Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૯
પાણી ટકશે? વગેરે અંગે કાર્ય કારણ સમજાવતા જુદા જુદા ફલાદેશ બતાવ્યા, તેણે વેધશાળાઓની યોજનાઓ આપી; તાપમાન–હવામાન સ્થિર કરવાના નિયમો સમજવ્યા. ખેતી કરનાર માટે આ બધા નિયમો બહુ જરૂરી હતા. જે દુકાળ પડે તો જરૂર તેને ખરાબ પ્રભાવ લોકોમાં પડે આ બધાને નિવારવા માટે વરાહમિહિરે ખગોળશાસ્ત્ર આપ્યું; જે કૃષિ-વિજ્ઞાન માટે અત્યંત ઉપયોગી હતું.
જગદીશચંદ્ર બેઝ: નવા વૈજ્ઞાનિકોમાં જગદીશચંદ્ર બેઝનું નામ ગૌરવભેર લઈ શકાય. તેમણે સર્વપ્રથમ શોધ કરીને બતાવ્યું કે વનસ્પતિમાં જીવ છે. તેમનામાં પણ રૂચિ-અરૂચિ, વાસના અને ચેતના છે. તેમણે વનસ્પતિમાં ચૈતન્ય બતાવી જગતને નવું જ્ઞાન આપ્યું, જેથી વિશ્વચેતના સાથે જગતને સંબંધ બંધાયે. જગદીશચંદ્ર બોઝે વનસ્પતિનું વિજ્ઞાન આપ્યું પણ તે મૂડી વધારવા માટે નહીં..
ચંદ્રશેખર રમણ તેમણે કરમણના નામે ઓળખાતાં “ક્ષ” કિરણોની મહત્વપૂર્ણ શોધખોળ કરી. તેની અંદર રહેલાં પ્રજીવક તત્વે સમજાવ્યા. પરિણામે “પ્રકાશની ઉપયોગિતા લોકો જાણતા થયા
- પ્રફુલ્લચંદ્ર રાય : તેમણે અણુ-પરમાણુના નિયમ બતાવ્યા. તેને લોકહિતમાં ઉપયોગ કેવી રીતે થઈ શકે, તે બતાવ્યું. તેમણે એનો ઉપયોગ માનવહિતમાં કર્યો, પણ અણુબંબ બનાવવામાં ન કર્યો. તે
તે ઉપરાંત ભાસ્કરાચાર્ય અને લીલાવતી એ બન્ને ગણિતના વૈજ્ઞાનિકો થયા. એ બન્નેનું ગણિત વિજ્ઞાન આપણે ત્યાં તેમજ પરદેશમાં પણ ચાલે છે. અહીં થયેલા વૈજ્ઞાનિકોએ જ્ઞાનને વેચ્યું નહીં પણ લોકહિત માટે રાખ્યું તેથી લોકહિત અને વાત્સલ્ય જ તેમની સામે હતું.
', પશ્ચિમના વેજ્ઞાનિકે ,
થીસલ: પશ્ચિમના વૈજ્ઞાનિકોમાં થીસલ નું નામ સૌથી આગળ આવે છે. તેણે સર્વપ્રથમ કહ્યું કે સૂર્ય કે ચંદ્રહણ, તે પૃથ્વીને પડછાયે છે. ત્યાં સુધી ચંદ્ર-સૂર્યને રૌતાને હેરાન કરે છે; એમ યુરોપમાં મનાતું. લોકો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com