________________
ગ્રંથકાર ચરિત્રાવલી
મહાસુખભાઈ ચુનીલાલ શેઠ
એએ જ્ઞાતે વીશા પોરવાડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન અને વિસનગરના વતની છે. તેમનું મૂળ વતન પાટણ છે અને અત્યારે પણ પાટણ સાથેજ સંબંધ ધરાવે છે. એમને જન્મ વિસનગરમાં સ. ૧૯૩૩ના જેઠ સુદ ૯ ને દિવસે થયા હતા. એમના પિતાનું નામ ચુનીલાલ દલછારામ અને માતાનું નામ ખાઇ કીલી છે. એમનું પ્રથમ લગ્ન સ. ૧૯૪૮ માં આઈ લક્ષ્મી સાથે થયું હતું અને તે દેવલાક પામતાં, ખીજી વારનું લગ્ન બાઇ શાન્તા સાથે સ. ૧૯૫૭ માં થયું હતું. તે હાલ હયાત છે.
એમણે મેટ્રીકયુલેશન અને સ્કૂલ ફાયનલની પરીક્ષાઓ સંવત્ ૧૯૫૪ માં પાસ કરી હતી. ત્યાર બાદ તેઓ સામાજિક કાર્યમાં અને પોતાની શરાફી પેઢીના વહીવટમાં રોકાયા. વડેાદરા રાજ્યની રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં તેએ રસપૂર્વક તેમજ આગળ પડતા ભાગ લે છે; એટલુંજ નહિ પણ સ્વામ જૈનેાના સુધારાથે તેએ એટલાજ તત્પર રહે છે. અટિત દીક્ષા વિરુદ્ધ પેાકાર કરનાર એ પ્રથમ છે. સાત વરસથી અયેાગ્ય દીક્ષા અટકાવવા પ્રજામત મેળવવા જાહેર વર્તમાનપત્રામાં લેખેા લખે છે અને એ પ્રશ્નની ચર્ચા કરતી · અમૃત સરિતા ' નામની નવલકથા એ ભાગમાં એમણે લખીને છૂપાવી છે.
'
વડાદરા રાજ્ય એન્ડિંગ કમિટીમાં અને વડાદરા રાજ્ય સ્ત્રી ધન હક્ક તપાસ સમિતિમાં તેએ એક સભ્ય હતા. હમણાં ઉંઝામાં મળેલી મહેસાણા પ્રાંત પુસ્તકાલય પરિષદના તેઓ પ્રમુખ નિમાયા હતા.
વડાદરા રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સ્થાપના થઈ ત્યારથી તેએ એક સભ્ય નિમાયા હતા; અને વડાદરા રાજ્ય ધારાસભાના પણ તે દસ વરસ સભ્ય હતા. એ પરથી એમની વિધવિધ પ્રવૃત્તિઓને ખ્યાલ આવશે.
.
નરસિંહરાવનાં ‘ કુસુમમાળા ' અને ‘હૃદયવીણા’ એ તેમજ ‘દલપતકાવ્ય,’ ‘ન કવિતા’ અને કેશવલાલ અને હિરલાલ ધ્રુવનાં કાવ્યેાએ એમને કાવ્ય રચવામાં પ્રાત્સાહન આપ્યું હતું. કવિતા લખવાને શાખ છેક ન્હાનપણથી હતા. હિરલાલ ધ્રુવના ‘ચંદ્ર' માં તે કવિતા લખી મેાકલતા.
તે પછી કાજી અનવરમિયાંના સમાગમમાં આવતાં, એમનાં કાવ્યોને
૧૪