Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 13
________________ ન કરે ત્યારે તે અનુકંપ્યત્વની બુદ્ધિ અતિચારનું કારણ બનતી નથી. અન્યથા(મિથ્યા)બુદ્ધિઓ, હીન અને ઉત્કૃષ્ટમાં અનુક્રમે ઉત્કર્ષ(સારાપણું) અને અપકર્ષ(હલકાપણું)ની બુદ્ધિ ઉત્પન્ન કરાવવા દ્વારા જ અતિચાર-સ્વરૂપ દોષનું કારણ બને છે, નહિ તો નથી બનતી. આથી જ અનુકંપાદાન સાધુમહાત્માઓને અપાતું નથી એવું નથી. અર્થાત્ પૂ. સાધુભગવંતોને વિશે પણ અનુકંપાદાન કરી શકાય છે. કારણ કે “આચાર્યભગવંતની અનુકંપા કરવાથી સમગ્ર ગચ્છની અનુકંપા થાય છે' - આ પ્રમાણે શાસ્ત્રવચન છે. શ્રી અષ્ટક પ્રકરણની ટીકાના અનુસારે આચાર્યભગવંતાદિને વિશે જો ઉત્કૃષ્ટત્વ(ઉત્કર્ષ)ની બુદ્ધિનો પ્રતિરોધ (પ્રતિબંધ) થયો ન હોય તો પૂ. આચાર્યભગવંતાદિની પણ અનુકંપા કરી શકાય છે, એમાં કોઈ દોષ નથી. આ મતમાં ભક્તિથી કરેલું સુપાત્રદાન પણ; સુપાત્ર(ગ્રહણ કરનાર)ના દુઃખને દૂર કરવાના ઉપાયરૂપે હોય તો અનુકંપાદાનસ્વરૂપ જ છે. પરંતુ એ દાન સાક્ષાત પોતાનું (દાતાનું) જે ઈષ્ટ મોક્ષ છે; તેના ઉપાય સ્વરૂપે અપાતું હોય તો સુપાત્રદાન છે. ગ્રંથકાર પરમર્ષિએ “સ્વાલિયા દીનત્વે સતિ વૈષ્ણોદ્ધારતિયોજિતુ વાયત્વમનુષ્યત્વમ્ - આ પ્રમાણે અનુકષ્પનું સ્વરૂપ જણાવ્યું છે – એ મુજબ પૂ. આચાર્યભગવંતાદિ સુપાત્રની અનુકંપા ન હોય. “સાયરિય-ક્ષyપાઈ છો અનુવકો મહામાયો આ વચનમાં કનુમા શબ્દ ભક્તિસ્વરૂપ અર્થને સમજાવે છે – એ પ્રમાણે શ્રીકલ્પસૂત્રની ટીકામાં મહામહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજાએ જણાવ્યું છે. તેથી જ શ્રીકલ્પસૂત્રમૂળમાં ભગવાન શ્રી મહાવીર પરમાત્માની અનુકંપાથી હરિબૈગમેષી દેવે ગર્ભસંહરણ કર્યું - આ પ્રમાણે જણાવ્યું છે. ત્યાં પણ અનુકંપાનો અર્થ; શ્રી મહાવીર પરમાત્મા પ્રત્યેની ભક્તિ - આ પ્રમાણે કર્યો છે. ત્યાં ગર્ભનું સંહરણ ભગવાનનું દુઃખ દૂર કરવા માટેનું ન હતું - એ સુપ્રસિદ્ધ છે... ઇત્યાદિ વિચારવાથી સમજી શકાશે કે બીજાઓએ જણાવેલી વાતમાં ગ્રંથકારશ્રીને રુચિ નથી. ૧-રા. અનુકંપાનું સ્વરૂપ જણાવાય છે तत्राद्या दुःखिनां दुःखोदिधीर्षाल्पासुखश्रमात् । पृथिव्यादौ जिनार्चादौ यथा तदनुकम्पिनाम् ॥१-३॥ तत्रेति-तत्र भक्त्यनुकम्पयोर्मध्ये आद्याऽनुकम्पा दुःखिनां दुःखार्तानां पुंसां दुःखोद्दिधीर्षा दुःखोद्धारेच्छा । अल्पानामसुखं यस्मादेतादृशो यः श्रमस्तस्माद् । इत्थं च वस्तुगत्या बलवदनिष्टाननुबन्धी यो दुःखिदुःखोद्धारस्तद्विषयिणी स्वस्येच्छाऽनुकम्पेति फलितम् । उदाहरति-यथा जिनार्चादी कार्ये पृथिव्यादौ विषये तदनुकम्पिनामित्थम्भूतभगवत्पूजाप्रदर्शनादिना प्रतिबुद्धाः सन्तः षटकायान् रक्षन्त्विति परिणामवतामित्यर्थः । यद्यपि जिनार्चादिकं भक्त्यनुष्ठानमेव, तथापि तस्य सम्यक्त्वशुद्ध्यर्थत्वात्तस्य चानुकम्पालिङ्गकत्वात्तदर्थकत्वमप्यविरुद्धमेवेति पञ्चलिङ्ग्यादावित्थं व्यवस्थितेरस्माभिरप्येवमुक्तम् ।।१३।। ૧૦ દાન બત્રીશી

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 286