવિતાનું ક્ષેત્ર જીવન જેટલું વ્યાપક છે. કુટુંબનાં દૈન્ય, સમૃદ્ધિ અને સુખશાન્તિથી માંડીને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય દૈન્ય, સમૃદ્ધિ ને સુખશાન્તિ સુધી પ્રશ્ન કવિતાક્ષેત્રને છે. વતનની કુદરતથી માંડીને દેશપરદેશની કુદરત ગાવાના પ્રશ્ન કવિતાના છે. આજે પ્રથમના પ્રશ્ન ઊકળતા ચરૂ પર ચડે છે પણ કવિએ દ્રષ્ટા તરીકે ખેસી રહેતા નથી. તેએ તે કળાકૃતિ દ્વારા ભાવિ સૃષ્ટિને વમાનમાં આકર્ષે છે. આ રીતે સાહિત્ય, શિલ્પ, નૃત્ય, ચિત્ર અને પ્રજાના હુન્નરઉદ્યોગેા યુગગુણયુક્ત કળામય રૂપ ધારણ કરે છે. કવિતાનાં કળામય રૂપા હજુ ક્ષેાકબદ્ધ ટૂંકાં કાવ્યા તરીકે છે એ ખરું; પરંતુ પૂર્ણ કળાનું પ્રભુત્વ કાંઈ સહસા સંભવતું નથી; કેમ જે પૂણ સ્વરૂપ તેા માનવજાતિના સંસ્કારી કલ્પનાજીવનના સંપૂર્ણ રસાનુભવનું સર્જન છે. છતાં આ નાજુક ઘરદીવડાં ખાટાં તો નથી જ.
હવે પ્રસ્તુત વિષય પર આવીએ.
હાલ જે નવા લેખકો અને તેમના યૌવને ભરેલા
કવિતાપ્રદેશ ખેડી રહ્યા છે તે બધા યુવાને છે યુગપ્રાણની સ્પષ્ટ અસર આ વર્ષની કાવ્ય
૧૫૮
Page #264
--------------------------------------------------------------------------
________________
૧૯૩૨ ની કવિતા
કૃતિએમાં પ્રવેશી છે. ભાવનામય સ્પષ્ટ વિચારસૃષ્ટિ અને સરળ પ્રવાહી ભાષાશૈલીમાં અગ્રપદે જેમ ભાઈ રામપ્રસાદ શુક્લ આવે છે તેમ ભાઈ ‘ સુન્દરમ્ ” પણ પોતાના નિરાળા વ્યક્તિત્વથી વિશિષ્ટ સ્થાન ધરાવે છે.
યૌવનની કાચી તાજપ, સ્વાર્પણુની ધગશ, સેવાભાવ, આદર્શો સ્વ×દૃષ્ટિ અને વિચારસૃષ્ટિ, ઊંચી મહત્ત્વાકાંક્ષા, વણમ્હારી કલ્પનાએ, ડાં અનુક ંપના, એ બધું આજના યુવાન કવિએની કૃતિઓમાં દેખા દે છે, તથા એ સૌ વચ્ચે આત્મવિશેાધનની ગંભીર પ્રજ્ઞાને પ્રવાહ સુતરના તાંતણા જેમ સાંસરવા વહે છે. તે સાથે આદર્શ જીવનની ભાવનામયતા પણ ગૂંથાએલી રહી છે. સમયવ્યાપી અહિંસાધર્મને અંગે બુદ્ધપૂજા, દીન જતાની દયા અને આપભાગની એષણા વિશેષ રૂપે પ્રગટે છે.
