Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
[૮] ધાર્મિક ક્ષેત્રનાં કાંતિકારે હવે ધાર્મિક ક્ષેત્રના ક્રાંતિકારો અંગે થેવું વિચારીએ. સર્વપ્રથમ ધાર્મિક ક્ષેત્રનાં ક્રાંતિકારોના લક્ષણે અંગે વિચારીએ. તેથી ધાર્મિક વિચારક, ધાર્મિક સુધારક અને ધાર્મિક ક્રાંતિકાર વચ્ચેને સ્પષ્ટ તફાવત જાણી શકાય.
ધાર્મિક ક્ષેત્રના ક્રાંતિકારમાં નીચેનાં પાંચ લક્ષણે હેવાં જોઈએ –
(૧) સિદ્ધાંત કે ધર્મ (સત્યાદિ) માટે પ્રાણ, પ્રતિષ્ઠા અને પરિગ્રહ છોડવાની તેનામાં તૈયારી હેવી જોઈએ.
(૨) પોતાના ધર્મમાં સડે, અનિષ્ટો કે ખરાબીએ પેસે તે તેનું સંશોધન કરનારો હવે જોઈએ. સાથે જ તત્ત્વજ્ઞાન અને સદાચારને મુખ્ય ગણ પિતાના ધર્મ સંપ્રદાયને ન છોડે અને તેના મૌલિક નિયમને ચુસ્તપણે પાળનારે હેવો જોઈએ.
(૩) વટાળવૃત્તિથી દૂર રહેવું જોઈએ. એટલે કે ધર્માતર, પ્રદાયાન્તર કે વેષાન્તર કરનાર-કરાવનાર ન લેવો જોઈએ.
(૪) પિતાને ન વાડે ઊભો કરવાની ઈચ્છા રાખનારે ન હેવો જોઈએ. તે અંગે ખૂબ જ જાગૃતિ રાખનાર હે જોઇએ, પણ પાછળથી થઈ જાય તે જુદી વાત છે.
(૫) ધર્મક્રાંતિ માટે અશુદ્ધ સાધન ન અપનાવનારે જઇએ. આ પાંચ લક્ષણ ઉપરથી આપણે દરેક ધર્મ–ક્રાંતિકારને તપાસીએ.
મહર્ષિ દયાનંદ સરસ્વતી તેઓને ધર્મ ક્રાંતિકાર તરીકે ગણાવી શકીએ. સર્વ પ્રથમ તેમના જીવન ઉપર ઉડતી નજર નાખીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com