Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 214
________________ ૧૯૮ ચડાવે છે; પણ તેને શુધ્ધ કરતાં તે ગુણકારી થઈ જાય છે. પંચ મહાભૂતના રસકસની જેમ પ્રવૃત્તિમાં પણ પરિવર્તન થઈ શકે છે.” એ વરતુને પ્રયોગ કર્યો. તેણે શારીરિક સ્વાર્થ અને ઔષધિઓનું, આહાર-વિહાર-નિયમનનું આખું વિજ્ઞાન આપ્યું. તેમણે કઠોર તપ પણ કર્યું અને સંયમ પણ રાખે એટલે તેમને વૈજ્ઞાનિક ક્રાંતિકાર, કહી શકાય. તેમના પગલે જનારાં અન્ય આયુર્વેદ-વૈજ્ઞાનિકો થયા તેમનાં નામે પણ આમાં ગણાવી શકાય. પંતજલિઃ શારીરિક રોગે સાથે માનસિક રોગોનું શું? એ વિષય અંગે પંતજલિ મને વૈજ્ઞાનિક ક્રાંતિકાર થયા. ચરકે કહ્યું કે “વેગને રોકવો ન જોઈએ !” પંતજલિએ કહ્યું: “ કેટલાક વેગોને રોકવા જોઈએ-કામ-કેધ વાસનાના વેગને જે ન રોકવામાં આવે તો અનર્થ થઈ જાય. જો કેધી અને કામી માણસને છૂટ આપવામાં આવે છે તે અનર્થ કરી બેસે.” પંતજલિએ માનસશાસ્ત્રની શોધ કરી. મનની વૃતિઓ કેટલી અને કેવી ? તે કઈ રીતે રોકાય? તેમાં અવરોધે કેટલા ? રોકવાથી શો લાભ થાય ? વિશ્વના માનસ સાથે આપણું માનસને સંબંધ આ બધું માનસશાસ્ત્ર તેમણે પાતંજલ યોગદર્શન રૂપે લખીને તેમણે મને વિજ્ઞાનને વ્યવસ્થિત કર્યું. નાગાર્જુન: ત્યારબાદ નાગાર્જુને રસવિધા અને યંત્રવિદ્યાને વ્યવસ્થિત કરી. તેની શોધને તેણે રજૂ કરી, એમાંથી કેટલીક વિધા લુપ્ત થઈ; કારણ કે રસ-વૈજ્ઞાનિક રસવિદ્યાને દુરૂપયોગ ન થાય એની કાળજી રાખતા હતા. તેથી તેમણે કેટલીક વિદ્યા ગુપ્ત રાખી, પરિણામે તેમના મરણ સાથે તે લુપ્ત પણ થઈ. * વરાહમિહિરઃ તેણે ભારતને ખગોળ અને હવામાન આગાહીનું વિજ્ઞાન આપ્યું. વરસાદ કયારે આવશે? કયા નક્ષત્રના સંગથી હવામાન બદલાશે? દુકાળ આવે શું કરવું? કેટલા ભાગમાં પુરનું * * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246