Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
તને સન્યાસની રજા આપું. ભાગ્યવશ મગરે પગ છોડી દીધું અને સંકરાચાર્ય સંન્યાસને ન ચીલે પાડી શકયા કે–
___यदहरेव विरजेत् तदहरेव प्रव्रजेत् જે દિવસે વૈરાગ્ય આવે તે દિવસે સંન્યાસ લે.
તેમણે હિંદુ ધર્મમાં જે જડતા આવી હતી, તેનું સંશોધન કર્યું. તેમણે હિંદુધર્મને બુદ્ધિપ્રધાન ધર્મ બનાવ્યા. બૌદ્ધ ધર્મમાં જે વિકૃતિ આવી હતી તેને દુર કરવા જહેમત ઉપાડી. પણ બૌદ્ધ ધર્મ હિંદમાં ટકી ન શક્યો, ત્યારે શંકરાચાર્યે બૌદ્ધ ધર્મના ઘણા સારાં તને હિંદુ ધર્મમાં અપનાવી લીધા અને તેને નવું સ્વરૂપ આપ્યું. આથી તેઓ “પ્રચ્છન્ન બૌદ્ધ” પણ કહેવાયા. તેમણે બૌદ્ધ ભિક્ષુઓ જે હિંદુ સંન્યાસીઓને સંધ ઊભે કર્યો. કોઈપણ વર્ગના લોકો આ સંઘમાં ભળી શક્તા. તેથી રૂઢિચૂસ્ત બ્રાહ્મણએ તેમનો સખ્ત વિરોધ કર્યો. તેમના કુટુંબ સાથે અસહકાર કર્યો. એટલું જ નહીં, તેમની માતાની અસ્થીને હાથ દેવા કોઈ ન આવ્યું તેથી શંકરાચાર્યે એકલા હાથે અસ્થી ઉપાડીને માતાને રાબેતા મુજબ અંત્યેષ્ટિ સંસ્કાર કર્યો. 1. શંકરાચાર્યે આખા હિંદમાં પ્રવાસ કર્યો. તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં-ત્યાં તેમણે અતવાદને પ્રચાર કર્યો અને વિજય મેળવ્યું. તેઓ કોરા તર્ક કરીને બીજાને હરાવી શકતા હતા પણ તેઓ આચરણ એવું રાખતા કે લોકો તેમના તરફ ખેંચાયા વગર ન રહેતા. એ કે તેમણે વેદ, ઉપનિષદ, ગીતા વગેરે ઉપર ઘણું ભાષ્યો લખ્યાં હતાં. અનેક ગ્રંથે તેમણે રચ્યાં હતાં. જેમાં મૌલિક સાહિત્ય તરીકે
હ-મુરાર, “ચNટ પંજારિકા', અપરક્ષાનુભૂતિ, ‘વિક–ચૂડામણિ વગેરે ગ્રંથો આવી જાય છે. એમાં એમને અદ્વૈતવાદ સમાજ વહેવાર સાથે સુસંગત લાગે છે.
પૂર્વ સંસ્કારવશ અસ્પૃશ્યતાને અશ તેમનામાં રહી જવા પામ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com