શ્રી ખબરદાર અને શ્રી ‘શેષ' તેા સિદ્ધહસ્ત કલાકારા છે તે ગૂજરાતવિખ્યાત છે. યુવાન કવિઓમાં અગ્રણી ભાઇશ્રી ચન્દ્રવદનની શક્તિઓ પણ જાજવી જીવનપ્રવૃત્તિઓમાં થઈ ને નવીન કલારૂપે। સર્જાવતી વહે છે. ભાઇશ્રી રામપ્રસાદ તેમજ કૃષ્ણુલાલ શ્રીધરાણી અને ઉમાશંકર હજુ છેલ્લા વર્ષોમાં જ પત્રા દ્વારા પ્રકાશિત થયા છે, છતાં ખીજાના પ્રમાણમાં એમના કાવ્યગુણો અધિકાંશે ચડિયાતા છે. ઉમાશંકર, ઈન્દુલાલ, સુન્દરમ્ , સુંદરજી ગા, બેટાઇ અને મનઃસુખલાલે ખંડકાવ્યેાના પ્રદેશમાં પાંખા ફફડાવી છે એ સ્તુત્ય છે. કવિતા પોતે પૂર્ણ આનંદભરી છે એટલે જ વિશેષ સેવ્ય છે એમ મનાય તો જ કાવ્યોની રિદ્ધિસિદ્ધિ વધે. ગુજરાતના ક્ષેત્રફળ અને પ્રજાવિસ્તારના પ્રમાણમાં કવિસંખ્યા અતિશય જૂજ છે. ગુજરાતની કવિતા કૃશાંગી મતી પૂર્ણ પ્રફુલ્લાંગી બને એ સારુ કાવ્યલેખકા, પત્રકારા અને નિકા પાતપાતાના યથેચ્છ ભાગ લેશે તે એ પાકસમય બહુ દૂર નથી. આજે તે આ સરસ ખીજાંકુરા જોઇને જ રાચીએ.
એક રીતે જેમ ‘લાલલાલ’નું ટાહ્યલું ઓછું થયું છે અને તેને બદલે ધીરગંભીર ભાવાવાળી કવિતા જન્મી છે તેમ બીજી રીતે છેલ્લાં વર્ષોમાં જણાતા ઉત્તમ રસગીતાના અભાવ પણ ઈચ્છવાયેાગ્ય નથી. વિષયાનું વૈવિધ્ય આવ્યું છે એ ખરૂ, પરંતુ છંદવૈવિધ્ય બહુ જ એછું છે. પ્રધાનપણે અગેય પૃથ્વી છંદ રહ્યો છે. ખીજા પ્રચલિત છંદોમાં નવીનતા લાવવાના પ્રયત્ન પણ થયા છે. લેખનશૈલી સંયમભરી ને વિવેકવતી, એટલે સૌમ્ય સંસ્કારવાળી બની છે. જોકે જોઈએ એવી ભવ્ય હિ તે। બલવતી તે છે જ. રસ અને અલંકાર આછા છે. પરિણામે કૌમુદીકાર પોતાના વાર્ષિક સાહિત્યાવલેાકનમાં
૧૫૯
Page #265
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
જણાવે છે તેમ કવિતા કૃશાંગી છે. તે પણ આપણે કહી શકીએ કે એમાં ગંભીરા જેટલું ઊંડાણ અને તેટલો જ શાન્ત સ્વચ્છ વેગ નજરે પડે છે.
સશોક કહેવું રહે છે કે ઉત્તમ રસગીતના અભાવ જેવો જ અભાવ સ્ત્રીકવિઓને છે. ગૂજરાતે પોતાની કન્યાઓને કવિતા કલામાં પ્રેરવાનો અને પ્રવેશ કરાવવાને સમય ક્યારનો ય આવી પહોંચ્યો છે. વારસો છે, સંસ્કાર છે, રસજીવન છે તો કવિતાકળા કેમ ન હોય ? અને આટલી ઊણપ સત્વર પૂરાશે એ આશા વ્યર્થ નથી.
દેશળજી પરમાર
૧૬૦
Page #266
--------------------------------------------------------------------------
________________
૧૯૩૨ ની કવિતા
સ્વમ
( રાગ ભૈરવી; તાલ લાવણી )
તારૂં સ્વમ ન ક। દે ભૂસી રે, હા રઢિયાળા ! ભલે તેગ સાધર લે ચૂસી રે, હા
આભ થકી તુજ કાજ
જુગજુગના
અંધારી ભલે,
ધાર વહે
પણ
પડે ન ઝાંખા લેશઃ
જોની ઝગમગતા એ તારા રે, હ રણુરઢિયાળા ! એના પંથ સદા અંધારા રે, હા રણુરઢિયાળા !
દિનભર
તારી જ્યેાતિ ન ભલે વા વાદળ
રણુરઢિયાળા ! ( ધ્રુવ )
શેશરકાર મચાવે, જગત અને પ્રતિકૂળ;
નહિ તુજ અંતરઆંખ ખીડાને,
આભ ભરી દે ધૂળ :
હાલાવે રે, હૈ। રણઢિયાળા ! ડાલાવે રે, હા રણુરઢિયાળા !
