Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
બૌદ્ધ પંડિત શ્રી ધર્માનંદ કેશાબીએ પિતાની છેલ્લી શોધખોળ પ્રમાણે જાહેર કર્યું હતું કે બૌદ્ધ મતની મેટા ભાગની વાતે પાર્શ્વનાથના સંપ્રદાયમાં આવી હતી. '
આમ બે જૈન ક્રાંતિકારોનાં જીવન જોયાં, હવે અન્યનાં જોઈશું.
ચર્ચા-વિચારણા શ્રી કૃષ્ણની સર્વાગીક્રાંતિ
શ્રી માટલિયાએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું “ભાગવતકારે અસુરવની વાત કરી છે પણ ગીતામાં દેવી અને આસુરી પ્રકૃતિ ઉપરથી અસુરનો ખ્યાલ આપ્યો છે, તે સ્પષ્ટ જ છે. સમાજમાં જે બગાડ પેસી જાય છે તે અસુર સામાન્ય હેતું નથી. માણસ નાના સરખા કુટુંબમાં મુગ્ધ બને છે. ખાસ કરીને પરણ્યા પછી, બાળક વ. થતાં સ્વાર્થ, સપ્રહ વ. દે વધારે છે અને વિશ્વનું ત્રણ ભૂલી જાય છે.
ભગવાન શ્રીકૃષ્ણ જોયું કે ભેળો ભલો અને વિશેષતઃ નિસર્ગ પરાયણ સમાજ છે તેમાંથી પુત્ર કર્તવ્યના નામે જે પુત્રમોહ ફેલાઈ રહ્યો છે તેને દૂર કરવો જોઈએ. આને “વસાસુર” કે “વૃત્રાસુર કહી શકાય. તેને શ્રીકૃષ્ણ સર્વપ્રથમ હઠાવવાનું નક્કી કર્યું.
* કેટલીકવાર સંસ્થા, પક્ષ, સંપ્રદાય, કુલ, જાતિ, દેશ એવા એવા વિશાળ નામે પણ આ અસુર આવતું હોય છે. જેમ હર હિટલરે આર્ય અને જમીન રાષ્ટ્ર માટે જગતમાં કેટલે હાહાકાર મચાવ્યો હતો? એજ રીતે ચીનની સામ્યવાદી ક્રાંતિમાં હજારોની કતલ માત્ર દેશદ્વારના નામે થઈ હતી. રશિયામાં સ્ટાલિને ટસ્કી અને તેના ટેકેદારોનો નાશ કર્યો અને હમણ કુવે સ્ટાલિનના ટેકેદારોનો નાશ કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com