Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
આપ. દ્વારકામાં જાતે રહીને તેમણે કદિ યુદ્ધ ન કર્યું પણ અનેક ન્યાય-યુદ્ધમાં તેઓ પ્રેરક જરૂર હતા પણ શસ્ત્ર તરીકે સીધા ભળ્યા ન હતા. એટલે જ લોકો તેમને રણછોડ રૂપે આજે પણ માને છે.
અગાઉ મેં ક્રાંતિની પૂર્વ તૈયારીની વાત કરી હતી (જેને સારાંશ આ ચર્ચાના અંતમાં છે.) આજે ક્રાંતિની સમગ્ર વાત ટુંકાણમાં કરી છે. એમાં ભાગવત કે મહાભારતના આધ્યાત્મિક અર્થને હું અડ્યો નથી; માત્ર સામાજિક અનુબંધની દૃષ્ટિએ કૃષ્ણ શબ્દને અર્થ
આખા જગતને ખેંચનાર !” એમ કહીને કૃષ્ણનાં ત્રણ સ્વરૂપ જે ગીતામાં વર્ણવ્યાં છે, તે અત્રે રજૂ કરીશ – (૧) દૈપાયન કૃષ્ણ (૨) મૂળ કૃષ્ણ અને (૩) અર્જુન! એ ત્રણ રૂપે વર્ણવામાં આવ્યા છે. મત્સ્યવેધને પુરૂષાર્થ અર્જુને કર્યો હતો. અર્જુનનાં પાની કૃષ્ણ હતાં. એ રીતે અર્જુનમય શ્રીકૃષ્ણ અને શ્રીકૃષ્ણમય અર્જુન હતા.
ભગવાન શ્રીકૃષ્ણ દ્વીપમાં જઈને શ્રીપતિ રહ્યા એટલે તેઓ વૈપાયન કહેવાયા ! સુદર્શન કે જેને સાંકેતિક અર્થ હું સી. આઈ. ડી. કરું છું. અનિરૂદ્ધને લેવા પેલી બાઈ ગઈ ત્યારે સુદર્શન ચક્ર ચક્કર ચક્કર ફરતું હતું. ટુંકમાં ભગવાન શ્રીકૃષ્ણના સી. આઈ. ડી. ઠેર ઠેર સાવધાનપણે ફરતા હતા.
પાંચજન્ય શંખ એટલે મુનિ સંતબાલજીએ કહ્યું તેમ (૧) બ્રાહ્મણ, (૨) ક્ષત્રિય, (૩) વૈશ્ય, (૪) શુદ્ધ અને (૫) સંન્યાસીઓ; આ પાંચે શ્રીકૃષ્ણની મદદમાં હાય પછી તે શાના પાછા પડે?
એવી જ રીતે પાંચાલી એટલે પાંચ તત્તના આલયરૂપી પૃથ્વી તેનું વસ્ત્ર હરણ; જે દુઃશાસન–એટલે કે ખોટું શાસન કરે, ત્યારે સર્વાગી ક્રાંતિકાર એ દુઃશાસનને પાછો પાડ્યા વગર જપે કયાંથી? અલબત્ત આ બધી પૌરાણિક વ્યક્તિઓ હેઈને તેમનાં સાંકેતિક અર્થો બેસાડીએ છીએ તે તે વધારે સ્પષ્ટ રૂપે આપણું સામે આવીને રહે છે.”
તા. ૧૮-૭-૬૧ની ચર્ચાને સાર]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com