Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
[૫]. સર્વાગી કાંતિકારની દિશામાં ઈશુ, મહમદ પયગંબર, અાજરથુરત અત્યાર સુધી સર્વાંગી ક્રાંતિકારે અંગે આપણે વિચાર કરી ગયા છીએ. હવે એવી વ્યક્તિઓ અંગે વિચારવાનું છે કે જેઓ સર્વાગી ક્રાંતિના પથે હતા, પણ કેઈ કારણસર સર્વાગી ક્રાંતિ ન કરી શકયા. તેવા ક્રાંતિકારીના જીવન ઉપર વિચાર કરશું .
સામાન્ય રીતે દરેક ક્રાંતિકારમાં ત્રણ વસ્તુની અપેક્ષા રાખવામાં આવે છે –સિદ્ધાંત કે સામાજિક મૂલ્યો ખવાતાં હોય, ત્યારે તે પ્રાણપ્રતિષ્ઠા અને પરિગ્રહને સહર્ષ સમભાવથી છોડી શકે. ત્યારે સર્વાગી ક્રાંતિકારની ક્રાંતિ જીવનના દરેક ક્ષેત્રને સ્પર્શે તથા તેને સર્વક્ષેત્રીય અનુબંધ હોય. એ દષ્ટિએ ઈશુ ખ્રિસ્ત, મહંમદ પયગંબર અને મહાત્મા જરથુસ્તનાં જીવન પ્રસંગે જેવાનાં છે અને તેમનામાં પ્રાણ-પ્રતિષ્ઠા અને પરિગ્રહ છોડવાની કેવી તૈયારી હતી, ને બતાવી હતી.
[૧] ઈશુ ખ્રિસ્ત - ઈશુ ખ્રિસ્તના જીવનની કેટલીક ઘટનાઓ લઈએ. ઈશુ ખ્રિસ્ત પિતાનાં મૃત્યુ પૂર્વની રાત્રિએ પિતાના ૧૨ શિષ્યો સાથે ભેજન કરવા. બેઠા હતા. ભજન કરતાં પહેલાં તેમણે પિતાના શિષ્યના ચરણ ધેયાં. કેટલાંક શિષ્યોએ તેમને એમ કરતાં રોકયા. પણ, ઈશુએ તેમને ચરણ ધવાને વાસ્તવિક અર્થ સમજાવીને સમાધાન કર્યું. તે
એક દિવસ ઈશુને એક શિષ્ય દુશ્મને સાથે મળી ગયા. તે. સમયે ઈશુ ખ્રિસ્તની સાચી અને સેવાભાવી મને વૃત્તિથી ઘણું અમરે અને રાજ્યકર્તાઓ તેમજ વિદ્વાને તેમની વિરૂદ્ધ થઈ ગયા હતા અને તેમની પ્રતિષ્ઠા તેડવાને પ્રયત્ન કરતા હતા. તેજ રાતે પેલે શિષ્ય ઈશુને દુશ્મનના હાથમાં પકડાવવાની વાત નક્કી કરીને આવ્યો હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com