ઊતરતા
સંદેશ;
કા
અણગણ
ગેમ ઊડતાં પડે
ડૂખે તરતાં
કઈ બંદુક તારાને નલ આંધે કઇ
પાજ ?
તારૂં આતમબળ લે સાધી રે, હા રણુરઢિયાળા ! એ જ શક્તિ અલૌકિક લાધી રે, હા રણુરઢિયાળા !
વિમાન,
જહાજ;
વીંધે ?
આભ ન રાધે, પૃથ્વી ન રાધે,
રાધે કા ન દિગંત;
નિરંતર
અનત!
તારક ભરે
અંતર તારૂં
હા
રણુરઢિયાળા !
ચિરધર્મેશે। અંદેશા રે ? તારા એ જ અભય સંદેશા રે! હા રણુરઢિયાળા !
૧૬૧
તારૂં
તારૂં
તા.
તારૂં અશર રૂ. ખબરદાર
Page #267
--------------------------------------------------------------------------
________________
· અરે ભેાળા
ઢગાવાના
છે.
જીએ ઈન્દ્રે
વળા
ગ્રંથકાર ચરિત્રાવલી
ઉમા-મહેશ્વર (શિખરિણી )
સ્વામી ! પ્રથમથી જ જી જલધિમથને
લીધે તુરગર્માણ
જગતના
લીધા ઐરાવત
મહીં.
હું જાણતી હતી, વ્હેંચણી ઉચ્ચશ્રવસ તે, કૌતુક સમેા.
હિમસમ લીધે શંખ ધવલ, શશિયર સુધાનાં કિરણને.
લીધી કૃષ્ણે લક્ષ્મી, અને છૂટો મૂક્યા
બધાએ ભેગા ચૈ અમૃત તમને છેતરી પીધું, ભૂલે ! અમૃત ઉર્દૂધનું વસત શી ? સુધા આ અધરની ! '
6
અને...’ ભૂલે ! રહી જેના ભાગ્યે
અનુપમ
છેતરઇને
ઠગતાં.
કહા ? '
સખિ !
વિષ પીધું કયમ, તહીં મંથન સમે
"
તે ! જગમહીં બધે ધરની ધરુણી એક
રહેા, જાણ્યા એ શીખ્યા છે. આવીને ખીજાં તે। જાણે કે ઠીક · બન્યું એ તે એવું કની
જ;
દીઠી મે આલિંગી
જલધિસુતા
અને કાળા
સુભગ કર એવા
મને મારા
મન થયું બસ એ
મૂકી જો, આ બાહુ ધનમહીં ન વિદ્યુત્
કૃષ્ણતનુને;
ભજી રહ્યો,
રંગ ધરવા. સમ દિસે ? '
પ્રણયન નિઃસીમ ઉલટથા,
ખન્યું.
શેષ
તીં આખે વિવે
અને એ આશ્લેષે વિષ જગતનું સાક
પ્રેમવિભવ
( પૃથ્વી )
અનન્ત તુજ આશિષે। અમ પરે પ્રભા ઊતરી, વહે પવન, પાણી, તેજ રમતું રહે વિશ્વમાં; સ્ફુરી જીવનચેતના દિન દિને ટકે જે વડે, અહે। ! નજર ારી રંજન અસ ંખ્ય દશ્યેા કરેઃ
૧૬૨
Page #268
--------------------------------------------------------------------------
________________
૧૯૩૨ ની કવિતા
નદી, ઉદધિ, પર્વતે ગગન ઘેરી ગેળા ભમે, અને હદયતાર સૌ ઝણઝણે લહી પ્રેમને પ્રિયાનયનમાં, શિશુમિત વિષે, પિતાઅંકમાં, ઉરે જનનીના, મને સુહદ ભાઈભાંડુ તણા. પિતા ! બસ નથી શું આ વિભવ માનવીને મળ્યો? પ્રમાણ તુજ પ્રેમનું પ્રકટ એ નથી? કે મથે અહમ વધુ પ્રમાણવા યમ, કિંઠાથી, ક્યારે અને પડી વિફળ શોધમાં બડબડી ઊઠે ને બળે ? ન બિન્દુ જળનું લહે કદી ય માપ સિંધુ તણું, વિરાટ-ઉરમાં વસે બસ નથી જ શું એટલું ?
