________________
ગ્રંથકાર ચરિત્રાવલી
66
પાથલ કરે એવા પ્રથમજ સંવત ૧૯૨૫ માં બેવામાં આવ્યા, જેથી મારી અંતર લાગણી ભારેલા અગ્નિ પેઠે, કાળના વહેવાથી શાંત પડી હતી. તે એ સમયના દહેજ બારામાં વાતા ભય કર વાયુથી ભડકો થઈ ઉઠી, તેથી મેં મારા જન્મ નૃતાંત જન્મથી તે એ સમય સુધીને કવિતામાં લખ્યા તે તેનું નામ દેણુ દુ:ખ દશ્યક ’’ આપ્યું. વળી એ વખતમાં ઇખર, સરભાણ તથા દેહજમાં રહી જે કઈ પ્રાસ્તાવિક ગદ્યપદ્ય લખ્યું હતું તે ભેગું કરી પ્રથગ વિષય » નામનું પુસ્તક લખ્યું. આ પ્રમાણે મેં અત્યાર સુધીમાં ભરૂચ સંગ્રહસ્થાન, દેણુ દુઃખદર્શક તથા પ્રથગ એ ત્રણ પુસ્તક લખ્યાં હતાં.
66
ઉપર જણાવેલા મારા ત્રણ લેખ કવિતાના કાચા ફાળ જેવા હતા. વિદ્યાનુરાગી મિત્ર સાથે મારી વયના હતા. તેમને ઉપર આવ્યા. તે પેાતાને પોતાને અભિલાષ પાર
દેહજમાં આવે તેર માસ વીત્યા પછી મારે એક મૈત્રી થઈ. તે મિત્ર અમલેશ્વરના મહેતાજી બહુધા તા. ૧૫ મી સપ્ટેમ્બર સન ૧૮૬૯ના પત્ર મારા અનુરૂપ મિત્ર મેળવવા બહુ ઉત્સુક હતા. તેમણે પાડવા કેટલાક મહેતાજીને પત્ર લખી જોયા હતા, જેમાં તેમના મનની તૃપ્તિ મારાથી થઇ હતી, અને તેથી મારા તેમને પત્રવ્યવહાર ગદ્યપદ્યમાં ચેાપાનિયા રૂપે ચાર વર્ષ ચાલ્યા હતા. આ મિત્ર તે કવિ છેટાલાલ નરભેરામ હાલ વડાદરા નિવાસી, ગુજરાતી પ્રાચીન કાવ્યેાના ટીકાકાર અને વિવેચક તથા વાગ્ભટાદિ સંસ્કૃત પુસ્તકોના ભાષાંતર કર્તા, ગુજરાતીમાં ‘રસશાસ્ત્ર' અને ‘શાંતિસુધા’ કાવ્યના રચનાર હતા. એ મિત્રના પત્ર વ્યવહારથી મારી કાવ્યશક્તિ ખીલતી જતી હતી અને સંસ્કૃત આદિ જ્ઞાનમાં વૃદ્ધિ થતી હતી. મારી કવિતાને ખીલી ઉઠવાનું, નવા રસાલ કાલ આવવાનું ચાવડા ચરિત્ર” કાવ્યના રસાનુભવથી થયું હતું. ધણું કરી હું સરભાણુ હતા ત્યારે “ બુદ્ધિ પ્રકાશ”માં કવિ હરજીવન કુબેરજી જે હમણાં રૂષિરાજ નામથી પ્રસિદ્ધ છે, તેમના ચાવડા ચરિત્ર કાવ્યની પહોંચ મારા વાંચવામાં આવી હતી; જેમાંની એ કવિતા વાંચી તે પુસ્તક આખું વાંચવાને હું બહુ ઉત્સુક થયેા હતા, પણ તે વખતે એ પુસ્તક મળ્યું નહતું. દહેજ આવ્યા પછી લખી ગામની નિશાળમાંથી તે મળી આવ્યું; જે ગામના સભ્ય લાકને સંભળાવી મે' એવા પ્રસન્ન કર્યાં હતા કે, જેમણે મારાથી સાંભળ્યું હશે તે જીવતાં સુધી મને સ્મરણમાં રાખ્યા વિના રહેશે નહિ. ચાવડા ચિત્રે ગામ લાકના ચાહ મારા ઉપર ઘણાજ વધાર્યાં હતા, એ વિષે સામાં લખતાં પણ લખાણ થાય
७८