Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
ન કરે ત્યારે તે અનુકંપ્યત્વની બુદ્ધિ અતિચારનું કારણ બનતી નથી. અન્યથા(મિથ્યા)બુદ્ધિઓ, હીન અને ઉત્કૃષ્ટમાં અનુક્રમે ઉત્કર્ષ(સારાપણું) અને અપકર્ષ(હલકાપણું)ની બુદ્ધિ ઉત્પન્ન કરાવવા દ્વારા જ અતિચાર-સ્વરૂપ દોષનું કારણ બને છે, નહિ તો નથી બનતી.
આથી જ અનુકંપાદાન સાધુમહાત્માઓને અપાતું નથી એવું નથી. અર્થાત્ પૂ. સાધુભગવંતોને વિશે પણ અનુકંપાદાન કરી શકાય છે. કારણ કે “આચાર્યભગવંતની અનુકંપા કરવાથી સમગ્ર ગચ્છની અનુકંપા થાય છે' - આ પ્રમાણે શાસ્ત્રવચન છે. શ્રી અષ્ટક પ્રકરણની ટીકાના અનુસારે આચાર્યભગવંતાદિને વિશે જો ઉત્કૃષ્ટત્વ(ઉત્કર્ષ)ની બુદ્ધિનો પ્રતિરોધ (પ્રતિબંધ) થયો ન હોય તો પૂ. આચાર્યભગવંતાદિની પણ અનુકંપા કરી શકાય છે, એમાં કોઈ દોષ નથી. આ મતમાં ભક્તિથી કરેલું સુપાત્રદાન પણ; સુપાત્ર(ગ્રહણ કરનાર)ના દુઃખને દૂર કરવાના ઉપાયરૂપે હોય તો અનુકંપાદાનસ્વરૂપ જ છે. પરંતુ એ દાન સાક્ષાત પોતાનું (દાતાનું) જે ઈષ્ટ મોક્ષ છે; તેના ઉપાય સ્વરૂપે અપાતું હોય તો સુપાત્રદાન છે.
ગ્રંથકાર પરમર્ષિએ “સ્વાલિયા દીનત્વે સતિ વૈષ્ણોદ્ધારતિયોજિતુ વાયત્વમનુષ્યત્વમ્ - આ પ્રમાણે અનુકષ્પનું સ્વરૂપ જણાવ્યું છે – એ મુજબ પૂ. આચાર્યભગવંતાદિ સુપાત્રની અનુકંપા ન હોય. “સાયરિય-ક્ષyપાઈ છો અનુવકો મહામાયો આ વચનમાં કનુમા શબ્દ ભક્તિસ્વરૂપ અર્થને સમજાવે છે – એ પ્રમાણે શ્રીકલ્પસૂત્રની ટીકામાં મહામહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજાએ જણાવ્યું છે. તેથી જ શ્રીકલ્પસૂત્રમૂળમાં ભગવાન શ્રી મહાવીર પરમાત્માની અનુકંપાથી હરિબૈગમેષી દેવે ગર્ભસંહરણ કર્યું - આ પ્રમાણે જણાવ્યું છે. ત્યાં પણ અનુકંપાનો અર્થ; શ્રી મહાવીર પરમાત્મા પ્રત્યેની ભક્તિ - આ પ્રમાણે કર્યો છે. ત્યાં ગર્ભનું સંહરણ ભગવાનનું દુઃખ દૂર કરવા માટેનું ન હતું - એ સુપ્રસિદ્ધ છે... ઇત્યાદિ વિચારવાથી સમજી શકાશે કે બીજાઓએ જણાવેલી વાતમાં ગ્રંથકારશ્રીને રુચિ નથી. ૧-રા. અનુકંપાનું સ્વરૂપ જણાવાય છે
तत्राद्या दुःखिनां दुःखोदिधीर्षाल्पासुखश्रमात् ।
पृथिव्यादौ जिनार्चादौ यथा तदनुकम्पिनाम् ॥१-३॥ तत्रेति-तत्र भक्त्यनुकम्पयोर्मध्ये आद्याऽनुकम्पा दुःखिनां दुःखार्तानां पुंसां दुःखोद्दिधीर्षा दुःखोद्धारेच्छा । अल्पानामसुखं यस्मादेतादृशो यः श्रमस्तस्माद् । इत्थं च वस्तुगत्या बलवदनिष्टाननुबन्धी यो दुःखिदुःखोद्धारस्तद्विषयिणी स्वस्येच्छाऽनुकम्पेति फलितम् । उदाहरति-यथा जिनार्चादी कार्ये पृथिव्यादौ विषये तदनुकम्पिनामित्थम्भूतभगवत्पूजाप्रदर्शनादिना प्रतिबुद्धाः सन्तः षटकायान् रक्षन्त्विति परिणामवतामित्यर्थः । यद्यपि जिनार्चादिकं भक्त्यनुष्ठानमेव, तथापि तस्य सम्यक्त्वशुद्ध्यर्थत्वात्तस्य चानुकम्पालिङ्गकत्वात्तदर्थकत्वमप्यविरुद्धमेवेति पञ्चलिङ्ग्यादावित्थं व्यवस्थितेरस्माभिरप्येवमुक्तम् ।।१३।।
૧૦
દાન બત્રીશી