રામપ્રસાદ શુકલ
સ્મારક
“(પૃથ્વી) લઉં કુલછડી? સુગંધમય પાંખડી ? કે ઘડી શિલા શકલને અબેલ વદને ય વાચા દઉં ? વિરાટ નભમાળથી ચકચકિત તારા લઉં ધરૂ ચરણમાં? પળેપળ રહ્યું નથી દીવડી ? સહસ્ત્રકિરણાવલિરચિત દીપતી રાખડી થકી ગ્રથિત વિશ્વનાં પરમ પંચ તો સહુ તણું અચલ ચિત્રની જ સ્મૃતિ એક તારી ચહું; કિયું રચું કહે ? અનંત યુગરાજથી યે વડી ! હતી રમતી આળ તું–સરલ શાંત ગંગોદક– સદા પતિતપાવની, કમલરેખ શી વિસ્તરી, વહી ઘન ગભીર નિત્ય મુજ જીવને નિર્જરી, ઉડંત જગતાતની અતિ વિશાળ કો કલ્પના સમી, તુજ મસે કઈ નવીન હું રચું ભાવના? ઈલા’ શબદ એક એ જ નથી ભવ્ય શું સ્મારક ?
ચન્દ્રવદન મહેતા
Page #269
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
વિશ્વમુખી
(ઉપજાતિ–વંશસ્થ) હિમાલયે મસ્તકનાં ઉશીકાં ! ને બહુ ઝીલે જલ ગંગ–સિંધુનાં ! સહ્યાદ્રિસંગે પગ એક ટેકવી, ઝંખ્યા કરું દર્શન ભાગ્યદુનાં. વંટોળ ઊઠે મરુભોમના ઉરે, સ્મિતે શમાવું સ્વર–મંજ-કંપને; ને વિધ્યના શલશલે વીંધાઉં, તો યે હસું જાગ્રત સ્વમસિંચને. ને એ ક્ષણે તે લઘુ માનવી મટી, બની રહું રાષ્ટ્ર–વિરાટ-ચેતના; પ્રજાપ્રજાના ઉર-સ્પંદ–તાને, ગૂંજી રહું ઊર્મિલ ઐય-પ્રેરણું. ઉકેલતો તારકશબ્દથી; ને પ્રેમધારા વહું વિશ્વમુખી.
- ઉમાશંકર જોષી
મ–તુંબડું
(ઉપજાતિ-વંશસ્થ) ત્રિકાલકેર કરી માનદંડ, પ્રકાશની તાત્રયી મઢી લઈ; પ્રતત ભાનુ તણી અંગુઠી કરી, અશ્વિનીએ સાદ કર્યો પ્રચંડ વિરાટ ! તારું જયગાન ગાવા, તંબૂરનું એક અનન્ત તુંબડું દઈ શકે તે મુજ દંડમાં મહું, સંગીત એ શાશ્વતને શમાવા !”
૧૬૪
Page #270
--------------------------------------------------------------------------
________________
૧૯૩૨ ની કવિતા
વિરાટનું સોણલું તો સરી પડયું, ' ધીમે રહી અંતર ખોલી આપ્યું; અનન્ત એવું અવકાશ વ્યાપ્યું, અશ્વિનીને સાંપડયું મ–તુંબડું.
સંગીતના શાશ્વત બેલ થીજતાં તારા બની તુંબ મહીં દીવા થતા !
કૃષ્ણલાલ શ્રીધરાણી
બે ભાવનાઓ
(પૃથ્વી) જયદિ જવું ગમે જ-સ્મિત લક્ષ્મીનાં ઓસરી, સુવર્ણતણ કાન્ત કાતિ મળી જાય માટી મહીં, હીરા રતન ને મણિ પથ તણી બનો કાંકરી, પરંતુ અમલું પ્રસાદમય હાસ્ય પારિત્ર્યનું થજે ન કદિ ઝાંખું, ના મલિન એ કદિ યે થશે, નિરંતર પ્રસન્ન પદ્મસમ અંતરે એ ઠરા.
ભલે સકળ વિશ્વનાં વિષ જવલંત ને કારમાં સુખે જગત ઠાલવે મુજ મુખે, અને દાહના દુઃખે અણુઅણુ બને વિકલ વ્યરત છો માહરા; પરંતુ ધરશે નહિ હૃદય વાકાઠિન્યને, સૂકાઈ ઉરથી જશે ન કદી પ્રેમની નિઝરી, વહી વહી વિશાલ વિશ્વપટ નિત્ય ભીજાવતી. રહે વિષસમુદ્રમાં અમૃતપૂર્ણ મંદાકિની, અનંત સ્મિતના તરંગ પર ભદ્ર વિસ્તારતી.
