SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવલી પ્રીતમરાય વૃજરાય દેસાઈ એઓ જ્ઞાતે બ્રહ્મક્ષત્રિય અને અમદાવાદના વતની છે; પણ જન્મ સાણંદમાં તા. ૨જી જાન્યુઆરી ૧૮૯૧ના રોજ થયો હતો. એમના પિતાનું નામ વૃજરાય ખુશાલરાય દેસાઈ અને માતાનું નામ સુભદ્રાબહેન હતું. એમનું લગ્ન ત્રણ વાર થયું છે. છેલ્લે સન ૧૯૨૧માં સી. નિર્મળાબહેન સાથે થયું હતું. પ્રાથમિક કેળવણી સુરત અને અમદાવાદમાં લીધી હતી. માધ્યમિક અને ઉંચું શિક્ષણ અમદાવાદમાં ન્યુ ઇગ્લિશ સ્કુલ અને ગુજરાત કૉલેજમાં લીધેલું. કૅલેજ અભ્યાસ દરમિયાન દી. બા. અંબાલાલ સાકરલાલ ઓલરશીપ તેમને મળી હતી. હમણાં તેઓ પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૅલેજમાં શિક્ષક છે. એમના ભાઈ ડો. હરિપ્રસાદની એમના પર ઘણી અસર થયેલી અને તેમની પ્રેરણથી સાહિત્યવાચન અને લેખન પ્રતિ એ દેરાયેલા. સન ૧૯૨૦થી ૧૯૨૫ સુધી તેઓ ગુજરાત સાહિત્ય સભાના મંત્રી હતા. શાળાયોગી છ પુસ્તકો એમણે આજ સુધીમાં લખ્યાં છે; પણ એમનું મહત્વનું અને પ્રસિદ્ધ કાર્ય અમદાવાદમાં હાઉસિંગ સોસાઈટીની સ્થાપનાનું છે. પ્રથમ મંડળી એમણે કાઢેલી અને એમનું અનુકરણ કરીને તેમ એમના પ્રોત્સાહનથી ત્યાર પછી લગભગ ત્રીસેક હાઉસિંગ સોસાઈટીઓ નિકળી છે તેનું માન તેમને ઘટે છે; અને એ વ્યવસાયને લઇને એમના સાહિત્ય વાચન અને લેખન કાર્યમાં એઓ ઝાઝે સમય આપી શકતા નથી. તેમના નામ ઉપરથી બ્રહ્મક્ષત્રિય હાઉસિંગ સોસાયટી તરફનો ભાગ પ્રીતમનગર કહેવાય છે. :: એમની કૃતિઓ : ૧. સાહિત્ય વાચનમાળા, ભા–૧ સન ૧૯૨૪ ભા-૨ ૩. મુંબાઈ ઈલાકો ૧૯૨૬ ૪. હિન્દુસ્તાન ૧૯૨૮ પ. આરોગ્ય વિજ્ઞાન પ્રવેશપથી ૧૯૩૨ ૬. ગૃહવિજ્ઞાન પ્રવેશપોથી ૧૩૮
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy