Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૨૦૬
છે. ત્યાં યુગવિજ્ઞાન આપોઆપ આવી જાય છે. બીજા શબ્દોમાં કહીએ તે “અહંકાર” પછી “સંસ્કાર', પછી “એકરાર” આવે છે અને માનવ વ્યક્તિગત વિચાર કરતા કરતા સમાજ, રાજ્ય અને સંસ્થા અને અંતે સમષ્ટિ સુધી પહોંચે છે. અલબત્ત આ સમાજ, સમષ્ટિને વિચાર કરતા નથી પણ કાંતિપ્રિય સંતે તે તેવાજ થાય છે.
આથી તપ દ્વારા સાધેલી વિજ્ઞાનની ભૂમિકા મૂલ્ય-પરિવાર માટે જાઈ જાય તે આજનું વિજ્ઞાન આધ્યાત્મિકતાનું વિરોધી નહીં, પણ સહાયક બની જશે. એ કબૂલવું પડશે કે ભારત જેવા વૈજ્ઞાનિકો બીજા દેશમાં ક્રાંતિના સંદર્ભમાં પાક્યા નથી; અથવા વિરલ થયા છે. તેનું કારણ ભારતમાં યુગેયુગે થયેલા યુગપુરૂષ છે. તેને કારણે વિજ્ઞાન ઉપર નૈતિક આધ્યાત્મિક અંકુશ પણ રહ્યો અને વિજ્ઞાને હાનિ કરતાં લાભ વધારે આપો. આ દષ્ટિએ વૈજ્ઞાનિકોનું સંગઠન અને તેનું ક્રાંતિપ્રિય સાધુસાધ્વીઓ સાથે અનુસંધાન અત્યંત અનિવાર્ય છે.
(૭-૧૧-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com