પૂજલાલ:
૧૬૫
Page #271
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
શહાદત
( પૃથ્વી ) મશાલ સળગાવી મૂકે દુ:ખિયાં જને ઢૂંઢવા; પ્રફુલ્લ તુજ સ્વમની—જીવનનાં—અધૂરી કળીઃ અસંખ્ય કચડાયલાં અબલની થવા પ્રેરણા, દીવેલ ખૂટતાં બલિ બની જજે મશાલે ચડી.
ફુગાવ તુજ કલ્પ્ય સૃષ્ટિ સજવા નવાં આયુધો, નવાં સરજા વિના ક્યમ શમે ક્ષુધા ક્રાંતિની ? નવાં સરજને વિના પ્રતીતિ રે, થશે શ્રાંતિની ! મરી જીવવું એ વૃત્તિ વી રહ્યાં નવાં સર્જને. નહિ સૂરજના વિના ધરતી રૂપ ધારે નવું, નથી રજની દીસતી મધુરવી વિના ચંદ્રિકા; લીલેાતરી વિના સુધા પ્રકૃતિમાં નથી ઊડતી, નથી નૂર સ્વત ંત્રતા તણું કદી શહીદ્દો વિના.
શહાદત બની જશે જીવનની જયંત કરવા તને કમાન રચશે ધ્રુતિ !
ઊંચે નીચે આ શું હું કયાં ઊભે ?–મુજ
પાસ
વિશ્વ અને વ્યક્તિ (વસ’તતિલકા )
સહુ દિશે પ્રસર્યું અપાર
મજા જે ઘડી, જગ સિંહાસને ઊતરી
વ્યક્ત સઘળુ
આ
તારા અસંખ્ય
સબન્ધ શા
અદૃશ્ય સૂત્ર
ઝાડ ડુંગર
બધું નિરખું જે મુજ નિવાસ કહાં
સકલ
અનન્ત
ધન વાદળ
સાથ
સ
મહીં
ઈન્દુલાલ ગાંધી
આસપાસ ? પ્રમાણું ?
દિસતું અજાણ્યું.
૧૬
અગાધ
વ્યામ,
સૂ`
સામ;
હશે મહારા,
પરાવનારા ?
Page #272
--------------------------------------------------------------------------
________________
૧૯૩૨ ની કવિતા
કુંડાળું કાંકરી પડશે જલમાં તણાય, કાંઠા ભણું પળપળે સરતું જણાય;
હું” શૂન્ય–સાગર-જલે પડતાં શું પામ્યું વિસ્તાર વિશ્વતણું વર્તુલ –કેમ જાણું? હું' મધ્યબિન્દુ મટતાં, પ્રભવ્યો “હુંથી જે આકાર વર્તુલકણો, મટી શું જશે તે ?
નલિન મણિશંકર ભટ્ટ
જીવનધૂપ (વંશસ્થ)
(૧) ઉદ્યાનમાં મંડપ કેળસ્તંભના રેયા, રચી મેં શત સ્વર્ણવેદિકા, રંગોળીની રમ્ય ગૂંથેલ આકૃતિ, નાચે પતાકા વનરાવલિ.
હોમાં હવિષ્યાન્ન વૃતાદિ કે બલિ, પ્રદીપ્ત જવાલા ક્રતુની ભભૂકતી; ભંડાર હોમ્યા ધનરાશિદાનથીઃ સુગંધ વ્યાપી નભ યજ્ઞધૂપની.
પ્રભાતને બ્રાહ્મમુહૂર્તકાલ હું એકાંતમાં મંદિર દ્વારા ઠેલતે; જલાવત સપ્તશિખાની આરતિ, સ્તોત્રો યશોગાન તણાં અલાપતો. જલે તહીં નિશ્ચલ દીપતિઓ, પેટાવતો અંતર-દીવડે ઉરે; એકાત્મતા પુણ્ય–સ્વરૂપ પામત: સુગંધ વ્યાપી ઉર જ્ઞાનધૂપની
૧૬૭
Page #273
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
નદી નહેર સુ-રસાળ ભૂમિમાં, અનંત મેં બીજ સુવર્ણ વાવિયાં; લચી રહ્યાં ખેતર પાકભારથી, સંધ્યા નમી, મેલ લણ્યા કણેકણ. અને હસે ધાન્ય તણા મહાગિરિ સુવર્ણવર્ણ મૃદુ સાંધ્યતેજથી રસ્યા, ધર્યા એ તુજ પાદયુગ્મમાં સુગંધ વ્યાપી જગ કર્મધૂપની.
