Book Title: Granth Ane Granthkar Pustak 04
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 276
________________ ૧૯૩૨ ની કવિતા (શિખરિણું) અહે કેવી આંખો ! અને આ શી પાંખો ગગનતલને બાથ ભરતી ! બધા ભાવે સત્તા, વિજય, મહિમા, શ્રેજીમયતા તણી આ મૂર્તિ શું પ્રગટ ! પ્રભુ કે રચયિતા હશે જેણે સજી પ્રખર બલની મુરતિ ! ઊંડાં તે આકાશે, દિગન્તની પાસે, ગિરિવરતણાં ઉચ્ચ શિખરે, અહો જેને રહેવાં, ઊડણ કરવાં, નિત્ય ભમવું મહા વેગે, તીણા સ્વરથી સઘળું વિશ્વ દમવું; મદોન્મત્તી એ ગરુડ જગમાં કેમ વિહરે ? (પૃથ્વી) શું એ નિજ દમામથી જગતજીવને શક્તિનો, સદા નિજ વિહાર શુદ્ધ ગિરિશીર્ષ ઉત્તેગને દઈ પ્રખર પાઠ, ઉચ્ચ શિખવાડતે જીવવું ? નહિ, નહિ જ; ભાવ એ પ્રખર ક્યાંથી ભૂખ્યા કને ? (સોરા) ઊઠે તીણી ચીસ, પંજે પકડયું પંખીડું; હૈયું ચીરી ક્રૂર ભરખે બીજાને ગરુડ. (શાર્દૂલવિક્રીડિત) જે જીવે રસ પુષ્પનો રજ ચૂસી ડંખે ય ના ત્યાં પડે, ને જે જીવન કાજ જીવ ભરખી ત્રાસે ભરે સૃષ્ટિને; રે સૃષ્ટિક્રમ જીવવા અવરને સંહારવાનો ખરે, કે અપ નિજ દેહ ને પ્રણયના ખોળે સૂવાને ખરે? સુન્દરમ

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280