Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
પહેલાં વૈદિક પરંપરામાં કોઈ સ્ત્રીએ એ ચીલે નહીં પાડ્યો હોય એમ લાગે છે.
યાજ્ઞવલાય સમાજમાં ગુણ પ્રતિષ્ઠા કરે છે, તે પહેલાં ગમે તે સંન્યાસી ગૃહસ્થી શ્રેષ્ઠ ગણું, પણ તેમના પરિચયમાં જનકવિદેહી આવે છે અને બધા રાજ સુખોમાં પણ અનાસક્ત રહેવાની પ્રેરણું પામે છે. જનકવિદેહી અનાસકત અને મહાન છે તે વાત અન્યને ગળે ઊતરતી નથી.
યાજ્ઞવક્ય રાજ વ્યાખ્યાન આપે છે. એક વાર એવું થાય છે કે બધા શ્રોતા આવી જવા છતાં જનકવિદેહી આવ્યા હતા નથી. તેથી યાજ્ઞવલ્કય વ્યાખ્યાન શરૂ કરતા નથી. બધા કારણ પૂછે છે તે ખબર પડે છે કે જનવિદેહીની રાહ જોવાય છે. બધા કાનોમાં વાત કરે છે કે “જોયું ! રાજાને રીઝવવા માટે પ્રયાસ થઈ રહ્યા છે!”
તે વખતે જનવિદેહી આવે છે અને વ્યાખ્યાન શરૂ થાય છે. થડે સમય બાદ એવું દ્રશ્ય ઊભું થાય છે કે મહેલ ભડકે ન બળતે હોય ! મિથિલા નગરી ભડભડ બળતી નજરે ચઢે છે.
શ્રોતામાં એકને થાય છે કે નગરી બળે છે અને બધું બળી જશે...! એક જાય છે તેને જોઈ બીજે જાય છે. ધીમે ધીમે ઋષિઓ પણ પિતાના કોપીન કમંડલ બચાવવા દોડે છે. બધા ચાલ્યા જાય છે કેવળ જનક ત્યાં બેઠા રહે છે.
યાજ્ઞવલ્કય તેમને પૂછે છે: “મિથિલા બળે છે તમે કેમ જતા નથી!”
જનક કહે છે: “મિથિલા બળે છે તેમાં મારું કશું બળતું નથી!”
વૈદિક ગ્રંથોમાં ઉલ્લેખ છે : “ત્રિય સમાનાયાં ન તિ જિન” એવું જ જૈન સૂત્રોમાં છે : મિત્રા, સુરક્ષ માળg કે રન જિન” “એટલે કે “મારે આત્મા તો અહીં છે. ત્યાં જડ છે. એ કંઈ મારૂં નથી. એટલે મારું કશું બળતું નથી. અત્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com