તનસુખ ભટ્ટ
અધ્ય
(મંદાક્રાન્તા) જંપે શું એ પ્રલય જવર તાપે તપેલો પ્રબુદ્ધ ? મીચામાં શું વીજળીતણખા વેરતાં ઉગ્ર નેન ? રૂંધાઈ શું અહીં પડી ગયો દ્ધ આત્મા અચેન? કે બૂઝાઇ પ્રજ્વલિત શિખા કાતિની કર્મશુદ્ધ ? આજે હૈયાં વિચલિત બની નેણ આંસુ નીગાળે, શા રેલાયે હદયભરની વેદનાના વિલાપ ! ઢળ શાને વિફળ નયનાશ્ર કરીને પ્રલાપ, છાંટયાં એણે તન–ફાધરને રાષ્ટ્રસંક્રાન્તિકાળે હોમ્યું જેણે નિજ શરીરને દેશકલ્યાણય, રાખ્યો વિશે સજીવ ઉજળી ભાવનાને હુતાશ; વેર્યો જેણે યુગજીવનની પ્રેરણાનો પ્રકાશ, પંખા એ પ્રિય સ્વજન, સૈનિક સ્વાતંલગ્ન. ચોળી એણે યુગશરીરને ભસ્મ શેણિતભીની, તેડી એણે જડ જીવનની શંખલા પૂર્વજોની.
ચમનલાલ ગાંધી
૧૬૮
Page #274
--------------------------------------------------------------------------
________________
૧૯૩૨ ની કવિતા
અહા ! તુજ વધામણે પ્રકૃતિ આજ શી શેલતી !
ઝૂમી કુસુમનાં રહ્યાં વિવિધ આજ શાં ઝૂમખાં ! • ધસું ઝટ હું બહાવરે ઉપવને ફુલે વીણવા,
અને કુસુમગ્રન્થિથી ચરણ તાહરા પૂજવા. ગુલાબ લઊં ? ના, કપલ તુજ રમ્ય એથી ઘણા; મૃણાલ ? નહિં કુલ એથી તુજ નેત્ર સેહામણાં; લઊં શું બટમેગરો ? નહિ જ; ચંપકો? ના, નહિ; શિરીષ? નહિ; –માલતી ? નહિ જ; ભાળ મન્દારની ? ખસે, કુસુમ શી વિધે કુસુમસત્ત્વશીને ઉરે વસે ? ઇતરને ભલે કુસુમ સર્વ એ રીઝવે; હું તો મુજ અધકડા, ખટમીઠા જ શબ્દો ગૂંથી, પદે તુજ મહેશ્વરી ! હદય ભાવભીને ધરી કૃતાર્થ મુજને ગણીશ, સુરસંધ સ્પર્ધાત. કૃતાર્થ નહિ કેમ હું કવિ અને કલાકારથી ? હું તે અનુભવીશ આજ સહુ તેમની કલ્પના ! કળા કવનની અને પરમ સર્વ તું શિલ્પનું, સદેહ મુજ અન્ય આ સદન આજ ઉજાળશે !
મનસુખલાલ મગનલાલ ઝવેરી
દિવ્યત્રયી
(વસંતતિલક) સૌન્દર્યની સરિત સૂક્ષ્મ સદા વહન્ત, હેમાં અનન્ત રમતા શુચિ પ્રેમદી૫; પ્રત્યેક 'ઊર્મિ નવલું સ્મિતગીત ગાતી, પ્રત્યેક દીપ નવત રહે વિલાસી. સૌન્દર્યની અવનવી મુજ ઊર્મિ મહું તો ' જાણું સદાય તુજને; મુજ પ્રેમદીપ
૧૬
Page #275
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
આત્મા તણા અમલ સ્નેહ વડે સચેત; વહાલી, સુમંગલ સદા તુજ ચારુ ગીત. હું લેખતે પરમ જીવનધન્યતા એ, તું લેખજે પરમ આશિષ ઈશની એ; આહલાદ-ઈન્દુ નિજ જ્યોતિ તણે પ્રસાદ વર્ષાવતા વિમલ જીવન વિશ્વમાંહે.
