Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 14
________________ અનુકંપા અને ભક્તિ એ બેમાં અનુકંપા, દુઃખનો ઉદ્ધાર કરવાની ઇચ્છાને કહેવાય છે. એ ઇચ્છાને પૂર્ણ કરતી વખતે જે પ્રયત્ન કરાય છે તે પ્રયત્ન અલ્પ જીવોને અસુખ થાય એવો હોય છે. દા.ત. શ્રી જિનેશ્વરદેવની પૂજા કરતી વખતે પૃથ્વીકાયિકાદિ જીવોને વિશે તેની અનુકંપા કરનારા જીવો તે જીવોની જેમ અનુકંપા કરે છે; તેમ અહીં પણ સમજવું. “શ્રી જિનેશ્વરદેવની પૂજામાં પૂજા કરનારા; પૃથ્વીકાયાદિ જીવોની જેમ અનુકંપા કરે છે તેમ અલ્પ જીવોને જેનાથી અસુખ થાય છે એવા પ્રયત્નથી દુઃખીઓના દુઃખનો ઉદ્ધાર કરવાની જે ઇચ્છા છે તેને અનુકંપા અને ભક્તિ એ બેમાંથી પહેલી અનુકંપા કહેવાય છે.” - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો શબ્દશઃ અર્થ છે. આશય એ છે કે ભક્તિ અને અનુકંપા - એ બેનું સ્વરૂપ વર્ણવતાં પ્રથમ અનુકંપાનું સ્વરૂપ આ શ્લોકથી વર્ણવ્યું છે. જેનાથી અલ્પ જીવોને અસુખ થાય છે એવા શ્રમ-પ્રયત્નને ‘અભ્યાસુખશ્રમ' કહેવાય છે. અસુખ એટલે સુખનો અભાવ. કોઈ પણ જીવને દુઃખ પહોંચાડવાનો પરિણામ ન હોવાથી અને સુખ પ્રાપ્ત કરાવાતું ન હોવાથી અહીં ‘સુવ' પદનો પ્રયોગ કર્યો છે. અલ્પ જીવોને અસુખ થાય એવા શ્રમથી દુઃખીના દુઃખને દૂર કરવાની ઇચ્છાને અનુકંપા કહેવાય છે. આથી સમજી શકાશે કે પરમાર્થથી બલવત્ અનિષ્ટનો અનનબન્ધી એવો જે દુઃખીના દુઃખનો ઉદ્ધાર; તેની ઇચ્છાને અનુકંપા કહેવાય છે. જે ઈષ્ટની પ્રાપ્તિ પછી નરકાદિ અનિષ્ટની પ્રાપ્તિ થાય છે તે ઈષ્ટને બલવદ્ અનિષ્ટનો અનુબંધી કહેવાય છે. કોઈ પણ ઈષ્ટની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ કરીએ તો દરેક પ્રવૃત્તિ વખતે શ્રમ વગેરે અનિષ્ટની પ્રાપ્તિ તો થતી જ હોય છે. પરંતુ તે બલવત્ હોતું નથી. અહીં પણ દુઃખીના દુઃખનો ઉદ્ધાર કરવા સ્વરૂપ ઇષ્ટની પ્રવૃત્તિ વખતે એવું ના બનવું જોઇએ કે જેથી ભવાંતરમાં આપણે દુર્ગતિનાં ભાજન બનવું પડે. એથી જ જણાવ્યું છે કે અલ્પ જીવોને જેથી અસુખ થાય એવા પ્રયત્નથી જ દુઃખીના દુઃખનો ઉદ્ધાર કરવો. જેનાથી ઘણા જીવોને અસુખ થતું હોય એવો પ્રયત્ન બલવત્ અનિષ્ટનો અનુબંધી બને છે. તેથી તેની વ્યાવૃત્તિ કરવા શ્લોકમાં “ન્ય' પદનો પ્રયોગ કર્યો છે. અલ્પ જીવોને થતું અસુખ પણ આમ તો અનિષ્ટ જ છે; પરંતુ બલવદ્ ન હોવાથી બલવદ્ અનિષ્ટનો અનનુબંધી ‘અભ્યાસુખશ્રમ” છે. શ્લોકના “વ્યાવી...” આ ઉત્તરાર્ધથી ઉપર જણાવેલી વિગત દષ્ટાંતથી સમજાવી છે. એનો આશય એ છે કે; શ્રી જિનેશ્વરદેવની પૂજા કરતી વખતે પૃથ્વીકાય, અપ્લાય... વગેરે જીવોને અસુખ થતું હોય છે. આમ છતાં પૂજા કરનારના મનનો ભાવ એ છે કે આવા પ્રકારની ભગવાન શ્રી જિનેશ્વરદેવની પૂજાનાં દર્શનાદિથી પ્રતિબોધ પામેલા ભવિષ્યમાં છકાય જીવોની રક્ષા કરવાવાળા બને. આ રીતે સર્વ જીવોની રક્ષાના પરિણામ સાથે પૂજા પ્રસંગે થોડા જીવોને એક પરિશીલન

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 286