અનુટુ૫ સૌન્દર્ય, પ્રેમ, અલાદ વિશ્વની દિવ્ય એ ત્રયી, આપણું જીવને આજે પેખ, ગૂંથાઈ શી રહી !
સુંદરજી ગે. બેટાઈ પતંગિયું અને ગરુડ
(શિખરિણી) અહો નાનાં અંગો, શું કે સર્વે રંગે જગતભરના આંહી ભરિયા, ઉષા, સધ્યા, પુષ્પ, વિહગ, નભનાં વાદળ થકી ગ્રહી વીણીવીણ મૃદુલ કરથી, જ્યોતિ લપકી, અહીં નાનાં અંગે સચર પ્રભુએ પાય ધરિયા ! અનતિ વૈવિધે, પ્રભુની સાન્નિધે, કુસુમભવનોમાં વિહરતું, કુંબી પાંખોવાળું, પરમ મૃદુતાના અણુ સમું, અહો શું ઊડે આ મુખથી ખરીઉં હાસ્ય પ્રભુનું ! હશે ક્ષુદ્ર દેહે સફળ કામ એ જીવ્યું કરવું?
(પૃથ્વી) શું એ મનુજ આંખને રીઝવી હર્ષને આપવા ઊડે કુસુમ એકથી અવરપે રસ ચાખવા ? ભરી ઉદર જીવવું, અવર કામ એને ન શું? નહિ, નહિ જ, એમ જીવન નો એહને રૂચતું!
(સેરઠે) પ્રજળે દીપકત, પ્રજળે ઉરમાં ઝંખના; દીપકને અંગ હોમે પ્રાણ પતંગિયું.
૧૭૦
Page #276
--------------------------------------------------------------------------
________________
૧૯૩૨ ની કવિતા
(શિખરિણું) અહે કેવી આંખો ! અને આ શી પાંખો ગગનતલને બાથ ભરતી ! બધા ભાવે સત્તા, વિજય, મહિમા, શ્રેજીમયતા તણી આ મૂર્તિ શું પ્રગટ ! પ્રભુ કે રચયિતા હશે જેણે સજી પ્રખર બલની મુરતિ ! ઊંડાં તે આકાશે, દિગન્તની પાસે, ગિરિવરતણાં ઉચ્ચ શિખરે, અહો જેને રહેવાં, ઊડણ કરવાં, નિત્ય ભમવું મહા વેગે, તીણા સ્વરથી સઘળું વિશ્વ દમવું; મદોન્મત્તી એ ગરુડ જગમાં કેમ વિહરે ?
(પૃથ્વી) શું એ નિજ દમામથી જગતજીવને શક્તિનો, સદા નિજ વિહાર શુદ્ધ ગિરિશીર્ષ ઉત્તેગને દઈ પ્રખર પાઠ, ઉચ્ચ શિખવાડતે જીવવું ? નહિ, નહિ જ; ભાવ એ પ્રખર ક્યાંથી ભૂખ્યા કને ?
(સોરા) ઊઠે તીણી ચીસ, પંજે પકડયું પંખીડું; હૈયું ચીરી ક્રૂર ભરખે બીજાને ગરુડ.
(શાર્દૂલવિક્રીડિત) જે જીવે રસ પુષ્પનો રજ ચૂસી ડંખે ય ના ત્યાં પડે, ને જે જીવન કાજ જીવ ભરખી ત્રાસે ભરે સૃષ્ટિને; રે સૃષ્ટિક્રમ જીવવા અવરને સંહારવાનો ખરે, કે અપ નિજ દેહ ને પ્રણયના ખોળે સૂવાને ખરે?
સુન્દરમ
Page #277
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
ભગ્ન સ્વમની નાવ
મારી નાવ કરે કા પાર ? કાળાં ભમ્મર જેવાં પાણી, જુગ જુગ સંચિત હૈ ! અંધાર; સૂર્ય ચન્દ્ર નહિ, નહિ નભજ્ગ્યાતિ રાત દિવસ નહિ સાંજ સવારઃ
મારી નાવ કરે કા પાર?
ભાવિના નહિ પ્રેરક વાયુ, ભૂત તણા દાખે આથાર; અધડૂબી દીવાદાંડી પર ખાતી આશા મે।તપછાડઃ
મારી નાવ કરે કા પાર ?
નથી હીર, નથી માણેકમાતી, કનક તણેા નથી એમાં ભાર; ભગ્ન સ્વમના ખંડિત ટુકડા
તારી કાણ ઉતારે પાર ? મારી નાવ કરે કે પાર ?
‘સ્નેહરશ્મિ’
વિષાદ
(પૃથ્વી)
મને અવગણા, તો, નવ કદી ય સંભારજો, વહે નયન અશ્રુધારી નવ લૂછવા આવો; અનેક થર જામિયાં ઉર અશાન્તિનાં, ભેદવા પ્રયત્ન કરશે નહિ; સુદૃઢ એ ભલે સૌ રહ્યાં.
સુકેામલ ન ભાવ દૂર જડતા કરીને ફરી પ્રસુપ્ત સ્મરણાબ્ધિમાં નવતર`ગને પ્રેરશે; સ્પૃહા ન તમ સંગની, ન કરવી ચે ગેાઠડી, વિલુપ્તગતકાલભસ્મ ઉરમાં પડી સેંધરી.
૧૭૨
Page #278
--------------------------------------------------------------------------
________________
૧૯૩૨ ની કવિતા
વહાવી સહુ ભાવ આ હૃદય શૂન્ય શાને કરૂં ? વિભક્ત કરૌં શાકભાર નવ લેશ એ કરૂં. સુણાવી કથની ન દુઃખ ચહું હું જરી ભૂલવા; પડેલ જખમા તણા ત્રણ દશ ના દેખવા.
હું દૂર તમથી જઈ પરમ શાન્ત એકાન્તમાં રહી, લશ શાકગીત મુજ ચિત્ત સંતપવા.
મૂર્છા
( પૃથ્વી )
જતી રજિન, તારલા પરવરે જુદા દેશમાં, થયા ગુલ પ્રકાશ, તેહ મમતા મળે લેશ ના; નિરાશ નભ, એકલી અટૂલી મ્યાન ચન્દી રડે, પડે ગગનગાખથી ય, સહસા ઢળી એ ! પડે.
‘વાતાયન’
ઊંડું લહરી નિઃસે થથરતી ડૂમે સાગરે, ગુલાબકળી આંખથી ડળક એ હિમાશ્રુ ખરે; અધે કરુણતા ભરી, દનજોસ હેવાય ના, અથાગ લિઆર્તિનાં પૂરજીઆળ રોકાય ના.
ઊઠે ચીસ અફાટ એ ! કકળતી તહીં કારમી, પડે તરફડી ચકાર તડાળથી એક ત્યાં; ઝુમે ઉર અશબ્દ, અન્ય નયને ત્યજે ચેતના, દશે દિશ કરાલ કા નીરવતા જ મૃત્યુ તણી.
-તા મુજ નસે નસે, અને ઘટઘટે ચઢી
રુધિરસેર થીજી ગઈ, સઘન સૂના ની.
૧૭૩
શિરીષ શેલત
Page #279
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી દીવાદાંડી
(મંદાક્રાન્તા) જાતાં જાતાં સફર મહીં આ સિંધુના માર્ગ માંહી, છૂપા ઊભા ખડક તહીં જે કાળ શા નાવ કેર ! તુટયા જહાજે, ઝઝૂમી મરિયા જે ખલાસી બધા ત્યાં, દીવાદાંડી સ્વરૂપ ઝળકે પ્રાણ શું સર્વને આ?
દરેથી કે જલધિજલના માર્ગમાં નાવ આવે, સંદેશાઓ ચમકી ચમકી વહાણને એ કહાવે; ના ના, ના ના, અહીં નહિ, અહીં કાળ ઊભો લપાઈ તારું આંહી જીવન સઘળું–પ્રાણ જાશે હરાઈ. સંદેશાઓ ઝબકી ઝબકી આવતા પ્રાણ કેરા, સૂણીને સૌ દિશ બદલતા નાવ કેરી ખલાસી; જાતાં મારું જીવન-જલધિ-માર્ગ જે નાવ તૂટે, દીવાદાંડી બની રહી તહીં ચેતવું સૌ પ્રવાસી.
પ્રફ્લાદ પારેખ
૧૭૪
Page #280
--------------------------------------------------------------------------
________________ S WANIE LLLLLLL DHO or MAR RRINTFRY AHMETAL